________________
૧૩૭.
પુષ્પરવરદી સૂત્ર કરેલ હોય તેનાથી અન્ય આગમનો પાઠ કરી શકાય, એ રૂપ અતિપ્રસંગ છે, અને તે રીતે=અન્યના ઉદ્દેશથી યોગોદ્વહન કરીને અન્ય આગમનો પાઠ થાય તે રીતે, સૂત્રમાં ઉદ્દેશાદિ નિરર્થક છે, એથી આ=અન્યનો કાઉસ્સગ્ન અને અન્યની સ્તુતિ કરવી એ, અર્થ વગરનું છે.
લોકના ઉધોતકર આદિ બે સૂત્ર વ્યાખ્યાન કરાયાં=લોગસ્સ ઉઅગરે અને સબ્ય લોએ એ બે સૂત્ર વ્યાખ્યાન કરાયાં. ભાવાર્થ -
એક તીર્થંકરની પ્રતિમાની સ્તુતિ કર્યા પછી સર્વ લોકમાં વર્તતા સર્વ તીર્થકરોની પ્રતિમા પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે સબ લોએ સૂત્રથી સ્તુતિ કરાય છે, તેથી મૂળ પ્રતિમા સાક્ષાત્ સમાધિનું કારણ હોવાથી પ્રથમ તેને અવલંબીને વંદન, પૂજન આદિ માટે કાઉસ્સગ્ન કરાય છે, ત્યારપછી જગતવર્તી સર્વે જિન પ્રતિમાઓ પ્રત્યે પૂજ્ય ભાવની વૃદ્ધિ કરવા માટે બીજી સ્તુતિ કરાય છે, તેથી ચૌદ રાજલોકવર્તી શાશ્વત-અશાશ્વત સર્વ જિનપ્રતિમાઓ પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય છે, તેનાથી વિશેષ પ્રકારની આશયની શુદ્ધિ થાય છે. જેમ એક સિદ્ધને નમસ્કાર કરવા કરતાં અનંત સિદ્ધોનો સમુચ્ચય કરીને નમસ્કાર કરવાથી આશયની વિશાળતા થવાથી ઘણી નિર્જરા થાય છે, તેમ મૂળ ચૈત્યની સ્તુતિ કર્યા પછી તત્ સદશ ગુણવાળા સર્વ અરિહંતો છે અને તેઓની આ પ્રતિમાઓ છે એ પ્રકારે પ્રતિસંધાન કરીને કાયોત્સર્ગ કરવાથી આશયની વિશાળતા થાય છે, તેનાથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, સવ્ય લોએ ઇત્યાદિ સૂત્ર બોલીને સર્વ તીર્થકરોની સ્તુતિ ન કરવામાં આવે, પરંતુ અન્ય પ્રકારની સ્તુતિ કરવામાં આવે તો તે સમ્યફ નથી; કેમ કે સવ્ય લોએ સૂત્રથી જે પ્રકારનું પ્રતિસંધાન હતું તેનાથી વિપરીત પ્રકારની સ્તુતિ બોલવાથી લોકમાં વર્તતા સર્વ તીર્થકરોની પ્રતિમાની સ્તુતિ થાય નહિ, આમ છતાં તે પ્રકારે કોઈ સ્તુતિ કરતા હોય તેને સમ્યક સ્વીકારીએ તો યોગોદહન વખતે અન્ય આગમને ઉદ્દેશીને કરાયેલા જોગમાં અન્ય આગમનો પાઠ થઈ શકે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સૂત્રમાં તે આગમના ઉદ્દેશાદિ સ્વીકારાયા છે તે નિરર્થક સિદ્ધ થાય, માટે સવ્ય લોએ ઇત્યાદિ પ્રતિસંધાન કરીને સ્વઇચ્છા અનુસાર અન્ય સ્તુતિ બોલી શકાય એ પ્રકારનું કથન અર્થ વગરનું છે. અવતરણિકા -
पुनश्च प्रथमपदकृताभिख्यं पुष्करवरद्वीपार्द्ध' विधिवत्पठति पठन्ति वा, तस्येदानीमभिसम्बन्धो विवरणं चोत्रीयते;- सर्वतीर्थकराणां स्तुतिरुक्ता, इदानीं तैरुपदिष्टस्याऽगमस्य, येन ते भगवन्तस्तदभिहिताश्च भावाः स्फुटमुपलभ्यन्ते, तत्प्रदीपस्थानीयं सम्यक्श्रुतमर्हति कीर्तनम्, इतीदभुच्यते, 'पुक्खरवर' इत्यादि - અવતરણિકાર્થ:
અને વળી, પ્રથમપદથી કરાયેલા નામવાળા પુષ્કરવરશ્રીપાદ્ધ સૂત્રને વિધિપૂર્વક બોલે છે=એક સાધુ કે શ્રાવક વિધિપૂર્વક બોલે છે અથવા અનેક સાધુઓ કે શ્રાવકો વિધિપૂર્વક બોલે છે, હમણાં