________________
૧૩૧
લલિતવિસ્તારા ભાગ-૩ पश्चात्सर्वेऽर्हन्तस्तद्गुणा इति सर्वलोकग्रहः, कायोत्सर्गचर्चः पूर्ववत्; तथैव च स्तुतिः, नवरं सर्वतीर्थकराणाम्, अन्यथाऽन्यः कायोत्सर्गः अन्या स्तुतिरिति न सम्यक्, एवमप्येतदभ्युपगमेऽतिप्रसङ्गः, स्यादेवमन्योदेशेऽन्यपाठः, तथा च निरर्थका उद्देशादयः सूत्रे, इति यत्किञ्चिदेतत्। व्याख्यातं लोकस्योद्योतकरानित्यादिसूत्रम् । લલિતવિસ્તરાર્થ -
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચતુર્વિશતિ સ્તવને કહીને સર્વ લોકમાં જ રહેલાં અહતું ચૈત્યોનો કાયોત્સર્ગ કરવા માટે આ બોલે છે એક સાધુ અથવા શ્રાવક બોલે છે અથવા ઘણા સાધુ અથવા શ્રાવકો બોલે છે, સર્વ લોકમાં રહેલો અહંતુ ચૈત્યોનાં વંદન-પૂજન આદિ માટે હું કાઉસ્સગ્ન કરું છું ઈત્યાદિ યાવદ્ વોસિરામિ સુધી બોલે છે, વ્યાખ્યા પૂર્વની જેમ=અરિહંત ચેઇયાણં સૂત્રની જેમ છે, કેવલ સર્વ લોકમાં રહેલાં અરિહંત ચેત્યોના એ પ્રકારના કથનમાં, દેખાય છે કેવલજ્ઞાનરૂપી સૂર્યથી દેખાય છે, એ લોક ચૌદ રક્તાત્મક ગ્રહણ કરાય છે અને કહેવાયું છે – ધર્માદિ દ્રવ્યોની જ્યાં વૃત્તિ છે તે ક્ષેત્ર તે દ્રવ્યોની સાથે લોક છે, અલોક નામવાળું તેનાથી વિપરીત છે. સર્વ ખરેખર ! અધો, તિર્યમ્ અને ઊર્ધ્વના ભેદથી ભિન્ન, સર્વ એવો આ લોક સર્વ લોક, તેમાં=સર્વ લોકમાં=સૈલોક્યમાં, જે અરિહંત ચૈત્યો છે તેમનાં વંદનાદિ અર્થે કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે, ત્રણ લોકમાં જે ચૈત્યો છે તે તથાદિથી બતાવે છે – અધોલોકમાં ચમરાદિનાં ભવનોમાં, તિરંગ લોકમાં દ્વીપ, પર્વત અને જ્યોતિષ્ક વિમાનાદિમાં, ઊર્ધ લોકમાં સૌધર્મ આદિ વિમાનોમાં અરિહંત ચૈત્યો વિધમાન છે જ, અને તેથી મૌલ ચેત્ય=જે ચૈત્ય સન્મુખ ચૈત્યવંદન કરાય છે એ ભૂલ ચૈત્ય, સમાધિનું કારણ છે–તેને અવલંબીને પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરનારા મહાત્માને કષાયોના શમનરૂપ સમાધિનું પ્રબળ આલંબન છે, એથી પૂર્વમાં મૂળ પ્રતિમાના વંદનાદિ નિમિતે કાઉસ્સગ્ન કરાયો=અરિહંત ચેઈયાણં સૂત્ર દ્વારા કાઉસ્સગ્ન કરાયો, સર્વ અરિહંતો તદ્ ગુણવાળા છે=મૂળ ચૈત્યની સમાન ગુણવાળા છે, એથી પાછળથી સર્વ લોકનું ગ્રહણ છે=બીજી સ્તુતિમાં સર્વ લોકનાં ચૈત્યોનું ગ્રહણ છે, કાયોત્સર્ગની ચર્ચા પૂર્વની જેમ છે= અરિહંત ચેઇયાણંની જેમ છે, અને તે પ્રકારે જ સ્તુતિ છે, ફક્ત બીજી સ્તુતિ સર્વ તીર્થકરોની છે, અન્યથા=બીજી સ્તુતિમાં અન્ય કાયોત્સર્ગ અને અન્ય સ્તુતિ એ, સમ્યફ નથી=સવ લોએ ઈત્યાદિ બોલીને સર્વ લોકના અરિહંતોના ચૈત્યવંદન માટે કાયોત્સર્ગ છે અને સર્વ તીર્થકરોને છોડીને કોઈક અન્ય સ્તુતિ બોલાય એ સમ્યફ નથી, એ રીતે પણ આનો અભ્યપગમ કરાયે છતે અન્ય કાયોત્સર્ગ અને અન્ય સ્તુતિ એનો સખ્યણ સ્વીકાર કરાયે છતે, અતિપ્રસંગ છે. એ અતિપ્રસંગને જ સ્પષ્ટ કરે છે –
આ રીતે અન્યનો કાઉસ્સગ્ન અને અન્યની સ્તુતિ એ સમ્યફ છે એ રીતે, અન્યના ઉદ્દેશમાં– યોગોદ્ધહન વખતે અન્યના ઉદ્દેશમાં, અન્યનો પાઠ થાય=જે આગમને ઉદ્દેશીને યોગોદ્વહન