________________
૧૩૪
લલિતવિસ્તરા ભાગ-૩
બોધિલાભ થતો નથી. આ કથનને સ્પષ્ટ કરતાં કહે છે – જો કે તે ભગવંતો વીતરાગ હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તોપણ તેવા પ્રકારના વચનપ્રયોગથી બોધિલાભરૂપ પ્રવચન પ્રત્યે ભક્તિનો પરિણામ થાય છે, તેથી સન્માર્ગવર્તી મહાસત્ત્વવાળા જીવોને તે પ્રાર્થના બોધિલાભનું કારણ બને છે. આવા
સૂત્ર :
चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा ।
सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ।।७।। સૂત્રાર્થ -
ચંદ્રથી નિર્મલતર, સૂર્યથી અધિક પ્રકાશાને કરનારા, સાગરવરથી ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપ. ll લલિતવિસ્તરા :
व्याख्या-इह प्राकृतशैल्या आर्षत्वाच्च पञ्चम्यर्थे सप्तमी द्रष्टव्येति, 'चन्द्रेभ्यो निर्मलतराः', पाठान्तरं वा 'चंदेहिं निम्मलयर'त्ति, तत्र सकलकर्ममलापगमाच्चन्द्रेभ्यो निर्मलतरा इति, तथा, 'आदित्येभ्योऽधिकं प्रकाशकराः', केवलोद्योतेन विश्वप्रकाशनादिति; उक्तं च - 'चंदाइच्चगहाणं पहा पगासेइ परिमियं खेत्तं। केवलियणाणलंभो लोयालोयं पयासेइ।।१।।' तथा, 'सागरवरगम्भीराः', तत्र सागरवरः स्वयम्भूरमणोऽभिधीयते, तस्मादपि गम्भीराः, परीषहोपसर्गेभ्योऽक्षोभ्यत्वात्, इति भावना, सितं= मातमेषामिति सिद्धाः, कर्मविगमात्कृतकृत्या इत्यर्थः, सिद्धि-परमपदप्राप्तिं मम दिशन्तु-अस्माकं प्रयच्छन्तु, इति गाथार्थाः।।७।। લલિતવિસ્તરાર્થ:
અહીં પ્રસ્તુત ગાથામાં, પ્રાકૃત શૈલીને કારણે અને આર્ષપણું હોવાને કારણે પંચમીના અર્થમાં સપ્તમી વિભક્તિ જાણવી, એથી ચંદ્રોથી નિર્મલાતર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપો, એમ સંબંધ છે અથવા પાઠાંતર=મૂળ ગાથામાં વહેલું નિમિત્તવેરા ને બદલે અહિં નિમનિયર એ પ્રમાણે પાઠાંતર છે, ત્યાં=ચંદ્રોથી નિર્મલતર એ વિશેષણમાં, સકલ કર્મમલનો અપગમ હોવાથી ચંદ્રથી નિર્મલતર છે અને સૂર્યથી અધિક પ્રકાશને કરનારા છે; કેમ કે કેવલજ્ઞાનના ઉધોતથી વિશ્વનું પ્રકાશન કરનાર છે, અને કહેવાયું છે – ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશન કરે છે, કેવલીના જ્ઞાનની પ્રાતિ લોકાલોકને પ્રકાશ કરે છે. અને સાગરવર ગંભીર સિદ્ધ ભગવંતો છે, ત્યાં= સાગરવર ગંભીર વિશેષણમાં, સાગરવર સ્વયંભૂરમણ સમુદ્ર કહેવાય છે, સિદ્ધ ભગવંતો તેનાથી પણ ગંભીર છે; કેમ કે પરિષહ-ઉપસર્ગોથી પણ અક્ષોભ્યપણું છેકસિદ્ધ અવસ્થાની પ્રાતિ પૂર્વે સાધનાકાળમાં પરિષહ-ઉપસર્ગોથી અક્ષોભ્યપણે તે રીતે સ્થિર કરેલું છે કે સિદ્ધ અવસ્થામાં