________________
અસત્ય સૂત્ર
૮૭ પ્રકૃત કર્મ પણ=શુદ્ધધ્યાનથી બંધાયેલું કર્મ પણ, શુદ્ધ ફલવાળું છે, જો આ પ્રમાણે છે=શુદ્ધભાવથી બંધાયેલું કર્મ શુદ્ધ ફલવાળું છે એ પ્રમાણે છે, તેનાથી શું?=તેનાથી શું પ્રાપ્ત થાય? એને કહે છે – આના ઉદયથી=શુદ્ધભાવથી બંધાયેલા કર્મના ઉદયથી, વિધાજન્મ છે=જન્માંતરમાં ફરી વિવેકની ઉત્પતિરૂપ વિધાજન્મ છે, કયા કારણથી=શુદ્ધભાવથી બંધાયેલા કર્મના ઉદયથી કયા કારણથી ફરી વિદ્યાજન્મ થાય છે ? એથી કહે છે – કારણનું અનુરૂપપણું હોવાથી ફરી વિવેક ઉત્પન્ન થાય છે એમ અવય છે, શિ=જે કારણથી, કારણ સ્વરૂપને અનુસરનાર કાર્ય સ્વભાવ છે, તેથી શુદ્ધભાવથી બંધાયેલું કર્મ શુદ્ધભાવનો હેતુ કેમ ન થાય ? અર્થાત્ થાય જ.
આ જ હેતુનીઃશુદ્ધભાવથી બંધાયેલું કર્મ જન્માંતરમાં વિવેકની ઉત્પત્તિનું કારણ છે એ જ હેતુની, સિદ્ધિ માટે કહે છે – યુક્તિ અને આરામથી સિદ્ધ અવય-વ્યતિરેકના વિમર્શરૂપ યુક્તિ અને જે જે સમયે જીવ જે જે ભાવથી આવિષ્ટ થાય છે તે તે ભાવને અનુરૂપ શુભાશુભકર્મ બાંધે છે ઈત્યાદિરૂપ આગમ તે બંનેથી સિદ્ધ અર્થાત્ પ્રતિષ્ઠિત, આ છે=કાર્યનું કારણને અનુરૂપપણું છે અર્થાત્ માટી ઘટ કાર્યને અનુરૂપ યોગ્યતાવાળી છે અને ઘટ કાર્યને અનુરૂપ તે તે પ્રકારની ચેષ્ટાથી માટીમાંથી ઘડો થાય છે અને જલ ઘટકાર્યને અનુરૂપ નથી, તેથી જલમાંથી ઘટ કરવાને અનુકૂળ છે તે પ્રકારની નિપુણ ચેણ કરવામાં આવે તોપણ ઘટ થાય નહિ એ પ્રકારની અન્વય-વ્યતિરેકના વિમર્શરૂપ યુક્તિથી કાર્યનું કારણને અનુરૂપપણું સિદ્ધ છે, અને જીવ જે જે પ્રકારના જે જે સમયે ભાવો કરે છે તેને અનુરૂપ જ શુભ કે અશુભકર્મ બાંધે છે એ રૂ૫ આગમથી કાર્યનું કારણને અનુરૂપપણું સિદ્ધ છે, આ= કાર્યનું કારણને અનુરૂપપણું, અન્ય કાર્યોમાં સિદ્ધ થાવ=બાહ્ય ઘટ-પટાદિ કાર્યોમાં સિદ્ધ થાય અને અધ્યવસાયને અનુરૂપ કર્મબંધમાં સિદ્ધ થાવ, પ્રકૃતિમાં સિદ્ધ થશે નહિ=પ્રતિવિશિષ્ટ ધ્યાનથી જે વિધાજન્મ થાય છે તેનાથી બંધાયેલા કર્મને કારણે ફરી જન્માંતરમાં વિવેક ઉત્પન્ન થશે એમ પૂર્વમાં કહ્યું એ રૂપ પ્રકૃતમાં કાર્યને અનુરૂપ કારણપણું સિદ્ધ થશે નહિ, એથી કહે છે – અને તેના લક્ષણો અનુપાતિ છે=યુક્તિ અને આરામથી સિદ્ધ કારણને અનુરૂપ કાર્યના લક્ષણને અનુપાતિ વિદ્યાજન્મ છે=વર્તમાનમાં પ્રતિવિશિષ્ટ ધ્યાનથી પ્રગટ થયેલી વિદ્યા જન્માંતરમાં વિધાજન્મનું કારણ છે અથવા વર્તમાનના ભાવમાં પણ ઉત્તર-ઉત્તરની વિશિષ્ટ વિદ્યાની પ્રાપ્તિનું કારણ છે, કયા કારણથી ? એથી કહે છે – આ પ્રકારનું વચન હોવાથી એ રૂપ વક્ષ્યમાણની સાથે સંબંધ છે, વચનને જ વચમાણ વચનને જ, બતાવે છે – વચગૃહ ઈત્યાદિ શ્લોકપંચકરૂપ અને સુગમ શબ્દાર્થવાળું વર્ચમાણ વચન છે, કેવલ તિરક્િરૂવ તર: એ પ્રકારનો શબ્દ ચોથા શ્લોકમાં છે તેનો અર્થ કરે છે – જે પ્રમાણે ઇતરમાં=સંસારમાર્ગમાં, ઈતર=મોહવિષથી અગ્રસ્ત વિવેકી, નિત્ય અખેદિત જતો નથી, તે પ્રમાણે શવમાર્ગમાં મોહવિષથી ગ્રસ્ત જતો નથી, વળી, કોઈક ખેતિ કોઈક રીતે દ્રવ્યથી ઉભયત્ર પણ=સંસારમાર્ગમાં પણ અને શિવમાર્ગમાં પણ, જાય છે એ પ્રકારનો ભાવ છે, વળી, આ અભિપ્રાય છે – અનુરૂપ કારણથી પ્રભવ વિદ્યાજન્મ હોતે છતે વિષયના વૈરાગ્યરૂપ ક્રિયા અને જ્ઞાનાત્મક યોગમાં સાતત્ય પ્રવૃત્તિરૂપ શિવમાર્ગનું ગમન અને તેનું ફળ=શિવમાર્ગના ગમતનું સુગતિની પરંપરારૂપ ફળ, ઘટે છે, અન્યથા વહિ=વિધાજન્મરૂપ ક્રિયાજ્ઞાનાત્મક યોગમાર્ગ ન હોય તો, ઘટે નહિ.