________________
લલિતવિસ્તા ભાગ-૩
વળી, જે જિનાલયમાં ચૈત્યવંદન કરાય છે ત્યાં જે ભગવાનની પ્રતિમા સન્મુખ છે તેમને જ આગળ કરીને કાયોત્સર્ગ અને સ્તુતિ બોલવી જોઈએ, જેનાથી શોભનભાવની વૃદ્ધિ થાય છે; કેમ કે જે ભગવાન સન્મુખ છે, તેમની જ હું સ્તુતિ કરું છું એ પ્રકારનું પ્રતિસંધાન થાય છે અને અન્ય ભગવાનની પ્રતિમા હોય તો જે ભગવાનની પ્રતિમા છે તેમની હું સ્તુતિ કરું છું તેમ પ્રતિસંધાન થતું નથી, તેથી તે ભગવાનની સ્તુતિ કરવાથી વિશિષ્ટ નિર્જરા થાય છે, ત્યારપછી બધા નમસ્કારના ઉચ્ચારપૂર્વક કાયોત્સર્ગ પારે છે. અવતરણિકા:
पुनरत्रान्तरेऽस्मिन्नेवावसर्पिणीकाले ये भारते तीर्थकृतस्तेषामेवैकक्षेत्रनिवासादिनाऽऽसनतरोपकारित्वेन कीर्तनाय चतुर्विंशतिस्तवं पठति पठन्ति वा, स चायम् - અવતરણિકાર્થ:
વળી, અઢાંતરે એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને સ્તુતિ બોલ્યા પછી, આ અવસર્પિણીકાળમાં ભારતમાં જે તીર્થકરો થયા તેઓનું એક ક્ષેત્રનિવાસ આદિથી આસન્નતર ઉપકારિપણું હોવાને કારણે કિીર્તન માટે–તેઓના કીર્તન માટે, ચતુર્વિશતિ સ્તવને બોલે છે=એક જણ બોલે છે, અથવા અનેક જણ હોય તો અનેક જણ બોલે છે એક જણ સ્પષ્ટ ઉચ્ચારથી બોલે છે અન્ય સર્વ મનમાં અવશ્ય બોલે છે, અને તે=ચતુર્વિશતિસ્તવ, આ છે=આગળ બતાવે છે એ છે – સૂત્ર -
लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे ।
अरिहंते कित्तइस्सं, चउवीसंपि केवली ।।१।। સૂત્રાર્થ :
લોકના ઉદ્યતને કરનારા ધર્મતીર્થર્ન કરનારા જિન અરિહંત ર્શાવી પણ કેવલીનું હું કીર્તન કરીશ. III લલિતવિસ્તરા -
अस्य व्याख्या -'लोकस्योद्योतकरानि'त्यत्र विज्ञानाद्वैतव्युदासेनोद्योत्योद्योतकयोर्भेदसंदर्शनार्थं भेदेनोपन्यासः, लोक्यत इति लोकः, लोक्यते-प्रमाणेन दृश्यत इति भावः, अयं चेह तावत्पञ्चास्तिकायात्मको गृह्यते, तस्य लोकस्य किम् ? उद्योतकरणशीला उद्योतकरास्तान्, केवलालोकेन तत्पूर्वकवचनदीपेन वा सर्वलोकप्रकाशकरणशीलानित्यर्थः।
तथा दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, उक्तं च- 'दुर्गतिप्रसृताञ्जीवान्, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः।।१।।' इत्यादि, तथा तीर्यतेऽनेनेति तीर्थम्, धर्म एव