________________
૧૧૧
લોગસ સૂત્ર શંકામાં ઉત્તર અપાય છે –
આeભગવાન પ્રસાદપર થાવ એ, પ્રાર્થના નથી; કેમ કે તેના લક્ષણની અનુપત્તિ છે=પ્રાર્થનાના લક્ષણની અનુપતિ છે, કેમ અનુપપત્તિ છે ? તેથી કહે છે – આ પ્રાર્થના તેમના અપ્રસાદની આaોપિકા છે=ભગવાન પોતાના ઉપર પ્રસાદવાળા નથી અને જણાવનારી આ પ્રાર્થના છે, માટે પ્રાર્થનાના લક્ષણની અનુપપત્તિ છે એમ અન્વય છે. ભગવાનને કરાયેલી પ્રાર્થના ભગવાનના અપ્રસાદને જણાવનારી છે તેમાં હેતુ કહે છે – તે પ્રકારે લોકમાં પ્રસિદ્ધપણું છે. કેમ તે પ્રકારે લોકમાં પ્રસિદ્ધપણું છે ? તેમાં હેતુ કહે છે –
અપ્રસન્ન પ્રત્યે પ્રસાદની પ્રાર્થનાનું દર્શન છે કોઈ પોતાના પ્રત્યે અપ્રસન્ન હોય ત્યારે તેને પ્રસાદ કરવાની પ્રાર્થના કરાય છે તેમ લોકમાં દેખાય છે, અન્યથા કોઈ અપ્રસન્ન ન હોય તો, તેનો અયોગ છે=પ્રાર્થનાનો અયોગ છે, અથવા ઉક્ત જ હેતુથી ભાવી અપ્રસાદની વિનિવૃત્તિ અર્થે પ્રાર્થના કરાય છે=ભાવીમાં અપ્રસન્નતાની સંભાવના હોય એ હેતુથી ભાવીના અપ્રસાદની નિવૃત્તિ માટે તમે પ્રસાદપર થાવ એ પ્રકારે પ્રાર્થના કરાય છે, એથી ઉભયથા પણ અપ્રસન્નતાની નિવૃત્તિ અર્થે કે ભાવીના અપ્રસાદની નિવૃત્તિ અર્થે એ રૂપ ઉભયથા પણ, તેમની અવીતરાગતા પ્રાપ્ત થાય ભગવાનની અપ્રસન્નતાની નિવૃત્તિ અર્થે અથવા ભાવીની અપ્રસન્નતાની નિવૃત્તિ અર્થે જ પ્રાર્થના કરાય છે એમ કહેવામાં આવે તો ભગવાનમાં અવીતરાગતા છે તેમ સિદ્ધ થાય, માટે તીર્થકરો મારા ઉપર પ્રસાદ કરો એ કથનમાં પ્રાર્થનાના લક્ષણની અનુપપતિ છે એમ સંબંધ છે, આથી જ=જો ભગવાન પ્રસાદપર થાવ એને પ્રાર્થના સ્વીકારીએ તો ભગવાનમાં અવીતરાગતાની પ્રાપ્તિ છે આથી જ, સ્તવધર્મનો વ્યતિક્રમ છે=વીતરાગની સ્તુતિ થાય અન્યની સ્તુતિ ઉચિત નથી એ પ્રકારના સવધર્મનું ઉલ્લંઘન છે; કેમ કે અનિરૂપિત વિધાન દ્વારા અર્થપત્તિથી આક્રોશ છે=ભગવાનનું સ્વરૂપ જેવું નિરૂપણ કરાયું નથી તેવા અનિરૂપિત સ્વરૂપવાળા ભગવાન છે એ પ્રકારના વિધાન દ્વારા પ્રાર્થના વડે અર્થાપતિથી ભગવાનને “અવીતરાગ છે એ પ્રમાણે આક્રોશ છે, ખરેખર આ વચનવિધિ=અર્થાપતિથી ભગવાનને આક્રોશ કરવો એ વચનવિધિ, આર્યોની નથી; કેમ કે તત્ તત્ત્વનું બાધન છે=આર્યોના આર્યત્વનું બાધન છે.
આ વચનવિધિ આર્યોની નથી તો પ્રસ્તુત સૂત્રમાં તીર્થકરો મારા પ્રત્યે પ્રસાદપર થાવ એમ કેમ કહેવાય છે ? તેથી કહે છે –
વચનકૌશલ્યથી યુક્ત એવા પુરુષથી ગમ્ય આ માર્ગ છે=ભગવાન પ્રસાદપર થાવ એ પ્રકારનો આ માર્ગ છે.
આ રીતે ભગવાન પ્રસાદપર થાવ એ વચન પ્રાર્થનારૂપ નથી, પરંતુ વચનકૌશલ્યયુક્ત પુરુષ જાણી શકે તેવો આ માર્ગ છે તેમ સ્થાપન કર્યું. હવે પૂર્વપક્ષીએ શંકા કરેલી કે આનો ઉપન્યાસ સપ્રયોજન છે કે