________________
૧૨૭
લોગસ્સ સૂત્ર
સમાધિનું પ્રાર્થન ભાજ્ય છે; કેમ કે ચોથી ભાષારૂપપણું છે, તે કહેવાયું છે=પ્રસ્તુત પ્રાર્થન ચોથી ભાષા છે એમ જે પૂર્વમાં કહ્યું તે અન્યત્ર કહેવાયું છે
=
ભાષા અસત્યમૃષા છે, કેવલ આ=ભગવાન મને આરોગ્ય બોધિલાભ આદિ આપો એ ભાષા, ભક્તિથી કહેવાઈ છે, ક્ષીણ રાગ-દ્વેષવાળા સિદ્ધ ભગવંતો સમાધિ અને બોધિને આપતા નથી જ. II૧॥
તોપણ તેમની પ્રાર્થનામાં અહીં મૃષાવાદ ન જાણવો, તેના=ભગવાન પાસે તે પ્રકારની પ્રાર્થનાના, પ્રણિધાનથી જ તેનો ગુણ હોવાથી ફલનો ભાવ છે. II૨ા
જે પ્રમાણે ભવ્ય જીવો ચિંતામણિ રત્નાદિથી સમીહિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તે પ્રમાણે તેઓના રાગાદિના અભાવમાં પણ પ્રાર્થના કરનારા જીવો જિનેશ્વરોથી સમાધિને, બોધિને પ્રાપ્ત કરે છે. II3II
વસ્તુ સ્વભાવવાળા=પ્રાર્થના કરનારને ઈષ્ટ ફલ આપે એવા વસ્તુ સ્વભાવવાળા, આ=તીર્થંકરો, અપૂર્વ ચિંતામણિ મહાભાગ છે, તીર્થંકરને સ્તવીને બોધિલાભ પ્રાપ્ત કરાય છે. ।।૪।।
જિનેશ્વરોની ભક્તિથી પૂર્વ સંચિત કર્મો ક્ષય પામે છે, જે કારણથી ગુણપ્રકર્ષવાળામાં બહુમાન કર્મવનને બાળવા માટે દાવાનળ છે. પા
આ કહેવાયેલું થાય છે=સાર્થક-અનર્થક વિચારણામાં આ કહેવાયેલું થાય છે, જોકે તે સિદ્ધ ભગવાનનું વીતરાગપણું હોવાથી આરોગ્યાદિ આપતા નથી, તોપણ આવા પ્રકારના વાણીના પ્રયોગથી પ્રવચનનું આરાધનપણું હોવાથી સન્માર્ગવર્તી મહા સત્ત્વવાળા જીવને તે=પ્રાર્થન, તેની સત્તાનું કારણ જ=આરોગ્ય બોધિલાભની પ્રાપ્તિનું કારણ જ, થાય છે. કા
પંજિકા ઃ
अत एव=ऋद्ध्यभिष्वङ्गतो धर्म्मप्रार्थनाया मोहत्वादेव, इष्टभावबाधकृत् - इष्टो भावो - निर्वाणानुबन्धी कुशलः परिणामः तस्य बाधकृत् - व्यावृत्तिकारि, एतत् प्रकृतनिदानं; कुत इत्याह- तथेच्छाया एव = धर्म्मोपसर्जनीकरणेन ऋद्ध्यभिलाषस्यैव, तद्विघ्नभूतत्वाद् = इष्टभावविबन्धकभूतत्वाद्, एतत्कुत इत्याहतत्प्रधानतया=ऋद्धिप्राधान्येन, इतरत्र = धम्र्मे, उपसर्जनबुद्धिभावात् = कारणमात्रत्वेन गौणाध्यवसायभावात् ।
इदमेव विशेषतो भावयन्नाह
अतत्त्वदर्शनमेतद्=अपरमार्थावलोकनं, विपर्यास इत्यर्थः, एतत् = प्रकृतनिदानम्, कीदृगित्याह महदपायसाधनं=नरकपाताद्यनर्थकारणम्, कुत इत्याह- अविशेषज्ञता = सामान्येन गुणानां पुरुषार्थोपयोगिजीवाजीवधर्म्मलक्षणानां दोषाणां तदितररूपाणां तदुभयेषां च विशेषो विवरको विभाग इत्येकोऽर्थः, तस्य अनभिज्ञता विपरीतबोधरूपा, अर्थक्षयानर्थप्राप्तिहेतुतया हिंसानृतादिवत् हिः = यस्मात्, गर्हिता=दूषिता । ननु कथमिदं प्रत्येयमित्याशङ्क्याह
पृथग्जनानामपि=पृथक्-तथाविधालौकिकसामयिकाचारविचारादेर्बहिः स्थिता बहुविधा बालादिप्रकाराः, :- प्राकृतलोकाः, पृथग्जनाः, तेषामपि किं पुनरन्येषां शास्त्राधीनधियां सुधियामिति 'अपि ' शब्दार्थः ;
બનાઃ