________________
લલિતવિસ્તરા ભાગ-૩
૧૧૮
સર્વ કર્મના ઉપદ્રવ રહિત પરમ સ્વાસ્થ્યરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી મોક્ષની પ્રાપ્તિનો ઉપાય જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ છે.
વળી, આ ભાવસમાધિ પણ તરતમતાથી અનેક ભૂમિકાવાળી છે, તેથી વિવેકી શ્રાવકોને અને સાધુઓને પોતાના સત્ત્વ અનુસાર તે ભાવસમાધિ પ્રાપ્ત થયેલી હોય તોપણ સર્વોત્કૃષ્ટ એવી ભાવસમાધિના અર્થી તેઓ સિદ્ધ ભગવંતો પાસે ઉત્તમ એવી ભાવસમાધિની યાચના કરે છે, તેનાથી ભાવસમાધિના ઉત્કર્ષને અનુકૂળ બળ સંચિત થાય છે, આથી જ જે વિવેકી શ્રાવકો અને સાધુઓ સિદ્ધ ભગવંતો મને ઉત્તમ ભાવસમાધિ આપો તે પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક બોલે છે તેઓ ઉત્તમસમાધિને અનુકૂળ મહાવીર્યના સંચયવાળા થાય છે.
લલિતવિસ્તરા :
आह- 'किमिदं निदानमुत न? इति, यदि निदानमलमनेन सूत्रप्रतिषिद्धत्वात्, न चेत्, सार्थकमनर्थकं वा? यद्याद्यः पक्षः, तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवणे प्राणिनि तथादानात्, अथ चरमः, तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति ।'
अत्रोच्यते, न निदानमेतत्, तल्लक्षणायोगात्, द्वेषाभिष्वङ्गमोहगर्भं हि तत्, तथा तन्त्रप्रसिद्धत्वात्। धर्म्माय हीनकुलादिप्रार्थनं मोहः, अतद्धेतुकत्वात्, ऋद्ध्यभिष्वङ्गतो धर्म्मप्रार्थनापि मोहः, अतद्धेतुकत्वादेव, तीर्थकरेऽप्येतदेवमेव प्रतिषिद्धमिति ।
લલિતવિસ્તરાર્થ :
આથી પ્રશ્ન કરે છે શું આ=સિદ્ધ ભગવંતો પાસે પ્રાર્થના કરી એ, નિદાન છે અથવા નથી? જો નિદાન છે તો આના વડે=સિદ્ધ ભગવંતો પાસે આ પ્રકારે યાચન વડે, સર્યું; કેમ કે સૂત્રમાં પ્રતિષિદ્ધપણું છે=આગમમાં નિદાનનું પ્રતિષિદ્ધપણું છે, જો નથી=આ પ્રકારનું યાચન નિદાન નથી, તો સાર્થક છે અથવા અનર્થક છે એમ બે વિકલ્પ સંભવે છે, જો આધ પક્ષ છે= સિદ્ધ ભગવંતો પાસે ઉત્તમ સમાધિનું યાયન સાર્થક છે એ પ્રકારનો પક્ષ છે, તો તેઓનો=સિદ્ધ ભગવંતોનો, રાગાદિમાનપણાનો પ્રસંગ છે; કેમ કે પ્રાર્થનામાં તત્પર એવા પ્રાણીમાં, તે પ્રકારનું દાન છે=જે પ્રકારે તે જીવે આરોગ્ય બોધિલાભ માટે ઉત્તમ સમાધિની માગણી કરી તે પ્રકારે આપે છે, હવે બીજો પક્ષ છે=પ્રસ્તુત યાચન અનર્થક છે, તો આરોગ્યાદિ પ્રદાનથી વિકલ એવા આ છે=સિદ્ધ ભગવંતો છે, એ પ્રકારે જાણતાને પણ પ્રાર્થનામાં મૃષાવાદનો પ્રસંગ છે, આમાં=પૂર્વપક્ષીની શંકામાં, ઉત્તર આપે છે .
-
—
આ નિદાન નથી=સિદ્ધ ભગવંતો પાસે પ્રસ્તુત યાચન નિદાન નથી; કેમ કે તેના લક્ષણનો અયોગ છે=નિદાનના લક્ષણનો અયોગ છે, =િજે કારણથી, દ્વેષ, રાગ અને મોહગર્ભ તે=નિદાન છે; કેમ કે તે પ્રકારે=દ્વેષ-રાગ અને મોહગર્ભ નિદાન છે તે પ્રકારે, તંત્રમાં પ્રસિદ્ધપણું છે, ધર્મ