________________
લોગસ સુત્રા
૧૨૧ મોહ મોહગર્ભ નિદાન છે, હીનયુનાતિમાં રહેલા ગાલિ શબ્દથી કુરૂપત્વ-દુર્ભગત-અનાદયત્વ આદિનું ગ્રહણ છે, કયા કારણથીકહીનકુલાદિ પ્રાર્થના કયા કારણથી મોહ છે? એથી કહે છે – અતહેતુકપણું હોવાથી=અવિદ્યમાન એવા તે હીનકુલાદિ હેતુઓ છે જેને તે તેવું છે=આતહેતુકવાનું છે તેનો ભાવ તત્વ=અહેતુકવાળાપણું, તેનાથી મોહગર્ભ નિદાન છે એમ અન્વય છે, દિ=જે કારણથી, અહીનકુલાદિ ભાવવાળા ભવ્યો ભગવાનની જેમ અવિકલધર્મનું ભાજત થવા માટે યોગ્ય છે, ઈતર નહિત્રહીનકુલાધિવાળા નહિ અને કહેવાયું છે – - જિનધર્મની સિદ્ધિ માટે હીનકુલ, બાંધવવજિતપણું અથવા વિશુદ્ધવૃત્તિથી દરિદ્રતાની યાચના કરનાર જીવને સંસારનો હેતુ એવું નિદાન કહેવાયું છે.
પ્રકારતથી પણ=હીનકુલાદિની અપેક્ષાએ અન્ય પ્રકારથી પણ, આ=મોહગર્ભ નિદાનને, કહે છે – ઋદ્ધિના અભિળંગથી ધર્મની પ્રાર્થના પણ પુરંદર ચક્રવર્તી આદિ વિભૂતિના અનુરાગથી ઘર્મની આરાધના વગર આ વિભૂતિ થશે નહિ એ પ્રકારની આશંસાથી ધર્મનું આશંસન પણ=ઋદ્ધિ માટે હું ધર્મ કરનારો થાઉં એ પ્રકારનો અભિલાષ પણ, શું? એથી કહે છે – ઉક્તરૂપવાળો મોહ છે, શું વળી, હીતકુલાદિની પ્રાર્થના એ જ શબ્દનો અર્થ છે, કયા કારણથી=ઋદ્ધિના અભિળંગથી ધર્મનું પ્રાર્થના પણ મોહ કયા કારણથી છે ? એથી કહે છે – અતહેતુપણું હોવાથી=અવિદ્યમાન એવો ઉપસર્જનવૃતિથી આશંસિત ધર્મ હેતુ છે જેને અર્થાત્ ધર્મની પ્રાર્થના છે જેને તે તેવી છે= અતહેતુવાળી છે, તેનો ભાવતત્વ છે તે કારણથી જ મોહ છે=ઋદ્ધિના અભિવૃંગથી ઘર્મની પ્રાર્થના પણ મોહ છે; કેમ કે ધર્મનું અનુપાદેયતા પરિણામથી ઉપહતપણું હોવાને કારણે તેનાથી=ધર્મથી અભિલષિત ઋદ્ધિની અસિદ્ધિ છે.
જે કારણથી આ પ્રમાણે છે=ઋદ્ધિના અભિળંગથી ધર્મનું પ્રાર્થના પણ મોહ છે એ પ્રમાણે છે, તે કારણથી તીર્થંકરમાં પણ આઠ મહાપ્રાતિહાર્ય પૂજાતા ઉપચારવાળા જીવવિશેષમાં પણ, આ પ્રાર્થના આ રીતે જ છે=ઋદ્ધિના અભિવૃંગથી જ છે, શું વળી, અન્યત્ર પુરંદર આદિ વિષયભૂતમાં તો આશંસન મોહ છે, પરંતુ તીર્થકરમાં પણ આ રીતે જ પ્રાર્થના મોહ છે એમ અવય છે, જે પ્રમાણે આ=તીર્થકર, ભુવનમાં અદ્ભુત થયેલ વિભૂતિનું ભાજન, ભુવન એક પ્રભુ પ્રભૂત ભક્તિના સમૂહથી ભરેલા એવા દેવના સમૂહથી સેવાતા ચરણવાળા ભગવાન તીર્થંકર વર્તે છે, તે પ્રમાણે હું પણ આ તપ વગેરે અનુષ્ઠાનથી થાઉં એ સ્વરૂપવાળું પ્રાર્થના પ્રતિષિદ્ધ છે એમ અવય છે, પરંતુ જે નિરભિવંગ ચિત્તવૃત્તિ હોવાથી ધર્મના આદેશ, અનેક સત્વના હિત, નિરુપમ સુખના સંજતક, અચિંત્ય ચિંતામણિકલ્પ ભગવાન છે. હું પણ તેવો થાઉં એ રૂપ પ્રાર્થના પ્રતિષિદ્ધ નથી=દશાશ્રુત સ્કંધ આદિમાં તિવારિત નથી, તે કહેવાયું છે –
આથી જ દશાદિમાં=દશાશ્રુતસ્કંધ આદિમાં, તીર્થકરમાં પણ નિદાનની પ્રતિષેધ યુક્ત છે, જે કારણથી ભવપ્રતિબદ્ધ સાભિળંગ તેeતીર્થંકર વિષયક નિદાન છે.