________________
૧૫
અરિહંત ચેઈયાણં સૂત્ર વિવેકી સાધુ વધતી જતી શ્રદ્ધા આદિપૂર્વક ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી પૂજન-સત્કારનું ફળ મળો એવો અભિલાષ કરે તે ઉચિત છે. લલિતવિસ્તરા :
श्रावकस्तु सम्पादयन्नप्येतो भावातिशयादधिकसम्पादनार्थमाह, न तस्यैतयोः संतोषः, तद्धर्मस्य तथास्वभावत्वात्, जिनपूजासत्कारयोः करणलालसः खल्वाद्यो देशविरतिपरिणामः, औचित्यप्रवृत्तिसारत्वेन; उचितौ चारम्भिण एतौ, सदारम्भरूपत्वात्, औचित्याज्ञामृतयोगात्, असदारम्भनिवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति। ... લલિતવિસ્તરાર્થ -
વળી, શ્રાવક આને પૂજા-સત્કારને, સંપાદન કરતાં પણ ભાવના અતિશયથી અધિક સંપાદન માટે પૂજા-સત્કારના અધિક ફળને પ્રાપ્ત કરવા માટે, કહે છે, તેને શ્રાવકને, આ બંનેમાં=પૂજનસત્કારમાં, સંતોષ નથી; કેમ કે તેના ઘર્મનું=શ્રાવકધર્મનું, તથાસ્વભાવપણું છે, જિનના પૂજાસત્કારમાં કરણની લાલસાવાળો જ આધ દેશવિરતિ પરિણામ છે; કેમ કે ઔચિત્ય પ્રવૃત્તિનું સારપણું છે અને આરંભી એવા શ્રાવકને આ=પૂજન-સત્કાર, ઉચિત છે; કેમ કે સઆરંભરૂપપણું છે, કેમ સદ્ આરંભરૂપ છે તેમાં હેતુ કહે છે – ઔચિત્ય આજ્ઞા અમૃતનો યોગ છે. કેમ આવા પ્રકારની આજ્ઞા છે ? એમાં હેત કહે છે –
અસદ્ આરંભની નિવૃત્તિ છે; કેમ કે અન્યથા=ભગવાનના પૂજન-સત્કાર વગર, તેનો અયોગ છે અસુંદર આરંભની નિવૃત્તિનો અયોગ છે, (ભગવાનના પૂજન-સત્કાર વગર શ્રાવકને અસદ્ આરંભની નિવૃત્તિ સ્વીકારવામાં આવે તો તો શું દોષ છે તેથી કહે છે) અતિપ્રસંગ હોવાથી ભગવાનના પૂજાસત્યારથી જ અસદ્ આરંભની નિવૃત્તિ છે એમ અન્વય છે. પંજિકા - - 'तद्धर्मे'त्यादि, तद्धर्मस्य श्रावकधर्मास्य, तथास्वभावत्वात्-जिनपूजासत्कारयोराकाङ्क्षातिरेकात् असंतोषस्वभावत्वात्, एतदेव भावयति- जिनपूजासत्कारयोः उक्तरूपयोः, करणलालस एव-विधानलम्पट एव, 'खलु'शब्दस्यैवकारार्थत्वात्, आध: आरम्भवर्जाभिधानाष्टमप्रतिमाभ्यासात् प्राक्कालभावी, देशविरतिपरिणामः श्रावकाध्यवसायः, कुत इत्याह- औचित्यप्रवृत्तिसारत्वेन-निजावस्थाया आनुरूप्येण या प्रवृत्तिःचेष्टा तत्प्रधानत्वेन। औचित्यमेव भावयन्नाह- उचितौ च योग्यौ च, आरम्भिणः=तत एव पृथिव्याद्यारम्भवतः, एतो-पूजासत्कारी कुत इत्याह- सदारम्भरूपत्वात् सन्सुन्दरो जिनविषयतया, आरम्भः-पृथिव्याधुपमर्दः, तद्रूपत्वात्, आरम्भविशेषेऽपि कथमनयोः सदारम्भत्वमित्याशङ्क्याह- आज्ञामृतयोगात आजैव' जिनभवनं जिनबिम्बमित्याद्याप्तोपदेशरूपा अमृतम् अजरामरभावकारित्वात्, तेन योगात्, आज्ञापि किंनिबन्धनमित्थमित्या