________________
લલિતવિક્તા ભાગ-૩ અને ચેષ્ટા કાયોત્સર્ગનું જઘન્યથી પણ ઉક્તમાનપણું છે=આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ ઉક્તમાનપણું છે, અને કહેવાયું છે - ઉદ્-સમુદેસમાં સત્યાવીશ=ઉદ્દે-સમુદ્રમાં જે કાઉસ્સગ્ન કરાય છે તે સત્યાવીશ ઉચ્છવાસ પ્રમાણ હોય છે, અનુજ્ઞામાં સત્યાવીશ ઉચ્છવાસ પ્રમાણ હોય છે, પ્રસ્થાપન કાર્ય નિમિતે સાધુ જતા હોય અને કોઈ અલના થાય તો આઠ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ન કરે અને પ્રતિક્રમણમાં કાલના પ્રતિક્રમણમાં, આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ગ કરે, આદિ શબ્દથી અન્યનું ગ્રહણ છે. અહીં સસમુલે એ ઉદ્ધરણની ગાથામાં, આ=વંદનાર્થ કાઉસ્સગ્ગ, ગ્રહણ કરાયો નથી અર્થાત્ તેમાં વંદનાર્થે આઠ ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો જોઈએ તેમ કહેલ નથી માટે તેનું ગ્રહણ પ્રસ્તુત સૂગથી થાય નહિ માટે ભુજાના પ્રલંબ માત્ર જ કાઉસ્સગ્ગ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે એમ ન કહેવું; કેમ કે આદિ શબ્દથી અવરુદ્ધપણું છે=ઉદ્ધરણની ગાથામાં પdવધારવામામાં રહેલા આદિ શબ્દથી ગૃહીતપણું છે.
અહીં પ્રશ્ન થાય કે આદિ શબ્દથી પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્નનું ગ્રહણ છે એ કેમ નક્કી થાય? તેમાં હેતુ કહે છે –
ઉપન્યાસ કરાયેલ ગાથાસૂત્રનું ઉપલક્ષણપણું છે=ઉદ્દેશ-સમુદેસવાળી ગાથા જે કહેવાયેલી છે તે ગાથાસૂત્રનું ઉપલક્ષણપણું હોવાથી આદિ શબદથી દંડકાર્થ સૂત્રના કાઉસ્સગ્ગનું ગ્રહણ છે અને અન્યત્ર પણ આગમમાં આવા પ્રકારના સૂત્રથી અનુક્ત અર્થની સિદ્ધિ છે=સૂત્રમાં સાક્ષાત્ કહેલું ન હોય તોપણ આદિ શબદથી તેના ગ્રહણની સિદ્ધિ છે, કયા સિદ્ધિ છે? તે થી સ્પષ્ટ કરે છે – અને કહેવાયું છે – સવારથી માંડીને મુખવત્રિકાદિના વિષયમાં દેવસિક અતિચારોનું આલોચન કરીને સર્વ અતિચારોને સમાપ્ત કરીને=બુદ્ધિના અવલોકન દ્વારા આટલા અતિયારો છે એ પ્રમાણે નિર્ણય કરીને, દોષોને અતિચારોને, હૃદયમાં સ્થાપે=આલોચના કરવા માટે હૃદયમાં સ્થાપે. અહીં=ઉદ્ધરણની ગાથામાં, મુખવત્રિકા માત્રની ઉક્તિ હોવાથી આદિ શબદથી શેષ ઉપકરણ આદિનું ગ્રહણ જણાય છે; કેમ કે સુપ્રસિદ્ધપણું છે અને પ્રતિદિવસમાં ઉપયોગ છે–પ્રતિદિવસ પડિલેહણ વખતે સાધુ મુહપતિના પડિલેહણ પછી ક્રમસર અન્ય વસ્ત્રોનું પડિલેહણ કરે છે માટે પ્રતિદિવસ ઉપયોગ છે, તેથી ભેદથી કહેવાયું નથી=મુહપત્તિ કરતાં અન્ય ઉપકરણ આદિનું ભેદથી ગ્રહણ કરાયું નથી, અહીં પૂર્વપક્ષી કહે કે દિવસના અતિચારનું અનિયતપણું હોવાને કારણે=દિવસની સર્વ પ્રવૃત્તિઓમાં અતિચાર થાય તેવું નિયતપણું નથી પરંતુ દિવસની તે તે પ્રવૃત્તિમાંથી કોઈક પ્રવૃત્તિમાં અતિવાસ્નો સંભવ છે તેથી દિવસના અતિચાનું અનિચતપણું હોવાને કારણે, અહીંનો સમુદ ઈત્યાદિ ગાથામાં, આદિ શબ્દથી સૂચન ઘટે છે જ અને વંદન નિયત છે=અરિહંત ચેઇયાણ સૂત્રથી કરાતું વંદન આઠ ઉચ્છવાસમાં નિયત છે, તો કેમ તેનો અસાક્ષા ગ્રહ છે?==સમુદે ઈત્યાદિ ગાથામાં સાક્ષાત્ કેમ કહેલ નથી ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે ત્યાં પણ સવારના મુહપતિ આદિનું પડિલેહણ થાય છે ત્યાં પણ, રહરણાદિ ઉપધિના પડિલેહણનું નિયતપણું છે. (માટે જેમ સમુમાં આદિ પદથી રજોહરણાદિનું