________________
૨૬
લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરા :
आह-'साधुश्रावकयो|धिलाभोऽस्त्येवः कथं तत्प्रत्ययं; सिद्धस्यासाध्यत्वात् ? एवं तनिमित्तो निरुपसर्गोऽपि तथाऽनभिलषणीय एवः इति किमर्थमनयोरुपन्यास इति?' उच्यते-क्लिष्टकर्मोदयवशेन बोधिलाभस्य प्रतिपातसम्भवाज्जन्मान्तरेऽपि तदर्थित्वसिद्धेः; निरुपसर्गस्यापि तदायत्तत्वात्, सम्भवत्येवं भावातिशयेन रक्षणमित्येतदर्थमनयोरुपन्यासः, न चाप्राप्तप्राप्तावेवेह प्रार्थना, प्राप्तभ्रष्टस्यापि प्रयत्नप्राप्यत्वात्, क्षायिकसम्यग्दृष्ट्यपेक्षयाप्यक्षेपफलसाधकबोधिलाभापेक्षया एवमुपन्यासः। લલિતવિસ્તરાર્થ:
સાદથી પ્રશ્ન કરે છે - સાધુ અને શ્રાવકને બોધિલાભ છે જ, કેમ તેના માટે કાઉસ્સગ્ન કરે છે? અર્થાત્ બોધિલાભ માટે કાઉસ્સગ્ન કરવો ઉચિત નથી; કેમ કે સિદ્ધનું અસાધ્યપણું છેઃ સાધુ અને શ્રાવને બોધિલાભસિદ્ધ હોવાને કારણે કાયોત્સર્ગથી સાધ્ય નથી, આ રીતે=બોધિલાભ સાધુ અને શ્રાવકને સિદ્ધ છે એ રીતે, તેના નિમિતવાળો મોક્ષ પણ તે પ્રકારે અનભિલાષણીય જ છે સાધુ અને શ્રાવકને બોધિલાભ છે તે બોધ સ્વયં મોક્ષને પ્રાપ્ત કરાવશે, તેથી બોધિલાભ મોક્ષ માટે જોઈએ છે તેવો અભિલાષ કરવો સાધુ અને શ્રાવકને ઉચિત નથી, એથી કયા કારણથી આ બેનો=બોધિલાભ નિમિત અને નિરુપસર્ગ નિમિત એ બેનો, ઉપન્યાસ છે?=પ્રસ્તુત સૂત્રમાં કથન છે? ઉત્તર આપે છે –
ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પ્રતિપાતનો સંભવ હોવાથી જન્માંતરમાં પણ તેના આર્ધિત્વની સિદ્ધિ હોવાથી=બોધિલાભના અથિત્વની સિદ્ધિ હોવાથી, સૂત્રમાં બોધિલાભનો ઉપચાસ છે એમ અન્વય છે, નિરુપસર્ગનું પણ=મોક્ષનું પણ, તેને આધીનપણું હોવાથી=અવિચ્છિન્ન બોધિલાભને આઘીનપણું હોવાથી, નિરુવસગ્ગવત્તિયાએ એ પ્રમાણે સૂત્રમાં ઉપવાસ છે એમ અન્વય છે, આ રીતે=બોધિલાભ માટે અને નિરુપસર્ગ માટે હું કાઉસ્સગ્ન કરું છું એ રીતે, ભાવના અતિશયથી=બોધિલાભ અને મોક્ષ પ્રત્યેના અભિલાષરૂપ ભાવના અતિશયથી, રક્ષણ સંભવે છે બોધિનું રક્ષણ સંભવે છે, એથી એના માટે આ બેનો ઉપવાસ છે=પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ અને નિરુપસર્ગનો ઉપન્યાસ છે, અને અહીં સંસારમાં, અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ પ્રાર્થના નથી; કેમ કે પ્રાપ્ત ભ્રષ્ટને પણ પ્રયત્ન પ્રાપ્યપણું છે, ક્ષાયિક સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ પણ આક્ષેપ ફ્લ-સાધક બોધિલાભની અપેક્ષા હોવાને કારણે આ રીતે સાધુ અને શ્રાવકે બોધિલાભ માટે અને મોક્ષ માટે પ્રસ્તુત કાયોત્સર્ગ કરવો જોઈએ એ રીતે, ઉપન્યાસ છે. ભાવાર્થ -
બોધિ એ ભગવાને જે પદાર્થો બતાવ્યા છે તે પદાર્થો તેમ જ છે એ પ્રકારે તત્ત્વના સૂક્ષ્મ બોધપૂર્વક સ્થિર નિર્ણયરૂપ મતિજ્ઞાનનો અપાયાત્મક બોધ છે. તે બોધ શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનના રહસ્યને