________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૩૫ વળી, તે મેધા પાપગ્રુતની અવજ્ઞા કરનાર છે, તેથી તેવી મેધાવાળા પુરુષો વીતરાગપ્રણીત વચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરનારું જે પાપકૃત છે તેની ઉપેક્ષા કરે છે, જેથી અનાભોગથી પણ પાપકૃતથી વાસિત થઈને માર્ગથી પોતાનો ભ્રંશ ન થાય તેવો યત્ન કરે છે, તેથી મેધાવી મહાત્મા હંમેશાં પાપકૃત અને પરમાર્થમૃતનો વિભાગ કરીને પાપકૃતની અવજ્ઞા કરનારા હોય છે.
વળી, ગુરુવિનયાદિ વિધિવાળાથી લભ્ય આ મેધારૂપ ચિત્તધર્મ મહાન સગ્રંથમાં ઉપાદેયનો પરિણામ છે, તેથી મેધાવી પુરુષમાં સન્શાસ્ત્રોના પરમાર્થને બતાવનારા ગુરુ કોણ છે તેનો નિર્ણય કરવાની શક્તિ હોય છે, તેથી જે ગુરુ વીતરાગતાને અનુકૂળ શાસ્ત્રોનાં રહસ્યો અનુભવ અનુસાર બતાવતા હોય તેવા ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન થાય છે અને વિનયપૂર્વક અને વિધિપૂર્વક તે મેધાવી પુરુષ તે મહાત્મા પાસે ગ્રંથોના પરમાર્થને જાણવા યત્ન કરે છે અને જેમ જેમ તે પરમાર્થનો બોધ થાય છે તેમ તેમ તે ગ્રંથના પરમાર્થ પ્રત્યે મહાન ઉપાદેયનો પરિણામ થાય છે અર્થાત્ સર્વ શક્તિથી આ ગ્રંથના વચન અનુસાર પ્રવૃત્તિ કરીને હું સંસારનો ક્ષય કરું તેવો પરિણામ થાય છે. જેમ કોઈ રોગીને સુંદર ઔષધ પ્રાપ્ત થાય ત્યારે તેને તે ઔષધને સેવન કરવાનો અત્યંત પરિણામ થાય છે તેમ મેધાવી પુરુષને સગ્રંથોના વચનને સેવવાનો અત્યંત પરિણામ થાય છે.
દૃષ્ટાંતને જ સ્પષ્ટ કરતાં કહે છે – જેમ કોઈ બુદ્ધિમાન રોગી હોય અને તેને પોતાના રોગનો નાશ કરે તેવા ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય ત્યારે જો તે રોગી તે ઔષધના વિશિષ્ટ ફળને પામે તેવી યોગ્યતાવાળો હોય તો તેવા ઉત્તમ ઔષધને છોડીને અન્ય ઔષધને ક્યારેય ગ્રહણ કરતો નથી, પરંતુ મંદ બુદ્ધિવાળા જીવો જ ઉત્તમ ઔષધને પામવા છતાં તે ઉત્તમ ઔષધના ફળને પ્રાપ્ત કરે તેવી યોગ્યતાવાળા નહિ હોવાથી અજ્ઞાનને વશ સદ્ ઔષધને છોડીને કોઈકના વચન દ્વારા પ્રેરાઈને અન્ય અન્ય ઔષધ કરે છે, પરંતુ બુદ્ધિમાન પુરુષો તો ધવંતરી વૈદ્યને પામીને અને તેના વચનથી પોતાના રોગનું સદ્ ઔષધ પ્રાપ્ત કર્યા પછી ઇતર ઔષધને ગ્રહણ કરવાનો વિકલ્પ ક્યારેય કરતા નથી, પરંતુ તેઓને સદ્ ઔષધમાં જ મહાન ઉપાદેયભાવ હોય છે અને સદ્ ઔષધના ગ્રહણમાં જ આદર વર્તે છે. એ રીતે બુદ્ધિમાન પુરુષો પોતાની મેધાના સામર્થ્યથી જ ક્યા સૉંથો ભવના ક્ષયનું કારણ છે તેનો નિર્ણય કરીને અને કયા ગુરુ આ સૉંથોના પારમાર્થિક ભાવો પોતાને બતાવે તેમ છે તેનો નિર્ણય કરીને વિનયાદિ વિધિપૂર્વક સઘંથોના જ પરમાર્થને જાણવા યત્ન કરે છે અને મેધાના સામર્થ્યથી આ સદૂગ્રંથનાં વચનો કઈ રીતે પોતાના રોગનો નાશ કરવા સમર્થ છે તેનો બોધ થાય ત્યારે તે સગ્રંથોમાં જ અત્યંત ઉપાદેય ભાવવાળા થાય છે અને તે સગ્રંથના વચનાનુસાર ઔષધ સેવવામાં આદરવાળા હોય છે, પરંતુ અલ્પબુદ્ધિવાળા જીવો કોઈ રીતે સદ્દ
ઔષધ પ્રાપ્ત કર્યા પછી પણ સદ્ ઔષધને છોડીને જે તે ઔષધને ગ્રહણ કરે છે તેમ અલ્પ મેધાવી જીવો સગ્રંથોને છોડીને જે તે ગ્રંથોને ગ્રહણ કરે છે અથવા જે તે ગુરુ પાસેથી તે તે પ્રકારે તે ગ્રંથોના અર્થોને ગ્રહણ કરે છે જેનાથી સદ્ ઔષધને પ્રાપ્ત કરી શકતા નથી તેવા મેધાવી પુરુષો હોતા નથી, પરંતુ નિપુણ પ્રજ્ઞાપૂર્વક સગ્રંથના રહસ્યને જાણીને તેમાં જ આદર પરિણામવાળા હોય છે, અન્યત્ર નહિ; કેમ કે સગ્રંથો જ ભાવઔષધરૂપ છે અર્થાત્ સગ્રંથોનું સમ્યફ અધ્યયન કરીને તેના રહસ્યને યથાર્થ જાણીને