________________
પર
અરિહંત ચેઈચાણ સૂત્ર આદર આદિ ભાવો થાય છે, તેથી આદર આદિ કાર્યોથી શ્રદ્ધા આદિનું અનુમાન થઈ શકે છે. જેઓને લેશ પણ શ્રદ્ધાદિ નથી તેઓને મોક્ષ પ્રત્યે કે મોક્ષના ઉપાય પ્રત્યે લેશ પણ આદર આદિ ભાવો નથી. આથી જે જીવોને મોક્ષ પ્રત્યે અને મોક્ષના ઉપાય પ્રત્યે આદર આદિ ભાવો છે તેવા જીવો ચૈત્યવંદન આદિ કાળમાં ચલચિત્ત હોવાને કારણે પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે સ્થાન-વર્ણ આદિના ઉપયોગ વગરના હોય તોપણ તેઓમાં શ્રદ્ધાદિ ભાવો છે, માટે તેઓનું ચૈત્યવંદન સર્વથા નિષ્ફળ નથી. વળી, પ્રસ્તુત સૂત્રથી તેઓ બોલે છે કે વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ન કરું છું, એ વચન મૃષાવાદ પણ નથી અને તેઓને વીતરાગ પ્રત્યે બહુમાન આદિ ભાવો છે, માટે તેઓમાં પ્રેક્ષાવાનપણાની ક્ષતિ પણ નથી; કેમ કે વીતરાગ પ્રત્યે બહુમાન છે અને તેની અભિવૃદ્ધિને અનુકૂળ પ્રસ્તુત ચૈત્યવંદનની ક્રિયા છે, માટે વિચારકે તે પ્રકારની ક્રિયા કરીને જ ચિત્તને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ અને તેવા જીવો ચંચળતાથી ક્રિયા કરતા હોય તોપણ ક્રિયાકાળમાં સૂત્રના કોઈક કોઈક ભાવોના સ્પર્શથી તેઓમાં વર્તતા શ્રદ્ધા આદિ ભાવોમાં પણ અતિશયતા આવે છે, માટે જેઓમાં મંદ શ્રદ્ધા છે અને અનાદિ અભ્યાસને કારણે અતિ ચાંચલ્ય છે તેઓ પણ પ્રસ્તુત ચૈત્યવંદનથી જે શુભભાવ કરે છે તે તેઓના કલ્યાણનું બીજ છે, સર્વથા શ્રદ્ધાદિ વિકલ જીવોનું જ ચૈત્યવંદન મૃષાવાદરૂપ હોવાથી અનર્થના ફલવાળું છે. લલિતવિસ્તરા :
इक्षुरसगुडखण्डशर्करोपमाश्चित्तधर्माः इत्यन्यैरप्यभिधानात्, इक्षुकल्प च तदादरादीति भवति, अतः क्रमेणोपायवतः शर्करादिप्रतिमं श्रद्धादीति। __ कषायादिकटुकत्वनिरोधतः शममाधुर्यापादनसाम्येन चेतस एवमुपन्यास इति, एतदनुष्ठानमेव चैवमिहोपायः तथा तथा सद्भावशोधनेनेति परिभावनीयम, उक्तं च परैरपि‘આદરઃ કર પ્રતિરવિનઃ સંપવામ: जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम्।।१।। अतोऽभिलषितार्थाप्तिस्तत्तद्भावविशुद्धितः। यथेक्षोः शर्कराप्तिः स्यात्क्रमात्सद्धेतुयोगतः ।।२।। इत्यादि।' લલિતવિસ્તરાર્થ:
ઈક્ષ-રસ-ગોળ-ખાંડ-શર્કરાની ઉપમાવાળા ચિત્તના ધમ છે, એ પ્રમાણે બીજાઓ વડે પણ અભિધાન હોવાથી શ્રદ્ધાદિના મંદ-તીવ્ર આદિ ભાવોની પ્રાપ્તિ છે એમ અન્વય છે અને તિ એ હેતુથી=ઈક્ષ આદિ જેવા ચિત્તધર્મો છે એ હેતુથી, ઈક્ષ જેવા તે આદરાદિ =કાયોત્સર્ગના વિષયમાં આદરાદિ છે, આથી ક્રમ વડે ઉપાયવાળાને શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થાય છે.
કષાયાદિના કટુકત્વના નિરોધથી શમમાધુર્યના આપાદનનું સામ્ય હોવાથી ઈક્ષ આદિમાં સામ્ય હોવાથી, ચિતનો આ પ્રમાણે ઉપવાસ છે ઈક્ષ આદિના ઉપમાનથી ઉપમેયપણારૂપે ચિતના