________________
અશ્વત્થ સૂત્ર છે, ઓડકાર, વાયુનો નિસર્ગ, ભ્રમિ, પિસમૂચ્છના ગ્રહણથી વળી, બહુ નિમિત્તવાળી આગંતુક જ અતિચાર જાતિનું ગ્રહણ છે; કેમ કે મહા અજીર્ણ આદિથી તેની ઉપપત્તિ છે=ઓડકાર આદિની ઉપપત્તિ છે, સૂક્ષ્મ અંગસંચાર, ખેલસંચાર અને દષ્ટિસંચારના ગ્રહણથી નિયમભાવિ અલ્પ અતિચાર જાતિનું ગ્રહણ છે; કેમ કે પુરુષમાત્રમાં સંભવ છે અને વમવિ ઉપલક્ષિતના ગ્રહણથી=સૂત્રમાં પવનદિ શબ્દ છે તેના દ્વારા ઉપલક્ષિત અતિચારોના ગ્રહણથી, બાહ્ય નિબંધન બાહ્ય અતિચાર જાતિનું ગ્રહણ છે; કેમ કે તેના દ્વારા=બાહ્ય એવા અગ્નિ આદિ દ્વારા, પ્રસૂતિ છે=અતિચારની ઉપપત્તિ છે. ઉપાધિશુદ્ધ પરલોક અનુષ્ઠાન સર્વ અતિચારોરૂપ ઉપાધિથી રહિત પરલોકનું અનુષ્ઠાન, નિઃશ્રેયસનું કારણ બને છે=મોક્ષનું કારણ બને છે, એ જ્ઞાપન માટે આમનોકાયોત્સર્ગમાં પ્રાપ્ત થતા અતિચારોનો, અહીં પ્રસ્તુત સૂત્રમાં, ઉપવાસ છે=આગાર રૂપે ઉપન્યાસ છે, અને આગમમાં કહેવાયું છે – વ્રતભંગમાં ગુરુદોષ છે, થોડી પણ પાલના=વ્રતની થોડી પણ પાલના, ગુણને કરનારી છે અને ધર્મમાં ગુરુલાઘવ જાણવું, આથી જ આગારો છે. રતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે, આના દ્વારા= વ્રતભંગમાં ગુરુદોષ છે તેના પરિવાર માટે આગારો છે તેમ કહ્યું એના દ્વારા, આ પણ પ્રયુક્ત છે એમ આગળ સંબંધ છે, શું પ્રત્યુક્ત છે ? તે સ્પષ્ટ કરે છે – અરિહંતના ચૈત્યવંદન માટે ઉધત શ્રાવકને અને સાધુને ઉચ્છવાસ આદિનું સાપેક્ષપણું કાયોત્સર્ગમાં ઉચ્છવાસ આદિને છોડીને હું વોસિરાવું છું એ પ્રકારનું સાપેક્ષપણું, અશોભન છે; કેમ કે અભક્તિ છે, કિજે કારણથી, ભક્તિથી સભર જીવને કોઈ અપેક્ષા ઘટતી નથી=ઉચ્છવાસ આદિને છોડીને હું કાયોત્સર્ગ કરું છું એ અપેક્ષા ઘટે નહિ, પરંતુ સર્વથા કાયાનો ત્યાગ કરું છું એ પ્રકારે જ કાયોત્સર્ગ કરવો જોઈએ એ પણ કોઈકનું કથન નિરાકૃત છે; કેમ કે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અભક્તિનો અયોગ છે=ગુરુ-લાઘવનું આલોચન કરીને અધિક ગુણના કારણને સેવવા માટે આગારપૂર્વક કાયોત્સર્ગ કરવાથી અભક્તિનો અયોગ છે, કેમ અભક્તિનો અયોગ છે ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – અહીં=કાયોત્સર્ગમાં, આગારપૂર્વક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં અપેક્ષા કઈ છે ? અર્થાત્ અપેક્ષા નથી; કેમ કે અભિવંગનો અભાવ છે–તે પ્રકારના આગારો સેવવા પ્રત્યેના રાગનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે જો તે પ્રકારના આગારને સેવવાના રાગનો ભાવ ન હોય તો આગાર કેમ રાખે છે? તેમાં બીજો હેતુ કહે છે –
આગમનું પ્રામાણ્ય છે=આગમના વચનનું અનુસરણ છે અને કહેવાયું છે – આભિગ્રહિક પણ અભિગ્રહવાળો પણ, ઉચ્છવાસનો વિરોધ કરે નહિ અથવા ચેષ્ટાનું શું કહેવું? નિરોધમાંsઉચ્છવાસ આદિના નિરોધમાં, તત્કાલ મરણ થાય, વળી, જયણાથી સૂક્ષમ ઉચ્છવાસ ગ્રહણ કરે. અને અવિધિથી મરણ પ્રશંસા કરતું નથી=મરણ થાય તે પ્રકારે આગાર વગર કાઉસ્સગ્ન કરાય એ પ્રશંસા કરાતું નથી; કેમ કે અર્થની હાનિ છે કાયોત્સર્ગ દ્વારા જે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત કરવું છે તેની હાનિ છે.
કેમ દઢ યત્નપૂર્વક મરણની પણ ઉપેક્ષા કરીને આગાર રહિત કાયોત્સર્ગ કરે તો અર્થની હાનિ છે? તેમાં હેતુ કહે છે –