________________
લલિતવિસ્તરા ભાગ-૩
૪૬
આ જ મથી થાય છે, આ રીતે=વધતી જતી શ્રદ્ધા આદિથી કહ્યું એ રીતે, કાયોત્સર્ગમાં રહું છું એ વચન દ્વારા પ્રતિપત્તિને બતાવે છે, પૂર્વમાં જોમિ રિધ્વામિ એ પ્રકારે ક્રિયા આભિમુખ્ય કહેવાયું=અરિહંત ચેઈયાણં કરેમિ કાઉસ્સગ્ગ એ થનમાં રહેલ વોમિ એ શિષ્યામિ એ પ્રકારના અર્થમાં હોવાથી ક્રિયાનું આભિમુખ્ય કહેવાયું=કાઉસ્સગ્ગ કરવાને અભિમુખ છું એ પ્રમાણે કહેવાયું, વળી, વર્તમાનમાં આસન્નતરપણું હોવાથી ક્રિયાકાલનો અને નિષ્ઠાકાલનો કથંચિદ્ અભેદ હોવાને કારણે હું રહું છું એ પ્રમાણે કહે છે, આના દ્વારા=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારના પ્રસ્તુત સૂત્ર દ્વારા, અશ્રુપગમપૂર્વક અને શ્રદ્ધાદિથી સમન્વિત સદનુષ્ઠાન છે એ પ્રમાણે બતાવે છે.
પંજિકા ઃ
'प्रतिपत्ति' मिति, प्रतिपत्तिः कायोत्सर्गारम्भरूपा, तां, 'क्रियाकालनिष्ठाकालयोः कथंचिदभेदादि 'ति कथंचिद् = निश्चयनयवृत्त्या, स हि क्रियमाणं क्रियाकालप्राप्तं, कृतमेव = निष्ठितमेव, मन्यते; अन्यथा क्रियोपरमकाले क्रियानारम्भकाल इवानिष्ठितत्वप्रसङ्गात्, उभयत्र क्रियाऽभावाविशेषात्, कृतं पुनः क्रियमाण
परतक्रियं वा स्यादिति, यदुक्तं- 'तेणेह कज्जमाणं नियमेण कयं कयं च भयणिज्जं । किञ्चिदिह कज्जमाणं उवरयकिरियं व होज्जाहि ।।१ । । ' व्यवहारनयस्तु 'अन्यत् क्रियमाणमन्यच्च कृतमिति मन्यते, यदाह - 'नारम्भे च्चिय दीसइ, न सिवादद्धाए दीसइ तयन्ते । जम्हा घडाइकज्जं, न कज्जमाणं कयं तम्हा । । १ । । ' ततोऽत्र निश्चयनयवृत्त्या व्युत्त्रष्टुमारब्धकायस्तद्देशापेक्षया व्युत्सृष्ट एव द्रष्टव्य इति ।
પંજિકાર્થ :
‘પ્રતિપત્તિ'મિતિ ..... • દ્રષ્ટવ્ય કૃતિ ।। પ્રતિપત્તિમિતિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, પ્રતિપત્તિ કાયોત્સર્ગના આરંભરૂપ છે, તેને નામિ એ વચન બતાવે છે, ‘ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનો કથંચિત્ અભેદ હોવાથી' એ લલિતવિસ્તરાના વચનનો અર્થ કરે છે – કથંચિ=નિશ્ચયનયની વૃત્તિથી, અભેદ છે=ક્રિયાકાલ અને નિષ્ઠાકાલનો અભેદ છે, =િજે કારણથી, તે=નિશ્ચયનય, કરાતું=ક્રિયાકાલપ્રાપ્ત, કરાયેલું જ= નિષ્ઠિત જ, માટે છે; કેમ કે અન્યથા=નિશ્ચયનય કરાતા કાર્યને નિષ્ઠિત માને છે, તેમ ન માનવામાં આવે અને વ્યવહારનય માને છે તેમ કરાતા કાર્યની ઉત્તરમાં કાર્યની નિષ્ઠા માનવામાં આવે તો, ક્રિયાના ઉપરમકાલમાં ક્રિયાના અનારંભકાલની જેમ અતિષ્ઠિતત્વનો પ્રસંગ છે.
કેમ ક્રિયાના ઉત્તરકાળમાં કાર્યના અનિષ્ઠિતત્વનો પ્રસંગ છે ? તેમાં હેતુ કહે છે –
—
ઉભયત્ર=ક્રિયાનો બીજો સમય અને ક્રિયાનો અનારંભકાલ એ રૂપ ઉભયત્ર, ક્રિયાના અભાવનો અવિશેષ છે, કરાયેલું વળી, કરાતું થાય અથવા ઉપરત ક્રિયાવાળું થાય, જે કારણથી કહેવાયેલું છે તે કારણથી અહીં કરાતું નિયમથી કરાયેલું છે અને કરાયેલું ભજનીય છે, અહીં કંઈક કરાતું હોય અથવા ઉપરત ક્રિયાવાળું હોય. વળી, વ્યવહારનય કરાતું અન્ય છે અને કરાયેલું અન્ય છે એ પ્રમાણે માને છે, જેને કહે છે=વ્યવહારનય જેને માને છે તેને કહે છે જે કારણથી આરંભમાં જ દેખાતો નથી, સિવાદિ સમયમાં દેખાતો