________________
અરિહંત ચેઈચાણ સૂત્ર अपनयनम्, एतदेव ज्ञातं दृष्टान्तः, तेन, ‘भावनीयम्', 'एतत्' साधोव्यस्तवकारणं देशनाद्वारेण, तथाहिकिल काचित् स्त्री प्रियपुत्रं रमणीयरूपमुपरचय्य रमणाय मन्दिरस्य बहिर्विससर्ज, स चातिचपलतया अविवेकतया च इत इतः पर्यटनवटप्रायमतिविषमतटमेकं गर्त्तमाविवेश, मुहूर्तान्तरे च प्रत्यपायसम्भावनया चकितचेता माता तमानेतुं तं देशमाजगाम, ददर्श च गर्त्तान्तर्वतिनं तं निजसू, तमनु च प्रचलितम् आकालिककोपप्रसरमाञ्जनपुञ्जकालकायमुद्घाटितातिविकटस्फुटाटोपं पन्नगम्, ततोऽसौ गुरुलाघवालोचनचतुरा 'नूनमतः पनगादस्य महानपायो भवितेति विचिन्त्य सत्वरं प्रसारितकरा गर्तात् पुत्रमाचकर्ष, यथाऽसौ स्तोकोत्कीर्णशरीरत्वक्तया सपीडेऽपि तत्र न दोषवती, परिशुद्धभावत्वात् (प्र०... भावात्), तथा सर्वथा त्यक्तसर्बसावद्योऽपि साधुरुपायान्तरतो महतः सावद्यान्तरानिवृत्तिमपश्यन् गृहिणां द्रव्यस्तवमादिशनपि न दोषवानिति। પાંજિકાર્ય :
નિત્યદ... રોજિરિ | કેવી રીતે પૂર્વમાં કહ્યું કે દ્રવ્યસ્તવને છોડીને દોષાંતર નિવૃત્તિનો અન્ય ઉપાય નથી તે કેવી રીતે નથી ? એથી કહે છે – નાત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, નાગના ભયથી=સર્પના ભયથી, પુત્રને ગર્તામાંથીeખાડામાંથી, આકર્ષણaખેંચવું, એ જ દષ્ટાંત છે, તેનાથી આ=દેશના દ્વારા સાધુને દ્રવ્યસ્તવનું કરાવણ, ભાવન કરવું જોઈએ, તે આ પ્રમાણે –
ખરેખર ! કોઈક સ્ત્રીએ પ્રિયપુત્રને રમણીયરૂપવાળો કરીને ઘરની બહાર રમવા માટે મોકલ્યો અને અતિ ચપલપણું હોવાથી અને અવિવેકપણું હોવાથી આમતેમ ભટકતા એવા તેણે=પ્રિયપુત્રએ, કૂવા જેવા અતિવિષમ તટવાળા એક ખાડામાં પ્રવેશ કર્યો અને મુહૂર્ત પછી પ્રત્યપાની સંભાવનાથી પુત્રના અનર્થની સંભાવનાથી, ચકિત ચિત્તવાળી માતા તેને લાવવા માટે તે દેશમાં આવી અને ખાડાની અંદર રહેલા તે પોતાના પુત્રને અને તેની પાછળ આકાલિક કોપના પ્રસરવાળા અંજનના પુંજ જેવી કાળી કાયાવાળા ઉઘાડેલી અતિવિક્ટ પ્રગટ ફણાવાળા ચાલેલા નાગને, જોયો તેથી ગુરુલાઘવ આલોચનમાં ચતુર એવી નક્કી સાપથી આનેત્રપુત્રને, મોટો અપાય થશે એ પ્રમાણે વિચારીને સત્વર ફેલાવેલા હાથવાળી આe=સ્ત્રીએ, ખાડામાંથી પુત્રને ખેંચ્યો, જે પ્રમાણે આ=સ્ત્રી, થોડી ઉખેડાયેલી શરીરની ત્વચા હોવાથી પીડાવાળા પણ તેમાં=પીડાવાળા પણ પુત્રના ખેંચવામાં, દોષવાળી નથી; કેમ કે પરિશુદ્ધ ભાવ છે, તે પ્રમાણે સર્વથા ત્યક્ત સર્વ સાવધવાળા પણ મોટા સાવધથી ઉપાયાંતર દ્વારા નિવૃત્તિને નહિ જોતા સાધુ ગૃહસ્થોને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપતા પણ દોષવાળા નથી. ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે શ્રાવકને દ્રવ્યસ્તવનો ઉપદેશ આપ્યા વગર અન્ય પ્રવૃત્તિ દ્વારા શ્રાવકમાં સર્વવિરતિને અનુકૂળ બળસંચય થઈ શકે તેમ નથી, આથી વિવેકી સાધુ જે શ્રાવકો સદુપદેશ સાંભળીને સંસારથી ભય પામેલ છે, મોક્ષના અર્થી થયા છે, પરંતુ સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અસમર્થ છે તેઓને સર્વવિરતિને