________________
લલિતવિસ્તરા ભાગ-૩
शङ्क्याह- असदारम्भनिवृत्तेः = *=સત:- इन्द्रियार्थविषयतया असुन्दरस्य आरम्भस्य, ततो वा, जिनपूजादिकाले નિવૃત્તઃ।
૧૭
ननु तत्रिवृत्तिरन्यथापि भविष्यतीत्याशङ्क्याह- अन्यथा = आज्ञामृतयुक्तौ पूजासत्कारौ विमुच्य, तदयोगाद्= असुन्दरारम्भनिवृत्तेरयोगात् । विपक्षे बाधामाह- अतिप्रसङ्गात् प्रकारान्तरेणाप्यसदारम्भनिवृत्त्यभ्युपगमे द्यूतरमणान्दोलनादावपि तत्प्राप्त्यातिप्रसङ्गादिति । 'इतिः' वाक्यसमाप्तौ ।
પંજિકાર્ય ઃ
'तद्धर्मेत्यादि વાવવસમાપ્તો ।। તામ્મેત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેના ધર્મનું=શ્રાવકના ધર્મનું, તથા સ્વભાવપણું હોવાથી=જિનના પૂજામાં અને સત્કારમાં ઇચ્છાનો અતિરેક હોવાને કારણે અસંતોષ સ્વભાવપણું હોવાથી, શ્રાવકને પૂજા-સત્કારમાં સંતોષ નથી એમ લલિતવિસ્તરામાં યોજન છે, આને જ=શ્રાવકને પૂજા-સત્કારમાં અસંતોષ છે એને જ, ભાવન કરે છે – ઉક્ત રૂપવાળા જિનપૂજા-સત્કારમાં કરણલાલસાવાળો જ=કરવામાં લંપટ જ, આદ્ય દેશવિરતિનો પરિણામ છે, હજુ શબ્દનું Çકાર અર્થપણું હોવાથી કરણલાલસાવાળો જ એમ અર્થ કરેલ છે.
કયો આદ્ય દેશવિરતિનો પરિણામ છે ? તે સ્પષ્ટ કરે છે --
આરંભવર્જન નામવાળી આઠમી પ્રતિમાના અભ્યાસથી પૂર્વ કાલભાવી શ્રાવકનો અધ્યવસાય જિનના પૂજા-સત્કારમાં કરણની લાલસાવાળો જ છે એમ અન્વય છે, કયા કારણથી ?=કયા કારણથી જિનના પૂજા-સત્કારમાં કરણલાલસાવાળો જ છે ? એથી કહે છે ઔચિત્ય પ્રવૃત્તિનું સારપણું હોવાથી=પોતાની અવસ્થાને અનુરૂપપણાથી જે પ્રવૃત્તિ અર્થાત્ ચેષ્ટા, તેનું પ્રધાનપણું હોવાથી જિનના પૂજા-સત્કારમાં શ્રાવકને કરણલાલસા છે, ઔચિત્યને જ ભાવન કરતાં કહે છે=શ્રાવકને પૂજા-સત્કારમાં ઔચિત્ય છે એને જ ભાવન કરતાં કહે છે અને આરંભીને આ પૂજા-સત્કાર ઉચિત છે=પૃથ્વી આદિ આરંભવાળાને તેનાથી=પૃથ્વી આદિના આરંભથી પૂજા-સત્કાર યોગ્ય છે, કયા કારણથી યોગ્ય છે ? એથી કહે છે સદ્ આરંભરૂપપણું છે=સત્ અર્થાત્ જિનવિષયપણાને કારણે સુંદર આરંભ અર્થાત્ પૃથ્વીકાય આદિનો ઉપમર્દ તદ્રુપપણું છે, આરંભવિશેષમાં પણ=સંસારના વિષય કરતાં જિનવિષયક હોવાથી આરંભવિશેષમાં પણ, કેવી રીતે આ બંનેનું=પૂજન-સત્કારનું, સદ્ આરંભપણું છે એ પ્રકારની આશંકા કરીને હેતુ કહે છે · આજ્ઞા અમૃતનો યોગ છે=જિનભવનજિનબિંબ ઇત્યાદિ આપ્ત ઉપદેશરૂપ આજ્ઞા જ અજર-અમર ભાવકારીપણું હોવાથી અમૃત તેની સાથે યોગ છે, આશા પણ કયા કારણે આ પ્રકારે છે=શ્રાવકે જિતવિષયક પૃથ્વીકાય આદિનો આરંભ કરવો જોઈએ એ પ્રકારે છે ? એ આશંકા કરીને હેતુ કહે છે અસદ્ આરંભની નિવૃત્તિ છે=અસદ્ અર્થાત્ ઇન્દ્રિયાર્થ વિષયપણાથી અસુંદર એવા આરંભની નિવૃત્તિ છે, અથવા તેનાથી અર્થાત્ અસુંદર આરંભથી, જિનપૂજાદિકાલમાં નિવૃત્તિ છે.
-
‘નનુ'થી શંકા કરે છે
તેની નિવૃત્તિ=અસદ્ આરંભની નિવૃત્તિ, અન્યથા પણ થશે અર્થાત્
-
-
-