________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
अनवद्यं च-निर्दोषं च एतद्-द्रव्यस्तवकारणं; हेतुमाह- दोषान्तरनिवृत्तिद्वारेण, दोषान्तराद्-द्रव्यस्तवापेक्षयाऽन्यस्मादिन्द्रियार्थहेतोर्महतः कृष्याघारम्भविशेषात्, तस्य (=दोषान्तरस्य) वा, या निवृत्तिः उपरमः, स एव द्वारम् उपायः तेन।
ननु कथमिदमनवद्यम्, अवद्यान्तरे प्रवर्त्तनात् ? इत्याशङ्क्याह- अयं-दोषान्तरान्महतो निवृत्तिरूपः, अत्र-द्रव्यस्तवोपदेशने, प्रयोजक: प्रवर्तकः, अंशः निवृत्तिप्रवृत्तिरूपाया द्रव्यस्तवकर्तृक्रियाया विभागः, कुत इत्याह- तथाभावतो-दोषान्तरनिवृत्तिभावात्, प्रवृत्तेः चेष्टायाः, उपायान्तराभावात् उपायान्तरस्य उपायान्तरतो वाऽभावात्, द्रव्यस्तवपरिहारेण अन्यहेतोरभावात्। પંજિકાર્ય -
નિનુ વાવMવ .. ચોતરમાવાન્ ! નવુથી શંકા કરે છે – માવજીવ ત્યાગ કર્યો છે સર્વ સાવધતો જેમણે એવા સાધુને કેવી રીતે સાવધ પ્રવૃતિરૂપ દ્રવ્યસ્તવના ઉપદેશ દ્વારા કરાવણ ઘટે? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
અને અવધ=નિર્દોષ, આ છે=દ્રવ્યસ્તવનું કરાવણ છે, હેતુને કહે છે–સાધુને ઉપદેશ દ્વારા વ્યસ્તવનું કરાવણ નિર્દોષ છે તેમાં હેતુને કહે છે – દોષાંતરની નિવૃત્તિ દ્વારા અનવદ્ય છે એમ અવય છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – દોષાંતરથી દ્રવ્યસ્તવની અપેક્ષાએ મોટા કૃષિ આદિ આરંભ વિશેષરૂપ અન્ય ઈન્દ્રિયાઈ હેતુથી, નિવૃતિ–ઉપરમ, તે જ દ્વાર=ઉપાય, તેના દ્વારા દ્રવ્યસ્તવનો ઉપદેશ અનવદ્ય છે એમ અવાય છે અથવા તેની=દોષાંતરની નિવૃત્તિ તે જ ઉપાય છે તેના દ્વારા દ્રવ્ય-સ્તવનો ઉપદેશ અનવદ્ય છે એમ અત્રય છે.
નવુથી શંકા કરે છે – કેવી રીતે આ=સાધનો દ્રવ્યસ્તવનો ઉપદેશ, અનવદ્ય થાય? અર્થાત થાય નહિ; કેમ કે અવઘાંતરમાં=સંસારના અવધ કરતાં અન્ય પ્રકારના દ્રવ્યસ્તવના સાવદ્યમાં, પ્રવર્તત છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – અહીં દ્રવ્યસ્તવના ઉપદેશમાં, આ પ્રયોજક અંશ છે=મોટા, દોષાંતરથી નિવૃત્તિરૂપ પ્રવર્તક વિભાગ છે અર્થાત્ નિવૃતિ-પ્રવૃત્તિરૂપ દ્રવ્યસ્તવ કરનારની ક્રિયાનો વિભાગ છે અર્થાત સાવધની નિવૃત્તિને અનુકૂળ પ્રવૃત્તિરૂપ દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકની ક્રિયાનો વિભાગ છે, કયા કારણથી એથી કહે છે=દ્રવ્યસ્તવના ઉપદેશમાં મોટા દોષાંતરથી નિવૃત્તિનો પ્રયોજક અંશ દ્રવ્યસ્તવ કયા કારણથી છે? એથી કહે છે – તે પ્રકારના ભાવથી પ્રવૃત્તિ હોવાને કારણે દોષાંતરની નિવૃત્તિના ભાવથી દ્રવ્યસ્તવની ચેષ્ટા હોવાના કારણે, દ્રવ્યસ્તવથી મોટા દોષની નિવૃત્તિ છે એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે આરંભ-સમારંભની પ્રવૃત્તિને છોડીને શયન આદિ ક્રિયાથી પણ મોટા દોષોની નિવૃત્તિ થશે, તેથી દ્રવ્યસ્તવથી જ મોટા દોષોની નિવૃત્તિ છે તેમ કેમ કહી શકાય ? તેના નિવારણ માટે હેતુ કહે છે –