Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચિંતામણિ માટે કોઈ જીંદગીભર ભટકતો હોય ને માણસ ભરવાડના હાથમાં ચિંતામણિ જુએ તો તેને કેવું લાગે ? ચિંતામણિ જેવો ધર્મ આપણા હાથમાં છે. આપણે ભરવાડ નથી ને ?
ભરવાડને કહેવામાં આવે : “આ ચમકતા પત્થરને તું શું કરીશ ?” એ કહેશે : “છોકરાને રમવા આપીશ.”
ધર્મ-ચિંતામણિનો આવો ક્ષુલ્લક ઉપયોગ આપણે નથી કરતા ને ? આવી સામગ્રી મળી, એના પુણ્યના શા વખાણ કરવા? હેમચન્દ્રસૂરિજી જેવા શ્રાવકપણાની પ્રશંસા કરે છે.
તમે અને ઈન્દ્ર બન્ને એક-બીજાનો સોદો કરવા તૈયાર થઈ જાવ તો ઈન્દ્ર તૈયાર થઈ જાય. સમૃદ્ધિ-હીન પણ શ્રાવક-જીવન ઈન્દ્રને ગમે છે. જ્યારે તમને ધર્મ-હીન પણ ઈન્દ્રાસન ગમે છે !
ધર્મ સામગ્રીની દુર્લભતા જણાતાં ભાવોલ્લાસ સતત વધતો રહેશે.
ભગવાનની પૂજાનું તાત્કાલિક ફળ આ જ છે : ચિત્તની
પ્રસન્નતા.
अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । ततोऽपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥
- ઉમાસ્વાતિ. શુદ્ધ આજ્ઞાનું પાલન તે ભગવાનની પ્રતિપત્તિ પૂજા છે.
મળેલા આ ધર્મ-ચિંતામણિને વાતોમાં, નામની કામનામાં ખોઈ ન નાખીએ, તે અંગે સાવધાન રહેવાનું છે.
ચાર કે દસ સંજ્ઞામાં કોઈ સંજ્ઞા પકડી ન લે તે જોવાનું છે. પ્રભુ જ એનાથી આપણને બચાવી શકે.
યોગનું શુદ્ધ બીજ પ્રભુના અપાર પ્રેમથી જ મળે છે. બીજ પ્રાપ્તિ પણ પ્રભુના અપાર પ્રેમથી જ થાય. બીજનો વિકાસ પણ પ્રભુના અપાર પ્રેમથી જ થાય.
વાવણી પછી ખેડૂત ખેતરની દેખરેખ કરવાનું છોડી દે તો શું થાય ? અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે : ક્યારે વરસાદ આવે !
ધર્મ-બીજમાં પણ ગુરુ ભગવંતની વાણી-વૃષ્ટિ જરૂરી છે.
૨:
*
*
*
*
*
*
*
*
*
*