Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપદેશ છે. નિદ્રારૂપ પ્રમાદમાં પડેલ શિષ્ય જે પ્રતિલેખના ન કરે અથવા દુષ્યતિલેખના આદિ કરતા હોય તો એ સમયે એને સ્મારણા વાચના આપવી જોઈએ એમાં એને એ સમજાવવું જોઈએ કે આયુષ્યમન ! તમને એ પહેલું બતાવવામાં આવેલ છે કે, પ્રમાદ છેડવા યોગ્ય છે, જેથી એ વાતને ખ્યાલ કરે ને પ્રમાદને ખ્યાલ ન કરે, તથા તપ અને સંયમની સારી રીતે આરાધના કરો. આનું નામ સ્મારણા છે. પ્રતિમારણું વાચના શિષ્યને તે સમયે આપવામાં આવે છે જ્યારે શિષ્ય પિતાની સામાચારીમાં વારંવાર પ્રમાદ કરે છે. તે સમયે તેને એવું સમજાવાય છે કે હે વત્સ જુઓ આ પ્રમાદ કર ઠીક નથી તેનાથી તપ અને સંયમની આરાધના સારી રીતે થતી નથી તમને વખતે વખત એ સમજાવવામાં આવેલ છે, માટે તેને પરિત્યાગ કરી સંયમ અને તપની આરાધના કરે. તેમાં આત્માની ભલાઈ છે, તેનું નામ પ્રતિ સ્મારણા છે. હવે દંડના કહે છે--આ પ્રકારને ઉપદેશ સમારણ, પ્રતિમારણ રૂપ ત્રણ પ્રકા. રની વાચના દેવા છતાં પણ જે શિષ્ય પ્રમાદ વશ બને, તે તેને એક માસનું લઘુ પ્રાયશ્ચિત દેવું જોઈએ. તે સમયે તેને એવું કહેવું જોઈએ કે, કેશર ને વારંવાર ઘુંટાઈ ઘુટાઈને પીસવામાં આવે છે, તે પણ પત્થરની માફક કઠેર નહિં બનતાં વધુ ને વધુ નરમ બને છે. ઘણા જ આશ્ચર્યની વાત છે કે, તમને વારંવાર સમજાવવા છતાં પણ તમે પ્રમાદને છોડતા નથી. કયું કારણ છે તે સમજાતું નથી કે તમે તમારે પ્રમાદ છોડતા નથી. આચાર્ય તથા અન્ય મુનિદ્વારા ત્રણવાર સમજાવ્યા છતાં પણ જે શિષ્ય પ્રમાદથી પાછો ન હટે તે તેને તે સમયે સંઘની બહાર કરવારૂપ દંડ દેવો જોઈએ. તે સમય કદાચ બીજાઓ દ્વારા સમજાવવાથી અથવા પોતાની ભૂલ પોતે જ સ્વીકારીને તે ગુરૂ મહારાજ સમક્ષ એવું કહે કે, હે ગુરુ મહારાજ! મારા આજ સુધીના બધા અપરાધ આપ માફ કરો, હવે આગળ હું આવું નહિ કરું. તે સમયે ગુરુમહારાજ તેને એવું કહે કે જુઓ પાન સડી જવાથી બહાર કાઢી ફેંકી દેવામાં ન આવે તે તે જેમ બીજા પાનને સડાવી બગાડી દે છે. તે જ રીતે તમે પણ સ્વયં વિનિષ્ટ બની મારા સંઘના બીજા સાધુઓને પણ વિનિષ્ટ બનાવી દેશે. આ ખ્યાલથી તમને સંઘથી બહાર કરવામાં આવે છે. કદાચ આગળ એવું નહીં કરો તો સંઘમાં રાખવામાં આવશે. આ માટે તમને એક મહિનાનું ગુરૂ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૬૧