________________
વિશેષતઃ–વસ્તુને પ્રતિક્ષણ સર્વથા વિનાશ થાય છે, તેવું જે તમે સ્વીકારતા હો તો એવી હાલતમાં આ લોક સંબંધી અને પરલોક સંબંધી સઘળે વહેવાર જ છિન્ન ભિન્ન માનવે પડશે. વસ્તુને ભક્તા કેઈ એક હશે અને તેની તૃપ્તિ કેઈ બીજાને થશે. કારણ કે, માને કે જેણે ભેજન કર્યું તે તે એક ક્ષણ પછી નિરન્વયરૂપના કારણે નષ્ટ થઈ ગયે, જ્યારે એના પછી બીજી જ ક્ષણે જે વ્યક્તિ થઈ એને જ તૃપ્તિ થશે. પગે કેઈ એક ચાલશે જ્યારે તેને થાક બીજાને લાગશે. એમ તે ઘટ વગેરે પદાર્થને કઈ જશે અને તેના વિષેનું જ્ઞાન કેઈ બીજાને થશે. દુષ્કર્મ કેઈ કરશે અને તેને બદલે નરકમાં કોઈ બીજા જશે. ચારિત્રનું પાલન કરશે કેઈ અને તેને બદલે મેક્ષમાં કેઈ બીજે જ પહોંચી જશે. આ પ્રકારના ક્ષણીકવાદને જે સ્વીકાર કરવામાં આવે તે સઘળી વાતે વિપરીત રૂપમાં ફેરવાઈ જશે. એટલા માટે આ પ્રકારનો વહેવાર ન તે કેઈએ છે કે, ન તે કોઈને પસંદ છે, વળી આ પ્રકારના વહેવારને સાચે ઠરાવવા માટે કઈ પ્રમાણ પણ નથી.
આથી વસ્તુને પ્રતિક્ષણ સર્વથા નાશ થાય છે તેમ માનવું તે વ્યાજબી નથી. પરંતુ એમ જ માનવું જોઈએ કે, પર્યાયના પરિવર્તનથી જ પ્રતિક્ષણ વસ્તુને નાશ થાય છે. દશમપૂર્વમાં નારકી આદિને જે વિચછેદ કહ્યો છે તેને હેતુ એ નથી કે તેને સર્વથા નાશ થાય છે પરંતુ એક પર્યાયથી બીજી પર્યાયાન્તરિત થાય છે. કારણ કે જૈનશાસ્ત્રની એ તે માન્યતા જ છે કે,
ઉનાનાકવિ વરણ, દ્રવ્યતઃ રાશ્વતં વેત્ત,
अपरापरापर्यायपरावृत्तेत्वशाश्वतम् ॥ १॥" સઘળા પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે.
ધર્માચાર્ય તરફથી આટ આટલે પ્રતિબોધ આપવા છતાં પણ અશ્વમિત્રે પિતાનો દુરાગ્રહ ન છોડો. તેની આ જાતની માન્યતાથી તેને નિદ્વવ (સૂત્રને સત્ય અર્થને બદલે અવળો અર્થ કરનાર) જાણીને ધર્માચાર્યું કાર્યોત્સર્ગ પૂર્વક તેને ગચ્છ બહાર મૂકી દીધો. ગચ્છથી બહાર થયા પછી અમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર કરવા માંડે. અને તે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પોતાના સમુચ્છેદવાદની પ્રરૂપણ અને પુષ્ટિ કરવા લાગ્યા.
કે એક સમયે વિચરતાં વિચરતાં તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યા. તે સમયે ત્યાંના રાજ્યના જકાત ખાતાના કર્મચારીઓ શ્રાવકો હતા. તેમણે સાંભળ્યું કે, સમુછેદવાદી નિહ્નવ અહિ પધાર્યા છે, તે તેઓએ વિચાર કર્યો કે, કર્કશ-કઠેરથી પણ કઠોર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ. આ પ્રકારને વિચાર કરી તે સઘળા રાજપુરૂષે તેમની પાસે આવ્યા અને ચાબુક વિગેરેના પ્રહારથી તેમને ખૂબ મારવા લાગ્યા. મુનિઓએ જ્યારે રાજપુરૂષને આવે અનુચિત વહેવાર જે એટલે કહેવા લાગ્યા કે, આપ લોકે તે શ્રાવક છે અને અમે સાધુએ છીએ, તે અમોને વ્યર્થ શા માટે મારો છે ? અશ્વમિત્ર અને તેમના સાધુઓની આ વાત સાંભળીને તે શ્રાવકેએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪૪