Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 276
________________ પ્રકારે કહીને તે ખીજા દિવસે પ્રાતઃકાળે રાજા વગેરે નગરવાસીઓના સમૂહ સાથે કુતિયાવણની (જ્યાં ત્રણે લેાકની ચીજો મળી શકે તેવી છે ) દુકાને પહેાંચ્યા. જ્યાં ત્રણે લેાકના સઘળા પદાર્થ વેચાતા હતા. ત્યાં પહેાંચતા જ આચાર્ય મહારાજે દુકાનના માલીકને કહ્યું-જીવ આપે। ! આચાર્ય મહારાજની ગ્રાહક રૂપે આ વાત સાંભળીને દુકાનદારે તેમને કુમાર, કુમારી, હાથી, ઘેાડા આદિ સર્વ જીવા બતાવ્યા. તે જેયા પછી આચાર્ય ફરીથી એ દુકાનદારને કહ્યુ` કે, જીવ તેા જોઈ લીધા-હવે અજીવ ખતાવે. આચાર્ય મહારાજની વાત સાંભળીને દુકાનદારે અજીવ એવા ઘટ પટાદિક અજીવ પદાર્થો પણ બતાવ્યા. એ ોયા બાદ ફરીથી આચાર્ય મહારાજે કહ્યું-કે, એ પણ જોઇ લીધા. હવે નાજીવ ખતાવા. કેમકે, તેની પણ જરૂરત છે. દુકાનદાર આચાય મહારાજની આ વાત સાંભળીને તેમને કહેવા લાગ્યા–મહારાજ આપ શું કહા છે ? નાજીવ તા ત્રણે લેાકમાં પણ નથી, જે ચીજો ત્રણે લેાકમાં અસ્તિત્વ ધરાવે છે તે સઘળી મારી દુકાને મળશે. જે ચીજ મારે ત્યાં ન મળે તે સમજી લે જે અહીં નથી. એ ચીજો ત્રણે લેાકમાં યાંય હશે નહિ, માટે તમને નહી મળે. દુકાનદારની આ વાતને સાંભળીને આચાર્ય મહારાજે રાહગુપ્તને કહ્યું-સાંભળ્યુ ! આ શુ કહે છે ? એ કહે છે કે, જીવ અને અજીવ એ એજ રાશી છે. ત્રીજી નાજીવ રાશી ગધેડાનાં શીંગડાંની માફક તેનુ અસ્તિત્વ ન હેાવાને કારણે તે નથી. આ પ્રકારે જ્યારે શ્રી ગુસાચાર્યે કહ્યું ત્યારે “ સહગુપ્ત હારી ગયા.” એવું માનીને લેાકેાએ તેમને નિવ સમજી રાજસભામાંથી કાઢી મૂકયા અને તેની નિંદા પણુ કરવા લાગ્યા. લાકોએ અને રાજાએ શ્રી ગુસાચાય ને અભિનંદન આપી ખૂબ સત્કાર કર્યાં, રાહગુપ્તે ગચ્છથી અહિષ્કૃત થઈને વૈશેષિક મતની સ્થાપના કરી. તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થોની પ્રરૂપણા કરી. તેનાથી તેનુ બીજુ નામ ષડુલૂક પણ પડયું. t । આ છઠ્ઠું ષડ્ડલૂક (રાહગુપ્ત) નિનું દૃષ્ટાંત થયું. ॥ ૬॥ સક્ષમ નિહ્નવ ગોષ્ઠમાહિલ મુનિ કા દ્રષ્ટાંત સાતમા ગેાષ્ઠામાહિલ નિહવની કથા આ પ્રકારની છે શ્રી વીરપ્રભુને નિર્વાણુ પામ્યું પાંચસા ચાર્યાશી વર્ષ વીતી ચુકયાં એ સમયે દશપુર નગરમાં ઈગૃહ નામના ગીચામાં આરક્ષિત આચાય મહારાજ પધાર્યાં. તેમને ત્રણ શિષ્ય હતા. (૧) ગેòમાહિલ, (૨) કૅલ્ક્યુરક્ષિત, (૩) દુલિકાપુષ્પ. આ સમયે મથુરાનગરીમાં અક્રિયાવાદના પ્રચાર થઈ રહ્યો હતા. આ પ્રચારને શકવા માટે ત્યાં કોઇ પણ પ્રતિવાદી મનવા તૈયાર ન થયું ત્યારે ત્યાંના શ્રીસંઘે આચાય આરક્ષિત મહારાજને તેના ખખર પહેોંચાડવા. આચાર્ય મહારાજે આ માટે વાલબ્ધિથી યુક્ત એવા ગેાષ્ઠમાહિલને શિષ્ય સાથે મથુરા નગરીમાં મેાકલ્યા. ગાષ્ઠમાહિલે ત્યાં પહેાંચીને તુરત જ રાજસભામાં હાજર થઇ અક્રિયાવાદી એવા ચાર્વાકને વાદવિવાદમાં હરાવી દીધા, ગાષ્ઠમાહિલની વિદ્વત્તાથી ત્યાંની જનતા ખૂબ પ્રસન્ન થઈ, ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૬૨

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290