________________
ચક્રવતી એ બ્રાહ્મણને કહ્યુ કે તમે આ શું માગ્યું? ગામ, નગર અથવા તે ધન દાલત જે જોઇ એ તે માગીયેા. બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ ! મને એવી કઇ ચીજની જરૂરીઆત નથી. અમારી જે ઇચ્છા છે તે આપની સમક્ષ રજુ કરી છે. ચક્રવતી એ બ્રાહ્મણની વાતના સ્વીકાર કરી અને પેાતાનાજ મહેલમાં તેને માટે સ્વાદિષ્ટ એવી ખીર તૈયાર કરાવી. બ્રાહ્મણે ખૂબ જ આન ંદથી તે ખાધી. ક્રમે ક્રમે તે માંપિલ્ય નગરમાં બધાને ત્યાં એક એક દિવસ ખીરના ભાજન માટે જવા લાગ્યા. પરંતુ ત્યાં એટલાં બધાં ઘરા હતાં કે એના જીવન સુધી જમતાં જમતાં ઘરના વારા સમાપ્ત થઈ શકે તેમ ન હતું. તેમાંવળી ચક્રવતી તે છ ખંડ ધરતીના અધિપતી હોય છે. આથી તેના જમવાના નખર છ ખડામાં નક્કી કરી આપેલ હતા પણ જ્યારે એકલા કાંપિટ્ય નગરનાં જ ઘરે તે પુરાં કરી શકે તેમ ન હતું ત્યાં ભરતક્ષેત્રના વિસ્તારનાં ઘરાના વારા તે કયાંથી જ આવે? આથી તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. તે વિચારવા લાગ્યા કે, કચારે સમસ્ત ઘરાના વારા પુરા થાય અને કયારે મને ચક્રવર્તીના મહાલયમાં ફરીથી ઉત્તમ એવી ખીર ખાવાના પ્રસગ મળે? આ રીતે ન તે। સમસ્ત છ ખંડના ઘરાના તેના વારા પુરા થાય અને ન ચક્રવર્તીને ત્યાં ફરીથી ખીર ખાવા જવાના પ્રસંગ મળે. આ રીતે તે બ્રાહ્મણને ફરીથી ચક્રવતીને ત્યાં ખીર ખાવાના પ્રસંગ પ્રાપ્ત ન થયેા. તેવી જ રીતે આ મનુષ્ય જન્મ પણ ઘણા દુર્લભ છે. આ પ્રથમ દૃષ્ટાંત છે એના ઉપર આ સગ્રહ શ્યક છે.
भुक्तं स्वादुरसं द्विजेन भवने श्रीब्रह्मदत्तस्य यत् । क्षेत्रेऽस्मिन् भरतेऽखिले प्रतिगृहे भुक्त्वा पुनस्तद्गृहे ॥ जातं तस्य यथा मनोऽभिलषितं तद्भोजनं दुर्लभं । संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥
આ શ્લાકમાં આ કથાના સાર બતાવવામાં આવેલ છે. અર્થાત્ જે રીતે બ્રહ્મદત્તચક્રવતીના ઘરે એકવાર ઉત્તમ ખીરનું ભાજન કરીને તે બ્રાહ્મણને ચક્રવર્તિને ત્યાં ખીરનુ ભેાજન ફરીથી કરવાની ઈચ્છા જાગી પરંતુ તેની એ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહી. કેમકે, એના સામ્રાજ્યભરનાં ઘરાના વારા તે પૂર્ણ ન કરી લે ત્યાં સુધી તેને ફરી ચક્રવતી ને ત્યાં ખીર ખાવા માટે જવાના વારા પ્રાપ્ત થતા ન હતા. એ પ્રકારે આ સંસારમાં ભ્રમણ કરવાવાળા આ જીવને પુનઃ મનુષ્ય અવતાર મળવા મહા દુર્લભ છે. આ પ્રથમ ચૌલ્લક દૃષ્ટાંત મતાવેલ છે. હવે મીજી પાશકષ્ટાંત કહેવામાં આવે છે—
જુગાર ખેલવામાં જેના ઉપયાગ કરવામાં આવે છે તેને પાસા કહે છે. તેનું નામ પાશક છે. તેનું દૃષ્ટાંત આ પ્રકારનું છે.—
ગોલ્ડ દેશમાં ચણુક નામના ગામમાં ઘણા જ શીલ વ્રત ગુણુ સપન્ન અને વ્રત પ્રાણાતિપાતાદિ વિરમણ પ્રત્યાખ્યાન પાષધ ઉપવાસ વગેરેથી શ્રાવક ધર્મનું પાલન કરવાવાળા ચણુક નામના એક બ્રાહ્મણ રહેતા હતા. એ બન્ને વખત મેાઢા ઉપર દારા સાથેની મુખવસ્ત્રિકા રાખીને સામાયિક અને પ્રતિક્રમણ કરતા હતા. એક દિવસની વાત છે કે, તેને ઘેર સુવ્રત નામના એક મુનિરાજ ભિક્ષા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૦૦