Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034812/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Tolkale lo *lcloblo *øŞle/3|3 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ ધર્મ U38 ZZA ૩ મૈયા વિશ્વ દ ર્શ ન વવદર્શ મુનિશ્રી નેમિચંદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat AD www.umaragyanbhandar.com 1 Pool) Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્વી શિબિર માટુંગા (મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા ધર્માનુબંધી વિશ્વદર્શન ભાગ : ૯ વિશ્વદર્શન મુખ્ય પ્રવચનકાર મુનિ નેમિચન્દ્ર સંપાદક ગુલાબચંદ જૈન : પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી – અમદાવાદ -૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ દર્શનની વ્યાપકતા... અને સાંપ્રદાયિક અજ્ઞાનની સંકુચિતતા [ સંપાદકીય]. ધર્મમય સમાજરચના માટે જ્યારે પણ કોઈ પ્રતિભાશાળી આત્મા બહાર પડે છે ત્યારે એના માટે દર્શન-વિશુદ્ધિ અતિ જરૂરી બને છે. આમાં તેણે વિશ્વદર્શન કરવાનું રહે છે. આ વિશ્વ જ તેના કાર્યક્રમનું ક્ષેત્ર ઈને તેણે વિશ્વનાં મુખ્ય તો ચેતન અને જડનો જેમ પરિચય સાધવાને છે, તેમ તેણે વિશ્વદર્શનના અન્ય પાસાંઓ અંગે સ્પષ્ટ દૃષ્ટિ કેળવવાની હોય છે. આ માટે તેણે એક માપદંડ રાખવાનો હોય છે તે છે ધર્મમય સમાજરચનાને, તેણે એક દષ્ટિ કેળવવાની હોય છે તે વિવેકસરના પૃથક્કરણની અને વ્યાપક સત્ય શોધની સતત જિજ્ઞાસાની. તે ભૂતકાળને ઇતિહાસ વડે તપાસે છે; પોતાના ક્ષેત્રને ભૂગોળ વડે જાણે છે, વિજ્ઞાનની પ્રગતિ વડે વર્તમાનને આંકી ભવિષ્યનું સ્પષ્ટ દર્શન કરે છે; રાજનીતિ વડે રાષ્ટ્રને અહિંસક સમાજનું સ્વરૂપ આપે છે અને અર્થનીતિ વડે પરસ્પરના શેષણને અટકાવે છે. સામાન્ય રીતે ઘણું લોકો એમ જ માને છે કે ધર્મની સાથે આ બધા વિષયોને શું સંબંધ? એટલું જ નહીં કેટલાક સાધકો તે એમ જ માને છે કે અમે તો આત્માનો જ ઉદ્ધાર કરવા નીકળ્યા છીએ તેમાં અમારે આ ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, અર્થનીતિ કે વિજ્ઞાનની શી જરૂર છે ? પણ ખરો આત્મસાધક જેની ચરમ આત્મસાધનાની સિદ્ધિ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન છે તે આની ઉપેક્ષા કરી શકતા નથી. એટલે જ આપણે તીર્થકર રચિત સૂત્રોમાં–આગમવાણીમાં પૂર્વભવ ક્યા રૂપે ઇતિહાસ; ક્ષેત્ર વર્ણન વડે ભૂગોળ, લોકાલોકના વર્ણન વડે ખગળ; યંત્ર અને શસ્ત્રોનાં તેમજ જીવ અજીવનમાં વણથી વિજ્ઞાન, ગ્રામ, નગર, રાષ્ટ્રધર્મ વડે રાજનીતિ તેમજ ન્યાય-નીતિની કમાણી, પ્રમાણિકતા, પરિગ્રહ-મર્યાદા અને વ્યવસાય મર્યાદા વગેરે વડે અર્થ નીતિને રજૂ થતી જોઈએ છીએ. કેવળ જૈને પૂરતું નથી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ વૈદિક, બૌદ્ધ તેમજ અન્ય ધર્મો, એક યા બીજી રીતે આ બધી બાબતે રજૂ કરે છે. તેની પાછળને આશ્રય સ્પષ્ટ દર્શન છે. આ બધાં પાંસાઓને સાંકળીને જ સ્પષ્ટ રીતે ધર્મને રજૂ કરી શકાય છે અને તે માન્ય બને છે. તેના આધારે નવો સમાજ રચાય છે; તે ટકે છે. એની વિરુદ્ધ જ્યાં આ બાબતને સદંતર અભાવ હોય છે ત્યાં સાંપ્રદાયિકતા પ્રવેશે છે. તેની સાથે અજ્ઞાન અને સંકુચિતતા પ્રવેશે છે. વિશ્વ વાત્સલ્યને આત્મભાવ પ્રગટ થતું નથી! ધર્મના નામે; સ્વાર્થ સધાય છે અને તેના ખપરમાં લાખ માણસે હોમાય છે. તે સંકુચિતતા છે; અને માં સંકુચિતતા છે ત્યાં અજ્ઞાન છે. આજે વિશ્વદર્શનની સ્પષ્ટતા જ્યાં સુધી ઉપરનાં તેનાં પાસાંઓને ન સમજી લેવાય ત્યાં સુધી પ્રગટ થતી નથી. જે લોકો એમ કહે છે કે ધર્મને, સાધનાને અને વિશ્વ વાત્સલ્યને આ ત સાથે કંઈ પણ સંબંધ નથી; તેઓ ભીંત ભૂલે છે. આત્માની ઉન્નતિ તે કરવાની છે જ પણ સાથે અન્ય આત્માઓને ખરે રસ્તે દોરવાના છે. આ અંગે અલગ-અલગ કાળે, અલગ અલગ પ્રકારે યુગ પુરષોએ માર્ગ ચીખ્યો છે. પણ સમય વહે છે; ગઈ કાલની વાતે ભૂતકાળમાં ચાલી જાય છે. આપણે તેને પકડીને બેસી શકતા નથી. જરૂર એમાંને વર્તમાન માટેને સારભાગ રહી શકાય અને ભવિષ્યની ઉન્નતિને રસ્તો દેખાડી શકાય ! જ્યાં આવું થાય છે ત્યાં સ્પષ્ટદર્શન જોવા મળે છે. જ્યાં એવું થતું નથી ત્યાં સાંપ્રદાયિકતા આવે છે અને તે જોવા માટેના બધાં દષ્ટિધારે બંધ કરીને ગઈ-ગુજરીને જ પકડીને, આજને ખ્યાલ કર્યા વગર લોકોને આગળ વધવાને બદલે, પાછળ ધકેલી દે છે. કયારેક તે તેમાં હદ થાય છે કે જમાના કરતાં લગભગ એક સદી લોકો પાછળ રહી જાય છે અને નવીન જગતને માનવાની તે ના પાડે છે. બર્માના જંગલમાંથી હમણાં કેટલાક બમ સેનિકો મળી આવ્યા. તેઓ છેલ્લા અઢાર વર્ષથી એમ જ માનતા હતા કે હજ જાપાન-બર્માનું યુત ચાલુ છે. સહુથી કરુણાજનક સ્થિતિ તે એ હતી કે તેમણે જીવન સાથી સુંદર કાળ જંગલમાં ભટકવામાં પસાર કર્યો હતે. સાંપ્રદાયિકતાનું કંઇક અંશે આવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ એટલે જ જ્ઞાનીઓ કહી ગયા છે કે ધર્મને વહેતી ગંગા જેવો રાખે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પ્રમાણે ચલાવો અને એ જ પરમ સત્ય છે. એ જ જીવનની ગતિ છે; તેના વગર જીવન ગુંગળાઈ ભરશે. ભગવાન પારસનાથને સંપ્રદાય હોવા છતાં મહાવીર પ્રભુએ નવો જ જૈન ધર્મ–એટલે કે નવા સ્વરૂપે કહ્યો. પારસનાથ પ્રભુના શિષ્યને જ્યારે સમજાયું કે યુગાનુરૂપ આ ધર્મ અને પારસનાથ પ્રભુના ધર્મમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે પરિવર્તન થયું છે ત્યારે તેમણે એને સ્વીકાર કર્યો. આવી ધાર્મિક અને ઐતિહાસિક સ્પષ્ટ ઘટના પછી પણ જે લોકો સાંપ્રદાયિકતામાં પડ્યા રહે છે તેમણે દુઃખી થવા જેવું છે અને અંતે તેમનું હિત સધાવાનું નથી. મુંબઈમાં મુંબાદેવીનું તળાવ હતું. તેનું પાણી ત્યાં જ પડયું રહેતું. નો પ્રવાહ આવે નહિ અને ગંદુ પાણી જાય નહિ. દિવસેદિવસે તે લીલુંછમ થતું જાય. તે છતાં શ્રદ્ધાળુ લોકો તેનું આચમન કરે. ધીમે-ધીમે લોકશ્રદ્ધા ઘટતી ગઈ અને લોકોને થવા લાગ્યું કે એ પાણી ગંદુ છે. એટલું જ નહિ લેકોએ તેને રોગનું ઘર ગયું અને પરિણામે તે તળાવ પૂરાઈ ગયું અને આજે ત્યાં બગીચે બની ગયા છે. તે, ધર્મ સ્પષ્ટદર્શન અને પરિવર્તન વગર ટકી શકતા નથી. તેમાં નિરંતર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે બાહ્ય શુદ્ધિ અને પુષ્ટિની પ્રક્રિયા ચાલુ રાખવી જ પડશે અને યુગબળને ઓળખીને તે પ્રમાણે તેને લોકો માટે કલ્યાણકારી બનાવવું જ પડશે. જ્યાં એમ નહીં થાય ત્યાં તેને વિનાશ રહેલો છે ! રશિયામાં રાજા અને જમીનદારોના અત્યાચારો હદબહાર વધી ગયા. ધર્મ ચુપ રહ્યો. પાદરીઓ સત્તાને માન દેવામાં શાણપણ માનવા લાગ્યા જેથી સત્તા તેમાં હસ્તક્ષેપ ન કરી શકે. તે કોનું શોષણ વધતું ગયું. ધમેં તેને રોકવું જોઈતું હતું. પણ ધર્મે યુગબળને ન ઓળખ્યું. પરિણામે જે ભયંકર લોહિયાળ ક્રાંતિ થઈ તેમાં દશ કરોડથી વધારે વસતિવાળો રશિયાને પ્રદેશ સામ્યવાદી થઈ ગયો અને બીજા ૬ કરોડની વસતિને પણ તેને ચેપ લાગ્યો. ધર્મ ન રહ્યો, દેવળે એમને એમ ઊભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ રહી ગયાં અને પાદરીઓ એક પણ ન રહ્યા. અહીં ધર્મ જેના હાથમાં હતો તેવા ધર્મગુરુઓ પાસે સ્પષ્ટદર્શન ન હતું. યુગદષ્ટિ ન હતી. ચીનમાં પણ એમ જ થયું. પચાસ કરોડ ઉપરાંત જનતા પિસાતી રહી, રિબાતી રહી, અરે એવડી મોટી સ્વતંત્ર પ્રજાને જાપાન જેવો દેશ બીજા વિશ્વયુદ્ધ ટાણે કચડતો રહ્યો. ધર્મ ચૂપ રહ્યો. ભિક્ષુઓ ચુપ રહ્યા. તેમણે યુગબળને ન ઓળખ્યું. લોકોનું સેવણ ચાલુ જ રહ્યું, અને ૧૯૫૦માં દુનિયાએ જાણ્યું કે ચીનનું તંત્ર સામ્યવાદી થઈ ગયું છે. બુદ્ધ મંદિર કયાં ગયાં, તેની ખબર ન પડી. બૌદ્ધ ભિક્ષુઓનું શું થયું ? તેની ખબર ન પડી. પણ યુગબળને ન ઓળખવામાં જે મોટી ભૂલ ધર્મગુરુઓએ ત્યાં કરી તેનું શું પરિણામ ભોગવવું પડ્યું તેને જવાબ તે મળતું નથી પણ તિબેટમાં ધર્મગુરુઓ–લામાઓની જે સ્થિતિ થઈ તે તે સહુ જાણે છે. ધર્મતત્ત્વ જે પ્રજાને સુખ આપી શકતું ન હોય કે તેને દુઃખ દૂર કરવા માટે પ્રેરક ન બની શકતું હોય તે તે મોટે ભાગે આ સાંપ્રદાયિક સંકુચિતતા અને જુના ક્રિયાકાંડોને આભારી છે; પણ તે ઉપરાંત એક હકીકત એ પણ છે કે લોકે તેને માન નહીં આપે! અને જે ધર્મનિષ્ઠા લેક હૃદયમાંથી ઊડી ગઈ પછી બાકી શું રહેશે? એટલે જ સ્પષ્ટ-દર્શનના સુંદર ઉદાહરણ રૂપે ભગવાન બુદ્ધને આપણે ગરીબને ધર્મોપદેશ નહીં, પણ પોતાની ભિક્ષા આપવાને દાખલ વાંચીએ છીએ. એટલે જ ભગવાન મહાવીરને જાણીતા પ્રદેશમાં નહીં, પણ અજાણ્યા પ્રદેશોમાં લોકોના દુઃખ દર્દ અને અજ્ઞાન જાણવા માટે બાર-બાર વર્ષ સુધી સાધના કરતા સાંભળીએ છીએ. એટલે જ ગાંધીજીને નોઆખલી તરફ અત્યાચારથી પીડિત લોકોનાં આંસુ લૂછવા માટે ગામેગામ અને ધરેધર જતા જાણીએ છીએ. સ્પષ્ટ દર્થોન વગર ઇતિહાસની અનેક વાતોને જવાબ ધમ વાળી શકશે નહીં! લાખ ઈસાઈએ માર્યા ગયા. લાખો હિંદુઓ ખતમ થયા, લાખો મુસલમાને કતલ થવા, લાખ બૌહોને નાશ થશે અને લાખે યહુદીઓની કતલ વગર વાંકે કરી નાખવામાં આવી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ બધું તે હમણાં-હમણું થઈ ગયું છે. એટલે ઇતિહાસ જાણ્યા વગર આ બધી બાબતોને જવાબ ધર્મ કયાંથી આપી શકશે? હમણાં જ કોસ્મોનટે અવકાશમાં જઈ આવ્યા છે અને તેણે પૃથ્વી તેમજ ખગોળની ઘણી વાતોને ફેરવી નાખી છે. આ નવી ભૂગોળના સંદર્ભમાં જૂની વાતો ક્યાં સુધી ટકશે તે આજના ધર્મ-પ્રચારકે વિચારવાનું છે! પૈસાદારોને મોજશેખ કરવાની છૂટ આપવા તેમજ શેષણ કરીને પસે મેળવવાની છૂટ આપવા માટે સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય બધાની ક૯૫ના એક માત્ર પંછવાદને પોષણ આપવા માટે છે. આ આક્ષેપાત્મક બાબતનું નિરાકરણ જ્યાં સુધી અર્થનીતિના ઊંડાણમાં ન ઉતરાય ત્યાં સુધી કેવી રીતે આપી શકાય? એટલે દરેક વસ્તુને તેના સ્થાને રાખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે તેનું સ્પષ્ટ દર્શન નહીં થાય ત્યાં સુધી વિશ્વ આત્માઓ સાથેની એકતા ખરા સ્વરૂપે નહીં આવી શકે! તે પ્રગટ કરવા માટે પણ આ. બધાં યે પાસાંઓનું દર્શન–જ્ઞાન જરૂરી છે. આજે જગત જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં તીવ્ર ગતિએ કૂચ કરી રહ્યું છે; પણ તેની પાસે દર્શન-વિશુદ્ધિ નથી. તે ભૌતિક પ્રવાહમાં તણાઈ રહ્યું છે; ધર્મગુરુઓ પાસે તે અંગે કંઈક માર્ગદર્શનની આશા રાખી શકાય, પણ તેમની દષ્ટિ સાંપ્રદાયિકતાના આવરણથી અસ્પષ્ટ બની છે. એને દૂર કરી ખરેખર જીવનનાં નવાં મૂલ્યો સમજાવતો યુગધર્મ તેમણે સમજાવવાનો છે. આ બધાં પાસાંઓ અંગે, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજનીતિ, અર્થશાસ્ત્ર અંગે સંક્ષેપમાં પ્રવચને રૂપે પૂ. મુનિશ્રી નેમિચંદ્રજીએ અને પૂરક પ્રવચને રૂપે શ્રધેય શ્રી માટલિયાજીએ ઘણું કહ્યું છે. ધર્મમય સમાજરચના માટે કેવળ વિશ્વવાત્સલ્યના સાધક માટે જ નહીં; પણ દરેક ધર્મગુરુઓ માટે આ વસ્તુઓ એ સંદર્ભમાં સમજવી જરૂરી છે. તેના અભાવમાં આજના યુગ સંબંધી સ્પષ્ટ-દર્શન નહીં થાય એવું મારું વિનમ્ર માનવું છે. શરદ પૂનમ ગુલાબચંદ જૈન ૨૧-૧૦-૯૪ ) સંપાદક. મદ્રાસ, U Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જેન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓ શ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે, ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુનેએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પુર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઉભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવું પડશે. અને અમલ પણ સંસ્થાધારા જનતા વાટે કરે પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણે કરતા, તેઓ ક્યાંય વ્યસન, અપ્રમાણિક્તા કે ગેરરીતિએ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહેશે. અને સંત આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંત, બ્રાહણેને અધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી છો અને અધ્યાત્મલક્ષી રહી ને; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળીને તે રાજ્ય તેને યોગ્ય નયત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂ૫ નવી બે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ હવે વિશ્વરાજયોમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠન બનાવવાં જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહ્મણે કે જે રચનાત્મક કાર્યકરે કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ. આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલ. તે સતત ચાર માસ ચાલે, તેમાં જે પ્રવચને ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તો બીજા સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણાં ભાઈઓંનેને લાગણી થઈ આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઇચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણાં પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય છે તેને લાભ તેમના જીવનવિકાસમાં તે થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પણ તેઓ છકાયનાં પિયર ( સમાજનાં માબાપ ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ધણા ઉપયેાગી થઇ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છ: પવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્ત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકે છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકા તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકનું સંપાદન પણુ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાય' એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતુ. એ માટે પણ શ્રી. મણિભાઇ લાખડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચદ જૈનનુ નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા ખેલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી, અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચદ્રજીએ આવુ સર્વાંગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સે।સાયટીમાં રહેતા વેારા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતા સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઇ તથા બીજા પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીના આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતા, અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારી હોવા છતાં આ કામને ધર્મકા માની સમયસર સંપાદન કર્યું છેતેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી. દંડીસ્વામી, શ્રી. માટલિયા, વિશ્વવાસહ્ય પ્રાયેાગિકસંધ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમનેા અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સદ્દકાર આપ્યા છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુસંત, સાધ્વી, સેવા અને જનતા આ પુસ્તકોના અભ્યાસ કરી સ્વપર કલ્યાણનેા સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશ છે, તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ વિશ્વદર્શન : એક અનુશીલન (પ્રસ્તાવના) આ જગતમાં બધાં પ્રાણીઓમાં માનવ સર્વોત્તમ અને વિચારવાન પ્રાણી છે. તે પિતાની જેમ જગતના હિતને વિચાર કરી શકે છે; જગતના સમસ્ત પ્રાણીઓની પરિસ્થિતિ, જીવનસરણી, સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ઊંડું ચિંતન કરી શકે છે, એટલા માટે જ તેને મોક્ષનો અધિકારી બતાવ્યો છે. આ મોક્ષમાર્ગમાં પગલાં માંડવાની શરૂઆત સમ્યફદર્શનથી થાય છે. આ સમ્યફદર્શનની સીમામાં જગતના બધા આત્માઓનું બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારનું દર્શન આવી જાય છે. એટલા માટે જ મુનિ (સાધુ)નું લક્ષણ જૈનાચાર્યું કર્યું છે - _ 'मन्यते जगतस्त्रिकालावस्थामितिमुनिः' જે જગતની (સમસ્ત પ્રાણીઓની) ત્રણે કાળની પરિસ્થિતિનું ચિન્તન-મનન કરે છે, તેને ધર્મ–નીતિની દષ્ટિએ ઉકેલ વિચારે છે, તે મુનિ છે. આ જ વાત ભગવાન બુદ્ધે કહીયો મનતિ મે એક મુનિ વુિતિ” એટલે કે જે ઉભય લોક (એહિક અને પારલૌકિક બને)નું મનન કરે છે, તે મુનિ કહેવાય છે. જેનસિદ્ધાંતની દષ્ટિએ આવું ચિંતન માનવજીવનમાં સફદષ્ટિના ગુણસ્થાનકથી શરૂ થઈ જાય છે, તેને આત્માના વિચારની સાથે અનાત્માઓને પણ વિચાર કરવો જરૂરી છે, એટલે કે જીવની સાથે અજીવ અથવા ચેતનની સાથે અચેતન (જડ)થી સંબંધિત તને વિચાર કરે અનિવાર્યરૂપે આવી પડે છે કે આ સંસારના આત્માઓ કયા-કયા કારણે કર્મોની સાથે બંધાય છે? કેવી રીતે કર્મોને પ્રવાહ આવે છે? કયા ઉપાયથી તેને રોકી શકાય? કર્મોના કેટલા પ્રકાર છે? શુભકર્મો કયાં? અશુભ કયાં? કર્મબંધનથી આંશિક રૂપે કયા કારણથી મુક્ત થવાય છે? કર્મબંધનથી પૂર્ણ મુક્તિના કારણે કયાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજનાં કર્મક્ષય કરવામાં નિમિત્ત બનવું હોય, તે તેના ઉપાયો શા? આ બધું જગતને લગતું ચિંતન કરવું અને એમાં ઊંડા ઊતરીને જગતની આગળ પિતાને થયેલું સત્ય મૂકવું; એમ જૂના વખતના દાર્શનિકો અને ધર્મગુરુઓ વિચારતા. તેમને આ દર્શન પ્રાણિમાત્રની પરિસ્થિતિઓ જોઈને થયું હતું. તેની સાથે જ ધર્મગુરુઓ પિતાના વિચરણક્ષેત્રમાં સંપર્કમાં આવતાં માનવો, અને બીજા પ્રાણીઓની પરિસ્થિતિને વિચાર કરીને તેને ઉકેલ નીતિધર્મની દષ્ટિએ કરતા; માનવજીવનના સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક વ. ક્ષેત્રોમાં જ્યાં જેવી પ્રેરણાની જરૂર પડતી, ત્યાં પ્રેરણા આપતા. પરંતુ તે વખતે તેમની નજર આગળ દશ્યમાન વિશ્વ બહુજ સીમિત હતું; બાકીનું અંદમાન જગત જ ઘણું હતું. તેમાં તેઓ પ્રેરણા આપી શકતા નહતાં. જુના વખતમાં સીમિત જગતના માનની પરિસ્થિતિના દર્શન માટે તીર્થયાત્રાઓ, મેળાઓ અને હજે ગઠવતાં, જયાં માનવ મહેરામણ ઉમટ, અને એક બીજાના દેશની સંસ્કૃતિ, આચાર-વિચાર અને પરિસ્થિતિથી લાકે વાકેફ થતા. પણ આ બધું દર્શન અપૂરતું અને બહુ જ સીમિત ક્ષેત્રનું હતું. આજે વિજ્ઞાનને લીધે દુનિયા બહુ જ ટૂંકી થઈ ગઈ છે, તેને લીધે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા માનવો અને બીજાં પ્રાણીઓની પરિસ્થિતિને ખ્યાલ વિષદ્રષ્ટા પુરુષને માટે જરૂરી બને છે, સવિશેષ જદ જદ ભૂખંડમાં રહેલા માનવોને ભૂતકાળ, તથા તેમની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક વ્યવસ્થા, આર્થિક સ્થિતિ, વૈજ્ઞાનિક પ્રગતિ, સંસ્કૃતિ, શિક્ષણ, રાજનૈતિક પરિસ્થિતિ, ધર્મ વિચાર અને આચાર વગેરે ભવાની માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે એ જાણ્યા વગર તેમનું વિશ્વદીન અધૂરું રહે તેમજ તેને તે ક્ષેત્રના પ્રશ્નોમાં નીતિધર્મની દષ્ટિએ પ્રેરણા પણ નહિ આપી કે, તેમના બગMા અનુબંધને સુધારી નહિ શકે અને તુલાને સાંકળી પણ ન શકે. તેમજ દશ્યમાન જગતની પરિસ્થિતિના આવા સર્વાગી જ્ઞાન કે દાન વગર તેને માટે મનન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ચિતન કરીને ધર્મ—નીતિના આચરણને માર્ગે પણ શી રીતે લઈ જઈ શકે! એવી જ રીતે જૂની ચિંતન પ્રણાલિકાની દષ્ટિએ જોઈએ તે તે-તે ભૂભાગની સ્થિતિ જાણ્યા વગર તેમના કર્મોનું પૃથક્કરણ શી રીતે કરી શકે તથા તેમને તેમની ધાર્મિક પરિભાષા પ્રમાણે કર્મથી મુક્ત થવાને ઉપાય પણ શી રીતે બતાવી શકે અને જગતની પરિસ્થિતિને પૂરેપૂરી સમજ્યા વગર જ પિતે તેને ગમે તે ઉકેલ બતાવે તો તેનાથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાય નહિ, અને આમ ન થાય તે વિશ્વનાં બધા પ્રાણીઓ (ષટકાય)ની સાથે આત્મીયતા શી રીતે સધાય ? પ્રાણિ માત્ર પ્રત્યે મૈત્રીભાવના શી રીતે સાકાર થાય ? વિશ્વ વાત્સલ્યના ધ્યેયને શી રીતે પહોંચી શકાય? પિતાની મુકિત માટે તે સામાન્ય ગૃહસ્થાશ્રમી સાધક પણ પ્રયત્ન કરે છે, પણ સાધુ જીવન સ્વ૫ર મુકિતની સાધના માટે છે. સમાજની મુકિત માટે પ્રયત્ન વ્યકિતગત મુક્તિની સાથે કરવો હેય તે તેને માટે વિશ્વવિશાળ માનવસમાજની બધી પરિસ્થિતિનું અવલોકન અને દર્શન હેવું જરૂરી છે. જે કે જ્ઞાત વિશ્વનું ક્ષેત્ર પરિવર્તનશીલ છે, ચિરોધ્ધ છે; હજુ ઘણા ભૂખડે શોધવાના બાકી છે. તે છતાં જેટલું વિશ્વ જ્ઞાત છે, તેની માહિતી તો આજે છાપાંઓ, પુસ્તકે અને જ્ઞાન-વિજ્ઞાનનાં વિવિધ સાધન વડે દરેક રાષ્ટ્રનાં ધર્મ, સંસ્કૃતિ, આચારવિચાર, ઈતિહાસ, વૈજ્ઞાનિક પ્રગતિ, આર્થિક સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજનૈતિક પરિવર્તન વગેરેની સારી પેઠે મેળવી શકાય છે, ત્યારે જેણે વિશ્વનાં પ્રાણીમાત્રના હિતની જવાબદારી લીધી છે, એવા વિશ્વકુટુંબી સાધકેએ તે આજે માનવ દ્વારા જ્ઞાત કે પ્રત્યક્ષ જગતનું સ્થળ દર્શન તે કરવું જ જોઈએ, જેથી તે આવા સ્થૂળ દર્શન પછી જગતનું સૂક્ષ્મ દર્શન કરી શકે, એટલે કે જૈન પરિભાષા પ્રમાણે તે વિશ્વહિતાનુકૂળ પ્રક્ષણ (અનુપ્રેક્ષા) કરી શકે, યુગની ભાષામાં કહું તે તે-તે દેશ અને સમાજના માનવજાત અને પ્રાણી જગતની બધી સમસ્યાઓ શોધી શકે, દરેક ક્ષેત્રના મૂંઝવતા પ્રશ્નોના આત્મીયતા-આધ્યાત્મ-ની રૂએ, ધર્મ-નીતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દષ્ટિએ ઉકેલવા મથી શકે, અને તે તે દેશના પ્રશ્નના ઉકેલ વખતે તેની મયાંદાએ, ઉછેર, સંસ્કાર, શિષ્ટાચાર, રીતિરિવાજો વગેરેને નજર સામે રાખી શકે. મતલબ એ કે ધર્મ, જ્ઞાતિ, રંગ અને રાષ્ટ્રના ભેદ કે પક્ષપાત વગર તે શુદ્ધ માનવતાની દષ્ટિએ દરેક સમસ્યાને ઉકેલી શકે, અને વ્યકિત, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, ગ્રામ, નગર, રાષ્ટ્રધર્મ–સંપ્રદાય વગેરે જે માનવકૃત બંધને છે, તેને લઈને કોઈપણ સમસ્યા ઊભી થાય. ને નાની હોય કે મોટી; પણ વિશ્વ સમસ્યાનું એક અંગ છે, એમ માનીને જ વિદ્રષ્ટા પુરુષે ચાલવું જોઈશે. કારણ કે આપણે બધા એક જ આકાશની નીચે, એક જ પૃથ્વી ઉપર અને એક જ વાયુના આશ્રય તળે રહીએ છીએ; એટલે કેઈ આપણું પારકું છે જ નહિ, બધાં પિતાનાં છે; એવું સૂક્ષ્મ દર્શન જેને થાય છે, તે સ્વ અને પર પ્રાણીના હિતચિતનની દષ્ટિએ જ દરેક સમસ્યાઓને ઉકેલ વિચારશે. કોઈ સ્થાન કે વર્ગ વિશેષનો પ્રશ્ન પણ ત્યાંની પરિસ્થિતિ અને જરૂરિયાત વગેરેનું ધૂળ દર્શન કરીને એવી રીતે ઉકેલવે જોઈશે, જેથી નવા જટિલ પ્રશ્નો ઊભા ન થાય, તથા સામુદાયિક રીતે તે વિશ્વહિત સાધે; એટલે કે અમુક વર્ગ કે સ્થાનવિશેષનું કલ્યાણ કરવા જતાં, તે સામુદાયિક રીતે વિશ્વનું કલ્યાણ ન કરી બેસે! એટલા માટે સાધુસાધ્વી શિબિરનાં પ્રવચન પુસ્તકોનું નામ “ધર્માનુબંધી વિશ્વદર્શન રાખવામાં આવ્યું છે, જેથી ગૃહસ્થ કે સાધુ દરેક સાધક વિશ્વના અંતરંગ અને બ્રાહ્ય રીતે ધર્મસંસ્પષ્ટ દર્શન કરી શકે. આમ વિશ્વવ્યાપક દર્શન થયા પછી કોઈ પણ સમસ્યાને ઉકેલવામાં તેવા વિદ્વષ્ટા સાધકને વાંધો નહિ આવે, તેને સહેલાઈથી તેને સાચે રસ્તે જડી જાય. મૂળમાં તે આખા વિશ્વના આત્માઓ સાથે પિતાને આત્મતત્વ સંબંધ રહેલો છે, એને જે વધારેમાં વધારે વિકસાવી શકે તે જ પરમાત્માને મેળવી શકે છે, એટલે વિશ્વદર્શન કરવામાં આ મોટામાં મોટો લાભ રહેલો છે. વિશ્વના સમાજ-વિજ્ઞાન, ધર્મ, દર્શન અને સંસ્કૃતિ માટે તે ના. મળમાં અને જે વિશ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શિબિર પ્રવચનના અત્યાર સુધી છપાયેલા ભાગમાં સારી પેઠે ચર્ચા કરવામાં આવી છે. દા. ત. સમાજવિજ્ઞાન માટે “અનુબંધ વિચારધારા (બીજો ભાગ), સાધુસંસ્થાની ઉપયોગિતા અને અનિવાર્યતા (ત્રીજો ભાગ) અને ક્રાન્તિકારો” (સાતમો ભાગ). આ ત્રણ ભાગોમાં વિવેચન છે. ધર્મ માટે “સર્વધર્મ ઉપાસના' (ચોથે ભાગ). અને “સામુદાયિક અહિંસા–પ્રયોગો (છઠ્ઠો ભાગ) એમ બે ભાગમાં વિવેચન છે. દર્શન માટે “દર્શન વિશુદ્ધિ (આઠમો ભાગ), વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય (૧લો ભાગ) અને સ્મૃતિ વિકાસના માર્ગો (૧૦ મો. ભાગ)માં વિવેચન છે, તેમજ સંસ્કૃતિ માટે “ભારતીય સંસ્કૃતિ માં વિવેચન છે. તે ઉપરાંત વિશ્વના ભૂગોળ, ઈતિહાસ, રાજકારણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર માટે આ નવમા ભાગમાં સારભૂત વિવેચન કરવામાં આવ્યું છે; એ ભાગનું નામ “વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ” રાખવામાં આવેલ છે. વિશ્વનાં સ્થળ દર્શન કરવા માટે વિશ્વ ઇતિહાસ દ્વારા આ જગતના જુદા જુદા ભૂભાગમાં માનવ પૂર્વજોએ કરેલ ભગીરથ કાર્યો દ્વારા પ્રેરણું અને ભૂતકાળધારા વર્તમાનને ઘડવાનું જ્ઞાન મેળવવું તેમજ ઈતિહાસ દ્વારા સમાજશાસ્ત્રના વિજ્ઞાનસમ્મત સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, ભૂતકાળની ભૂલોને છોડવાની પ્રેરણા મેળવવી જરૂરી છે, તેમજ વિશ્વઈતિહાસ દ્વારા વિશ્વની તે-તે યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાઓના જ્ઞાન દ્વારા, આજે તેમાં હેપદયને વિવેક કરી સમાજને પ્રેરણા આપવાનું કામ થઈ શકે. અમુક દેશે, અમુક સમયે જે પરિસ્થિતિઓ હતી, વિભિન્ન સમુદાય વચ્ચે જે પારસ્પરિક સંબંધ હતા, જુદા જુદા વર્ગોમાં ચેતનાની જુદી જુદી જે માત્રા હતી, તથા એ બધામાં જે વિરોધી અવસ્થાઓ હતી, એ સૌની પૃષ્ઠભૂમિમાં માનવ કલ્યાણ માટે ક્રાંતિનું કયું રૂપ કે દસ્થ સંભવિત હતું, વિભિન્ન વર્ગો કે સમુદાય વચ્ચે શા માટે સંઘર્ષ થશે? એને અંત શી રીતે થયો એનું પરિણામ શું આવ્યું આ બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બાબતે ઈતિહાસ વડે જાયા-વિચાર્યા પછી જ વિશ્વને નૈતિક ધાર્મિક પ્રેરણા આપવાનું દર્શન સાધકને થઈ શકે. અને તો જ તે કઈ ક્રાંતિ, સંઘર્ષ, જાતીય ચેતના વગેરેને બરાબર પરિચય કરીને ક્રાંતિકારો, નેતાઓ અને જનનાયકોને સાચે ન્યાય આપી શકે. વિશ્વ ઇતિહાસ જાણનાર સાધક આજના યુગની પરિસ્થિતિઓ અને જરૂરિયાતની કસોટીએ હજારે વરસ પહેલાંની અવસ્થાને કરવાની મૂઢતા કરે નહી, તેમજ પ્રાચીન કાળની સમાજની અહિતકર મર્યાદાઓને આજના સમાજ ઉપર લાદે પણ નહીં. એટલા માટે પ્રવચનના આ ભાગમાં સર્વપ્રથમ વિશ્વ ઈતિહાસની ઝાંખી કરાવવામાં આવી છે. ત્યાર પછી વિશ્વ ભૂગોળની ઝાંખી આપવામાં આવે છે. કારણ કે વિશ્વદ્રષ્ટાસાધકને આજના જ્ઞાતવિશ્વની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન નહિ હોય, તે ત્યાંની રહેણીકરણી, ભાષા, આહવા, રીતિરિવાજો, આચાર-વ્યવહારથી પરિચિત નહિ હોય તો નીતિ ધર્મની પ્રેરણા આપવા માટે સક્ષ્મદર્શન પણ શી રીતે કરી શકશે ? ત્યાંની સમૃદ્ધિ, ધરતીની ફળદ્રુપ શકિત, નદી–પહાડ વગેરે કુદરતી સાધનની માહિતી નહિ હોવાથી તે ત્યાંની લોકશકિતને જાગૃત શી રીતે કરી શકશે! એટલા માટે વિશ્વ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. આ પછી વિશ્વના વિજ્ઞાનને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે, જેથી ઉચ્ચ સાધક તેને દેશની વૈજ્ઞાનિક પ્રગતિની માહિતી મેળવીને, વિજ્ઞાનને ધર્મ-નીતિના અંકુશમાં લાવવા માટેની પ્રેરણા આપી શકે. વિશ્વવિજ્ઞાનનું સ્થળ દર્શન તેને હશે તો તે સુક્ષ્મદર્શન પણ મેળવી શકશે. ત્યાર પછી વિશ્વની રાજનીતિને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવેલ છે. આજે દુનિયામાં રાજકારણની બેલ બાલા છે. રાજકારણના કાવાદાવામાં પડીને માનવજાતિ પિતાનું અહિત કરી રહી છે. જે રાજકારણની સાચી માહિતી હેય ને ધર્મ-કારણ દ્વારા તેને નાથવાને પુરુષાર્થ થઈ શકે. એટલા માટે વિશ્વના રાજકારણનું સ્થળ દર્શન જરૂરી ગણવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે વિશ્વની અર્થનીતિનો પરિચય આપીને વિશ્વની આર્થિક વ્યવસ્થા માં કેવી અને કેટલી વિષમ છે ? કયાં કઈ અર્થનીતિને અનુસરવાથી પ્રજા શાંતિથી રહી શકે ? એ રીતની પ્રેરણા વિશ્વની, અર્થનીતિની માહિતી હોય તે જ સારી પેઠે આપી શકે. અર્થ અને કામ ઉપર ધર્મ-નીતિનો અંકુશ આ માહિતી હોય તે જ લાવી શકાય. આમ વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓમાં વિશ્વના ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજનીતિ અને અર્થનીતિની ચર્ચા કરીને વિશ્વની માનવજાતિનાં જુદાં જુદાં પાસાંઓનું દર્શન કરાવવામાં આવ્યું છે. તે સાથે જ સાધક તે વિષયમાં સૂક્ષ્મદર્શન શી રીતે કરી શકે, તેની ચર્ચા પણ કરવામાં આવી છે. આ પ્રવચન પુસ્તકના બધા વિષયોમાં પ્રવચન આપવાનું મારે અને શ્રી માટલિયાને ફાળે આવ્યું હતું. જો કે અમે બનતા સુધી દરેક વિષયને ન્યાય આપવાની બહુ કાળજી રાખી છે; અને સાધક-સાધિકા તેમજ સાધુ-સાધ્વી આને પચાવીને દૃષ્ટિ મેળવી શકે તે રીતને પુરુષાર્થ કર્યો છે. છતાં ક્યાંક વિગતમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારવાની અમારી પૂરી તૈયારી છે. દષ્ટિસંપન્ન વાચક વર્ગ અમારા આ પ્રયાસને આવકારશે અને અમારા–ઉત્સાહમાં વૃદ્ધિ કરશે એવી આશા રાખું છું. શરદ્દ પૂર્ણિમા તા. ૨૧–૧૦–૬૪ કમાણ જૈન ભવન ૩–રાયસ્ટ્રીટ કલકતા-૨૦, –મુનિ નેમિચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ વિશ્વ ઈતિહાસની ભૂમિકા ૨ આર્યજાતિને ઇતિહાસ ૩ ઇતિહાસને પ્રારંભકાળ ૪ મોર્ય સામ્રાજય અને ત્યારબાદ ૧૧૦ ૫ મિને ઇતિહાસ ૬ યુપને ઇતિહાસ-પૂર્વાધ 9 હિંદ અને અરબસ્તાન ૮-૮ યુરોપને ઇતિહાસ-ઉત્તરાધ ક્ષેત્રે અને સંસ્કૃતિ ૧૦ ભૂગોળ અને જીવન ૧૧ વિજ્ઞાન અને તત્વજ્ઞાન ૧૨ વિજ્ઞાનની અન્ય શાખાઓ 13 વિશ્વમાં રાજનીતિના પ્રવાહ ૧૪ ભારતના રાજકીય પક્ષે ૧૫ અર્થનીતિના પ્રવાહ ૧૩૫ ૧૫૪ ૧૭૦ ૧૪૩ ૨૧૩. २१५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ વિશ્વનું અભેદ દર્શન પરમપિતા પરમેશ્વર એક તેના છયે બાળ અનેક હળી મળી કરીએ આનંદ આનંદ આનંદ પરમાનંદ આકાશી ઘુમ્મટનું ઘર રહીએ એક જ પૃથ્વી પર જળ, વાયુ, ફળ, ફૂલ અનાજ સરખાં સૌને જીવન કાજ હું ને તેમાં કાંઇ ન ભેદ ભેદ તજી રહીએ અભેદ સૌ જીવને સરખાં સંવેદ ભેદ તણે પૂરા કેદ -પૂજાભાઈ કવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ ઈતિહાસ ૧: વિશ્વઈતિહાસની ભૂમિકા ] [ મુનિ નેમિચંદ્રજી વિકાસ ઈચ્છનાર માણસ માટે ઈતિહાસનું જ્ઞાન જરૂરી છે. આપણે પ્રાણીમાત્ર સાથે આપણે સંબંધ સ્વીકારીએ છીએ તે આ દુનિયા કે વિશ્વને ઈતિહાસ આપણે ન જાણીએ તે તેને વગર વિકાસ સાધવાની પ્રેરણા આપણને નહીં મળી શકે. ઈતિહાસ ભવિષ્યની પ્રેરણા અને માર્ગદર્શન અને આપે છે. કોઈને થશે કે આધ્યાત્મિક જ્ઞાન માટે ઈતિહાસની શી જરૂર છે? પણ કયા રાષ્ટ્રની પ્રજ, કેટલા વર્ષ અગાઉ આધ્યાત્મિક માર્ગે ગઈ, તેણે કયાં કયાં સાધનો વાપર્યા; એ જાણવું જરૂરી છે. કેવળ ઇતિહાસ જ નહીં, વિશ્વદર્શનનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે ભૂળ છે, વિજ્ઞાન છે, રાજનીતિ છે, અર્થકારણ છે, એ બધાનું જ્ઞાન પણ આવશ્યક બને છે. જડ શું છે? ચેતન શું છે? વગેરે બાબતોને તેમજ અલગ- અલગ દેશને અને તેની પ્રજાને તેના ઉપરથી ખ્યાલ આવી શકે છે. તે ઉપરાંત ઈતિહાસનું જ્ઞાન સંસ્કૃતિની રક્ષા માટે પણ જરૂરી છે. સંસ્કૃતિમાં સાતત્ય-રક્ષાની વાત આવે છે. તેને અર્થ એ થાય છે કે જનાં સાચાં મૂલ્યો છે તેનું રક્ષણ કરવું. જો તેમ ન થાય તે વિકાસ અટકી જશે. પ્રવૃત્તિ કરતાં કરતાં પણ પ્રેમનું ભાન રાખવું જોઈએ. બેય ન હોય તે ખોટાં મૂલ્ય સ્થપાઈ જાય. એટલે બેય માટે પણ ઇતિહાસ જાણવું જરૂરી છે. જૈન શાસ્ત્રોમાં ચાર અનુણ બતાવવામાં આવ્યા છે. તેમાં ધામ પાનામાં પણ એક છે. આ ચારે પગેને ધર્મ સાથે સંબંધ છે અને ધર્મ જીવન વિકાસ માટે ઉપયોગી તત્વ છે. ધર્મકથા માત્ર સાભળવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ નથી; પણ તેમાંથી જીવનના અનુભવો મેળવવા માટે અને સાચું જીવન જીવવાની પ્રેરણા લેવા માટે છે. ગીતામાં પણ ધર્મ સાથે ઈતિહાસ છે. હવે ઈતિહાસ એટલે શું તે જોઈએ ! સંસ્કૃત ભાષા પ્રમાણે ઇતિહાસની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે:–ઈતિ + ઇહ + આસ એટલે કે આ પ્રમાણે અહીંઆ થયું તેની વિગત. માનવસમાજની પ્રગતિ અવગતિના જે આંકડા બતાવે તે ઇતિહાસ. જગતની બધી વસ્તુ પરિવર્તનશીલ છે. પરિવર્તન એ કુદરતને ક્રમ છે. માણસ ઈચ્છે કે ન ઇચછે પણ પરિવર્તન ચાલ્યા જ કરવાનું એનું આલેખન તે ઇતિહાસ છે. તેમાં માણસ અગાઉ શું હતો; તેનું વર્ણન અને વિવરણ મળે છે. આજે જે ઈતિહાસ મળે છે તે કેવળ ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષ પૂર્વેને જ મળે છે. તે અગાઉ ભારતનો ઇતિહાસ કેમ મળતું નથી; એ પ્રશ્ન સામાન્યતઃ પૂછાય છે. એને ઉત્તર એ જ છે કે ભારતના લોકો સંવત, તારીખ, વાર લખવામાં માનતા ન હતા. પણ સાતત્યરક્ષા થાય એ જ મુખ્યત્વે જોતા હતા. રામાયણમાં એતિહાસિક બાબતો આવે છે; મહાભારતમાં પણ આવે છે. પણ તે ઈતિહાસ–રૂપે નહીં, પણ સંસ્કૃતિ-રૂપે જોવા મળે છે. આથી જ પંડિત જવાહરલાલ કહે છે –સંસ્કૃતિનું ઇતિવૃત્ત” એ જ છે ભારતને ઇતિહાસ. જૂના વખતથી ભારતના લોકો એમ માનતા આવ્યા છે કે સમાજ સાથે મળીને જ વ્યક્તિ ઈતિહાસ સર્જી શકે છે. એટલે સમાજને, રાજ્યને અને પવિત્ર વ્યક્તિઓને સહગ લઈને તેઓ ચાલતા હતા. તેઓ માનતા હતા કે વિગતવાળો ઇતિહાસ લખાશે તો તેમાં વ્યક્તિઓ મુખ્ય બની જશે. એટલે ત્યાં ઈતિહાસને બદલે સંસ્કૃતિને ગ્રંથ લખાયે. રામે જે કામ ઉપાડ્યું હતું તેમાં સીતા, લક્ષ્મણ, હનુમાન સુગ્રીવ વગેરેને સહકાર ન હેત તે તે જેટલું સુંદર બન્યું તેના બદલે કેવળ મારામારી કે કાપાકાપીનું વર્ણન બની જાત. તેના બદલે ત્યાં લડાઈનું વર્ણન આવ્યું ત્યાં પણ મુખ્ય લક્ષ્ય ન્યાય અને સંસ્કૃતિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ રહ્યું છે. એટલે અહીં ઇતિહાસ કરતાં સંસ્કૃતિ મુખ્ય રહી. પરિણામે વિદેશી મુસાફરે, હ્યુએનસાંગ, ફાહીયાન વગેરે ભારતમાં આવ્યા અને અહીંની સંસ્કૃતિનું દર્શન કરીને ગયા છે. મોહન-જો-ડેર અને હમણું અમદાવાદ જિલ્લામાં લેથલને ટેકરામાં જે અવશેષો સપિયાં છે તે ઉપરથી જોઈ શકાય છે કે અહીંની સંસ્કૃતિ કેવી હતી ? એ ઉપરથી નકકી થાય છે કે ભારતના ઈતિહાસકારોએ સંસ્કૃતિને ઈતિહાસ લખ્યો છે. લોકો શું માનતા હતા ? આર્ય–અનાર્ય કેવી રીતે મળ્યા ? બન્નેને સંગમ કેવી રીતે થયો? તે બધું ત્યાં મળે છે. પણ તેઓ કેવી રીતે લડયા ? વગેરે ત્યાં ગૌણ–વસ્તુ રૂપે છે. ઈતિહાસ દ્વારા તે તે યુગની અને તે તે રાષ્ટ્રની રાજય વ્યવસ્થા, લોક વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાને સાચે ખ્યાલ આવી શકે છે, અને એ રીતે ભારતને ઇતિહાસ જે રામયાણ-મહાભારતમાં મળે છે, તેને ખરે ઈતિહાસ માની શકાય. આવા સંસ્કૃતિના ઈતિહાસ અંગે ઘણાંને ઘણાં તર્કો થશે! કોઈ એમ પણ પૂછશે કે ઇતિહાસમાં રામના જુના અવતારો – જન્મ કે ભવનું શું કામ? કે ભગવાન મહાવીરના પૂર્વભવો જણાવવાની શી જરૂર છે ? તે એટલા માટે જરૂરી છે કે માનવ ભવ-ભવે કઈ રીતે પ્રગતિ કર છેવટે રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીર બની શકે? તે જાણીને, આપણે પણ કેવી રીતે પ્રગતિ કરી શકીએ તેને રસ્તે મળી જાય છે ! આપણે ત્યાં ઘણી થાઓ લખાયેલી છે, તેમાં પ્રાશિમાત્ર સાથે આપણે સંબંધ બતાવ્યો છે. મહાવીર રાજાના ભાવમાં રહ્યા, દેવના ભવમાં રહ્યા, સિહના ભાવમાં રહ્યા, નરકમાં પણ ગયા.એમ જુદી જુદી નિઓમાંથી પસાર થઈ વિકાસ કરતા આગળ વધ્યા. રામને વનમાં અનેક પશુ-પ્રાણુઓ તેમજ આરણ્યક વાનર જાતિના, ભીલ જાતિના માનોને અનુબંધ થશે. ભગવાન કૃષ્ણને પણ ગોપાલકોને એજ અનુબંધ થયે. આપણે પાણીને દેવ માનીએ છીએ. પવનને ૫ણ દેવ માનીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ છીએ. અગ્નિને પણ દેવ માનીએ છીએ. અનેક પશુ–પ્રાણીઓને પણ દેવ માની પૂજીએ છીએ. ટુંકમાં આપણે સંબંધ ચેતન સાથે રહ્યો છે. આ સંબંધમાંથી પરસ્પર કેવી રીતે વિકાસ સધાય, એ બતાવે એજ ખરે ઈતિહાસ છે. ઘણા લોકો કહે છે કે બધી પ્રજા એક નથી. ઘણી જાતની ભિન્નતા છે; પરંતુ જરા ઝીણવટથી જોઈશું તે લાગશે કે ધારીએ છીએ તેટલી ભિન્નતા નથી. હવે તે પરદેશના સંબંધે પણ ખૂબ જ વધી ગયા છે. વિષમતા ઓછી થઇ રહી છે અને સામ્યતા વધતી જાય છે. વાતાવરણની દષ્ટિએ કદાચ શરદી-ગરમીમાં ફેરફાર હશે; પણ, માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ બધા એકજ છીએ. આ બધું ઈતિહાસથી જાણવા મળે છે. દુનિયામાં જુદી જુદી જાતિના લોકો છે તેઓ રંગે અને સ્વભાવે કદાચ થોડાક અલગ હશે પણ પશુ-પ્રાણીઓમાં બહુ ભિન્નતા નથી. ચાર્લ્સ ડાર્વિને કહ્યું છે:-“માનવના પૂર્વજે વાનર હતા તેમાંથી તેણે પિતાને વિકાસ સાથે છે, તે આગળ વધે છે!” આપણે ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની નથી પણ પ્રાણી માત્ર સાથે એક વાકયતા કેવી રીતે કેળવીએ તે જોવાનું છે. આદિકાળને ઇતિહાસ જોઈએ તે તે વખતે માણસો ખૂબ પરિશ્રમ વેઠતા; તેમને જીવ-જંતુઓને ત્રાસ ઘણે હતો. એટલે પોતાના જીવનને ટકાવવા માટે તેમને પ્રાણીઓ સાથે યુદ્ધ કરવું પડતું હશે; પણ પછી તે તેમણે પ્રાણુઓને ઉપયોગી બનાવી દીધાં. માનવે સભ્યતા કેળવી. સભ્યતા એટલે માનવસમાજના સભ્યની રીતે જીવવું. એક જ પ્રકારને આચાર, વિચાર કે ખાનપાનને વહેવાર તે સભ્યતા કહેવાઈ. સાથે જ તેને અર્થ એ પણ થયો કે તેને અન્ય પ્રાણુ સાથે વહેવાર પણ સારે રહેવું જોઈએ. તે પ્રમાણે તેણે ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડા, હાથી બધાને ઉપયોગ કર્યો. આ સામાન્ય બાબતોમાંથી જેવું મંથન થતું ગયું અને જીવનવિકાસ માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ જે વિચારસરણી આવી તે સંસ્કૃતિ કહેવાઈ. સંસ્કૃતિને તે એક અલગ વિષય રૂપે ચર્ચાએ જ છીએ! આપણને પૂર્વજોએ જે મૂડી આપી છે તે આ સંસ્કૃતિની છે. હવે એ મૂડીમાં જે કંઈ વિકૃતિ આવી છે તેને દૂર કરવાની છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે જેવાનું છે. માણસ બીજી જાતિઓને તાબે રાખીને જીવ્યા. તેમાંથી વિગ્રહ ઉત્પન્ન થયા એનો પણ ઈતિહાસ છે અને આપણે ત્યાં રામાયણમાં છે કે રામ લંકાવિજય કે કિષિકધાવિજય પછી ત્યાંનું રાજય ત્યાંના જ માણસને સોંપે છે તે પણ છે. આમાંથી માણસના સહઅસ્તિત્વને સિદ્ધાંત મળે છે. જેને દરેક ધર્મ જુદી જુદી રીતે રજૂ કર્યો છે. મૂળ ધર્મ પ્રવર્તક એશિયામાં થયા તે અલગ અલગ ફેલાયા, એવી જ રીતે પ્રજાઓ પણ એશિયામાંથી દુનિયાના અલગ-અલગ ભાગોમાં ગઈ. સમુદ્રનાં માં ફરી વળે છે તેમ દુનિયાના જુદા જુદા ભાગોમાં તે ફરી વળી છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે ધર્મો તે હિંદમાં પેદા થયા છે; ઈસાઈ, પારસી અને ઈસ્લામ એ ધર્મો પણ એશિયામાં પેદા થયા છે; અને તે ચીન-પાન, યુરોપ સુધી ફેલાયા છે. ચીનમાં કયુશીયમ પેદા થયા. આમ એશિયા સંસ્કૃતિનું મુખ્ય ઉદ્દગમ સ્થાન બની ગયું છે. યુરોપના લોકો કહે છે કે અમે બધાને સભ્યતા-સંસ્કૃતિ શીખવાડ્યાં છે, પણ હડપ્પા વગેરેને જોતાં સરકૃતિનું ઉદગમ સ્થાન ભારત હતું તે માનવું પડે છે. મિશ્ર અને ગ્રીસની સંસ્કૃતિના અવશેષો મળતા નથી તેમ જ એ સંસ્કૃતિ આ જ સુધી ટકી શકી નથી. એ જ બતાવે છે કે જેમાં ટકી રહેવાની શક્તિ ન ડેય તે સંસ્કૃતિ ન બની શકે પ્રોક સંસ્કૃતિનું જે વર્ણન મળે છે તે પ્રમાણે ત્યાં નાનાં-નાનાં રાજ હતાં અને તેમાં અમીર-ઉમરાવો કે જમીનદારોનું વર્ચસ્વ રહેતું. સામાન્ય પ્રજાને કરિયાદ કરવી ઢોય તે તે કોઈ અમીરને રખીને જ કરી શકતી સ્ત્રી એ પણ ગુલામ કરવાની અને વેચવામાં આવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ એટલું જ નહીં તેની પાસે પશુની જેમ કર રીતે કામ પણ લેવાતું. ગુલામ સાથે ખૂબ જ ક્રૂરતા વર્તવામાં આવતી તેમને સાંકળેથી બાંધવામાં આવતા, ક્યાંક કોઈ નાસી છૂટે તો તેને દૂર રીતે મારી નાંખવાની બધી રીતે વાપરવાની માલિકને છૂટ હતી. તેઓ સુંદરતાની પૂજા કરતા, ભાષા અને વેશ-પહેરવેશમાં નવીનતા અપનાવતા પણ, ગરીબ લેકેને જરા જેટલું પણ અવાજ ન હતું. તેમને જ્ઞાનને અધિકાર ન હતો કે મુક્તિને પણ ન હતો. માણસ અને પશુઓની સાઠમારી રાખવામાં આવતી. ટુંકમાં ધર્મની કોઈ વ્યવસ્થા ન હતી. એટલે તેમને દોરનાર કોઈ ન હતું. પરિણામે ત્યાંની સંસ્કૃતિને સદંતર અને એકદમ નાશ થયો. તેમનું ઝડપી પતન થયું કારણ કે રાજા અને પ્રજાને ધર્મ સાથે અનુબંધ ન હતો. ભારતની સંસ્કૃતિ ટકી રહી છે તેનું કારણ કે તેના દરેક પાસાંમાં, જીવન સાથે ધર્મને તાણ-વાણું જેમ વણી લેવામાં આવે છે. એટલે વિશ્વ ઈતિહાસની ભૂમિકામાં મહત્ત્વની વસ્તુ એ જવાની છે કે તે ઈતિહાસ સાંસ્કૃતિને આગળ વધારવામાં કેટલો આધારભૂત રહ્યો છે. ચર્ચા વિચારણ શ્રી. પુજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ઈતિહાસમાં આય—અનાર્ય શબ્દો, દયાનંદ સરસ્વતીના શબ્દ પ્રમાણે ગુણોધક છે. જેમાં અત્યાર્થી પડ્યું હોય તે આર્ય અને તે ન હોય તો તે અનાર્યા ઘણા લોકો કહે છે કે અમે હિમાલયથી આવ્યા એટલે જ આર્ય એ બેટું છે.” પૂ. નેમિમુનિ : “જૈન આગમ પન્નવણામાં આઠ પ્રકારના આર્યો બતાવવામાં આવ્યા છે. તેમાં અમુક જાતિ, કર્મ, કુળ વગેરે પરથી આર્ય થાય છે એમ બતાવ્યું છે. પણ, તેમાંયે સમ્યકજ્ઞાન, દર્શન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર્યને જે વધુ ખિલવે તેને વિશિષ્ટ આર્ય કહ્યો છે. સંસ્કૃત નાટકોમાં સીતાજી શ્રી રામચંદ્રને આર્ય પુત્ર કહે છે !” ૫. ગોપાલ સ્વામી : “સાધ્વીને આ કહી છે તે ગુણ ઉપરથી જ ને?” આર્ય જાતિ ભલે ગણતી હેય પણ એ નામ ખરેખર તો ગુણ-સૂચક જ છે. અને એ રીતે ભારતને ઇતિહાસ ગુણ-નિર્ભર છે.” શ્રી પુંજાભાઈ આર્ય-અનાર્ય વચ્ચેના સંઘર્ષો થયાં તે ભૂમિ માટે હતાં અને અંતે તેને યોગ્ય ન ગણવામાં આવ્યા.” ૫. ગોપાલ સ્વામી : શ્રી મણિલાલ નભુભાઈના સિદ્ધાંતસારમાં મેં એવાં યજ્ઞોનાં નામો વાંચ્યા છે તેમાં તત્ત્વ અને વિધા જ મુખ્ય છે; તે અવભનાથ ભગવાનના પુત્રોએ વ્યાં છે. પણ પછી ચંદ્રપ્રભુ તીર્થ કરના જમાનામાં મેં અશ્વમેધ, ગોમેધ અને નરમેધ અંગે વાંચ્યું. તેથી મને લાગે છે કે તેની અસર બ્રાહ્મણે ચીન તિબેટ તરફ ગયા તેની થઈ લાગે છે.” આ અંગે ચર્ચા ચાલતાં નક્કી થયું કે આપણા ઇતિહાસની દૃષ્ટિ ગુણગ્રાહી છે. તેથી અગાઉ શું હતું તેના કરતાં આજે શું છે તેને વિચાર કરવો જોઈએ. પછી મૂર્તિપૂજાની ચર્ચા ચાલી. પૂ. ગોપાલ સ્વામી : “ધર્માનંદ કોસાંબીએ લખ્યું છે પાશુપત ધર્મના આચાર્ય થયા પછી આ જાતનું લિંગ શંકરનું થયું.” પૂ. નેમિમુનિ : “મોહન––ડેરોમાં એવા અવશેષો નથી મળતા જેથી મૂર્તિ-પૂજાનું પ્રચલન જણાઈ આવે" આ અંગે ચર્ચા થતાં નક્કી થયું કે અજમેર-મેરવાડા પ્રાંતમાં ભગવાન મહાવીર પછીની ચેર્યાસીમા વર્ષની મૂર્તિને આકાર જૈનેને મળે છે. એટલે સંભવ છે કે બૌદ્ધ સ્તૂપોમાંથી જે એ એ સંસ્કાર લીધા છે. તેમાંથી વૈદકોએ અને પાછા વૈદિકોમાંથી જેને લીધે હેય તે બનવા જોગ છે. આજે મૂર્તિપૂજાન જે સ્થિતિ છે તેમાં ઘણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજક આચાર્યો પણ સંશોધન ઇચ્છે છે. એક જ જૈનની મુંહપત્તી અને બીજાં દરેક અંગો વિષે કહી શકાય. ખરેખર તે માનવે પિતાના વર્તુળમાં રહીને દેશ-કાળને અનુરૂપ એગ્ય સંશોધન કરતાં રહેવું જોઈએ. એક વર્તુળવાળા બીજાને નીચા કે બેટા કહે તે શોભે નહીં; તેમાં પણ વિરોધભાવ તો તદ્દન વ્યાજબી ન ગણાય. તે પછી રૂપકો અંગે ચર્ચા ચાલી. શ્રી પૂંજાભાઈ: “ભારતના ધર્મ-પુરાણમાં ઘણું રૂપકો આવે છે તેના યોગ્ય અર્થે વિદ્વાનોએ તારવવા જોઈએ. દા. ત. અહલ્યા એટલે અતિ અંધકાર, તેના ઉપર સૂર્યદેવે કે ઈદ્રદેવે પ્રકાશ ફેંકો.” શ્રી ચંચળબહેનઃ “એના કરતાં તે આ અર્થ વધારે બંધબેસતે લાગે છે કે અહલ્યા ગૌતમમુનિનો સ્વાંગ જોઈ ઠગાઈ ગઈ તેથી તેને આઘાત લાગેલે, એટલે તે સુનમુન જડ બની ગઈ ભગવાન રામે તેને ચેતના આપી.” પૂ. ગોપાલ સ્વામી : “અહલ્યા એટલે સૂકી ભૂમિ તે અર્થ ઘટાવ્યો છે એવું મારા ખ્યાલમાં છે !” ત્યારબાદ સૃષ્ટિને આરંભ તેમજ કર્તા ઈશ્વર છે કે નહીં ? તે અંગે ચર્ચા ચાલી. શ્રી, પૂજાભાઈ : શ્રી નરસિંહભાઈએ “ઈશ્વરને ઇન્કાર' નામના પુસ્તકમાં કહ્યું છે કે ઈશ્વરે સૃષ્ટિને પેદા કરી નથી; તે તે ક્રમથી પેદા થઈ છે. એ માનવામાં શી હરક્ત છે?” શ્રી દેવજીભાઈ : “જૈન–સૂત્રો તે સુષ્ટિને અનાદિ– અનંત માને જ છે. ગીતામાં પણ કહ્યું છે કે સ્વભાવ પ્રમાણે પૃથ્વી ચાલે છે. ડાર્વિનના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થતી જ રહે છે.” આ અંગે ચર્ચા ચાલી કે ઉત્ક્રાંતિ પણ થઈ શકે અને અપક્રાંતિ પણ થઈ શકે. માણસમાંથી તિર્યંચે થવાય અને તિર્યંચમાંથી માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ થવાય. સ્ત્રી પુરૂષ બની શકે અને પુરૂષ સ્ત્રી પણ બની શકે. માનવજીવન એટલી બધી વિવિધતાથી ભરેલું છે. અને જે વિકાસ તેને થયો છે તે અનંત યુગેથી થતો રહ્યો છે. જે સુષ્ટિ કોઈએ પેદા કરી છે એમ કહીએ તે તેમાં અનવસ્થા દેપ લાગે છે; કારણ કે પેદા કરનારને પણ પેદા કરનાર કોઇ હશે એ પ્રશ્ન ઊભો થશે! જે એમ કહીએ કે પેદા કરનારને કઈ પેદા કરનાર ન હતું તે તે યુક્તિસંગત નહી લાગે તેના કરતાં તે સૃષ્ટિ અનાદિ અનંત છે, તેમ માનવું વધુ યુકિતગત છે. ઈશ્વરને આદર્શ માનીને અને પોતે કરેલાં સારાં માઠાં કર્મોનાં ફળ પિતાને જ ભોગવવાં પડે છે એમ માનવામાં આવે તો વાંધો નથી. એવી જ રીતે મોહનજેરામાં ૩ ફૂટના માણસનું કલેવર મળે તે મનાથના કદને થોડાંક રૂપક સાથે ૫૦૦ ધનુષ્યનું માનવામાં વધે ન આવે. તે છતાં તટસ્થ વિચારકે એ ન ભૂલવું જોઈએ કે શાસ્ત્રોમાં રૂપકે છે તેમાંથી વિવેક કરીને અર્થ તારવો રહ્યો. ચદ્રમાં જેવી રોટલી એટલે ધોળી સફેદ મટી રોટલી, એમ માનવું રહ્યું. એવી જ રીતે માનવદેટ બ્રહ્માંડમાં શ્રેષ્ઠ છે અને બ્રહ્માંડ તેમાં સમાય છે તેના અર્થ બ્રહ્માંડનું જ્ઞાન તેમાં સમાય છે એ જ અર્થ ઘટાવવું પડે. એ દષ્ટિએ મહાપુરુષ પિતાના સમયને અનુલક્ષીને કહી ગયા છે અને સમય જોઈને સંશોધન કે સુધારો થવે જોઈએ. જેનસૂત્રમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે સુધારાની જે વાત છે, તે અહીં ઘટાવવી જોઈએ. પૂ. નેમિમુનિએ “અભિધાન રાજેદ્ર કેલ”માંથી વ્યવહાર સૂત્રનું પ્રમાણ અને તેનું ભાળે ટાંકીને કહ્યું : “સાધુ પિતા અથે નહીં, પણ બીજા અર્થે ધ્યાને દીક્ષા આપવાના કે ભણાવવાને, અથવા સાવીને બીજા અર્થે સાધુ બનાવવાને, ભણાવવાને, તેમની સાથે રહેવાને, વંદન વગેરે વહેવાર કરવાને કે ભજન વગેરેને વહેવાર કરવાનું વગેરે કલ્પ છે.” આમાં બીજાને અર્થ સમાજ અર્થે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અથવા સંઘના હિતને અર્થે લેવું જોઈએ. પરંતુ આ વસ્તુ રૂઢપ્રણાલિકાથી જુદી પડે છે. પણ શાસ્ત્રકારોએ સમાજ વિજ્ઞાનને બધી દષ્ટિએ ઊંડે વિચાર કરીને વ્યવહારસૂત્રમાં સમાજના યોગ્ય ઘડતર માટે લખ્યું છે. સાધુ-સાધ્વીઓ એક સાથે પિતાની મર્યાદા પ્રમાણે (ભલે જુદા-જુદા કક્ષામાં) રહી શકે છે, અને તે પણ અમુક હેતુથી, એ વાત આ સૂત્રમાં કહેવાઈ છે; એટલે જે લેકો એમ કહે છે કે સાધુસાધ્વીઓ એક ઠેકાણે રહી જ ન શકે તે વસ્તુ એકાંત છે, શાસ્ત્રવિરુદ્ધ છે. આમ શાસ્ત્રી કે પુરાણની દરેક વાતને યોગ્ય રીતે અર્થ ઘટાવીને ગોઠવવી જોઈએ. [ ૨૦-૭-૬૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા ૨: આર્ય જાતિને ઈતિહાસ] [ મુનિ શ્રી નેમિચંદ્રજી ગ્રીસ સંસ્કૃતિને ઇતિહાસ આપણે આ અગાઉ જોઈ ગયા છીએ. ઇતિહાસને લંબાણથી ચર્ચવા માટે આપણે બેઠા નથી પણ તેમાંથી સત્ય તારવવાનું છે. ઈતિહાસમાં એ ખાસ જોવાનું છે કે તે વખતે રાજ્ય વ્યવસ્થા, લેકવ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા મુખ્યત્વે કેવી હતી અને ત્રણેને અનુબંધ હતો કે નહીં ? સંસ્કૃતિની દષ્ટિએ ઈતિહાસને લેતાં ભારતમાં આવેલા આર્યલે કોને ઇતિહાસ સર્વ-પ્રથમ લઈશું. તેઓ અહીંના મૂળ નિવાસી ન હતા. તેઓ હિંદના વાયવ્ય ખૂણામાંથી મધ્ય એશિયામાંથી અહીં આવેલા એમ પુરાતત્ત્વવેત્તાઓ માને છે. મહે-જો-ડેરોના અવશેષો એના સાક્ષી છે કે ભારતમાં તે વખતે એક બીજી મહાન સંસ્કૃતિ દ્રવિડ સંસ્કૃતિ ચાલુ હતી. એ અશષ ઉપરથી તેમની રહેણી-કરણી, મકાનની બાંધણી, નગર-રચના વગેરેને ખ્યાલ આવી શકે છે. આર્યોની મૂળ સંસ્કૃતિ શું હતી અને આ દેશમાં તેઓ કયારે આવ્યા હતા તે અંગે ચક્કસ માહિતિ મળતી નથી. પણ, વેદ, ઉપનિષદ રામાયણ-મહાભારત જેવા ગ્રંથોથી આર્યોના આચાર-વિચાર-વહેવાર વગેરે જીવન પ્રણાલિકા તેમજ રીતિ રિવાજેનો ખ્યાલ બાંધી શકાય છે. તે મને આજના વિગતવાર ઈતિહાસની જેમ ઇતિહાસ ન માની શકાય; કારણકે આ ગ્રંથની રચના તવારીખ પ્રમાણે નથી થઈ પણ તેમાં મુખ્યત્વે સંસ્કૃતિ રક્ષાની દૃષ્ટિએ જ લખાયું છે. આર્ય લોકો હિંદમાં આવ્યા અને તેમણે અહીંની દ્રવિડ સંસ્કૃતિ સાથે સમન્વય કર્યો. આજે અફધાનિસ્તાન છે ત્યાંના રસ્તે “ખેબર અને બલને 'ની ખીણોમાંથી થઈને આથી ભારતમાં આવ્યા હોય એમ વધુ યુતિ સંગત લાગે છે. અફઘાનિસ્તાન અગાઉ ગાંધાર-કંદહાર કહેવાતા. કૌરવોની માતા ત્યાંની હેઈને ગાંધારી કહેવાતી. ત્યાંથી સિંધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અને ગંગા નદીના મેદાનમાં તેઓ આગળ વધતા ગયા અને નવાં નવાં નગર વસાવતા આગળ વધતા ગયા એમ લાગે છે.” આય લોકો સ્થાપત્ય-કળામાં વિશેષજ્ઞ હોવા જોઈએ. તે વખતના જે આર્યો આવ્યા હતા તેઓ ઈરાન કે મેસેપિટેમિયાથી આવ્યા હોય એવો પણ એક અંદાજ છે. તેમની મૂળ ભાષા વેદની સંસ્કૃત ભાષા હતી. આજે જે સંસ્કૃત પ્રચલિત છે તેનાથી વેદની સંસ્કૃત ભાષા જુદી જ હતી. ધીમે ધીમે તે ભાષાનું સુસંસ્કૃત રૂ૫ થયું અને તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું. એ જ સંસ્કૃત ભાષા, આજના ભારતની હિંદી, બંગાળી, ગુજરાતી, મરાઠી, આસામી, ઉડ્યિા, પંજાબી વગેરે ભાષાઓની માતૃભાષા છે. આ ઉપરાંત બેલચાલની પણ ભાષા હતી કારણકે સંસ્કૃત રાજભાષા બની ચૂકી હતી. એટલે તે વખતે લેાકભાષા રૂપે પ્રાકૃત, પાલી કે અર્ધમાગધીને પણ પ્રચાર હતા અને એક સમય એ પણ આવ્યો કે જ્યારે સંસ્કૃત કેવળ બ્રાહ્મણોની ભાષા બની ગઈ તો બુદ્ધ અને મહાવીર જેવા સમર્થ ધર્મમય સમાજ-સંસ્થાપકોને પિતાને ઉપદેશ પાલી કે અર્ધમાગધીમાં આપવો પડે અને બૌદ્ધ પિટક તેમ જ જૈન આગમ આજે એ ભાષામાં જોવા મળે છે. આજે હિંદમાં દક્ષિણની ચાર ભાષા તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ મળીને એમ કુલ્લે ચૌદ ભાષાઓને ધેરણસર સ્વીકાર થયું છે. દ્રવિડ સંસ્કૃતિ ઉત્તરમાં હતી, પણ આજે ઉત્તરમાં તેને લગભગ લેપ થયો છે અને તે દક્ષિણ પૂરતી રહી છે. ઉત્તરમાંથી દ્રવિડ સંસ્કૃતિ દક્ષિણમાં ક્યારે ગઈ કે દક્ષિણમાં અગાઉ એ સંસ્કૃતિ હતી? હતી તો કેવા રૂપે હતી ? તે અંગે કોઈ વર્ણન મળતું નથી. એટલું ચોક્કસ છે કે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે વિધ્યાચળના પહાડો અને ભયંકર જંગલે તેમજ પહોળી નદીઓ હતી. | સર્વપ્રથમ ઉત્તરમાંથી દક્ષિણમાં જનાર આર્ય તરીકે અગત્ય ઋષિ હતા. તેઓ ધર્મ અને સંસ્કૃતિને સંદેશ લઈને ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અગત્ય ઋષિ માટે એવું રૂપક મળે છે કે “તેઓ સમુદ્રને પી ગયા હતા” એનો અર્થ એમ ઘટાવી શકાય કે તેમણે સર્વ પ્રથમ વહાણોમાં સાગર પાર કર્યો હતો અને સુંદર પૂર્વના પ્રદેશો પણ જોયા હતા. આ અગમ્ય ઋષિએ કોઈ વિજય નહોતે કર્યો કારણ કે આ દક્ષિણમાં વિજય માટે નડતા ગયા પણ વેપાર, શોધખોળ કે આર્ય સંસ્કૃતિના પ્રચાર માટે ગયા હતા. જૈનશાસ્ત્રોમાં. ઉત્તરાધ્યયન સૂત્રમાં ચંપાનગરીના નિવાસી પાલિત શ્રાવકની વાત આવે છે કે તે ચંપાનગરીથી પિડ નગરમાં વેપાર માટે ગયે હતો. તેણે વેપાર સાથે આર્ય સંસ્કૃતિને પ્રચાર કર્યો હતો. તેથી આકર્ષાઈને ત્યાંના એક વેપારીએ તેની સાથે પિતાની કન્યા પરણાવી હતી. આ ઉપરથી આર્યોમાં સંસ્કૃતિ-પ્રચારની ભાવના કેટલી તીવ્ર હતી તેને ખ્યાલ આવી જાય છે. આર્યોએ ધીમે-ધીમે પિતાની ગ્રામ વ્યવસ્થા ખિલવી, દ્રવિડ લોકેની જની પ્રામવ્યવસ્થા સાથે તેમણે સમન્વય કર્યો ગામો લગભગ સ્વતંત્ર હતાં અને લોકો વડે મને નીત પંચાયત પંચ કે પટેલ તેને વહીવટ ચલાવતા. ઘણીવાર ઘણું ગામ કે નગરો (કસબા) ઉપર એક રાજા કે જમીનદાર શાસન કરતે. તે કાં તે પ્રજા વડે ચૂંટાને અથવા વંશ. પરંપરાગત ચાલ્યા આવતા. તેમની દેખરેખમાં નગરનું વહીવટી કામકાજ ચાલતું. રાજ તે વખતે મુખ પુરુષ તે હને પણ પોતાની મરજીમાં આવે તેમ કરી ને ન હતું. તેને આના બનાવેલ કાયદા અને નીતિ-રીતિ પ્રમાણે ચાલવું પડતું. મનુભગવાને જે સ્મૃતિ રચી છે તેમાં ચારેય વર્ણો અને રાજા માટે અલગ અલગ નિયમો અને કાયદાઓ બતાવ્યા છે; દડવ્યવસ્થા પણ બતાવી છે. રાજા નિયમ-વિરહ કાર્ય કરતા તે તેને પણ પ્રજા દંડ આપી શકતી હતી કે પદભ્રષ્ટ કરી શકતી હતી. આમ આ પ્રજામાં એક પ્રકારનું લોચાલન હતું એટલે કે આર્યોને રાજ્ય ઉપર અમુક અંશે કાબુ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પણ, આર્યોનું લોકશાસન તેમના સુધી જ મર્યાદિત હતું. એમના ગુલામ કે એમણે હલકી જાતિમાં ગણેલા લોકો માટે સ્વતંત્રતા ન હતી. તેમને કોઈ અવાજ ન હતા. તેમને શાસ્ત્રજ્ઞાન કે મુક્તિને અધિકાર ન હતે. શાસક મોટા ભાગે ક્ષત્રિય જ રહેતો. તે વખતે આજની જેમ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિઓ ન હતી. કેવળ ચાર વિભાગો ધંધાની દષ્ટિએ પ્રજાના કરવામાં આવતા. બ્રાહ્મણો એટલે ભણેલાગણેલા વિદ્વાને, પુરોહિત અને શિક્ષકે, ક્ષત્રિય એટલે શાસન કરનાર કે ન્યાયની રક્ષા કરનાર; વૈશ્ય એટલે વ્યાપાર કરનાર અને શુદ્ર એટલે સમાજમાં મહેનત મજૂરીનું કામ કરનાર. આમ આ ચારેય વર્ણ સમાજની ઉન્નતિ માટે રચાયેલા હતા. આર્ય લોકો અભિમાની તો હતા જ એટલે ઇતર જાતિઓને તુચ્છ જોવાની કે ગુલામ અથવા પરાજિત લોકોને દબાયેલા રાખવાની બાબત બની હોવાનું સંભવ છે. આર્યોમાં ઠેઠ ભગવાન મહાવીર અને બુદ્ધના કાળ સુધી દાસદાસીના ખરીદ-વેચાણની પ્રથા હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે પશુ અને દાસ વેચાતા મળતા. સતી ચંદનબાળા જે રાજકુમારી હતી તે પણ ઊભી બજારે દાસી તરીકે વેચાઈ હતી તેને ઉલેખ મળે છે. પણ તે લોકો સાથે કરતાને વહેવાર કરવામાં આવતું ન હતું અને તેમને કુટુંબના એક સભ્ય તરીકે ગણવામાં આવતા તે ચક્કસ છે. તે છતાં આર્યલોકેની સમાજ વ્યવસ્થાની એક મેટી ખામી એ હતી કે તેમણે શ્રમ કરનાર વર્ગને દબાવી રાખ્યો અને લોકશાસનમાં તેમને કશો હિસ્સ આપો નહીં. ધીમે-ધીમે વર્ણવ્યવસ્થા વિખેરાતી ચાલી. બ્રાહ્મણે લેભી થઈ ગયા. ક્ષત્રિયો જાતે જ અત્યાચારી અને અન્યાયી થઇ ગયા. વૈશ્ય સ્વાર્થમાં ઊતરી પડ્યા અને શૂદ્રોને બધી રીતે ઉતારી પાડવામાં આવ્યા. પરિણામે વર્ણવ્યવસ્થા પડી ભાંગી. આર્યોનું ખમીર ઊતરી ગયું. વર્ણ વ્યવસ્થા જડ બનતી ગઈ અનેક વર્ષે અને તેની અનેક પેટા જાતિઓ થઈ ગઈ. એક અમેરિકન યાત્રીએ લખ્યું છે કે “ભારતમાં ૪ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જાતિ અને ઉપજાતિઓ છે!” આમ પ્રજાનું વિભાજન થતાં થતાં દેશ નબળે થયો. જે આર્યોમાં કોઇને ગુલામ આયે ન થતે તે જ આર્યોને ફાટફૂટના કારણે ગુલામ થવું પડ્યું. આર્ય લોકોની નગરરચના પણ ભૂમિતિના આધારે થતી હતી એમ લાગે છે. આજે પણ પૂજાની વેદી બનાવતી વખતે ભૂમિતિની જુદી જુદી આકૃતિઓને ઉપયોગ કરવામાં આવે છે. તે વખતે આર્યો નગરને ફરતો રોમેર કોટ બનાવતા; કિલો બાંધતા તેમજ યોગ્ય સ્થાને નાના-મોટા દરવાજા રાખતા અને બહારના હુમલાના બચાવથી રક્ષણ થાય એ રીતે આયોજન કરતા. ગામની વચમાં ગામની પંચ – વાડી રહેતી જ્યાં બધા ભેગા થતા કે એટલો રહે જ્યાં મળતા. ઘણા વિદ્વાન, તત્વચિંતક કે એકાંત શાંત જીવન જીવનારા લોકો ગામ કે શહેરથી બહાર જંગલમાં જઇને વસતા. તેમની આસપાસ દૂર દૂરથી ભણવા માટે વિદ્યાર્થીઓ ભેગા થઈને મળતા. આમ ગુરુ-શિષ્ય મળીને એક વન–વસતિ જેવું કરતાં; તેને “ગુરુકુળ” કહેવામાં આવતું. ત્યાં નાનાં-નાનાં ઝૂંપડાઓ ઊભાં કરીને એક આશ્રમ જેવું ગોઠવી લેતા. ત્યાં શિખ્યા રહીને ભારતીય સંસ્કૃતિ, કળા અને વિદ્યા શીખતા. તેઓ બ્રહ્મચર્યાશ્રમ પસાર કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા. ત્યારે ખૂબજ તેજસ્વી કર્મઠ અને સંસ્કારી જીવન ગાળતા. સ્વાવલંબન તેમને શિક્ષણ કાળથી શીખવવામાં આવતું. એ પ્રાચીનકાળ હિંદના આર્યોને ઉન્નતિકાળ હતું. કમનશીબે આપણી પાસે તેમને સંવતવાર કમબહ ઇતિહાસ નથી; પણ જે અવશેષો મળે છે, તે જોવાથી અને જે પ્રથે મળે છે તે ઉપરથી તે વખતનાં નગર, રાજાઓ, શાસન વગેરેને ખ્યાલ આવે છે. તે વખતે મગધ, વિદેહ, વારાણસી, કાશલ, અયોધ્યા, પયાલ, કાન્યકુજ, મથુરા, પાટિલપુત્ર, ઉજૈની, વાલિ વગેરે નગરો, નગરીઓ તેમજ રાજ્યોને ઉલેખ મળે છે. ગણતંત્ર રાજ્ય પણ હતાં. જૈન સુમાં એવું વાંચવા મળે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ કે નવમલ્લી અને નવલિચ્છતી એમ અઢાર દેશોનું ગણતંત્ર રાજ્ય હતું. તેમાં એક ચુંટાયેલ મહાનાયક રહેતા. આ ગણતંત્ર રાજ્યના નાયક પર ભગવાન મહાવીરનો અપૂર્વ પ્રભાવ હતો. તેવી જ રીતે વજજી લેકેનું પણ ગણતંત્ર રાજ્ય હતું, જેમને બુદ્ધ ભગવાનની પ્રેરણા હતી. એટલે જ ત્યારબાદ નાલંદા અને તક્ષશિલાની વિધાપીઠો આરંભાઇ જેમાં દૂર દેશાવરના વિધાર્થીઓ ભણવા આવતા. આ રીતે ભારતના આર્યો પિતાની રાજ્ય વ્યવસ્થા લેકવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા લાંબા કાળ સુધી ટકાવી શક્યા, કારણ કે એ બધાંની પાછળ ધર્મની પ્રેરણા રહ્યા કરતી હતી. [૨] પ્રાચીન ચીનને સંક્ષિપ્ત પરિચય: આપણે પૃથ્વીના ઇતિહાસની રૂપરેખાના સંદર્ભમાં ઐતિહાસિક કાળપૂર્વેની રૂપરેખા જઈએ છીએ. એમાં પ્રાચીન કાળના ગ્રીક લોકો, આર્યલોકો અંગે વિચારી ગયા છીએ. હવે એના અન્વયે આપણી નજર ચીન ઉપર પડ્યા વગર રહી શકતી નથી. લગભગ પાંચેક હજાર વર્ષ ઉપર ચીન દેશ ઉપર પશ્ચિમ તરફથી હુમલો થયો હતો. આ ચઢાઈ કરનારી જાતિઓ મધ્ય એશિયામાંથી આવી હતી. તેમણે ત્યાંની સંસ્કૃતિમાં સારો એ વિકાસ કરાવ્યો હતો. સૌથી પહેલાં તેઓ હેગડે જે પીળી નદીના નામે ઓળખાય છે તેના કાંઠે આવીને વસ્યા હતા. તેઓ ખેતી જાણતા હતા. રોનાં ઘણે રાખતા હતાં. તેમણે પિતાનું મોટું રાજ્ય પણ સ્થાપ્યું હતું. તેમને આવાગમનને પ્રવાહ સદીઓ સુધી ચાલતે રહો; અને તેઓ ફેલાતા ગયા. તેઓ કળા-કૌશલ અને કારીગરી વધારતા રહ્યા. તેમના રાજ્યનું સંચાલન કરનાર નાયક ખેડૂતેમાંથી ચૂંટાતા. તે નાયકે “ચાઓકહેવાતા. ચાઓ જાતિના નાયકો આગળ ઉપર પિતાને સમ્રાટ કહેવડાવવા લાગ્યા હતા આમ લાંબા સમય સુધી ચીની લોકો ખેડૂત જ રહ્યા. જો કે મધ્યસ્થ સરકાર જેવું ન હતું છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નાયકોએ ગણતંત્ર રીતિ પ્રમાણે ગામના બાહોશ માણસને જ ઉત્તરાધિકારી બનાવવાનું ચાલુ રાખ્યું. પણ, આગળ ઉપર પછી એ વારસાગત બની ગયું. “ચા” બાદ ચાર વર્ષ સુધી “હસિયા” વિશે રાજ્ય કર્યાને ઉલ્લેખ મળે છે. તેમને છેલ્લો રાજા ઘણે કુર હતું. પરિણામે પ્રજાએ બળવો કરી તેને પદભ્રષ્ટ કર્યો. હવે “શાંગ” વંશ ગાદી ઉપર આવ્યો. તેમનું રાજ્ય ૬૫૦ વર્ષ સુધી ચાલુ રહ્યું. ધીમે ધીમે નાયક, કુલપતિની પ્રથા બંધ થતી ગઈ અને મધ્યસ્થ સરકારની પ્રથા ચાલુ થઈ તેથી રાજ્ય સંગઠિત થવા લાગ્યું. ચિત્રમય ચીની લિપિની શોધ પણ તે કાળે થઈ. ૬૪૦ વર્ષ સુધી શાંગ વંશનું રાજ્ય રહ્યું અને તે ક્રાંતિ થતાં તેને અંત આવ્યું. ત્યારબાદ “ચાઉ” વંશ આવ્યો. ચાઉ વશ સહુથી વધારે સત્તા ઉપર ટકી શકો. એનું કારણ એ હતું કે તે કાળમાં ચીને જગતના બે મહાન તત્વચિંતકો આયા; કોફ્યુશિયસ અને લાએછે. તેમણે રાજ્ય અને પ્રજા બને ને દરવણી આપી. તેમને ધર્મસંસ્થાપકો ન કહી શકાય પણ “માણસનાં કર્તવ્યો” અંગે તેમણે નૈતિક અને સામાજિક ધોરણે ઘડી કાઢયાં. તેના લીધે રાજ્યવ્યવસ્થા અને લોકવ્યવસ્થા સારી રહી. તેના કારણે જગતની પ્રજામાં સહુથી પ્રથમ વધારે શિષ્ટ, વિનયી અને સંસ્કારી પ્રજા ચીનની બની. ચા–વંશ દરમ્યાન જ ચીનનું રાજ્ય સુસંગઠિત બન્યું. કહેવાય છે કે પાછળથી લોકોએ કન્ફયુશિયસની પ્રેરણાની અવગણના કરી તેથી રાજ્ય વ્યવસ્થામાં ગરબડ રહી હતી. કેયુશિયસ પહેલાં ચીનમાં “તાએ ધમ હતું છતાં ત્યાં રાજ્યવ્યવસ્થા કે લોકવ્યવસ્થા કેમ ન રહી એ પણ પ્રશ્ન છે? તાઓ” ધર્મ તે હતો પણ તેની પ્રેરણા વ્યક્તિગત સાધના કે ઉપાસનાની જ રહી. એટલે સમાજ કે રાજ્યની અવસ્થામાં તે કંઈ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ શક્યો નહીં. વ્યક્તિને સમૂહ મળીને નિયમબદ્ધ ચાલે તેને સમાજ કહેવાય છે પણ વ્યક્તિને સરવાળો સમાજ ન કહી શકાય. તાઓ ધર્મ સમાજહિત કે રાજ્યકર્તવ્યની પ્રેરણા આપી શકો નહતો તેથી કોન્ફફ્યુશિયસનું નામ સમાજ ઘડનારમાં પહેલું આવે છે. ચીનના પ્રાચીન ઇતિહાસ તરફ ઉડતી નજર નાખતાં એવું જાણવા મળે છે કે શાંગવંશને ગાદીએથી ઉતારી મૂકવામાં આવ્યો તે વખતે કી-સે નામના એક વડા અધિકારીએ ચાલુ વંશના રાજ્યની નોકરી કરવાને બદલે પિતાનું નવું રાજ્ય “ચેસન ” પૂર્વ તરફ જઈને વસાવ્યું તેને અર્થ છે “પ્રભાતની શાંતિનો દેશ!” આજે એ પ્રાંત કોરિયા ગણાય છે. ત્યાં જઈને તેમણે ઘર બાંધવાનો, રેશમ બનાવવાનું અને ખેતીની કળાનો સારો વિકાસ કર્યો, જેથી આ નવા દેશમાં ચીનથી ઘણા લોકો જઈને વસી ગયા. ત્યાં તે રાજ્ય ૯૦૦ વર્ષ સુધી ચાલ્યું. કી-સે એ ધાર્યું હશે કે મારે વસાવેલ દેશ જ સૌથી પૂર્વમાં છે પણ એમ ન હતું. તેથીયે પૂર્વમાં “જાપાન” દેશ હતો. તે વખતે જાપાનમાં શું થઈ રહ્યું હતું તેની ખાસ માહિતી મળતી નથી. જાપાનને ઇતિહાસ ચીન જેટલું પ્રાચીન નથી. જાપાનના લોકોમાં એ વાત પ્રચલિત છે કે અગાઉ ત્યાં સમ્રાટ “જિમ્મુટેજ” હતો અને તે ઈશુ અગાઉ ૬૦૦-૭૦૦ વર્ષ ઉપર રાજ્ય કરતે હતો. જાપાની લકે સૂર્યને દેવ નહીં, દેવી માને છે અને જાપાનને દરેક સમ્રાટ આને વંશજ ગણાય છે, તે સૂર્યવંશી હોય છે. જાપાનમાં અગાઉ પરાપૂર્વથી શિટે ધર્મ ચાલ્યો આવે છે. બૌદ્ધ ધર્મ ત્યાં પાછળથી ગયે. શિધર્મમાં રાજાને મુખ્ય ધર્મ રક્ષક કે ધર્મપ્રેરક માનવામાં આવે છે. એટલે સામાન્ય પ્રજાનું રાજસત્તા આગળ ખાસ કંઈ ચાલતું નથી. જો કે બૌદ્ધ ધર્મ ત્યાં ગયા તે છતાં ચીન–જા પાન, ચીન-કેરિયા વગેરેની લડાઈ એ ચાલતી જ રહી છે. તેનું કારણ એ છે કે ત્યાં ધર્મની પ્રેરણા રાજ્ય ઉપર ન હતી પણ રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મનું સંચાલન પિતાની રીતે કર્યું. પરિણામે કાંતે રાજ્યનું પતન થયું અથવા લડાઈ ચાલતી રહી. જેથી કરીને પ્રજામાં પણ ધર્મ અને સંસ્કૃતિનાં તત્ત્વ છેવાયાં. અત્યારસુધી પ્રાગ ઐતિહાસિક કાળ સંબંધી વિચારણા કરી છે. તેનું કારણ એટલું જ છે કે તેમણે કેવી રીતે વિકાસ સાધ્યો હતો ? સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કર્યું હતું ? તે ઉપરથી સાર કાઢીને આ પણ નવું પરિવર્તન કરી નવો ઈતિહાસ સર્જવાને છે. ચર્ચા-વિચારણા ઇતિહાસ અને સંસ્કૃતિના મુદ્દા ઉપર ચર્ચા ચાલતાં સાર એ નીકળ્યો કે “માનવાનો સહિયારો યોગ્ય પુરુષાર્થ થાય તેજ સંસ્કૃતિ છે !” તે સંસ્કૃતિ ચીન, મિશ્ર, ભારતમાં પ્રારંભમાં ખિલી. તેમાં ભારતનું આગવું અને વિશિષ્ટ સ્થાન ગણાય છે? પૂ. ગોપાલસ્વામી : “મારા ખ્યાલ પ્રમાણે તિલકજી કહે છે કે આ ધ્રુવમાંથી આવ્યા. કાકાસાહેબ કાલેલકર કહે છે કે હિમાલયથી આવ્યા છે. કોઈ વળી કહે છે કે સાઇબેરીયાથી આવ્યા છે. ઘણા મધ્ય એશિયામાંથી આગ્યા માને છે. હજુ પણ ત્યાં સમુદ્ર પાસે પૂજા થાય છે. આ હિંદમાં આવ્યા ત્યારે સિંધુના કાંઠડે કાંઠડે આવ્યા હશે એમ માનવું પડે છે. તે ખૂબ જ વિશાળ હેવી જોઈએ કારણકે અગાઉના વર્ણન પ્રમાણે નાઈલ નદી તેને ભાગ ગણાય છે. એબિસીનીયા વગેરે અનેક સ્થળે તેના ભાગે ગણાય છે. ઉત્તરમાં શ્રીનગર, શ્રીમાલ, શ્રીકંઠ, શ્રીસ્થળ (સિદ્ધપુર) અને શ્રીસ્તંભ એટલે સરસ્વતીને પણ વિધુના ભાગ ગણાવામાં આવ્યા છે. આ સિધુ કાંઠે વસેલા આર્યોને હિંદુ પાછળથી કહેવામાં આવ્યા હેય કે હિંદુ શબ્દની ઉત્પત્તિ સિંધુ ઉપરથી થઈ હોય તે બનવા જોગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ: “ઋતુઓ સાથે સંસ્કૃતિને સંબંધ જરૂર છે. ઠંડી – ગરમી – વર્ષા એ બધાથી બચવા માટે માણસે એથ શોધી હશે. એટલે ગુફા - વૃક્ષ અને પછી મકાન આવ્યાં. તેમાંથી વર્ણો થયાં અને ધીમે ધીમે ધંધાવાર જાતે અને ન્યાત બનતી ગઈ. કુટુંબને ધંધે પરંપરાથી ફાવે– જો કે હવે તેવું રહ્યું નથી. શ્રી વાસુદેવ બ્રહૃાચારીજી : મહાભારતમાં ઇતિહાસની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે – ધર્માર્થ કામ -મેક્ષા| ઉપદેશ – સમન્વિત, પૂર્વવૃત્ત કથાયુક્ત ઈતિહાસ પ્રચક્ષત ! –જેમાં ધર્માદિ પુરુષાર્થને ઉપદેશ અને પરંપરાના વૃત્તાંતે હેય તેને જ ઈતિહાસ કહે છે. અહીં ધર્મને અર્થ જ્ઞાનથી છે, તેમ અર્થને અર્થ પર પકાર છે. કામ એટલે કલ્પના થાય છે. જગત કલ્પનામય છે એટલે સંસારમાં રહેવા છતાં વિભૂતિઓ અલિપ્ત રહે છે તે મોક્ષનું રહસ્ય છે.” શ્રી સંન્યાસી ગોપાલ સ્વામીજીઃ “હિંદુ ધર્મની આ પ્રમાણે પણ વ્યાખ્યા કરી શકાય છે. હિમાલયને “હિમ” અને બિંદુ સરવર સુધીને “દુ” મળીને હિન્દુ કરવામાં આવે છે. સિંધુને હિંદુ અપભ્રંશ થયે એ તે પ્રચલિત જ છે. “હિંસયા દૂયતે ચિત્ત, સ હિન્દુરિતીરિતઃ” એટલે કે જેનું ચિત્ત હિંસા જોઈને દુભાય છે તે હિન્દુ છે. ઈદુ ઉપરથી પણ હિન્દુ થયું એવું કોઈ કઈ માને છે.” શ્રી. માટલિયાઃ “આ દેશમાં નાગ, રાક્ષસ, દયુ, પાતાલી, અને દ્રાવિડ જાતિઓ હતી એમ અનેક જાતિઓને બનેલે આ દેશ ગણું શકાય !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂ. નેમિમુનિ: “આ જ્યાં આવીને વસ્યા તે દેશ આર્યાવર્ત ગણાય તેથી જ પૂર્વ-પશ્ચિમના સમુદ્ર વચ્ચેની જે ભૂમિ તે આર્યાવર્ત ગણાતી હતી. શ્રી. દેવજીભાઈ: “જૈન શાસ્ત્ર પ્રમાણે માણસ જાતિના વિકાસથી પતનને અને પતનથી વિકાસને એમ બે આરાનું મળીને એક કાળચક્ર બાર કોડાકોડી પ્રમાણે થાય છે. માનવ ભલે સુસંસ્કૃત થતે ચાલે પણ આજે તે ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે અને અંતે તે ભોગોના અતિરેકના કારણે વધુ ક્ષીણ થશે. અને શાસ્ત્રો પ્રમાણે ૬ આરામાં લે કો વેતિયા જેવા થશે તેનું કારણ અતિભોગ જ છે.” શ્રી. પંજાભાઈ: “મને તો લાગે છે કે માણસ વધુ સુસંસ્કૃત બન્યો છે. જે બુદ્ધિ તાળું બનાવે છે. તે જ બુદ્ધિ તાળું ખોલવા પ્રેરે છે તે તેને વિકાસ સૂચવે છે. એને જ ઈતિહાસને પ્રારંભ કહી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ૩ઃ ઈતિહાસને પ્રારંભકાળ] [મુનીશ્રી નેમિચંદ્રજી સળંગબદ્ધ ઈતિહાસ જેમને મળે છે તે દેશોમાં ગ્રીસ, ઈરાન અને ભારત મુખ્યપણે આવે છે. આની અગાઉને ઈતિહાસ ગ્રંથમાં, કાવ્યમાં કે શાસ્ત્રોમાં વાર્તારૂપે કે દષ્ટાંતરૂપે છૂટો છવાયો મળે છે. ઈ. સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાંથી ઈતિહાસ કડીબદ્ધ મળે છે. એમાં વિશેષતા એ છે કે ગ્રોસ, ઈરાન અને ભારત ત્રણેય પ્રદેશોમાં આર્યો ગયા અને તેમને જ એ ઈતિહાસ છે, એમ કહેવું બરાબર થશે. આર્યોમાં વિશ્વવિજય કરવાની એક સ્વાભાવિક વૃત્તિ હતીપરિણામે તે વૃત્તિની આસપાસ જ ઇતિહાસ રચાતો ચાલ્યો હોય તે સ્વાભાવિક છે. આ ઈરાનમાં તે સમયમાં સમ્રાટ દરાયસ રાજા હતે. ઈરાનનું રાજ્ય સંગઠન વ્યવસ્થાની દષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતું. મિસર તથા એશિયામાઈનોરનાં કેટલાંક નગરને પણ એમાં સમાવેશ થતો હતે. મતલબ કે એશિયા માઈનોરથી સિંધુ નદીના કાંઠા સુધી એનો વિસ્તાર હતો. સરસ રસ્તાઓ હતા, જેથી શાહી ટપાલની આવજા થતી હતી. માનવમાં સ્વતઃ બે વૃત્તિઓ રહેલી છે. જિજીવિષા–જીવવાની ઈચ્છા અને વિજિગીષા-જિતવાની ઈચ્છા. તેને જે ધર્મ પ્રેરક દ્વારા સારો વળાંક ન મળે તે એ બીજા દેશોને તાબે કરવામાં પરિણમે. ઈરાનના સમ્રાટને પણ ગ્રીસને જીતવાની ઈચ્છા થઈ. જમીન માર્ગેથી તેની સેનાએ કુચ કરી, પણ રસ્તામાં ખોરાકની તંગી અને રોગચાળાને લીધે ગ્રીસને હરાવવામાં તે નિષ્ફળ નીવડશે. આ પછી તેણે બીજો હુમલો ઇ. સ. પૂ. ૪૮૦માં સમુદ્ર ભાગે કરવાનો વિચાર કર્યો. એથેન્સની પાસે “મેરેથોન” નામના સ્થળે એનું સૈન્ય ત્યાં ઊતર્યું. એથેન્સના લોકો એકવાર તે ગભરાઈ ગયા પણ તેઓ પોતાની સ્વતંત્રતા ખાતર બહાદૂરીથી લડ્યા અને ઈરાનીને હરાવવામાં સફળ થયા. એ વિજયનું બીજું કારણ એ હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કે એથેન્સવાસીની પ્રજા તે મુશ્કની હતી, ત્યારે ઈરાનની સેનામાં ઈરાનીએ ઉપરાંત બીજા રાજ્યની સેના પણ હતી. પાછા ફરતાં સમ્રાટ દરાયસનું મરણ થયું. તેની ગાદીએ ઝીંસ આવ્યો હતો. તેને પણ ગ્રીસ જિતવાની મહત્વાકાંક્ષા હતી. તેના કાકા આસ્તાબૂનમે ગ્રીસ ઉપર ચડાઈ કરવાની ના પાડવા છતાં તેણે ચડાઈ કરી. આ વખતે ગ્રીસવાલીઓના કહેવાથી પાર્ટીને લિડોનિસ ૩૦૦ સૈનિકો લઈને મદદે આવ્યો. તેણે ઈરાનના સૈન્યને “થર્મોપેલી” પાસે અટકાવ્યું. તેમણે ઈરાનના સૈન્યને ખાળી રાખ્યું પણ અંતે ઈરાનની સેના આગળ વધી ગઈ. ગ્રીસનાં કેટલાક નગર ઉપર તેમણે કજે કર્યો. એથેન્સવાસીઓ નગર છેડીને ભાગ્યા અને ઈરાનીઓએ શહેરને લુચ્યું. ઈરાનીઓ જ્યારે મેલેઝિ” પાસે આવ્યા ત્યારે નૌકા યુદ્ધમાં એથેન્સવાસીઓ સાથે લડવામાં ન ફાવ્યા અને કાયાં. આમ પહેલાં વિજય, પછી પરાજ્ય અને અને વિનાશ સાથે ઈરાનીઓ પાછા ફર્યા. ઘણું એને કહેશે કે ઈરાનમાં ૩૫૦૦ વર્ષ પહેલાં અશોજરથુસ્ત જેવા ધર્મ સંસ્થાપક હેવા છતાં ત્યાંના લોકોને આવી વિયાકાંક્ષા કેવી રીતે થઈ છે તે વખતે કઈ ધર્મપ્રેરક બળ નહીં હોય અને હેય તે પણ ધર્મબળ રાજ્યબળને આશ્રિત થઈને રહેતું હોય-એવું હોવું જોઈએ. ત્યારબાદ ગ્રીમ ઉપર કોઈ જાતને હમ ન થયા અને ૧૫૦ વર્ષની અંદર ગ્રીસે નવી સંસ્કૃતિ વિશ્વ આગળ રજૂ કરી, તે ગ્રીસને કીર્તિયુગ કહેવાય છે. એ કીર્તિયુગમાં પરિકિલસ નામને મશહુર રાજનેતા હને, તે વખતે થોડાંક ગ્રંથો લખાયા. મૂર્તિકળાને વિકાસ થયો. નાટયકળા અને અન્ય લલિતકળાને પણ વિકાસ થયે. ગ્રીસને ઈતિહાસકાર હીરડેટસ પણ આ યુગમાં જ થશે. ૧૫૦ વર્ષના કાળમાં ત્રણ તત્ત્વચિંતક થયા. સુકરાત (સોક્રેટીસ), પરતુ (એ) અને અરડુ (એરિસ્ટોટલ). સુકરાને કોને એક જ ભગવાન-પરમાત્માને માનવા તેમજ ઉપાસના કરવા માટે કહ્યું. તેણે સત્ય-વિચાર કરવા માટે પણ કહ્યું. ઘણા લોકો તેના વિચારોમાં ભળ્યા. સાચું વિચારનારાઓને તે વખતની સરકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાથે ન બન્યું. તેઓ ઊંડા ઊતરીને દરેક વાત વિચારતા હતા જે ત્યાંની સરકારને ગમતું ન હતું. અંતે તેમણે સુકરાતને ગિરફતાર કર્યો અને એવા વિચારોનો પ્રચાર બંધ કરવાનું કહ્યું, કાં મૃત્યુ–દંડ ભોગવવા તૈયાર થવા માટે કહ્યું. સુકરાતે નીડરતાથી કહ્યું : “ ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરીશ અને દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કેને સત્ય કહેતાં જ શીખવીશ !” તેની આગળ ઝેરને હાલ ધરવામાં આવ્યુંજેને તે ગટગટાવીને પી ગયો. આમ સ્વાર્થ અને ભોગ વિલાસમાં રચ્યાપચ્યા રહેતા લોકોએ સેક્રેટીસ જેવા મહાન તત્વચિંતકને અંત આણ્યો કારણ કે તેણે કહેલું કે “જ્ઞાન અને સત્યની પરવા કર્યા વગર ધનદોલત અને માનમરતબે મેળવવામાં જ રચ્યા-પચ્યા રહેવું એ એક પાપ છે.” તેને શિષ્ય પરતુ (પ્લે) થી. તેને પણ શાસનકર્તા લોકોએ હેરાન કરવામાં બાકી ન રાખ્યો. તેના શિષ્ય અરડુ (એરિસ્ટોટલ)ને પણ એ લેકોએ હેરાન કર્યો. રાજ્યશાસન અને વિલાસની મદાંધતામાં ત્યાંના શાસકોએ ધાર્મિક વિચારે તરફ બેદરકારી દાખવી, પરિણામે ગ્રીસની ઉન્નતિ ધીમે ધીમે મંદ પડતી ગઈ અને પરસ્પરના ઝઘડાઓમાં ગ્રીસનું પતન થયું. જ્યારે ગ્રીસનાં નગરરાજ્ય પરસ્પર લડાઈ કરીને નબળાં થતાં ગયાં તે વખતે ગ્રીસની ઉત્તરે આવેલા મેસેડોન”માં ફિલિપ રાજા રાજ્ય કરતે હતો. તે સમર્થ રાજ્યકર્તા હતા અને તેણે પોતાના રાજ્યને બળવાન તેમજ શિસ્તબદ્ધ સૈન્યવાળું બનાવ્યું. મેસેડેનના લોકો ઘણી રીતે ગ્રીક લકે જેવા હતા. આ ફિલિપને પુત્ર હતે સિકંદર. સિકંદરે જે મહાન વિજ્ય મેળવ્યો તેની તાલિમ તેને અહીંથી મળી હતી. સિકંદર રાજા થયો ત્યારે તેની ઉમ્મર કેવળ વશ વર્ષની હતી. નવા-નવા દેશે જિતવાની તેની ખૂબ મહત્વાકાંક્ષા હતી. એટલે તે મોટી સેનાને લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ઈરાન ઉપર ચડાઈ કરવા તૈયાર થયા. સર્વ પ્રથમ તે ગ્રીસ આવ્યો. તેના દબદબાથી ગ્રીક લોકો દબાઈ ગયા અને તેને પોતાને તેના પતિ બનાવ્યો. એનું બીજું કારણ એ હતું કે થેમ્સ નામનાં એક ગ્રીક રાજે વિરોધ કર્યો તેથી તેને સમૂળગો નાશ કરી દેવામાં આવ્યા, શહેરને નાશ કરવામાં આવ્યું, અનેક માણસને કતલ કરવામાં આવ્યા અને અનેકને ગુલામ કર્યા. ગ્રીવાસીઓ ઉપર તેની અજબ ભયની છાપ પડી અને તેઓ આ નવી ઉદય પામતી સતાને વશ થયા. સિકંદર સહુથી પહેલાં મિસરમાં ગયે. ત્યાં કોઈએ સામને ન કર્યો. તે જિતને તે ઈરાન ગયા. ત્યાંના સમ્રાટને તેણે હરાવ્યો. ત્યાંથી વિજ્યને ડંકો વગાડતો હેરત, કાબુલ, સમરકંદ થતો તે સિંધુ નદીના ઉત્તર તરફના પ્રદેશમાં પહોંચ્યો. જ્યાંને રાજા પર તેની સાથે ખૂબ બહાદૂરીથી લાગ્યો. તેની બહાદુરીની એટલી છાપ સિકંદર ઉપર પડી કે તેણે તેનું રાજય પાછું આપી દીધું. હવે સિકંદર તક્ષશિલાથી આગળ વધવા લાગ્યો અને તે ગંગા નદી તરફ આગળ વધવાનો વિચાર કરતો હતો પણ તેને એ નિર્ણય બદલ પડ્યો તેની પાછળ બે ત્રણ કારણો હતાં. (૧) એક તે એ કે સિકંદર ભારતના રાજાઓની બહાદૂરીથી પ્રભાવિત થયો હતે. (૨) ઘણાં વર્ષોની રખડપાટ અને લડાઈથી તેના સૈનિકો કંટાળ્યા હતા; તેઓ પાછા વળવા માગતા હતા. (૩) આગળ વધીને હાર ખાવાનું જોખમ તે વહેરવા માગતો નહતો. સિકંદર પાછો ફર્યો પણ તેની એ વળતી મુસાફરી ઘણી આફતવાળી નાળી. માર્ગમાં સૈન્યને ખાવા-પીવાના સાસાં પડ્યાં. થોડા વખત બાદ રસ્તામાં બેબિલેનિયા ખાને તેનું મરણ થયું – ત્યારે તેની ઉમ્મર કેવળ ૩૩ વરસની હતી. મૃત્યુ વખતે પિતાની વિજેતા બનવાની ધૂનમાં તેણે જે કંઈ કર્યું હતું તેનું તેને ઊંડું દુ:ખ હતું અને “સિકંદરને ખાલી હાથને જનાજે ” આજે પણ દાખલા તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ટાંકવામાં આવે છે. જો કે તે વિશ્વવિજેતા કહેવાય પણ હજુ તેને ચીનનો આ પ્રદેશ અને હિંદને બાકીને વિશાળ પ્રદેશ જિતવાનો બાકી હતો. તેના મરણ બાદ તેના કુટુંબીઓ અંદરોઅંદર લડયા અને તેમણે એક-બીજાની કતલ કરી. તેના વિશાળ સામ્રાજ્યના ટુકડે-ટુકડા થઈ ગયા. તેના સેનાપતિઓએ તે રાજ્ય વહેંચી લીધું. મિસર ટોલેમીનને હસ્તક ગયું. ઈરાન, મેસેપિટેમિયા અને એશિયા માઈનરને થડે ભાગ સેલ્યુસના હસ્તક આવ્યા. સિકંદરના આક્રમણથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે તેના અગાઉ પૂર્વ-પશ્ચિમને સંબંધ પણ જમીન માર્ગે હતું જ. સિકંદરની ચડાઈ અને મૃત્યુના પ્રત્યાઘાતો રૂપે ભારતમાં એક મહાન સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય સ્થપાયું. તે વખતે ભારતને મગધમાં નવમે નંદરાજા રાજ્ય કરતો હતો. તેની રાજધાની પાટલિપુત્ર હતી. ચંદ્રગુપ્ત તેને સંબંધી હતો કે તેને દાસી-પુત્ર હતો એવી અટકળ કરવામાં આવે છે. કોઈ કારણસર નંદરાજાએ તેને દેશવટો આપો. ચંદ્રગુપ્તને વિષ્ણુગુપ્ત (જેનું બીજું નામ ચાણક્ય હતું) નો ભેટે થયા અને તે એને તક્ષશિલા લઈ ગયો. ત્યાં તેમણે સિકંદરની કીર્તિને આશ્ચર્યચકિત થઈને જઈ હેય, એમ લાગે છે. જો કે બને જાગૃત રહીને ફરતા હતા. એવા મકાની તેઓ રાહ જોતા હતા કે તેમનું ધાયું થાય. સિકંદરના મરણથી તેમના હાથમાં એ મોકો આવ્યો. તેમણે આસપાસના લોકોને ભેગા કરી સિકંદરે છોડેલ સેનાને હરાવી, તક્ષશિલા કબજે કર્યું. ત્યાંથી ચંદ્રગુપ્ત અને તેના સહાયકોએ પાટલીપુત્ર તરફ કૂચ કરી. ત્યાં તેમણે નંદરાજાને હરાવ્યો. આમ ઈ.પૂ. ૩૨૧ની સાલમાં મૌર્ય સામ્રાજ્યને ઉદય થયો. ચંદ્રગુપ્તની માતાનું નામ મૂરા હતું. તે ઉપરથી તે મૌર્ય કહેવાતે. ચંદ્રગુપ્તના અમલ દરમ્યાન સેલ્યુકસે સિંધુ નદી ઓળંગીને હિંદ ઉપર ચઢાઈ કરી. તેના આ અવિચારી પગલાંના કારણે કેવળ તેને પસ્તાવું પડયું પણ ચંદ્રગુપ્ત તેને સખત હાર આપી અને કાબુલ, હેરાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ગાંધાર તથા અફઘાનિસ્તાન માટે પ્રદેશ તેને ચંદ્રગુપ્તને સેંપી દે પડ્યા. એટલું જ નહીં, તેની પુત્રી સાથે ચંદ્રગુપ્તનાં લગ્ન કરાવી ચાણકયે (ચંદ્રગુપ્તના મંત્રી) મૌર્ય સામ્રાજ્યને વિસ્તાર કાબુલથી બંગાળ સુધી વધવા દીધો. કેવળ દક્ષિણ ભારત તેના તાબા નીચે ન હતું. મગધ-સામ્રાજ્યની રાજધાની પાટલિપુત્ર હતી. તે ગંગા અને સાગુ નદીના સંગમે ૯ માઈલના વિસ્તારમાં વસી હતી. તેને ફરતે કોટ હતા અને ૬૪ મુખ્ય દ્વાર હતાં. બીજાં નાનાં દ્વારા તો ઘણું હતાં. મકાને લાકડાનાં હતાં આગ ઓલવવા માટે ઠેરઠેર પાણી ભરેલાં વાસણો રાખવામાં આવતાં હતાં. મહોલ્લામાં કચરો કે ગંદુ પાણી નાખે તેને મન થતી. નગરની સફાઈ અને વ્યસયા માટે નગરવાસીઓની નગર-સભા (આજની સુધરાઈ જેવી) હતી. તેને ૩૦ ચૂંટાએલા સભ્યો હતા અને ૫-૫ સભ્યોની બનેલી જુદા જુદા વિભાગની વ્યવસ્થા માટે ૬ સમિતિઓ હતી. આ સમિતિઓ શહેરના હુન્નર ઉદ્યોગો ઉપર દેખરેખ રાખતી મુલકરે અને યાત્રાળુઓની વ્યવસ્થા કરતી, કરવેરે ઉધરાવતી, જન્મમરણની નોંધ રાખતી, માલનાં ઉત્પાદન અને વેચાણ તથા બીજી બાબત ઉપર ધ્યાન આપતી, શહેરની સફાઈ જળ વ્યવસ્થા, બાગબગીચા સાર્વજનિક ઈમારતે વ. બાબત અંગે આ નગરસભા ધ્યાન આપતી. ન્યાય માટે ન્યાયપંચે અને પંચાયત હતાં તેમ જ દુકાળ નિવારણ માટે ખાસ વ્યવસ્થા હતી. રાજ્યના ભડારોને અર્ધા ભાગ દુકાળ માટે અનામત રાખવામાં આવતો. તે વખતે ચોરી ન થતી. લે કે તાળાં ખુલ્લાં રાખીને સૂતા. હજારે નાનાં નાનાં ગામડાં અને કસબાઓ ચેતનથી અને અમનચેનથી ગૂંજતાં હતાં. સામ્રાજ્યના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે મોટા મેટા માર્ગો હતા. મુખ્ય માર્ગ પાટલિપુત્રથી સામ્રાજ્યને વાયવ્ય સરહદ સુધી જતો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ સામ્રાજ્યમાં ઘણું નહેર હતી. તેની સંભાળનું એક ખાતુ હતું. વળી બંદરે, પુલ, એક સ્થળેથી બીજે સ્થળે સફર કરતી હજારે હેડીઓ તથા વહાણે ઉપર દેખરેખ રાખવા માટે એક નૌકા ખાતું હતું. તે વખતે વહાણે દરિયો ઓળંગીને બ્રહ્મદેશ અને ચીન સુધી જતાં હતાં. ચંદ્રગુપ્તના સામ્રાજ્યને રસિક અહેવાલ સેલ્યુકસના એલચી મેગેસ્થનીને લખ્યો છે. પણ તેનાથી વિશેષ રસિક અને વિગતવાર ચંદ્રગુપ્તના રાજ્યતંત્રનું વર્ણન આપણને ચાણકયે લખેલ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં મળે છે. તેમાં રાજાનો ધર્મ, પ્રધાન અને સલાહકારનું કર્તવ્ય, રાજયપરિષદ, રાજ્યનાં જુદાં જુદાં ખાતાં, વેપાર રોજગાર, ખેતી, કાંતણ, વણાટ, કારીગરી, ગ્રામ્ય શાસન, ન્યાય અને કાયદો તેમ જ અદાલતા, સામાજિક રીતિ રિવાજે, લગ્ન, છૂટાછેડા, કરસુધરાઈ અને નગરવ્યવસ્થા, લશ્કર, નૌસેનિક, યુદ્ધ, સુલેહ, રાજનીતિ, બંદરની વ્યવસ્થા, તેમ જ પરવાને (Passport)નું પૂબ ઊંડાણથી નિરુપણ કરવામાં આવ્યું છે. આમ ચંદ્રગુપ્તના સામ્રાજ્યને સુદઢ કરવામાં ચાણક્ય જેવા બ્રાહ્મણેની પ્રેરણા અને માર્ગદર્શન મુખ્યત્વે ગણાવી શકાય. તો સુશાસન માટેનું માર્ગદર્શન તે વખતના જૈન-બૌદ્ધ અને વૈદિક સાધુ-સંન્યાસીઓ પાસેથી પણ તેને મળતું. ચાણકય જાગૃતપ્રેરક હતા તેથી ચંદ્રગુપ્તના રાજ્યમાં પ્રજા શાંતિથી રહી શકી; બહારનાં આક્રમણો ન થયાં તેની પાછળનું પણ એક કારણ એ હતું કે રાજાઓ ઉપર પ્રજાને અંકુશ હતો. રાજાને આપખુદ સત્તા ન હતી. રાજાને સત્તા લેતી વખતે પ્રતિજ્ઞા લેવી પડતી કે “જે હું તમને પીડું તો સ્વર્ગરહિત, જીવનરહિત અને સંતાન-રહિત થાઉં !” પ્રજાનું સુખ એ મારું સુખ; પ્રજાની શાંતિ તે મારી શાંતિ” એ સૂત્ર રાજાની સામે હતું. દુરાચારી, દુષ્ટ કે અન્યાયી રાજા ટકી શકતો નહીં. કારણ કે પ્રજા તેને પદભ્રષ્ટ કરી શકતી. આવી પ્રજા રાજા માટે મરી ફીટે તેમાં નવાઈ નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ બધી બાબતે જોતાં એવું તારણ નીકળે છે કે ચંદ્રગુપ્તના સામ્રાજ્યમાં રાજયવ્યવસ્થા, લોકવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થા ત્રણે સારી હતી. તેમાં મુખ્ય પ્રેરણા ચાણકય જેવા બ્રાહ્મણની હતી અને માર્ગદર્શન સાધુ-સંનેનું હતું. ભારતમાં સર્વપ્રથમ ઈતિહાસને પાને વિધિસરનું સ્થપાયેલું મૌર્ય સામ્રાજ્ય આજથી લગભગ ૨૨૦૦ વર્ષ પૂર્વે ચંદ્રગુપ્ત સ્થાપ્યું હતું. ત્યારપછી બીજા રાજ્યોને ઉદય થયો તે અંગે હવે પછી વિચાર કરશે. ચર્ચા-વિચારણું [ શ્રી માટલિયાની ૨–૭-૬૨ની ચર્ચાને મુદ્દો આજની ચર્ચા સાથે સબગ બેસનો હેઈને તેને સળગરૂપે અહીં રજુ કરવામાં આવેલ છે. સં] શ્રી માટલિયાએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું “ઈતિહાસનાં અનેક પાસાં પૈકીનાં સંસ્કૃતિના વિકાસની દષ્ટિએ ચાર પાસાં ચર્ચીશું તે આપણું કાર્ય સારી રહેશે :-(૧) પ્રકૃતિ અને પ્રાકૃતિક સંશોધન (૨) સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વિકાસ, (૩) વિભૂતિ અને સમાજ-પરિવર્તન અને (૪) શહીદી અને સ્થિતિ પરિવર્તન. પ્રકૃતિમાં હું મનુષ્યતર પ્રાણી સૃષ્ટિ અને ઈતર સંપત્તિ લઉ છું. નાગમની દષ્ટિએ જોઈએ તો કાળના છ આરા ગયા છે. તેમાં ઉત્સવિણમાં ક્રમશઃ દુઃખ ઘટે છે અને સુખ વધે છે, એમ માનવામાં આવે છે. અવસર્પિણ કાળમાં પ્રથમ આરાને સુખમ સુખમ કહ્યો છે. વનફળ, વનસ્પતિ, સદાષ્ટિ વગેરે સુખના સાધનોની અનુકૂળતા હોય છે અને પતિ પત્નિી જન્મ સાથે અને મને પણ સાથે એટલે કે વિયોગનું દુઃખ નહીં. જેમાં દુઃખ નહીં ત્યાં સાથે મળીને તે પુરપાઈ ન થાય; એટલે સમાજરચના કે તીરચના ન થાય. માણસની શ્રદ્ધા વધે એટલે લોકો સરળ હદયના હોય. બીજા આરામાં સુખનાં સાધન ઓઈ પણ સગવડ નહીં એટલે કેવળ “સુખમ” ગણવામાં આવ્યો છે. પછી ત્રીજા આરામાં થોડા દુખનો અનુભવ થાવ, મત્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અકસ્માતો થાય. ત્રીજા આરાને એટલે દુખમ્ સુખમ્ કહ્યો કે દુઃખ થેંડું પણ સુખ વધારે. તેના અંતમાં વ્યક્તિગત પુરૂષાર્થ શરૂ થાય છે. ચોથા આરામાં દુઃખ વધે અને પુરુષાર્થ સામુદાયિક રૂપે વધે. જેથી તેને સુખમ દુખમ્ કહ્યો. પાંચમા આરામાં દુઃખ વધે એટલે તેને દુઃખમ ગણ્યો અને ભારત અને ઐવિત ક્ષેત્રમાં ચોથા આરામાં તીર્થરસના થાય છે અને પાંચમાના પ્રારંભમાં પૂરી થાય છે, પણ અન્ય મહાવિદેહ ક્ષેત્રમાં ૬ આરામાં પણ તીર્થરચના હેય છે. બુદ્ધિ અને શ્રદ્ધાની સમતુલના ચોથા આરામાં જ પૂરી થાય છે. પાંચમા આરાનો પ્રારંભ થતાં અહંવ વધે અને છઠ્ઠો આરો પૂરો થતાં તેની પ્રધાનતા વધતાં લેકે અંદરો-અંદર લડે અને વિશ્વવ્યાપી સંગઠન થાય નહીં. આ થઈ જૈન આગમોની કાળની દષ્ટિએ વાત. ક્ષેત્રની દૃષ્ટિએ જોવા જઈએ તે વિષુવવૃત્તમાં સંસ્કૃતિ ખીલતી નથી; તેમ ઇતિહાસકારે કહે છે, જેમકે (૧) આફ્રિકામાં કેગે વગેરે ભાગ, તેમજ બ્રાઝિલને દક્ષિણ અમેરિકાને ભાગ વધારે (૨) રણના પ્રદેશમાં સંસ્કૃતિ ખીલતી નથી. અલબત્ત રણના કાંઠાના લોકો વેપાર કરે ખરા. ભૂમધ્ય રેખાનો આખો પટ્ટો લગભગ રણ પ્રદેશ છે. (૩) બરફના રણમાં સંસ્કૃતિ ખીલતી નથી. જેમકે બને ધ્રુવ પ્રદેશ છે. (૪) પહાડોમાં પણ સંસ્કૃતિને વિકાસ અલ્પ થાય છે. ક્ષેત્રની દષ્ટિએ ઇતિહાસને જેનાર તેના દશ ભાગ પાડે છે. તેમાં ઉપરનાં ચાર સિવાય પાણી અને જંગલે પણ આવે છે. આમ કુલ્લે બાકીના ચારેક ક્ષેત્રો જ સંસ્કૃતિને લાયક ગણાયાં છે. તે છતાં પ્રાકૃતિક સંશોધનોએ આ કથનમાં મોટો ફેરફાર કરી નાખે છે. દા. ત. જાવા, સુમાત્રા, વિષુવવૃત્તની પટ્ટી ઉપર હેવા છતાં પ્રાકૃતિક સંશોધનના કારણે લોકો ત્યાં જઈને વસ્યા અને તેમણે સુખ સમૃદ્ધિ વધારવા સાથે સંસ્કૃતિ ખીલવી છે. કોઈ કાળે જાવા ન જઈ શકાય એવો ખ્યાલ ને, હવે “જાવા – સિંગાપુર જાઓ અને માલામાલ થઈ આવો.” એ વાત પ્રચલિત છે. હવે તે ત્યાં કાયમી વસવાટ અને સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૧. વેદાંતમાં પ્રકૃત્તિ અથવા ભાયા શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેને મિથ્યા પણ ગણાય છે. મિથાનો અર્થ પલટાતી; જેને ઘાટ વારંવાર બદલાય તેજ પ્રકૃતિ. આ પ્રકૃતિનું સંશોધન માનવી કરી શકે છે. ચૈતન્યતા–ધારીઓમાં માનવ જ પ્રધાન વ્યક્તિ છે. સંસ્કૃતિ અને સંસ્કૃતિ-વિકાસ સાથે એને પણ સંબંધ છે. વિભૂતિઓમાં પણ માનવ મુખ્ય છે. એટલે સર્વપ્રથમ ટુંકમાં આપણે માનવ સ્વભાવનો વિચાર કરી લઈએ. (૧) જે દષ્ટા છે તેને દર્શન થાય છે અને તે દર્શન આપે પણ છે (૨) જે જ્ઞાતા છે, તે જાણે છે અને તે જણાવે છે. (૩) જે મુષ્ટા છે, તે કર્તા છે પ્રકૃતિએ ચંદ્ર બનાવ્યો તે તેણે કૃત્રિમ ચંદ્ર બનાવ્યા (૪) ને ભકતા છે. કારણ કે તે દરેક ચીજોને ભેગા કરી શકે છે. અને છેલે (૫) ને મુકત પણ છે, તે બધું છોડી શકે છે અને મુક્ત થઈ શકે છે, બીજાને મુક્ત કરી શકે છે. આ બધા ગુણેના કારણે તે સંસ્કૃતિ બનાવનારે થાય છે. વેદત તેને લીલા કહે છે-અવનવી વિવિધતાઓ તેનામાં રહેલી છે તે છતાં તેનામાં એક્તા રહેલી છે. મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ - છે ભિન્નતા કેવળ વૃત્તિ કેરી, સર્વત્ર જ્યોતિ પ્રસરે અનેરી.. સંસ્કૃતિ માટે જ્ઞાન જોઈ એ. વિઘા જોઈએ. અભેદભાવ વિશ્વમાં જોઈ શકે વિદ્યા અને બહારનાં ખોખાને પકડી રાખે, છોડી ન શકે તે અવિધા તેને ઉપયોગ ધર્મ-અર્થ-કાળ અને મેક્ષરૂ૫ ચાર પ્રકારના પુરૂષાર્થમાં અને જનસંગઠનેમાં સમ્યક અનુબંધ સાથે થવું જોઈએ. ટુંકમાં સાંજ્યારે કલ્યાણકારક પુરવાર્થ એ નસ્કૃતિ છે અને તેનું આલેખન એ ખો ઇતિહાસ છે. કડી બહ ઇતિહાસ મળે છે તે પહેલાં સંસ્કૃતિ ઉપરથી જ ઇતિહાસનું તારણ કરી શકાય. વિશ્વમાં તે વખતે ચાર પ્રદેશમાં સંસ્કૃતિઓ વિકસિત થઈ હતી. ચીન, મિસર, બેબીલેનિયા (મેસા પોટે મિયા) અને તેમાં ભારતનું પતનું આગવું સ્થાન છે. સંસ્કૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ અને અંગ્રેજી સિવિલાઈઝેશન (Civilisation) વચ્ચે ઘણું અંતર છે. તે સિવિલાઈઝેશન શબ્દ નગર રચના કે સભ્યતાને સૂચક છે. ત્યારે સંસ્કૃતિ એ માનનીય પુરૂષાર્થને કલ્યાણકારી સૂચક શબ્દ છે. કહેવાય છે કે જગત પ્રકૃતિથી નચાવ્યું નાચે છે. એ રીતે જોતાં પ્રકૃતિએ પણ માનવીના પુરૂષાર્થને પ્રેરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેથી સંસ્કૃતિના શ્રીચરણ મંડાયાં છે. (૧) સર્વપ્રથમ સંસ્કૃતિને પ્રારંભ થયો નાઈલ નદીના કિનારે. એટલે કે મિસરમાં મિસરના એક કાંઠે સમુદ્ર અને બાકીના ત્રણ કાંઠે રણ છે. નાઈલનો કાંપ ઠરે તેટલી જમીન ફળદ્રુપ બને વરસાદ ત્યાં ૧-૨ ઈંચનો થાય. તેથી નહેરો દવામાં આવી; કાંઠા બંધાયા, પૂર કયે રસ્તે વાળવું વગેરે વિચારોથી સહિયારો પુરૂષાર્થ ખેડાય કારણકે આવું ભગીરથ કાર્ય એકલ-દેકલથી ન થઈ શકે. ત્યાં ખેતીની સંસ્કૃતિ વધી; પણ રણ હાઈને ત્યાં કોઈના આક્રમણને ભય ન હોવાથી, લડાયક શસ્ત્ર કે લડાઇનું શાસ્ત્ર ન ખેડાયું. પરિણામે પરદેશી પ્રજાના હુમલાનો ભોગમિસરની પ્રજા થતી ગઈ. બાજુના આરબ લોકોએ એ પ્રદેશને જીતી લીધા. તે પ્રદેશમાં ખગોળ, ગણિત, ભૂમિતિ જ્યોતિષ, ઈત્યાદિ વિદ્યાઓ ખીલી ઊઠી. દરિયો ફર્યો એટલે હડી વિદ્યા–વહાણવટું ખીલ્યું. સાથે વેપારવાણિજ્ય ખીલ્યું. વરસાદ કયારે આવે એ જોતાં નક્ષત્ર, ગ્રહ વગેરેનું નિરીક્ષણ ઉંચા ઊંચા મીનારા ઉપરથી કરવાનું વધ્યું અને જ્યોતિષનું જ્ઞાન વધ્યું. પણ બહારના લોકોને ત્યાં ગયા બાદ ખેતી ઉપર જ નભવું પડયું. એટલે ખેડૂતો વધારે હેઈને પ્રજામાં સ્થિતિ ચૂસ્તતા ઘણુ રહી. તેનું પરિણામ એ આવ્યું કે તેમની સંસ્કૃતિ પાડોશના આરબ દેશની ખિલતી સંસ્કૃતિ સાથે તાલ ન મેળવી શકી, રક્ષણના અભાવે વિદેશીઓને આધીન થઈ ગઈ (૨) બીજી સંસ્કૃતિ જે મેસોપોટેમિયા કે બેબીલોનિયાની સંસ્કૃતિ છે. તે પ્રાચીન મહેની એક છે. તે પ્રદેશને ઉર કહેવાય છે. એ રીતે ત્યાંના માનવી ઉર્ય અને નારી ઉર્વશી ગણાતી. ક્ષત્રિયો એંદ્ર ગણતા. તેઓ ઈટ માં શાસ્ત્ર લખતા; રાજા હથિયાર રાખતા. ત્યાં ખંડિયેરોમાં લોઢાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૩ હથિયાર મળી આવે છે. યજ્ઞમાં પશુનાં હાડકાં મળે છે. આ ઉત્તર ધ્રુવથી આવ્યા હશે પણ અહીં સ્થિર થયેલા જણાય છે. ત્યાં યજ્ઞ પાસે કોઠા હતા અને ધર્મગુરૂઓ દાન આપતા જણાય છે. ત્યાં આજુબાજુમાં છીંડાંવાળી ભૂમિકા છે. ટૂંકમાં ત્યાં પણ રક્ષણ ન હતું. તેઓ આજુબાજુના ઘાસમાંથી ગુજરો કરતા, બાકી હુમલો કરતા. તેથી તર-બરછી વગેરે શસ્ત્રો ખીલ્યાં; યુદ્ધ અને શસ્ત્ર-કળા ખીલી. તે પ્રજા લડાયક અને આક્રમણખોર બની. પડખે અરબસ્તાન રણ પ્રદેશ હતો. સીરિયા પડખે હતું તેથી વેપાર ખીલ્યો. એટલે ત્યાંના લોકો વેપાર, યુદ્ધ અને વિજ્ય એ ત્રણે વાત શીખ્યા. પડખેના પ્રદેશોને એ પ્રજાએ જીતી લીધા; એટલું જ નહીં ત્યાંની સ્થાનિક પ્રજાને સાફ કરતા ગયા. ત્યાંથી તેઓ ઉત્તર પશ્ચિમમાં વધતા ગયા અને તેમણે આજની યુરોપીય સંસ્કૃતિનો પાયો નાખ્યો. તેમનામાં સ્થાનિક પ્રજના નાશની વાત વારસાગત આવી. અમેરિકા પર આક્રમણ કરી ત્યાંની પ્રજાના કેવળ બાર ટકા જ રહેવા દીધા. દક્ષિણ અમેરિકામાં સેળ ટકા જેટલી જ અસલ પ્રજા છે. એવું જ એરટ્રેલિયામાં તેમણે કર્યું. આ રીતે મૂળ પ્રજને ખતમ કરી અને ત્યાં યુરોપીય સંસ્કૃતિનાં પાયા મજબૂત કરતાં ગયા. મારો કહેવાનો ભાવ એ છે કે આમ પ્રજાનું મન ઘડવામાં પ્રકૃતિની મોટી અસર હેય છે.” શ્રી. પૂજાભાઈ : “માણસ સામે બે ભય છે – (૧) અ. વિકાનું શું થશે ? યુદ્ધમાં મારું શું થશે? “ આજે તે છે કે પારિસ્થતિ બદલ ઈને સમગ્ર દેશ કે ખડના વિનાશને ડર છે પણ અ ૬ યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળશે અને નામ થશે એ આકર્ષણ મે હતું. તે માટે શ્રા વધારે પાકતા. તેમના મનમાં મોટે ભાગે ધર્મ, માનવી કે સંસ્કૃતિની કઈ પણ પડી ન હતી. સવારના સિકદરની વાત થઈ તેની ફરતાના એક-બે દાખલા આ પુ. એકવાર તે મારતે ઘોડે બજારમાં નીકળ્યો. એકબાઈ ગભરાટમાં આવી અને તેનું બાળક પડી ગયું. સિકંદરે બાળકને ભાલાથી વધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નાખ્યું, બાઈને તલવારથી ખતમ કરી અને એના પતિને આવી બેદરકારી માટે મારી નાખ્યો. એક ગાલીચા બનાવનારને ગાંઠ રહી જતાં અને પગમાં વાગતાં, તેણે મરાવી નાખ્યો, તે છતાં તેને અંતે તે થયું કે તેને રસ્તો ખોટો છે અને ખાલી હાથે જનાજે કાઢવાનું ફરમાન બહાર પાડ્યું. એટલે આપણે તે સંસ્કૃતિ તેને કહીએ છીએ જેમાંથી સુખેથી જીવવાનું અને મરવાનું મળી શકે, તેનો ઈતિહાસ એ જ ખરો ઈતિહાસ છે.” પૂ. દંડી સ્વામી : “મારા વાંચનને સાર તે એ છે કે જૂના ગ્રીસ ઉપર પણ આપણી સંસ્કૃતિની અસર છે. સિકંદરે પોરસને જ ખરો પણ તેને થયું કે અહીં જુદી જ સંસ્કૃતિ છે અને વિરલ વિચારધારા છે. તેથી પિરસ રાજને તે તલવાર તેમજ સિંહાસન પાછું સંપી દે છે. ઈરાન પુરાણાની દષ્ટિએ આર્યાયન આર્યોનું અયન (સ્થાન) છે. તેને શાક્યદીપ પણ કહેવામાં આવે છે. તેનું નામ પારસ પણ છે. જે અપભ્રંશ થઈને ફારસ બને છે. પ્રોફેસર દાવર કહેતા કે પારસીઓના ધમને વૈદિક ધમ સાથે ગાઢ સંબંધ છે. ઈરાનમાં ચંદ્રકુળ (સોમપરા) અગ્નિકુળ (ભોજક) અને સૂર્ય કુળ એમ અઢાર પ્રકારના બ્રાહ્મણ હતા એમ મનાય છે. ચાણક્યને કેટલાક ઈતિહાસકારે ઇરાનના ભાર્ગવી બ્રાહ્મણ ગણે છે. આમ ઈરાન અને ભારતને સબંધ હતો. સિકંદર અહીંની સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો અને બે સાધુએને સાથે લઈ જવા માગતો હતો. એકે રસ્તામાં પ્રાણ-ત્યાગ કર્યો. બીજાએ જવા માટે ના પાડી; તો પણ સિકંદર તેમના ઉપર તલવાર ન ઉપાડી શક્યો. અને તે સંસ્કૃતિની અસર થાય જ છે. પચીસેક સાધુઓને હસતે મુખે “૩૪ પરમાત્માને નમઃ કરીને મરણને ભેટતા જોઈને તેને થયું કે “આ દેશ કદી પરત ત્ર થઈ શકશે નહી. “અને તે પાછો ફર્યો. 1 છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ક-વિશ્વ ઈતિહાસની રૂપરેખા મૌર્ય સામ્રાજ્ય અને ત્યારબાદ ] [ મુનિ શ્રી નેમિચંદ્રજી આપણે વિશ્વદતિહાસને કેવળ અનુબંધની દષ્ટિએ તપાસીએ છીએ જેથી તે વખતની રાજ્ય, ધર્મ, લેક અને લેવક વ્યવસ્થાનો ખ્યાલ આવી શકે. એ રીતે અગાઉના ઈતિહાસેના બદલે આપણને સંસ્કૃતિનાં મૂલ્ય રજુ કરતાં ધર્મગ્રંથો મળે છે. ઈતિહાસ પ્રભ ઈશુની પૂર્વ લગભગ ૫૦૦ વર્ષથી સળંગ રીતે મળે છે. તે તપાસતાં મૌર્ય સામ્રાજ્ય સુધી વિચારી જવાયું છે. મૌર્યવંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યે કરી. તેણે ભારતની એકતા સાંકળવાને પ્રયત્ન કર્યો હતો અને ભવિષ્યના રામ માટે એક આદર્શ રજૂ કર્યો હતો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેના પુત્ર બિંદુર ગાદીએ આવ્યા હતા. તેણે લગભગ ૨૫ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેના સમયમાં લગભગ પશ્ચિમના બધા દેશો સાથે તેના સંપર્ક રહ્યો હતા. તેના દરબારમાં મિસરથી ટામિન તેમ જ ગ્રીક સરદાર સેલ્યુકસના પુત્ર એન્ટીઓકસના એલચીઓ આવતા. બહારના દેશો સાથે તેમના વેપાર પણ સારી રીતે ચાલતા હતે. તે વખતે હિંદમાંથી ગળી, કાચ, વસ્ત્ર, આભૂષણ, ઓજારો વગેરેની નિયતિ થતી હતી. બિંદુસાર પછી ઈ. પૂ. ૨૬૮ની સાલમાં સમ્રાટ અશોક ગાદીએ આવ્યો. તેણે પિતાના સામ્રાજ્યના વિસ્તાર માટે ઘણાં યુદ્ધ કર્યા. ગાદીએ બેઠા બાદ નવમે વર્ષે તેની કસિંગ સાથે મેટી લડાઈ થઈ. તેમાં લા માણસા ભર્યા, કેદ થયા અને કલિંગ નગરીનું દશ્ય એક ભયાનક કલેઆમની નગરી જેવું થઈ ગયું. અશેકના જીવનમાં આ વાત પલટો લાવનારી હતી. તેને યુહ તેમ જ યુહની સંહારલીલા - યે અણગમે ઈ મ. તેમાંથી અશોનું જે ધર્મ-પરિવર્તન કર્યું તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ તેને એક મહાન સમ્રાટ બનાવી મળ્યો. તેણે પિતાના શિલાલેખમાં સાફ જાહેર કરાવ્યું: “ધર્મ વડે, પ્રેમ વડે લોકો ઉપર વિજય મેળવો એ જ ખરે વિજય છે ! ” અશોકે તે વખતે પિતાનું સામ્રાજ્ય કલિંગથી કાશ્મીર સુધી અને દક્ષિણના એક નાના ભાગ સિવાય આખા હિંદ સુધી વધાયું હતું. તે દક્ષિણને જીતી શકતું હતું પણ તેણે એ યુદ્ધ બંધ કર્યું પણ. તેના બદલે ધર્મ–પ્રચાર વડે તેણે કેવળ હિદ જ નહીં, લંકા અને ચીન સુધી પણ પિતાની સુંદર છાપ પાડી. અશોકને યુદ્ધ તરફથી ધર્મ તરફ વાળવામાં કહેવાય છે કે બૌદ્ધ ભિક્ષુઓનો મોટો હાથ હતો. તે છતાં તેનામાં ધર્મસંસ્કારો ઊડે ઊંડે તે હતા જ. તેના પિતામહ ચંદ્રગુપ્ત તેમ જ ત્યારબાદ તેનો પણ ધર્મ–સંસ્થા સાથે સળંગ સંબંધ અને સંપર્ક તો હતો જ. તેથી ધર્મ-સંસ્કારને ખિલવવામાં તેને પણ હાથ હતો. અશોકને ધર્મ પ્રતાપે સુંદર પ્રેરણું મળી; જેથી તેના મનને શાંતિ વળી. કલિંગ-વિજય બાદ તેણે ધર્મપ્રચાર અને ધર્મ—રક્ષા માટે ઉત્સાહથી કાર્ય શરૂ કર્યું. તે બૌદ્ધધર્મો હોવા છતાં તેણે કદિયે અન્ય ધર્મો ઉપર બળજબરી ન કરી પણ બધા ધર્મો પ્રત્યે આદર દાખવે. આ રીતે પિતાના સમભાવી વર્તનથી તેણે લોક–હિતના એવાં કાર્યો કર્યા કે લોકે તેને “દેવોનાં પ્રિય ” એ વિશેષણથી બેલાવવા લાગ્યા. તેણે લંકામાં પિતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ધર્મપ્રચાર માટે મોકલ્યા. તેમની સાથે બેધિવૃક્ષની એક ડાળ પણ મોકલી. તેણે કેટલાક ભિક્ષુઓને ચીન પણ મોકલ્યા. આમ ધર્મપ્રચાર કર્યો. અશોક કેવળ બહારના ક્રિયાકાંડમાં માનતો ન હતો; પણ તેના માટે ધર્મ એટલે સારાં કામ કરવાં અને સદાચારનું પાલન કરવું, એ સિદ્ધાંત હતો. તેથી તેણે ઠેર ઠેર જાહેરબાગે, ધર્મશાળાઓ, કુવાઓ તેમજ દવાખાનાઓ પણ ખોલાવ્યાં.. સ્ત્રીકેળવણુ અંગે પણ તેણે વ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કરાવી હતી. તે વખતે ભારતમાં ચાર વિદ્યાપીઠે હતી. તક્ષશિલા, નાલંદા, ઉજજૈન અને મથુરા. તેમાં દેશ-વિદેશના ઘણા વિધાર્થીઓ આવતા હતા. તેઓ અહીંથી ધર્મને સદેશ પિતાની સાથે લઈ જતા. આખા દેશમાં અને ખાસ કરીને પાટલિપુત્રની આસપાસ ઘણા વિહાર થઈ ગયા. તેથી તે પ્રાંત “વિહાર” કહેવાયો. ધર્મપ્રચારના કારણે ગેહત્યા તદ્દન બંધ થઈ ગઈ હતી; યજ્ઞમાં પશુઓની બલિ પણ બંધ થઈ હતી. લોકોમાં શાકાહાર વધારે પ્રિય થતો જતો હતે. મદ્યપાન અને અન્ય વ્યસને પણ ઓછાં થતાં જતાં હતાં. તેણે જાહેર કર્યું હતું કે તે હવે શેવજીવનની દરેક પળે ધર્મ પાછળ ખર્ચશે. મૃત્યુ પહેલાં થોડા દિવસે તે રાજપાટ છોડીને બૌદ્ધભિલું થયે હતે. હવે અશોકના રાજ્યકાળમાં અનુબંધ જોઈએ. તેને સાધુસંસ્થા સાથે અનુબંધ રહ્યો ખરો. પણ લોકસેવકો (બ્રાહ્મણે) જાગૃત થયા ન હતા. તેઓ યજ્ઞાદિ કર્મકાંડામાં પડ્યા રહેતા હતા. પશુબલિ તે બંધ થયેલી પણ તેના બદલે ઘી-વગેરેને ભોગ અપાતો હતે. ય મૂળ ઉદ્દેશ્ય તેમને ન સમજાયો. તેથી મૂળ ઉપર ઘા ન પડ્યો. એક રીતે બ્રાહ્મણમાં નિર્જીવતા આવી ગઈ હતી. લેકોનું રાજ્ય સંસ્થા ઉપર કોઈપણ પ્રકારનું વર્ચસ્વ ન હતું. લોકે રાજય સામે બેલી શકતા ન હતા. નહીંતર આવી લડાઈએ શા માટે થાય છે તે છતાં ધર્મસંસ્થા અને સાધુઓને અનુબંધ હોઈને તેનું સામ્રાજ્ય ઘણું સુંદર કહેવાયું એ નિઃશંક છે. અશોક પછી તેના વંશજેમાં કૃણાલ અને સંપ્રતિનું રાજ્ય પચાસ વર્ષ સુધી ચાલ્યું. કહેવાય છે કે સંપ્રતિ રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને તેણે પણ ધર્મ-પ્રચાર માટે એટલું બધું કાર્ય કર્યું હતું કે તેને " પ્રિયદર્શ સમ્રાટ ” તરીકે ઇતિહાસમાં વર્ણવવામાં આવ્યો છે. સંપ્રતિ પછી મૌર્ય સામ્રાજ્યના વંશજો નબળા પડયા અને તેમના જ એક બ્રાહ્મણ સેનાપતિ પુષમિત્રે ગાદી ઉપર કજો મેળવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણધર્મને પુનરૂદ્ધાર થયા. તે વખતે બૌદ્ધ-સાધુઓ ઉપર છેડે જુલમ થયો પણ તે બહુ જ નજીવો હત; કારણ કે હજુ બૌદ્ધોનું વર્ચસ્વ ચાલતું જ હતું. નવા બ્રાહ્મણધર્મો બુદ્ધને અવતાર તરીકે માની લીધે. બૌદ્ધધર્મને બ્રાહ્મણધર્મથી મઠારવાનો પ્રયાસ ઘણાં વર્ષો સુધી ચાલતે રહ્યો. કેટલીક સુંદર વાતોને બ્રાહ્મણધર્મો પતાનામાં અપનાવી લીધી. વિદેશી હુમલાઓ: સિકંદર પછી લગભગ વિદેશી હુમલાઓ બંધ થયા હતા પણ ઈશુ પૂર્વેની પહેલી સદીની આસપાસ ફરી વિદેશી હુમલાઓ શરૂ થયા. મધ્ય એશિયામાંથી બેકિટ્રયન, શક, સીથીયન, હૂણ, કુશાન વગેરે જાતિઓએ હિંદની વાયવ્ય સરહદે હુમલાઓ શરૂ કર્યો. બેટ્રિયાના મીનાંડર રાજાએ વાયવ્ય સરહદ ઉપર હુમલો કર્યો. તે પ્રદેશ તેણે જીતી લીધું. તે ભાવિક બૌદ્ધ બન્યા. ત્યારબાદ શક લેક આવ્યા. કેટલાક અહીં વસ્યા કેટલાક પાછા ગયા. પછી કુશાન નામની જાતિના ટોળાંએ આવ્યાં. તેમણે પંજાબ, રાજસ્થાન અને સૈારાષ્ટ્રમાં કાયમી વસવાટ કર્યો. હિંદે તેમને અપનાવીને સંસ્કારી બનાવ્યા. તે વખતે બૌદ્ધ ધર્મ હોવાના કારણે સહુ બૌદ્ધ સંસ્થાઓની વ્યવસ્થાને અનુસરતા હતા તેથી આ બધી જાતિઓ હિંદના એક અંગરૂપ બની ગઈ હતી. કુશાનોએ પિતાનું સામ્રાજ્ય બનારસથી વિધ્યાચળ સુધી ફેલાવ્યું હતું. તેનો વિસ્તાર ઉત્તરમાં કાશગર, યારકંદ અને ખેતાન સુધી તેમ જ પશ્ચિમમાં ઇરાન અને પાર્થિયા સુધીને હતો. આમ યુક્તપ્રાંત, પંજાબ અને કાશ્મીર સાથે આખા હિંદ ઉપર તેમ જ એશિયાના એક મોટા એવા ભાગ ઉપર તેમનું રાજ્ય હતું. કુશાન સામ્રાજ્ય કુશાન સામ્રાજ્યની પ્રારંભમાં રાજધાની કાબુલ અને પછી પુરુષપુર (પશા વર) રહી હતી. કુશાન સામ્રાજ્યને સુપ્રસિદ્ધ રાજા કનિષ્ક હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૯ * તે બૌદ્ધ હતો. તે વખતે તક્ષશિલા બૌદ્ધ સંસ્કૃતિનું કેન્દ્ર હતું. ત્યાંથી બૌદ્ધ સંસ્કૃતિ ચીન, મંગેલિયા અને કેશિયસ પર્વત સુધી પહોંચી હતી. કુશ ન સમ્રાટે ઓગસ્ટમના દરબારમાં મોટું પ્રતિનિધિમંડળ મે કહ્યું હતું. આ કાળ બૌદ્ધ સંપ્રદાયો માટે નવા તબક્કાનો હતે. અને તે વખતે આજના બે સંપ્રદાય પેદા થયા. બૌદ્ધ મઠમાં ભિક્ષુ એના વાદવિવાદ શરૂ થયા. નવા બૌદ્ધો દાખલ થઈ શકે તે માટે નિયમમાં પરિવર્તન, વગેરે વિષયો ચર્ચાયા. વિદેશીઓની સાથે મૂર્તિમૂર્તિપૂજા વગેરે ગ્રીક ત પણ આવીને ભળ્યા. તેથી જે બુદ્ધ જાતે મૂર્તિ કે મૂર્તિપૂજામાં માનતા ન હતા તેના અનુયાયીઓ તેમાં માનવા લાગ્યા. સ્પષ્ટત : બૌદ્ધ સંપ્રદાયોમાં બે ભેદ પડયા :–મહાયાન અને હીનયાન. મહાયાન સંપ્રદાયે બધા પરિવર્તને સ્વીકાર્યા. તે સંપ્રદાય નવા બ્રાહ્મણ સંપ્રદાયની વધુ નજીક હતો કારણ કે તેમાં બ્રાહ્મણ મોટા ભાગે હતા. કુશાન લેકોએ આ નવા બૌદ્ધ સંપ્રદાયના વિચારોને ફેલાવવામાં ખૂબ મદદ કરી હતી. શક, દ્રણ કે તુ લેકો જેમ કશાન લોકો કેવળ લૂંટફાટ કે વિજ્ય મેળવવા નહોતા આવ્યા પણ તેઓ હિંદમાં ધર્મબંધનથી બંધાઈને રહેવા આવ્યા હતા. તેમણે આની રાજય પદ્ધતિ અપનાવી લીધી હતી. પરિણામે તેઓ ૩૦૦ વર્ષ સુધી રાજ્ય કરવા સકળ નીવડયા હતા. કુશાન સામ્રાજય વખતે ગ્રીક, રોમ અને ચીનની સંસ્કૃતિઓ ઉપર હિંદની સંસ્કૃતિની સવિશેષ અસર પડી. કુશાન સામ્રાજયની જે પકડ કનિક જમાવી હતી તે ધીમે ધીમે ઓછી થતી હતી. કારણ કે, શક, હુણ, યવન વગેરે લોકો પણ ત્યાં આક્રમણ લઈને આવ્યા હતા અને તેઓ છુટાછવાયાં રાજ્યો ઉપર સામનો કરતા હતા. તેઓ પણ બૌદ્ધ મતને માનતા હેઈને અહીં વસી શકયા. પણ વિદેશીઓને આ વસવાટ કે રાજ્યશાસન ક્ષત્રિય લોકોને ૩ચતાં ન હતાં. ગુપ્ત સામ્રાજ્ય : આ વખતે ગુપ્ત સામ્રાજ્યને ઉદય થયો. તેના આદિશાસક ચંદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત (બીજા)ના ઝંડા નીચે બધાએ ભેગા મળીને યુદ્ધ આરંવ્યું. આ વાત અશોક પછી ૫૩૪ વર્ષે થઈ. ચંદ્રગુપ્ત મહત્વાકાંક્ષી હતા, કુશળ હતો. તેણે ઉત્તરના આર્ય રાજાઓને ભેગા કર્યા. એટલું જ નહીં તેણે લિચ્છવી વંશના ગણતત્ર રાજ્યની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા. એ રીતે તેણે એ જાતિને ટેકો મેળવ્યો અને કાળજીપૂર્વક બધી તૈયારી કરી, બધા વિદેશી શાસકે સામે તેણે મેન્ચ શરૂ કર્યો. બારેક વર્ષની લડાઈ બાદ તે ઉત્તર હિંદને યુક્ત પ્રાંત કો કરી શકો. પછી તેને સમ્રાટ તરીકે રાજ્યાભિષેક થયા. ચંદ્રગુપ્ત પછી તેને પુત્ર સમુદ્રગુપ્ત તેના કરતાં પણ વધારે ઉગ્ર લડવૈયો હતો. તે મહાન સેનાપતિ હતા અને સેનાપતિ થયા બાદ તેણે ઠેર-ઠેર પિતાને વિશ્વ ડંકો વગાડયો હતો. દક્ષિણમાં પણ તેણે વિજય મેળવ્યું હતું. પણ તેનું આધિપત્ય કેવળ નામ માત્રનું રહ્યું હતું. તેણે કુશાન લોકોને સિંધુપાર હાંકી કાઢયા હતા. અહીં આપણને જાતિ-જાતિ વચ્ચે વર્તાતે દ્વેષ નજરે ચઢશે. હિંદના આ પિતાની જાતિ માટે અતિશય મગરૂબ હતા અને વિદેશી લોકો તરફ તુચ્છભાવે જોતા હતા. તેથી જ તેમણે કેવળ કુશાન લોકોને જ નહીં પણ તુક, પાર્થિયન અને બીજી જાતિના લોકોને પણ જડમૂળથી કાઢી નાખ્યા. વેહુણ નામની જાતિને ગુપ્તવંશના રાજાઓએ સતત લડાઈ આપી હતી. તેના મૂળમાં તે જાતિ ભેદજ હતો. સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત (ત્રીજા) ગુજરાત અને કાઠિયાવાડ તેમજ માલવાને જીત્યાં. અહીં લાંબા સમયથી શક, તુક અને વિદેશી રાજઓનું શાસન હતું. તેણે “વિક્રમાદિત્ય' ઉપનામ ઘારણ કર્યું. તેણે પોતાની પ્રજા માટે ખુબજ કાળજી રાખી હતી અને છુપાવેશે તે નગરચર્ચા જેવા નીકળી પડતો. તે ઉપરથી તેનું નામ પર પરદુઃખભંજન વિક્રમ પડયું. તેના દરબારમાં કાલિદાસ વગેરે નવ પંડિત હતા. તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ક્ ક્રિયાન નામને ચીની પ્રવાસી ભારતમાં આવ્યા અને તેણે તે વખતના શાસનને બહુ જ સુ ંદર રીતે ઉલ્લેખ કર્યા છે. વિક્રમાદિત્યે ૨૩ વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી તેને પુત્ર કુમારગુપ્ત ગ.દીએ આવ્યા, ૪૫૩ના વર્ષમાં સ્કંદગુપ્ત ગાદીએ આવ્યા. કદગુપ્તને હુ લેાકેાને સામને કરવા પડયા. એકવાર તેણે તેમને હાંકી કાઢયા પછી બાર વર્ષે તે પાછા આવ્યા. ધીમે-ધીમે તેએ ગંધાર અને ઉત્તર હિંદના ઘણાખરા ભાગમાં ફેલાઈ ગયા. તેમણે બૌધ લોકો ઉપર કેર વર્તાયે. ફૂ લેાકાના મલા વધતા ગયા. તેમના સરદાર તેરમાન રાજા બની ગયા. તે ક્રુર હતા પણ તેનાથી વધારે ક્રુર તે તેને પુત્ર મિહિરગુપ્ત હતા. તેના કારણે ગુપ્તવંશ્ન ઉપર માટે ફટકો પડશે હતેા. અંતે ગુપ્તવંશના રાજા બાલાદિત્ય તેમજ મધ્ય હિંદુના રાજા યશેાવર્માની સરદારી હેઠળ થાય લેાકાએ હુશેાને હરાવ્યા. મિહિરગુપ્ત કેદ પકડાયા અને તેને દેશવટા આપવામાં આવ્યે. હુણુ લેાકેાના વશો હિંદમાં વસી ગયા, અને આર્યાં માથે ભળી ગયા. મધ્યદિ તેમજ રાજસ્થાનના કેટલાક રાજપુત કુળમાં આ હુણેના હીતે અંશ હોય એ સંભવિત છે. પછી ગુપ્તવંશ ધસાને ચાહ્યા અને અંતે તેને નાશ થયેા. ગુપ્તયુગને આપણે હિંદુ સામ્રાજ્યવાદના યુગ તરીકે ગણાવી રાષ્ટ્રીએ. એ યુગમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું પુનરૂત્થાન થયું. તેના કારણે ગ્રીક, કુશાન કે અન્ય વિદેશી પ્રશ્નએએ જે વિદેશી તત્ત્વા અહીંના જીવનમાં દાખલ કર્યા હતા. તેને જર પણ ઉત્તેજન ન મળ્યુ. હિંદુ ધર્મની આ નગ્નસ્મૃતિ સ્વાભાવિક રીતે બૌધ્ધ ધર્મ પ્રત્યે ઉદાર ન હતી. તેનુ કારણું એ કે એ શ્રીમત તેમજ ઉપલા વની ચળવળ હતી. ક્ષત્રિયે! કે રાજાએનું એને પીઠબળ હતુ. લોકોને વ૨વારના હુમલાના કારણે એમાં વધારે રસ ન હતેા. લોકસેવકે ઉદ,સીન તેમજ સ્વામાં મસ્ત હતા. બૌધ્ધમાં પ્રધાનપણે લાકતંત્રની ભાવના હતી જેના હિંદુ સામ્રજ્યચાહી સાથે મેળ બેસતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ આમાં હતી. (૨) ને અટવાઇ જતા કયા નહીં. () ન હતો. પરિણામે બૌદ્ધ ધર્મ ક્ષીણ થતો ચાલે. બૌદ્ધ-ધર્મની ક્ષીણતાના અન્ય કારણે આ પ્રકારે પણ હતા. (૧) બૌદ્ધ ભિક્ષુઓમાં તપ-ત્યાગ-બલિદાનની ભાવના મંદ પડતી ગઈ હતી. (૨) નવા વિહાર બંધાતા તેઓ તેમાં જ અટવાઇ જતા, તેઓ નૈતિક ચકી રાખી શક્યા નહીં. (૩) વિદેશમાં ફેલાવો થવાના કારણે સંખ્યાવૃદ્ધિ થઈ પણ ગુણવત્તા ઓછી થતી ગઇ. (૪) રાજ્યાશ્રિત થવાના કારણે સાચું કહી શકવાની હિંમત અને તેજસ્વિતા ન રહી. (૫) બ્રાહ્મણે અથવા તો તે સમયની હિંદુધર્મો સરકારનું દબાણ; તથા ધીમે-ધીમે પિતાની અંદર સમાવી દેવાની હિંદુ ધર્મની શક્તિ. ગુપ્તકાળ પિતાના સાહિત્ય, કળા તેમ જ સંસ્કૃતિના વિકાસ માટે સુપ્રસિદ્ધ છે. સારા સંસ્કૃતના નાટકો-કાવ્યો તે વખતે રચાયાં. સુપ્રસિદ્ધ મંદિરે પણ તે વખતે બંધાયાં. અજંતાની ગુફાઓનું નિર્માણ તે ચિત્રકળાને નમૂને છે. આપણે ગુપ્તવંશ પછી કોઈ ઉલ્લેખનીય યુગ ગણીએ તો હર્ષવર્ધનને છે. દૂણ લોકો ઉત્તર ભારતમાં આગળ વધ્યા હતા અને તેમણે કન્નોજ ( કાન્યકુજ)ના રાજાને મારી તેની રાણી રાજયશ્રીને કેદ કરી. તેથી તેનો ભાઈ રાજવર્ધન બહેનને છોડાવવા ગયો. તે છો ખરો પણ તેનું કોઈએ દગાથી ખૂન કર્યું. પછી તેનો નાનો ભાઈ હર્ષવર્ધન તેની શોધમાં નીકળ્યો. રાજયશ્રી કેદમાંથી છૂટી ગઈ હતી અને જંગલમાં રખડતી હતી. અંતે તે કંટાળીને આત્મહત્યા કરવા જતી હતી કે હર્ષવર્ધન ત્યાં પહોંચી ગયું અને તેણે બહેનને મરતા બચાવી લીધી હતી. ત્યારબાદ હર્ષવર્ધને ભાઈને દગાથી મારનારને બદલો લીધે અને તે જાતે ગાદી ઉપર બેઠે. તેણે અરબીસાગરથી બંગાળના ઉપસાગર સુધી પોતાનું રાજ્ય પણ વધાર્યું. હર્ષે કન્નોજને પિતાની રાજધાની બનાવી. તેને પુત્ર ઇતિહાસના ગૌરવનું એક પાનું છે. તે પોતે ભણેલ અને લેખક હતા. તેણે પિતાની આસપાસ ઘણું કવિનાટકકારે ભેગા કર્યા હતા. તે કાળમાં લખાયેલ નાટકો આજે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બ૮ ની સાલમ સિવ આવી સાહિત્યની મહાન નિધિ ગણાય છે. હર્ષ બૌદ્ધ હતે. એમ કહેવું વધારે થગ્ય થશે કે તે છેલ્લે બૌદ્ધ સમ્રાટ હતે. હર્ષના અમલ દરમ્યાન હિંદમાં હ્યુ-એન-ત્સાંગ નામને બીજો ચીની પ્રવાસી ભારતમાં આવ્યો. તેણે તેના કાળનું સુંદર પ્રવાસ-વર્ણન કર્યું છે. હર્ષ ૬૪૮ ની સાલમાં મરણ પામ્યો. હર્ષના સમયમાં જ મુસલમાનેઅરબ બલુચિસ્તાન થઈ સિંધ આવી પહોંચ્યા હતા અને તેને કબજે તેમણે મેળવ્યો હતે. દક્ષિણના રાજાઓ: મુસલમાન રાજાઓના હુમલાઓ ઉપર આવીએ તે અગાઉ દક્ષિણ હિંદના રાજાઓ અંગે વિચાર કરી લઈએ. દક્ષિણના મધ્ય અને પશ્ચિમ ભાગમાં ચાલુક્ય રાજ્ય હતું. જેમાં આજના મરાઠાવાડાને સમાવેશ થઈ જતું. આ લેકો લડાયક જુસ્સાવાળા તેમ જ સ્વાભિમાની હતા. તેવી જ રીતે ઠેઠ દક્ષિણમાં પાંડય રાજાઓનો અમલ હતો. તેમના કાળમાં મદુરા સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. તામિલ ભાષાએ આ કાર-પ્રકાર ધારણ કર્યું અને સાહિત્યનું સર્જન થયું તેની ઉપરના ભાગમાં પલ્લનું રાજ હતું. તેમણે મલાયા, જાવા વગેરેમાં ઘણું માણસે મોકલ્યા હતા. તેમનું પાટનગર કાંજીવરમ (કાંચીપુરમ) હતું. ત્યારબાદ ત્યાં ચોલ રાજાઓનું પ્રભુત્વ વધ્યું. તેમની પાસે મેટું નૌકાસૈન્ય હતું. કાવેરી નદીના મુખ ઉપર આવેલું કાવેરી-પટ્ટનમ્ એમનું મુખ્ય બંદર હતું. વિજયાલય એ સામ્રાજ્યને પ્રથમ સમ્રાટ હતો. તે રાજ્ય ઉત્તર તરફ ફેલાયું હતું પણ રાષ્ટ્રોએ તેને ઓચિંતો પરાજય કર્યો. રાજકાજના અમલ દરમ્યાન એ સામ્રાજ્યને મહત્વ મળ્યું. દશમી સદીના પ્રારંભમાં ઉત્તર ભારતમાં જ્યારે મુસલમાનોના હુમલાઓ થતા હતા ત્યારે તેની કંઇ પણ અસર દક્ષિણ ઉપર નહેતી થઈ. ચલ રાજાઓમાં રાજરાજ ચેક પોતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં જ રહ્યો. તેણે લંકા પણ જીતી લીધી હતી. તેને પુત્ર રાજેન્દ્ર પણ બાપના જેટલે સાહસિક હતો. તેણે દક્ષિણ બ્રહ્મદેશ જીતી લીધું હતુ. તે ઉત્તર હિંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ખાતે વહાણમાં હાથીઓ લઈ ગયો અને તેણે બંગાળના રાજાને હરાવ્યા. એ રીતે ચેલ સામ્રાજયને ખૂબ જ વિસ્તાર થયો. પણ તે રાજ્ય લાંબા કાળ સુધી ટકી શક્યું નહીં. તેણે ૧૦૧૩ થી ૪૪ સુધી રાજય કર્યું. તેના મરણ બાદ બધા ખંડણી રાજાઓએ બળવો કર્યો પરિણામે ચેલ સામ્રાજ્યનું વિઘટન થઈ ગયું. દક્ષિણમાં ઉત્તર કરતાં વધારે ભારતીય સંસ્કૃતિને પરિચય મળે છે. એનું કારણ એ છે કે મધ્ય એશિયાથી આવેલા મુસલમાનોએ મોટા ભાગે ઉત્તરમાં જ હુમલા કર્યા હતા. તેમ જ ત્યાંના સ્થાપત્યોને વિનાશ કર્યો હતો. તે ઉપરાંત દક્ષિણમાં મંદિરે અનેક કાર્યમાં વપરાતા હતા. તે મંદિર ઉપરાંત, પાઠશાળા, ચોર, પંચની કચેરી અને દુશ્મનેથી બચવા માટેનું ગઢ પણ હતું. ગામનું આખું જીવન તેની આગળ ધબકતું હતું. પરિણામે મંદિરના પૂજારીઓ અને બ્રાહ્મણ ગામ પાસે ધાર્યું કરાવી શકતા. દક્ષિણમાં સુંદર વિશાળ મંદિર જેવા જેવાં છે. તાંજોર, ચિદંબરમ, કાંજીવરમ તેમ જ મદુરાના મંદિર પ્રખ્યાત હતાં અને આજે પણ તે જોવાલાયક છે. ઇલોરાનું કૈલાસ મંદિર સૌથી વધારે અદ્દભૂત છે. ચોલ રાજા નરેદ્ર નહેર પણ બંધાવી હતી. તે વખતનો એક પ્રવાસી, અલબરૂની ૧૦૦ વર્ષ પછી ગયા. તે એ નહેર જઈને ખૂબ જ પ્રભાવિત થયે હતો. ભારતની સંસ્કૃતિને દક્ષિણે જે મહાન પુરુષ આપો તે હતા આદ્ય શંકરાચાર્ય. આઠમી સદીમાં તેમણે હિંદુધર્મને પુનરૂદ્ધાર શૈવમત તરીકે કર્યો. તેમણે બૌદ્ધ ધર્મ સામે તાર્કિક મોરચા માંડ્યા. તેમણે હિંદુ ધર્મમાં સંઘ જેવી સંન્યાસી સંસ્થા સ્થાપી. હિંદના ચાર ખૂણે સંન્યાસીઓના સંઘના ચાર કેન્દ્રો તેમણે સ્થાપ્યાં. તેઓ આખા હિંદમાં ફર્યા અને શાસ્ત્રર્થ કરીને તેમણે બધાને જીતી લીધા. શંકરાચાર્યના વાદવિવાદે, તર્કો અને ભાળ્યોથી આખા હિંદમાં નવીન જાગૃતિ આવી ગઈ તેથી કરીને રાજ્યવ્યવસ્થામાં તેમની રાજા ઉપર છાપ જરૂર પડી પણ લોકજાગૃતિ કે લોકસેવકે સાથે કામ કરવું જોઈતું હતું, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૫ બહુ ઓછું થયું. બ્રાહ્મણ કે તેમનાથી ભડકતા તેમને “પ્રચ્છન્ન બદ્ધ તરીકે માનતા અને ઘણું તેમની સાથે ભળ્યા પણ ખરા. પણ એક જ કારણે કે વાદવિવાદમાં તેમને છત મળે. પરિણામે સંન્યાસીએની સ્થિતિ પાછી રાજ્યાશ્રિત બની ગઈ અને લોકવ્યવસ્થા તેમ જ ધર્મ વ્યવસ્થાને કોઈ અનુબંધ ન રહ્યો. પરિણામે તે સંસ્કૃતિને પૂર્ણ વિજય ન થયો. આપણે મુસલમાનોના આક્રમણના અગાઉના તબક્કામાં આવી પચ્યા છીએ. આપણે જોવાનું એ છે કે પલટાતાં રાજ્યમાં અનુબંધની કઈ એવી કડી ખુટતી હતી અને તેને આપણે પૂર્વજોએ જેડી છે કે નહીં? તે વિચારવાનું છે. ચર્ચા-વિચારણા શ્રી માટલિયાજીએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : “આપણે જોયું કે મિસરની સંસ્કૃતિ નિકિય શાંતિપ્રિય હેઈને કરમાઈ ગઈ. બીજને આધીન થઈ ત્યાં પ્રાકૃતિક દેવની પૂજ, જેશી, પ્રજા અને રાજા ત્રણેય કરતાં, પણ માધુસંસ્થા કે તરત ચિતકે ન હોવાથી તેને ભેજનાપૂર્વક વિકાસ ન થઈ શકે, એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ એવી જ રીતે મેસોપોટેમિયાની સંસ્કૃતિ પણ અસ્ત થવા પામી કાવ્યું કે ત્યાં લોકસંગઠને કે લોકસેવક સંગઠને ન હતાં, પરિણામે ધર્મગુરુએ રાજ્યાબિત થઈ ગયા. તેમના પ્રદેશની વચ્ચે ઘાટ હતા. ઘાટ પછીને પ્રદેશ ટુકા ઘાસને હતા. બાજુમાં મિસર, સરિયા વગેરે હતાં બાજુમાં દરિયાકાં પણ તે એટલે તેઓ વેપારી બન્યા. તેમાંથી એક આની શાખા ભારતમાં ગઈ અને બીજી યુરોપમાં ગઈ. એક ફોટો ઈરાન તરફ પણ ગયો. ભારતની સંસ્કૃતિ-વિકાસ આપણે જોઈ ગયા છીએ. ભારતની સંસ્કૃતિમાં ઉદારતાનું મૂળ કારણ અહીંની ફળદ્રુપતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ છે. અહીં ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તરમાં હિમાલય ઊંચે પર્વત... તેથી સંરક્ષણ નૈસર્ગિક રીતે થતું હતું. નદીઓ પુષ્કળ એટલે ફળ_તા આવી અને લેકો ઉદાર થયા. અલબત્ત વિદેશી આક્રમણ સામે પડકાર કર્યો ખરો પણ સામે ચડીને કદિ બહાર આક્રમણ અહીંની પ્રજાએ કર્યું નથી. ત્યારે યુરોપ તરફ જે આર્યોની શાખા ગઈ તેણે ત્યાંના લોકોને ખતમ કર્યા. ફ્રાંસ, રોમ, ગ્રીસ વગેરે દેશમાં એ વાત સ્પષ્ટ દેખાશે અને આજે પણ તેમને એ વારસે ચાલ્યો આવે છે. હું બે હજાર વર્ષની વાત કરી રહ્યો છું જેથી ત્યાં કેવળ એક બાઈબલ, એક કુરાન કે એક જૂના કરાર સિવાય કોઈ બીજો ધર્મ ગ્રંથ મળતો નથી. ભારતના આર્યો અને ત–વિવિધતામાં એકતા સાધવાનું શીખ્યા, સમન્વય શીખ્યા તેમજ અનૈતિકતાને વિરોધ કરતા શીખ્યા. અહીં સંતને પ્રભુ માનવામાં અડચણ નથી. તે અહીંની સંસ્કૃતિની ઉદારતા સાથે વિશેષતા છે. ઉધમ સાથે શ્રમ પણ અહીંની વિશેષતા છે. રાજા જનકથી માંડીને સાંદીપની જેવા આશ્રમોના ઋષિ-મુનિઓ પણ શ્રમિક હતા. વસ્તુ-ત્યાગ અને ગુણો ઉપર ભાર એ અહીની સંસ્કૃતિની ત્રીજી વિશેષતા છે. તેથી જીવંત માણસના આચાર ઉપર અહીં ખુબ ભાર મૂકાય છે. અશોક જેવા રાજાના અહીં ઘણું ઉદારતમ શિલાલેખે મળે છે તેમ ત્યાં સુકરાત, અરડુ (એરિસ્ટોટલ) અને પરતુ (ખે) સિવાય, સીઝર, નેપેલિયન, સીકંદર થી ટિલર સુધી તાનાશાહે મળે છે. અહીં અશેકનું ગૌરવ તેના ત્યાગ અને ધર્મના કારણે થાય છે, લડાઈઓ કે કુટિલતાના કારણે નહીં. ભારતમાં વિશ્વને ચાહનાર અને એવું આચરણ કમ્નાર વખણાય છે. જ્યારે પશ્ચિમમાં પ્રથમ સેનાપતિ અને બીજે નંબરે ઉદ્યોગપતિ જ વખણાય છે. યુરોપમાં બે મુખ્ય બજારે છે-(૧) રૂપબજાર...જ્યાં રમણીઓનાં અંગો પાંગનું પ્રદર્શન થાય છે (૨) તલવારના ધણીઓની આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મેળા ભરાય છે. અહીં ત્યાગીઓની આસપાસ મેળો ભરાય છે, જેમાં શિલ, સદાચાર. અને ભકિત મુખ્ય હોય છે, આજની કેળવણી પામેલા ભાઈ-બહેને શીલના બદલે ક્રિકેટ રમવામાં, આનંદ-પ્રમોદના સાધનો પાછળ જવામાં ખાસ માને છે. નારી જગતમાં પણ સૌન્દર્યના પ્રસાધનાને ખૂબ જ વધારે. થતા જાય છે. તેથી જ આજની કેળવણી પામેલા ભાઈબહેન ધાનક કે સત્તાધારીઓ થવા માટે દોટ મૂકે છે. ગાંધીજીએ તેથી જ નવી કેળવણી તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે આ પાયાનો ભેદ ટુંકમાં સમજી લેવા જેવો છે. શ્રી પૂજાભાઈ : “ મને તો વિશ્વઈતિહાયની રૂપરેખામાંથી અનુબંધની વાત જ યથાર્થ લાગે છે. રાજય આજે જે પહેલે નંબરે આવ્યું છે તેના બદલે ધર્મને પ્રથમ સ્થાન અપાવવું પડશે; તેમજ લેવક સંગઠને અને લેક-સંગઠને દ્વારા નૈતિક પાયો દઢ કર પડશે.” શ્રી દેવજીભાઈ: “હમણાં અમેરિકા જઈને આવેલા એક ભારતીય વિધાથ સાથે મારે વાત થઈ હતી, ત્યાંના લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે એ ભાઈની ગેરહાજરી દરમ્યાન તેમની જમીનની ખેતી વગેરેનું કામ તેમના પિતાજી કરે છે. ત્યાં આપણુ જેવી કુટુંબ-વ્યવસ્થા નથી. છોકરો માટે થાય કે પંખીના બચ્ચાં જેમ છૂટો થઈ જાય ! પરિણામે બન્નેની હાલત કફે ડી થાય છે. ત્યાં એક સ્થળે લાયબ્રેરીના કબાટમાં એક લાઈનમાં એક જ પુસ્તક “ગીતા” હતું. બીજે પુસ્તકો શા માટે નથી તે પૂછતાં તેને કહેવા માં આવ્યું કે ગીતા જેવું બીજ આજેડ પુસ્તક નથી એટલે તેને એકલું રાખવામાં આવયુ છે. આ જોઈને તે ભાઈને અગાઉ કરતાં વધારે ભારતીયસંસ્કૃતિ પ્રત્યે પ્રેમ થઈ ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઈતિહાસ પ્રમાણે દરેક ધમને તેના સ્થાને મૂકી દઈ એ તેા ઘણું સારૂ થાય !” પૂ. મિમુનિ : “ ભારતમાં બધી જાતિના લોકો આવ્યા અને ગેાવાયા...પણ લેાકસેવક સગાનેા અને લેકસગઢના ખરાબર ન હોવાથી રાજ્યવ્યવસ્થા ન જામી અને રાજાએ પરસ્પર લડવા લાગ્યા; અને ખુવાર થયા.” “ મારા શ્રી બળવંતભાઇ : નમ્ર મતે તે લેાકસગઠન ન હાવાથી પ્રજા ખાતી રહી– ખુવાર થતી રહી. તે તરફ્ સાધુ-સતે એ પણ ખૂબ ઉપેક્ષા દેખાડી હતી. આજે ભારતના સાધુએ એક થઈ રહ્યા છે તે તેમની દેારવણી પ્રજાને એવી મળવી જોઈએ કે જેથી રાજ્ય ઉપર પ્રજાને સીધા અંકુશ રહે..!” 66 શ્રી દેવજીભાઈ : “ ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ લેકસગઢના પાછળ લાગી જવુ જોઈએ. નહીંતર રાજ્યને પ્રભાવ વધતા જશે અને રાજ્ય ક્ષેત્રા મેટાં થતાં જશે તેમ સૈનિક અને દંડશક્તિ વધશે. તેમાં સહુને નુકશાન જ થવાનુ છે. પછી અહિંસા, નીતિ અને સત્યની વાતા કાં તે માંમાં કે મંદિર-ઉપાશ્રયેામાં જ રહી જશે અને એ સામુયિક ચાર નહીં ની શકે ! ” શ્રી પૂંજાભાઈ : “ એટલે જ સારાં રાજ્યે પણ ભારતમાં ટકી ન શકયા. મારા નમ્ર મતે તે સાધુઓનુ પણ સંકલન ન થઈ શકયું. હેમ દ્રાચાય જેવા સમર્થ વિદ્વાન સાધુ પાકવા છતાં ગુજરાતવ્યાપી અહિંસા, દેશ-વ્યાપી ન બની શકી. જૂના કાળે પણ સાધુઓનુ સંકલન ન હતું એ વાત ઇતિહાસ કહી જાય છે!” શ્રી દેવજીભાઈ : “ સંકલન જોઈ એ પણ તે ઘડતર પામેલું હાવુ જોઈએ. સંત વિનેાખાજી પાસે શાંતિસૈનિકામાં ઘણાં નામેા છે પણ તેમાં અણીનાં ટાંકણે પ્રાણના ભાગે ઊભા રહેનારા કેટલા હશે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ તે સમય આવે ત્યારે જ પરખાય! એવા અનઘડ અને પ્રાણી સૈનિકથી શાંતિ ન આવી શકે.” પૂ. દંડી સ્વામી : “સિકંદર હિંદમાંથી પાછા ગયે તેનું કારણ તેણે અહીંની ભવ્ય સાધુ શક્તિ અને જનશક્તિ જોઈ..! પણ એક ધર્મદંડ કે રાજદંડ એ કામ ન કરી શકો. નેમિમુનિએ કહ્યું તેમ સાધુ સંસ્થાએ લોકસંગઠને, લેકસેવક–સંગઠન અને રાજ્યબળને સાંકળવાનું કાર્ય ઉપાડી લેવું જોઈએ. શ્રી માટલિયા : “મેં આજે પ્રારંભમાં ૩૫૦૦ વર્ષ પહેલાંની ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિને પાયાને ફેર દર્શાવ્યો હતો. હજુ ઇતિહાસ અંગે વધુ વિચાર થશે તેમ ઘણી વાત સ્પષ્ટ થતી જશે.” (૧૦-૮-૧) Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પ.વિશ્વ ઈતિહાસની રૂપરેખા હર્ષવર્ધન કરી છે કારણ કે તે રામને ઇતિહાસ ]. [ મુનિ શ્રી નેમિચંદજી ભારતના ઈતિહાસમાં હર્ષવર્ધન સુધીની રૂપરેખા જોઈ ગયા છીએ. હવે રોમના ઇતિહાસ અંગે વિચારવાનું છે કારણકે જગતની પ્રજા ઉપર અને ખાસ કરીને પશ્ચિમ ઉપર જેની અસર થઈ છે તે રામન જાતિના ઈતિહાસમાં અને ભારતના ઈતિહાસમાં શું ફરક રહ્યો છે તે તારવી શકાશે. પ્રારંભમાં તે ગ્રીક અને રોમન સામ્રાજ્ય વચ્ચે બહુ ફર્ક ન હતો. ગ્રીક લેકે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેઓ નગર-રાજ્યની કલ્પના પિતાની સાથે લેતા ગયા હતા. પણ થોડા વખત પછી તેમણે ત્યાંની આદિ જાતિઓને હટાવી પિતાને વિસ્તાર વધારો શરૂ કર્યો. આમ રેમે ઇટાલીના મોટા ભાગને પોતાનામાં સમાવી લીધે. આટલા મોટા પ્રદેશને વહીવટ એક જ નગર રાજ્યમાંથી ન થઈ શકે છતાં એ આખા મુને વહીવટ રોમમાંથી થતો હતો. રોમમાં વિશેષ રાજ્ય-પદ્ધતિ હતી. ત્યાં કોઈ રાજા ન હો કે ન આજની પ્રજાતંત્ર પદ્ધતિ હતી. એક મર્યાદિત પ્રકારનું પ્રજાતત્ર ત્યાં ચાલતું હતું. થોડા ધનવાન જમીનદારોનું ત્યાં પ્રભુત્વ હતું. રાજ્યવહીટ એક સેનેટ ચલાવતી હતી. સેનેટના સભ્યોની નિમણુંક બે “કસલો કરતા. તેઓ રાજ્યના વડા હોદ્દેદાર ગણાતા અને તે બન્ને ચૂંટણીથી નિમાતા. ઘણી વખત સુધી આ પદ્ધતિ ચાલી કે જેમાં માત્ર અમીરવર્ગના લોકો જ સેનેટના સભ્યો થઈ શકતા હતા. રોમની પ્રજા બે વર્ષમાં વહેચાયેલી હતી. (૧) અમીર વર્ગ કે ફૂલીન વર્ગ જે પેટ્રીશિયન ગણાતા (૨) સામાન્ય પ્રજાને વર્ગ જે સેલિયન ગણુ. બધી સત્તા પેટ્રીશિયનના હાથમાં હતી. એલિયન પાસે સત્તા ન હતા; તેમ જ પૈસા પણ ન હતા. તેઓ તે છતાં સત્તા માટે લડતા રહ્યા અને ધીમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ધીમે તેમને નજીવી સત્તાના થોડાક ટુકડા મળ્યા. રામના મર્યાદિત રાજ્યતંત્રને ઘણાં વર્ષો સુધીને ઈતિહાસ આ બન્ને વર્ગો વચ્ચેના સંઘર્ષને ઇતિહાસ છે. અહીં એક વરતુ જાણવા જેવી છે કે પ્લેલિયનેએ પિતાની આઝાદી મેળવવા માટે પહેલાં તો શસ્ત્રોને આધાર લીધે પણ અંતે તેમણે અસહકારને સફળતાથી ઉપયોગ કર્યો હતો. રેમમાંથી તેઓ એક સાથે ચાલી નીકળ્યા અને તેમણે પોતાનું નવું નગર વસાવ્યું તેથી પેટીશિયન ચેતી ગયા; કારણ કે તેમને પ્રેલિયને વગર ચાલે તેમ ન હતું. એટલે તેમણે એમની સાથે સમાધાન કર્યું. તેમને થોડાક હક્કો આપ્યા અને મોટા હોદ્દાઓ પણ મળ્યા. તેઓ સેનેટના રાજ્ય સભ્યો પણ થયા. આ ઉપરથી એક રાજ્ય સંસ્થા કરતાં લોકસંસ્થા કેટલી બળવાન છે એને ખ્યાલ આવ્યા વગર નહીં રહે; જે એની સાથે ધર્મસંસ્થા અને લેકસેવકસંસ્થાને અનુબંધ હેત તે રાજ્ય સ્થાને લેમ સ્થા અંકુશમાં રાખી શકત; પણ તેમ ન હતું. ઉપરાંત રોમન રાજયમાં એવી વસતિ વધારે હતી જેમને કોઈ પણ જાતને અધિકાર ન હતા. આમાં સ્ત્રીઓ, ગુલામ તેમજ રોમમાં બહારથી આવેલા માણસોને સમાવેશ થતો હતે. ગુલામોની સંખ્યા ઘણી મોટી હતી. પ્લેલિયન લોકોએ પિતાને અધિકાર મળ્યા બાદ પણ એમની (ગુલામોની) સાથે ગુલામો જેવો વહેવાર કર્યો. પરિણામે મૂડીવાદના કૃષ્ણ રૂપે ગુલામી પ્રથામાંથી પેટ્રીશિયન લોકોને જ વધારે લાભ થશે. તેઓ વધારે માતબર અને ધનવાન થતા ગયા. એ દરમ્યાન પ્રેલિયન લોકો તે ધર્મ-સંસ્થા કે સેવક–સંસ્થાની પ્રેરણા કે અનુબંધ વગરના હેઈને ગરીબ રહ્યા અને વધુ કમનશીબી એ હતી કે તેઓ પણ ગુલામનું દમન કરવા લાગ્યા હતા. પશ્ચિમની જુની દુનિયામાં ગુલામોની ભારે માંગ રહેતી હતી. આ માંગ પૂરી પાડવા માટે ગુલામોનાં મોટા મોટા બજારે ઊભા થયાં. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પર પુરુષ, સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવવા માટે હુમલાઓ લઈ જવામાં આવતા. એટલે તે કાળની સંસ્કૃતિના કલંકરૂપ પિતાની સમૃદ્ધિ, માટે લડાઈ, લૂંટફાટ અને નિર્દયતાપૂર્વક ગુલામ બનાવવાની અમાનુષિક રીતે અજમાવવામાં આવતી હતી. રેમના રાજ્યને વિસ્તાર વધતે ગયો તેમ તેમ, રેમના ઘણા નાગરિકો રોમથી દૂર દૂર રહેવા લાગ્યા. આજના પ્રતિનિધિ શાસનને તેમને ખ્યાલ ન હતો. નગર-રાજ્ય પ્રણાલિકા હાઈને રોમમાં રહેલા માણસે જ મતાધિકારનો ઉપયોગ કરી શકતા. મતદારોમાં વધારે સંખ્યા પ્લેલિયોની હેવા છતાં તેમને લાંચ આપીને પેટ્રીશિયને તેમને પિતાને મત ખરીદી લેતા. જેમ રેમની સત્તા ઈટલીમાં વધતી જતી હતી તેમજ ઉત્તર આફ્રિકામાં કાર્યેજની સત્તા જામતી જતી હતી. આ લોકો કિનીશીયન વંશના હતા. તેઓ વહાણવટીઓ કે ચાંચિયા-વેપારી તરીકે વધારે પ્રસિદ્ધ હતા. તેમનું તંત્ર પણ પજાસત્તાક ગણી શકાય; પણ તે વિશેષ પ્રમાણમાં કુલીનનું તંત્ર-નગર રાજ્યનું તંત્ર–હતું. તેમાં ગુલામેની મોટી વસતિ હતો. રોમ અને કાથેજ વચ્ચે સંધિ થઈ હતી પણ તે લાંબા કાળ સુધી ટકી નહીં. થોડા સમય બાદ બન્ને રાષ્ટ્રો વચ્ચે તીવ્ર હરિફાઈ અને લડાઈ જાગી. બન્ને મહત્વાકાંક્ષી હતા. લગભગ ૧૦૦ વર્ષ કરતાં વધારે બન્ને વચ્ચે વિગ્રહ ચાલ્યો. બને જંગલીઓ જેમ લડયા. પરિણામે વિશાળ જનસમુદાય દુઃખમાં આવી પડ્યો. એમની. વચ્ચે ત્રણ યુદ્ધો થયાં. જે “યુનિક” યુદ્ધોના નામથી સુપ્રસિદ્ધ છે. પહેલો “યુનિક વિગ્રહ ૨૩ વર્ષ સુધી ચાલ્યો. તેમાં રોમ જીત્યું. બીજા યુનિક વિગ્રહમાં કાર્યો જે હેનિલાલ નામના પિતાના સુપ્રસિદ્ધ સેનાપતિને મોકલ્યો. તેણે પંદર વર્ષ સુધી રામને હંફાવ્યું હતું. રોમન લોકો હેનિલાલને ખુલ્લા મેદાનમાં સામનો કરતા ડરતા હતા, ખાસ કરીને ફેલિયન નામનો રોમન સેનાપતિ તેને ટાળવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પસંદ કરતા હતા. તેણે દશ વર્ષ સુધી લડાઇને ધકેલે રાખી. તેના ઉપરથી ચેખવટ ન કરતાં વસ્તુને ટાળતા રહેવી એવી જાતિને અંગ્રેજીમાં ફેલિયન-નીતિ કહેવામાં આવે છે. હેનિલાલે જે કે રોમને ઘણું નુકશાન પહોંચાડ્યું; પણ વિજય રોમન લોકોને થયો. એટલું જ નહીં; તેમણે કાર્યેજને ત્રીજા વિગ્રહ ભણી પણ આપ્યું. આ વિગ્રહમાં રોમને બળવાન રહ્યા અને તેમણે શહેરને નાશ કર્યો અને લોકોની માટે પાયે કતલ કરી. એનાથી એમને સંતોષ ન થયેઃ પણ ભૂમધ્ય સાગરની રાણું ગણાતી કાર્બેજ નગરીને નાસ કરી તેના ઉપર હળ ફેરાવી તેનું નામોનિશાન ભૂંસી નાખ્યું. ત્રીજા વિગ્રહ બાદ સ્પેન રમના કબજામાં આવ્યું. રોમન સામ્રાજ્યમાં આસપાસનાં નાનાં રાજ્યો તે અગાઉથી જ આવી ગયા હતા એટલે હવે રોમનું કોઈ હરીફ ન હતું, તે સર્વોપરી રાજય બની ગયું. મુકો જીતવાનું અને યુદ્ધમાં મળેલાં વિજ્યનું પરિણામ એ આવ્યું કે રોમમાં ધન-લત અને વૈભવ વિલાસ વધ્યાં. છતાયેલા દેશમાંથી ગુલામે અને ગેડિયેટરો ( યુદ્ધના કેદીઓ)ને ધધ વહેવા લાગે. વિજ્યના નશામાં પિતાનું સ્થાન ટકાવી રાખવા માટે ધનવાન લોકે, ગરીબોનાં મનોરંજન માટે કુસ્તીઓ, રમતગમત તેમજ હરિફાઇએ ગોઠવતાં. ગ્લેડિયેટરોને આ મરણાંત યુદ્ધ લડવાની ફરજ પાડતા અને તેમને મારી નાખવામાં આવતા. આમ ગરીબ અને પછાડતી ચાલી. ગુલામ, કેદીઓ તેમજ ચાયેલો વર્ગ હદબારના જલમો સહીને કંટાળે અને અંતે સ્માર્ટેકસ નામના ગ્લેડિયેટરની સરદારી નીચે ગરીબ અને દલિત લોકોએ બંડ કર્યું; પણ તેમને નિર્દયરીતે રેસી નાખવામાં આવ્યા. રોમના એપિયન માર્ગ ઉપરના ૬૦૦૦ ગુલામોને કોસ ઉપર વધી નાખવામાં આવ્યા હતા. પણ, પરિસ્થિતિ બગડતી જતી હતી, લાંચ-રૂસ્વત તેમજ દુરાચારનું જોર વધતું જતું હતું. સાથે જ સત્તા માટે સાઠમારી ચાલવા લાગી, સેનાપતિઓ અને સાહસિક પિતપતાનું બળ જમાવા લાગ્યા; પરિણામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આંતરવિગ્રહ અને પાયમાલી થવા લાગી.સેનાપતિના દળો આસપાસમાં લડવા લાગ્યાં. તેમાંથી જે જીતે તે નેતા ગણાવા લાગ્યું. એટલે પ્રજાતંત્રની સેનેટપદ્ધતિના શાસનમાંથી એક વ્યક્તિના વર્ચસ્વ જેવું ડિકટેટરશિપ રાજ્યશાસનને પ્રારંભ થયો. રોમના અનેક સેનાપતિઓમાં પિમ્પી અને જુલિયસ સીઝર એ બે નામ આગળ તરી આવે છે. સીઝરે તે વખતે કાંસને (જે તે વખતે ગેલ કહેવાતું) જીતી લીધું હતું. તેણે ઈગ્લાંડને પણ જીત્યું હતું. આ બન્ને વચ્ચે તીવ્ર હરિફાઈ ચાલી. બન્ને મહત્વાકાંક્ષી હતા. અંતે સીઝરે પિમ્પીને હરાવ્યો અને તે રોમને આગેવાન રાજ્યગુરૂષ બન્યો. તેણે પ્રજાતંત્રીય સેનેટને ઉપલી રીતે તે માન્ય કરી પણ સાથે જ પિતાને રાજ્યાભિષેક થાય તે માટે તેણે વિરોધ ન દર્શાવ્ય. સીઝરની વધતી જતી સત્તાથી અમૂક તેના સાથીઓ ભડક્યા અને તેના એક વિશ્વાસુ સાથી બુટસે તેની હત્યા સેનેટના ફેરમના પગથિયા ઉપર કરી. પણ સીઝરના મૃત્યુ પછી (ઈ. પૂ. ૪૪) રોમન લોકતંત્ર બચી શકયું નહીં. સીઝરનો દત્તક પુત્ર કવિપસ રાજયનો વડે અથવા “પ્રિન્સેપ” થયો. પ્રિન્સ એટલે રાજકુમાર એ શબ્દ તેમાંથી ઉતરી આવ્યો છે. કટવિપતે રીતસરના સીઝરનું પદ ધારણ કર્યું. સીઝર શબ્દ સમ્રાટ-એકમાત્ર સત્તાધારી ડીકટેટર રૂપે પ્રચલિત થયા, જેમાંથી અંગ્રેજી સીઝર શબ્દ “કૈઝર” રૂપે જર્મનીમાં ગયું અને “ઝાર” રૂપે રશિયન સમ્રાટો માટે વપરાયું. આ એકટવિપસ લકતંત્રને બહારને દેખાવ જાળવી રાખવા માંગતો હતો તેથી તે પિતાને સેનાપતિ (ઇમ્પરેટર) કહેવડાવતે. પણ સીઝર કે ઇમ્પરેટર જેમાંથી એમ્પરર બન્યું–આ શબ્દો આગળ જતાં દબદબાશાહી વૈભવવાળા સમ્રાટના સૂચક બની ગયા. અગાઉ પ્રારંભમાં એમ મનાયું કે એમ્પરર એટલે આખી. દુનિયાને સ્વામી એટલે રામ “વિશ્વની રાણી” તરીકે ઓળખાવા લાગ્યું. કારણ કે તે વખતે ઇટાલી, સ્પેન, ગલ, (કાસ) ગ્રીસ અને એશિયાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ પપ માઈનરનો પ્રદેશ રેશમના તાબામાં આવી ગયો હતો. પણ આ માન્યતા ખાટી કરી અને રોમન સામ્રાજ્યને અંત આવ્યો ત્યારે વિશ્વની રાષ્ટ્રને બચાવનાર કોઈ ન હતું. રોમન સામ્રાજયને આજની યુરોપની પ્રજાના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે. તેનાં ઘણાં કારણોમાં તેમણે આખા યુરોપને આપેલી ઘણી વસ્તુઓની ભેટ છે. | સર્વ પ્રથમ આપણે જઈશું તો જણાશે કે નાગરિક, નાગરિકસભા, શાસનતંત્ર આ અંગે સર્વ પ્રથમ યુરોપને જે કેઈએ વ્યવસ્થિત વસ્તુ આપી હોય તે તે મને હતા. તેમણે જે કાયદાઓ ઘડ્યા, તે આજે પણ ઘણા પ્રદેશોમાં આધારભૂત મનાય છે. એટલે કે સુશાસનનો પાયે તેણે યુરોપમાં નાખ્યો હતો. સુશાસન આવતાં સાહિત્ય, કળા અને વિજ્ઞાનની ઉન્નતિ થવી જરૂરી હતી. જો કે રોમન લોકો ગ્રીક લોકો જેટલા લલિતકળામાં આગળ ન વધ્યા કે ન તેમણે દાર્શનિક નવે વિચાર આપે પણ તેમણે સામાં, કાવ્યો-નાટકો અને ખાસ કરીને દુઃખાંત નાટકો લખવાની કળા આપી. વિજ્ઞાનમાં તે વખતે “લીની” નામના વિદ્વાનની લખેલી Natarac History પ્રકૃતિને ઇતિહાસ આજે પણ વૈજ્ઞાનિકોને માન્ય છે અને તેને ઉગ થાય છે. કે જેમનસામ્રાજયમાં વધારે પડતા લોકોને કુસ્તી, રમતગમત અને ગ્લેડિયેટરના મરણ યુદ્ધો કે (Chariot Race) રથ દેડમાં રસ હતું તે છતાં રામને એ પકડેલા યુનાની-ગ્રીક દાસોએ ગ્રીક સભ્યતાની ઘણી વાતો અનાયાસે રોમન સંસ્કૃતિને આપી છે. કારણ કે જ્યાં સુધી લડાઈ, યુદ્ધ અને રમતગમતને પ્રશ્ન હતો ત્યાં સુધી મને સર્વશ્રેષ્ઠ રહ્યા પણ જ્ઞાન-વિજ્ઞાન-દર્શનના ક્ષેત્રમાં યુનાની દાસજ રેમને લોકોના ગુરુ બન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સ્થાપત્ય કાળમાં જે વિકાસ રેમન સામ્રાજ્ય કર્યો તે ઠેઠ ઓગણીસમી સદી સુધી આધારભૂત મનાયો. નદીઓ પાર કરવા માટેના પુલ, સ્ટેડિયમો તેમજ વિશાળ ભવનના અવશેષો આજે પણ તે અંગેની તેમની વિશેષતા જાહેર કરે છે. નગરનું શાસન અને કાયદો તેમણે આપ્યાં, તે ઉપરાંત આજે જેને આપણે સુધરાઈ ( મ્યુનિસીપાલીટી) કહીએ છીએ તેને આરંભ એ લોકોએ કર્યો. તે વખતે તેમણે રોજના ત્રણ લાખ ગેલન પાણી આપતા હેજે-ઢાંકેલી નાળીઓ બનાવી હતી. લોકો માટે જાહેર રસ્નાનઘર, સુંદર વિશાળ ભવને તેમજ દવાખાનાઓ એ રોમન સામ્રાજ્યની ભેટ છે. ચિકિત્સા વગેરેને સુંદર પ્રબંધ તે રાજ્યમાં થતું અને વિકસિત થતું ગયો. સ્નાનઘર સ્ટેડિયમ (સ્પર્ધા જોવાનું સ્થળ) તેમજ નાટકધર એ પણ તેમણે આપેલી લોક-મને રંજન માટેની પરંપરાઓ છે. તેમણે મૂર્તિ કળાનાં એક વિધ અંગને વિકસિત કર્યો. લાસ્ટરમાં નકશીકામ તેમજ ચિત્રકારીને પણ તેમણે વિકાસ કર્યો હતે. પાકા રસ્તાઓની બાંધણી તેમણે બતાવી. સમ્રાટ ઓગસ્ટસ પ્રથમના સમયે રોમન સામ્રાજ્યનો સુવર્ણયુગ હતો. ત્યારબાદ ઘણું સમ્રાટો થયા પણ જેને માનવતાપૂર્ણ વિચારો આપનાર સમ્રાટ ગણાવી શકાય તે માકર્સ ઍરિલિયસ હતો. તેણે “Meditations” વિચાર-વિમર્શ નામના પુસ્તકમાં સુંદર વિચારે રજૂ કર્યા છે. રોમ સામ્રાજ્યના પતન અને વિનાશને સુંદર ઉલ્લેખ ગિબ્સને ડિકલાઈન એન્ડ ફોલ ઓફ ધી રેમન એમ્પાયર” નામના પુસ્તકમાં કર્યો છે. તેના જણાવવા પ્રમાણે સીઝરે એક પછી એક આવતા ગયા. તેમાંથી ઘણું ઓછા સારા હતા. ઘણુ ખરાબ હતા, વધારે પડતા _૨ અને નકામા હતા. તેમણે ધીમે-ધીમે પ્રજાતંત્રીય સેનેટને પ્રભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૭ દૂર કર્યો. એટલું જ નહીં, તેઓ પિતાને દેવ તુલ્ય ગણવા લાગ્યા. તેથી તેમણે પ્રજા તરફ જોઈએ તેટલું ધ્યાન ન આપ્યું. ગરીબ પ્રજા કચડાતી ચાલી તેમજ કરભાર નીચે દબાતી ચાલી. જો કે ગરીબો માટે મફતનું ખાવાનું, સ્નાનઘરો તેમજ ક્રીડા સ્થળો બનાવી દેવા છતાં ત્રાસી ગયેલી પ્રજા વધુને વધુ ઉશ્કેરાતી ચાલી. રોમન સામ્રાજ્યનું બીજુ મોટું દુષણ ગુલામે હતા. ગુલામાં અગાઉના ગ્રીક તેમજ બીજી પ્રજાના બુદ્ધિશાળી લોકો પણ હતા. રોમન સમ્રાટો આવા પ્લેયેટરોને કુસ્તીમાં મરણત સુધી ઉતારતા. સમ્રાટ કોલોઝિયમાંએ એકવખત એક સાથે ૧૨૦૦ જેટલા હતભાગી ગુલામેને પ્રજાના મનોરંજન માટે ઉતાર્યા હતા. આથી ગ્રીક ગુલામોએ સમ્રાટોના દરેક કામમાં આવીને પણ પ્રાણ બચાવવા શરૂ કર્યા પરિણામે રોમન સેનાપતિ અને સીઝરો વધુ ને વધુ આળસુ થતા ગયા. ગુલામ પકડવા, મેજશખ કરો અને દુરાચારનું સેવન કરવું એ આગળ ઉપરની રોમન સેનાનું લક્ષ્ય બન્યું. પરિણામે સૈન્યની તરફદારી મેળવવા માટે લાંચરૂશ્વત આપવામાં આવતી. આમ સડે ઊંડે ને ઊંડે ઊતરત જતો હતો, વૈભવ-વિલાસના કારણે સ્વાભાવિક રીતે બુદિ મંદ થતા, વૈદકીય, તત્વચિંતન, વિચાર તેમજ હુન્નર અને ઈજનેરીનું બધું કામ ગુલામોએ ઉપાડી લીધું. રાજના ચીલે પ્રજા ચાલે, એમ પ્રજા પણ આળસુ થતી ગઈ અને રોમન સૈન્યમાં ભર્તી થવા માટે રામને અભાવ શરૂ થયો. સામાન્ય લોકો તે કચડાયેલા હોઈને બંડ માટે તૈયાર થતા એટલે તેમને દબાવવા માટે રોમન લોકોએ બર્બર” (જગલી) અસબ લોકોને સૈન્યમાં લેવા શરૂ કર્યા. આ બન્નર જાતિના લોકોએ પિતાની શક્તિ વધારવી શરૂ કરી અને એકવાર એવા સમય આવ્યે કે ઓગસ્ટસ સીઝર પછી ત્રણસો વર્ષ કેન્સ્ટટાઈન નામના સમ્રાટને રોમન સામ્રાજ્યની રાજધાનીને રોમથી ખસેડીને પૂર્વ તરફ લઈ જવી પડી. ત્યાં તેણે નવું નગર કેન્સેન્ટીલિ વસાવ્યું. તે “નવા રામ' તરીકે ઓળખાવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ આ શહેરની પસંદગી યોગ્ય હતી. તે યુરોપ અને એશિયાને સાંકળતી કડી જેવું હતું. પણ જુનું રોમ તેનાથી દૂર પડી ગયું. તેને જોડવા માટે બે રોમન સામ્રાજ્ય બનાવવામાં આવ્યાં પણ પશ્ચિમના રોમન સામ્રાજ્ય ઉપર બર્બર લેકેએ બહુ જ જલદી કજો કરી લીધો. ત્યારબાદ ગાંથ નામની જર્મન જાતિ ત્યાં આવી. તેણે પણ રોમને લૂંટયું. પછી તેંડાણ અને ફ્રણ લોકોએ પણ તેને ધૂળ ભેગું કરી નાખ્યું. આ જાતિઓની સફળતાનું બીજું એક કારણ એ હતું કે ત્યાં ખેડૂત તેમજ આમ વર્ગ સીઝરોના ત્રાસ અને કરથી કંટાળેલ હતો. તેણે આ ફેરફારને વધાવ્યો હોય તે આશ્ચર્ય નહીં. આ રીતે પશ્ચિમના સામ્રાજ્યને અંત આવ્યો પણ પૂર્વનું રોમન સામ્રાજ્ય ગમે તેમ કરીને પણ ૧૧૦૦ વર્ષ સુધી ટકી રહ્યું. જો કે તેને આરબ, દૂણ તેમ જ બીજી જાતિને ખરે સામનો કરવો પડ્યો હતો. ઈ. સ. ૧૪૫૩ માં ઉસમાની તુર્કલકોએ કોન્સેન્ટીલને કજો કર્યું અને પૂર્વના રોમન સામ્રાજ્યને અંત આવ્યો. પછી એ શહેર અંગ્રેજોના કબજામાં આવ્યું. તુર્ક સમ્રાટ અંગ્રેજોના પૂતળાં જે બની ગ. કમાલ પાશા નામના મહાન નેતાના નેતૃત્વમાં તુર્કસ્તાન આગળ વધ્યું અને અંગ્રેજોની પકડમાંથી છુટયું. કોન્સ્ટન્ટીલ લગભગ ૧૫૦૦ વર્ષ સુધી તુરતાનની રાજધાની રહ્યું. તે વખતના નવા સમ્રાટ કોન્ટેન્ટાઈને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતું. આગળ જતાં આખા સામ્રાજ્યને ધર્મ ખ્રિસ્તી ધર્મ બની ગયે, પણ તેમાં જુદા જુદા પથ પડતાં આપસમાં ઝઘડાઓ ઊભા થવા લાગ્યા. એક લેટિન પંથી જેનું મુખ્ય મથક રોમ બન્યું અને તે રોમન-કેથલિક ધર્મ ચર્ચાના નામે આજે છે. બીજો પંથ ગ્રીક-ચર્ય ઓર્થોડેકસ ચર્ચાના નામે રશિયામાં ફેલાયે. જો કે સામ્યવાદ આવી જતાં હવે તેનું પ્રભુત્વ રહ્યું નથી. રોમ સાબ્રાજ્ય તો ગયું પણ રેમન લેકોએ તેની મહત્તા બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ રીતે વધારી; તે હતી ધાર્મિક સામ્રાજ્ય રૂપે. ઈશુનો શિષ્ય પીટર રોમમાં આવ્યો. તે ત્યાંને બિશપ-ધર્માચાર્ય થયું. તેના કારણે જગતના ઈસાઈઓની નજરે રોમ વધારે પવિત્ર ગણાયું. પીટરની ગાદીના બધા વારસદારે પણ બિશપ થતા ગયા જે આગળ જતા પિપ કહેવાયા. આ પાપની ધર્મના વડા તરીકેની અજબ સત્તા લેકો ઉપર હતી. કોઈ એક ઝઘડામાં એક પોપે ઉત્તર તરફની ફેક નામની જર્મન જાતિની મદદ માગી અને પછી એ જાતિના રાજા કાલ કે ચાન્સને રોમન ત્રાટ તરીકે અભિષેક થયો. આ રીતે નવા સામ્રાજ્યનો ઉદય થયો. અગાઉનું રોમન સામ્રાજ્ય હવે “Holy Roman Empire” ( પવિત્ર રોમન સામ્રાજ્ય) તરીકે ઓળખાવા લાગ્યું. આ રોમન સાત્રાય લગભગ એક હજાર વર્ષ સુધી ચાલ્યું. નેપોલિયને તેને અંત કયાં પણ પાપનું મન ધર્મ સામ્રાજ્ય આજે પણ એટલું જ પ્રભુત્વશાળી માનવામાં આવે છે. રોમન સામ્રાજ્યમાં પરંપરા પ્રમાણે ઘણા સમ્રાટ થયા. તેમાં માસ-ઓરેલિયસ, સેલેમાન, ઓગસ્ટસ વગેરે સમ્રાટ શાંતિવાદી, તત્વચિંતક કે પ્રજાનું હિત ચાહનારા હતા. તે ઉપરાંતના લગભગ દર અને જંગલી શાસન પ્રણાલિમાં માનનારા હતા. આમાં નીરો અંગે તે કહેવાય છે કે તેને જે ભયંકર કોઈ ન હતો. તે છતાં રોમન સામ્રાજ્ય એક રીતે જગતને જે વ્યવસ્થિત નાગરિક જીવન અને સુશાસનની જે પ્રણાલિકા સોંપી તે માટે તેનો ઉલ્લેખ કરજ પડશે. રોમન કાયદામાંથી લગભગ જગતના બધા કાયદાઓ ખાસ કરીને યુરોપના દેશના કાયદાઓ ઘડાયા છે અને સુંદર નાગરિક ભાવનાને ત્યાં વિકાસ થયો છે તે એને આભારી છે. ટુંકમાં રોમન સામ્રાજ્યના ઇતિહાસથી આપણે જાણી શક્યા છીએ કે ત્યાં સત્તાધારી અને ધનવાનેનું વર્ચસ્વ, હંમેશા રહ્યું હતું. સામાન્ય પ્રજા દબાયેલી કે કચડાયેલી રહેતી હતી. પ્રજાનું નૈતિક સંગઠન ન હતું. લોકસેવકની ગરજ સારે એવા કવિઓ, સાહિત્યકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ થયા ખરા પણ તેઓ કાં તે રાજ્યની પ્રશંસા કર્તા રહ્યા અગર તે વ્યક્તિગત ચિંતનમાંજ લીન રહ્યા. તેમણે લોકોનાં સંગઠનોને દર્યા નથી. ધર્મગુરુઓ હતા પણ તેઓ રાજ્યાશ્રિત બની ગયા અને ધર્મસંસ્થાને પણ રાજ્યાશ્રિત બનાવી દીધી હતી. એટલે એક વખત આખી દુનિયાને આંજી નાખનાર રોમન સામ્રાજ્ય, અંતે અનુબંધ ન હોવાથી, અંદર પિકળ હેઈને નામશેષ થઈ ગયું. આ ઉપરથી જોઈ શકાય છે કે ભારતની જ એક માત્ર સંસ્કૃતિ એવી છે જે ટકી શકી છે અને જગતને એકતાની ભૂમિકાએ લાવી શકે છે. ચર્ચા-વિચારણા શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સવારે પૂ. નેમિમુનિએ જણાવ્યું કે કેવળ ભારતની સંસ્કૃતિ જગતને એકતાની ભૂમિકાએ લાવી શકે છે. પ્રશ્ન એ છે કે ભારતની સંસ્કૃતિ આટલા વર્ષ ટકી શકી અને શા માટે ઈજિસ્ટ, મેસોપોટેમિયા, ચીન વગેરે દેશમાં સંસ્કૃતિ ન ખીલી શકી? તેનું મુખ્ય કારણ તે કંઈક અંશે ભૌગોલિક પરિસ્થિતિઓ તેમજ પ્રકૃતિની કૃપા છે. બીજાં રાષ્ટ્રોના ઈતિહાસમાં જોશું કે તેઓ આક્રમક થયા ત્યારે ભારત આક્રમક ન થયું. તેનું કારણ શું? તેને ઉત્તર એ છે કે અહીં ધર્મસંસ્થા, લોકસેવકસંસ્થા, લોકસંસ્થા અને રાજ્ય સંસ્થા એ ચારેયને અનુબંધ તે હજ પણ એ અહીં થઈ શક્યો તેનું કારણ પ્રકૃતિની કૃપા તો ખરી જ! અહીં પુષ્કળ જમીન અને વિશાળ કુદરતી સાધન હતાં. એટલે વિદેશથી જે આક્રમણ કરવા આવ્યા તેમને કહેવામાં આવ્યું “લડે છો શા માટે? લડીને બન્ને દળો નાશ પામે તેના કરતાં સહિયારો પુરુષાર્થ કરીએ અને બન્ને સાથે રહી સ્વતંત્ર રક્ષણ પણ ગોઠવીએ !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ આમાંથી ચક્રે ક્ષેત્રે ઊભાં થયાં ચક્રવર્તી પણું વિચારવામાં આવ્યું, અગાઉ અનિયમિત કે બહુ લગ્ન થતાં હશે તેમાંથી સ્વદારા સંતોષ અને એક પત્ની વાળાં લગ્નો થવાં લાગ્યાં. સ્પિર સંસ્કૃતિના પાયામાં ખેતીએ મુખ્ય ભાગ ભજવ્યો હોવો જોઈએ. તે વખતે પરિવ્રાજકો ભારતમાં વિચરણ કરતા હોવા જોઈએ. તેમણે જીવનને ટકાવવા માટે તેમજ આપદ્ કાળે રક્ષણ માટે એક થતાં માનવ ટોળાંઓ જોયાં હશે. તેથી તેમણે યજ્ઞની શરૂઆત કરી હોવી જોઈએ. યજ્ઞમાં સહુ અમુક સમય સાથે રહે, આનદ પ્રમોદ કરે આમ ભિન્નતામાં એકતા અહીં કેળવાતી ચાલી. ભાષાના ભેદે કે ભાવનાના ભેદે તેમને ન નડ્યા. શિવ, હરિ કે વિષણુ ભલે આવ્યા પણ, તેમણે મનુષ્યત્વ અને ચૈતન્યત્વના વિકાસ તરફથી પોતાનું ધ્યાન કદિ વાળ્યું નહીં. પરિણામે માનવ સંસ્કૃતિ ખિલી, અને તેનાં ઊંડા મૂળ અહીં રોપાયાં. વિવિધ જાતિઓ આવતી ગઈ પણ તે અહીં સમાતી ગઈ, તેમનાં સારાં તને ભળતાં ગયાં અને ખરાબ તો તેમને મૂકવા પડ્યાં. ત્યારે, ઇજિપ્ત, મેસે પોટેમિયા તથા ચીનમાં એકજ ઢાં રહ્યો. ત્યાં સંસ્કૃતિ ને લાંબે વખત ટકાવવાનો વિચાર કદિ આવ્યો નહીં. વિવિધ જાતિઓના આગમનના સતત અભાવે તેમની આગળ પિતાનાથી સારું કે નઠારું શું તેને ખ્યાલ ન આવ્યા, જ્યારે ભારતમાં તો આવી વિવિધતા અને વિભિન્ન પ્રજાના સંસ્કારો વડે સંસ્કૃતિનું માપદંડ સુધરતું ચાલ્યું. ત્યારે ચીન વગેરે દેશોમાં બંધિયાર પાણી જેવી તેની દશા રહી. તેઓ કેવળ દેવદેવીએ ઉપર આધાર રાખીને રહ્યા. તેથી તેમનામાં ટકી રહેવાની વાત ન રહી. તેમણે બીજા દેશોમાંથી કળાકારે, હુન્નરકાર આયા. ઘણીવાર સેનાએ પણ આવી. તે છતાં ત્યાં ચિંતક-વર્ગ ઊભો ન થયો. ગુલામ થયા-પુસ્તકો લખાયાં પણ આપણે ત્યાંને ઋષિ-સંત-શાહ્મણવર્ગ પિતા ન શકે. મેપોટેમિયા કે ગ્રીસમાં પુરોહિત જે વગ હસ્તે પણ તેની સાથે ધર્મસંસ્થા ન હોઈને, તેમ જ તેનો લોકસંસ્યા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ ન હોઈને રાજ્ય સર્વોપરિ રહ્યું. પરિણામે આંધળી રાજાશાહીના કારણે ત્યાંની સંસ્કૃતિને નાશ થયો. મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ ભારતમાં સહિયારી સંરકૃતિમાં તાદામ્ય અને તટસ્થતા સહજ બની. તે માટે વિવિધતાના સમન્વયને સંસ્કાર, સંસ્કૃતિમાં વણતો ચાલ્યો. લગ્નની કોઈ વ્યવસ્થા ન હતી. તેમાં અનેક પત્નીએ કરવાની રીતમાંથી એક પત્ની વ્રત સુધી સંસ્કાર વણાયે અને આજે તે જગત આખા માટે સંસ્કાર-નિયમ ગણાય છે. અહીં માનવમિલનથી, સહિયારે શ્રમ, સંસ્કૃતિ-રક્ષણ વગેરે પ્રશ્નોની આગળ સંયમ વડે સંતાન મર્યાદા વગેરે આવ્યાં. સાદાઈ, શ્રમ અને ચિંતનમાં લેકોએ આનંદ જોયે. તેમણે તેને આખા સમાજ માટે લગાડ્યો અને તેમાંથી વર્ણાશ્રમ-વ્યવસ્થા આવી. સાથે સાથે ઋણ ચુકાવવાની વાત પણ થઈ અને પાંચ ઋણ ચુકાવવાની વાત કરી – (૧) પિતઋણ; મા-બાપ, ગુરુ તેમ જ કુટુંબ સંબંધ અંગે જેમણે. કંઈ પણ આપણા માટે કર્યું તેનું ઋણ ફેડવું; (૨) દેવઋણ – જગતમાં અદશ્ય શક્તિ અને કુદરતી બળો હવા, પ્રકાશ, પાણી, ખોરાક વગેરેમાં મદદરૂપ થાય છે તેનું ઋણ વાળવું; (૩) ઋષિ સંતનું ઋણ ચૂકવવું (૪) માનવ (સમાજ) ઋણ અને (૫) આત્મા ઋણ ચૂકવવું. આમાં અનાયાસ આયાસને સંસ્કાર વારસે પણ સહેજે મળ્યો. અદ્રશ્યબળોને માનવા પણ પુરૂષાર્થ કરતા રહે; દુકાળ વખતે સંઘરેલું અનાજ આપી દેવું પણ સાચવવું નહીં તે અને સુકાળ વખતે સંધરવું તે ધર્મ મનાયો. આવા બધા સંસ્કારો રોપાયા, ખેડાયા અને ભારતની સંસ્કૃતિનું ખેડાણ ઊંડું થતું ગયું અને તે હજારો વર્ષો પછી પણ ટકી શકી છે એ જ એની વિશેષતા છે.” પૂ. દંડી સ્વામી : “ભારતીય સંસ્કૃતિના ચરણ સ્થિર થયાં તે વર્ણાશ્રમથી ગણીએ તો આધુનિક ગણના પ્રમાણે આજથી લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં વર્ણાશ્રમ શરૂ થયે હેવો જોઈએ એમ માનવું રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ બળવંતભાઈ : “ગ્રીસ અને રોમના ઇતિહાસ ઉપરથી એટલું ફલિત થાય છે કે દુઃખી જનતા શાસકોના શરણે જતી પણ શાસકો તેને કચડી નાખવામાં માનતા. અંતે તેમને પણ નાશ થશે. લેકસંગઠન અને ધર્મસંગઠન ન હોય તો કોઈ સંસ્કૃતિ ન ટકી શકે.” પૂ. નેમિમુનિ : શ્રીય અને રોમન ઈતિહાસમાં એક વસ્તુ સમજવાની છે કે ટ્રિીશિયન અને પ્લેલિયન બે વર્ગો ગરીબ અને અમીર બાઝતાં; તેમાંથી પ્લેલિયન-ગરીબએ હિજરત કરી એટલે પેટ્રીશિયન અમીર લોકોને તેમને મનાવીને પાછા લાવવાં પડ્યાં. પણ બને વર્ગ ગુલામોને દબાવતા જ હતા. પરિણામે લોકશાહી દેવા છતાં કોઈ પણ અસરકારિતા ન થઈ. ટુમાં ચારે ય સંસ્થાનું અનુસંધાન ન થાય ત્યાં લગી, સંવ યુદ્ધો અને તારાજી થતી રહેવાની એ ચોક્કસ છે. (૧૭-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬. વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરોપને ઇતિહાસ-પૂર્વાર્ધ ] [મુનિશ્રી નેમિચંદ્રજી હવે આપણે યુરોપના ઇતિહાસ ઉપર સવિશેષ વિચાર કરશું. યુરોપ એશિયા મહાખંડને ચોંટી રહેલો ખંડ છે, બીજી રીતે તે એશિયાની મહાકાયાના અવયવ જે દેખાય છે. વિશ્વ ઉપર લાંબાકાળ સુધી એશિયાનું પ્રભુત્વ રહ્યું હતું. હિંદમાં પાંચ હજાર વર્ષ ઉપર મેહનજે-ડેરોના અવશેષો પ્રમાણે સંસ્કૃતિને વિકાસ થઈ ચૂક્યો હતે. મિસરમાં પણ તેટલી પુરાણું મમ્મીઓ મળી આવે છે. આર્ય સંસ્કૃતિને પણ વાર લગભગ પાંચેક હજાર વર્ષને માનવામાં આવે છે. તે વખતે યુરોપ શું હશે? તે વખતે યુરોપ કેવળ ગીચ-જંગલ અને પહાડોથી ભરેલ પ્રદેશ હે જોઈએ. ત્યાં એશિયામાંથી લોકો જઈને વસવા લાગ્યા. તેમણે ધીમે-ધીમે જંગલો સાફ કર્યા; નગર વસાવ્યાં, અને આજે યુરોપ સહુથી વધારે સત્તા ધરાવતું છે. તે વધારે સંસ્કારી ગણાય છે. સામાન્ય રીતે એમ મનાય છે કે ઘણું લાંબા કાળ પહેલાં ઉત્તર યુરોપ અને ઉત્તર એશિયાના દેશમાં અતિશય ઠંડી પડતી હતી. તે વખતે મધ્ય-યુરોપમાં મોટી મોટી હિમ-નદીઓ વહેતી હતી. મનુષ્યોની ત્યાં ખાસ વસતિ ન હતી. તે યુગને હિમયુગ તરીકે ત્યાંના લોકો ઓળખે છે. આજે પણ કયાંક ક્યાંક તેની નિશાની મળી આવે છે. તે વખતે ઉત્તર અને મધ્ય યુરોપમાં સર્વત્ર ઠંડી પડતી હતી. વખત જતાં ગરમીનું મોજું આવ્યું, ગરમ હવા થઈ અને યુરોપમાં ગયા જંગલો ઊગી નીકળ્યાં. વચગાળાને ઈતિહાસ મળતું નથી. પણ, રમના પતન પછી, પશ્ચિમ યુરેપ થાળે પડવા માંડયું હતું. કોન્સેન્ટીલના અમલ નીચેના મુલક સિવાય પૂર્વ યુરોપની દશા તે એથી પણ વધારે ખરાબ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ “એટીલા” નામના હુણ લોકોના સરદારે આગ અને ભાંગફોડથી યુરોપને ઘણે મુલક ઉજ્જડ કરી મૂકયો હતો. પરંતુ પૂર્વનું રોમન–સામ્રાજ્ય પતન પામતું પામતું પણ કદિ–કદિ પિતાની તાકાત બતાવતું હતું. ત્યાં તે નવા યુરોપની રચના આકાર લેવા માંડી હતી પણ તેને બનતા લાંબો સમય લાગ્યો હતો. વખત જતાં પશ્ચિમ યુરોપમાં નવી વ્યવસ્થા ખીલતી જતી હતી. કદિ કદિ સાધુ, સના શાંતિમય પ્રયાસો થતા હતા તે કદિ પરાક્રમી રાજાઓ તલવારના જોરે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરતા નવી-નવી સરહદે સર કરતા હતા. નવાં નવાં રાજ્ય બનતાં જતાં ધૃતાં. ક્રાંસ, બેલજીયમ અને જર્મનીના અમુક ભાગમાં “ કલેવિસ” નામની નેતાગીરી હેઠળ રેક જાતિના લોકોએ રાજ્ય સ્થાપિત કર્યું. કવિએ ઈ. સ. ૪૮૧ થી ૫૧૧ સુધી રાજ્ય કર્યું. પણ, થોડા સમયમાં જ “મેયર ઓફ ધી પેલેમ ” (રાજમહેલને મુખી) નામના દરબારીઓએ રાજ્ય પિતાને કબજે કર્યું. તેઓ સર્વસત્તાધીશ થયા, તેમને હદો પણ વંશપરંપરાગત થઈ ગયો. રાજાએ પૂતળાં જેવા જ રહ્યા. ખરી સત્તા આ લોકોના હાથમાં રહી. ૭૩૨માં ટુના રણક્ષેત્રમાં “ચાલે ટલેસેરેસલ નામના લેકેડને હરાવ્યા. તેથી ખ્રિસ્તી લોકોની નજરે તે યુરોપના તારણહાર જે મનાવા લાગ્યો. લોકોએ તેને ખૂબ માન આપ્યું. તેની સત્તા એટલી બધી વધી ગઈ કે તેના પુત્ર “પીપીને’ રાજાને ગાદી ઉપરથી ઉઠાવે; જાતે રાજા બની ગયે. પિપે તેને મંજુરી આપી. પરિણામે કેન્સેન્ટીલના સમ્રાટ સાથે પિપને સંબંધ બગડ્યું અને બન્ને યુદ્ધ ઉપર ચડયા. પપે પીપીનની મદદ માંગી. પીપીનને પુત્ર શેર્લમેન પિપની મદદે ગયા. તેણે પોપના દુશ્મનોને હાંકી કાઢયા, તેથી રાજી થઈ પિપે ઈ. સ. ૮૦૦માં મોટો સમારંભ કરી રોમના દેવળમાં પાર્લમેનને રોમન સમ્રાટ જાહેર કર્યો. તે દિવસથી રોમ, “પવિત્ર રામ સામ્રાજ્ય” તરીકે ગણાવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ પણ સત્તાની સાઠમારી તો ચાલુ જ રહે છે. હવે પિપ મોટે કે સમ્રાટ ? તે અંગે ઘણી સદીઓ સુધી ઝઘડો ચાલતો રહ્યો. કારણ કે બને પૃથ્વીની ઉપર ઈશ્વરના પ્રતિનિધિ મનાતા હતા. સમ્રાટ રાજકીય બાબતે સંભાળતો તે પિપ ધામિક? પણ ધાર્મિક સામ્રાજ્યના સમ્રાટ થયા પછી યુરોપમાં દરેક રાજયમાં રાજામાં દૈવી ગુણોનું આરોપણ કરવામાં આવ્યું. નાનપણથી જ રાજાને દેવ માનીને લોકોને સત્તા આગળ નમવાનું. આ રીતે યુરોપમાં ચાલ્યું. તે પ્રેમના કારણે નહીં પણ ભયના કારણે જ. અંગ્રેજોને રાજા હજુ પણ ધર્મ રક્ષક ગણાય છે. પાપ અને પવિત્ર રાજ્ય સમ્રાટ શમેનમાં વાંધો પડે. શોલમેને બગદાદના ખલીફા હારૂન-ઉલ-રસીદની મદદ માંગી. આ તરફ કોન્ટેન્ટીપલના સમ્રાટને શોમેન સાથે સંબંધ સારો ન હોતે, તે રીતે બગદાદના અબ્બાસી ખલીફા સાથે સ્પેનના સેરેસન લોકોને સંબંધ મીઢો ન હતો. આમ એક ખ્રિસ્તી અને એક આરબ સત્તા મળી, બીજી ખ્રિસ્તી અને આરબ સત્તા સામે લડવા માટે ભેગા થયા. આની પાછળ તે સત્તા સિવાય કોઈ ઉદ્દેશ નથી પણ તેને ધમને બુરખો ઓઢાડી દેવામાં આવે છે. એક તરફ એવું જોવામાં આવ્યું કે લોકો પવિત્ર કરાશે પવિત્ર સમ્રાજ્ય, ઈશ્વર અને ઈશુના પ્રતિનિધિ તરીકે પિપની વાત કરતા હતા ત્યારે બીજી તરફ પશ્ચિમ દુર્દશા તરફ ઘસડાઈ રહ્યું હતું. શેર્લમેનના અમલ પછી થોડા જ વખતમાં ઈટલીની હાલત બગડતી ગઈ. ઘણા ઉપજે તેવા ચારિત્રહીન લોકોનું સ્થાન રોમ બની ગયું, પિપની પસંદગી મનફાવે તેમ થતી અને તેને સ્થાનભ્રષ્ટ પણે લોકો કરતા હતા. શર્લમેન ઈ. સ. ૮૧૪માં મરણ પામ્યો. તે વખતના પવિત્ર રોમ સામ્રાજ્યમાં ક્રાંસ, બેલ્જયમ, હેલેન્ડ, વીટઝરલેંડ, અર્ધ જર્મની, અર્ધ ઈટાલી એટલા દેશ હતા. બધે અરાજકતા હતી. શોલમેનના મરણ બાદ તે ભાગલા રૂપે વિકસીને ફાંસ અને જર્મની સ્વતંત્ર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ગયાં. ઇ. સ. ૮૪થી જમને સ્વતંત્ર રાજ્ય તરીકે થયું. ત્યાંના એક સમ્રાટ મહાનઓટોએ ઈ. સ. ૮૬થી ૮૭૩ સુધી લોકોનું અલગ પ્રજા તરીકે ઘડતર કર્યું. ફસ ઓટોની પકડ બહાર હતું, પણ તેના ઘા નાના ટુકડાઓ હતા. તેઓ એક બીજા કરતાં પણ પિપ તેમ જ રોમ સમ્રાટથી વધુ ડરતા હતા. તે વખતે હ્યુકે પટે ત્યાંના ચાર્લેના વંશજોને હાંકી કાઢી કાંસને કબજે લીધે અને ક્રાંસ એક સ્વતંત્ર રાજ્ય તરીકે કાયમ થયું. કમનશીબે કાંસ અને જર્મની અને પાડોશી રાષ્ટ્ર હોવા છતાં, બને વચ્ચે તીવ્ર સંઘર્ષ ચાલો જ રહ્યો. રશિયા યુરોપના ઈતિહાસમાં તે વખતે જ પ્રગટ થાય છે. ૯૫૦ની સાલમાં રૂસ્કી નામના માણસે રશિયાના રાજ્યને પાયે નાખે. તે ઉપરાંત પણ ઘણું રાજ્ય આકાર લેતાં હતાં. યુરોપના અગ્નિ ખૂણે બબ્બેરિયા, પિલ લેકનું પિલાંડ તેમ જ હંગેરિયન લોકોનું હંગેરી પણ રોમના પવિત્ર સામ્રાજ્ય અને રશિયાની વચ્ચે પ્રારંભ થતું હતું. લવે યુરોપમાં લોકોએ પશ્ચિમ તેમ જ દક્ષિણ તરફ વધવું શરૂ કર્યું. તેઓ નાવમાં બેસીને તે પ્રદેશમાં જતા; ત્યાં લુંટફાટ તેમ જ કતલેઆમ કરી તે લોકો ભૂમધ્ય સાગર સુધી પહોંચ્યા. ત્યાંથી મોટી નદીઓ વાટે તેઓ ઉપર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લોકોને રંજાડવું, લુંટફાટ, કતલ ચલાવવી વગેરે કાર્યો કર્યા. રેમ અને ઈટાલીમાં અરાજક રિસ્થતિ પેદા થઈ. રોમ લુંટાયું, ક્રાંસને વાયવ્ય ખૂણે, ઈટાલીન દક્ષિણ ભાગ તેમ જ “સીસીલિ' તેમના કબજામાં ગયાં. તેઓ ત્યાં ઠરીઠામ થઈ, જમીનદાર-ઉમરાવ બનીને રહ્યા. પેન-પોર્ટુગલ રાની ઉત્પત્તિને એ કાળ ગણી શકાય. ઇ. સ. ૧૦૧માં કાંસના નર્મડી પ્રાંતના રમન લોકોએ (જેઓ ટપાટ કરીને આગળ વધ્યા હતા) વિલિયમ વિજેતાની સરદારી હેઠળ ઇચ્છાંડને યું. આમ એક તરફ યુરોપમાં રામનું પતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ થયું. પવિત્ર સામ્રાજ્યની પકડ ઢીલી થઈ ત્યારે સ્વતંત્ર રાજ્ય ધીરેધીરે આકાર લેવા લાગ્યાં. એ વખતના રાજ્યોમાં આજના જેવી રાષ્ટ્રભક્તિ ન હતી. ધર્મભાવના વધારે હતી. મુસલમાને પિતાને મુસ્લિમ જગતના અંગ માનતા, ખ્રિસ્તીઓ પિતાને ખ્રિસ્તી-સમાજના અંગ માનતા. તેમના ખ્યાલ સ્પષ્ટ ન હતા તેમજ રેજિન્દા જીવન ઉપર તેની ઓછી અસર હતી. જો કે ખાસ પ્રસંગે પડતા ત્યારે બન્ને ધર્મોના નામે ઝનૂન ભરી દેવામાં આવતું. જેમના ઇતિહાસમાં આપણે એક વાત જોઈ કે “સત્તા બળવાનની.” એ પદ્ધતિના કારણે ત્યાંનું પતન થયું. વ્યવસ્થા પડી ભાંગી અને અરાજકતા તેમજ જોરજુલ્મો વધી ગયાં. જબરા લેકો હાથમાં આવે તે પચાવી પાડવા લાગ્યા. બળવાન લૂંટારૂઓએ પિતાના ગઢ બનાવ્યા અને ત્યાંથી તેઓ દરોડો પાડવા લાગ્યા. તેઓ સામાન્ય પ્રજાને રંજાડતા હતા તેમજ કયારેક બીજા કિલ્લાના લોર્ડ (માલિક) સાથે પણ તેમને લડવું પડતું. ગરીબ ખેડૂતો અને મજૂરોને સહુથી વધારે રહેવું પડતું હતું. અંતે આ લોકોને સંગઠિત બનીને લૂટારૂ સરદારે (બેરજ ) સાથે સંધિ કરવી પડી. તેમાંથી એક “ફયુડલ સીસ્ટમ” નવી સમાજપદ્ધતિ અમલમાં આવી. જે બેરેન લે કો ન રંજાડે, લૂંટે કે તેમના જેવા બીજા પાસેથી તે લેકોના વર્ગનું રક્ષણ કરે છે તેમણે પિતાની ખેતીની અમૂક ઉપજ આપવી કે અન્ય સેવા આપવી એમ તેમણે નક્કી કર્યું. એવી જ રીતે નાના કિલ્લાને લોર્ડ મોટા કિલાના લોર્ડ સાથે સમાધાન ઉપર આવ્યો. નાને લેર્ડ, ખેડૂત ન હોઈને તેણે જરૂર પડે લશ્કરી મદદનું વચન આપ્યું. આમ પ્રજાથી ઉપર નાનો લોડ, તેની ઉપર મોટો લોર્ડ અને તેનાથી આગળ નેબલ તેમજ સહુથી ઉચે રાજા આ ફયુડલ સીસ્ટમમાં આવતો. આ યુડલ પ્રથાને સંબંધ સ્વર્ગમાં પણ બાંધ્યો. જ્યાં ક૯૫વામાં આવ્યું કે ઈશ્વર તેમને (દેવ) વરિષ્ઠ લોર્ડ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ આ ફયુડલ-વ્યવસ્થા યુરોપમાં પ્રવર્તતી હતી ત્યારે મધ્યસ્થ તંત્ર કે રાજ્યતંત્ર જેવું ન હતું. વ્યવસ્થા જાળવવા માટે પોલિસ ન હતી. જમીનદારો લડ ગણાતા અને ખેડૂતો તેમના આસામી કે દાસ ગણાતા. જમીનદાર રક્ષણને ભાર ઉપાડો અને ખેડૂતે તેને ખેતીની ઉપજમાંથી તેને ભાગ આપતા. આમ આ આખી યુડલ વ્યવસ્થા, જેની જેટલી જમીન તે પ્રમાણે હતી. તેમાં ક્યાંયે વ્યવસ્થા કે સમાનતા ન હતી. પરિણામે લોર્ડથી લઈને રાજા સુધીને, તેમજ ચર્ચને-બિશપથી લઇને નાના કાર્ડિનલ (કર્મચારી ને જે ગરીબ પ્રજા ઉપર જ પડતો હતો. અનાજ પેદા કરવાનું કે રોજગાર કરવાનું કોઈ પણ કાર્ય કોઈ પણ લોર્ડ કરતો ન હતો. તેઓ યુદ્ધ, શિકાર, મનોરંજન, ઘોડેસ્વારી વગેરેમાં જ જીવન ગાળતા હતા. કાયદે તેમના ઘરને હતો અને તેઓ જે કાંઈ પણ માંગે છે. નીચલા થરના લોકોને આપવું પડતું. જે કાયદા હતા તે એ લોકોએ બનાવેલા હેઈને તેમની તરફેણના હતા. એક રીતે આ વ્યવસ્થા અકળાવનારી હતી અને તે કો પૂર્ણ નહીં પણ અંશતઃ સ્વતંત્ર થવા માટે વિચારતા થયા. ખેડૂત ઉપરાંત કારીગર અને વેપારીઓ હતા તેઓ લડૅના આસામ ન હતા. ધીમે-ધીમે વેપાર વધવા લાગ્યો અને કારીગરોનું પણ મહત્વ વધવા લાગ્યું. તે છે કે પૈસાદાર થવા લાગ્યા તેથી મોટા મોટા-લોર્ડે તેમની પાસેથી રકમ ઉછીની લેવા લાગ્યા; તેના બદલે તેમણે કેટલાક હકક મેળવ્યા. આમ લેડેની સત્તા નબળી પડી. આના પરિણામે લેડેના કિલ્લાની પાસે સ (આસામી) લોકોના માટીના ઝૂપડાં સાથે ગિલ્ડહેલ (મહાજન ગૃહ) તેમજ નાના નાના કસબાઓ અને દેવળો પણ ઊભાં થતાં ગયાં. આગળ જતાં આ મહાજન-ગૃહ નગરગૃહોમાં ફેરવાઇ ગયા. ધીમે ધીમે કેલોન, કફ, હેબર્ગ નામનાં શહેરો વધવા લાગ્યા. ત્યાં વેપારીઓ અને કારીગરોનું બળ હતું. તેમની સામે ફયુડલ લોર્પો આર્થિક દષ્ટિએ સશકત ન હતા. જર્મની અને ઉત્તર ઈટાલીમાં આવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૦ નવાં શહેરે વધુને વધુ ઊભા થવા લાગ્યાં. ક્રાંસમાં પેરિસ પણ વધતું જતું હતું. વેપાર-રોજગાર માટે શહેર કેંદ્રરૂપે બનતાં ગયાં. એકતરફ સર્ફ આસામીઓ લડેથી કંટાળ્યા હતા; બીજી તરફ લો વેપારીઓના દેવાદાર બનતા જતા હતા. લડે અને ધનવાન વર્ગ વચ્ચે હરિફાઈ અને અંતે લડાઈઓ પણ થઈ તેમાં ધનવાને જીત્યા અને ફયુડલ વ્યવસ્થાને ધીમે ધીમે અંત આવી ગયે. તેની અગાઉ યુરોપની પ્રજા એક યા બીજી રીતે ધાર્મિક ભાવનાથી સંકળાયેલી હતી. પણ નગરો ઊભા થતાં અને ફયુલ પ્રથાને અંત આવતાં ધાર્મિક ભાવના વિખેરાઈ ચાલી. તેમાં એક તે કારણ એ હતું કે પિપ ફયુડલ વ્યવસ્થાને માન્યતા આપતો હતો અને તેને ઈશ્વરને પ્રતિનિધિ માની લેકે એ વ્યવસ્થાને માનતા; પણ જ્યારે તેને અંત આવ્યો ત્યારે લોકોની ધાર્મિક શ્રદ્ધા ખળભળી ઊઠી. એટલું જ નહીં ઘણા વિચારકે એમ પણ માનતા થયા કે પિપ સ્વાર્થ અને સત્તા માટે જ યુડલ વ્યવસ્થાને માન્ય કરે છે. એક બીજી વાત પણ બની. પિપે એવી કલ્પના વહેતી કરી કે ઈશું પછી એક હજારમે વર્ષે દુનિયાનો નાશ થશે. તે વખતે યુરોપમાં ભયંકર હાડમારી, દુઃખ અને જુલ્મનું રાજ્ય ચાલતું હતું એટલે ઘણું લોકો તેને ખરૂં માની બેઠા હતા અને દુનિયાને અંત આવે તે પહેલાં પવિત્ર-ભૂમિ પેલેસ્ટાઈનમાં હાજર રહેવા ઘણુ લકે બધું વેચી કરીને ત્યાં જવા નીકળ્યા. જેરૂસલેમ જનારા આ લેકીને તુર્ક લકે એ ખૂબ સતાવ્યા અને હેરાન કર્યા તેથી તેઓ દુઃખી થઈ અને શરમના માર્યા પાછા ફર્યા. તેમનાં ઉપરનાં વીતકોની વાત મેર ફેલાવવામાં આવી. સાધુ પીટરે, હાથમાં દંડ ધારણ કરી, ઠેર-ઠેર ફરી પવિત્ર જેરૂસલેમને મુસલમાનોના પંજામાંથી છોડાવવા પિકાર કર્યો. પિપની સત્તા કંઈક ડગમગતી હતી. તેણે આ તકનો લાભ લઈ, લોકોની ધાર્મિક લડાયક ભાવનાનું નેતૃત્વ કરવાનો સંકલ્પ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૧૦૮૫માં ખ્રિસ્તી ધર્મ તંત્રની મોટી સભા ચર્ચે નકકી કર્યું કે જેરૂસલેમનું પવિત્ર નગર મુસલમાનેથી છોડાવવા માટે મુશ્કેડ ધમ–યુદ્ધ કરવુંત્યાર પછી ૧૫૦ વર્ષ સુધી કુઝેડ અને જેહાદ, એટલે કે ખ્રિસ્તી-મુસ્લિમ યુદ્ધથી ભરેલાં છે. આમાં સામાન્ય માનવી હોમા તે પણ વેપારીઓએ પોતાના સ્વાર્થ માટે અને પપે પિતાની સત્તા ટકાવવા માટે તેને ચાલુ રાખ્યું. વેપારીઓને લૂંટફાટને પુષ્કળ માલ મળતો. સહુથી વધારે ભયાનક ઝેડ નામન સરદાર બુઇલોનાં ગડકેએ ચલાવી. તે બીજા મુઝેડરો સાથે લૂંટફાટ-કલ કરતો પેલેસ્ટાઈન પહોંચ્યો. જેરૂસલેમ તેના હાથમાં આવ્યું અને તેણે સાત દિવસ સુધી ભયંકર કલેઆમ ચલાવી. એક કાંસવાસી દશ કે લખ્યું છે કે “મજીદના પ્રવેશ દ્વાર આગળ ઘુટણ સુધી લેવી હતું.” ગોડફે જેરૂસલેમન રાજા બન્યા. ૭૦ વર્ષ બાદ મુસલમાનેએ મિસરના સુલતાન અલાદીનની આગેવાની હેઠળ જેરૂસલેમને પાછું મેળવ્યું. ત્યારબાદ પણ મુઝે તો ચાલતી જ રહી, પણ તેમાં મોટા ભાગે નિષ્ફળતા જ મળતી રહી. આ વખતે પિપની સત્તા પરાકાષ્ટાએ પહોંચી હતી. પિોપ પિતાનું શાસન ટકાવવા જાતજાતના અને ભાતભાતના શાસન પ્રયોગો કરતા રહ્યા. પિપ ગ્રેગરી ૭ માએ પોપની ચૂંટણી માટે એક નવી રીત કાઢી. સાથે જ પવિત્ર ધાર્મિક રોમન સામ્રાજયના સમ્રાટને પણ ચૂટવાની પ્રથા પડી. આ ચૂંટણી કરવાનો અધિકાર સાત ફયૂડલ ઉમરાવોને હતે. તે છતાં ખ્રિસ્તી ધર્મબળ સંગઠિત ન થઈ શક્યું; કારણ કે તેને આધાર લોકહિત ન હેઈને શાસન તેમ જ દબદબો હતો. તેમાં પણ મુઝેડની નિષ્ફળતાઓ અને તેમાં શહીદ થતાં લોકોના ઘરોની પાયમાલી વગેરે જોતાં, ઘણા લોકો એનાથી અલગ પડીને વિચારવા લાગ્યા. તેમણે ચર્ચો. પિપ અને આ ધમ–યુદ્ધોને વખોડી કાઢયા. પરિણામે ચર્ચે તેમની શંકાનું નિવારણ દલીલ કે બુદ્ધિથી કરવાના બદલે તેની સામે લાઠી તેમ જ અન્ય હિંસાત્મક પ્રયોગ આદર્યા. આમાં જીવતા સળગાવી મૂકવા જેવા નૃશંસ અત્યાચાર પણ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૧૧૫૫માં ઈટાલીમાં બ્રેલિયાના વતની “આનેડ” નામનો લોકપ્રિય ધર્મોપદેશક છે. તે પાદરીઓના વૈભવવિલાસ અને ભેગોની વિરુદ્ધમાં પ્રચાર કરતો હતો. તેને પકડીને, જીવતો ફાંસીએ ચડાવવામાં આવ્યો અને તેના મડદાંને બાળી નાખવામાં આવ્યું. તે અંત સુધી અડગ રહ્યો. તેના કારણે એક ન વર્ગ નવા વિચાર સાથે ઊભો થયો. આ વર્ગને દબાવવા માટે પિપ તેમ જ ચચે કોઈ પણ પગલું ભરવામાં કસર ન કરી. આ વિરોધ કરનાર સંપ્રદાયોને ચર્ચે સંપ્રદાય બહાર કર્યા. તેમની સામે પણ વ્યવસ્થિત ક્રુઝેતેણે આરંભી. ઘણા પેદા કરે તેવી ક્રૂર દમનની રીતો અજમાવવામાં આવી. આમ ચચે લડાયક અને ભીષણ રૂપ ધારણ કર્યું. તે છતાં વિરોધીઓ વધતા ગયા. તેમણે સંત ફ્રાંસિસ નામના અતિશય આકર્ષક સંત પુરૂષની નીચે ગરીબો અને રક્તપિત્તીયાઓની સેવાનું શાંતિ-કાર્ય ઉપાડયું. આ સંત ક્રાંસિસ પોતે ધનવાન હતા પણ બધી ધનદૌલતનો ત્યાગ કરી તેમણે ગરીબીનું વ્રત લીધું અને સહુથી ઉપેક્ષિત એવા ગરીબ રક્તપિત્તિયાઓની સેવામાં પરોવાયા. તેના અનુયાયીઓ વધવા લાગ્યા. તેઓ વિરોધના બદલે લોકસેવાનું કાર્ય શાંતિપૂર્વક કરતા હતા. તેણે સંઘ રચ્યો અને મોટે પાયે બૌદ્ધ સંઘ જે તે હતો. મુઝેડ વખતે તે મિસર અને પેલેસ્ટાઈને ગયે. આ પવિત્ર માણસને ખુદાને માણસ ગણીને મુસલમાનેએ તેને કંઈ પણ યંત્રણ ન આપી; પણ ચચે તેને અવરોધ ગ. એવો જ એક બીજો સંઘ મેનિક સંપ્રદાય ચર્ચમથિી છુટ છે. આ સંધ ધર્માન્ધ અને ઝનૂની હતા. તે સંત કાન્સિસના સંઘથી તદ્દન વિરુદ્ધમાં હતો. તે દમન, જુલ્મ અને પાશવી અત્યાચારો વડે કાર્ય પાર કરવામાં માનતો હતો. પવિત્ર રોમન ચર્ચામાં ૧૨૩૩ માં વિધિપૂર્વક હિંસા વડે ધર્મનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૩ રાજ્ય ટકાવવા માટેનું વિધાન “ઈન્કવીઝન ” રૂપે આપ્યું. જે લેકો ચર્ચની માન્યતા પ્રમાણે ન ચાલતા હેય તેમને નાસ્તિક ગણવા અને શોધીશધીને રીબાવવા, બાળી નાખવા અને મારી નાખવાને હિંસક ધારે ચર્ચે પસાર કર્યો. કેટલીક સ્ત્રીઓને ડાકણ ગણીને ખૂબ જ હેરાન કરવામાં આવતી. આ ધાર્મિક ઝનૂન એ હદે પહોંચ્યું કે ઘણી વાર “ઈન્કવીજીશન”ની આજ્ઞા ન થાય તે પહેલા ઝનૂની ટોળાંએ જ અત્યાચાર કર શરૂ કરી દેતા. તેને ભોગ ૧૩૧૮ માં સંત ફાસિસના સાધુએ થયા. તેમાંના ઘણાને માર્ચોઈસમાં બાળી મૂક્વામાં આવ્યા. પણ, આ ધાર્મિક હિંસક પ્રથાથી પણ ચર્ચનું ધર્મ-શાસન ટકી શકયું નહીં. બળવાઓ થયા, બંડ થયાં અને લોક ચર્ચની ધાર્મિક સત્તાથી જુદા પડતા ગયા. યુરોપમાં અવગ-અલગ રાજ્યો થતા ગયા. તેઓ ચના વાડાઓને પિતાના સ્વાર્થ ત્રમાણે માન્યતા આપતા ગયા. ૧૮૭૮ માં પિપોની અંદર સંઘર્ષ વધી પડયા અને ધર્મસત્તાથી લો કે એટલી હદે કંટાળી ગયા કે જ્યારે રશિયામાં સામ્યવાદ આવ્યો ત્યારે ધાર્મિક અને સદંતર નાશ થયો કે માત્ર નજીવા અસ્તિત્વ સાથે સામ્યવાદી દેશમાં ચર્ચા રહ્યા. ધાર્મિક સત્તા સાથે યુરોપમાં બારમી સદીની આસપાસ રાજ્યસત્તામાં પણ ફેરફાર શરૂ થશે. ધર્મસત્તા અને રાજયસત્તા વચ્ચે રામન ચર્ચની અંદર જે હરિફાઈ ચાલી તેની અસર બીજાં રાજ્ય ઉપર પણ પડી. યુડલ પ્રથા પ્રમાણે રાજાની સત્તા ઘણી વધારે થતી હતી. રાજ ઘણીવાર સ્વછંદ રીતે વર્તવા લાગ્યા હતા. એમાં ૧૨૫માં એક ઘટના ઈંગ્લાંડમાં થઇ. તે વખતને રાજ “ જેન' અતિશય લોભી હતી અને તેના વર્તનના કારણે પ્રજા છેડાછી જતાં લોકો તેની વિરૂદ્ધમાં થયા. ટેમ્સ નદીના સ્નીમીક ટાપુ ઉપર ઉમરાવએ તેને ઘેરી લીધો અને તલવારની અણીએ મેગ્નાકર્ણ કે પવિત્ર કરાર ઉપર સહી કરવાની તેને ફરજ પાડી. એ કરારમાં પ્રજાને અધિકાર જળવાતું હતું. તે પ્રમાણે રાજ સમોવડિયાઓની સંમતિ વગર કોઈપણ નાગરિકની મિલકત કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતા છીનવી શકતો નહતા. તેમાંથી પુરી પદ્ધતિને ઉદ્ભવ થયા. આ રીતે ઈંગ્લાંડમાં રાજસત્તા ઉપર અંકુશ મૂકવામાં આવ્યો. એ કરાર બાદ ઈગ્લાંડમાં બીજો એક મહત્વનો બનાવ બન્યો. રાષ્ટ્રીય બળો જેશમાં આવતા ત્યાં રાષ્ટ્રીય બળો જેશમાં આવતા ત્યાં રાષ્ટ્રીય સભાનો ઉદય થયો. દેશના જુદા-જુદા ભાગમાંથી લોકો પિતાના પ્રતિનિધિ ચૂંટીને મોક્લવા લાગ્યા. ઈંગ્લાંડની પાર્લામેંટનો પ્રારંભ હતો. નાગરિકોની પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ કોમન્સ) અને અમીર ઉમરો અને બિશપની ઉમરાવ સત્તા (હાઉસ ઑફ લોર્ડસ) બીની. પ્રારંભમાં તે તેમની સત્તા ઓછી હતી પણ ધીમે ધીમે સત્તા વધતી ગઈ અને અંતે પાર્લામેંટે સર્વોપરિતા પ્રાપ્ત કરી. ૧૭મી સદીમાં રાજા પાર્લામેંટના હાથ નીચે કાર્ય કરતી શાસનની નામ માત્ર વ્યક્તિ તરીકે રહી ગયે. આના ધાર્યા પ્રભાવ યુરોપ ઉપર પડ્યા વગર ન રહ્યા. ચર્ચનું ધર્મ-શાસન લુપ્ત થતું ગયું. રાજાશાહી, અને પ્રજાપ્રતિનિધિત્વ શાસન વચ્ચે સંઘર્ષ થતો ગયો. ઈંગ્લાંડની પાસેના પ્રદેશોમાં, કાંસ વગેરેમાં બળવાઓ થયા, ક્રાંતિઓ થઈ અને પ્રજાકીય પદ્ધતિનું શાસન આવ્યું. રોમ-ઈટલીની પાસેના પ્રદેશમાં રાજાશાહી ટકી રહી. એ બંનેની વચ્ચે, ઉત્તર પૂર્વમાં અત્યાચારી રાજાશાહી ચાલતી રહી. રશિયા કે આસપાસના પ્રદેશોમાં તે ૧૮મી સદી સુધી ચાલ્યું. પ્રજાને સંઘર્ષ વધતો જ ગયો. યુરોપમાં બે ક્રાંતિઓએ આખા યુરોપને બદલી નાખ્યું. એક ધમંક્રાંતિ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ; લોકો તે છતાંએ સત્તા અને પૈસાના બળ હેઠળ પીસાતા રહ્યા. રશિયાની સામ્યવાદી ક્રાંતિ એ યુરોપના ઈતિહાસનું મહત્વપૂર્ણ પ્રકરણ છે. જેમાં યુરોપ બીજા વિશ્વયુદ્ધ પછી ખરેખર એ છાવણીમાં વહેંચાઈ ગયું; અને બન્ને વચ્ચે સત્તાની સાઠમારી માટે વિચારથી લઈને વાયુ-બમ સુધીના સાધનોની હડચાલી રહી છે, આના પાયાના કારણમાં જોઈશું તો અહીં ધમ હતો, પણ ધર્મો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૫ લે કોને ખરૂં માર્ગદર્શન ન આપ્યું અને તેણે જ સત્તા ટકાવવા માટે કે પરિવર્તન આણવા માટે હિંસાને રીતસરની માન્યતા આપી. એટલે આજે પણ યુરોપની પ્રજામાં શાંતિ-અહિંસાની રીતે કાંતિ થઈ શકે એ વિચાર જલદી ગળે ઉતરતે નથી. યુરોપનો ઈતિહાસ મોટા ભાગે યુદ્ધોને, લોહિયાળ-ક્રાંતિ અને સ્વાર્થ માટે વિશ્વયુદ્ધોને સતી પ્રજાને ઈતિહાસ છે. તેને એક યા બીજી રીતે દોષ જૂની ધર્મશાસન પ્રથા અને રાજ્ય પ્રથાને ફાળે જ જાય છે. ૬. . અમેરિકાને સંક્ષિપ્ત પૂર્વ ઇતિહાસ યુરોપના ઇતિહાસમાં એક વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે કે યુદ્ધો કે કુડે ચલાવ્યે રાખવામાં સ્વાર્થી સ્થાપિત હિતેને સ્વાર્થ વધારે છે. પણ જેમ જેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ તેમ તેમ દેશની સંપત્તિ વધારવા માટે લૂંટફાટ કે ચાંચીયાગીરીના રસ્તાઓ બંધ થયા. આ અરસામાં સ્પેન-પોર્ટુગલ તેમજ ચ દેશના લોકોએ વિદેશગમન શરૂ કર્યું. આમાં સાહસી લોકો ઉપરાંત ધર્મ-સંપ્રદાયોના પટ-વિભાગે વાળો વર્ગ પણ હતો. આ લોકો આફ્રિકા, અરબસ્તાન, હિન્દ, જાવા-સુમાત્રા સુધી ફરી વળ્યા. એમાંથી કેલ બસ નામને સાહસી હિન્દના બદલે અમેરિકા જઈ ચડ્યો. અને આ રીતે અમેરિકા શેધાયું. કોલંબસે અમેરિકા શે તે પહેલાં તે જંગલી પ્રદેશ હતો એમ માનવાનું કોઈ પણ કારણ નથી. અગાઉ પાષાણ યુગથી ત્યાં વસતિ હોવાનું મનાય છે. તે વખતે ત્યાંની પ્રજા શિકારી જીવન પસાર કરતી હોય તે બનવાજોગ છે. એમ કહેવાય છે કે અલાસ્કાથી મનુષ્યની ટોળીએ એક ખડમાંથી બીજા ખંડમાં આવતી જતી હશે. એશિયા અને ઉત્તર અમેરિકા વચ્ચે જમીન માર્ગ અવરજવરને વહેવાર હાય એવા સંભવ છે. પ્રાચીન અમેરિકાની સંસ્કૃતિના ત્રણ કેન્દ્રો હતાં :-મેકસીકે, મધ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા અને પેરૂ. લગભગ ૬૧૩માં મેકસીકોમાં સંવત પ્રારંભ થયો. તે વખતે ત્યાં માટીનાં વાસણો, વણાટ તેમ જ પત્થર-કામ ચાલતું હતું. ત્રાંબું, સોનું અને લોઢું પુષ્કળ હતું. તેમની લેખનકળા હતી, સ્થાપત્યકળા હતી. અમેરિકામાં ઘણાં નાનાં નાનાં રાજ્ય હતાં. ઘણી ભાવાઓ હતી. રાજ્યતંત્ર કંઈક અંશે વ્યવસ્થિત હતું. મધ્ય અમેરિકામાં ત્રણ રાજ્યોને સંઘ બન્યો. ઈશુના એક હજાર વર્ષ પછી આ બનવા પામ્યું હતું. ત્યાં માયા સંસ્કૃતિ ચાલતી હતી અને તેમાં ધર્મગુરૂઓનો પ્રભાવ હતું અને વિશેષ પ્રતિષ્ઠા હતી. આ માયા સંસ્કૃતિ લગભગ યુરોપીયન આવ્યા ત્યાં સુધી રહી. રેડ ઈડીયાને તેના વારસદાર ગણાવી શકાય. મેકિસકમાં પ્રજા લશ્કરી ખમીરની હતી. લડાઈ લડતી. તેની રાજધાની આઝટેક હતી. પેરૂમાં પણ જૂની સંસ્કૃતિ હતી. યુરોપની નવી પ્રજાના સંપર્ક આવતાં આ ૧૫૦૦ વર્ષો જૂની સંસ્કૃતિ અને જાતિ કેમ નાશ પામી તે કહેવું મુશ્કેલ છે. એક તો એ પણ કારણ હોઈ શકે કે યુરેપની પ્રજાને જૂના રામને ના મળેલા વારસા પ્રમાણે જૂની પ્રજાને નાશ કરવો તે મુજબ યુરોપની પ્રજાએ તેમને નાશ કર્યો હોવો જોઈએ. બીજું કારણ એ છે કે તેઓ ઊંડા જંગલમાં ઉતરી જતાં જંગલી જનાવરે કે ભયંકર વ્યાધિના ભોગ થઈ પડ્યા હોય. દક્ષિણ અમેરિકામાં પિ૨માં દડાનું રાજ્ય હતું. ત્યાં કંઈક સંસ્કૃતિ હતી. એમ આજના મળી આવતા અવશેષો ઉપરથી જાણી શકાય છે. ઈડા રાજાને ૧૫૦ની સાવમાં સ્પેનવાસીઓએ પકડી લીધેલ. પિઝારો નામના સેનાપતિએ તે રાજ્યને સ્પેનમાં ભેળવી દીધું. આ ઉપરથી જાણી શકાય છે કે જ્યાં સંસ્કૃતિઓ અંગે અનુબંધ ન રહ્યો ત્યાં ત્યાં પ્રજા અને સંસ્કૃતિ બંનેનો નાશ થયે; કાં લોકે આપસમાં લડતા જ રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા-વિચારણા શ્રી માટલિયાએ ચર્ચાને આરંભ કરતાં કહ્યું : “સંસ્કૃતિ એટલે સહિયારે વારસે.” આમાં ઇતિહાસ જેને સ્પર્શતું નથી, કે જે અલગ રહી જાય છે તે મહત્વને હિસ્સ જૈન તીર્થકરોને રહેલો છે. જેમણે સર્વાગી ક્ષેતિ કરી, ભારતીય સંસ્કૃતિને વિશેષરૂપે ઉજ્જવળ બનાવી છે. જૈન તીર્થકર અંગે હું મારા મંતવ્ય મુજબ જણાવીશ. જૈન ધર્મમાં આ અવર્માપણીતકાળ છે. એટલે કે કમલ હાસ થનારે કાળ છે. જૈન ધર્મમાં આને છ આરા (વિભાગ)માં તેના ગુણે પ્રમાણે વહેચેલે બતાવવામાં આવ્યા છે. એટલે ગુણ પ્રમાણે નામ રાખવાની પરપરા જૈન ધર્મમાં ચાલુ રહેલી છે. દા. ત. ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન હતું પણ પછી આત્મીય વીરતાની મહાનતા પ્રગટ કરતાં તેમનું નામ મહાવીર થઈ ગયું. એવી જ રીતે પ્રારંભથી દરેક તીર્થ કરીને એક એક નામ અને ગુણ રૂપે લેશું તો તે કાળની વિશેષતા જણાઈ આવશે. પહેલા તીર્થકર ઋષભ દેવજી તેમણે પ્રજાને ખેતી તરફ પ્રેરી; ગાય-બળદ વગેરેને યા માટે, તેમ જ ખેરાક માટે તે વધ અટકા. એટલે તેઓ કામનાથ કહેવાયા. તેમનું ચિહ્ન પણ ઋષભ છે. તેમણે બળદ-પશુના ઉપભોગને બદલે ઉપયોગ શીખવા. કષભદેવના સમયમાં જુદાં જુદાં ચો–પ્રદેશ હતા. ભરત પણ એવા ચોના અધિપતિ હતા. તેથી ચાવતી કહેવાયા. તેમાં આપસમાં લડાઈ થતી હતી પણ સાચી છત તે મનની છત છે; અને બાહ્ય છતને-વાસનાઓ માટેની ભૌતિક છતને બંધ કરવાનું કામ અછતનાથજીએ કર્યું તેથી તે અછત નાથ કહેવાયા. પિતાના માં જ પેદા કરવું, બીજેથી કી વાવવું નહીં; વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ' બાબતે અંગે સ્વયંભવ-સ્વાવલંબી બનવાનો પાઠ તેમ જ બીજા દેશોને લૂંટવાનું બંધ કરવું એક વાત સંભવનાથજીના કાળમાં થઈ. જ્યારે કમાવવામાં સ્વાવલંબન અને સંતોષ આવે એટલે જ્ઞાનવિજ્ઞાનના નવા પ્રયોગો શાંતિકાળમાં થયા એને જીવન નવું નંદનવન જેવું બને. આ બધું થયું તેના કારણે ચેથા અભિનંદનજી કહેવાયા. પણ, એકવાર ગતિ વધે અને જ્ઞાન - વિજ્ઞાનમાં પ્રગતિ થાય તે લેકે ભોગપ્રધાન બને તે માટે સુ બુદ્ધિ મળવી જોઈએ. તે આપનાર પાંચમા સુમતિનાથ થયા. નિર્લેપ રહીને, ભોગોથી સમાજને, જળ(પદ્મ)કમળવત્ નિર્લેપ રહેવાનું શીખવાડયું એટલે પદ્મયુગ પદ્મનાથજીને કહેવાય. સારાં–નરસામાંથી સારી વસ્તુઓ ગ્રહણ કરવાની દિશા-પાર્શ્વ લેવાનું જેમણે બતાવ્યું તે સુપાર્શ્વનાથ થયા. સારી વસ્તુઓ લઈને તેને સમાજ માટે વિકાસ કરાવે; જેમ ચંદ્ર-સૂર્યમાંથી તેજ ઝીલવું; પૃથ્વીની પરિક્રમા કરાવવી, સાગરમાં ભરતી લાવવી વગેરે બાબતે ચંદ્રની જેમણે કરાવી તે ચંદ્રપ્રભુને યુગ થયો. તે છતાંયે એક વાર વિચાર ગ્રહણ કર્યા છતાં વિધિ નિષેધ અંગે માર્ગદર્શન જોઈએ. આ માર્ગદર્શન આપનાર સુવિધિનાય થયા. તેમાંથી સદાચાર વડે સમાજવ્યાપી શીતળતાને જેણે સ્પર્શ કરાવ્યું તે શીતળનાથને યુગ; જ્યાં શ્રેયને માર્ગ ખેડાયો. વાસુપૂજ્યના સમયમાં વસુધાની જેમ વ્યાપક થવાને, વિમળનાથના સમયમાં અંતરના ઊંડા મેલે ઊલેચી નિર્મળ બનવાન, અનંતનાથના સમયમાં પ્રાણીમાત્રમાં રહેલ ચૈતન્ય દર્શાવી વિશાળ-અનંત થવાને; અને ધર્મનાથના સમયમાં સમાન આત્મધર્મના પ્રચલનને તેમ જ શાંતિનાથના સમયમાં વ્યાપક શાંતિની આરાધના કરવાને ક્રમ ચાલ્યો અને તે પ્રમાણે યુગ થયા. એવી જ રીતે અન્ય તીર્થ કરના નામ પ્રમાણે ગુણોને યુગ ચાલે અને તેમની વિશેષતા વ્યક્તિ, સંધ અને આખા માનવસમાજમાં સ્થપાઈ તેને વિશાળ પાયે ખ્યાલ આવી શકે છે તેમજ માનવ વિકાસની કડીઓ, ઈતિહાસકાળ પહેલાંની સંધાતી નજરે ચડી શકે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શ્રી પૂજાભાઈ : “ રોમન ઈતિહાસ અને યુરોપને ઇતિહાસ બે વાત નજર આગળ લાવે છે. સુકરાતમાં નાગરિકતા તેમ જ સ્વતંત્ર વિચારની પ્રબળતા રોમન કાળમાં જોવા મળે છે જ્યારે તેને ભાગવાનું કહેવામાં આવે છે તે છતાં સાફ કહે છે: “ના, હું કાનૂન ભગ નહીં કરું” તેમ જ જે સમાજને મેં લાભ લીધે તે મને ઝેર આપે તે મારે પીવું એ તેની જીવનની ઊંડી સમજણ જાહેર કરે છે. યુરોપના ઈતિહાસમાં ઇશુનું બલિદાન પણ પ્રેરક છે. તેનો શિષ્ય દગો આપે છે; કોસ ઉપર ચડે છે ત્યારે સ્ત્રીઓ રડે છે ત્યારે તે સંત કહે છે : “ શા માટે રડે છે, હું નથી મરતો, મારું શરીર જ મરે છે !” આ બહુ જ પ્રેરક વચને છે. આ બન્નેની વાતે વિશ્વને શાખવા જેવી છે. યુગેયુગે આવી ફનાગીરી કરનાર સંત પાકતા જ રહ્યા; જેથી આજે વિશ્વમાં, હિંસાના બળે રાજ્ય કરવાની વાતને અંત આવતો જઈ રહ્યો છે અને " શાંતિના બળોને જોર મળી રહ્યું છે.” શ્રી બળવંતભાઈ : “વિશ્વ ઇતિહાસની એ પરિપાટી જોવા મળે છે કે સ્વાર્થ, જુલ્મ અને હિંસા પ્રથમ તો ફાવે છે પણ એને સદગુણેનો વિજય થાય છે. તેમાં જે અનુબંધ હેય તે કાર્ય સુંદર થાય; નહી તો પ્રેરણા આપતાં બળનું જોર ઘટે! પાછો વળી કોઈ વિરલા પાકે અને શાંતિબળોનું કાર્ય આગળ ધપે ! રામ ગયા, કૃષ્ણ આવ્યા ! પછી બુદ્ધ, મહાવીર થયા. પછી ગાંધીજી આવ્યા. આજે તેમના ગયા બાદ ભલે કાનને સુંદર બન્યા હેય પણ (૧) ભૂખ્યો માનવી (૨) નારી દુર્દશા અને (૩) દાંડતોની પ્રતિષ્ઠા એ ત્રણે જટિલ પ્રશ્નો ઊભા જ છે, ત્યાં શુહિપગ અને અનુબંધના પ્રયોગો વડે વળી કંઈક આશા બંધાય છે. તે માટે સતએ ભગીરથ પુરુષાર્થ કર પડશે તે જ વિધઇતિહાસને સાચે તાળો મળશે.” પૂ. દંડી સ્વામી : “ભગવાન ઋષભદેવ વખતે જે સાડા પચ્ચીશ દેશની વાત જૈનમમાં આવે છે તે તે વખતે ત્યારની દુનિયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ એ ભાગ લેવા જોઈએ. એક રીતે વધુ ઊંડા ઊતરીએ તે આર્ય જાતિની શાખાઓ ચોમેર ફેલાઈ ગઈ હતી એમ માની શકાય દુનિયાના ઈતિહાસમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેને પ્રકાશ ભારતે જ દુનિયાને પૂરો પડ્યો છે, એમ ઈતિહાસ માને છે. ઈતિહાસમાં જેમ લડાઈઓ અને રાજા કે મહારથીઓનાં વર્ણને આવે છે તેમ માનવ સંસ્કૃતિને ટકાવી રાખનાર સંતની વાત એછી આવે છે. પણ તેમણે સંસ્કૃતિને ઘડવામાં મેટો ફાળો આપે છે. ભારતના સારા નશીબે અહીં ૨૦૦-૨૫૦ વર્ષે એવી વિરલ વિભૂતિઓ થતી જ રહી છે. રામ, કૃષ્ણ પછી બુદ્ધ, મહાવીર પછી અશોક, ચંદ્રગુપ્ત, વિક્રમ, યશોવર્મન, કનિષ્ક, હર્ષવર્ધન, ભોજ એ પ્રમાણે રાજાઓ થયા. ચરક, અશ્વઘોષ વગેરે આચાર્યો થયા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્ક દાદુ, તુલસી, નાનક, કબીર, સુરદાસ, એકનાથ સુધી ચાલી. ગાંધીજી જેવા યુગપુરૂષ પાયા. એવી જ રીતે જૈન સાધુઓએ પણ સંસ્કૃતિના ઘડતરમાં પિતાને અલગ ભાગ ભજવ્યો. પરિણામે જૈન અને હિંદુ સંસ્કૃતિના મિલન રૂપે ભારતને સાંસ્કૃતિક ઇતિહાસ આગળ વધતો જ રહ્યો છે. પ્રથમ જે કુરતા જગતમાં હતી તે આજે નથી. એટલે અહિંસાની રીતે જગત આગળ વધ્યું છે. અહિંસક ક્રાંતિની ભૂમિકા પાકી ચૂકી છે, તે ભારતીય સંસ્કૃતિ વડે જ થશે. રૂસ, અમેરિકા કે યુરોપમાં વિચારની ક્રાંતિઓ થઈ છે પણ અહિંસક ઢબે કે દેશ પહેલ કરશે તે જોવાનું રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭. વિશ્વ ઈતિહાસની રૂપરેખા હિંદ અને અરબસ્તાન) [ મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વના ઇતિહાસના અનુક્રમે અગાઉ ભારતમાં મુસલમાનોનું આવાગમન તે પહેલાં ઇતિહાસ આપણે જોઈ ગયા. ત્યાર પછીને ભારતને ઇતિહાસ એક યા બીજી રીતે અરબસ્તાન સાથે સંકળાયેલો છે એટલે સર્વ પ્રથમ અરબસ્તાન અંગે થોડું વિચારી લઈએ. અરબસ્તાને વિશ્વ ઇતિહાસમાં જે કે કઈ ખાસ ભાગ ભજવ્યો નથી. તેનું કારણ એ છે કે તે એક રણપ્રદેશ છે. ત્યાંના લેકો અતિશય સ્વતંત્રતા પ્રિય હતા તેથી કોઈ તેમને સહેલાઈથી હરાવી શકતું નહીં. તે પ્રદેશ ફળદ્રુપ કે સમૃદ્ધ ન હતો જેથી સામ્રાજ્યવાદીઓને તે આકર્ષી શકે. ભકા અને મદીના (એથીબ) બે નાનાં શહેર દરિયા કિનારે હતાં. બાકીના લોકો રણમાં વસનારા હતા. તેઓ બુદુ કહેવાતા. ઝડપી ઊંટ, ઘોડા અને ગધેડા આ રણપ્રદેશમાં તેમના સાથી હતા. આરએનું જીવન બહુજ કઠણ, કૌવત અને સહનશીલતાવાળું હતું. સાથે સાથે એ લોકો કુટુંબ, ફળો (કબીલા) બાંધીને રહેતા હતા. તેઓ મગરૂર હેઈને નાની નાની બાબતોમાં ઝઘડી સતા; બીજા કૂળો (કબીલાઓ) સાથે લડતા રહેતા અને વરસમાં એકવાર સુલેહસ ૫ કરવા મક્કાની યાત્રાએ જતા. આ મક્કામાં અનેક દેવ મૂર્તિઓ હતી. આરબો કાળ મેટા પથરની પૂજા કરતા. તેવા કાળા પત્થરને તેઓ “કાબા' કહેતા. આવા ૩૬૦ કાળા પત્થરોના ભૂતોના તેઓ પૂજક હતા. અરબસ્તાનમાં હકુમત તે નામમાત્રની જ હતી, આજીવિકા માટે તેમને પરદેશ જવું પડતું કરો એમ માની શકાય છે. તેમનાં વહાણો દર દેશાવર જતા અને મિત્રમાં સિકંદરિયા (એલેકઝાંડ્રિયા) સીરિયામાં: માસ કે એશિયામાં એટિક જેવા મોટા શહેરોમાં જતાં આવતાં હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ અરબરતાનની પશ્ચિમમાં મિસ્ત્ર, પૂર્વમાં સીરિયા, ઈરાક, સહેજ પૂર્વમાં ઈરાન, વાયવ્ય ખૂણે થોડે દૂર એશિયા માઈનર, કોન્સ્ટટીપલ અને ગ્રીસ પણ નજીક હતાં, બીજી બાજુ સમુદ્રની પેલી પાર હિંદુસ્તાન આવેલું હતું, એટલે ચીન અને સુદૂર પૂર્વના દેશોને છોડીએ તે અરબરતાન પ્રાચીન સંસ્કૃતિઓના ધામોની વચ્ચેવચ આવેલું હતું. પણ તેના કારણે અરબસ્તાન ઉપર ઝાઝો પ્રભાવ પડ્યો હોય તેમ લાગતું નથી; તે વખત અરબ ાતિ એક રીતે સુમિમય જીવન ગાળતી હતી. પણ ઈશુની છઠ્ઠી સદીના અંતમાં ત્યાં ૫૭૦માં મહંમદ પયગંબર થયા. તેમણે ઇસ્લામ ધર્મ સ્થાપી નવા ખ્યાલ પેદા કરી આરઓને જગાડ્યા. તેમણે “એક ખુદા અને “મહંમદ” તેનો પયગંબર” એ વાત ઉપર વિશેષ ભાર મૂક્યો. તેમણે આરબોને કુરૂઢિ અને કુવ્યસનમાંથી છોડાવ્યા. તેમનામાં એકતા સ્થાપી અને નવી શ્રદ્ધા જન્માવી. તેમની રણું પામી મુસલમાને ઝડપથી એશિયા, આફ્રિકા અને યુરોપમાં ફરી વળ્યા અને લગભગ અરધી દુનિયાને તે વખતે જીતી શક્યા. આમાં તે લોકોનું ધર્મઝનૂન તેમજ સામ્રાજ્યવાદ બન્નેએ મુખ્ય ભાગ ભજવે. મહંમદ પયગંબરે જે કે રાજસત્તા હાથમાં લીધી હતી પણ તેઓ વૈભવવિલાસથી દૂર રહેતા તેમજ પ્રત્યેક બાબતમાં સજાગ હતા પણ પાછળના અબુબકર અને ઉમર ખલીફા સિવાય બાકીના બધા તે વાત ભૂલી ગયા. તેઓ નિરંકુશ આપખુદ વૈભવવિલાસનું શાસન ચલાવવા લાગ્યા અને તલવારના બળે ધર્મ-પરિવર્તન કરાવવાની તેમણે જેહાદે ચલાવી; અને મહંમદ સાહેબના મરણ પછી અર્ધી સદીમાં તે આરબોએ ઈરાન, સીરીયા, આજિનીયા, મધ્ય એશિયાનો થડે ભાગ, પશ્ચિમ, ઉત્તર આફ્રિકાનો થોડો ભાગ, મિસર, વગેરે જીતી લીધાં. પૂર્વમાં હેરાત, કાબુલ, કંધાર, બખથી છેક સિંધુ નદીને કાંઠે સિંધ સુધી તેઓ પહોંચ્યા. તેમણે સ્પેન તેમજ યુરોપમાં પણું પ્રવેશ કર્યો; દક્ષિણ ફાંસ પણ જીત્યું. પણ, થતું આવે છે તેમ વિજેતા પ્રજાના અનુગામીઓ વૈભવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૩ વિલાસ તરફ ઢળે છે તેમ આરબોમાં એ દાખલ થયા. શેતરંજ, શિકાર, સંગીત વગેરે રમતે વધી, હમામખાનાઓ અને જનાનખાનાઓમાં સ્ત્રીઓને શેખ વધવા લાગે. કમનશીબ ફેરફાર તો તેમણે એ કર્યો કે જે આરબ સ્ત્રી સ્વતંત્ર હતી, કુરાન વાંચી શકતી, ઉપદેશ આપી શકતી હતી, તેને તેમણે રોમન અને ઈરાન સામ્રાજ્યનું અનુકરણ કરી પરદાવાળી બનાવી; જનાનખાનામાં પૂરી. આ રીતે તે જંગલી રિવાજ મુસલમાનમાં દાખલ થયા અને તેમની દેખાદેખી તેઓ જ્યાં જ્યાં ગયા તે દેશમાં પણ દાખલ થઈ ગયો. વૈભવ-વિલાસના કારણે સત્તાની પડાપડી થવા લાગી તેથી આરબોની એકતા તૂટવા લાગી. ધર્મસત્તા અને રાજસત્તા મળતાં, રણપ્રદેશમાં સમૃદ્ધિના અભાવે ધર્મના નામે હુમલાઓ લઈ જવાનું તેમજ અલગ સામ્રાજ્ય સ્થાપિત કરવાનું લક્ષ્ય હિંદ રહ્યું, કારણ કે હિંદની જોજલાલીની વાત આરબથી આવતા સેદાગરે ત્યાં સુધી લઈ જતા. આ તરફ હિદની હાલતમાં રાજકીય પરિસ્થિતિ હર્ષવર્ધનના મરણ પછી (૬૪૮ માં ) વણસતી જતી હતી. બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મનાં ઘણે એ ક્રિયાને વેગ આપો. હિંદમાં તે વખતે ઘણાં નાનાં-નાનાં રાજ્ય ઊભાં થઈ ગયાં હતાં. કેટલાંક સુશાસનવાળા હતાં તે કેટલાંક લડતાં હતાં. હર્ષવર્ધન પછી ત્રણ ત્રણ સદી સુધી સાહિત્ય, કળા, સ્થાપત્ય વગેરેનાં ઘણાં કામે થયાં પણ ભારતની જે એકતા અશોક સમયે હતી તે હર્ષવર્ધન પછી ભાંગતી ચાલી હતી. કાલિદાસ, ભવભૂતિ, રાજશેખર જેવા કવિઓ થયા, એ બધું ખરું પણ જે એકતા જણાવી જોઈએ તે એક્તા વટતી જતી હતી. આરબ લોકો ને હિંદના પશ્ચિમ કિનારે હર્ષવર્ધનના સમયમાં જ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ભીને, સેના ભેગી કરીને સિધને જે કર્યું હતું. પણ તે વખતે આરોમાં અંદરોઅંદર લડાઈઓ ચાલતી હતી. હર્ષ પછી મુસલમાને વધારે સેના સાથે હિંદમાં ઉતરી પડ્યા. ૭૧૦ માં ૧૭ વર્ષના મુહંમદ બિન-કાસિમે આરબ સેન્યની સરદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ લઈ પંજાબમાં મુલતાન સુધીના પ્રદેશને કેજો મેળવ્યો હતો. તે વખતે તેઓ ત્યાંથી આગળ વધવા માંગતા ન હતા કારણ કે તેઓ રાષ્ટ્રકુટના દક્ષિણના રાજા સાથે મૈત્રીભર્યો સંબંધ જાળવવા માંગતા હતા. તે વખતે તેમણે હિંદના પશ્ચિમ કાંઠે ઘણી મજીદ બાંધી તેમજ ઘણું પ્રદેશની તેમણે મુલાકાત પણ લીધી હતી. તેમણે અહીંની સંસ્કૃતિમાંથી ઘણું મેળવ્યું હતું. તે વખતે ઘણું પ્રેમાળ મુસલમાને પણ થયા. તે વખતના મુસલમાનેએ ગ્રીક, ઈરાન તેમજ આસપાસની અન્ય સંસ્કૃતિને સારો એવો લાભ લીધો હતો. ઈસ્લામમાં ઈશુને પયગંબર માનવામાં આવેલ છે તેમજ ઘણું અન્ય પયગંબરોની માન્યતા આવેલી છે. આ હતો સહિષ્ણુતાને કાળ અને તે વખતે પ્રદેશ છતાતા પણ કડવાશ ફેલાતી ન હતી. હિંદુ-મુસ્લીમ સહિષ્ણુતાને લેપ દશમી સદીની આખરે શરૂ થયે. ૮૭૫ ની આસપાસ ગઝની અને કંદહારમાં (કાબુલ) સુમુકતગીન નામના તુર્ક ગુલામે પિતાનું રાજ્ય જમાવ્યું. તેણે હિંદ ઉપર ચડાઈ કરી. તે વખતે પંજાબને રાજ જ્યપાલ તેની સામે થઈ કાબુલની ખીણ સુધી ધસી ગયો. તે અંતે હાયો. સબુાગીને પછી તેના દીકરા મહંમદ ગઝનવીએ હિંદ ઉપર ૧૭ વાર હુમલે કર્યો. તે સમર્થ સેનાપતિ હતો અને કુશળ યુદ્ધનાયક હતે. કાશમીરના હુમલા સિવાય તેણે ૧૬ વાર જીત મેળવી. તેણે આખા હિંદમાં ત્રાસ વર્તાવ્યો. સોમનાથ, મથુરા અને થાણેશ્વરમાંથી તેણે અખૂટ ધનદૌલત મેળવી. તેણે બે થી ત્રણ લાખ માણસોને કેદ કર્યા અને પિતાની સાથે લઈ ગયા. મહંમદ ગઝનવીને સહુથી વધારે ધન અને પ્રજાને સેમિનાથ મહાદેવના મંદિરમાંથી મળ્યો. પૂજારીઓ માનતા હતા કે તેમનાથી મહાદેવ અમને ઉગારી લેશે, પણ મહંમદ ગઝનીએ મંદિર તયું, દ્રવ્ય લુંટયું અને ૨૫ હજાર માણસની કતલ ચલાવી. તે છતાંયે કંઈક ચમત્કાર ન થયો. મહંમદ ફાવે તેનું એક કારણ એ પણ હતું કે અહીં હિંદમાં રાજાઓમાં ફાટફૂટ હતી તેમજ ધર્મના નામે આંધળી શહાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ કારણે પ્રજા દબાયેલી પડી હતી. મહંમદ બધી દૌલત અને કેદીઓને લઈને ગિઝની ગયો. તે પિતાની સાથે સલાટો, કારીગરે, તેમજ સ્થાપત્ય કળાના વિશારદે ને લઈ ગયા હતા. તેણે બિઝનમાં સ્વર્ગ–વધુ (ઉરૂસે જન્નત) નામનો બાગ બનાવ્યો. મહંમદ ગઝનીને ધર્મ પ્રતિ પ્રેમ હતું એવું કંઈ નહતું. તેને માત્ર ધન અને રાજ્ય સત્તાની હવસ હતી. એટલે જ તેણે સિંધના અગાઉના આરબોને ડરાવ્યા, બગદાદના ખલીફાને મારી નાખવાની ધમકી આપી અને પિતાના દ્રવ્યને ઉપયોગ વૈભવ વિલાસમાં જ કર્યો. આ રીતે હિંદુસ્તાનને ઈસ્લામ ધર્મને પહેલે પરિચય લુંટારૂ અને હિંસક તરીકે થયે તેમને હિંદુ-મુસ્લિમ સહિષ્ણુતાને અંત શરૂ થ. એક રીતે કહીએ તો ભારતના ઈતિહાસમાં જેને પૂર્ણ હિંદુ યુગ કહીએ તે પરેશ થવા આવ્યો. હિંદની પ્રાચીન સંસ્કૃતિને એક નવી આવેલી ધર્મ પ્રેરિત લડાયક સંસ્કૃતિને સામને શરૂ કરવો પડ્યો. મહંમદ ગઝનીની આ લુંટની અસર, બંગાળ, દક્ષિણ હિંદ કે મેવાડ ઉપર ન થઈ પણ તે આક્રમણે એક નવી વસ્તુ પેદા કરી. બ્રાહ્મણ-ક્ષત્રિયોએ પિતાના બચાવ માટે જ્ઞાતિ વ્યવસ્થાને વધારે જડ અને મજબુત કરી મૂકી. તેમાંથી વિકાસનું તત્વ જતું રહ્યું. તેમણે સ્ત્રીઓને અંતઃપુરમાં બંધ કરી અને પડદામાં નાખી દીધી. મહંમદે સુંદર ઇમારતા સ્થાપત્યને નાશ કર્યો હતો. તેના હુમલા બાદ ૧૫૦ વર્ષ સુધી હિંદમાં વિશેષ પ્રગતિ ન થઈ. તે વખતે ભારતમાં છૂટાંછવાયાં રાજ્ય જ હતાં. તેમનામાં એક્તા ન હતી, તેમજ અંદરોઅંદર અદેખાઈ વધારે પણ હતી. બારમી સદીના અંતમાં એટલે કે ૧૧૮૬માં અફઘાન સરદાર શાહબુદીન ગેરીએ પિતાનું રાજ્ય બનાવ્યું. ગોર પ્રાંતના આ લડાયક સરદારે આ ગઝનીને કજો મેળવ્યો અને જાહેર જીતી તેણે દિલ્લી તરફ કુચ કરી. તે વખતે દિલ્હી ઉપર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ્ય હતું. તેની આગેવાની હેઠળ ઉત્તર હિંદના રાજાએ ભેગા મળીને લડયા અને તેમણે ગોરીને સખ્ત હાર આપી. પણ, તે કાર થોડા દિવસો માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ રહી. શાહબુદીન ફરી મોટું સૈન્ય લઈને આવ્યો. આ વખતે પરિસ્થિતિ જુદી હતી. પૃથ્વીરાજે કને જના રાજા જયચંદની પુત્રી સંયુક્તાનું હરણ કરી લગ્ન કર્યા હતાં અને તે વિલાસમાં પડી ગયો હતે. તેથી કરીને આંતરિક ઝઘડાઓ પણ વધી ગયા હતા. અને પૃથ્વીરાજના ઘણું સાથીઓ પણ ન રહ્યા. આ વખતે ગેરી ફાવ્યો. તેણે પૃથ્વીરાજને કેદ પકડો અને તેને મરાવી નાખ્યો. અહીંથી હિંદમાં મુસલમાની અમલના પાયા નંખાય છે. તેમણે દિહીને કેન્દ્ર બનાવ્યું અને ત્યાંથી દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં પિતાનું રાજ્ય વધાર્યું. હિંદુ રાજાઓની હારનાં મુખ્ય કારણે આ પ્રમાણે ગણાવી શકાય. (૧) વધારે રૂઢિચુસ્તતા, (૨) અસંગઠન, (૩) નિરંકુશ ક્ષત્રિય લકો તેમજ સત્તા અને ભોગો માટે પડાપડી, (૪) યુદ્ધના અભાવે વિલાસ, (૫) બલિદાનની હિંમતમાં કમી. મુસ્લિમ વિજેતાઓએ જે લુંટ કરી અને કતલ ચલાવી તેની પાછળને ઉદ્દેશ એ પણ હતો કે બધા જીતેલા દેશને કાબૂમાં રાખવા ધાક બેસાડવી, તેમજ જીવતા શત્રુઓને છોડવામાં આવે તે કયાંક તેમને પિતાને પણ મરવું પડે ! ગમે તે હોય પણ આ મુસ્લિમ આક્રમણના કારણે નિપ્રાણ હિંદુ સમાજમાં નવચેતના આવી. તેમજ જે એકતાને અભાવ હતો તેનું ભાન થયું અને ભોગવિલાસમાંથી સાદાઈ તરફ અવાયું. શાહબુદ્દીન ગેરી પછી દિલ્હીની ગાદી ઉપર એક પછી એક રાજાઓ આવ્યા. તે ગુલામ વંશના રાજાઓના નામે ઓળખાયા. તેમાંને પહેલો કુતુબુદ્દીન હતા તે શાહબુદ્દીનને જ ગુલામ હતિ. ધીમે ધીમે આગળ વધતા તે દિલ્હીની સલ્તન ઉપર આવ્યો અને તેણે ગુલામ વંશ શરૂ કર્યો. તે કુર હતું અને તેણે ઘણી ઇમારતો, પુસ્તકાલયોને નાશ કરાવ્યો, તેણે કુતુબમિનાર બંધાવવાનું કામ શરૂ કર્યું જે તેના વારસદારે પૂરું કર્યું. તેને વારસદાર અલ્તમશ હતો. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૭ વખતમાં ચ ંગેઝખાન નામના લુટારૂ સરદારે સિધુ નદી સુધી આવીને લુટ ચલાવી હતી. આમ જે મુસલમાને ધર્મના નામે એક હતા. તે સત્તા માટે આપસમાં લડવા લાગ્યા અને સત્તા માટે ધાર્મિક વડાની પશુ પરવાહ તેમણે ન કરી. આ બીજા મુસલમાનેાના હુમલા, તુર્ક–મેાગલાના ચાલુ જ રહેતા. જેને દિલ્હીની સલ્તન લાંચ કે ધન આપીને પાછા વાળતી. તેના કારણે મેાગલેા—તુ હિંદમાં આવીને વસવા લાગ્યા. ગુલામ વંશ પછી ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજીનું નામ ઉલ્લેખનીય છે. તે પોતાને કાક્રાને ભેટવાના બહાને ખંજર હુલાવી ગાદીએ આવ્યે . તે બહુ જ અવિશ્વાસુ હતા. કદાચ મગાત્રા-તુર્કા બળવા કરે તે બહાને તેણે ત્રીસ હજાર જેટલાં નિર્દોષ મગાલાને મારી નખાવ્યા. તેણે સૈન્ય વ્યવસ્થિત કર્યું. તેને શિક્ષણ આપ્યું અને તેના વડે ગુજરાત-દક્ષિણ માલવા તેમ જ બનારસ સુધીના પ્રાંત કબજે કરી લીધા હતા. દક્ષિણુની લુટમાંથી તે અઢળક સંપત્તિ લઈ આવ્યા હતા. તે હિંદુ સ્ત્રોને પરણ્યા હતા; તેને પુત્ર પણ હિંદુ ઓને પડ્યેા હતેા. તે પાછળના તુ ક ંઈક અંશે બળજબરી અને કઇક અંશે હિંદુઓને વિશ્વાસ જીતવા એ હાઈ શકે. તેનુ'ઈક અંશે ધાર્યું પરિણામ પણ મળ્યુ. હિંદુએ ધીરે ધીરે મુસલમાન થવા લાગ્યા. અમુક ભયને કારણે, અમુક પદ વગેરેના મેહના કારણે તેા. કેટલાક આ ક શા ખરાબ ડાવાના કારણે, તેમ જ ધણા ક્ષત્રિયાએ રાજ્યમાં ઉંચા ઢાફા મેળવવા માટે પણ ઇસ્લામને સ્વીકાર કર્યા હતા. તેમાં એક બીજુ કારણ એ પણ હતું કે વર્ણ વ્યવસ્થામાં શુદ્રો ઉપર જે અત્યાચાર યતે। તેમ જ તેમને લકા ગણવામાં આવતા, તેના ખદર્શ ઈસ્લામમાં બધાને સમાન ગણવામાં આવે છે તે પણું આકષણું રૂપે હતુ. પણ આમાં મુસ્લિમ રાજાએ જેમ જેમ ક્રુરતા દેખાડતા ગયા તેમ તેમ હિંદુ રાનએ પણ કેસરિયાં કરવામાં અને સ્ત્રીઓ જાહર કરવામાં માનતી થઈ. અલાઉદ્નને યિતાડમાં એનું ભયંકર દૃશ્ય જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ મળ્યું હતું. તેણે હિંદુઓ ઉપર જજિયા વેરે, મૂંડકા વેરો નાખ્યો હતું. આથી હિંદુઓ જે કે વધારે કદર થતા જતા હતા પણ તેમની અંદર જે ઉંચનીચને ભેદભાવ હતો તેના કારણે હિંદુઓનું મુસલમાન થવું ચાલુ જ રહ્યું. ખિલજી વંશ પછીના તઘલખ વંશમાં મહંમદ તઘલખ કે મહંમદ ગાંડાનું નામ ઉલેખનીય છે. તે વિદ્વાન હતો પણ ગજબને ધૂની હતા. દક્ષિણમાં મુસલમાનોનું વધતું જતું સામ્રાજ્ય દિલ્હીથી • શાસન કરવા માટે દુર પડતું હતું એટલે તેણે દૌલતાબાદ નામનું નગર વસાવી, પરાણે દિલ્હી ખાલી કરાવી બધાને દૌલતાબાદ લઈ જવાનો હુકમ કર્યો. જેણે એ હુકમને અનાદાર કર્યો તેને સખ્ત સજા આપી. દૌલતાબાદમાં દિલ્હીના અર્ધા લોકો જ પહોંચી શક્યા પણ તેમને ત્યાં ફાવ્યું નહીં અને તેથી મહંમદે દિલ્હી પાછા ફરવાને આદેશ આપ્યો. કહેવાય છે કે માંડ ચોથા ભાગના લેકે એ દિલ્હીમાં પહોંચ્યા. જે દિલ્હી સાવ ઉજજડ થઈ ગઈ હતી. વધારામાં તેના કાળમાં દુકાળ પડયા તેથી રાજ્ય પાયમાલ થઈ ગયું. તેથી ઘણું પ્રદેશમાં બળવાઓ થયા અને ઘણું પ્રાંતે, બંગાળ વગેરે સ્વતંત્ર થઈ ગયા. ત્યારપછી દિલ્હીની સત્યતન નબળી પડતા જવાને ઈતિહાસ છે. ઈસ્લામે હિંદમાં પિતાનાં મૂળિયાં મજબૂત કરી નાખ્યાં હતાં. મુરિલમ રાજાઓમાં અગાઉનું ઝનૂનપણું ઓછું થયું હતું. મુસલમાને આવવાથી હિંદુધર્મ ઉપર બે જાતની અસર થઈ તે રૂઢિચુસ્ત થતો ગયે અને પડદા પ્રથા આવી ગઈ. કુરૂઢિઓ ઘણું ચાલુ થઈ તેને સુધારવા પણ ઘણું પ્રયત્ન થયા, હિંદુધર્મને નવું વ્યવસ્થિત રૂ૫ આપવા શંકરાચાર્યે ૮મી સદીમાં મહાન પ્રયત્ન કર્યો હતો. ૧૧ મી સદીમાં રામાનુજાચાર્ય અને ત્યારબાદ માધવાચાર્ય થયા. તેમણે હિંદુધર્મને વ્યવસ્થિત બનાવ્યો ખરે પણ તેઓ સંપ્રદાયવાદમાં પડતા ગયા. મુસલમાનોના આવાગમન અને આક્રમણથી તેમનામાં વધારે રૂઢિચુસ્તતા આવી. હિંદુ-મુસ્લિમ લડાઈઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ બંધ કરાવવામાં કેટલાક સુધારક તેને પણ ફાળો છે જેમાં નાનક, રામાનંદ અને કબીર મુખ્ય છે. આ બધા પ્રયને વ્યકિતગત થયા, જેની થોડીક અસર થઇ. સંસ્થાગત રીતે રાજ્યસંસ્થા ઉપર અસર પાડવાનો પ્રયત્ન ન થયા. પારણામે મુસ્લિમ બાદશાહે એ પિતાની રાજ્યસત્તા ટકાવવા, સત્તાના જોરે ધર્મપલટો કરાવો તેમજ બીજા અત્યાચાર ગુજારવાનું ચાલુ રાખ્યું. ૧૫૨૬ માં દિલ્હીના નમાલા બાદશાહ ઉપર બાબર નામના મોગલ સરદારે વિજય મેળવ્યો અને હિંદમ એક નવો યુગ આવ્ય; તેમજ મોગલ સામ્રાજ્યને આરંભ થયે. ૧૫ર૬ થી ૧૭૦૭ સુધી કુલ ૧૮૧ વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય ૬ બાદશાહે વચ્ચે ટકયું. અને તે બાદશાહેઓએ ભારતને નવી કળા, સ્થાપત્ય વગેરેને વારસે આયે. તેમાંનો પહેલો બાબર પિતાના બાપ પ્રમાણે લડવૈયો બન્ય. તેને બાપ ૧૧ વર્ષની ઉમ્મરે સમરકદની ગાદીએ આવ્યો હતો. તેથી બાબરને પણ નાનપણથી યુદ્ધોનું શિક્ષણ મળ્યું. તે ૧૫૬ માં હિંદ ઉપર મોટી સેના લઈને આવ્યા. તેમને ઘણું કષ્ટ સહેવા પડ્યાં અને એકવાર એવી કટોકટી આવી કે સૈનિકે એ પાછા વળવાનો આગ્રહ કર્યો પણ તેણે અહીં જ રહેવાનું નકકી કર્યું. તે બહુજ વિચારક હતો. તેણે હિંદમાં આવીને મોજશોખના ત્યાગ રૂપે દારૂને છેડી દીધા. તે બહુજ સમજ . કહેવાય છે કે પોતાના પુત્ર હુમાયુની માંદગી વખતે તેણે પિતાનું જીવન અર્પણ કર્યું. પરિણામે હુમાયુ સાજો થઈ ગયો અને તે મરણ પામ્યા. હુમાયુ વિદ્વાન અને સંસ્કારી હતું પણ તેના ઉપર રાજય સંભાળવાનું કપરું કામ આવી પડ્યું. ૧૫૪૦ માં શેરખાને તેને હરાવ્યો અને તેને હિંદ છોડવું પડયું. તે ત્યાંથી રખો રઝળત ઈરાન પહો. ઇરાનના બાદશાહે તેને આવકાર આપે. તેની વહીવટી કાર્યકુશળતાથી તે રાજી થશે. ઇરાન આવતી વખતે તેની બેગમે મારવાડના રણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ બાળકને જન્મ આપ્યો હતે. તે જ બાળક આગળ જતાં અકબર કહેવાય. હુમાયુએ ધીમે ધીમે પિતાનું સૈન્ય ભેગું કર્યું અને ૧૬ વર્ષ બાદ ૧૫૫૬ માં તેણે ફરી દિલ્હીનું રાજ્ય મેળવ્યું. દુર્ભાગ્યે ૬ માસ બાદ તે નિસરણું ઉપરથી પડી ગયું અને મરણ પામ્યા. ભારતને રાષ્ટ્રીયતા આપવાનું માન અકબર ને ફાળે જાય છે. અશોકે તેની એકતાને ખ્યાલ આપે. તે અકબરે રાષ્ટ્રીયતાને અમલમાં મૂકી. તે જાતે હિન્દુ કન્યા સાથે પરણ્યો. એટલું જ નહીં તેણે પિતાના પુત્રના લગ્ન પણ હિંદુ કન્યા સાથે કરાવ્યા. તેણે કુશળતાપૂર્વક સારામાં સારા રાજપૂતોને પિતાને તાબે કરી તેમને ઉંચા હોદ્દા આપી પિતાની પડખે રાખ્યા. સૂબાઓ, સેનાપતિઓ તેમજ નાયક મેટા ભાગે હિંદુજ હતા. તેણે ધાર્મિક કટ્ટરતા છોડી સર્વધર્મ સમન્વયને પ્રયત્ન કરવા દીનેદલાહી નામના સમન્વાયત્મક ધર્મને પ્રચાર કર્યો. તેણે હિંદુ-મુસ્લિમ પ્રજા વચ્ચે સમાધાન કરાવવા ઘણીવાર હિંદુઓને પક્ષ લીધો હતો પરિણામે મુસલમાનો ઘણીવાર તેનાથી નારાજ થઈ જતા. તેને દેશે જીતવાની ખૂબ જ મહત્વાકાંક્ષા હતી. તે પ્રમાણે તેણે દિલ્હીનું સામ્રાજ્ય વધાર્યું. રાજ્ય વધારવાની મહત્વાકાંક્ષા તેમજ વિલાસિતા આ બને દુર્ગણે તેનામાં હતા. પરિણામે તેણે સારાં કામ કર્યા તે છતાં તેની ધારી અસર ન આવી. પ્રજા અને પ્રજાસેવકો દ્વારા જ રાજય ક્રાંતિ થઈ શકે એ વાત અહીં પ્રમાણિત થઈ જાય છે. તેણે જમીન-મિલ્કત વગેરે અંગે ઘણાં સુધારાઓ કર્યા. તેના બે સુધારાઓ ખાસ ધ્યાન માંગી લે તેવા છે. (૧) હિંદુ વિધવાઓને સતી થવાની પ્રથા ઉપર પ્રતિબંધ મૂકાવ્યા, (૨) યુદ્ધમાં પકડેલા કેદીઓને ગુલામ બનાવવા ઉપર પ્રતિબંધ મૂકે. તેજ કાળનાં તુલસીદાસજી, સુરદાસજી, તાનસેન, બીરબલ, ટોડરમલ જેવી સમર્થ વ્યકિતઓ પણ પાકી હતી. આ વખતે મુસ્લિમ સંતમાં સૂફીવાદને પ્રચાર થયે. સૂફીવાદ ઉપર સ્પષ્ટતઃ હિંદુ ધર્મના વેદાન્તની છાપ છે. અકબર પછી જહાંગીર થયે અને ત્યારબાદ શાહજહાં થયે. જહાંગીરના શાસનકાળમાં અકબરની ધાર્મિક સહિષ્ણુતા ચાલુ રહી. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ કાળમાં તેણે પણ અકબરની જેમ સુંદર સ્થાપત્ય બનાવ્યા. પ્રજાની ગરીબી અને બેકારી જોઇને તેણે શાલીમાર બાગ, નિશાત બાગ વગેરે બાગ બનાવ્યા. શાહજહાંના સમયમાં ધાર્મિક સહિષ્ણુત ઓસરતી ચાલી. તેણે હિંદુઓના દમનને ચાલુ રાખ્યું. પણ તેના કાળમાં મયુરાસન, તાજમહાલ, જુમ્મામદ, દીવાનેઆમ, દીવાને ખાસ વગેરે બન્યાં. અકબરે શરૂ કરેલી ધાર્મિક સહિષ્ણુતા ઓરંગઝેબના સમયમાં તદ્દન ચાલી ગઈ. તે કટ્ટર ધર્મઝનુની હતું. તેણે મંદિરો તેડાવ્યાં, પુસ્તકાલયને નાશ કર્યો, હિંદુઓને બેકરીમાંથી બરતરફ કર્યા. તેણે પાછા જજિયારે નાખ્યા અને તલવારના બળે અને કોને પરાણે મુસલમાન બનાવ્યા. તેને સ્થાપત્ય કે કળાને શોખ ન હતો. તેની પરાકાષ્ટા એ હતી કે તેના રાજ્યમાં ગાયન, વાદન એક અપરાધ રૂપે મનાતું ઓરંગઝેબની કદર ધાર્મિક નીતિના પરિણામે હિંદુ-મુસ્લિમ એકતા અને સહિષ્ણુતાને અંત આવ્યો. અકબરે સ્થાપેલી રાષ્ટ્રીયતા ખંડિત થવા લાગી. હિંદુઓના ઠેરઠેર બળવાઓને દાબી દેવામાં આવ્યા ખરા, પણ તે વધુને વધુ જોર પકડવા લાગ્યા. શીએ અને સંગઠિત થઈને સ્વતંત્ર રાજ્ય કાયમ કર્યું. દક્ષિણમાં મરાઠાઓ વ્યવસ્થિત રીતે મોગલ રાજ્યમાંથી છુટા થઈને ખટપટ કરતા હતા. હિંદુઓએ શિવાજીના નેતૃત્વમાં મરાઠાવાડનું (મહારાષ્ટ્ર) નિર્માણ કર્યું. મથુરા પાસે જાટોએ બળવો કર્યો. દક્ષિણમાં તે શિવાજીએ એ રીતે મેગલ અમલદારોને કાવવા શરૂ કર્યા કે તેઓ તેને મદદ આપવા લાગ્યા. ઔરંગઝેબની ધાર્મિક કટ્ટરતા એટલી બધી અસહ્ય હતી કે ઘણું મુસલમાને પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેથી તેઓ પણ સ્વતંત્ર થતા જતા હતા. ઔરંગઝેબ માટે કહી શકાય કે તેણે ભારતમાં ધાર્મિક કદરતાને પાયો નાખ્યો હતો. એક તરફ શીખોને ગુરૂ ગોવિંદસિંહની પ્રેરણા મળી હતી અને બીજી તરફ મરાઠાઓ અને શિવાજીને સમર્થ રામદાસની પ્રેરણા મળી. તેમણે બન્નેએ રાજ્યસત્તા વડે કાંતિની વાત કરી. તે યોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ન હતી અને તેના પરિણામો આજે પણ જોવા મળે છે કે ભાષાવાદના નામે શીખે તેમજ મરાઠાઓ સ્વતંત્ર ભારતમાં લડે છે તે સ્પષ્ટ જોવા મળ્યું છે. કારણકે ધર્મ સંસ્થા, રાજ્ય સંસ્થાની પૂરક બનીને પ્રજાને ઝનુન શીખવાડનાર બની હતી. શિવાજી પછી તેનો પુત્ર સંભાજી ગાદીએ આવ્યો તે વિલાસી હતા. તેને મોગલોએ રીબાવીને મારી નાખ્યો હતો. ઔરંગઝેબ પછી મેગલ સામ્રાજ્ય પડી ભાંગ્યું તેનાં કારણે હતાં. (૧) અર્થવ્યવસ્થા પડી ભાંગવી, (૨) શીખ, મરાઠા તેમજ હિંદુ રાજ્યનું બળવાન તેમજ બળવાર થવું. (૩) મુસ્લિમ રાજ્યોમાં પણ સ્વતંત્ર થઈને રહેવાની ઉત્કટ ભાવના અને (૪) ધાર્મિક અસહિષ્ણુતા. ઔરંગઝેબના મૃત્યુ બાદ ૧૭ વર્ષની અંદર મેગલ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. મેગાની સત્તા નામ માત્રની દિલ્હી સુધી રહી. દક્ષિણમાં મરાઠાઓનું જોર વધવા લાગ્યું. પુનાના પેશાવાઓએ રાજ્ય સત્તા હાથમાં લીધી અને ૧૭૩૭માં તો મરાઠાઓ દિલ્હીના દરવાજે લગભગ પહોંચી જવા આવ્યા હતા. પણ ૧૭૩૮માં નાદિરશાહે આવીને દિલ્હીથી આગ્રા સુધી ભયંકર લુંટ, કતલ અને ત્રાસ મચાવ્યાં. તે અઢળક ધન લઈને ચાલતો થયો. સત્તર વર્ષ પછી નાદિરશાહને ભત્રીજે અહમદશાહ દુરાની અફઘાનિસ્તાનની ગાદીએ આવ્યો. તેણે પણ લૂંટ માટે ઉત્તરમાં આક્રમણ કર્યું. ૧૭૫૮ માં તેણે પંજાબને તાબે કર્યું. ૧૭૬૧ માં પાણીપતના મેદાનમાં તેણે મરાઠાઓને હરાવ્યા. તે આખા ઉત્તર હિંદનો માલિક બની બેઠો. તે થોડાં વર્ષો પછી અફઘાનિસ્તાન પાછો ફર્યો એટલે મરાઠાઓ ફરી બેઠા થયા. આ વખતે ભારતમાં એક નવું વિદેશી બળ પિતાનું જોર અજમાવતું હતું. તે અંગ્રેજે, ફિરંગી વગેરેનું હતું. તેમણે હિંદુ – મુસ્લીમ રાજ્યોની પરસ્પરની લડતને સારો લાભ ઊઠાવ્યો. પરિણામે ૧૮૫૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ફરી રાષ્ટ્રીય એકતા સધાઈ અને અહીંના હિંદુ-મુસ્લિમ બધાએ મળીને તેમની વિરૂદ્ધ બળ કર્યો. આમ હિંદ અને અરબસ્તાનના સંબંધે વચ્ચે હિંદ બધા ધર્મો માટેનું સ્થાન બની ગયું. મુસલમાને કરીને સ્થિર થયા કે અંગ્રેજો વસ્યા અને ઈસાઈએ પણ રહી શક્યા તેનું કારણ અહીંની સંસ્કૃતિ હતી; અને આજે પણ તે સહુને સાંકળી શકી છે. ૭. ૩યુરેપિયને અને હિંદ ભારતમાં જેમ મુસલમાને ઠરીને ઠામ થયા તેમ ભારતની સમૃદ્ધિ યુરોપના ઘણા રાજ્યોને આકર્ષણનું કારણ બની. ૧૭ મી સદીમાં યુરોપમાં જે ફેરફાર થયા તેના કારણે પરદેશગમન અને વેપારવૃદ્ધિ એ બન્ને વસ્તુ ત્યાંની પ્રજા માટે સામાન્ય બની. તેમાં પણ હિંદ સહુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ભારતને કિનારે સર્વપ્રથમ જોવામાં પોર્ટુગલ-ફિર ગીઓ હતા. વાસ્કો-ડી-ગામાએ હિંદમાં પહેલે પગ મૂક્યો હતો. અકબરના દરબારમાં તેના વંશજો-ફિરંગીઓનું સારૂં માન હતું. તે પછી અંગ્રેજો આવ્યા. ફિરગીઓએ તેમને પગ કાઢવા માટે ઘણાં પ્રયત્ન કર્યા પણ જહાંગીરના સમયમાં અગ્રેજ ડોકટર સર ટોમસ રોએ તેની સેવા કરી, ઈંગ્લાંડની સરકારેવતી ઈસ્ટ ઈડીયા કંપનીના નામે વેપાર કરવાની છૂટ મેળવી. તે ફિરંગીઓને ન રૂગ્યું પણ ઈગ્લાંડના લોકો ચાલાક હતા, તેમણે વલદા (ચ) લોક સાથે હાથ મેળવીને ફિરંગીઓને પૂર્વ સમુદ્રમાંથી લગભગ હાંકી કાઢ્યા હતા. તે ઉપરાંત શાહજહાંના સમયમાં પણ મોગલો સાથેના યુદ્ધમાં હારી તેમને હગલીથી ભાગવું પડ્યું હતું. પક્ષ લઈને તડજોડ કરવાની નીતિ અંગ્રેજોની હતી. તેમણે એને પૂરે લાભ લીધો. તેમણે મોગલોની ખામદ કરીને કિનારાઓ ઉપર કેડીએ નાખી, જેમાં સુરત, મલસ તેમજ અન્ય બંદરના હેરાન સમાવેશ થાય છે. મુંબઈને ટાપુ પોર્ટુગલ પાસે હતે. ૧૬૨ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઈંગ્લાંડના રાજા ચાર્લ્સ બીજાને, પિટુગલની રાજકુમારી કેથેરાઈન સાથે લગ્ન કરતાં તે પહેરામણીમાં મળ્યા હતા. રાજાએ તે ઈસ્ટ ઈડિયા કંપનીને નજીવા ભાવે વેચી નાખ્યો હતો. આમ મુંબઈ અંગ્રેજો પાસે ગયું. ૧૬૮૦માં જેન કર્નાક નામના અંગ્રેજે કલકત્તા શહેરને પાયો નાખ્યો આમ કલકત્તા પણ તેમના કન્જામાં આવ્યું. અંગ્રેજોની દેખાદેખી ફેંચ લોકેએ પણ સૂરત તેમજ અન્ય શહેરોમાં કાઠીઓ નાંખી. તેમણે પોંડીચેરીને ખરીદ્યું પણ ખરું ફેશે વધારે ચાલાક હતા. તેમણે બે રાજ્યોની લડાઈને લાભ લેવાનું શરૂ કર્યું. અંગ્રેજે તેમના પગલે ચાલ્યા. ઇંચને નેતા ડુપ્લે હો અને અંગ્રેજોને કલાઈવ. પ્રારંભમાં તેઓ પોતાના કેળવાયેલાં સૈન્ય અને શસ્ત્રો આપતાં અને પછી તેના બદલે, આર્થિક ભીંસ નાખી રાો હડપી લેતા. પ્રારંભમાં એને વિજય થતો પણ પંદર વર્ષ પછી અંગ્રેજોએ ફેંચોને હરાવી, હિંદમાં રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર, હૈદ્રાબાદ (ગલકુંડા ) વિજયનગર-બંગાળ વગેરે રાજ્યોને કબજે કર્યા. અંગ્રેજોની લડત જુદા પ્રકારની હતી. તેઓ આક્રમણ કરવા આવતાં ઉત્તર ભારતમાં આવતા વિદેશીઓ કરતા જુદા હતા. સાથે તેમને સમુદ્રી કાફલો મજબૂત હતો. ૧૭૪૬માં બકસર આગળ તેમ જ અન્ય જગ્યાએ અંગ્રેજોને ભારે વિજય થયો. તેમણે સ્વાર્થી અને લેભી હિંદુઓને પિતાની નેકરીમાં રાખ્યા અને તેમના વડે મનમાની લુંટ ચલાવી. રાજ્ય ખાલસા કર્યા અને બધે ત્રાહિ ત્રાહિ કિરાવ્યું. ૧૭૮૦માં મરાઠાઓએ અંગ્રેજોને હરાવ્યા; પણ અંગ્રેજો અડ્ડો જમાવવા આવ્યા હતા. તેમણે હિંદને કિનારે સદંતર ન છોડો. ત્યારબાદ અંગ્રેજોને પહેલે ગવર્નર વોરન હેસ્ટિંગસ આવ્યા તેણે પિતાના તાબે હે એવા રાજાઓને કબજે કરવા શરૂ કર્યા અને તેમને વૈભવ-વિલાસમાં નાખી દીધા. તેમણે અફવાને; શીખે, મરાઠાઓ, બર્મીઓ સાથે લડાઈ કરી, લડાઈમાં જીત બાદ બધો ખર્ચે તેમની પ્રજા ઉમર નાખી દીધો. બ્રિટીશ સલ્તનતનો પાથ ઊંડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ થતો ગયે, તેમ શાસનમાં જલ્મ-અત્યાચારને દોર ચાલુ થઈને વધતો ગયા. તેમના અત્યાચારી શાસન વિરૂદ્ધ ૧૮૫૭માં ભારતીય પ્રજાએ બળ પિકાર્યો પણ તે નિષ્ફળ ગયો. ત્યારબાદ ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૯૨૧થી ગાંધીજીની નેતાગીરી નીચે હિંદ આઝાદ થયું તેને ઇતિહાસ બધા જ જાણે છે. ટુંકમાં ભારતમાં લેકસંગઠન, લેકસેવક, સંગઠન તેમ જ ધર્મસંગઠન કે તે–તે સંસ્થાઓના પાયા હચમચી ઉઠવાને કારણે, મુસલમાનોએ પ્રારંભમાં અને અંગ્રેજોએ બાદમાં, તેમનાં ઉપર અંકુશ ન હોવાના કારણે; હિંદને ગુલામીને ભોગ બનવું પડયું. ચર્ચા-વિચારણું શ્રી માટલિયાએ આજની ચર્ચાને આરંભ કરતાં કહ્યું. “અરબસ્તાન અને અરબસ્તાનની સંસ્કૃતિ અંગે એ વાત છે કે રણના કારણે આરબ લોકો વેપારી બન્યા. લેવડ-દેવડમાંથી ઈમાનદારી અને સચ્ચાઈ શીખ્યા. તેવી જ રીતે યુદ્ધોના કારણે માણસે ભરાઈ જતાં સ્ત્રીઓ ફાજલ પડતા ત્યાં અનેક પત્નીઓ રાખતાં તેઓ શીખ્યા. ઘણીવાર તે આખા કબીલાનો સરદાર- કબીલાની નારીઓનો સ્વામી બનતો. તેથી ત્યાં વિલાસના જનાનખાના સામાન્ય બન્યા. ત્યાં રણમાં આંધીઓ આવે તેથી બીજે કંઈ ન જોઈ શકાય. તેથી તેમણે ચંદ્ર-તારાને માર્ગ સ્વીકાર્યો. દેવ-દેવીઓમાં પણ ખૂબ માનતા. સાત દિવસના દેવ જુદા, દિવસના જુદા અને રાતના જુદા. એકના દેવને બીજા ચરી જાય. તેમાં યુદ્ધો થાય અને વંશપરંપરાગત વેર લેવાનું તેમના જીવનમાં વણાઈ ગયું. ભાવી સંસ્કૃતિનો નારે નાણ થવા લાગે કે તેઓ બાઝવાની અહી કે પહેઆ તારે મહંમદ પયંગબરે તેમને “ એક ખુદા”ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ સંદેશ આપી બચાવી લીધા. તેમણે કહ્યું : “આપણે સહુ એક ખુદાના પરિવારના છીએ. માટે લડવું ન જોઈએ.” દેવ-દેવીઓમાં પણ જે અનેક્તા હતી અને લડાઈઓ થતી તેને દૂર કરવા એક ખુદાને અને તેની કુદરતરૂપે ચંદ્ર-તારાને માનવા કહ્યું તેમજ મૂતિ-પૂજા અને તે અંગેના ઝઘડાઓ નાબૂદ કરાવ્યા. વેરાન પ્રદેશ અને તેમણે લીલો રંગ ભેળવી દીધો. આમ એકતાનો પાયો નાખ્યો પણ કુરેશી લોકો ઝનૂની હતા, તેમને મનાવવા જતાં યુદ્ધ કરવું પડયું અને આમ ન છૂટકે લડવા જતાં ઇસ્લામમાં થોડે અંશે ઝનૂન દાખલ થયું. મહંમદ સાહેબે કહ્યું કે “વિશ્વ એક છે અને ખુદાના બંદા એક થાવ ! આ સૂત્ર ભાવનાત્મક એકતા માટે હતું પણ તે વખતની અપરિપકવ, કંઇક મોટી બુદ્ધિની જાતિઓને હાથે ગયું. તેથી તેમણે ગમે તે રીતે બધાને એક કરવાની ઝેહાદ ઉપાડી. ઇસ્લામના પ્રચારમાં આરબમાં આ બે દેષો પેઠા :-(૧) ઝનન (૨) ઈસ્લામ પ્રચારની ધૂન. બાકી એકતા, વહાણવટું, વેપાર, વ્યવસ્થા, શિક્ષણ, સાંસ્કૃતિક ગુણને વિકાસ વગેરે સારાં તો આવ્યાં. ઈસ્લામ અંગે હિંદમાં તે એમ જ માનવામાં આવે છે કે તે તલવાર અને બળજબરીને ધર્મ છે પણ આફ્રિકા, ઇજીપ્ત, સીરિયા, તુર્કસ્તાન, મંગોલિયા, મધ્ય એશિયા વગેરેમાં ઈસ્લામ ધર્મ પ્રેમ તેમ જ લગ્નસંબંધોથી પણ ફેલાયો હતો અને તે ઠેઠ ચીન સુધી પણ પહોંચ્યો હતો. ઈસ્લામ સ્વીકારનારી જાતિઓમાં તુક અને મંગોલ જાતિઓ લૂંટ અને ઝનૂનથી ટેવાયેલી હતી. ભારતમાં આ નવાં મુસલમાનોનાં ટોળાંઓ લૂંટ માટે આવ્યાં; તેમણે દેવળે તે ક્યાં, મૂર્તિઓ ભાંગી અને લૂંટ ચલાવી. તેમણે તલવારના બળે ગુલામોને મુસલમાને બનાવ્યા એટલે તેમના કૃત્યને બગદાદના ખલીફાઓની મહોર લાગી. ઈસ્લામે એક વાત તો દુર કરી કે ગુલામીને અંત આણ્યો. ગુલામ લાદે ઈસ્લામ સ્વીકારીને મુસલમાન થઈ શક્તા હતા. તે ઉપરાંત પછાતવર્ગના લોકો પણ ઈસ્લામ સ્વીકારી મુસલમાન થઈ શકતા હતા. આ બન્ને કારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ભારત અને ભારત બહારના દેશોમાં ઘણાં લોકો સ્વેચ્છાએ પણ મુસલમાન બની ગયા. ભારતને સાચા ઇસ્લામનાં પ્રારંભમાં કદિ પરિચય થયો જ નહીં પણ ઝનુની, લુંટારા મુલમાનેને પરિચય થયો હતો. અકબર જેવા બાદશાહને પરિચય જે પહેલાં થયો હોત તે જે પૂર્વગ્રહ હિંદુ મુસલમાને વચ્ચે બંધાયો તે ન બધાત. એકબાજુ જોધા બાઈ પૂજાને સામાન લઈ મંદિરે જાય અને બીજી તરફ અકબર નમાજ પઢે. તેવી સહિષ્ણુતાના કારણે હિંદુ-મુસલમાન એક થઈ ગયા હતા. જેમ શક વગેરે ભળી ગયા તેમ ભળી ગયા હતા. અકબરે તે પોતાની દીકરી હિંદુને પરણુંવવાની વાત કરેલી પણ મહંમદ ગેરીથી લઈને નાદિરશાહ સુધીના મુસ્લીમ બાદશાહ-લૂંટારૂઓએ જે ઘા પાડયા તેને અકબર, : જહાંગીર કે શાહજહાં કાઢી ન શક્યા. ઇસ્લામીએ પણ ઓરંગઝેબથી પાછા ધર્મ ઝનૂની બન્યા. હિંદુ રક્ષાની ભાવનાથી કુંઠિત રહ્યા. પરિણામે બન્નેનું અંતર વધી ગયું. નહીં તે હિંદુ-મુસ્લિમ સહિષ્ણુતાને પરિણામે ઘણી બાબતોમાં એક્તા પણ જોવા મળે છે. દા. ત. ધજા—નેજા, નેબત–નગારાં, બાંગ-શંખ, ખાખ-રાખ, સાંઈ ગુમાઈ જાણે કે કશો ફરક નહીં. હરિએક, ખુદાએક, ખુરાને શરણે જતાં બધા દેવ નીકળી જાય. વલ્લભાચાર્યે કહ્યું છે ! “બ્રાહ્મસબંધ સાંધે તો પાપ છૂટી જાય !” એટલે બળ વાપર્યા વિના દિને-ઈલાહીને નાને પ્રયત્ન ઈસલામીઓ તરફથી થયો. બાપુએ “સર્વ ધર્મ સમભાવ” રૂપે પ્રયાસ કર્યો, આપણે સર્વધર્મ સમન્વયી જોરદાર પ્રયાસ કરવો પડશે.” શ્રી પૂંજાભાઈ : “ ઇતિહાસમાં દુરાગ્રહી અને ઝનની લો કોના યુદ્ધને ચિતાર જોવા મળે છે. જે તેને મનોએ રોકયાં હોત તે આ ઝઘડા ન થાત. મહમદખાં અને છ બન્ને વિદ્વાન, બનેને ઘણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ સાંભળવા આવે પણ અદેખાઈને કારણે હિંદુ ધર્મગુરુઓ રેકે તેથી અંતર વધતું જ ગયું. પણ જે સક્રિય પ્રયત્ન કરવામાં આવે તો હિંદુ-મુસ્લિમ એકતા જલદી થઈ શકે તેમ છે. ગેહિલવાડનું ઘોઘા અહમદશાહે લઈ લીધું. તે વખતે વરસો અને જેતાએ ગામો લૂંટવા શરૂ કર્યા. અંતે સરખેજમાં બેગમને ફકીર વેશમાં મળ્યા; તે વખતે બેગમ બહેન બન્યા અને તેમનાં ગામો બાદશાહ પાસેથી પાછાં મળ્યાં. તેમણે એક બહેન તેજબાનાં લગ્ન કરાવ્યાં અને પરસ્પરના સંબંધો વધી ગયા. પણ, સહેજ ઉંધુ થતાં કેટલાં ખૂન-ખરાબ થાય છે તે પણ એ જ દાખલામાં મળે છે. તેમણે એક બહેન સામંતસિંહ બહિયલવાળાને આપી. બન્ને સાળાઓ બનેવી સાથે ઠેકડી કરતા હતા કે બનેવીએ મેણું માર્યું, “ માથે તે બાદશાહનું ઓઢીને ફરે છે ને!” તેથી ખીજવાઈને તેમણે ભાણેજી શાહજાદા વેરે અપાવી. પરિણામે યુદ્ધ થયું; સામંતસિંહ મરાયો અને મુસલમાન કન્યાને લઈ ગયા. ટુંકમાં જે સહિષ્ણુતા હોવી જોઈએ તે ન હોવાથી; તેમ જ ધર્મની પ્રેરણું ન હોવાથી, બ્રાહ્મણે અને ક્ષત્રિય નબળા પડવાથી અને સંગઠિત ન હોવાથી આ બધું થવા પામ્યું. પરિણામે ધર્મ, એકતાના બદલે માનવજાતિના ભાગલા અને દુર્દશાનું કારણ બન્યો. શ્રી ચંચળબહેન : “ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓએ પિતાને ક્ષાત્ર ધર્મ બજાવ્યા તે પવિનીના કિસ્સા ઉપરથી મળી શકે છે. જ્યારે ક્ષત્રિય વીરેએ કેસરિયાં કર્યા અને ક્ષત્રિયાણીઓએ જોહર કર્યા. પણ સંગઠને અને તેમની સાંકળ ન હોવાનાં કારણે અનેક બલિદાને અપાયાં છતાં દૂષણો અટક્યાં નહીં અને ભારત એક ન થયું. તેને આજે આપણે બધા એ વિચાર કરવા પડશે!” પ્ર દંડી સ્વામી હિંદુ-મુસ્લિમ એકતાને પ્રશ્ન એક અર્થમાં ઘણો સહેલો છે. શિલાલેખમાં ટાંકણું ડાબી બાજુથી શરૂ થઈ જમણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ બાજુ ચાલે છે, તેવી જ રીતે ઉ–લિપિ લખાય છે. છત્રપતિએ પિતાના ઇતિહાસમાં અરબસ્તાનને આર્યસ્થાનની રીતે ઘટાવ્યું છે. પ્રભાસપાટણના સોમનાથનું લિંગ અરબસ્તાનથી આવ્યાની માહિતી મળે છે. હજરત મહંમદના જમાનામાં હર્ષવર્ધન થયા છે. સૂફીમત ઉપર વેદાંતની, કે વેદાંત ઉપર સૂફી મતની સ્પષ્ટ અસર છે. શાહબુદ્દીન ગોરીના કુકર્મોમાં સાથ તે હિંદુઓની ટુકડીને હાથા રૂપે હતે. ચંગીઝખાન બૌદ્ધ હતો. તેણે મુસ્લિમ ઉપર જે વીતાડયું તેના બદલા રૂપે બખત્યાર ખિલજીએ એરિસ્સામાં પહાડની ગુફામાં રહેતા જૈન-બૌદ્ધ સાધુઓમાંના લગભગ ત્રણ હજારને બાળી નાખ્યા. ઘણી પછાત કેમ ઢેડ, ચમાર, તેલી વગેરેને હિંદુઓએ સન્માન ન આપ્યું તેથી તેઓ મુસ્લિમ બન્યા તે બનવા જોગ છે. કાલા પહાડ ( કાળિયે ઢેડ) કે મલિક કાફર (કપૂરિયે-તેલી) તેના નમૂના રૂપે છે. તેઓની વિરૂદ્ધતાથી અંતર વધ્યું છે. એવી જ રીતે બીજું પાસું પણ છે કે મુસ્લીમ કન્યાઓને હિંદુઓએ ઘરમાં બેસાડી નહીં. અકબરે પોતાની દીકરી હિંદુઓને આપવા વિચાર કર્યો હતો પણ કોઈએ લીધી નહીં. શાહજહાંએ જગન્નાથ પંડિતને લવિંગા આપી. તે હિંદુઓએ તેમને ભ્રષ્ટ ગયા. અને ગંગા નદીને જાતે બાવન પગથિયાં ચડીને તેમને સ્પર્શ કરાવ્યો ત્યારે જ બનેને યોગ્ય કરાવવામાં આવ્યા તે પણ પરાણે. આ બધા દાખલા છનાં પ્રયત્ન થાય તે જરૂર ધર્મસહિષ્ણુતા વધતા હિંદુમુસ્લિમ એક થઈ શકે એમ મારું માનવું છે. (૩૧-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮. વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરેપને ઇતિહાસ ઉત્તરાર્ધ. મુનીશ્રી નેમિચંદ્રજી યુરોપના ઈતિહાસને પૂર્વાધ અગાઉ વિચારાઈ ગયું છે. ઉત્તરાર્ધ વિચારવાનું છે. સોળમી તેમ જ સત્તરમી સદીમાં યુરોપમાં ઉથલપાથલ થઈ તેમ જ વ્યવસ્થાઓ બદલાઈ. ૧૬૪૮માં વેસ્ટફેલિયાની સંધિ થઈ તેથી ૩૦ વર્ષને ભીષણ વિગ્રહ, એક વરસની વાટાઘાટો બાદ પૂરે થયો. તેમાં ચાર્લ્સ પ્રથમને પિતાનું માથું ગુમાવવું પડ્યું. ૧૯૮૮માં ઈગ્લાંડમાં ફરી શાંત ક્રાંતિ થઈ. તેથી રાજા જેમ્સને હાંકી કાઢવામાં આવ્યો અને પાર્લામેંટને વિજય થયો. રાજાનું માન તેથી કરીને વધારે ઉતરી ગયું. ઈંગ્લાંડ કરતાં જુદી જ પરિસ્થિતિ યુરોપમાં પ્રવર્તતી હતી. ત્યાં ફાંસો રાજા ૧૪મો લૂઈ આપખુદ અને જુલમગાર ગણાતો હતે. દેશ સત્તા અને દૌલત તેના હાથમાં હતાં. ક્યુડલ અને ઉમરાવોની વ્યવસ્થાને અંત આવતો હતો તેથી એક-દેશ એક–પ્રજાની રાષ્ટ્રીય ભાવનાને ઉદય થતું હતે. રિશેલિયા અને મેઝરિન નામના નિપુણું પ્રધાને એ તે વિચાર પોતાના અમલ દરમ્યાન વહેતે કર્યો. ધર્મ અંગે પહેલાં જેટલી ભાવના લોકોમાં રહી ન હતી, તેને બદલે સર્વોપરિસ્થાન આ રાષ્ટ્રીય ભાવનાએ લીધું તેમાં ક્રાંસ અગ્રણું બન્યું. ૧૮મી સદીને પ્રારંભ યુરોપના ઇતિહાસમાં બીજી એ રીતે મહત્વ પૂર્ણ છે કે, ૧૬મી સદીના આરંભમાં જે વિદેશના પ્રવાસે ખેડાયા તેના કારણે યુરોપને ઉપનિવેશ-બાદ એશિયા ખંડમાં શરૂ થયો. એશિયા તેમ જ અમેરિકા અને આફ્રિકામાંથી વેપાર તેમ જ અન્ય રીતે પુષ્કળ ધન આવવું શરૂ થયું. ૧૮મી સદીમાં અર્વાચીન વિજ્ઞાનને પાયે નંખાય; તેમ જ વેપાર અને માલનું બજાર આખું વિશ્વ બની ગયું. વિજ્ઞાનની શોધોએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપો અને પરિણામે ઉદ્યોગને વિકાસ ચાલતો રહ્યો. તેવી જ રીતે ૧૮મી સદીમાં ઈંગ્લાંડ અને કાંસ વચ્ચે ભારત અને કેનેડામાં સામ્રાજ્યવાદ વધારવા માટે તીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ હરિફાઈ થઈ. તેમાં નાની લડાઇઓ પણ થઈ, જેમાં અંતે બ્રિટીશ લેક ફાવ્યા. ત્યાર બાદ લોકોમાં ઉપર-ઉપરથી શાંતિ અને સ્વસ્થતા જણાતી હતી. યુરોપના બધા રાજદરબારી સભ્ય અને વિનીત રાજપુરુષોથી ઊભરાતા હતા. પણ અંદર અસંતોષ ફેલાઈ રહ્યો હતો. ઉમરાવે તેમ જ અમલદાર સિવાયની પ્રજાઓની હાડમારી વધતી જતી હતી. તે વિદ્રોહ રૂપે ૧૭૮૮મા ભભૂકી ઊઠી. પેરિસમાં મોટી ક્રાંતિ થઈ. તેણે રાજાશાહી અને જર્જરિત અમલદારશાહીને અંત આણ્યો. તેની અસર બીજા દેશો ઉપર પડ્યા વગર ન રહી આ યુગમાં ધર્મપ્રતિ શ્રદ્ધા ડગવા માંડી હતી. જો કે વિજ્ઞાનને પ્રારભ થતા દરેક વાત તર્ક કે બુદ્ધિથી ચકાસવા માગતા હતા. અત્યાર સુધી ધર્મ એ સૌથી વધારે સામાજિક બળ હતું પણ ધર્મ સુધારણા (Reformation) સમયમાં પણ ધર્મ એજ સ્થિતિમાં હતા. ધર્મ તત્ર-બદ્ધ થઈ ગયા હતા અને પિપ તેમ જ ચર્ચાના અધિકારીને મત એ જ ધર્મ ગણતો. સમાજનું બંધારણ હતું પણ બે વર્ગો વચ્ચે હમેશાં અસમાનતા પ્રવર્તતી. તેની સામે કોઈ થઈ શકતું નહીં. શેક વર્ગ ઉમરાવ, અમલદારને પુરુષનાં ફળ અને શેષિત પ્રજાને પાપકર્મનાં ફળ કહીને સંતોષવામાં આવતું. પલેકની વર્ગની વાતે કરીને પ્રજાને સાંત્વન આપવામાં આવતુ. ચર્ચના પાદરીઓ ખુલ્લી રીતે ઉચ્ચ વર્ગના સીપણાની વાત કરતા અને કહેતા કે ધનિક વર્ગ ગરીબેને ટ્રસ્ટી છે અને જમીનદાર ખેડૂતેને ટ્રસ્ટી છે. તે દ્રસ્ટ તરીકે મિન અને જમીન સુરક્ષિત રાખે છે. ધનિકોને તેમાં ફાયદો હતો પણ આ ચતુરાઈપૂર્ણ ખુલાસાઓ લે કોનું પેટ ભરવા અસમર્થ હતા. તેમાં વિજ્ઞાન આવતાં, બુદ્ધિવાદને વિકાસ થતાં લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા વધવા માંડી. આમ ધર્મનું મહત્વ ઘટવા લાગ્યું. યુરોપમાં વિજ્ઞાને જરી પુરાણી માન્યતાઓનાં મૂળિયાં ઉખેડવા શરૂ કર્યા. નવા ઉઘોગે, વિજ્ઞાનની શોધે તેમજ નવી અર્થવ્યવસ્થાના પ્રશ્નોમાં લોકોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રસ લે શરૂ કર્યો. તેમના મને આર્થિક-સામાજિક પ્રશ્નો મહત્ત્વનાં બનવા લાગ્યા. યુરોપમાં ધાર્મિક પુર્નવિચાર (Renaissance) અને બુદ્ધિવાદની પ્રગતિ ધીમે ધીમે થઈ. પ્રારંભમાં ખ્રિસ્તી ધર્મ કે ચર્ચની ટીકા કરતાં લે કો ડરતા કારણ કે તેમને દેહાંતદંડ થઈ શકતા. એક જમન દર્શનિકને કોફ્યુશિયસની વધારે પડતી પ્રશંસા કરવા માટે દેરાપાર કરવામાં આવ્યો હતે. પણ નવો વિચાર બુલંદ અને સાર્વજનિક થતાં તે અંગે લોકેનું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું. તે અંગે કેટલાંક પુસ્તકો પણ બહાર પડ્યાં. કોસવાસી વિચારક હટેયરે તે સાફ સાફ લખ્યું: જે પૂરેપૂરી તપાસ કર્યા વગર ધર્મને સ્વીકારે છે તે સ્વેચ્છાએ ધૂંસરીએ જોડાનાર બળદિયા જેવો છે.” તેણે બુદ્ધિવાદ, ધર્મની સામે જેહાદ કે ક્રાંતિ અને એવાં બીજાં પુસ્તકો આપ્યાં. ધમધ ખ્રિસ્તીઓ તેને ધિકકારવા લાગ્યા. તેને કેદમાં નાખવામાં આવ્યો. તેને કેદમાં લખવાનાં સાધન પણ ન આપવામાં આવ્યાં, પછી તેને દેશપાર કરવામાં આવ્યો. તે છતાં તે અડગ રહ્યો. એ જ બીજો એક છનિવાન લેખક રૂસે હતો. તેના લખાણેએ ખૂબ જ ઉહાપોહ મચાવ્યા. તે સમર્થ કેળવણીકાર હતા. તે ઉપરાંત પણ નવા-નવા વિચારે અને રાજ્ય કાયદા શિલીઓ ઉપર પુસ્તકો પ્રગટ થતાં હતાં. તે વખતે મેનેસ્કિનું Spirit of the Laws (કાયદાનું હાર્દ) બહાર પડયું. પેરિસમાં વિશ્વકોષ પણ પ્રગટ થયો. આમ નવા વિચારની લહેરના કારણે લેકમત કેળવાતે ગયે. ધાર્મિક અસહિષ્ણુતા તેમજ વર્ગભેદની વિરુદ્ધ મોર્ચે તૈયાર થતો ગયે પણ, દાર્શનિકો કે જનતા બેમાંથી એકેય રાજાનો ત્યાગ કરી પ્રજાતંત્ર તરફ જવાની હિમાયત કરતા ન હતા. તેમને એ પ્રયોગ નવો અને શંકાસ્પદ લાગતું હતું અને તે કરવાની હિંમત ન હતી. પણ યુરોપમાં પુનર્વિચાર સાથે ઘણાયે ધાર્મિક સુધારા (Reformation) થયા. ચર્ચમાં પણ બે ભાગ થયા. તેમાંયે પ્રોટેસ્ટંટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ચર્ચામાંથી નવા વિચારને વર્ગ પ્રેએટેરિયન અલગ થયા. આ બધું ધાર્મિક પુનર્વિચારનું પરિણામ હતું. તેનાથી સર્વપ્રથમ પોપ, ચર્ચ અને ધર્મસંપ્રદાયોને લાગ્યું કે જે પૂરી વિચારણ વગર કંઈપણ લેકે ઉપર લાદવા જશું તે તેને અનાદર થવાનું છે. તેથી તેમણે જાતે, જો કે સત્તા સાથે નવી વ્યવસ્થા ગોઠવી. ઉત્તરાર્ધમાં યુરોપમાં પ્રમાણમાં શાંતિ પ્રવર્તતી હતી. પણ તે લાંબો કાળ ટકી નહીં. ૧૮મી સદીમાં ત્રણ બેટી ક્રાંતિએ થઈ. તેની આગળ બાબતે ફીકી પડી જાય છે. આ ત્રણેય ક્રાંતિઓ જુદી જુદી હતી. રાજકીય, ઓદ્યોગિક અને સામાજિક હતી. રાજકીય ક્રાંતિ અમેરિકામાં થઈ. ત્યાંના બ્રિટીશ સંસ્થાને એ બળવે હતો. તેથી અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનું સ્વતંત્ર નવું પ્રજાતંત્ર સ્થપાયું. અમેરિકામાં રાજ્યક્રાંતિ તે થઈ પણ ત્યાં ગુલામને વેપાર અને ગુલામી પ્રથા અત્યંત કારમા સ્વરૂપે ચાલવા લાગ્યાં. આફ્રિકાના કિનારાના પ્રદેશમાંથી હપ્નીઓને પકડી અમેરિકાના ખેતર ઉપર કામ કરવા માટે લઈ જવામાં આવતા. આ વેપારમાં સ્પેન અને પિોર્ટુગલ લોકોને મુખ્ય હાથ હતો અને અંગ્રેજોને એ પૂરો હિસ્સો હતો. તેમની યાતનાને કોઈ પાર ન હતું. ૧૮મી સદીમાં ગુલામી વિરૂદ્ધ કાયદે ઇગ્લાંડમાં આવ્યું. અમેરિકાને તે પ્રશ્નના નીવેડા માટે આંતરવિગ્રહ લડવો પડ્યો. હજુ જે કે થોડે અંશે કાળા-ધોળાની ભાવનારૂપે એ ચાલુ જ છે. ઔગિક ક્રાંતિ ઇગ્લાંડમાં થઈ. વરાળ-શક્તિની શોધથી પ્રચંડ યાત્રા શરૂ થયાં. યાંત્રિક યુગનો પ્રારંભ થયો. તેની અસર વિદેશ -માંસ અને યુરોપ—ઉપર પણ થઈ યંત્રએ માનવને પ્રકૃતિની પરાધીનતામાંથી મુકત કરવાને ઉપક્રમ કર્યો. તેથી ઉત્પાદન સુગમ બની ગયું. વધારે ઉત્પાદન થવાથી માણસને નવરાશ મળી. પરિણામે કળા, ચિંતન અને વિજ્ઞાનનાં ક્ષેત્ર ખિલ્યાં. આ પ્રચંડ યંત્રએ સભ્યતાના વિકાસને ઉત્તેજન આપવા સાથે, યુદ્ધ તથા સંહારનાં ભીષણ શસ્ત્રો સર્જને સંહાર તત્વને ઉત્તેજન આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઔદ્યોગિક ક્રાંતિની બીજી બાજુ પણ હતી. તેણે ઉત્પાદન વધાર્યું. સાથે વિલાસિતા વધી. જે મજૂરોમાં વિલાસિતા ન હતી તેમને વ્યસનો અને ફેશનને ચેપ લાગવા મા. જો કે ઉત્પાદન વધતું હતું પણ તેને ઉપગ ધનવાને જ કરી શકતા. મજૂર કે ગરીબ વર્ગ તે તેના ઉત્પાદનના શોષને ભોગ બને તે હતા. યંત્રોએ ગરીબ-તવંગરને ભેદ પહેલાં કરતાં વધારે તીવ્ર કરી નાખ્યો. યંત્રએ સહકાર, સંગઠન અને નિયમિત્તા વગેરે બાબતે કેળવી પણ બીજી તરફ લોકોનાં જીવન ભોગી, શુષ્ક, નિરસ અને યંત્રવત્ કરી મૂક્યાં. તેમનું મુકત ધર્મ–ચિંતન દૂર થયું અને સ્વતંત્રતા કે આનંદ બહુ જ નજીવા પ્રમાણમાં જીવનમાં રહ્યાં. આ ક્રાંતિ શાસકોને બદલાવનારી રાજ્યક્રાંતિ ન હતી. પણ આર્થિક સત્તાને નવો યુગ તેણે શરૂ કર્યો. જેના હાથમાં યંત્ર કે ઉદ્યોગ હોય તેનું પ્રભુત્વ વધવા લાગ્યું. આ લોકોએ રાષ્ટ્રીય-વિકાસના નામે પરદેશનાં બજારો કજે કર્યો. કારીગરો મેળવવા તેમ જ કાચો માલ મેળવવા માટે લોકોને ઉત્તેજીત કર્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે નેધરલેંડના ઘણું કારીગરો ઈગ્લાંડમાં જઈને એ શરતે વસ્યા કે તેમને દરેક ઘરમાં એક અંગ્રેજ શિખાઉ તરીકે રહે. બેલજીયમના લોકો પણ ત્યાં આવ્યા અને તેમણે અંગ્રેજોને કાપડ-વણાટનું કામ શીખવાડ્યું. ૧૯મી સદીમાં ઉઘોગવાદ આખી દુનિયામાં પ્રસરી ગયું હતું. તેથી મૂડીવાદી ઉદ્યોગોની પ્રગતિ થઈ. મૂડીવાદમાંથી સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ અનિવાર્ય પણે ઊભાં થયાં. સર્વત્ર કાચા માલમાંથી, પાકે તૈયાર માલ ખપાવવા બજારની માંગ થઇ, હરિફાઈઓ ચાલી અને બજારો માટે લડાઈ ઓ પણ થઈ. આજે પણ માલ-ખપત અને બજાર માટે એટલી જ રસાકસી મોટો રાષ્ટ્રો વચ્ચે ચાલે છે. જે વિજ્ઞાન વડે આખા વિશ્વને જીવનની પ્રાથમિક જરૂરત ખેરાક, કપડાં અને મકાન પૂરી પાડી શકાય તેના બદલે સંપત્તિ એક તરફ વધવા લાગી અને બીજી તરફ ગરીબ પણ ગરીબો રૂપે જ વધવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ આફ્રિકા અને પૂર્વ એશિયાના દેશનું શેષણ યુરોપના સામ્રાજ્યવાદે કરવું શરૂ કર્યું. ત્યાંના દુઃખી લેકની પરિસ્થિતિ વધારે કડી થઈ ગઈ. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાંઓમાં કામ કરતા મજૂરોને ન વર્ગ ઊભો થયે. મજૂરો ખેડુતે કરતાં ઘણી બાબતમાં અલગ પડતા હતા. પહેલાં તેમને સંગઠન કરવા દેવામાં આવ્યું નહીં પણ ધીમે ધીમે મજૂરોનું બળ વધતાં મજૂર–મહાજન જેવી બળવાન સંગઠિત સંસ્થાઓ આવી. તેમનું શોષણ કરનાર એક જ વર્ગ છે. યાને માલિક ! એટલે તેમની વિરૂદ્ધ “મજૂર એક થાવાકરીને આંદોલન થયાં વિશ્વના મજરે પણ હવે આંતરરાષ્ટ્રીય સંગઠન વડે એક થઈ રહ્યાં છે. આમ વિશ્વમાં ઔગિક મૂડીવાદ સામે મજૂર ઊભા થવા લાગ્યા. અગાઉના મજૂર કરતાં આજને મજૂર વધારે જાગૃત છે એ આ સંગઠને વડે બની શકયું છે. સામાજિક ક્રાંતિને પાયે ૧૮ મી સદીમાં નંખાયો. ૧૯મી સદીના વચગાળામાં જર્મનીમાં કાર્લ માર્કસ નામને પુરુષ પેદા થયું. તેણે રાજકીય-આર્થિક પ્રશ્નોમાં વિજ્ઞાનની પદ્ધતિ લાગુ કરી. તેણે જગતના દુ:ખી જનોના દુ:ખ ભાંગવા માટે એ રીતે વિચારધારા રજૂ કરી જે આગળ જતાં સામ્યવાદની જનેતા બની. તેણે એકસ નામના બીજ મહાપુરુષ સાથે સામ્યવાદનું જાહેરનામું (Communist Manifesto ) બહાર પાડ્યું. એમાં એની આખી ફિસૂફી રજુ કરવામાં આવી છે. તેણે Capital “મૂડી” નામને બીજો પ્ર થ બહાર પાડે. માકર્સના એ પ્રથાએ યુરોપમાં સામાજિક ક્રાંતિના બી રોપ્યાં. રશિયાની ક્રાંતિ એને જ મોટા ભાગે આભારી છે. આજે સામ્યવાદ વિશ્વનું મોટું હરીફ બળ મનાય છે. આમ તે સામાજિક ક્રાંતિને પરિચય યુરોપને ખાસ, કરીને કસમાં ૧૮મી સદીમાં થયો હતે. ૧૬માં લૂઈના સમયમાં ક્રાંસમાં લોકોને બહુ જ હાડમારી વેઠવી પડતી હતી. તેના અમલ દરમ્યાન ભૂખમરાના કારણે રમખાણ થવા લાગ્યાં હતાં. ઘણાં વર્ષો સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તે ચાલુ રહ્યાં. ધીમે ધીમે લોકોને મોટો ભાગ ભિખારી થવા લાગ્યો. ૧૭૭૭ના વર્ષમાં ફાંસમાં ૧૧ લાખ ભિખારીએ હતા એમ કહેવાય છે. આ વખતથી થોડાંક વર્ષ શાંતિ અને ચેડાંક છમકલાં શરૂ થવા લાગ્યા. ખેડૂતે પાસે અનાજની જ નહીં જમીનની પણ ખેંચ હતી. ઉમરા પાસે ઉપજને મોટો ભાગ જ હતો. તે સામે અસંતોષ વધતો જતો હતો. ૧૭૮૮ થી ૯૪ સુધીમાં ફ્રાંસની આ રીબાતી–પીડાતી પ્રજા સામનો કરવા માટે તૈયાર થઈ ઉમરા, નરમદળના લોકો તેમજ પાડોશી રાજ્ય આ ક્રાંતિ થાય તેમ ઈચ્છતા ન હતા. તેમણે ચાલાકીથી તેને પ્રભાવ ઓછો કરવા માટે ચાલે ચાલવી શરૂ કરી. લેકોને બળ ચાલુ રહ્યો. બાસ્તિયનું પતન થયું અને રાષ્ટ્રસભા શરૂ થઈ. ૪ થી ઓગસ્ટ, ૧૭૮૯ના દિવસે રાષ્ટ્રસભામાં દર રૂપે એક નવું કાર્ય થયું. તેમાં ફયૂડલ પ્રથાના હક્કો અને લાગાઓ નાબૂદ કરવા સર્કડમ (દાસ કે આસામી ) પ્રથાને અંત, ઉમરા તેમજ પાદરીના વિશેષ હક્કો પ્રસ્તાવોમાં તે નાબુદ થયા. ઉમરાવએ ઉપરથી તો એમ દેખાડયું કે તેમને આ બધું ગમે છે તેમણે ઇલકાબોને ત્યાગ કર્યો. તે વખતે માનવ - અધિકારીઓની – સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી પણ, તેથી સમસ્યાને સાચે ઉકેલ આવ્યો ન હતો. કારણ કે શેષણ કર્તાઓ પાસે શેષણ કરવાનાં બીજા માર્ગો હતા. માનવ અધિકારોની જાહેરાત છેલ્લાં મિલ્કતની માલિકી ધરાવવાના હક્કને પવિત્ર અને ઉલ્લંધન ન કરી શકાય એ ગણવામાં આવ્યું હતો છતાં ક્રાંતિનું આ પહેલું પગથિયું હતું અને યુરોપની દલિત તેમજ કચડાયેલી પ્રજા માટે આશાને સંદેશ લઈ આવ્યું હતું. કારણ કે આ જાહેરાત રાજાને ન ગમી પણ લોકોએ ખાસ કરીને સ્ત્રીઓએ મોટું સરઘસ કાઢી રાજાને તેને માન્ય કરવાની અને પેરિસ જવાની ફરજ પાડી. આ રાષ્ટ્રસભાએ અનેક સુધારા કર્યા. ચર્ચની અઢળક મિલ્કત રાધે જપ્ત કરી. ફ્રાંસને ૮૦ વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ફયુડલ અદાલતેના બદલે વધારે સારી અદાલતે સ્થાપવામાં આવી. પણ, આ બધી બાબતે જમીન માટે તરસતા ખેડૂતો અને અનાજ માટે તરફડતી પ્રજાને વધારે લાભદાયક ન નીવડી. આ બન્નેનું પ્રતિનિધિત્વ કોઈ રાસભામાં કરતું ન હતું. “સિરાબ”ના નેતૃત્વ નીચે મધ્યમ વર્ગને કાબું હતું; તેને પોતાને હેતુ સિદ્ધ થઈ ગયા એટલે તેણે ક્રાંતિને રોકવા દરેક પ્રયત્ન કર્યો. તેણે રાજા સાથે સમજુતી કરી અને ખેડૂતો ઉપર ગોળીબાર કરાવ્યો એટલે રાષ્ટ્રસભા, પહેલાંના શાસકવર્ગની જેમ તેની જુની દલિત સ્થિતિમાં રહી ! તેથી હતાશ થઈ પેરિસની જનતાએ “મન” અથવા સુધરાઈને આશ્રય લીધો. તે જનતાના નિકટ સંપર્કમાં હતી. તેથી બસ્તિયના પતનના દિવસે પેરિસના લોકોએ “સમગ્ર લોક ઉત્સવ” નામનો મોટો ઉત્સવ કર્યો, પણ તેથી હજ લો કોને રાજા ઉપર અંકુશ આવ્યો ન હતે. રાષ્ટ્રભા અને રાજતંત્ર પ્રજાકીય ભાવનાથી અલગ પડી ગયાં હતાં. પરિણામે રાજાને પદભ્રષ્ટ કરનાર લોકોને ગોળીથી વીંધવાનું કામ ચાલુ રહ્યું. મેંટ નામના ક્રાંતિકાર નાયકે રાજાની નાશભાગ પછી તેને દેશદ્રોહી જાહેર કર્યો પણ તેને ગટરોમાં છુપાઈ રહેવું પડયું અને તેને ભયંકર ચર્ચા–રોગ લાગુ પડે. આ દરમ્યાન લૂઈ રાજા તરીકે ચાલુ જ રહ્યો હતો. ૧૭૮૧માં રાખસભાની કારકિર્દીને અંત આવ્યો. તેનું સ્થાન ધારાસભાએ લીધું; પણ તે કેવળ ઉપલા વર્ગોનું જ પ્રતિનિધિત્વ કરતી હતી. ૧૭૯૨માં ફાંસને ઓસ્ટ્રીયા અને પર્શિયા સાથે યુદ્ધમાં ઊતરવું પડયું. રાજા દુશ્મન સાથે ભળી ગયો છે એ શક ફાંસની પ્રજાને છે. તેની સામે પેરિસના ક્રાંતિકારી કોમ્યુને આગેવાની લીધી. દેશદ્રોહીઓ અને જાસુસેના બનેલા રાજદરબાર સામે લોકોએ લશ્કરી કાયદે જાહેર કર્યો છે એમ બતાવવા માટે તેમણે લાલ વાવટા ફરકાવ્યો. ૧૭૯૨ની ૧૦મી ઓગરટે રાજાના મહેલ ઉપર હુમલે કરવાનું તેમણે નકકી કર્યું. અને રાજાએ તેના સ્વીસ અંગરક્ષક દ્વારા ગોળીબાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કરાવ્યો. તેથી લો કે ખૂબ ઉશ્કેરાઈ ગયા. ૧૭૯૨માં રાષ્ટ્રીય સમેલનની બેઠક મળી. તેમાં સર્વ પ્રથમ ફાંસને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું, પછી રાજા લૂઈ ઉપર કામ ચલાવવામાં આવ્યું. તેને મોતની સજા ફરમાવવામાં આવી. ૨૧મી જાન્યુઆરી ૧૭૯૩માં તેને ગેલાટીનથી શિરચ્છેદ કરવામાં આવ્યા. પ્રજાના બદલાની ભાવના ત્યાંથી ન અટકી. તે વખતે લગભગ ૪૦૦૦ અમીર, ઉમરાવ અને રાજાના સાથીઓના કુટુંબીઓનો ગેલાટીનથી શિરચ્છેદ કરવામાં આવ્યો; પણ આ ક્રાંતિઓ પછીની ક્રાંતિથી, લોકોને જે સુખ–શાંતિ જોઈએ તે ન મળ્યાં. ફ્રાંસ અને મુખ્યત્વે પેરિસ કેવળ વિલાસ તરફ જ ઘસડાતું ચાલ્યું. ઉપરની ત્રણેય ક્રાંતિઓને ધર્મ સંસ્થા સાથે એટલે કે સાચા ધર્મ સાથે કોઈ સંબંધ નહતો. પરિણામે ઔદ્યોગિક ક્રાંતિ સાથે ધન અને વિલાસનાં દુષણો વધ્યાં. રાજકીય ક્રાંતિ, મૂડીવાદ અને સામ્રાજ્યવાદ વધારવામાં પરિણમી અને ફાંસની સામાજિક ક્રાંતિએ લોકોને અરાજક હિંસક શસે લઈને અશાંતિ મચાવવાનું શીખવાડયું પરિણામે પ્રજાતંત્રના નામે સત્તાની સાઠમારી શરૂ થઈ અહીં ૧૮ મી સદીના અંતમાં થયેલી અને વીસમી સદીના પ્રારંભમાં થયેલી રશિયાની સામ્યવાદની ક્રાંતિને ઉલ્લેખ પણ કરી લેવું જરૂરી છે. છેલ્લા પચાસ વર્ષમાં ત્રણ દેશમાં મોટી ક્રાંતિ થઈ. રશિયામાં સામ્યવાદ આવ્યો અને ધીમે ધીમે એણે પિતાના વાદના પ્રચાર માટે સામ્રાજ્યવાદનું સ્વરૂપ લેવું શરૂ કર્યું એટલું જ નહીં એ બહાને લોકોની શાંતિના જોખમે પણ તેમણે એ જ કાર્ય આગળ ધપાવ્યું. એશિયા અને યુરોપને મોટો ભાગ એમના પ્રભાવ નીચે આવ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી હિંદ આઝાદ થયું ત્યારે ચીનમાં સામ્યવાદવાળી ક્રાંતિ થઈ; પણ ચીનની આઝાદી પછી તેણે જે રીતે સામ્રાજ્યવાદ વધારો શરૂ કર્યો છે તેથી ખુદ તેનું ગુરુ રશિયા પણ ભયભીત થઈ ઊઠયું છે. આ ક્રાંતિની કરૂણતા એ છે કે સ્વતંત્ર લોકોને વ્યક્તિગત જરાયે સ્વતંત્રતા નથી અને વિચાર વિરોધીઓ રૂપે પિતાના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ લાખ ભાઈઓને ફેંસી નાખવામાં આ લોકો જરાએ અચકાતા નથી; પરિણામે જે સામ્યવાદ તરફ લોકો એકવાર સુખ અને શાંતિની મીટ માંડતા હતા તેના તરફ સતત ભય અને શંકાની નજરથી જુએ છે. આ બધી ક્રાંતિનો પાયો ધમ નહતો તેમાં ક્રાંતિપ્રિય સાધુઓ કે લોકસેવક સંસ્થાને અનુબંધ ન હતે. અગાઉ રાજય સર્વોપરિ હતું એટલે રાજ્ય વડે ક્રાંતિની તેમજ પરિવર્તન અને સુખાકારીની વાત ત્યાંથી પશ્ચિમની દેનરૂપે આવી છે. એ પદ્ધતિએ વધવાનાં દૂષણે પણ ઇતિહાસના પાને લખાયેલ છે. ક્રાંસની ક્રાંતિએ ઇતિહાસ પ્રસિદ્ધ પુરૂષ નેપાલિયન બોનાપાર્ટ આપે. તેને અને તેના સંદર્ભમાં થોડો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેણે યુરોપના રાજાઓને પડકાર્યા જેઓ કાંસની સામાજિક ક્રાંતિની વિરૂદ્ધ હતા. આખું માંસ નાનકડા કાસિંવાસીને વશ થયું. નેપોલિયનને જન્મ કેસિકા ટાપુ ઉપર થયેલ હતું. તેનામાં રેચ, કેસિકન તેમજ ઈટાલીનાં લેહીનું મિશ્રણ હતું. તેણે લશ્કરી શાળામાં તાલિમ લીધી હતી. તે જેકલિયન કલબમાં અંગત સ્વાર્થ માટે જોડાયો હતે. ક્રાંતિ પછીની અવ્યવસ્થાને તેણે સારો લાભ લીધે. તવ ગરોએ તેને પિતાને નૌકાને કાફલો સોંપી દીધું. તેણે બંડખોરોને કચડી નાખ્યા અને અંગ્રેજી સૈન્યને અસાધારણ કુશળતાથી હરાવ્યું. તે ૨૪ વર્ષની ઉમરે સેના પતિ બન્યો અને દશ વર્ષમાં તે તેણે પ્રજાસત્તાકને અંત આણ્યો તેમજ તે જાને સેનાપતિ બની બેઠે. તેણે એક પછી એક સરહદે સર કરી પણ સાગર યુદ્ધમાં તે હાર્યો. તેને એક ટાપુ ઉપર રહેવું પડયું. તે ફરી આવ્યો પણ આ વખતે વિદેશીઓના હાથમાં પડ્યો અને તેને દેશ નિકાલ કરી એકાંત ટાપુ ઉપર મોકલી દેવામાં આવ્યો. તેની ઉભી કરેલી કેટલીક વ્યવસ્થા ૧૮૧૪માંજ પડી ભાંગી હતી. બરાબર તે વર્ષ પછી ૧૯૧૪માં પાછું મહાયુદ્ધ શરૂ થયું અને તેણે વિશ્વના મોટાભાગને સાંકળી લીધો. તે ૪ વર્ષ સુધી ચાલ્યું. વળી પાછાં કચડાએલાં રાષ્ટ્રને વધારે કચડવામાં આવ્યાં. પ્રજાતંત્ર વડે સત્તાની સાઠમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ એટલી ખરાબ છે કે ઠીક ૨૫ વર્ષ પછી ૧૯૩૮માં બીજું વિશ્વયુદ્ધ થયું અને ૧૮૪૫માં તે પૂરું થયું. આ પછી જે કે વિશ્વમાં પ્રજાતંત્રીય ભાવનાને વિકાસ થયો છે પણ તેમાં ધર્મ, સાધુસંસ્થા કે લોકસેવકોને અનુબંધ ન હોઈને તેમજ ક્રાંતિ માટે શુદ્ધ અહિંસક સાધનોના અભાવે આજે અણુની આશ્ચર્યકારક પ્રગતિ છતાં જગત સતત ભય અને ત્રાસની હેઠળ ત્રીજુ વિશ્વયુદ્ધ ન થાય તે માટે ઘડીઓ રોજ ગણી રહ્યું છે. એની વિરૂદ્ધમાં ભારતે વિશ્વને ત્રણ મોટી વસ્તુઓ વિશ્વશાંતિ માટે આપી છે. અહિંસક સાધનો વડે ક્રાંતિ; તટસ્થ રાજનીતિ તેમજ પંચશીલ. આજે ત્રીજા વિશ્વયુદ્ધ ભણું ઘસડાઈ રહેલ વિશ્વ માટે ભારત આશાસ્પદ દીવાસમાન બની શક્યું છે. તેને ટુંક ઈતિહાસ જોઈ જ ઠીક થશે. એ તો અગાઉ વિચારાઈ ગયું છે કે હિંદમાં વિદેશીઓને પગપેસારો ચાલુ થઈ ગયો હતો. વાલંદા (ડચ), ફ્રેચ, પોર્ટુગલ અને અંગ્રેજોમાં અંગ્રેજોએ વેપારી કુનેહથા અને અહીંના રાજાઓની ફાટફૂટ નીતિને લાભ લઈને, પિતાનું પ્રભુત્વ વધારવું શરૂ કર્યું. તેમની પ્રતિનિધિ વેપારી પેઢી ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ પૈસા પેદા કરવા; તે માટે નાણાં વધારે વ્યાજે આપવો, સૈનિક ભાડેથી આપવાં અને પૈસા ન મળે તો જમીને હડપતી જવી; એ નીતિ ચાલુ રાખી. પરિણામે ઘણાં નાના નાના બળવા તે થતાજ રહ્યા પણ અહીંના રાજાઓની ફાટફૂટના કારણે તેમણે પિતાનું પ્રભુત્વ વધારવામાં દરેક રીત અપનાવી લીધી. રાજ્યનાં રાજ્યો તેમણે વધતી શક્તિ સાથે જીતવાં શરૂ કર્યા. પરિણમે સામત સરદારોમાં અસંતોષને અગ્નિ ભભૂકવા લાગ્યો. એક બળવાની યોજના ગુપ્ત રીતે કરવામાં આવી. આ પેજના ખાસ કરીને યુત પ્રાંતિ અને મધ્ય પ્રાંતોમાંથી આખા હિંદમાં ફેલાઈ હતી. પણ નિશ્ચિત સમય પહેલાં અમૂક હિંદી ટુકડીઓની ઉતાવળના કારણે બળવાનું ધાર્યું પરિણામ ન આવ્યું. થોડીક છુટી છવાઈ સફળતા પછી ભયંકર દમન શરૂ થયું અને અસંખ્ય હિંદીઓને તોપને ગળે દઈને, ફાંસીએ લટકાવીને અને ગળીએ વીંધીને મારી નાખવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ આ બળવા પછી હિંદની દુર્દશા થવામાં બાકી ન રહી. પણ તે વખતે એક ભારતની કલ્પના અને ભાવના લોકોમાં જાગૃત થઈ. જાગીરદારી કે નાનાં રાજાનું મહત્વ ઘટી ગયું. હિંદના કારીગરોની ભયંકર દુર્દશા થઈ અને ભયંકર કર નાખવામાં આવ્યા. હિંદને કંગાળ અને ગુલામ બનાવીને રાખવાના દરેક પ્રયાસ પૂરા સત્તાના દેર સાથે શરૂ થયા. તે વખતે હિંદમાં રાજા રામમોહનરાયે, મહર્ષિ દયાનંદે તેમજ રામકૃષ્ણ પરમહંસ અને તેમના અનુયાયી વર્ગે હિંદમાં સામાજિક, ધાર્મિક ક્રાંતિના આધારે રાષ્ટ્રીય ભાવનાને પ્રચાર કર્યો. આ રાષ્ટ્રીયતાને વિકાસ સારી રીતે થતે ગયે. ૧૮૮૫ માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. ત્યારબાદ મહાત્મા ગાંધીજી આફ્રિકામાં સામુદાયિક અહિંસાની લડનના પ્રયોગ કરીને હિંદમાં આવ્યા. ભારતમાં તે વખતે સ્વતંત્રતાની ક્રાંતિ માટે લોકો તૈયાર હતા પણ તેનાં સાધનો, વાતાવરણ કે નેતાગીરી અનિશ્ચિત હતાં. ગાંધીજી આવતાં તેમણે એક તરફ રાષ્ટ્રીય ચેતનાના પ્રવાહ ને વેગવંત બનાવ્યો, બીજી તરફ સામાજિક ધાર્મિક દૂષણોને દૂર કરવાને કાર્યક્રમ આવ્યું. તે પછીની વાને બધા સ્પષ્ટ જણે છે કે ૧૯૪૭ માં ૧૫ મી ઓગસ્ટે હિદને સ્વતંત્રતા મળી. ગાંધીજી આ કરી શકયા તેનું કારણ એ હતું કે તેમણે ચારેય અનુબંધેને જોયા હતા. લેકસંગઠન, લોકસેવાક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા અને કાંતિપ્રિય સાધુ સાધ્વીઓની સાથે અનુબંધ જોડી તેમણે દેશમાં સર્વાગી કાંતિ કરી. તેમનાં પગલે સત વિનોબાજીએ ભૂદાન વડે અહિંસક ભૂમિ ક્રાંતિ કરી દેખાડી અને ૫. નેહરૂએ તટસ્થ રાજનીતિ તેમજ પંચશીલને કાર્યકમ જગતને દેખાડે. આ છતાં વિશ્વમાં હિંસા બળો અને સ્વાર્થી તે પોતાનું કામ કરતાં જ રહે છે. પંચશીલની આડે ચીને હિદ ઉપર હુમલો કર્યો છે તેમજ યુરોપમાં પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મનીને પ્રશ્ન કે કોરિયા તેમજ વીએટનામના પ્રશ્નો સળગી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પણ, વિશ્વ ઈતિહાસની ટુંકી રૂપરેખા ઉપરથી આપણે વિશ્વની ધર્મમય રચના માટે કે મસાલે ઉપયોગી થઈ શકે તે જોઈ શકીએ છીએ. ચારેય અનુબંધ ભારતમાં જોડાઈ જાય અને તેમાં રાષ્ટ્રીય મહાસભાને યુનેની સાથે અનુબંધ થઈ જાય તે વિશ્વમાં સાચી શાંતિ પ્રગટી શકે. ચર્ચા-વિચારણ શ્રી માટલિયાએ ચર્ચા દરમ્યાન કહ્યું. આજે વિશ્વઈતિહાસમાં ઔદ્યોગિક ક્રાંતિ, વૈજ્ઞાનિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિ એ ત્રણેય મુદ્દાઓ ઉપર તેમને આવરી લેતાં ક્ષેત્રે યુરોપ, અમેરિકા અને ભારત અંગે એક જ દિવસમાં કહ્યું તે બહુજ ટુંકું ગણાય. તેના માટે ઓછામાં ઓછા ચાર દિવસે જોઈએ. આપણે સંસ્કૃતિ, સમાજ તેમજ ધર્મ અંગેની બાબતો અંગે ખૂબજ સમય આપીએ છીએ પણ આજના ઈતિહાસ ઉપર જેમને પ્રભાવ છે તે સર્વ વાદે જે હિંદમાં પણ છે અને વિશ્વમાં તે છે. તે અંગે વધુ વિસ્તારથી આપણે વિચાર કરવાને રહ્યો. આ વાદેનું મૂળ શું છે તે નહીં જોઈએ તો દરેક ક્ષેત્રે દુનિયામાં ધર્મને અનુબંધ કરાવવાની વાતમાં આપણે કાચા પડી જઈશું. એટલે ટુંકાણમાં આ પ્રવાહને હું આ રીતે રજુ કરી શકે. ભૂમધ્ય સાગરને બે કાંઠે બે પ્રવાહે હતા (૧) એક કાંઠે ગ્રીસ, રામ, ફ્રાંસ, વગેરે હતા. (૨) બીજે કાંઠે અરબસ્તાન, ઈરાક, તુર્કસ્તાન, આફ્રિકા, ઠેઠ પેન વગેરે. પહેલા કાંઠાને ધર્મ ખ્રિસ્તી ધર્મ હતો. બીજે કાંઠે ઇસ્લામ હતો. તે વખતે ઇસ્લામ ધર્મવાળા આગળ હતા. તેમની વિદ્યાપીઠો હતી, કળા હતી શસ્ત્ર વિધા હતી, એટલો વિકાસ ખ્રિસ્તી દેશમાં નહતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આ બન્ને પ્રવાહોને ભૂમધ્ય ઉપર કબજો જમાવવો હતો. પેલેસ્ટાઇન તેમની વચ્ચે હૃદય સમાન હતું. આ બન્ને વચ્ચે સંઘર્ષ ચાલ્યા અને સત્તાવીશ વખત બને લડવા. તેને સારું એ કુડ (ક્રોસની નિશાની હતી તેથી) કહેતા અને મુસલમાનો તેને જેહાદ (ધર્મપ્રચાર યુદ્ધ) કહેતા. સો વર્ષની કટ્ટર લડાઈ ચાલી. ઈસાઈઓ ખ્રિસ્તીઓ સિવાય બધાને નાપાક ગણતા. તેવી જ રીતે મુસ્લિમે તેમના સિવાયના બધાને કાફર ગણતા હતા. અમારો મુખી કહે તેમ કરવું અને ધર્મ ખાતે મરી ફીટવું એ તેમને આદર્શ હતે. પરિણામે લોકોનું ખેદાન મેદાન થઇ ગયું. આમ છતાં મુસ્લિમો પાસેથી દારૂગોળો બનાવવો, છાપકામ, લોહચુંબક વિઘા યુરોપિયને શીખ્યા. મુસ્લિમે ચીન પાસેથી શીખ્યા હતા. યુરોપિયને ઉદ્યમી હતા. ઇસ્લામીઓએ ભૂમધ્ય સાગરના આ તરફના દ્વાર બંધ કર્યા છે તેઓ નકશા, હેકાયંત્ર વગેરે સાધનોથી આફ્રિકા ફરીને ભારત પહોંચ્યા. તેમાં આફ્રિકા પણ ઘણા ગયા આપણે પરદેશમાં બહુ ઓછુ જતા. જાવા, સુમાત્રા, બ્રહ્મદેશ, લકા વગેરે હિંદમાં જ હતા. અહીં સંયમ અને સાદાઈ હતાં તેમ જ કુદરતની પણ કૃપા હતી એટલે સંસ્કૃત-પ્રચાર માટે જવાનું મન થાય તે જુદી વાત, પણ આજીવિકા ખેડવા માટે જવાનું ખમીર આપણા લેહમાં ન હતું. કચ્છ અને દક્ષિણના લેક જ આફ્રિકા પહેલવહેલા ગયા એવું આવે છે એટલે યુરોપવાસીઓ ખૂબ સાન લઈ ગયા. આ પ્રવાસથી યુરોપને ઘણા વસ્તત કાનને લાભ થશે. કુરાન અને બાઈબલના કારણે ખગોળ-ભૂળની વાતે તેજ રીતે માનવામાં આવતી. કોઇ વિરોધ કરે તે તેની આંખ ફાડી નંખાય કે બીજી ય તના આપવામાં આવે. ત્યારે ભારત અને અરબસ્તાનમાં સૂર્ય, મત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નક્ષત્ર પૃથ્વી વગેરેનું જ્ઞાન ખૂબ જ ખેડાયેલું હતું. ત્યારે ઈસાઈઓનાં તે અંગેનાં બારણું બંધ હતાં. પરિણામે ઘણું સંશોધકોને બાળવામાં આવ્યા અને મારવામાં પણ આવ્યા. તેથી જેમ જેમ વિજ્ઞાન વધતુ ગયું તેમ તેમ ધર્મ પ્રતિ ધૃણું સ્વાભાવિક રીતે વધતી ગઈ. આમાં વેપારીઓ આગળ આવ્યા. તેમની પાસે સોનું અને ધન બને હતાં. તેથી ગામડાની ગરાસદારી તૂટવા લાગી. તેમને સામંતશાહી ખૂચે તે સ્વાભાવિક હતું. આમાંથી ત્યાં મુખ્યત્વે નગરરચના થઈ ગઈ વેપારીઓએ નગદ-રચનામાં રસ લેવો શરૂ કર્યો. પોપને પડતા મૂક્યા. આ વખતે જે નગર રાજ્ય ઉપર રાજા આવ્યા તે એક અર્થમાં તે પ્રજાના પ્રતિનિધિ રૂપે આવ્યા. તે વખતના નગરના પ્રતિનિધિત્વમાં પ્રજાનું પ્રતિનિધિત્વ હતું, જેનો મુખ્ય ભાગ વેપારીઓને હતો. તે વખતે બે કરાર થયા :-(૧) પ્રજાને પૂછયા વિના લડાઈ નહીં કરું અને (૨) ગમે તેમ પૈસે નહીં વેડ૬. નગરનો એ સંસ્કાર રાયસંસ્કાર રૂપે દ્રઢ થયો. તે લોકોમાં આલોક માટે સીઝર અને પરલોક માટે પાદરી માર્ગદર્શક બન્યા. તેથી ત્યાંના લોકોનું ઘડતર કાયદા વડે થયું છે. કાયદે રાજા ઘડે અને ધીમે ધીમે તે ભૂલ ન જ કરી શકે કારણ કે તે દૈવી–પુત્ર છે એમ મનાયું. જો કે અહીં પણ બ્રાહ્મણને બ્રહ્માનો અંશ અને રાજાને વિષ્ણુને અંશ માને છે તે છતા કુદરતી રીતે રાજા ઉપર, ઉપરથી બ્રાહ્મણને અને નીચેથી મહાજનોને અંકુશ રહ્યો તેથી રાજાને ધમ માર્ગે ચાલવું પડ્યું. પણ પશ્ચિમમાં એમ ન થયું. ત્યાં એક ધર્મગુરૂ (બિશપ) ભ્રષ્ટ હતો. તેથી પ્રજાએ તેના માટે કહ્યું : “ તે નહીં જોઈએ.” રાજાએ વિચાર્યું : “આજે ધર્મગુરૂ ન જોઈએ એ નાદ ઊઠે છે તે કાલે રાજા ન જોઈ એ એ નાદ ઊઠશે !” એટલે રાજા અને બિશપ બને મળી ગયા. તેમણે સંધિ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ એક વેપારીએ તેની સામે બંડ પોકાર્યું. “અમારે આવાજ નહીં તે કરવેર શા માટે ભરીએ.” તેને રાજાએ બંડ ગણું. રાજદ્રોહના અપરાધમાં એક પાઈને દંડ કર્યો. તેણે તે ન આપ્યો. મામલો વટે ચડ્યો. તેની મિલકત લૂટાણી, ને જેલ ભેગો થયે પણ ન હટકે. પ્રજાને જોશ વધે. પ્રજાએ ગાડાના પૈડાં જેટલા કાગળમાં સહીઓ કરી રાજ અને પ્રજા બને વચ્ચે યુદ્ધ થયું. બન્ને પક્ષેની લડાઈમાં રાજા હાર્યો પરિણામે બીજે રાજા આવે. પણ અંતે તે સત્તા પ્રજાના હાથમાં જ આવી પડી. તેના જ પ્રતિનિધિઓ રાજ્યમાં ગયા. ત્યારથી, તાલુકદારો, વેપારીઓ અને બીજાઓનું સ્થળ ધારાસભા થઈ ગયું. બંધારણ ત્યારે નક્કી થયું. આ છે ટુંકમાં ત્યાંની લોકશાહીને ઇતિહાસમાં પ્રથમ ઇંગ્લાંડ, પછી અમેરિકા અને પછી ફાંસે અપનાવી એ મારી વિનય મત છે. કેટલાક યુવાને કહે છે: “રાજયને બદલવાને અમને અધિકાર છે. ચૂંટણીથી ન બદલે તે લડીને બદલી શકાય !” પણ, આજની દુનિયાની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુરોપની, અમેરિકાની, કાંસની અને અંતે રશિયાની ક્રાંતિ થઈ ત્યારની પરિસ્થિતિ જુદી હતી. જેમાં રાજયના હાથમાં તલવાર, બંદુક વગેરે સાધન હતાં, તેવાં જ હથિયારે ત્યાં પ્રજાના હાથમાં હતાં. એટલે પ્રજા–રાજાની સ્થિતિ સમોવડિયા જેવી હતી. પણ, આજે રાજ્ય પાસે વધુમાં વધુ સાધને છે. એટમ બમ વગેરે એવી પ્રલયકારી શક્તિઓ રાજ્ય પાસે છે કે પ્રજાની ચાહે એટલી સંખ્યા હોય તે ખતમ કરી શકે છે. બીજું પણ વિચારવા જેવું એ છે કે આજે યંત્ર પાસેની શક્તિ પછી મૂડીવાદી વ્યવસ્થા, આંતરરાષ્ટ્રિીય ક્ષેત્રે આગ્યા પછી મજૂર સ ગઠન થયાં અને એમણે લોકશાહી સમાજ રચના સામે જેહાદ ઉઠાવી. તેમાંથી માકર્સની વિચારધારાએ પિતાને અમૂક પ્રભાવ જમાવ્યો. જ્યારે એજ વિચારધારા અનુગામી લેનિને સરમુખત્યારી દ્વારા સામ્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શી રીતે લાવવો એ માટેનો માર્ગ છે. આજે રશિયા અને પછી એના પગલે ચાલતું ચીન પોતાની ઢબે ચાલી રહ્યું છે. સામ્યવાદને પ્રભાવ જગતનાં પછાત રાષ્ટ્રો ઉપર આગવો છે અને દરેક દેશમાં તેમનાં સંગઠને નાનાં કે મેટાં છે જ. રશિયાએ આકાશ વિઘામાં વિશ્વને અંચબો પમાડે તેવી સિદ્ધિઓ હાંસલ કરી છે. એ બન્ને દેશનું પ્રચારતંત્ર પણ જબર છે. તેમની મુત્સદ્દીગીરીને અવગણી ન શકાય. ફાંસમાં આજે લશ્કરી સરમુખત્યાર શાહી ચાલે છે. બ્રિટન અને અમેરિકા એવી ભૂલો કરે છે કે પરાધીન રાષ્ટ્ર કે સંસ્થાને સામ્યવાદ તરફ સીધાં કે આકડતરાં ખેંચાય છે. તેને વિશેષ લાભ રશિયા લઈ રહ્યું છે. આજે સશસ્ત્ર સામનાની વાતો નકામી છે. યુનેની અસરકારિતા આવવી જોઈએ તેજ સંસ્થાનવાદને નાશ થશે. મરી ફીટનાર કે તે માટે હામ ભીડનારની આજે જરૂર છે; તેજ ક્રાંતિ કરી શકશે; પણ હિંસા વગરની અહિંસક ઢબે ગાંધીજી આજ દષ્ટિએ સફળ થયા હતા. અને એકજ વહેવારૂ વાત રહી છે તે છે અહિસાને માગ. બીજી વાત એ વધારે યાદ રાખવાની છે કે “યૂન ”નું બળ તટસ્થરૂપે વધવું જોઈએ. ભારતની અસર એજ રીતે જગત ઉપર પડી છે કે જેમ તેની આઝાદીએ નવો આદર્શ રજૂ કર્યો છે તેમ તેની લેકશાહીથી પણ વિશ્વ આકર્ષાય છે. અહીંની લેકશાહીમાં વિરોધ પક્ષ નકામો છે; તે કેવળ વિચિત્ર કે ઉછાંછળવૃત્તિવાળા છે. ત્યારે પશ્ચિમમાં ૬ઠ્ઠી સદીથી માંડીને ૨૦મી સદી સુધીની રાજય પરંપરા ચૌદસે વર્ષથી ચાલી આવે છે. ત્યાં અલગ મહાજન સંગઠન કે લેક સંગઠને ન હતાં. એટલે ત્યાં વિરોધ પક્ષ રાજ્યની અંદર રહીને કામ કરી શકતો હતો અને કરે છે. ત્યાં પરદેશ નીતિ ઘડવી હોય, દેશવ્યાપી નિયમ બનાવવો હોય તો વિરોધ પક્ષ સાથે બેસે છે. તેને પૂરું માન મળે છે; વેતન મળે છે તેમજ રેડિયે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વડે પ્રચારની સગવડ મળે છે. ત્યાં વિરોધ પક્ષ સાતત્ય રક્ષા તેમજ ઝડપી પરિવર્તન માટે છે. અહીં વિરોધપક્ષની હદ બહારની બાલિશતા, અબંધારણીય રીતે વગેરે નજરે ચડે છે. અને તેમની પ્રેરણા પરદેશથી તેઓ મેળવે છે. આ દેશની સંસ્કૃતિ પ્રમાણે મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ કેવળ પ્રેરક અને પૂરક વર્ગો જ અનુકૂળ છે. અહીં સત્ય અને અહિંસા વન જેમ નહીં ચાલે તેમ કેવળ લેકશાહી પ્રતિનિધિત્વવાળી રાજ્ય વ્યવસ્થા પણ ચાલે છે. એટલે ગાંધીજીની કવાતીમાં હતા એના કરતાં જુદાં સત્ય અહિંસાના સાધને જુદા સંદર્ભમાં વાપરવાં જોઈશે. તેથી કાયદા ભંગની વાતને ત્યાગ કરવો જોઈએ અને કાયદે સાચવવા માટે સમાજને નૈતિક દબાણ લાવવું પડશે. આપણે ચૂટેલા પ્રતિનિધિઓ કાયદો ઘડે અને આપણે જ તોડીએ તે આજે નહીં ચાલે ! આ બધી વાતે ઉપરથી ઊંડા વિચારીને ચાલવાનું છે.” શ્રી દેવજીભાઈ : “પશ્ચિમની ક્રાંતિઓ અને ગાંધીજીએ બનાવેલ માર્ગ વચ્ચે ઘણું અંતર છે. પ્રાશ્ચિાત્ય અભ્યાસના કારણે અહીંના વિરોધ પક્ષના નેતાઓ એમ કહે છે કે તેમના પક્ષ અંકુશ રાખી ચકશે તે જરી પુરાણી વાત છે. ત્યાંની નાડમાં ધર્મ નથી. આપણે ત્યાં માધુ-પુરવા એ વાતને ઓછી સમજે છે અને તે પણ ઘણીવાર વિરોધ-પ્રચારના પ્રવાહમાં તણાઈ જતા લાગે છે. આ વિરોધ પક્ષ કઈક સક્રિય કાર્ય કરી શકે એ વધારે પડતી આશા રાખવા જેવું છે. એમાં ગાંધીજીએ માર્ગદર્શનનો જે ચીલે પાડ્યો હતો તે માર્ગે સાધુ-સાધ્વીઓ પોતાની મર્યાદામાં રહીને આગળ વધે અને લોકોને સંસ્થા રૂપે નેનિક સંગઠિત બળ બનાવે તે ઘણું થઈ શકે. લેકીને અહીં હજ ધર્મ અને ધાર્મિક પુરૂષો ઉપર વધારે શ્રદ્ધા છે. બાકી પરદેશના હાથા રૂપ વિરોધ પક્ષ કંઇ પણ સક્રિય કરી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તે શકય નથી. તેમનું વિલીનીકરણ થવું જોઈએ કે, તેમને છેદ થવો જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસમાં પણ શુદ્ધિ અને પુષ્ટિ બનેને અનુરૂપ કાર્ય થાય છે તે આંતરરાષ્ટ્રિય ક્ષેત્ર કંઈક સક્રિય કાર્ય કરી શકશે.” શ્રી પૂજાભાઈ: “ધર્મગુરુઓએ સ્વર્ગ–નરકની વાતો વચ્ચે લોકોને અટવાયેલા રાખી પિતાનો સ્વાર્થ રચ્યો. રાજાઓએ સત્તાના કારણે સ્વાર્થ પો; વેપારીઓએ પિતાને ધન-સ્વાર્થ પ–પરિણામે પ્રજા ચગદાઈ ગઈ અણસમજના કારણે અણઘટતો બોજો પડ્યો. આ યુગે દયાનંદ, ગાંધીજી જેવી વ્યક્તિઓ ન પાકી હેત તો આજે જે કંઈ કાર્ય થઈ શકયું છે તે ન થઈ શકયું હોત. ધર્મતેજ અહીં જૂના કાળથી ટકી રહ્યું છે પણ તેને યુગની જબાન આપવામાં આવા પુરુષને ઈતિહાસના પાને મહાન ફાળે નોંધાયેલો છે. (૨૧-૮-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯. વિશ્વભૂગોળનું દર્શન ક્ષેત્રે અને સંસ્કૃતિ] | મુનિશ્રી નેમિચંદ્રજી ભૂળ જરૂરી છે ? વિશ્વ વાત્સલ્યના સાધક માટે જેમ ઇતિહાસનાં પરિબળોનું જ્ઞાન જરૂરી છે તેમ વિશ્વભૂગોળનું જ્ઞાન પણ જરૂરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ વિશ્વવાત્સલ્ય તેને સાધવાનું છે. તે માટે વિશ્વમાં કેટલા ભૂખડે છે ? ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને તે ઉપરથી રહેણી કરણી તેમજ સંસ્કૃતિ, સંસ્કાર કેવા છે? ત્યાં ધર્મ-નીતિની દષ્ટિએ વ્યાપક પ્રચાર થઈ શકે છે કે કેમ ? ત્યાં ક્યાં – ક્યાં તો ખૂટે છે? કઈ વસ્તુ ઓછી પાકે છે કે જેના કારણે માંસાહાર, પાણીહંસા કે એવાં અન્ય અનિષ્ટ માર્ગે જવા લેકે પ્રેરાય છે? આ બધી બાબતોનું જ્ઞાન સાધકને વિશ્વ વાત્સલ્યની સાધનામાં મદદ રૂપ નીવડે છે. આજે વેપારી, ઉદ્યોગપતિ કે સામાન્ય માણસને પણ વિશ્વની ભૂગોળ જાણવી જરૂરી થઈ પડે છે. જેથી તેમને જુદા જુદા પ્રદેશોમાં થતું ઉત્પાદન, તેને વેપાર, તે અંગેની હરિફાઈ અંગે જાણવા મળે છે. આવા જ્ઞાનમાં જયારે રાષ્ટ્રીય ભાવ કે વિશ્વભાવ ભળે છે ત્યારે વિધવાત્સલ્ય સાધવા તરફ મંડાણ થાય છે. જેમકે એક દેશમાં દુકાળ પડે; બીજા દેશમાં અનાજ વધારે છે–તે મોકલે છે, આજ માનવ પ્રેમના ઘણાં સુંદર દાખલાઓ વિધવાસલ્યના સાધકની સામે આવે છે. જે તેને ધાર્મિક સમાજ ઘડવામાં મદદરૂપ થાય છે. અગાઉ પૃથ્વી એટલે માતા ગણાતી. પાંચ માતાઓમાં પૃથ્વી કે ધરતીમાતાને વિશેષ ઉલ્લેખ થત, વેદપાઠ થતો – ___माता भूमिः पुत्रोऽहं पृयिव्यांः ભૂમિ માતા છે અને હું પૃથ્વીને પુત્ર છે. આ દેહ પાંચ ભૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પર વધારે છે. સંસ્કૃતિ સ્વાતમાં તરનું બનેલું છે તેમાં પૃથ્વીનું તત્વ વધારે હોઈ તેની અસર માનવ જીવન ઉપર વધારે પડે છે. પૃથ્વી એક ગ્રહ છે. જેમ બીજા ગ્રહ છે. તેની અસર માનવજીવન ઉપર વધારે છે. કારણ કે તેના ઉપર માનવ જીવે છે; મરે છે. એ ઉપરથી માનવ માટે જે સંસ્કૃતિ સ્વાભાવિક રીતે ઘડાવી જોઈએ તે પરસ્પરના સહયોગની છે. જૈનોનાં તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે : परस्परोपग्रहो जिवानाम् એટલે કે પરસ્પરને ઉપકાર કરે એ જીવનો સ્વભાવ છેતેથી માનવે ખાસ કરીને પૃથ્વી ઉપર વસતા સહુ પ્રાણ પ્રત્યે બંધુભાવઆત્મીયભાવ કેળવવાનો છે. તેને દરેક જીવને આત્મીય ભાવે જોવાને છે. તેની સ્વાભાવિક પ્રવૃત્તિ એ જ હેવી જોઈએ કે જેમ મને કે મારા સમાજને કે મારા રાષ્ટ્રને જરૂર પડે હું સહયોગ બીજાને લઉં, તેવી જ રીતે જ્યાં જ્યાં સંસ્કૃતિ, નીતિ કે ધર્મની દષ્ટિએ, સ્થૂળ વસ્તુની દષ્ટિએ મારા સહયોગની જરૂર હોય ત્યાં હું યથાશક્તિ આપુ ! એટલું જ નહીં, જરૂર પડે મારી પાસે જે સાધન છે, શકિત છે તેનો ઉપયોગ નિસ્વાર્થ બીજા માટે કરી શકું. એવી ઉદાત્ત ભાવના તેને કેળવવી જોઈએ. આ વિશ્વ વાત્સલ્ય ભાવ સંક્ષિપ્તમાં છે અને તે મુજબ જીવનનું ઘડતર એ સંસ્કૃતિ છે. એટલે આવી વિવવાત્સલ્યની સાધના માટે માનવ ઐક્ય સાધવું સર્વપ્રથમ જરૂરી છે. તે માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. કારણ કે જુદા ક્ષેત્રના માણસે, તેમની રહેણુ-કરણી, ધંધે વગેરે જાણીએ નહીં તો ઘણીવાર અજ્ઞાનના કારણે તેમના પ્રતિ પ્રેમના બદલે ઘણુ પણ થઈ શકે. જેમકે ધ્રુવના પ્રદેશમાં રહેતા માણસો કેવળ માંસાહાર કરે છે કારણ કે ત્યાં વનસ્પતિ થતી જ નથી. એવી જ રીતે યુરોપના દરિયાકાંઠાના પ્રદેશે માછલીઓ પકડવાને બંધ કરે છે–તે છતાં પણ તેઓ પ્રેમાળ હોઈ શકે અને હિંદમાં ચુસ્ત શાકાહારી તેમની ખાનપાનની રીતોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ટેવાયેલી વ્યકિત તેના તરફ ઘણું કરે એ બનવાજોગ છે. એટલે ભૂગોળનાં જ્ઞાનથી અવિકસિત દેશો પ્રત્યે ઉદારતાની ભાવના રહેશે જે વિશ્વ વાત્સલ્ય સાધનામાં મદદરૂપ નીવડશે. મોટા ભાગે ઈતિહાસનું સર્જન, સંસ્કૃતિની ખીલવણી, વિજ્ઞાનને વિકાસ, રાજયવ્યવસ્થા, જાતિ ધર્મનો પ્રચાર વગેરેને આધાર ભૂગોળ ઉપર રહે છે. દેશ દેશની ભૂગોળનું જ્ઞાન હોવાથી તે દેશના સાધનો અને શક્તિઓને પરિચય મળી શકે છે અને તેમને અહિસાની દિશામાં વાળવાને પ્રયોગ કરી શકાય છે. ઈતિહાસને આધાર ભૂગોળ ઉપર રહે. છે તેથી ભારતની ઉદાર સંસ્કૃતિ કે પશ્ચિમને સ મ્રાજ્યવાદ બન્ને સમજી શકાય છે. કર્મ ગ્રંથમાં ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિનું વર્ણન આવે છે. તેનું રહસ્ય એ છે કે અલગ અલગ ક્ષેત્રમાં માનવજીવન ઉપર તેમની સંસ્કૃતિ ઘડતર કે ધર્મની એવી અસર થાય છે કે એક ક્ષેત્રમાં કર્મ મદ બંધાય છે; બીજામાં મદતમ બધાય છે અને ત્રીજમાં મંદતર બંધાય છે. તેથી એક ક્ષત્રમાં મુકિત મેળવવાના સંયોગે પણ મળી રહે છે. દા. ત. ગુજરાત રાષ્ટ્રમાં સુદામા, દયાનંદ, મહાત્મા ગાંધી જેવા સાધકો નરસિંહ અને અખા જેવા કે, હેમચંદ્ર અને યશોવિજ્ય જેવા સંતો પાકયા તેથી ગુજરાત સૌરાષ્ટ્રમાં અહિંસાનું સામાજિક તેમજ રાજકીય ખેડાણ થઈ શકયું. ધર્મ અને ભગળ : ધર્મગ્રંથોમાં પણ ભૂળ ખગોળનું વર્ણન મળી આવે છે. હિંદુપુરાણ, બૌઆગમે, જૈનશાસ્ત્ર, કુરાન કે બાઈબલમાં ભૂગોળ આપવાને ઉદ્દેશ્ય એ જ છે કે દરેક સાધક, ક્ષેત્ર પ્રમાણે માનવજીવન ઉપર થતી ભૌગોલિક અસરને જાણી શકે. આજે જે કે ઘણાં નામે અને સ્થળોને ફેરફાર થઈ રહ્યો છે અને ભૂગોળની નવી દિશાઓ સર કરી છે પણ સાધુ માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી નથી તેના માટે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મગ્રંથોમાં ભૂગોળનું વર્ણન એ સચેટ રદિયે છે. આ અંગે જૈન તત્વાર્થ સૂત્રમાં જણાવ્યું છે કે – नित्या शुभ तर लेश्या परिणाम देहवेदना विक्रियाः અને स्थित प्रभाव सुख द्युति लेश्या विशुद्धिन्दियावधि विषयतोऽधिका : –એટલે કે સ્થાનના કારણે નારકી છને નિત્ય અશુભતર લેસ્યા. અશુભતર ભાવ, અશુભતર શારીરિક દુઃખવાળું શરીર હેય છે. પણ દેવાને સ્થાન અને સ્થિતિ પ્રમાણે પ્રભાવ, સુખ, કાંતિ, શ્યા, વિશુદ્ધિ અને ઈદ્રિના વિષયોનું જ્ઞાન ઉત્તરોત્તર સારું હોય છે. આ છે ત્યાંની ભૌગોલિક સ્થિતિને સાર. માનવજીવન અને ભૂગોળ હવે માનવજીવન ઉપર ભૂગોળની શી અસર થાય છે તે જોઈએ. માણસ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન ઘડી શકતા નથી પણ તેના ઉપર તેના નિવાસસ્થાનની મોટી અસર થાય છે. ટુંડ્ર પ્રદેશમાં રહેતા માણસ ખેડ કરી શકતો નથી; સુંદર ઘર બાંધી શકતો નથી; કળા વિકસાવી શકતા નથી, શિક્ષણ મેળવી શકતા નથી કારણકે ત્યાં મોટા ભાગે બરફ છવાયેલું રહે છે. ત્યારે મોસમી પવનના સપાટ પ્રદેશમાં રહેનાર એ બધી વાત કરી શકે છે. તે ખેતી કરે છે; ઉદ્યોગ કરે છે, શિક્ષણ મેળવે છે, કળા સાધે છે અને સંસ્કૃતિનું સર્જન કરે છે. ભૂગોળના ત ભૌગોલિક પરિસ્થિતિમાં નીચેના તને સમાવેશ થાય છે – (૧) જતીનનો પ્રકાર, (૨) આબોહવા, (૩) સ્થાન, (૪) વનસ્પતિ અને (૫) પ્રાણીઓ. આમાં જમીન અને આબોહવા મુખ્ય ભાગ ભજવે છે. ભૂગોળશાસ્ત્રીઓએ પૃથ્વીને બે ગોળામાં વહેંચી છે. એકમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા છે ત્યારે બીજામાં એશિયા, યુરોપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એ ચાર મહાદ્વીપે છે. એશિયા ખંડમાં ભારત, ચીન, જાપાન, સિલાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ, સાઇબીરિયા (રશિયા), અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કસ્તાન, અરબસ્તાન તેમ જ દક્ષિણ પૂર્વના ટાપુઓ છે. તેને જ લગને આફ્રિકા ખંડ છે. તેમાં મિસર અહજીરિયા, લીબિયા, નાઈજિરીયા, બેલજીયમ કાંગે, અંગેલા, કેનિયા, ટાંગાનિકા, સુદાન તેમ જ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના સંસ્થાને અને ઝાંઝીબારને ટાપુ છે. એશિયા ખંડને લાગતે ઉત્તરમાં યુરોપ છે. તેમાં ઈગ્લાંડ-આયલેડ, કાંસ, હેલેંડ, જર્મની, રશિયા, સ્વીડન, ગ્રીસ, રૂમાનિયા, ટુક, ઈટાલી, સ્પેન, ઝેકોસ્લોવેકિયા વગેરે છે. એશિયાની દક્ષિણ પૂર્વમાં એરટ્રેલિયા અને ન્યુઝીલેંડ છે. બીજા ગાળામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા છે. આ બધા ખડાને વિચાર અગાઉ બતાવેલ પાંચ તત્ત્વોની દષ્ટિએ કરીએ. જમીન : સહુથી પહેલાં જમીનને લઇએ. જમીનના પ્રકારો આ પ્રમાણે છે : (૧) ઉચ્ચ પ્રદેશવાળી જમીન, (૨) પથરાળ (ડુંગરોવાળી) જમીન. (૩) મેદાનેવાળી જમીન. (૧) સમુદ્રની સપાટીથી ઉચે આવેલ મેદાન જે પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ગણાય છે. આ પ્રદેશ એક તરફથી ઉચે અને બીજી તરફથી ઢળાવવાળો હેય છે. જો કે ત્યાં ડુંગરો કે પર્વતેના શિખરે હતાં નથી. ભારતમાં દક્ષિણને પઠાર પ્રદેશ એ રીતને છે. તે પશ્ચિમમાં ઊંચે અને પૂર્વમાં ઓછો ઉગે છે. તેથી ત્યાંની નદીઓ પૂર્વ તરફ વહે છે (૩) પહાડી પ્રદેશ કે પથરાળ પ્રદેશ, પહાડોથી ઘેરાયેલો કે લાગેલો પ્રદેશ હોય છે. જે ઉચ્ચ પ્રદેશો પહાડોથી ઘેરાયેલા નથી હોતા તેવા પ્રદેશોની કિનારીએ પર્વત જેવી હોય ત્યાં ઊભા રહીને જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તો પવતે ટેકરી જેવા લાગે છે. એશિયામાં તિબેટને ઉચ્ચ પ્રદેશ, અમેરિકામાં બલવિયા ઈકવેરને ઉચ્ચ પ્રદેશ અને મોટા ભાગનું આફ્રિકા ઉચ્ચ પહાડી પ્રદેશને નમૂને છે. (૩) મેદાનો એવાં છે જે સમુદ્રની સપાટીએથી ૬૦૦ ફૂટની અંદર-અંદર હોય છે. બહુ ઉંચા નહીં એવા સપાટ પ્રદેશ મેદાન કહેવાય છે. હોલેંડ, રશિયા, સાઈબીરિયા વગેરેના મેદાનો સપાટ છે. ઘણી નદીઓનાં પ્રવાહ વહે છે અને સપાટ મેદાન બને છે. મીસીસિપી, એમોઝેન, ગંગા-સિંધુ નદીનાં મેદાને ચીનની નદીનાં મેદાનો, આમ વિવિધ પ્રકારના મેદાને હેય છે. ઉચ્ચ પ્રદેશોની માનવજીવન ઉપર નીચે પ્રમાણે અસર થાય છે – (૧) જુના ઉચ્ચ પ્રદેશમાં ખનિજે પુષ્કળ નીકળે છે. દા.ત. પશ્ચિમ એસેટ્રેલિયાને દક્ષિણ આફ્રિકામાં સોનું, તાંબુ, અને હીરા, સાયબીરિયામાં તેનું, દક્ષિણ હિંદમાં સોનું વગેરે. (૨) જમીન સાથે લાવારસ ભળી જતાં જમીનની ફળદ્રુપતા વધે છે. (૩) ઘસાઈ ગયેલા, ઉચ્ચ પ્રદેશમાં માટીનું પડ પાતળું થઈ જતાં તે વસવાટ લાયક રહેતા નથી. (૪) મોટાભાગના ઉચ્ચ પ્રદેશ ખંડની અંદર આવેલા હેઈને, વરસાદ ત્યાં પહોંચતું નથી, ખેતી ત્યાં થઈ શકતી નથી, એટલે એવા ઘણું પ્રદેશ હજુ નિર્જન છે. (૫) આવા ઉચ્ચ પ્રદેશ ઉષ્ણ કટિબંધમાં આવવાથી; તેમની આબોહવા પ્રમાણમાં ઠંડી રહેવાથી અને બીજી અનુકૂળતાએ મળતાં લોકો ત્યાં રહેવા લલચાય છે. દા. ત. આફ્રિકામાં, કેન્યા ટાંગાનિકા એવા ઉચ્ચ પ્રદેશો છે. પહાડી કે પથરાળ પ્રદેશે ચાર પ્રકારના ડુંગરેવાળા હોય છે :(૧) વડે પર્વત જે પર્વતેમાં નાની નાની તડ પડી જાય છે. (૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ખંડ પર્વત જે પર્વત બહુ જ ઉચા અને સાંકડા સપાટ હોય છે તેમનીવચમાં દરાર હેય છે. (૩) અવશિષ્ટ પર્વત–પર્વતની ખીણનો ભાગ. (૪) જવાળામુખી પર્વત-જેમાંથી જ્વાળા કે લાવા નીકળતા હેય ! પહાડેની જીવન ઉપર થતી અસરો આ પ્રમાણે ગણાવી શકાય :– (૧) પહાડોથી રક્ષણ થઈ શકે છે. (૨) રાજદ્વારી કારણસર કેટલીક વખત પહડ સીમા નક્કી કરવામાં સહાયક બને છે. (૩) પહાડ ઉપર ખેતી થઈ શક્તી નથી તેથી કયારેક પૂરતું પિષણ પણ મળતું નથી. (૪) ત્યાંની ઊંચી-નીચી જમીનના કારણે માણસો ખડતલ બને છે. (૫) ત્યાંના કુદરતી વિવિધ સૌંદથી માણસે આકર્ષાઈ, ફરવાના હવાખાવાના સ્થાને બનાવે છે, (૬) ત્યાં મળી આવતાં ખનિજેના કારણે માણસે અગવડ વેઠીને પણ ત્યાં રહેવું પસંદ કરે છે. (19) ત્યાંના પહાડ ઉપરથી પડતા ધંધામાંથી વિજળી પેદા કરીને શક્તિ મેળવાય છે. મેદાને મુખ્યત્વે બે પ્રકારનાં હેય છે. કિનારાનાં મેદાન અને અંદરના ભાગનાં મેદાને. સમુદ્રના કિનારે લગભગ દરેક સ્થળે સાંકળા કે પહેલાં મેદાને હેયજ છે. ઘણાં મેદાન સાગરનાં નેફાનેનાં કારણે ધોવાઈ જાય છે, તે ખાર બને છે. કેટલાંક નદીના કાંપના કારણે ફળદ્રુપ બને છે તો કેટલાંક કાદવવાળાં હોય છે. અંદરના ભાગનાં મેદાનમાં, નદીની માટીથી પૂરાઇ જતાં મેદાને હોય છેદા. ત. અમેરિકામાં રેડનદીની પાસે આવેલાં સરોવર નદીની માટીથી પૂરાઈ ગયાં. તે મેદાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ફળદ્રુપ હોય છે. નદીઓનાં પૂરથી ઘણીવાર કાંપવાળા મેદાને બને છે. જ્યાં નદીઓ ભેખડમાં સકારે વહે છે ત્યાં મેદાન બનતાં જાય છે. મેદાનની અસર આ પ્રકારે છે – (૧) મેદાનની જમીન ફળદ્રુપ હેવાથી ત્યાં ખેતી પુષ્કળ થાય છે. તે જમીન પૂરતું પોષણ આપે છે. (૨) નદીઓ કુદરતી રીતે જળમાર્ગ પૂરો પાડે છે. (૩) સપાટ પ્રદેશ હોવાથી રે કે સડકે બાંધવામાં ખર્ચે ઓછો આવે છે. (૪) વાહન વહેવાર વધવાથી વેપાર ખિલે છે અને શહેર બને છે. મોટાભાગના શહેરો મેદાનમાં હોય છે. (૫) મેદાનના લોકો પહાડી લેકે કરતાં સુંવાળા હોય છે પણ સમૃદ્ધ હોય છે. મેદાનમાં જ્યારે સપાટી ઉપર કોલસો મળી આવે છે તો ત્યાં ઉઘોગ-કારખાનાઓ વધે છે. (૬) માલની લેવડ-દેવડ સરળ થતાં આચાર-વિચાર અને સંસ્કૃતિની લેવડ-દેવડ સરળ બને છે અને સંસ્કૃતિનું નવસર્જન થાય છે. (૭) મેદાનોની સમૃદ્ધિઓએ ઘણીવાર પરદેશી આક્રમણને નોતર્યા છે. મધ્ય એશિયામાંથી આવાં આક્રમણે, યુરોપ, મેસેમિયા, ભારત અને ચીન ઉપર થયાં છે. (૮) તે છતાં પણ તેના લીધે જુદી જુદી નીતિ અને સંસ્કૃતિને સંપર્ક અને સંગમ થાય છે. આહવા: આહવા અને હવામાનમાં છેડેક ફર્ક છે. હવામાન એક દિવસનું હોય છે, ત્યારે સરેરાશ એક સરખું રહેતું લાંબા ગાળા માટેનું હવામાન-આબોહવામાં આવે છે. હવામાનમાં આ બાબતોનો સમાવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ થાય છે:- (૧) ઉષ્ણતામાન, (૨) હવાનું દબાણ, (૩) પવન (૪) હવામાં રહેલો ભેજ. આબોહવાને મુખ્ય આધાર ત ઉપર રહે છે - (૧) અક્ષાંશ-રેખાંશ: જેમકે વિષુવવૃત્ત પાસે ગરમ આબોહવા રહેશે જેમ જેમ દુર જશે તેમ આબોહવા ઠંડી થતી જશે. હિંદમાં ગરમી, વરસાદ અને શરદી પડે છે. ત્યારે બ્રિટનમાં ઠંડી, વરસાદ વગેરે હેય છે. (૨) સમુદ્રની સપાટીથી ઉંચાઈઃ આ સ્થળે આવેલાં સ્થળો ઠંડા હશે. (૩) સમુદ્રથી અંતર ઃ આવાં સ્થળો જેટલે દુર હશે તે પ્રમાણે વધુ ગરમ અને સૂકાં પ્રદેશ હશે. (૪) પવનો: સમુદ્ર ઉપરથી ઉનાળામાં ચાલતાં પવને ઠંડા અને ભેજવાળા હોઇ વરસાદ લાવશે અને જમીન ઉપરથી શિયાળામાં ચાલતા પવને પણ ઠડા હશે. (૫) સાગર પ્રવાહે : આ ગરમ કે ઠંડા પ્રવાહની તેની પાસેના કાંઠાવાળા પ્રદેશ ઉપર અસર પડયા વગર રહેતી નથી. (૬) પર્વતોની નજીક : હવા તરફના ભાગોમાં સારો વરસાદ પડે છે અને બીજી તરફમાં ઓછો વરસાદ પડે છે. (૭) જમીનના પ્રકારે : રણ કે રેતાળ પ્રદેશમાં ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી રહે છે. (૮) જંગલો અને વનસ્પતિઓઃ તેઓ વાતાવરણને ઠંડુ રાખે છે અને વરસાદને ખેચે છે. આબોહવાની માનવજીવન ઉપર નીચે પ્રમાણે અસર થાય છે : (૧) શરીર: ખૂબ જ ગરમી પડતા વિષુવવૃત્તની પાસેના પ્રદેશના લોકોનું શરીર રંગે કાળું હોય છે. ગરમીના કારણે શરીર વધતું નથી તેમ જ મન ખિલતું નથી. એટલે આફ્રિકાના તે પ્રદેશના લેકે કાળા, ઠીંગણા અને ઓછી બુદ્ધિવાળા મળી આવે છે. ખૂબ ગરમી પડવાથી શરીર આળસુ બને છે અને ખૂબ વરસાદ પડવાથી લો કે રોગથી પીડાતા હોય છે. ઠંડા પ્રદેશના લે કે ગોરા રંગના હોય છે. સૂકી હવામાં વસતા લેકે શરીરે તદુરસ્ત હોય છે; પઠાણ કે આરબ લોકો તેના નમૂના રૂપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ (૨) બેશક: વધારે વરસાદવાળા પ્રદેશમાં ભાત થાય છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં (પંજાબ-ખંડવા) ઘઉં થાય છે. ગરમ ભેજવાળી હવામાં કંદ અને કેળાં વધારે પાકે છે. ભૂમધ્ય સાગર જેવી આબોહવા હોઈ ત્યાં ફળો વધારે પાકે છે. ગરમ પ્રદેશ કે રણના પ્રદેશમાં ખજુરી વધારે થાય, ખેતી ન થવાથી ઘાસચારાના કારણે પશુ-પાલન થાય. ટુંડ્રા પ્રદેશમાં બહુ જ ઠંડી પડે, તેથી ત્યાંના લોકો બરફમાં થીલી કે નીચેના પ્રવાહમાં વહેતી માછલી કે પશુઓના શિકાર કરી ખેરાક મેળવે. આમ આબેહવા પ્રમાણે ખેરાકોને નિયમ બને છે. () વસ્ત્રો : ધ્રુવ કે ટુંડાના પ્રદેશમાં લોકોને ચામડાના વસ્ત્રો પહેરવાં પડે. ત્યારે હિંદ અને બ્રહ્મદેશમાં લેકને સુતરાઉ તથા રેશમી કપડાં પહેરવાં પડે અને ઈંગ્લાંડયુરોપ વગેરેમાં ગરમ ઉનના કપડાં પહેરવાં પડે. વિષુવવૃત્ત ઉપર ગરમી વધારે પડતી હેવાથી કેવળ તન ઢાંકવા માટે જ લે કો કપડું પહેરે છે. * (૪) ઘરઃ આબેહવાની અસર ઘરની બાંધણ ઉપર થાય છે. કફાતા લોકો અને એકિમે લોકો ઇલુ નામના બરફના ઘરમાં રહે છે. ઉનાળામાં તેઓ ચામડાંના તંબુઓમાં રહે છે. કિર્ગીઝ લોકોનું જીવન હેતું નથી તેઓ તંબુઓ લઈને ફરતા હોય છે. બહુ ગરમી પડે છે ત્યાં ઘરની ભીંતે ચડી અને ઉંચી રાખવામાં આવે છે. ધંધોઃ ધંધા ઉપર પણ આબોહવાની ખૂબ જ અસર હોય છે. વિષુવવૃત્તનાં સ્વાભાવિક રીતે લોકો શિકાર કરે છે. તેમને શિકાર કે માછલાં ઉપર જીવવું પડે છે એસ્કિમે લોકો પણ એજ રીતે શિકાર અને માછલાં ઉપર આવે છે. તેમને ધંધે એજ બને છે. રણમાં વરસાદના અભાવે ખેતી થતી નથી તેથી ત્યાં વણાટકાર્ય અને ચર્મકાર્ય ચાલે છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં ઘાસની શોધમાં ફરીને પશુપાલન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સંકુદુમ પ્રદેશમાં રહેતા લોકો કઠિયારાને ધંધો કરે છે. એટલું જ નથી ઘણું ઉદ્યોગે જેમકે કાપડની મિલે, કલસે, વગેરે પણ આબોહવા ઉપર અવલંબે છે. વસતિઃ આબોહવા ઉપર ધંધે અને ખેતીને આધાર છે અને તેના ઉપર વસતિનો આધાર છે. રણમાં ખેતી થતી નથી, તેથી ત્યાં વસતિ ઓછી હોય છે; અત્યંત ઠંડા પ્રદેશોમાં ખેતી થતી નથી ત્યાં વસતિ ઓછી હોય છે. સારા વરસાદ થાય ત્યાં સારે પાક થાય છે અને ત્યાં વસતિ વધુ હેય છે. (૭) વિલક્ષણતાઓ : આબોહવાના કારણે માનવજીવનની વિલક્ષણતાઓ કેળવાય છે. ઠંડા પ્રદેશમાં કામ કરવાની સ્મૃતિ હેય છે. ગરમ પ્રદેશના લેક ગરમી અને પરસેવાથી થાકી જાય છે; જીવન આળસુ હોય છે. સમશીતોષ્ણ પ્રદેશનાં લોકો તંદુરસ્ત હોય છે અને તેનામાં નિયમિત કામ કરવાની ટેવ હોય છે. માસમાં પવનના પ્રદેશોમાં વરસાદને લીધે પાક સારા થાય છે, તેથી જીવન સરળ હોય છે પણ કેટલીક વખત અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનાં કારણે દુઃખી થઇ જાય છે. અફધાન લોકો પહાડોમાં રહે છે, તેથી ખૂબ મજબૂત અને લડાયક હેય છે. ભૂમધ્ય–પ્રદેશની આબોહવામાં રહેનારા લોકોનાં જીવન સુખી હોય છે. તેમને આરામ ખૂબ મળે છે. (૮) સંસ્કૃતિનો વિકાસ: જ્યાં ખોરાક માટે ફાંફાં મારવા પડે, રહેવાના સાધનનાં ટાંચાં હોય, આરામ ન મળતું હોય ત્યાં સંસ્કૃતિ ખિલતી નથી. તેથી ટુંકા પ્રદેશના એસિકમો કે વિષુવવૃત્તના સીદીઓ અસંસ્કૃત છે. જ્યાં વરસાદ સારે પડે છે, સહેલાઈથી અનાજ પાકે છે, સારાં ઘરમાં રહેવા મળે, આરામ હોય ત્યાં સંસ્કૃતિ ખીલી ઊઠે છે. એટલે જુના કાળમાં નદી-ખીણની સંસ્કૃતિઓ વિકસી હતી. ભૂમધ્ય સાગરના પ્રદેશમાં પણ તેજ કારણે સંસ્કૃતિને વિકાસ થયે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આબોહવા તેમ જ જમીનના કારણે જે કુદરતી વિભાગે વિશ્વમાં જેવામાં આવે છે. તે આ પ્રમાણે છે – (૧) વિષુવવૃત્તનાં જંગલો : દક્ષિણ અમેરિકાની એમેઝન નદીની ખીણ, આફ્રિકામાં કોંગે નદીની ખીણ તથા ગીનીને કિનારે; મલાયા તથા પૂર્વ ઇડીઝ ટાપુઓ અને વિષુવવૃત્તની રેખાની પાસે પાસેના અન્ય પ્રદેશને એમાં સમાવેશ થાય છે. ઉનાળો અને આમ જોવા જઇએ તે આખું વર્ષ વરસાદ પડે. લોકો વૃક્ષ ઉપર ઝૂંપડાં બાંધે. મલાયા સિવાય બધે વસતિ ઓછી છે. (૨) ઉષ્ણકટિબંધના ઘાસનાં મેદાને : આને સેના પણ કહેવામાં આવે છે. તેમાં દક્ષિણ અમેરિકાની એરિકે નદીની ખીણ કોલંબિયા વગેરે તથા આફ્રિકામાં સુદાન, કેનિયા, યુગાન્ડા, ટાંગાનિકા, રડેશિયા, તથા અંગોલા વગેરે, ઉત્તર અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અહીં ઉનાળામાં વરસાદ પડે છે. મૂળ લોકો કાળા. ગરમી ઠીક ઠીક પડે છે. આ પ્રદેશોનું ભાવિ સારૂં ગણાય છે. (૩) ગરમ રણુના પ્રદેશો : અમેરિકાનું આટાકામાનું રણ, કેલિફોર્નિયા અને મેકિસકોને ભાગ, આફ્રિકામાં સહરા તથા કલહરીનું રણું. હિંદમાં થરનું રણ-થરપાકર. કચ્છનું રણ. ચીનનું રણ, ઈરાનઅરબસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના રણના ભાગે, પશ્ચિમ તેમ જ મધ્ય ઓસ્ટ્રેલિયાના રણના ભાગોને એમાં સમાવેશ થાય છે. પાણીની તંગી પણ થોડા વરસાદમાં ઘાસ ખૂબ ઉગે એટલે લોકો પશુપાલનને ધધો કરે. શરીર ખડતલ અને લેક તવજ્ઞાની હોય છે. ત્યાં વણજારાપ્રથા વધારે. (૪) મોસમી પવનના પ્રદેશ : આમાં હિંદ, પાકિસ્તાન, મધ્ય અમેરિકા, માડાગાસ્કર, બ્રહ્મદેશ, હિદી ચીન, દક્ષિણ ચીન, ઓસ્ટ્રેલિયાને ઉત્તર કિનારે, ફિલીપાઈન્સ અને જાપાનને સમાવેશ થાય છે. અહીં દુનિયાની ચોથા ભાગની વસતિ જોવામાં આવે છે અને તે ગીચ રહે છે. લોકો શાંતિપ્રિય હોય છે. ધર્મશ્રદ્ધા હેઈને સંસ્કૃતિ તેમજ સમૃદ્ધિને ખૂબ જ અવકાશ રહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ (૫) ભૂમધ્ય સમુદ્રની આબોહવાના પ્રદેશે : ભૂમધ્ય સમુદ્રની નજીકના પ્રદેશો જેમાં સ્પેન, પિર્ટુગલ, ઈટાલી, ગ્રીસ અને દક્ષિણ ક્રાંસને સમાવેશ થાય છે. તે ઉપરાંત તેવી આબેહવાવાળા ઉત્તર આફ્રિકા અને અમેરિકાના બધા પ્રદેશ, ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગ, ન્યુઝીલેંડને ઉત્તરદ્વીપ, વગેરે એવી આબોહવાવાળા દેશોનો સમાવેશ થાય છે. અહીંની આબોહવા ખુશનુમા હોય છે. લોકે આનંદી હોય છે. તેઓ વિધા-કળામાં આગળ છે. અહીં દૂધાળાં પશુઓની કમી પણ કાપડ ઉદ્યોગ ખીલ્યો છે. રામ અને ગ્રીસની સંસ્કૃતિને અહીં વિકાસ થયા હતા તેમજ અહીં કવિઓ અને તત્વજ્ઞાનીઓ થયા હતા. (૬) પશ્ચિમ યુરોપની સમશીતોષ્ણ આબેહવાના પ્રદેશે: (પાનખરનાં જંગલો ) આમાં પશ્ચિમ યુરોપનાં, ઉત્તર ફ્રાંસ, બેલજીયમ, હેલેડ, જર્મની, ડેન્માર્ક તેમજ બ્રિટેનને મધ્ય ભાગ, વગેરેને સમાવેશ થાય છે. હવા તાજગીવાળી, લેક સફેદ ચામડીવાળા, વસતિ ઘીચ. બુદ્ધિમાન અને ઉદ્યમી લેક હેઈને તેમણે વિજ્ઞાનમાં સારી એવી પ્રગતિ કરી છે. (૭) સમશીતોષ્ણ કટિબંધનાં મેદાને : બધા ખંડેની વચ્ચે આ પ્રદેશ છે. અત્યારે વસતિ ઓછી છે પણ ભવિષ્યમાં પ્રગતિ થવાની શકયતા છે. (૮) શકુમનાં જંગલે : ઉત્તર ગોળાર્ધમાં ધ્રુવની નીચે શંકુના અ. કારમાં આવેલા પ્રદેશે, જેમકે ઉત્તર કેનેડા, નેર્વે સ્વીડન, ઉત્તર રશિયા, તેમજ સાઈબીરિયાનો આમાં સમાવેશ કરી શકાય. અહીંની નદીઓ ઉત્તર ધ્રુવના મહાસાગર તરફ વહેતી હેઈને વિકાસની શક્યતા ઓછી ગણાય છે. (૯) ઠંડા રણના પશે : તે ધ્રુવની નજીક આવેલાં છે. ઠંડી બહુ પડે છે, ત્યાં શિયાળે નવ-દશ માસ ચાલે છે. ત્યાં વસતિ કે સંસ્કૃતિનો વિકાસ ઓછો. (૧૦) મધ્ય ચીનના પ્રદેશો : મધ્ય ચીનના પ્રદેશે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આબોહવાના કારણે અલગ પડી જાય છે. ત્યાં ચેખાને પાક થાય છે. ચીનની પ્રાચીન સંસ્કૃતિ અહીં ખીલી હતી. (૧૧) સેંટ લોરેંસ પ્રકારની આબોહવાના પ્રદેશ : આ પ્રદેશ ઉત્તર અને દક્ષિણમાં ૪૫ થી ૫૦ અક્ષાંશ વચ્ચે આવેલ છે. આબોહવા ઉગ્ર હોય છે. લોકો તંદુરસ્ત હોય છે. આ પ્રદેશના એશિયાઈ દેશો પછાત હતા–મંચુરિયાએ કંઈક પ્રગતિ કરેલી. આજે વિજ્ઞાનની અસાધારણ પ્રગતિના કારણે કુદરતી કારણે કઈ પણ પ્રદેશના વિકાસમાં અવરોધ રૂપે ઊભી શકતા નથી. વિજ્ઞાને વિકાસમાં મદદ કરવી જોઈએ જેથી અણવિકસિત પ્રદેશો પણ વિકસિત થઈ શકે. આમ પૃથ્વી ઉપર, જમીન અને આબોહવાના કારણે થતી અસરો અને વિભાગે અંગે ટુંકમાં વિચાર થયો છે. ટુંક સમયમાં વિસ્તૃત ભૂગોળ તે ન વર્ણવી શકાય પણ સાર એ લેવાત છે કે તેની અસરોની જાણકારીથી, માણસ ચેતી શકે છે. ઉપાય કરી શકે છે. આજ સુધી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને ન વિકસેલાં રાષ્ટ્રોન-પ્રદેશને વિકસિત કર્યા છે; હવે તેનો ઝોક દુનિયાના ભલા માટે વાળવાને છે. માનવ સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે ભારતના ઋષિઓએ જે શોધ કરી છે તેને ઉપયોગ કરવાનું છે. ભૂગોળ વડે જુદી જુદી પ્રાદેશિક વસતિની સંસ્કૃતિને સમન્વય સાધવાને છે. સાધુ સંસ્થાના ક્રાંતિકારી સભ્યો અને સર્વાગી દષ્ટિવાળા લોકસેવકોની એ જવાબદારી છે કે તેઓ વિધવાત્સલ્યની સાધના માટે ભૂગોળનું જ્ઞાન મેળવી અનુબંધનું જે ભગીરથ કાર્ય છે તેને ઉપાડે અને જ્યાં જે તત્ત્વ ખૂટતું હોય તેની પૂર્તિ કરે. જ્યાં ધર્મ-નીતિની પ્રેરણું આપવાની હોય ત્યાં પ્રેરણા આપે. વિશ્વના વિશાળ ક્ષેત્રમાં વસનારી માનવજાતિની સાથે આત્મીયતા સાથે અને માનવજાતિને અહિંસાનું તત્ત્વ સમજાવી તે દ્વારા સમષ્ટ પ્રત્યે વાત્સલ્યની સાધના સફળ કરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ચર્ચા-વિચારણા ૫. નેમિમુનિએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “આજે વિજ્ઞાને એવી પ્રગતિ કરી છે કે માંસાહારીને નિરામિષાહારમાંથી, તે પ્રાણુતા અને ગરમી વગેરે મળી રહે છે, તેથી તેઓ સાંસ્કૃતિક કે આધ્યાત્મિક પ્રગતિ કરી શકે એવું જરૂર વિચારી શકાય. એવી જ રીતે દરેક પ્રદેશમાં રહી અને જીવી શકાય છે. તેમજ વિકાસ સાધી શકાય છે; વી. બાબત જરૂર કરી શકાય તેમ છે. આજે રાષ્ટ્રના નાના નાના ટુકડાઓમાં માનવ સમુહ અટવાઈને રાજકારણના ગંદવાડમાં ગુચવાઈ પડ્યો છે. તેથી વિજ્ઞાન માનવ વિકાસના બદલ માનવ અવનતિનું કારણું થઈ ગયું છે. વિજ્ઞાન રાજકારણને આધીન હેય, રાજકારણ અમૂક ભેજાને આધીન હાથ અથવા અમૂક મૂડીવાદી પદ્ધતિને આધીન હોય, અવી હાલતમાં છે. જે ધર્મ વડે આ બધી બાબતોનો ઉકેલ આવે તો વિશ્વ સરકાર અને વિશ્વ પ્રજા એજ્યની વ્યાસપીઠ તૈયાર થઈ જાય. ને આજે એમને સુંદર યુગ છે કે વિશ્વશાંતિની કાયમી આશાને પાયે પાક્કો થઈ જાય. તે માટે સવારે કહેલું તેમજ સાધુ તો અને લેવા ખરા દિલ કામ કરે તે એ સિદ્ધ થઈ શકે છે વિરુદ્ધ કુદરતી બળોમાં પણ માનવ અવશ્વન પ્રગતિ સાધી શકે છે. શ્રી પૂજાભાઈ : ભારતની ભૌગોલિક સ્થિતિના કારણે ભારતના ન સ્કનના ઘડતરમાં મહત્વનું કાર્ય થયું છે. હિમાલયે અનાયાસે મહદના સતરીનું કાર્ય કર્યું છે. બરફના જથ્થાઓ ઓગળીને નદી વહેતી કરી અડાં ક" દુપતા વધારી રહ્યા છે. મેદાને, જગલ, પહાડો બધું છે. ઋષિમુનિઓએ જંગલોમાં જઈને જ્ઞાન મેળવ્યું અને સંત-સંન્યાસીઓએ ગપાળે. વિહાર કરી તેને સદેશ જગતને આપે. એમાં પણ ગુજરાત પ્રદેશ અદભુત લાગે છે. તેથી જ ત્યાં અહિંસા પ્રધાન જૈનધર્મ અને બૌદ્ધધર્મને ધમ-વિકાસ માટે અદભૂત તક મળી ગઈ છે. તે છતાં આજે કેટલીક બાબતમાં આપણે દુબળા છીએ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અંગે સંસ્કૃતિના વિકાસનું ભગીરથ કાર્ય કરવાનું છે. તે સમયસરનું છે અને તે અંગે ભારત અને ગુજરાતે ઘણું કરવાનું છે. શ્રી ચંચળબેન : ભૂગોળની દ્રષ્ટિએ જોવા જઈએ તે આજે સંસ્કૃતિ વિકાસ માટે ભારત અને એશિયાનું સ્થાન અનોખું છે. ગાંધી અને જવાહરની જેને નેતાગીરી મળી છે તે દેશમાં જગતના પણ મુખ્ય ધર્મો ઉદ્દભવ્યા છે. જેને. બૌદ્ધ અને હિંદુધર્મ તેમણે સંસ્કૃતિને સભર બનાવી છે. એશિયા ખંડ ઈશું તેમજ મહંમદ પયંગબરની જન્મભૂમિ છે. એશિયામાં ભારત સંસ્કૃતિનું ધામ છે, તે જાપાન ઉદ્યોગનું પ્રતિબિંબ છે. ત્યારે બીજી તરફ યુરોપના લોકો ઉદ્યોગી છે. જીવન ધમાલનું છે અને અંત વૈભવ-વિલાસમાં આવે છે. અમેરિકા સમૃદ્ધિશાળી છે. આફ્રિકામાં નાઈલનું પિતાનું સ્થાન છે તેમજ ઉરાંગઉટાંગ વાનરો પણ છે. ઓસ્ટ્રેલિયામાં કાંગારૂ હોય છે. પણ આ બધાં પિતાનાં બચ્ચાંને સલામતિથી લઈ જાય છે. આમ વિશ્વમાં વિવિધ કક્ષાઓ રહેલી છે. તેમાં વિશ્વ વાત્સલ્ય” એક્તા અને સર્વમાન્ય લોકહિતના કાર્યક્રમો શોધીને આપી રહેલ છે. ભારતે ગાયજ નહીં દરેક મૂક પશુ તરફને આત્મીય પ્રેમ જગતને બતાવ્યો છે. આજે તેને ઘણું કરવાનું છે. ભારત માટે એ કંઈ નવું નથી. જગતને સંસ્કૃતિના રસ્તે ફરી દેવાનું છે.” પૂ. દંડી સ્વામી : “વનસ્પતિ અને પ્રાણીઓ, જાનવરો વગેરેમાં પણ ભૂગોળને હિસ્સો છે. તે માનવજાત માટે કાં ન હોય! ભારત એ રીતે મહાભાગી છે અને તેની જવાબદારી પણ મેટી છે. સામાન્ય પશુ-પંખીમાં જે જ્ઞાન સમજણું છે તેનાથી માનવમાં વધારે છે. તેના માટે કશુંયે અશક્ય ન હોવું જોઈએ. આપણે ત્યાં કેટલાક બારોટો હોય છે તે ભૂગોળ-ભટિયા આવે છે. તેને આખી ભૂગોળ મેઢે હેય છે. તે બ્રાહ્મણોને તીર્થ અને સાધુને મહાતીર્થ કહ્યા છે તેમણે કેટલું બધું મથવું જોઈએ? “શિ કુસ્થાન પહાડ છે.” એને અર્થ બીજી રીતે એ પણ થઈ શકે પહાડે વરસાદ નદીના પ્રવાહ અને જીવન-કલ્યાણ આપનારાં શિવરૂપ છે. હિમાલય તો મહાદેવ મહાકલ્યાણકારી હોયજ ને! આમ ભૂગોળ જ્ઞાન વિધવાત્સલ્યના અમલમાં સહાયક અને તે સ્વાભાવિક જ છે. (૨૮-૯-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વિશ્વભૂગોળનું દર્શન [૧] ભૂગોળ અને જીવન ] [ મુનિશ્રી નેમિચંદ્રજી ભૂગોળના પાંચ તત્ત્વમાં જમીન, આહવા તેમજ પ્રાકૃતિક પ્રદેશના કારણે માનવજીવન ઉપર કેવી અસર થાય છે તે અંગે અગાઉ વિચારાઈ ગયું છે. બાકીનાં બે તવે છે વનસ્પતિ અને પ્રાણીઓ. વનસ્પતિને આધાર પાણી ઉપર છે અને પાણીને આધાર વાતાવરણ ઉપર છે. એટલે વાતાવરણ અંગે ચર્ચા કરીએ એ ઠીક ગણાશે. વાતાવરણ: વાતાવરણમાં રહેલી વરાળ અને તેના કારણે થતું વરસાદ એને માનવ જીવન ઉપર એટલો બધે પ્રભાવ છે કે ભારત કરતાં બે ગણે સહારાના રણને પ્રદેશ વસતિ વગરને છે. એવું રખે માનવામાં આવે કે રણમાં વસી ન શકાય, પણ જે રણને પાણીની સગવડ વડે લીલાં કરી શકાય તે ત્યાં પણ વસતિ અને સંપત્તિ સમૃદ્ધ થઈ શકે. વરાળ : વાતાવરણમાં ભેજ હોય છે. તે ભેજ બનાવતું નથી પણ સંધરે છે. અનુકૂળ તાપમાન થતાં તે વરસે છે; ઝકળ રૂપે પડે છે કે બરફ રૂપે પણ પડે છે. વાતાવરણમાં હમેશાં ઓછાવત્તા પ્રમાણમાં વરાળ રહેલી હોય છે. પૃથ્વીની સપાટીને પણ ભાગ મહાસાગરોએ રોકે છે. સૂર્યની ગરમીથી આ પાણીની વરાળ થાય છે. આ વરાળ વાતાવરણમાં મળી જાય છે અને અદસ્ય રૂપે રહે છે. તે ઉપરાંત જંગલ, વનસ્પતિએ, નદી-નાળાં, સરોવર વગેરે દરેક સ્થળે આ વાષ્પીકરણ (વરાળ બનવાની પ્રક્રિયા) ચાલુ જ રહે છે. આ વરાળ રૂપે હોય છે ત્યાં સુધી જ વાતાવરણમાં રહે છે. તે કરવા લાગે તે વાતાવરણ તેને દૂર કરવાનું ચાલુ કરે છે. ભેજને સંઘરવાનું કામ ગરમી કરે છે. એટલે તાપમાન એ થતાં તે વરસાદ રૂપે વરસે છે. ઉનાળામાં આ વરાળ વધારે સંઘરાય છે પણ શિયાળામાં નજીવી જ સંધરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આ વરાળ અક્ષાંશ તેમજ સમુદ્રથી દૂરના પ્રમાણે ઓછીવત્તી હોય છે. વિષુવવૃત્ત પાસેના પ્રદેશમાં આ વરાળ વધારે પ્રમાણમાં હોય છે ત્યાંથી દૂર જતાં તે ઘટતી જાય છે. પૃથ્વીના નજીકના થરમાં વરાળ વધારે રહે છે-ઊંચે જઈએ તેમ ઘટતી જાય છે. વાતાવરણની વરાળને અર્ધો ભાગ પૃથ્વીથી ૬૦૦૦ ફૂટ સુધી ઉંચાઈમાં અને પિણો ભાગ ૨ માઈલ સુધીમાં આવી જાય છે. વાતાવરણમાં રહેલી હવા ઘન થાય છે–ત્યારે તે ઝાકળ બને છે. ઠંડા પદાર્થના સંસર્ગમાં આવેલી હવાનું તાપમાન સંતપર્ણ બિંદુની ૩૦° ફેરનડીગ્રી ગરમી કરતાં નીચું જાય છે તે આ ઝાકળના ટીપાં બંધાવાને બદલે બરફ જામી જાય છે. તેને “હિમ” કહેવામાં આવે છે. ઉષ્ણતામાન નીચે ઉતરતાં અદશ્ય વરાળનાં નાનાં નાનાં ટીપાં બંધાવા લાગે છે અને તે વાદળાં જેવાં લાગે છે. તેને ધુમ્મસ કહેવાય છે. નદીઓ, સરોવર અને જળાશય ઉપર આ વધુ જોવામાં આવે છે. આની સપાટી જો ઉપર હોય તો તેને વાદળ નામ આપવામાં આવે છે. બન્નેની બનાવટ એક જ પ્રકારની હોય છે. વાદળમાં જળકણે તરલ હોય છે ત્યારે ધુમ્મસમાં સહેજ જામવાની અણી ઉપર હોય છે. આ ટીપાં ગરમ થઈને વરાળ બને અને ઠંડા થતાં વરસાદ રૂપે વરસે છે. વરસાદ: વરસાદના ચાર પ્રકારે છે : (૧) ઉષ્ણતાનયનને વરસાદ (૨) ભૂપષ્ઠને વરસાદ (૩) વંટોળને વરસાદ (૪) ઋતુવાર વરસાદ. વરસાદના ટીપાં જમીન ઉપર પહોંચે તે પહેલાં તે ઠંડા કે ગરમ પ્રવાહના સંસર્ગમાં આવે અને ઠંડા પ્રવાહનું ઉષ્ણતાપમાન ૬૨° કરતાં નીચું હોય તો આ ટીપાં જામી જાય અને બરફના ગાંગડા રૂપે જામે અને નીચે પડે ત્યારે કરા રૂપે વરસે છે. પૃથ્વી ઉપર સરેરાશ ૩૩ ઈંચ વરસાદ પડે છે. પૃથ્વી ઉપર પડેલા આ વરસાદનું કેટલુંક પાણી વરાળ રૂપે ઊડી જાય છે, કેટલુંક જમીનમાં ઊતરે છે; પણ મોટા ભાગનું પાણી નદીઓ વડે સમુદ્રમાં ઠલવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વરસાદનું ૨૭% પાણી પેસિફિક (પ્રશાંત મહાસાગર અને હિંદી મહાસાગરમાં તેમ જ પશજ એટલાંટિક મહાસાગરમાં મળે છે. બાકીનું ૨૨% પાણી પૃથ્વીને મળે છે. એ પાણીને વિવિધ ઉપયોગ થાય છે. પીવાથી માંડીને ખેતી તેમ જ કળ-કારખાના ચલાવવામાં પણ તેને ઉપયોગ થાય છે. તેનાથી દુનિયાના જીવનને પણ મળે છે. પાણી વગર જીવનના અસ્તિત્વની ક૯પના અશકય છે. વનસ્પતિ : પૃથ્વી ઉપર આજે માણસ ખેતી કરીને પાક ઉતારે છે : તેમ ન થાય તે યે કુદરતી રીતે પૃથ્વી ઉપર શેવાળનાં નાના ઘાસથી લઈને મોટાં ઝાડ ઉગ્યા કરશે. પાક સિવાયની જમીન ઉપર વનસ્પતિ ઉગવાની ક્રિયા થતી આ પણે જોઈએ છીએ. આવી વનસ્પતિઓને ઉગવામાં પાંચ વસ્તુઓ ઉપયોગી બને છે :-(૧) ગરમી, (૨) વરસાદ, (૩) પવન, (૪) પ્રકાશ અને (૫) જમીનને પ્રકાર. ગરમી વગર વનસ્પતિ થાય જ નહીં. જ્યાં ગરમી બિલકુલ ઓછી થાય ત્યાં વનસ્પતિ જોવામાં આવતી નથી. એટલે જ ધ્રુવ ખડોમાં વનસ્પતિ મુદ્દલ જોવા મળતી નથી. ઉષ્ણતામાન જ્યારે તદન ઘટી જાય છે ત્યારે વનસ્પતિ વધવું બંધ કરે છે. - વરસાદઃ પાણીની વિપુલતા પ્રમાણે ઝાડના પ્રકાર બદલાતા રહે છે. જ્યાં પુષ્કળ આં સતત પાછું પડે છે ત્યાં વનસ્પતિ પૂબ સમૃદ્ધ થાય છે. પાણી વગરના રણમાં વનસ્પતિ કુંઠિત થયેલી હોય છે. પાણી સાચવીને ટકી શકે એવી જ વનસ્પતિ અહીં ય છે. જ્યાં સાધારણ વરસાદ હોય ત્યાં ઘાસ જેવી વનસ્પતિ થાય છે. વનસ્પતિ ખોરાક પાણી મારફત લે છે. પાણીમાં તેના રસ ભળી ગયા પછી મૂળિયાં ચૂસે છે અને વધારાનું પાણી પાંદડા બહાર ફેંકે છે. પવન : પાણી પાછું કાઢવાની ક્રિયામાં પવન મોટી અસર કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ છે, જ્યાં જોરદાર પવન હોય છે, ત્યાં આ ક્રિયા ઝડપી થાય છે અને જ્યાં જોરદાર લેતો નથી ત્યાં ધીમી થાય છે. પ્રકાશ : પ્રકાશ વધારે હોય તેમ પાંદડાં લીલાં વધુ હોય છે. પ્રકાશ ઓછો મળતાં પાંદડાં પીળાં પડીને નાશ પામે છે. વનમાં વેલાઓ તેમ જ વૃક્ષે ખૂબ ઉચે જવા માટે એટલે જ પ્રયાસ કરે છે. જમીન : વનસ્પતિને પાણું અને પોષક તત્તે કેટલા પ્રમાણમાં મળશે એને આધાર જમીનના પ્રકાર ઉપર રહેલે છે. જમીન રેતાળ હોય તો તે પાણી સંધરી શકે નહીં. ચીકણી માટી પાણી સંઘરી શકે છે, જમીનમાં રહેલાં નાઈ ટેકસ વગેરે દ્રવ્યો અને ક્ષારો વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે. જે એ દ્રવ્યો પ્રમાણમાં ઓછાં મળે તે વનસ્પતિના પ્રકાર અને વૃદ્ધિમાં તફાવત પડે છે. ઉપર જણાવેલ સંયોગોની અનુકુળતા પ્રમાણે વનસ્પતિ વધે છે. તેમાં પાણીને ફાળે અગત્યનું છે. જયાં મનુષ્યને વનસ્પતિ વધારે મળે છે, ફળફૂલને મળે છે કે તે વધારે પાક લણી શકે છે, તો તે માંસાહાર તરફ વળતો નથી. તેનામાં અન્ય પ્રાણીઓ તરફ દયાના સંસ્કાર પણ રેડી શકાય. એટલે વનસ્પતિ પણ માનવજીવનને ધાર્મિક, સંસ્કારી તેમ જ અહિંસક બનાવવામાં એક કારણ છે. જૈનેમાં જંબુદ્વિપ પ્રાપ્તિ સૂત્રમાં એક સુંદર વસ્તુ રજૂ કરવામાં આવી છે. છઠ્ઠા આરા પછીના અવસર્વિણુ કાળના પહેલા આરામાં ૪૮ દિવસ વરસાદ પડયા પછી પૃથ્વી રસકસવાળી ફળદ્રુપ બની જાય છે. ચોમેર જમીન લીલીછમ બની જાય છે. ત્યારે વિરાટ માનવ-સમુદાય ભેગો થઈ પ્રતિજ્ઞા કરે છે કે “ચારે બાજુએ પ્રકૃતિએ આપણને જીવવા માટે અપાર સામગ્રી પાથરી છે. હવેથી આપણે કોઈ માંસાહાર નહીં કરીએ; વનસ્પતિ–આહાર ઉપર જ રહેશે. જે કોઈ માંસાહાર કરશે તેની છત્ર-છાયામાં પણ બેસશું નહીં.” આ સંક૯પ કરવાનો દિવસ સંવત્સરીને છે. તેમાં બીજા છ આરાનાં વર્ણન છે તેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮, ચોકકસપણે એમ તારવી શકાય છે કે પૃથ્વીની ભૌગોલિક પરિસ્થિતિના આધારે માનવજીવનના વિચાર તેમ જ સંસ્કાર ઘડાય છે. વનસ્પતિને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે –(૧) જંગલ (ક) ઘાસ અને (૩) રણ. જંગલો : જ્યાં પૂરતું પાણી અને પૂરતો પ્રકાશ હોય છે ત્યાં જંગલે થાય છે. જંગલેના પાંચ પ્રકારો છે : (૧) વિષુવવૃત્તના જંગલે: વિષુવવૃત્તની બન્ને બાજુએ વીચ જંગલો આવેલાં છે. અહી બારે માસ વરસાદ અને ગરમી રહેતી હેવાથી મોટા કદનાં વૃક્ષે થાય છે. ઝાડ આખું વરસ વધી શકે છે. તેમની ઉગવાની ઝડપ પણ ધણી હોય છે. વાંસના ઝાડ ને કેટલીકવાર પાંચ દિવસમાં ત્રણ ફૂટ જેટલાં વધી જાય છે. ઝાડને ઉપરનો ભાગ પાંદડાંથી લગભગ ઘેરાવદાર હોય છે. પાંદડાં મોટાં હેય તે વધારાનું પાણી બહાર નીકળી જાય છે. એક એકરમાં ૮૦૦ જાતનાં વૃક્ષો ઉગી શકે છે. દક્ષિણ અમેરિકામાં એમે ઝોન નદીના મેદાનમાં ઘીય જંગલો આવેલાં છે. આફ્રિકામાં આવેલી કેગો નદીના પટમાં પણ પુષ્કળ વીચ ઝાડે છે. તેમાં ઓઇલપામ, અબનૂસ, મેહાગની વગેરે સખ્ત લાકડાંવાળાં ઝાડે જોવામાં આવે છે. (૨) મોસમી જંગલ : મસમી વરસાદના પ્રદેશમાં આ જંગલે આવેલા હોય છે. અહીં સાગનું ઝાડ વિશેષ મહત્વનું છે. અહીં પણ બારે માસ ને મળતું નથી; પણ મળે છે ત્યારે પુષ્કળ મળે છે. તેથી પુળ ઝાડો થાય છે. અહીંના જંગલ વધારે ઘીય હેતાં નથી પણ લીલાં રહે છે. (૩) ખરાઉ જંગલે: સમશીતોષ્ણ કટિબંધના ગમ ભાગમાં પહોળા પાંદડાંવાળાં આ જંગલ જેવામાં આવે છે. શિયાળે ઉતરતાં કે વરસાદ વગરના મહીનાઓમાં ઝાડના પાંદડાં ખરી જાય છે તેથી આ જ ગલો ખરાઉ જંગલો કહેવાય છે. આમાં એક, મેપલ, બીચ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વગેરે ઝાડે થાય છે. આ જંગલે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં, મધ્ય તેમજ પશ્ચિમ યુરોપમાં; ચીન અને જાપાનમાં જોવામાં આવે છે. ઘણું સ્થળે તે આ જંગલોને સાફ કરી નાખવામાં આવ્યાં છે. (૪) શકુદ્રમ જગલે : સમશીતોષ્ણ કટિબંધના ઠંડા ભાગોમાં શંકુ આકારનાં વૃક્ષોનાં જંગલે આવેલાં હોય છે. તેનાં ફળો શંકુ આકારનાં હોય છે. આ પ્રદેશમાં વરસાદ એ છે, ઠંડી વધારે, તેમાંયે બરફ પડે, એટલે વાષ્પીકરણ ઘણું ઓછું થાય. પાંદડાની જગ્યાએ અણીદાર સળીઓ જેવું હોય છે. એનું લાકડું પડ્યું હોય છે. સપુસ, ફર. લાર્ચ, પાઈન વગેરેનાં ઝાડો મુખ્યત્વે થાય છે. કેનેડાના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી ૩ હજાર માઈલના પટામાં આ જાતનું વિશાળ જંગલ છે. સાઈબિરીયાના આ જંગલોને ટેગ કહેવામાં આવે છે. ત્યાં કેનેડા કરતાં વૃક્ષો નાના તેમજ નાની ગાઠાવાળાં હોય છે. (૫) ભૂમધ્ય સાગરના કિનારાના જંગલેઃ આને ઉષ્ણસમશીતોષ્ણ પ્રદેશનાં જગલે પણ કહી શકાય છે. ભૂમધ્ય સાગર અને ચીન જેવા આબોહવાવાળા પ્રદેશમાં આવાં જંગલો આવેલાં છે. શિયાળામાં થડે વરસાદ થાય છે. તેથી ઝાડ બહુ ઉચા નહીં, પણ ઊંડા મૂળવાળા, પાણીને સંઘરી રાખનાર હોય છે. તેમના પાન ચામડી જેવાં સુંવાળી રુંવાટીવાળાં હોય છે. ઓલિષ, બૂચ, ચેસ્ટનટ, અખરોટ, અંજીર વગેરેના ઝાડો અહીં થાય છે. ઘાસઃ જ્યાં પાણી ઓછું હોય અને સૂકી ઋતુ વધારે હોય ત્યાં ઝાડ થતાં નથી, પણ જેનું મૂળ ઉપરની સપાટી ઉપર હેય છે તેવું ઘાસ ઊગી નીકળે છે. તે પણ વરસાદ અગાઉ પીળું પડી સુકાઈ જાય છે. ઘાસનાં પ્રદેશે ઠંડા તેમજ ગરમ બન્ને પ્રકારની આબોહવાવાળા પ્રદેશમાં હોય છે. આફ્રિકાના વિષુવવૃત્તને જંગલની બન્ને બાજુએ જંગલે ઘટતાં જાય છે અને ઊંચું ઘાસ વધતું જાય છે. સમશીતોષ્ણુ કટિબંધના અંદરના ભાગમાં જયાં વરસાદ ઓછો થાય છે ત્યાં ટુંકે ધાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉગે છે. મધ્ય એશિયામાં કાળા સમુદ્રથી બાકાશમરેવર સુધી આ પ્રદેશ આવેલ છે, જે આપના નામે ઓળખાય છે. ઉત્તર અમેરિકાના મધ્ય ભાગમાં આવેલા આ પ્રદેશને પેરી અને દક્ષિણ અમેરિકામાં પંપા કહેવામાં આવે છે. રણની વનસ્પતિઓ : જયાં દશ ઈચ કરતાં પણ ઓછા વરસાદ પડે અને જે પ્રદેશમાં વધારે પડતી બાલું હોય છે તેને રણું કહેવાય છે. પાણીના અભાવે વનસપતિ કુંઠિત થઈ જાય છે. અયનવૃત્તો ઉપર ગરમ ણે આવેલાં છે. અહીં ખજુરી સિવાય કોઈ ખાસ ઝાડ થતુ નથી. કાંટાળા થોર, ખેર, બાવળ જેવાં વૃક્ષ હોય છે. જે ૧૮ માસ સુધી પાણી ન મળે તે યે લીલાંછમ રહે છે. ટુંડા જેવા પ્રદેશમાં પાણી તેમ જ ગરમી બને ઓછી હોવાથી શેવાળ કે નાનાં છેડ ઊગી શકે છે અન્ય વનસ્પતિઓ : આ ઉપરાંત પહાડો ઉપર જતાં, કમ પ્રમાણે વનસ્પતિ જોવા મળે છે. સમુદ્રને તળિયે પણ વનસ્પતિ નજરે પડે છે. બહુ ઊંડા સાગરોમાં વનસ્પતિ ઓછી હોય છે; છીછરા પાણીમાં વધારે વનસ્પતિ હોય છે. મોવરમાં પણ વનસ્પતિ થાય છે. પ્રાણીઓ : અનુકૂળ રાક અને પાણી જ્યાં મળે છે ત્યાં પ્રાણીઓ પુષ્કળ જોવા મળે છે. ઝાડ સ્થાનાંતર કરી શકતાં નથી; તેવી જ રીતે પ્રાણીઓ પણ આબોહવાથી ટેવાઈ ગયેલાં હોઈ બીજી જગ્યાએ જવું ઓછું પસંદ કરે છે. એક કાળે બધા પશુઓ જગલી હશે પણ આજે માણસે તેમને પાળીને ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું છે, તેમ જ ઘણાને શિકાર કર્યો છે. હિંદમાં ગીરના જંગલેનાં સિંહની જાત લગભગ ખલાસ થવા આવી છે. પ્રાણીઓમાં ઘણા ઘામ ચારો કે વનસ્પતિ ઉપર નભે છે. એ પ્રાણીઓ માણસના ધણું ઉપયોગમાં આવે છે. ઘણાં પશુઓ ઘણાં ઘણાં કામમાં આવે છે. જેમાં ગાય-બળદ, ઘેડા, ઊંટ, હાથી વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ છે. એટલે માનવજીવનની સંસ્કૃતિ અને ધર્મના વિકાસમાં પશુઓને પણ મોટો ફાળો રહેલો છે. આ પ્રાણુઓને નીચેના પાંચ ભાગમાં વહેંચી શકાય છે – (૧) જંગલનાં પ્રાણીઓ : વિષુવવૃત્ત ઘીચ જંગલોમાં હાથીઓ જેવા બળવાન પ્રાણીઓ, અજગર, સાપ જેવા પેટે સરકનાર છે તેમજ ઉંચા વૃક્ષ ઉપર રહેનાર વાંદરાની જાતનાં પ્રાણુઓ મળે છે. આવા જગલમાં પંખીઓ ઘણું હોય છે અને જમીન ઉપર કીડા મંકોડા જેવા જીવોથી લઈને મગર જેવાં પ્રાણુઓ હોય છે. મોસમી પ્રદેશમાં ઘીય જંગલો ન હોવાથી ત્યાં ચિત્તા, વાઘ, રીંછ વગેરે પ્રાણીઓ નજરે ચડે છે. સમશીતોષ્ણ કટિબંધના જંગલોમાં રાની બિલાડી, વરૂ, શિયાળ, ખિસકેલી વગેરે નજરે ચડે છે. (૨) બીડનાં પ્રાણીઓ : અહીં ઘાસ વધારે થતું હોવાથી, ઘાસચારી હરણ, ઘેડા, ઢેર, જિરાફ જેવા પશુઓ થાય છે. આ પ્રાણીઓને શિકાર કરનારા વાઘ, સિંહ, વગેરે હિંસક પ્રાણુઓ પણ ત્યાં જોવા મળે છે. (૩) રણનાં પ્રાણુઓ : રણમાં વનસ્પતિ ઓછી હેવાથી એાછાં પ્રાણીઓ જોવા મળે છે. તેમાં ઊંટ મુખ્યત્વે હેય છે. નાના કાકિંડા, ગરોળી જેવા પ્રાણીઓ હોય છે. (૪) બરફના પ્રદેશના પ્રાણીઓ : ટુંડ્રા જેવા બરફના રણોમાં શિયાળામાં જમીન ઉપર રહેનાર સફેદ રીંછ વગેરે ખાસ જોવામાં આવે છે. ઉનાળામાં કૅટિલ અને રેનકીપર પ્રાણી ત્યાં જેવા મળે છે, તે શિયાળામાં અન્યત્ર જતાં રહે છે. (૫) સાગરનાં પ્રાણુઓ : જમીન ઉપર જોવાં મળતાં પ્રાણીઓ કરતાં સાગરનાં પ્રાણુઓની સંખ્યા વધારે છે. છીછરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સાગરમાં વનસ્પતિ વધારે થાય છે. તેથી અનેક પ્રકારનાં માંછલાં વગેરે ત્યાં થાય છે. ઊંડા સમુદ્રમાં પ્રાણીઓ ઓછાં હેય છે. માણસે પિતાના પશુ ધનને સારી પેઠે ઉપયોગ કર્યો છે. તેમાંથી મળતાં ખાદ્યપદાર્થો અને બીજી વસ્તુઓને તેણે ઉપયોગ કર્યો છે. દૂધ, ઘી, માખણ, ચામડાં, હાડકાં, ઈડાં, માસ, ઊન વગેરેને માનવ ઘણે ઉપયોગ કરે છે. તેથી જાતે ટકીને તેણે બીજાને ટકાવી રાખ્યા છે. આજે માણસે પોતાની બુદ્ધિથી ભૌગોલિક પરિસ્થિતિ ઉપર વિજય મેળવ્યો છે. તેણે મોટા મોટા ફેરફારો વૈજ્ઞાનિક સાધન વડે કર્યા છે. સમુદ્રનું ખારું પાણી મીઠું કેમ કરવું, રણને લીલુંછમ મેદાન કેમ બનાવવું, તે પણ તેણે જાણ્યું છે. તેણે ન વસવા લાયક પ્રદેશોમાં વસવાટ આનંદપૂર્વક કર્યો છે. ઈંગ્લાંડની યંત્રની શોધ પછી ભૌગોલિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર થઈ શક્યું છે. જ્યાં ઘીચ જંગલો હતાં ત્યાં મેટા ય-કારખાનાઓ શરૂ કર્યા છે. તેને પ્રકૃતિ ઉપર દિગ્વિજય મેળવવાનો પ્રયાસ તે ચાલુ જ છે. તે વધુ સક્રિય અને ધર્મને સહાયક રૂપે ચાલુ રાખવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ [૨] ૧૦, ૨ પ્રકૃતિ-પરિવર્તન અને માનવયત્ન ] (શ્રી દુલેરાય માટલિયા. સર્વપ્રથમ ઘણુંને થશે કે સાધુ-સાધ્વી સાધક-શિબિરમાં ભૂગોળ વિષય ચર્ચવાની જરૂર ખરી ? ભૂગોળમાં પ્રકૃતિનું વર્ણન આવે છે અને પ્રકૃતિની માનવજીવન ઉપર અસરોનું વર્ણન કરવા પાછળ એક હેતુ છે. સાધુ-સાધક વર્ગ વિધવાત્સલ્યમાં માને છે, ત્યારે તપ, વિચાર અને ભાવનાનું પરિવર્તન કરવામાં માને છે અને પરિસ્થિતિ–પરિવર્તનમાં પણ માને જ છે. આ પરિસ્થિતિ ત્રણ પ્રકારની છે – (૧) પ્રકૃતિએ કુદરતી વાતાવરણ વડે સર્જેલી પરિસ્થિતિ (૨) સમાજે સામાજિક વ્યવસ્થા વડે ઊભી કરેલી પરિસ્થિતિ (૩) માણસની વાસના (કામ-ક્રોધ,) વડે ઊભી થયેલી પરિસ્થિતિ, વિશ્વવાત્સલ્યને સાધક આ ત્રણેય પરિસ્થિતિઓને તપ દ્વારા પલટાવવા માગે છે. સામાજિક પરિસ્થિતિના પરિવર્તન માટે નિર્જરા–તપ વડે સામુદાયિક અહિંસાના પ્રયોગો અંગે વિચારણા થઈ ચૂકી છે; પણ પ્રકૃતિ દ્વારા સજેલી-સ્થિતિના પરિવર્તન માટે ક્યા તપ વડે તેને પલટાવી શકાય ? તેમાં કયું તપ કામ આવી શકે? તેને ખ્યાલ ભૂગોળનાં વર્ણનથી મળી શકે ! ભૂગોળને ખ્યાલ ન હોય તે માણસ કેવળ પ્રકૃતિ ઉપર જ નિર્ભર રહે જેમ બીજાં જંગલી પ્રાણીઓ રહે છે. પણ માણસ પાસે બુદ્ધિ છે, તેણે બાહ્ય પ્રકૃતિને નાથવા માટેના અસંખ્ય પ્રયાસો આજ લગી કર્યા છે. શરદી-ગરમીથી બચવા માટે તેણે ઘરો બાંધ્યા છે. કપડાં બનાવ્યાં છે. વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે યંત્રની શોધ કરી છે. એ જ રીતે આજના વિધવાત્સલ્યને સાધક જે તપ વડે સામાજિક પરિસ્થિતિને પલટવા પ્રયત્ન કરે છે, તેમજ તપઠારા પ્રાકૃતિક પરિસ્થિતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પલટી શકે છે, પણ એ તપ માત્ર, નહીં ખાવાનું જ નથી; તેમાં તે તપના બાર જેમાં (૧) કાયાક્લેશ, (શરીરશ્રમ)(૨) સાતત્યનિષ્ઠા (પ્રતિસલીનતા) અને (૩) નિરંતર જ્ઞાન મેળવવું (સ્વાધ્યાય) એ છે. આ તપની શક્તિ, પ્રાકૃતિક પરિસ્થિતિ બદલવામાં લગાડાય તો મોટું કામ થઈ શકે છે. ભાલમાં ખારી જમીન છે. ત્યાં કંઈ પાકતું નથી. જમીનમાં પાક આપવાની શક્તિ છે પણ ખારાશના પડોના કારણે તે કુંઠિત થયેલી છે. તેથી પહેલાં તે એ જ્ઞાન હોવું જોઈએ કે ખાર ઊભરાય છે ને કેમ નીકળે ? જે ત્યાં પાળ બાંધી અંદર નહેરનું મીઠું પાણી વહેતું કરવામાં આવે તે ખાર ઓછો થતો જાય. આમ બે-ત્રણ વરસ કરવાથી તે જમીન મીઠી થઈ શકે અને લોકોને તેને લાભ મળી શકે. આ માટે ભાલના ખેતેએ સંગઠિતમ કરવો પડે અને જરૂર પડે રાજ્યની મદદ લઈ સકે. રાજ્ય વૈજ્ઞાનિક સાધને આપે, તે કયાં ખાણ ખોદવી તેને નકશો આપે, નહેરનું આયોજન પણ કરી આપે, રચનાત્મક કાર્યકરો સતત ઉત્સાહ આપે, લેક ઘરના બાવડાં અને ત્રિકમપાવડા લઈને શ્રમયજ્ઞ કરે તે આ પ્રાકૃનિક પરિસ્થિતિમાં જરૂર પરિવર્તન થઈ શકે ! હેલેંડના નિષ્ણાતે ભાવનગર જિલ્લામાં હાલ આવ્યા છે. એ લોકોએ ત્યાંનાં ગામડાંની ખારી જમીનને મીઠી કરી આપવાનું બીડું ઝડપ્યું છે. ખારી જમીનના કારણે કઈ ત્યાં વસતું નહતું તે મીઠી થતાં લોકો વસવાં આવશે. ઉત્તર અમેરિકામાં પેરી પાસે ટુંક ઘાસને પ્રદેશ અને તે લોકો તે ઘાસમાં તેર ચારતા હતા. એ લોકોએ પાતાળ કુવા ખાદીને જમીનને ફળક બનાવી ત્યાં ખેતી કરી અને આજે એ પ્રદેશે જગતને સધી માટે ધઉનો ભંડાર ઊભો કર્યો છે. આમ તપ વડે પ્રકૃતિને તેમણે વય કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશોમાં બારે માસ વરસાદ પડે છે ત્યાં મોટા જંગલ છે; જંગલી પ્રાણીઓ છે. ત્યાં કશી યે ખેતી થતી ન હતી. સીંગાપુરથી જાવા-સુમાત્રાની આખી પટ્ટી લ્યો. લોકે ત્યાં માંસાહાર અને તેમાં પણ નર માંસાહાર કરતા હતા. તે પ્રદેશમાં આવેલાં જંગલો કાપી નાંખવામાં આવ્યાં. બારેમાસ રહે તેવાં ઝાડો–રમ્બર, કેફી શેરડી વગેરેને પાક બહુ મોટા પ્રમાણમાં થવા લાગ્યો. આવું તપ ત્યાંના લોકોએ કર્યું અને જંગલને મંગળ કર્યું. કેગમાં તે રહી શકાય તેવી સ્થિતિ ન હતી. ત્યાં જંગલ કાપી મેદાન બનાવ્યું અને યુરેનિયમ જેવી બહુમૂલ્ય ધાતુઓ અને ખનિજની ખાણ નીકળી. પણ બ્રાઝિલ પાસેને જે પ્રદેશ છે તે હજુ જંગલી જ છે. તપના અભાવે માણસ પ્રકૃતિ કૃત દુઃખ ભોગવે છે. આજે રાજે ભૂગાળના જુદા જુદા સીમાડા બાંધ્યા છે તેના કારણે પ્રકૃતિ અને વિજ્ઞાન હોવા છતાં માણસ અછત અને દુઃખ ભોગવે છે. જે આ સીમાડા દૂર થઈ જાય, વિજ્ઞાનને માનવહીતમાં ઉપયોગ થાય અને માણસ શ્રમનું તપ કરે ને ત્રણ અબજ માણસને ખાવા-પીવાનું તેમજ રહેઠાણુ કપડાં વગેરે બધું મળી શકે. આપણે વિશ્વાસઘને વિય અને વિશ્વ કુટુંબની દષ્ટિએ વિચાર કરીએ છીએ તેમાં રાજ્યસત્તા વચ્ચે નડે છે. તેના કારણે એક પ્રાંતમાં ધન, અન્ન અને વસ્ત્રોના ઢગલા થાય છે ત્યારે બીજા પ્રાંતમાં રાજ્યસત્તા બીજાના હાથમાં હાઈને ત્યાં માનવ-તપને ઉપયોગ ન થતાં. ત્યાં અછત જણાય છે. ઘણીવાર ઘણા લોકો પણ કંઈ કરી શક્તા નથી. પેરીના લોકો જે ઘઉં પેદા કરી શકે તે આરબ લોકો ન કરી શકે? તેઓ તો વધારે શ્રમવાન છે પણ ત્યાં રાજ્ય તરફથી તેમને પ્રેરણું મળતી નથી. ઓસ્ટ્રેલિયાના રણમાં એ પ્રદેશના લેકોએ પાતાળના કુવા ખોદાવ્યા, બગીચા બનાવ્યા અને ઘેટાં ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું. એક ઘેટું એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ મણ ઊન આપે છે. પાણીના કુવા ખેદતાં સેનાની ખાણ પણ નીકળી પડી. ત્યાં ટુંક સમયમાં મોટું શહેર ઊભું થઈ ગયું. ટુંકા ઘાસમાંથી સારામાં સારા તો લઈ લેવા, અને પશુ ઉછેરનું કામ કર્યું. તેમણે એની શિકલ ફેરવી નાખી છે. રાજસ્થાનમાં “સુરતગઢ” છેલ્લે છે ત્યાં ૭૦૦ એકર જમીન ઉપર રશિયન નિષ્ણાતોએ પ્રયાગ કરી એ રણને લીલુંછમ મેદાન બનાવી મૂક્યું. આજે માણસ વધુ સમૃદ્ધ છે તેની પાસે પ્રકૃતિનું વિજ્ઞાન ખુલ્લું પડયું છે. પણ આ વિજ્ઞાનને સાચે ઉપયોગ થઈ શકે તે માટે તપ કેવુ જોઈએ. શ્રમરૂપી તપ કરનાર ઘણાં છે. તેમાં શ્રદ્ધા ભળી અને તે વડે તપ કરાવવાથી જમીન સમૃદ્ધ થશે; લેકે સુખી ગશે. રામેશ્વર સુધી ગંગાનું પાણી કાવડમાં જતું હતું. એજ રીતે વિજ્ઞાન રૂપી ગંગાના પાણીને શિબિરના સાધક સાધિકાઓએ કાવડિયાં બનીને ગામે ગામે પહોંચાડવા તૈયાર થશે તે જ તપ વડે, પ્રકૃતિ વડે સર્જેલી પરિસ્થિતિનું પરિવર્તન થઈ શકશે. આજે વિજ્ઞાને ભોગોલિક સીમાએ ટૂંકી કરી નાખી છે. તેથી જગતમાં વિચારે, રીતરિવાજો તેમજ સંસ્કૃતિને વિનિમય બહુજ ઝડપે થઈ રહ્યો છે. તે છતાં હજુ સંકુચિત રાષ્ટ્રવાદ તે ચાલુ જ છે. સામાન્ય રીતે કોલેજોમાં કે હાઈસ્કૂલોમાં ભૂગોળ શીખવવામાં આવે છે કે જ્યાં જુદી પ્રકૃતિ–પ્રતિભાના કારણે તે–તે પ્રદેશમાં પેદા થયેલાં લોકોનું અલગ અલગ રાષ્ટ્ર લેવું જોઈએ. મતલબ કે ભૂગોળને પાયો ભિન્ન-ભિન્ન રાષ્ટ્રો હેવાં જોઈએ તેના ઉપર છે. રહન, સહન અને ભાષા જુદી એટલે એક ખંડ-રાષ્ટ્ર જ૬ હેવું જોઇએ. આ છે યુરોપનું સમાજ-શાસ્ત્ર. જ્યારે એશિયા અને તેમાંય ભારતનું સમાજશાસ્ત્ર એવું છે કે તે બેદમાં પણ અભેદ જુએ છે. ભલે ધર્મ જુદા હોય, પિપાક. રહેણીકરણી કે ભાષા જુદાં હોય પણ મૂળભૂત માનવતાની એકતા બધા વચ્ચે રહેલી છે. જેમ પ્રાકૃતિક વિને દૂર કરવાં માટે માનવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભૌતિક વિજ્ઞાનનું શરણ લીધું છે તેમ આપણે માનવસમાજમાં રાજ્ય વગેરેનાં વિદને દુર કરવા માટે આધ્યાત્મિક વિજ્ઞાનની મદદ લઈ, સામુદાયિક તપ વડે આગળ વધવું જોઈએ. આમ થશે તે અછતવાળા પ્રદેશને છતવાળા પ્રદેશો પાસેથી સન્માનપૂર્વક મદદ અપાવી શકશું. ભૂગોળના જ્ઞાનને મુખ્ય ઉપયોગ વિશ્વ માનવસમાજને એક બનાવવાની દષ્ટિએ કરવાને છે આપણે મુખ્યપણે (૧) ધર્મ સંસ્થાનું સંગઠન (૨) લોકસંગઠન તેમજ (૩) રાજ્યસંગઠનને માનીએ છીએ. તેમાં છેલું એક સંગઠન તો વિશ્વની દષ્ટિએ વિચારનું થઈ ગયું છે. જુદાજુદા દેશની પ્રજા માટે યૂને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા” કાયદાઓ ઘડે છે. આજે યૂનેના માધ્યમથી બધાં રાષ્ટ્રો એક થવા મથે છે. પહેલા વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશન્સથી તેને પ્રારંભ થયો હતો; પણ તે પ્રયત્ન અસફળ રહેલો. હવે યૂને-સંસ્થા થઈ છે. તે નિષ્ફળ જાયે તે પણ સંયુક્ત રાષ્ટ્રસંધની ભાવનાએ અન્ય સંસ્થા કામ કરશે એમ ભવિષ્ય ઉજજવળ લાગે છે. આજે સાંસ્કૃતિક વિનિમય માટે ભૌગોલિક સીમાડાઓ ન નડે તે માટે પ્રયત્નો ચાલુ છે પણ તે બધું રાજય વડે ચાલે છે. યૂનેસ્કો સંસ્થા ધૂનોના ભાગ જેવી છે. આપણે રાજે વડે સંસ્કૃતિક મંડળે એક-બીજા દેશમાં જાય, એમ નથી ઈચ્છતા, પણ તે લોકસંગઠને વડે-સમાજના જુદા સંગઠને વડે–જાય અને રાજ્યને બાજુએ મૂકીને પણ પારસ્પરિક ગાઢ સંબંધો બાંધે એમ ઈચ્છીએ છીએ. જેમકે વિશ્વભરનાં મજૂરોનાં દેશવાર સંગઠનો પરસ્પરમાં જોડાય. એવી જ રીતે વિશ્વભરના ખેડૂત, સાહિત્યકાર, મહિલાઓનાં સંગઠને દેશવાર થઈને જોડાય તો ઘણું કામ થઈ શકે. મહિલાઓમાં કોઈ ઉત્તમ કટિનાં હોય તો આવાં સંગઠને તેમના માટે ઘણું કરી શકે. એ જ રીતે વિશ્વભરના ગોપાલકો એક થાય; ડેન્માર્ક અને અમેરિકાની ડેરીવાળા હિંદના પશુપાલકોને મદદરૂપ થાય. તેમ કરતા રાજય ભલે એક બાજુએ રહી જાય અથવા ગૌણ બને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ આ બધા હારીને પણ માજિક વિકાસ કરી જેમ પ્રજા, પ્રજાસેવકે, સંત-સાધુસાધ્વીઓનાં સંગઠને એક બીજાના દેશ સાથે સીધો સંપર્ક સાધીને કાર્ય ચલાવી શકે. આ સંગઠને પિતાની ધંધાદારી કે લાગવગના હિત કરતાં સમગ્ર વિશ્વનું હિત જુએ અને તેમને એ રીતે વિશ્વ-એય ભાવનાવી દરવણ સાધુ-સંતો પાસે મળતી રહે તે ઘણું થાય. વિવમાં આવાં ઘણાં સંગઠને છે. દા. ત. સર્વસેવા સંધનું સંગઠન. પ્રાયોગિક સંઘનાં સંગઠને, કવેકર્સ સંગઠને, બર્ફીડ રસેલનું શાંતિ સંગઠન, વિનોબાજીના શાંતિ સૈનિકોનું સંગઠન. આ બધાં સંગઠને સંકુચિતવૃત્તિથી માનવજાતને મુક્ત કરાવવા, સ્થાપિત હિતેને વિરોધ વહેરીને પણ કામ કરે તે ઘણું થઈ શકે. અહીં વિશ્વને વ્યાસપીઠ બનાવી. સામાજિક તપ દ્વારા, મનોશુદ્ધિ અને અધ્યાત્મ શુદ્ધિ કરીને ઘણું કાર્યો થશે. શુદ્ધ દષ્ટિને વિકાસ કરીને આ રીતે માનવસમાજની મનોસ્થિતિનું અદ્ભુત પરિવર્તન કરી શકાશે. જેમ રણને હરિયાળુ બનાવી શકાય કે ખારી ધરતીને મીઠડી કરી શકાય છે; તેવી જ રીતે જગત ઉપર અવિશ્વાસ અને અશાંતિ દૂર કરવા માટે આજની દુનિયાને આવાં સંગઠનના ઝડપી અને અનિવાર્ય જરૂર છે. બે વિશ્વયુદ્ધ તથા રાજ્ય સીમાડાના કારણે તેમ જ જયબાજીના કારણે કેટલાંક રાષ્ટ્રોમાં ગુણે સાથે દુર્ગુણે પસી ગયા છે; તને દૂર કરવા પડશે. જેમકે જાપાન ખંતીલું અને ઉદ્યમી હોવા છતાં આક્રમણખોરીને પસંદ કરનારું બની ગયું છે. જર્મની ઝનૂની અને ઉતાવળું બની ગયું છે. અમેરિકા આંધળુકિયા સંસ્થાનવાદ પ્રત્યેનો પ્રહારો સાંભળવામાં બહેરૂ બની ગયું છે. પાકિસ્તાન દ્વલીલું બન્યું છે. રશિયા અભિમાની બન્યું છે અને બ્રિટન અસાવધાન બન્યું છે. તે તેવાં રાષ્ટ્રીય અનિષ્ટોને પ્રતિકાર કરી ઈષ્ટાને ટેકો આપી શુદ્ધ સમતા દરેક દેશમાં ઊભી કરી દેવી પડશે. આ રીતે ભૂળને વિષય વિધવાસના સાધકને ઘણે ઉપયોગી છે તે સમજી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચર્ચા-વિચારણું પૂ. દંડી સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સર્વાગી સાધનામાં આર્થિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને અંગત એમ બધા પાસા સામુદાયિક જીવનના આવી જાય છે. એટલે આવા સાધકોએ–ઉપદેશકોએ ઈતિહાસ, ભૂગોળ બન્ને પ્રકારના ભૌતિકઆધ્યાત્મિક વિજ્ઞાન, કર્મગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ તેમ જ યુગાનુયુગ વહેવાર ધર્મ–આ સાતે યે બાબતો પૂરી જાણવી પડશે. એના વગર ઉપદેશ અધૂરો ગણાશે. તેણે વિશ્વના દરેક પાસાં લઈને તેમ જ જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મને પૂટ આપવાનું રહે છે; આ દષ્ટિએ વિશ્વ-ભૂગોળ ઘણું જરૂરી છે. વનસ્પતિની માનવજીવન ઉપરની અસર અંગે સવારે કહેવામાં આવ્યું જ છે. વનસ્પતિમાં જીવ છે એમ હવે વૈજ્ઞાનિકો પણ માને છે. ભૂગોળ ઉપરાંત ખગોળનું જ્ઞાન પણ હોવું જોઈએ એમ હું માનું છું. કારણ કે આકાશ અને બ્રહ્માંડની અસર પૃથ્વી ઉપર થાય જ છે. આપણે અવાજ આકાશની મદદથી સાંભળીએ છીએ. દિવાલ આવે ત્યાં હવા જઈ ન શકે. આકાશ એવી હવાને આવવા જવામાં મદદ આપે છે. વેદાંતમાં આકાશ માટે, બ્રહ્મ અને આત્મા જેટલાં વિશેષણે વાપરવામાં આવ્યાં છે. આકાશમાં વ્યાપકપણું છે. ટૂંકમાં ભૂગોળ, ખગોળ, આકાશ અને ઈતિહાસ વ. બધી બાબતોનું જ્ઞાન અનુબંધને અને આપણને ઉપયોગી છે. પૂ. નેમિમુનિ : દરેક ધર્મો, જૈન, બૌદ્ધ, વૈદિક, પારસી, ખ્રિસ્તી, ઈસ્લામ અને અન્ય, પોતપોતાની રીતે દુઃખને દૂર કરવાને ઉપાય બતાવે છે. આ દુઓમાં પ્રકૃતિકૃત દુઃખ, પરકૃત દુઃખ અને સ્વકૃત દુઃખ આવી જાય છે. આ ત્રણેયને દૂર કરવા માટે સાધકે તે પ્રયત્ન કરવા જ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એ આશા રાખવી વધારે પડતી ગણાશે કે માણસના પ્રકૃતિકૃત દુઃખો દૂર કર્યા વગર તેના ભૌતિક કે આધ્યાત્મિક સુખને, તે મેળવી શકે. ઘણું કહેશે કે ભૌતિક સુખ સાથે આધ્યામિક સુખને શો સંબંધ? જે સ્વાર્થને પરમાર્થમાં ફેરવવામાં આવે તે આપોઆપ ભૌતિક પોતે જ આધ્યાત્મિક બની જાય છે. ધર્મ સંરકૃતિ, કળા વગેરેને વિકાસ પ્રકૃતિક દુઃખ દૂર ન કરાય ત્યાં લગી કઈ રીતે થાય ? “ ભૂખે ભજન ન હોઈ ગોપાલ ”—તેમજ “બુશિક્ષિત: કિં ન કતિ પાપ!” એ નીતિ વાક્યોને ગૂઢ અર્થ એમાં જ સમાયેલું છે. મેવાડમાં અગાઉ ભીલ લોકોએ કુદરત સાથે બાથ ભીંડી થોડું મેળવીને રહેવાનું શરૂ કર્યું. પણ તેમાં તટે રહેવા લાગે ત્યાં કોઈ સાધુ કે સાવી પ્રેરણા આપવા ન ગયા. પરિણામે તેઓ શિકાર, ચોરી, લૂંટ વગેરે કુમાર્ગે ચડ્યા. હવે રાજ્ય બાદ પરિસ્થિતિ પલટાતાં વૈજ્ઞાનિક બુદ્ધિ અને સમજ ખીલતાં જાય છે. તેથી તેઓ પણ સુસભ્ય બની રહ્યાં છે. જે, આખા વિશ્વમાનવસમાજને સુસંસ્કૃત જે હેય તે પ્રાકૃતિક દુઃખને દૂર કર્યું જ છૂટકો. જે દેશોએ આ અંગે ભગીરથ પ્રયાસ કર્યા છે તે અંગે સવારે માટલિયાએ કહ્યું જ છે. બીકાનેરમાં સૂરતગઢ વગેરે સ્થળોમાં વૈજ્ઞાનિક પ્રયોગો સફળ થયા છે. હવે રાજસ્થાનમાં નહેર આવવાથી કળા, સંસ્કૃતિ બધું ખીલશે. એમાં શંકા નથી.” શ્રી પૂજાભાઈ : ગુજરાતની ભૂગોળને આછો ખ્યાલ આ પ્રમાણે આપી શકાય કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને આંતરિક પાકિસ્તાન તેને સીમાડે લાગેલાં છે. ઉત્તરમાં સાબરકાંઠા અને ઈડર તથા આદિવાસીઓને જોડવા ત્યારના સમાજ માર્ગદર્શકેએ શામળાજીનું મંદિર બનાવ્યું. ઉત્તર પશ્ચિમની બાજુમાં બનાસકાંઠા બન્યાં ધૂળ વગેર વડે ત્યાં ધરણીધર (ડીમા) સ્થળે મંદિર બનાવ્યું. આગળ કચ્છની વચ્ચે કોટેશ્વરનું મંદિર બંધાવ્યું. હાલાજી અને જાડેજાજી બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ રાજપૂતથી હાલાર અને કચ્છ વિકસ્યાં. પ્રથમ પશુપાલનને ધંધે થતપછી ખેતી વ. થયાં. વાઘેરોની વસતિમાં, કૃષ્ણ દ્વારકામાં જઈને વસ્યા. એ રીતે ભૂગોળ પ્રમાણે આગળ વધતાં જામનગર–બરડામાં ગોપીનાથ મંદિર, ગિરનારમાં જૈન તેમજ વિષ્ણુ મંદિર, પાલીતાણાના જૈન મંદિર આમ ઠેક-ઠેકાણે તે કાળે મંદિર વડે વિકાસ સહાય. મંદિર થતાં ગામો થયાં અને આસપાસની ભૂમિને વિકાસ સધાયો તેનું ઉદાહરણ ડાર છે. આજે સામુદાયિક તપ, શ્રમ, સંયમ અને પરમાર્થ વડે પરિસ્થિતિ–પરિવર્તન કરવાથી જ વ્યાપક ધર્મ ભાવનાને પ્રચાર થશે.” શ્રી ચંચળબહેન : “પૃથ્વીના ગોળા ઉપર નજર ફેરવવી તેજ માત્ર ભૂગોળદર્શન નથી; પણ તેના અંત સ્થળને વિચાર કરી વિશ્વ વાત્સલ્યનું અનુસંધાન કરવું તેજ સાચું ભૂગોળદર્શન છે. આજે આપણે જે પૃથ્વી જોઈએ છીએ તેમાં ત્રણ ભાગ પાણી અને એક ભાગ જમીન છે. પુરાણમાં મળે છે કે અગાઉ વરૂણ ભંગુઋષિ ઉપર પ્રસન્ન થયા અને તેમને પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી. ટૂંકમાં આધ્યાત્મિક અને સર્વાગી દષ્ટિએ વિચારનારને ભૂગોળ-દર્શન કરવાં જ પડે છે. જ્યાં સુમાત્રામાં પહેલાં કઈ જઈ શકતું નહીં તે જવા-સુમાત્રા ગરમ મસાલાનું ધામ બન્યું. વિષુવવૃત્તની પાસેની ગરમીને ઉપયોગ સધાયે. ઓસ્ટ્રેલિયામાં ઊન અને હવે તેનું સિદ્ધિરૂપે મળ્યાં છે. ઉત્તર અમેરિકામાં પ્રયોગો ચાલુ છે. ભાલનળકાંઠા અને ભાવનગરમાં જમીનને મીઠી ફળદ્રુપ બનાવવાના પ્રયોગો ચાલુ છે. તે માટે સાહસ અને સામુદાયિક શ્રમ રૂપી તપ જરૂરી છે. મિસરની નાઇલ નદીના પાણીને બાંધીને જમીનને રણમાંથી હરિયાળીમાં ફેરવી નાખનાર લોકો પણ તપસ્વી જ ગણાય ! પ્રદેશ ફળદ્રુપ બને તે જ વસતિ અને સંસ્કૃતિને વિકાસ થાય એ સિંધું તેમજ ગંગા-જમનાના મેદાનનાં વિકાસ ઉપરથી સમજી શકાય છે. ઉત્તરધ્રુવમાં માણસ વસે છે. તેને મદદરૂપ થઈએ તે ઘણું કામ થઈ શકે. આ માટે રાજયના સીમાડાઓથી ઉપર ઊડીને આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કામ કરવાનું છે. જગતની માનવજાતને એક કરવાને આજે સુંદર સમય પાકી ગયો છે, એ નિઃશંક છે.” પૂ. દંડી સ્વામી : “ભૂગોળ અને પુરાણથી કેટલીક વાતે ઉપરથી સાર કાઢીને ત્યાં તપ કે પુરૂષાર્થ વડે કાર્ય કરી માનવહિત માટે આગળ વધવાનું છે. પુરાણોમાં અગમ્ય ઋષિની વાત આવે છે કે તેઓ સાગરને પી ગયા એટલે કે તેમણે સાગરને પાર કર્યો. વિધ્યાચળ ઊભો હતે પણ અગમે તેને દંડવત કરવા પિતાની કાયા ઢાળી એટલે કે નમી નમીને ચાલીને પણ તેને પાર કર્યો અને પછી સાગર ખેડયું. તેવી જ રીતે વિદેશીઓમાં કોલંબસ, “વાડી ગામા” વગેરે પણ શોધકો થયા. ભૂગોળનું જ્ઞાન માનવને સમૃદ્ધ કરવામાં મદદ રૂપ થાય છે. જામનગરની ખાડીમાં કાળુ નામની માછલી સાચાં મોતી બનાવે છે. પશુપતિનાથનું મંદિર નેપાળમાં છે. તેને પતિ સોનાને છે. તે પ્રદેશમાં પારસમણિ છે અને બકરાને પગે લોઢું બાંધતા તે સોનું થઈ જાય છે, એમ કહેવાય છે. પશુપતિનાથની ઉત્તરે સો માઈલ દૂર ગંડકી નદીના પટમાં લગભગ પાંત્રીસેક માઈલનાં વિસ્તારમાં સેનું મળે છે. ક્યારેક નાળિયેર જેવા ગદ્દાઓ મળે છે. આ સેનાને ઉપયોગ માનવ દુઃખે દૂર કરવા માટે કરવામાં આવે તો ઘણું થાય. ત્યાં માખણિયો ૫હાડ છે. એટલે કે ચૂંબકને પહાડ છે. આમ વિશ્વ ભૂગોળમાં અનેક ખૂબીઓ પડેલી છે. તેને વિચાર પ્રાણીહિતમાં થવો જોઈએ તે તે સાપક થાય !” ૫નેમિમુનિ : અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા દેશે, તરૂણ છતાં બહુ ઝડપે આગળ વધ્યા છે અને અપાર આવા ત્યાં થાય છે. ત્યારે ભૂતકાળના સમૃદ્ધ પ્રદેશ ચીન અને ભારત ગરીબીમાં સપડાયાં છે. આજના જગતની વિષમતા દૂર કરવા માટે આ સમુહ દેશે, અસમૂહ રોને સામેથી વણમાગે મદદ અને સહયોગ આપે તેજ આગળ વધી શકાય. આ કાપ માનવ જમાને કરવાનું છે. ભૂળનાં દિન પછી જે માનવ એટલું કરી કે તો એક મહાન કાર્ય કર્યું કહેવાશે. (૫-૧૦-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧. વિશ્વ-વિજ્ઞાનની ઝાંખી – 1 વિજ્ઞાન અને તત્વજ્ઞાન] શ્રી દુલેરાય માટલિયા વિજ્ઞાન અને તત્વજ્ઞાન આ બન્ને વિશ્વને જોવા માટેનાં સાધન છે. આ વિશ્વ કેવું છે? એની ઉત્પત્તિ કેમ થઈ? અને આ વિશ્વને નિયતા કોણ છે? એમાં ક્યાં ક્યાં તો છે? આ બધા પ્રશ્નોમાંથી ત્રણ વસ્તુઓ ફલિત થઈ–(૧) જીવન (૨) જગત અને (૩) દ્રવ્ય. (વૈજ્ઞાનિકોની દષ્ટિએ દ્રવ્ય અને તત્ત્વજ્ઞાનીઓની દ્રષ્ટિએ ઈશ્વર). તેને વૈજ્ઞાનિક અને તત્ત્વજ્ઞાનીઓ બન્ને જુએ છે. તત્વજ્ઞાનીઓ ભાવાત્મક એકતાની દષ્ટિએ જુએ છે. “હું અને વિશ્વ એક છીએ.” એ રીતે જોવામાં એને આનંદ મળે છે. જેમ એક કવિ પોતાનાં કાવ્ય સાથે એક ચિત્રકાર પિતાના ચિત્ર સાથે અને એક મા પિતાનાં બાળક સાથે તન્મય થઈ જાય છે અને એકરૂપ થઈ જાય છે તેવી સ્થિતિ તત્ત્વજ્ઞાનીની હોય છે. ત્યારે વિજ્ઞાની શું કરે છે? તે જગતમાં થોડાંક દ્રવ્ય લઈને એના ઉપર પ્રયોગ કરે છે. એમાંથી થોડેક અનુભવ થાય છે તેને વિચાર કરે છે અને તે પ્રમાણે તેની સિદ્ધિઓ વિજ્ઞાનના વિકાસરૂપે રજૂ કરે છે. તત્વજ્ઞાનીઓ દ્રવ્યના ગુણકર્મને વિચાર કરે છે. એ રીતે બનેમાં ખાસ ફર્ક નથી. વિજ્ઞાની અનુભવજન્ય પ્રયોગ કરે છે; તત્વજ્ઞાની આર્ષદ્રષ્ટા થઈને વિશ્લેષણ કરે છે. અધ્યાત્મ જ્ઞાન: જેમની આર્ષદષ્ટિ-મંત્રદષ્ટિ કે ઋષિદષ્ટિ-છે, કે વિકસે છે તેઓ ભાવનાથી વિશ્વનાં બધાં તને શું છે; એને વિચાર કરે છે. ભાવનામાંથી આકાશ, પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ, અને અગ્નિ એ બધાં તો નીકળ્યાં. ઋત (સત્ય કે તવ), તેનું ચાલકબળ બન્યું. વૈદિક કાળમાં તત્વજ્ઞાન અને કાવ્ય એ બેયની ગંગા વહેતી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ દર્શન–શાસ્ત્રીએ ઋષિઓ પછી થયા. તેમણે એથી વધુ સમજવાને પુરુષાર્થ કર્યો. એમણે દ્રવ્ય – ગુણ-વિજ્ઞાનને ઊંડાણથી વિચાર કર્યો. મૂળ તે દરેક દશને વિશ્વને બે ભાગમાં પ્રકૃતિ અને પુરૂષ; કે જે જડ અને ચેતન એમ વહેંચાં જ છે. જડ તત્વના કેટલા ભાગ કરવા તે અંગે મતભેદ હેઈ શકે; કોઈએ ૫, તે કઈએ ૨૫, ૯૯ કે ૧૦૨ ભાગ કર્યા. પણ મૂળ તવે બે જડ અને ચેતન. એને જૈન તેમજ અન્ય દરેક દર્શનાએ સ્વીકાર કર્યો છે. જેનદર્શન અને ઉપનિષત્કાર તથા દાર્શનિક આત્મદર્શન ઉપર વિશેષ ભાર મૂકે છે પણ દ્રવ્યગુણ-વિજ્ઞાનના બધાં ક્ષેત્રમાં સહુ પિતપોતાની અલગ જગ્યાએ છે. પૂર્વના વૈજ્ઞાનિકદાર્શનિકો પ્રત્યક્ષ પ્રમાણ ઉપર ભાર જરૂર મૂકે છે; પણ શબ્દ-પ્રમાણને ચકાસવા યત્ન કરે છે; તત્વનો નિર્ણય તે પછી કરે છે. એટલે તેઓ દ્રવ્ય અને ચેતન બે વસ્તુને જુદું સ્થાન આપે છે. ભારતમાં દર્શનની અંદરથી વિજ્ઞાન વિકસ્યું છે અને તેમાં આગળ જતાં ચરક વગેરેએ આરોગ્ય વિજ્ઞાન અને પ્રકૃતિ વિજ્ઞાનનું સત્ય શોધ્યું. પુરાણોની દંતકથા પ્રમાણે તો જડ વિશ્લેષણ કરતાં અહીં ધાતુવિજ્ઞાન. શસ્ત્ર-વિજ્ઞાન તેમજ રસાયણ-વિજ્ઞાન પણ શોધાયાં. આને પગ માનવના અહિતમાં થતો જોઇને એ વિજ્ઞાનને લુપ્ત કરવામાં આવેલાં. યંત્ર-તત્ર-મંત્ર વિજ્ઞાનનું જેમ પિતાનું સ્થાન છે, તેમ જ્યોતિષ, વૈદિક અને અન્ય વિજ્ઞાનેનું પણ સ્થાન છે. પણ આ વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મદર્શનની થઈ હાઈને ઘણી બાબતે જે આત્માના અહિતમાં હતી તેને કાં તો લેપ કરવામાં માગે; કાં તે નાશ કરવામાં આવ્યો. યુરોપમાં અગાઉ સબ્દ-પ્રમાણને જ મહત્વ આપવામાં આવ્યું. બાઇબલમાં જે કહેલું તે જ સત્ય છે; એમ માનવામાં આવ્યું. તેઓ શબ્દપ્રમાણને વળગી રહ્યા પણ તેમાં અનુભવ ન ભળે. જ્યારે પાછળથી બપ્રમાણ સાથે અનુભવના મેળનો પ્રયાસ થયો અને પ્રત્યક્ષને સંયોગ થયો તે ધર્મ અને વિજ્ઞાન બે ફટાઈ ગયા. તેના કારણે ઘણાં વૈજ્ઞાનિકોને નાસ્તિક કરીને પ્રાણનું બલિદાન આપવું પડયું. અંતે વિજ્ઞાન હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અને એમ કહ્યું કે બાઈબલની જે વાત પ્રત્યક્ષની કચેરી ઉપર ખરી ઉતરે તે જ માનવી. ઈસ્લામમાં પણ વિજ્ઞાન અને દર્શન મેળ ન બેઠે તેનું વિજ્ઞાન સ્થાપત્ય, કળા, કારીગરી સુધી વિકસ્યું પણ તેને રૂહ (આત્મા) દર્શન સાથે સંબંધ ન બને. ભૌતિક જ્ઞાન : આજનું વિજ્ઞાન, દર્શનથી બે વાતે જુદું પડી જાય છે. તેમણે કેવળ જડ દ્રવ્યનાં પરિશુધન સુધી પિતાનું ક્ષેત્ર માન્યું અને ઘણું ઘણું તે તે દ્રવ્ય અને મન સુધી પહોંચ્યું છે. એનું મુખ્ય કારણ પશ્ચિમમાં બાઈબલના વાક્યોને સત્ય માનવાની પરિપાટી હતી. તે પ્રમાણે બાઈબલમાં કહ્યું : “Cow has no soul” (ગાયને આત્મા નથી) એટલે પરંપરા એ મળી કે માણસ સિવાય બીજા કોઈનામાં ચેતન નથી. એટલે “ચેતન” કે “જીવ'નું જેટલું પૃથક્કરણ કે અન્વેષણ થવું જોઈએ, તેટલું ન થયું. પૂર્વના દાર્શનિકેએ દ્રવ્ય અને ચેતન બનેને સાથે રાખીને શેધ કરી. પરિણામે જે વિજ્ઞાન “વનસ્પતિમાં જીવ છે” તે વીસમી સદીમાં કહી શકાયું. તે ભારતીય દર્શને સદીઓ પહેલાં શધીને રજુ કર્યું હતું. વિજ્ઞાન એટલે સત્ય શોધનનો પુરુષાર્થ; પણ પશ્ચિમમાં તેને માણસ સિવાય અન્યમાં ચેતન નહીં એની પરંપરા મળી એટલે માણસને અહંરૂપી અજ્ઞાન થયું. તેને થયું કે પિતાના સિવાય બધા છો તેને રમવા કે ઉપભોગ કરવા માટે છે. આ અહંભાવ તેનું ચાલક બળ બન્યું. તેના કારણે તે પ્રપંચમાં પડ્યો. બાકીના પ્રાણીઓને તેણે ઉપભોગ માટે માન્યા. તેથી ત્યાંના માનમાં “આત્મવત્ સર્વ ભૂતેષુ”ની ભાવના ન આવી. માણસનું ખૂન કરવું–મારી નાખવો કે સૂતેલા શત્રુઓને ઠાર કરવા એ પિતાના માની લીધેલા સ્વાર્થ માટે ઉચિત ગણાયું. ત્યાં માનવનો વિકાસ પણ રાસાયણિક પ્રક્રિયાથી થયો. એ રીતે યુરોપનું વિજ્ઞાન ખીલ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આજે મેટામાં મોટો ડર એ છે કે વિજ્ઞાન એજ રીતે એક ડગલું આગળ વધે તે જેમ બીજા પ્રાણીઓમાં આત્મા નથી તેમ મનુષ્યમાં પણ નથી એમ માનતું થઈ શકે છે. જેમ વિજળીમાં પાવર હેય ત્યાં સુધી ચાલે અને પાવર ખૂટતાં બંધ થઈ જાય, તેમ માણસમાં પણ પંચ ભૌતિક તત્વની શક્તિ ખૂટતાં એનું શરીર ન થઈ જાય અને આત્મા પણ તેની સાથે ખલાસ થઈ જાય છે એ માન્યતા કેટલાક વિજ્ઞાનિકોએ શરૂ કરી છે. પણ, એ માન્યતાનો વિકાસ થયો નથી. ભારતના તત્વચિંતકોએ જીવમાત્રમાં ચૈતન્ય માની બધા જીવો સાથે એક્તા સાધી છે. બધા પોતાને આધ્યાત્મિક વિકાસ સાધી શકે, ભલે યોનિઓ બદલવી પડે. એટલે અહીં અધ્યાત્મજ્ઞાન એજ વિજ્ઞાન કહેવાતું, બાકીનાને દ્રવ્યગુણનું જ્ઞાન પાયાનું વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાન છે; બાકીનું ભૌતિક જ્ઞાન એની મદદે આવે છે. મુખ્ય વસ્તુ તે આત્માને જાણ આત્મ સાક્ષાત્કાર કરે એજ રહી છે. તેથી જ તે અહી ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો ઉપર આગળ જતાં વિશેષ ધ્યાન અપાયું નથી. પશ્ચિમના વિજ્ઞાનમાં દ્રવ્ય-ગુણ-કર્મ વાળું ભૌતિક વિજ્ઞાન જ મુખ્ય રહ્યું છે. એ બે વચ્ચે પાયાને ફરક જાણી લેવું જોઈએ. પૂર્વનું ભારતીય વિજ્ઞાન આધ્યાત્મિક વિજ્ઞાનને પાયે ગણે છે જયારે પશ્ચિમમાં વસ્તુઓનાં વિજ્ઞાનને પાયે ગણે છે. બાકીનાને અકસ્માત બનેલી વસ્તુઓ ગણે છે. (૧) પદાર્થ-વિજ્ઞાન આજે પશ્ચિમના વિજ્ઞાન વિષે વિચાર કરે છે. વિશ્વમાં સમગ્રપણે ત્રણ વસ્તુઓ દેખાય છે. (૧) પદાર્થ (Matta) (૨) શક્તિ (Energy ) અને ૩) જીવન (Life) એને જ ભારતીય દર્શન, બીજ ચામાં પદાર્થ, શક્તિ અને ચૈતન્ય માને છે. જીવનને વૈજ્ઞાનિક ઉમિજ પરસેવાથી ઉત્પન્ન થયેલું માને છે. આપણે ત્યાં જૈને એને બરાયુજ, અંડજ અને વેદજ (પિતે જ) માને છે. સંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્વેદનમાંથી જીવન ઉત્પન્ન થાય છે તેમાં સી પછી ક્રમે ક્રમે વિકાસ થાય છે. શક્તિ પદાર્થમાં જન્મે છે, તે નજરે દેખાતી નથી, અવાજ દેખાતો નથી પણ ધ્રુજારી બંધ થાય એટલે અવાજ બંધ થાય છે. કંઇક કંપન થાય છે એટલે અવાજ થાય છે, એમ આપણે માનીએ છીએ. પંખો નજરે ચડે છે પણ હવા નજરે ચડતી નથી. એવી જ રીતે અવાજ પોતે દેખાતો નથી; પણ બે વસ્તુ અથડાવવાથી અવાજ થાય છે, એ સાંભળીએ છીએ. આ અદમ્ય બળને શકિત કહીએ છીએ. દશ્યને પદાર્થ કહીએ છીએ. આ પછી દરેક પદાર્થને ત્રણ અવસ્થા હેય છે. વરાળ (ઉષ્મા), ઘનતા (ઘટ્ટતા–જડતા) અને પ્રવાહી (જલીપ) પાણીમાં એ ત્રણે અવસ્થાઓ હેાય છે. કેટલાક પદાર્થોને બે અવસ્થા હોય છે કેટલાકને એકજ અવસ્થા હોય છે. આ બધાં પદાર્થો પૃથ્વી, પાણી, વાયુ આકાશ અને અગ્નિમાં નીચેના સાત ગુણ સરખા હોય છે. (૧) દરેક પદાર્થ જગ્યા રોકે છે. નાનામાં ના પરમાણું એના જેટલી જગ્યા તે રેકેજ છે. પાણી ભરેલી શીશીમાં બડબડિયાં બોલે છે તે તેમાં અવકાશને લઈને; આ અવકાશ (space) ને જૈનદર્શન આકાશ કહે છે. (૨) દરેક પદાર્થ પૃથ્વીના મધ્યબિંદુ તરફ ખેંચાય છે. એને ગુરુત્વાકર્ષણને ગુણ કહે છે. તે દરેક પદાર્થમાં હોય છે. (૩) દરેક પદાર્થને ગતિ આપનારૂં તત્ત્વ હોય છે તે પિતાની મેળે કાંઈ કરી શકે નહીં. એને જૈનદર્શન ધર્માસ્તિકાય તરીકે સ્વીકારે છે, સાંખ્ય યોગ દર્શન પ્રમાણે એને રજોગુણ (ગતિતવ) કહે છે. (૪) એવી જ રીતે દરેક પદાર્થને સ્થિતિ આપનારું એક તત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હોય છે. જૈન દર્શન તેને અધર્માસ્તિકાય કહે છે. પદાર્થમાં રહેલું જડત્વ ગતિ કે અગતિ પિતાની મેળે કરી શકતું નથી. અંગ્રેજીમાં તેને “ઈનિશિયા ” કહે છે. સ્થિતિ આપનાર આ ગુણને “તમોગુણરૂપે કેટલાંક દર્શનેએ કહ્યો છે. (૫) દરેક પદાર્થનું વિભાજન થાય છે. કેટલામાં છેલ્લું વિભાજન પરમાણું સુધી થાય છે. એને અંગ્રેજીમાં “ ડિવિઝીલિટી” કહે છે. પદાર્થ માત્ર વિભાગ થાય છે. એમાં છેલ્લું તત્ત્વ પરમાણું છે. જૈનદર્શનમાં આને સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું કહીને એક દ્રવ્ય અસ્તિકાય તરીકે ઓળખવામાં આવ્યું છે નેયાયિકવૈશેષિક દર્શન અને અણુતત્વ તરીકે માને છે. (૬) વિભાગ થઈ શકે તોયે બે અણુ વચ્ચે દ્વિવાળી જગ્યા રહે છે. આવા અણુઓ મળી શકે છે, તેને દાબે તે દબાઈ શકે છે; તેને સંકોચ વિસ્તાર કરી શકાય છે, તેને વિકાસ થઈ શકે છે. એને જન દર્શનમાં પુગલ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. બીજ દઈને તેને વસ્તુ કે પદાર્થ કહે છે. (૭) વસ્તુ માત્રને નાશ થતું નથી. તેનું રૂપાંતર થાય છે. એને જૈનદર્શન ધ્રૌવ્ય (ધ્રુવતા) માને છે. સાંખ્યયોગ-દાની તેને ધમ કહે છે. માટીને ઘડે બને છે. ઘડે તરી જાય તેને વિનાશ થ નથી. તે માટી બની જાય છે. ફરીથી તે માટીમાં મળે છે અને એ માટીને ફરી વડે બને છે. આ વાત પાણી-વાયુ વગેરેને પણ લાગુ પડે છે. સાંખ્યોગમાં એને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આ સાત ગુણો પાયાના દરેક દ્રવ્યને લાગુ પડે છે. પછી તે દ્રશ્ય ઘન (ધર) પ્રવાહી કે વરાળ પે હોય. તેની ગરમી ઝીલવાની સક્તિ જેટલી હશે તેટલા પ્રમાણમાં તેની શકિત હશે. આ બધી ભિન્નતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ઘટતા, ઘનતા, પ્રવાહિતા પિલાણ વગેરે ઉપર આધારિત છે. પદાર્થ ધન, પ્રવાહી કે વાયુરૂપ હશે તે એને લગતા કાયદા ઉપર એ આધારિત હશે. આ ત્રણે ગુણો વૈજ્ઞાનિકો, દાર્શનિકો, અને જૈનતત્વોની દષ્ટિએ, બધા પદાર્થોમાં સરખા હશે. ફેર છે માત્ર ગણત્રી કરવાને. જેમણે જે પ્રમાણે એની ગણત્રી કરી હશે તે પ્રમાણે તેને એ ગુણોનું દર્શન થશે. આ ભૌતિક કે પદાર્થ વિજ્ઞાનનો ઉપયોગ ભારતીય દર્શની આરોગ્ય જાળવવા કે સિદ્ધિઓ મેળવવા માટે કરતા. અહીં આરોગ્યવિજ્ઞાન ચરકથી માંડીને સુકૃત સુધી અનેક પ્રયત્ન થયા છે. પણ પાછળથી શાંતિ અને ચિત્તની પ્રસન્નતા માટે વિજ્ઞાનને હેતુ સચવાયો નહીં અને શસ્ત્ર-વિજ્ઞાનનો ઉપયોગ નર–સંહારમાં થતાં તેનો છેદ ઉડાડવામાં આવ્યું. માત્ર આરોગ્ય અને રક્ષણના ક્ષેત્રે વિજ્ઞાનને ઉપયોગ કરવાની છૂટ આપી. મહાભારતકાળે આ વિજ્ઞાન હતું. તે વિજ્ઞાન અને આજના વિજ્ઞાનમાં મૂળભૂત ફરક નથી. (૨) રાસાયણિક વિજ્ઞાન બીજુ રાસાયણિક વિજ્ઞાન છે. નાગાર્જુને પારાની શક્તિને ઉપયોગ કરવાની વાત કરી. પારાની શકિતને ભારતના ભૌતિક વૈજ્ઞાનિક રસાયણ તરીકે ઓળખતા. પારાથી વિમાને કેમ ઊડે ? જંતુઓનો નાશ કેમ થાય ? અબરખ વગેરેની ભસ્મ, પુટ આપીને, છેદન-મર્દન કરીને કેમ બને? અણુપરમાણુઓને ઉપયોગ શી રીતે થાય ? એક રસને બીજા રસમાં રૂપાંતર કરવું હોય તે કઈ રીતે થાય? આ બધામાં રસશકિતનો એક ઉપયોગ કરતા. રસશકિતનો બીજો ઉપયોગ દ્રવ્ય યજ્ઞમાં તે વખતના કર્મચારીઓ કરતા. નાળિયેર લઈ તેમાં અમૂક રસ અને સુગંધી દ્રવ્યો ભરી દેતા. પછી તેને આંચ આપતા એટલે તે ઊંચે ચઢીને ફાટતું. એમાંથી સુગંધી દ્રવ્યો નીકળીને વેરાતા. જેમ અમૂક દ્રવ્ય છાંટી દેવાથી વાદળાં વરસાવી શકાય છે. એવી જ રીતે સમય–બમ (TimeBom) અમૂક સમયે જ ફૂટે છે અને તેમાંથી સોટક પદાર્થો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ વિખેરાય છે. આજે તે એવાં રમકડાં આતશબાજીના થાય છે કે અમુક ઊંચાઈએ જઇને તે ફૂટે છે તેમાંથી જુદી જુદી આકૃતિઓ નીકળે છે. ભગવતે નમઃ” એવું મોટા અક્ષરોમાં લખાય છે. પુષ્પ વૃષ્ટિ જેવું થાય છે. આજે લોકોને આ પ્રત્યક્ષ-વિજ્ઞાનની માહિતી છે. અગાઉની પ્રજાને ન હતી. એટલે તે વખતના યાજ્ઞિક લોકો એને સંબંધ દેવ-દેવીઓ સાથે જોડતા અને તે કો ઉપર જઈને નારિયેળ ફૂટી તેમાંથી કૂલ દ્રવ્યની વર્ષાને ચમત્કાર માનતા. દેવ-દેવીઓનું વરદાન માનતા. યાજ્ઞિકો ભેળા લે કોને ભરમાવતા કે કંઈક દૈવી આકૃતિ દેખાય છે કે ફૂલની વર્ષા થાય છે તે દેવે પર બતાવ્યો છે. આમ થયજ્ઞ માથે દેવેને જોડીને યાત્તિકોએ છેતરવાને ધંધો શરૂ કર્યો. અંતરિક્ષમાં આવા પ્રયોગો દેખાતા એટલે યાજ્ઞિકોનું મહત્વ વધ્યું. આમ વહેમ ઉપર યજ્ઞ ચા–તેની સાથે ગેબી-અવાજે વગેરે ભળ્યા. બાકી આજની એલ્યુમીનિયમની કાચલીમાં દ્રવ્યો ભરીને પ્રયોગ કરાય છે અને તે વખતે શ્રીફળમાં દ્રવ્યોને ભરવા બન્નેમાં વિશેષ અંતર નથી. તે વખતના યાજ્ઞિકોની આ વસ્તુ પાછળ ગણિત વગેરે ન હતું. આજના રાસાયણિક વૈજ્ઞાનિકોએ એનું ગણિત કાઢયુંચેકસ માપ–પ્રમાણુ કાઢવ્યાં–નક્કી કર્યું અને દ્રવ્ય શક્તિ ઉપર એને પ્રયોગ કર્યો. તેમાંથી ફેટક શક્તિ પેદા કરી અને બીજા રાષ્ટ્રને ડરાવવા અને પિતે ભોગ વધારે ભોગવવા એ માટે તે સાધનને ઉપયોગ કર્યો. દવ્યયવાળા યાજ્ઞિક પાસે આધ્યાત્મવિધા ન હતી કારણ કે તેઓ રાતદિવસ યજ્ઞ-યાગ, કર્મ-કાંડ વગેરેમાં રત રહેતા હતા. એટલે તેમણે અંધવિશ્વાસ, દેવમૂઢતા, પર્ચા વગેર વડે પિતાને મહિમા વધારવાને પ્રયત્ન કર્યો. ત્યારે આજના વૈજ્ઞાનિક રાષ્ટ્રોના હાથા બની, પિતાના ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રાષ્ટ્રને માલેતુજાર બનાવવા અને બીજા રાષ્ટ્રોને ગાવવામાં રાસાયણિકવિજ્ઞાનને ઉપયોગ કરે છે. તે પણ આધ્યાત્મ-વિજ્ઞાનના અભાવના કારણે જ. સામાન્ય પ્રજા આધ્યાત્મિક-જ્ઞાનની એટલી બધી ભૂખી હોતી નથી. એટલે જ્યાં ભારતના યાજ્ઞિકોએ આધ્યાત્મના અનુબંધ વિના, પ્રજાને છેતરી, પામર બનાવી, ધનિકો પાસે પૈસા પડાવ્યા, તેમ યુરોપના વિજ્ઞાનિકોએ પપ પાસેથી અને આગળ જતાં સત્તાધીશો પાસે આશ્રય મેળવવાનું કેવળ સ્વાર્થનું કાર્ય કર્યું. પરિણામે વિજ્ઞાન માણસના ઉપયોગી બનવાને બદલે ભૂતકાળમાં અને આજે પણ ડર, વહેમ કે સત્તા ચલાવવાનું અહિતકર સાધન સાબિત થયું છે. તેના કારણે સત્તાને પોષણ મળ્યું છે અથવા વધારે પડતા ભોગ વિલાસના સાધનો વધ્યાં છે. આધ્યાત્મને પાયે વિજ્ઞાનને હોવો જોઈએ તે જ તે જનતાનું હિત કરી શકે. (૩) જીવ-વિજ્ઞાન આટલું રસાયણ-વિજ્ઞાન અને ભૌતિક-વિજ્ઞાન અંગે વિચાર્યા બાદ જીવ-વિજ્ઞાન ઉપર આવીએ. પદાર્થ શક્તિ અને જીવન અંગે વિજ્ઞાની અને તત્ત્વજ્ઞાની વચ્ચે છેડે પાયાને ફેર છે તે વિચારીએ. વિજ્ઞાનીઓ જીવને મૂળ સંગજન્ય દ્રવ્ય માને છે ત્યારે ભારતીય તત્વજ્ઞાનીઓ એને સ્વતંત્ર દ્રવ્ય માને છે અને તેથી શકિત પણ એના પ્રભાવના કારણે વ્યવસ્થિત રીતે જગતમાં કાર્ય કરે છે તેમ કહે છે. વિજ્ઞાનીઓ જીવ કરતાં શક્તિને પણ વિશિષ્ટ તવરૂપે ગણતા નથી. પશ્ચિમના વિજ્ઞાનીને આ પાયાનો ફેર ત્યાંના બાઈબલ અને કુરાનના કારણે છે. તેમાં લખ્યું છે કે પૃથ્વી, આકાશ, વાયુ, જલ અને વનસ્પતિ એમ વિકાસ થતાં છ દિવસે આદમ અને ઈવ પેદા થયા. ભગવાને પિતાના સૂરમાંથી એને પેદા કર્યા તેથી યુરોપમાં ધર્મ અને વિજ્ઞાનને તાળો ન મળ્યો. ધર્મગુરુઓ, ધર્મ મૂઢતા અને અંધશ્રદ્ધા તરફ વળ્યા તેમ જ પ્રજાને પણ તેમણે એ તરફ વાળી. તેથી વિજ્ઞાની અલગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ પડે. તેણે પ્રત્યક્ષ પ્રયોગ-જ્ઞાન ઉપર વધારે ધ્યાન આપ્યું. ત્યારે ધર્મને પરોક્ષ-પ્રયોગને આધાર માન્યો. બાઈબલ-કુરાન પ્રથમથી જ જગતને ઈશ્વરકૃત માને છે ત્યારે વિજ્ઞાન જગતને ક્રમે ક્રમે વિકસિત થયેલું માને છે. અંધકારમાં અપ્રગટ અવસ્થા પ્રકાશની હતી એમ માની કમેક્રમે કેમ વિકસ્યું એનું પૃથક્કરણ કરે છે. દા. ત. નિહારિકા તથા સૂર્યમાંથી પૃથ્વી, પાણી અને અગ્નિ; પ્રથમ “અમીબા” પછી કંપે છે, પછી પહેલ્થ થાય છે અને પછી જુદા પડે છે; એમ છવ વિષે માને છે તેથી ત્યાં ધર્મ અને વિજ્ઞાન અલગ પડે છે. જીવનાં બાહ્ય લક્ષણે, ભારતીય તત્વજ્ઞાન સાથે કેટલાંક મળતાં આવે છે. ઉત્પત્તિ અને વિકાસ અંગે પણ કેટલીક વાતો ભારતીય તત્ત્વજ્ઞાનીઓની તથા વિજ્ઞાનીઓની મળતી આવે છે. આ બાબત ધર્મ વિજ્ઞાન વચ્ચે સુમેળ પડી રહે એવી સુંદર બાબત છે. હવે જરા વિગતમાં ઊતરીએ : (૧) જીવનાં લક્ષણે વિજ્ઞાન પ્રમાણે તત્વજ્ઞાન પ્રમાણે (૧) કાબેનિક ડોસાઈટ કાઢે છે અને ઓકસીજન ગ્રહણ કરે છે. • શ્વાસોશ્વાસ (૨) હલનચલન કરે એટલે કે પિપણ મેળવે... ખેરાક લે (૩) મેળવેલાં પિષણને પ્રવાહી બનાવી શરીરવૃદ્ધિ કરે. .. જિંદગી લંબાવવી (૪) વંશવેલે વધારે. છે. પ્રજનન શક્તિ (૫) સંવેદન કરે. ... લાગણીઓ વેદવી આ છે શાનેન્દ્રિ અને કર્મેન્દ્રિોના અનુભવો. અહીં લગી વિજ્ઞાનીઓ અને ભારતીય તત્વજ્ઞાનીઓ સાથે છે. લાગણીઓ વેઠવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ અને પિષણ મેળવવાની વાત ઝાડ જેવા સ્થૂળ રીતે જોતાં, હલનચલન ન કરતાં (જૈન ધર્મ પ્રમાણે એકેન્દ્રિય) જીવોમાં જોવામાં આવે છે. હવે તે જગદીશચંદ્ર બોઝે તેમનાં કર્મો અને બદલાતાં સંવેદનોને સાક્ષાત્કાર વૈજ્ઞાનિક પ્રયોગ વડે કરાવ્યું છે એટલે એ સ્પષ્ટ જ છે. (૨) જીવ શી રીતે આવ્યા એજ રીતે બીજી વાત છવ કેમ આવ્યા? વૈદિક શાસ્ત્રોમાં આવે છે કે હિરણ્યગર્ભ બિંદુ તરીકે જ અને “એકઠું બહુસ્યામ્ ” એ ઈચ્છાને લીધે એકમાંથી અનેક રૂપે થયો. પ્રથમ કંપન થયું; સ્પર્શ થયા અને સાગરમાંથી એ પેદા થયો. પ્રથમ અવ્યક્ત હતું તે બ્રહ્મ સંયોગો મેળવી વ્યક્ત થયું. પાંચ મહાભૂત પાંચ તન્માત્રા, પાંચ કર્મેન્દ્રિો અને પાંચ જ્ઞાનેન્દ્રિય ત્યાં લગી વિજ્ઞાન સાથે એને તાળે મળે છે. કારણ કે વિજ્ઞાની પણ પૃથ્વીના “બેકટેરિયા ” જીવની પાછળ વાઈરસ જીવોને સ્વીકાર કરે છે. જે જીવ કાયાવાળાં હેવાં છતાં દેખાતાં નથી, અનુભવાય છે. જેનો સમૂહ જ દેખાય છે અને ન દેખાતું પણ અનુભવાય તે છે જ. વૈદિક ધર્મ કરતાં જેને તત્ત્વજ્ઞાન પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સજીવપિંડ સ્વીકારે છે. તે પૂરતી જૈનેની અનોખી વિશેષતા છે. અહીં એક મોટો પ્રશ્ન છે કે પ્રત્યક્ષ વિજ્ઞાનથી ન દેખાતા બેકટેરિયા પાછળના વાઈરસ છવો (જે અનુભવાય છે કે સૂક્ષ્મ દૂરબીનથી સમૂહમાં જથ્થારૂપે જણાય છે) છે એમ સિદ્ધ થયું છે તેને આ જૈન દર્શનકારોએ શી રીતે જાણ્યાં હશે ? તેનું સમાધાન ગીતા અને જૈન આગમ “સર્વજ્ઞ” શબ્દ વડે કરે છે. તે તત્વજ્ઞાનીઓ જીવન અંગે ઊંડા ઊતરેલા અને તેમાંથી એમને આ બ્રહ્મજ્ઞાન થયું હતું. વિકાસ કમ અંગે પણ કેટલીક બાબતોને તાળ વૈજ્ઞાનિકો સાથે મળે છે. દા. ત. અમીબામાં જીવ છે, કંપે છે અને પછી પહેલું થાય છે, તે આપણે જોયું તેમ શરૂઆતમાં જીવ એકકોષી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પછી નર અને નારીના બે કોષ થાય છે. ધામણ કે લંબઈ જાતના નાગમાં નર અને માદા બને છે. બેય ગેટે વળે ત્યારે સંતાન પેદા થાય. અળસિયાંને કાપિ તે જીવે અને ટુકડાઓ અલગ છવ રૂપે ફરી જીવે. તેવી જ રીતે કૂલમાં પણ બેકષી (બાય સેકસ્યુઅલ) હોય છે. સેવાળમાં એકજ કોષ હોય છે. નર-નારી બેકેલી જેના વિકાસ પ્રમાણે વીછી, કરચલા, કાચબા વગેરે થાય છે. વૈદિક પુરાણોમાં પૂર્ણાવતાર અને પછી વહાવતાર કહેવાય છે. ભૂંડ (વરાહ) પાણી અને પૃથ્વી બન્નેમાં જીવી શકે છે. આને વૈજ્ઞાનિક પિતાની રીતે પરિભાષા કરતાં કહે છે કે સૂર્યને પ્રકાશ પાણીમાં ગયે, એમાંથી અમીબા રૂપે પ્રથમ જીવ જમે. તેને વિકાસ થતાં તે ઈયળ, કીડી, ઉધઈ રૂપે વિકસિત થયું. પછી વાનર અને તેમાંથી માનવ રૂપે જીવ વિકસ્યો. વિકાસ ક્રમમાં જે રાસાયનિક પરિવર્તન થયાં તેનાથી માનવ થયે અને માનવ એ પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ સર્જન હૈઈ માનવ સિવાયની દુનિયાને ઉપયોગ કરવા માનવ સર્જાય છે એમ તેઓ માને છે. મૂળ તે આ ભ્રમણનું કારણ બાઈબલનું વાક્ય “ગાયમાં આત્મ નથી !” એ છે. તે પ્રમાણે તેઓ માનવ સિવાય કોઈનામાં આત્મા છે એમ માનતા નથી અને આત્મા પ્રત્યક્ષ થતો નથી તેથી વિજ્ઞાનીઓ હજુ આત્માની શોધમાં જ છે. અલબત્ત “કંઈક” છે એવું તે હમણાં હમણાં તો માને છે. - પૂર્વના અને તેમાં ભારતીય તત્વજ્ઞાનીઓએ ડું નિરીક્ષણ, શોધન અને અનુભવ કરેલાં છે એટલે તેઓ બીજાં ત્રણ ત પણ ઉમેરે છે : (૧) {' પોતાની હસ્તીનું જાગૃતભાન જેને આધ્યાત્મિક પરિભાષામાં સત કહેવામાં આવે છે. આને લીધે જ નર અને માદાના સંગે વિના પરસેવાથી કે બીજી રીતે પણ જીવ પેદા થઈ શકે છે એટલું જ નહી, પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ટકાવી શકે છે; ચાહે તેવા સંગમાં લે તે રડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રામ પર અપી, તે વિજ્ઞાનીઓ સાથે તરવજ્ઞાનીને મેળ વરાહ લગી તે મળે છે. પણ, પછી ભારતના તત્ત્વજ્ઞાનીઓ સિંહ, ઘેડે, હરણ વગેરે અને તેમાંયે સિંહ પછી નર પેદા થાય છે એમ પુરાણમાં નૃસિંહ અવતાર રૂપે માને છે. ત્યારે વિજ્ઞાનીઓ ભૂંડ પછી વાંદરાને કલ્પી, વાનરજાતિ ઉપરથી નરજાતિ થઈ હોય એમ અનુમાન તારવે છે. ખરી રીતે તો ભૂંડ પછી બધી પશુ–પંખીઓની જાતિ અને માનવજાતિ બધી એક સાથે જન્મી હોય તે સ્વાભાવિક છે. એ દષ્ટિએ જોતાં જૈન તત્ત્વજ્ઞાનની વાત વધારે બંધબેસતી આવે છે. જૈન તત્વજ્ઞાનમાં સંસી (મનવાળાં) સાથે પશુ-પંખી વગેરે તિર્યંચ અને બીજી બાજુ મનુષ્ય વગેરે આવે છે. આ ઋત (વૈદિક પરિભાષા પ્રમાણે)ના કારણે સુષુપ્ત શરીરમાં પણ ઊંડે ઊંડે મન અને ચેતન પડેલાં છે. જવા, છમાસે દોઢ ફૂટ ઊડેથી પાછું ખેંચી ઊનાળામાં જીવી શકે છે. તીડ, ઉધઈ વગેરે પિતાના ઇંડા-ઊંડે નાખીને જાતે ટકે છે અને પિતાનાંને ટકાવે છે. કીડીઓ વગેરે પરિસ્થિતિ બદલી શકે છે. કાયાકલ્પ કરી શકે છે. એટલે કે પ્રકૃતિ પ્રમાણે લીલા કરવાની છવમાં શકિત છે. (૨) ચિત-ચિત્તરૂપ શક્તિ હેવાથી જ તેની ક્રાંત દષ્ટિ અને અવનવી સ્મૃતિઓ આવી શકે છે. જ્ઞાનવિકાસ થઈ શકે છે. (૩) આનંદએ જ રીતે તે આનંદ સ્વરૂપ હોઈ દરેક સ્થિતિમાં આનંદપૂર્વક જીવી શકે છે. આમ જોઈ શકાશે કે વિજ્ઞાનીઓ કરતાં તત્વજ્ઞાનીઓ આગળ છે. તેથી જ તત્ત્વજ્ઞાનીઓએ વિજ્ઞાનનો ઉપયોગ જરૂર કર્યો છે પણ તેનો સંબંધ ધર્મ કે આધ્યાત્મ સાથે જોડીને જ. ત્યારે વિજ્ઞાનીઓ હજુ આત્માની સત-ચિત્—આનંદની શકિતઓ જાણી શક્યા ન હેઈને, પ્રાણી માત્રમાં માનવ જેવી શકિતઓ સુષુપ્ત રૂપે પડેલી છે તેમ માનવાને તૈયાર થતા નથી. તેઓ માણસને નિરાળો પાડીને એની શક્તિઓની વૈજ્ઞાનિક શોધ ચલાવે છે. માનસશાસ્ત્રને લગતાં સંશોધનો એનું પ્રમાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ છે. દરેક પાણીમાં આત્મા સમાન છે અને તેથી જીવ સૃષ્ટિ માનવના ઉપભોગ માટે નહીં પણ માનવજાતને સ્વ–પર કલ્યાણની તક આપવા માટે છે એમ ભારતના તત્વજ્ઞાનીઓ કહે છે. તેથી જ બધું કળા, સાહિત્ય, સૌંદર્ય, ચારિત્ર્ય માટે છે. પ્રથમ (૧) સુષુપ્ત સૃષ્ટિ, પછી (૨) ચર સૃષ્ટિ, પછી (૩) મૈથુની સૃષ્ટિ પછી (૪) મનઃસૃષ્ટિ અને છેવટે (૫) દિવ્ય સુષ્ટિ આવવી જોઈએ. શ્રી અરવિંદ ભારતીય તત્વજ્ઞાનને આજના વૈજ્ઞાનિક ઢબે ઉપર પ્રમાણે મૂકે છે, ત્યારે વિજ્ઞાનીઓ હજુ પાપા પગલી કરતાં જ લાગે છે. જ્યાં સુધી વિજ્ઞાની આધ્યાત્મને પાયા રૂપે સ્વીકારી જીવસૃષ્ટિના સમાન આત્માને સ્વીકાર નહીં કરે ત્યાં લગી વિજ્ઞાન માણસજાત માટે કે જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી થવાને બદલે, વિનાશકારી વધારે સિદ્ધ થશે એમ મારું વિનમ્ર માનવું છે. ચર્ચા-વિચારણું શ્રી પુજાભાઈએ ચર્ચાને પ્રારંભ કર્યો: “માનવ લગી તત્વજ્ઞાની અને વિજ્ઞાનીને ક્રમ શ્રી માટલિયાએ મૂક્યો. આ વિષય ગહન છે; અને ખૂબ છાવટ માગે છે. હું માનવસમાજના વિજ્ઞાનની વાત કરું છું. માણસનું સર્જન કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે તેમાં તે શંકા નથી. માનવને પિતાને સ્વકીય પુરૂષાર્થ વધારે તક મળે તે માટે તે સર્જાયે છે. સપ અને સિંહને પોતાની પાસે રક્ષાના સાધન છે. પણ પોતાના રક્ષણ માટે માનવે પોતાની બુદ્ધિથી સાધને શેખ્યાં છે. જ્યારે સર્વપ્રથમ પિતાના રક્ષણ માટે માનવે સિંહ કે સાપ ઉપર પથ્થર ફેંકયે હશે ત્યારે એને વિજ્ઞાનની શોધ તરીકે બિરદવામાં આવી હશે. તેણે પથર ઉપાડ્યો ત્યાર પછી તેને સવરક્ષણ માટે સામે જાતે જવું ન પડ્યું. ત્યાર સપ-સિંહને સીધું સામે આવવું પડે છે. આ પ્રક્રિયા માનવબુલિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વિશેષતા દેખાડે છે કે તે ધારે તો સામાને દૂરથી રહીને પણ મહાત કરી શકે છે. પથ્થરથી આગળ વધતાં તીર આવ્યું; પછી બીજા સાધન વધ્યાં-સાથે દુરૂપયોગ રૂપે આપસની લડાઈઓ પણ શરૂ થઈ. તેને અહંકાર સામ્રાજ્ય તરફ વળવા લાગ્યો. એવી જ રીતે રક્ષણ પછી આજીવિકા તરફ આવીએ. બીજા પ્રાણીઓને પ્રેમભરી રીતે કેવી રીતે ઉપયોગી બનાવવા, તેને ઘણુંયે અખતરાઓ થયા હશે. તેમાંથી ખેતી અને ગોપાલન ઊભાં થયાં. દૂધ પીવા પહેલાં પ્રયોગો થયા હશે અને “ઘી” એક સિદ્ધિ રૂપે મનાયું હશે. પછી સમૂહજીવન, કુટુંબજીવન અને સમાજજીવન જીવવાના પ્રારંભમાં, વસ્તુઓને રાખવા, સંઘરવા માટેનાં સાધનો રૂપે માટીનાં વાસણો શોધાયાં હશે. તે “વાસણ” તે કાળની એક સિદ્ધિ રૂપે જ ગણી શકાય. તેથી જ કુંભારને “પ્રજાપતિ” કહેવામાં આવે છે. ખેતી શરૂ થઈ તેમાં પણ ખેડૂતને જમીનમાં, ખેતીનાં સાધનોમાં તેમજ તે અંગેના જ્ઞાનનું વિજ્ઞાન જાણવું જરૂરી થયું હશે. અનાજ પેદા થયા પછી કદાચ તેણે કાચું ખાધું હશે–પછી લોટ બનાવવાને પ્રયોગ કર્યો હશે. એમાંથી ઘંટી, સાંબેલું, ઝાડુ વગેરે વસ્તુઓનાં સંશોધન થયાં હશે. તેવી જ રીતે વસ્ત્ર બનાવવામાં આદિપુરૂષોએ કેટલું મગજને કહ્યું હશે ? ઘર બનાવવા માટે નવા નવા પ્રયોગો કર્યા હશે ? જુવારના છોડની મીઠાશ જોઈને શેરડીના સાંઠાનું વાવેતર અને તેના રસને ઘટ્ટ કરીને ગોળ બનાવ્યો હશે. ઘાસમાંથી પણ કપાસનાં રેસા જેમ ખેંચી, દોરડું વર્યું હશે. કોષ બનાખ્યો હશે, મોટાં વજન પશુઓની મદદથી કે માણસની મદદથી ઊંચક્યા હશે. અમદાવાદમાં રાણીના હજીરામાં બે લાંબાં લાકડાનું ગાડું છે. તેમાં લોઢું જ નથી. કેવળ લાકડામાંથી ગોળ પૈડાં કઈ રીતે બનાવ્યા હશે ? ટુંકાણમાં માનવસમાજ વિજ્ઞાન, તેની જરૂરત અને વિકાસ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વિકસિત થતું રહ્યું છે. પ્રયોગે થતાં રહ્યા છે અને થતા રહેશે. એ જ રીતે આગળ વધારો.” શ્રી શ્રોફ ઃ છેલ્લાં દશ વર્ષમાં ભૌતિક વિજ્ઞાનને વિકાસ સહુથી વધારે થયો છેજે અત્યારસુધી અન્ય દેશો સે વર્ષમાં ન કરી શકે, તે રીતે ભારતે પણ આધ્યાત્મ રીતે પ્રગતિ માંડી છે. વિજ્ઞાન સાથે આધ્યાત્મને સુમેળ બેસે તે વિજ્ઞાનની નુકશાનકર્તા બાજુમાં સંશોધન થઈને ઘણું સારું કાર્ય થઈ શકે.” શ્રી ચંચળબહેન : “પ્રથમ હિરણ્યગર્ભ ઈંડારૂપે અને પછી તેમાંથી વધ્યું. વધવાનું નામ જ યજ્ઞ કહીએ તે ભારતીય તત્વજ્ઞાનને અને વૈજ્ઞાનિકોને તાળો મળી જાય છે. કારણ કે હિરણયનો પર્યાયવાથી શબ્દ સુવર્ણ છે. તેને અર્થ તેજ તેમ જ પ્રકાશ પણ થાય છે. એટલે પ્રકાશ પાણીમાં પડ્યો અને પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ અને જીવન ધીમે ધીમે વિક્સવા લાગ્યું. “જર્મન” શબ્દ પણ “શર્મન શર્મા” ઉપરથી અપભ્રંશ રૂપે થયો હોય એ બનવા જોગ છે. જર્મન પ્રજા પિતાને આર્ય તરીકે ઓળખાવતી અને સ્વસ્તિક તેમનું ચિહ્ન . જર્મનેએ આજના વિજ્ઞાનના વિકાસમાં સારો ફાળો આપે છે. પૂ. દંડી સ્વામી : “વેદમાં જે શબ્દ વારંવાર આવે છે તે “તું” નથી પણ, અમૃત છે. અમૃતને અર્થ અસત્ય થાય છે. સત્યસ્વસત્ય તં” એમ પણ કહેવાયું છે. એટલે અવ્યક્તતત્વને સત અને સુતને વહેવાર તે ઋતુ એમ પણ કહી શકાય. ગાંધીજીની પ્રજ્ઞા એ દષ્ટિએ ઋત ભરાં કહેવાઈ. સાંખ્ય અને વિશેષિકે એ ભેળ થઈને શોધ-વિશેષ કરી છે. જેમાં મરીચિકુમારનું નામ આવે છે. તેને શિષ્ય ત્રિરંડી ને; તે ને કપિલ જ હશે. એ રીતે પરમાણું વિજ્ઞાનની શોધ વગેરે જેવાં તત્ત્વજ્ઞાનનું મૂળ તેમાં છે અથવા જૈનતત્વજ્ઞાનને પ્રભાવ વૈદિકદર્શનમાં છે તેમાં આ બધાને સમન્વય થઈ જાય છે. જીવ, અજીવ ન થઇ શકે અને અજીવ જીવ ન થઇ શકે તે આગ્રહી વાત સાચી લાગે છે. ( ૧૨-૧૦-'૧૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨. વિશ્વવિજ્ઞાનની ઝાંખી – ૨ વિજ્ઞાનની અન્ય શાખાઓ ] [ મુનિશ્રી નેમિચંદ્રજી [ આ અગાઉના પ્રવચનમાં શ્રી માટલિયાજીએ પદાર્થ વિજ્ઞાન, રાસાયણિક-વિજ્ઞાન તેમ જ ડાંક અંશે જીવવિજ્ઞાનની છણાવટ કરી હતી. તેના સંદર્ભમાં આગળ માટે મુનિશ્રી નેમિચંદ્રજીનું પ્રવચન છે. ] ભૌતિક વિજ્ઞાનના બે અંગે બાકી રહે છે. (૧) ભૂગર્ભ વિજ્ઞાન અને (૨) જ્યોતિષ વિજ્ઞાન. આ બન્ને ઉપર ટુંકાણમાં આપણે અત્રે વિચારીએ. (૪) ભૂગર્ભ વિજ્ઞાન ભારતમાં કેટલાક લોકે ભૂગર્ભ વિદ્યાના જાણકાર હતા. તેઓ પૃથ્વીના પેટાળામાં કંઈ વસ્તુ છે તે બતાવી શકતા હતા. પણ તે બધું અનુમાન ઉપરથી થતું. આજે પણ ઘણા લેકે કહે છે કે અહીં કુવો ખોદશો તે મીઠું કે ખારું પાણી નીકળશે. પણ વ્યવસ્થિત રીતે ભૂગર્ભ-વિદ્યાનું શાસ્ત્ર પશ્ચિમમાં રચાયું અને ત્યાંના વૈજ્ઞાનિકેએ તેને અભ્યાસ કર્યો. હવે તે ભારતમાં પણ વ્યવસ્થિત રીતે ભૂગર્ભ વિજ્ઞાન (Geology)ને અભ્યાસ તે જ ધોરણે થાય છે. હમણું ખંભાત અને અંક્લેશ્વરમાં તેલના જે કુવા નીકળ્યા તેની પાછળ ભૂગર્ભ વિદ્યાવિશારદાનું જ અનુમાન હતું. ભૂગર્ભ વિદ્યામાં કંઈ વસ્તુઓની જાણકારી કરવાની હેય છે અને તેથી શું લાભ છે તે વિષે વિચાર કરીએ. એ વિદ્યામાં જુદી જુદી જાતની પૃથ્વીના પેટાળામાં રહેલી પાર્થિવ વસ્તુઓની શોધ અને તેના ઉપગને સમાવેશ થાય છે. પૃથ્વી એકવાર બળાતે આગને ગોળો હતો એમ માનવામાં આવે છે. ધીમે ધીમે તે રાશિ-ગેળે ઉપરથી દડે થતા ગયા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ તેના ઉપર પડ જામ્યું. પણ અંદર તો ગરમી વધારે જ છે; અને ઊંડા ઉતરીએ તેમ વધારે તાપ જણાશે. દશ હજાર ફૂટ નીચે ઉકળતા પાણી જે તાપ લાગશે. વેશ્વરી અને જવાળામુખી પાણીના સ્ત્રોતે આ વાતને સિદ્ધ કરે છે કે તેમના ઉગમને તાપ બહુ અધિક છે. પૃથ્વીની સપાટીની અંદર નીચે ગરમ પીગળેલ લાવા રસ છે. તેને ઘણા ચાલુ જવાલામુખી પૃથ્વીની સપાટી ઉપર લાવીને ફેકે છે. આમ ઘણું પદાર્થો જામે છે, પીગળે છે કે સ્થિર થઈને ઘન બને છે. તેને ખડક કહેવામાં આવે છે. આ ખડકે નીચેના પ્રકારનાં હેય છે – (૧) તલટી ખડકઃ વરસાદ સૂર્યની ગરમી, હવા અને બરફના કારણે જ્યારે પૃથ્વીની સપાટીને તોડતું હોય છે અને પાણી અલગ અલગ સ્થાનમાં વહીને પિતાની સાથે પૃથ્વીના મોટા કણે અને નાના કણને લઈ જાય છે. ત્યારે મોટા કણો નીચે અને ઝીણું ઉપરની સપાટી ઉપર એકત્ર થાય છે. તે તલછટ રૂપે જમા થાય છે. ગરમી અને અન્ય કારણોસર તે થોડા વખત પછી કઠણુ-કડક થઈ જાય છે અને તલટી ખડક રૂપે બને છે. આ તલફ્ટી ખડકોને નીચેના ભાગમાં વહેંચી શકાય છે :રેતી અને કાંકરાવાળા ખડકે, ચીકણી માટી અને પડવાળા ખડકો, ચૂને, ચમક અને કોલસાના પ્રારંભથી બનેલા ખડકો તેમ જ કાર્બોનેટ સફેટ તથા કલોરાઈડ વડે બનેલા ખડકે. (૨) યાંત્રિક બનેલ ખડકે: આ ખડમાં અનેક જાતના ખડકોના છૂટા પડેલા ટુકડાઓ હેય છે. આમ અણીદાર પૂણાવાળા પત્થર હોય છે. ચીનાઈ માટી, કેએલીન તેમજ ધાતુના પડે પણ આ ખડકોમાં હેય છે. () છ વડે બનેલ ખડકે? આ ખડકો થી માછલી કે ઝાડ જેવા જીવોના અવરો જામી જતાં બને છે. તેમાં પણ છવાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અવશેષ હાડપિંજરો હોય છે. જુદા જુદા કોલસાના જામેલા ખડકો આ શ્રેણીમાં આવે છે. (૪) રાસાયણિક ખડકે : રાસાયણિક પ્રક્રિયાઓ વડે બનતા ખડકોનો આમાં સમાવેશ થાય છે. કેટલાક સરોવરોમાં ખનીજોના મશ્રણથી પાણી વરાળ રૂપે બને છે પણ ઠરી જવાથી તેના લવણે જામી જાય છે. જીસમ, સેંધવ તેમજ મીઠા જેવા કલોરાઈડના ખડકો આવી રીતે તૈયાર થાય છે. (૫) આગ્નેય ખડકો: પૃથ્વીના પેટાળમાં લાવા નામનો પ્રવાહી રસ છે તે જામી જતાં આગ્નેય ખડકો બને છે. તેમાં જ્વાળામુખી અને ટ્યૂટોનિક એ બન્ને પ્રકારના ખડકે હેય છે. (૬) રૂપાંતરિક ખડકો : હિમાલય અને આપસ જેવા પહાડની ટોચે અમૂક દ્રવ્યો જામી જતાં વિશેષ પ્રકારના ખડકો બને છે તેને રૂપાંતરિક ખડક કહેવાય છે. આ ખડકો પૃથ્વીની સપાટીએ થયેલ પરિવર્તને તેમજ તલછટી અને આગ્નેય ખડકો વડે બને છે. એમાં આરસના પથરે, ચૂનાના પથરે તથા રેતીના પત્થરો બને છે. બાલૂ, ચૂનો, ચીકણી માટી, વગેરે પણ પૃથ્વીના પેટાળામાં મળે છે. તેને ઉપયોગ કે મકાન બાંધવામાં કરે છે. પૃથ્વીના પેટાળામાં ખાસ કરીને તલછટી ખડકોમાં પ્રાગૈતિહાસિક કાળના જીવોના અવશેષો હાડકાં, છીપ કે દાંત, ઝાડનાં મૂળો, કાળો, પાંદડા તથા કયારેક છનાં શરીરનાં માળખાં મળે છે. એને અંગ્રેજીમાં ફિસિલ્સ કહેવામાં આવે છે. આપણે તેને અશ્મીભૂત અવશેષ કહી શકીએ છીએ. આ બધા ફેસિલ્સને ઉપયોગ ભૂગર્ભ વિશારદે માટે જૂના સિક્કા કે મહેર જેમ મહત્ત્વપૂર્ણ છે. આ સાધન વડે ખડકોની ઉંમર અને વર્ગીકરણ કરવામાં આવે છે. જીવન વિકાસના સિદ્ધાંતની પુષ્ટિ પણ આ ફેસિલ્સ વડે થાય છે. પ્રાગૈતિહાસિક કાળની ભૂગોળનું જ્ઞાન પણ થાય છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ આ ભૂગર્ભ વિદ્યાથી વિકાસ સિદ્ધાંતનું સાચું જ્ઞાન પ્રગટ થતાં અંધ વિશ્વાસ દૂર થાય છે તેમજ જીવનને ક્રમિક વિકાસ સમજતાં સત્ય દર્શન સ્પષ્ટ થાય છે. (૫) જ્યોતિષ વિજ્ઞાન આપણા દેશ ભારતમાં તિષ વિજ્ઞાન વિષે વૈદિક ગ્રંથ અને જન શાસ્ત્રો બન્નેમાં ખૂબ સારી પેઠે વર્ણન મળે છે. ગ્રહ, નક્ષત્ર, તાર, સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિષ લોક્ના જે તે દેવ રૂપે છે એમ અહીં મનાય છે. તેમની દૂરી, ગતિ, સ્થિતિ વગેરે અંગે વર્ણન મળે છે. પણ એ બધું આધ્યાત્મ દષ્ટિએ વિચારાયું હશે. જ્યોતિષના શાસ્ત્રીઓએ એની માનવ જીવન ઉપર થતી અસરોનું વર્ણન અને સૂર્ય-ચંદ્ર વડે સમય (પલ, ઘડી, પ્રહર દિવસ-રાત)નું જ્ઞાન બતાવ્યું હતું. તેની વેદશાળાએ ઉજજૈન અને જયપુરમાં છે સૂર્ય-ચંદ્ર માનવજાતિને ઉપયોગી છે એમ વૈદિક શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. પણ, વ્યવસ્થિત રીતે આ શાસ્ત્રનું વિજ્ઞાન આજે જે રીતે ખેડાયું , છે તેને જ બરાબર માની શકાય છે. તેણે તેને ઉપયોગ, તથા ત્યાંની આહવા, સ્થાન, પૂરી, તથા તાપ, જીવન, પોષક તત્વ અને વિજળી વગેરે મેળવવાની શોધ કરી છે. આ અગાઉ થઈ નહતી. હિંદમાં તે લોકે સૂર્યચંદ્રની સ્તુતિ કરવામાં જ રહ્યા. હવે આધુનિક તિષ વિજ્ઞાન માને છે કે સૂર્ય એક વિશાળ ગાળે છે. જેને વ્યાસ (Diameters) ૮૬૫૦૦૦ માઈલ છે. તેને ભાર પૃથ્વી કરતાં ૩૩ર૦૦૦ ઘણો વધારે છે. સૂર્યની બહાર દેખાતી સપાટી, અનુમાને ૧૦૦ માઈલ કે તેથી વધારે છે. દૂર જોતાં સૂર્ય એક સરખે જણાય છે પણ રિબીનથી જવાથી એમાં ઘણાં ડાઘાઓ નજરે પડે છે. સૂર્યના વાતાવરણને વણમંડળ કહેવામાં આવે છે. તેમાં પૃથ્વી ઉ૫ર થતાં જણાતા બધાં તો વરાળની અવસ્થામાં રહે છે. સૂર્યના સૌથી બહારના ભાગને કેરોના કહેવામાં આવે છે. સૂર્ય દરથી એ નાને ગળે લાગે છે પણ તે કેટલે દૂર છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ખ્યાલ એના ઉપરથી આવશે કે જે ૬૦૦ માઈલ દર કલાકે ઉડતા જેટ વિમાનને ત્યાં પહોંચતા ૧૮ વર્ષ લાગશે. એટલે કે તે ૮૩૦ લાખ માઇલ દૂર છે. સૂર્યની અંદરના ભાગ અનુમાનથી પ્રવાહી કે ગેસમય હેવો જોઈએ કારણકે તે વિષુવવૃત્ત રેખાની બન્ને બાજુના શેષ ભાગે ઉપર ધીમે ધીમે નાચે છે. નકકર કે ધન પદાર્થમાં એ ધર્મ હોવાને સંભવ ઓછો છે. સૂર્યની સપાટી ઉપરનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ૨૭ ઘણું વધારે છે. સૂર્યના અંદરના ભાગમાં જેમ જેમ વધતા જઈએ તેમ તેમ તાપ વધતો જાય છે. તેના કેંદ્રને તાપ ૪૦૦ લાખ ડીગ્રી અનુમાનથી છે. સૂર્યને વ્યાસ ૧૦૦ વર્ષનાં લગભગ ૪ માઈલ સંકુચિત થઈ રહ્યો છે. સૂર્યના વધારે તાપના કારણે તેની અંદરના પદાર્થના પરમાણું તૂટી જાય છે. એક દિવસમાં સરેરાશ ૩૫ લાખ ટન ભાર ઓછો થાય છે, પણ એથી કેટલાયે લાખ વર્ષો સુધી એને ભાર ગણનાપાત્ર રીતે જરીકે ઓછો થવાને નથી. કરોડ વર્ષો પહેલાં જ્યારે સૂર્ય પિતાના માર્ગે ચાલી રહ્યો હતો ત્યારે કોઈ એક તારો સૂર્યની નજીક આવી ગયો અને એક ભયંકર અકસ્માત થયો. જેથી સૂર્યના પદાર્થમાં ભયંકર મોજાં ઉછળવા લાગ્યાં. કેટલેક પદાર્થ સૂર્યથી બહાર નીકળી ગયે; કંઈક છેટે છટકી ગયો એ જ પદાર્થના છાંટા-ટુકડાથી ગ્રહ બન્યા. આવા ગ્રહ નવ છે. તેઓ સૂર્યની ચારે બાજુ અંદર અને બહાર પરિક્રમા કરે છે. અંદરના સમૂહમાં બુધ (Mercury), શુક્ર (Venus), પૃથ્વી (Earth) અને મંગળ (Mars) છે. બહારના સમૂહમાં બૃહસ્પતિ (Jupoter), શનિ (Satarn) વારૂણી (Uranus), વરૂણ (Naptune) અને યમ (Plato) છે. ગ્રહોની વચ્ચેના સ્થાનમાં અવાંતર ગ્રહ છે જે સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તેવા હજુ ૫૦૦ જણાયા છે. અંદરના ગ્રહોમાં બુધ, સૂર્યથી સૌથી વધારે નજીક છે. પૂર્વમાં સૂર્યાસ્ત સમયે કે ઉષાકાળમાં તે દેખાય છે. સૂર્યની નજીક હોવાથી સરળતાથી તેને જોઈ શકાતો નથી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ શુકને સવારને તારે કહેવામાં આવે છે. એની કક્ષા બુધ પછી આવે છે. બધા ગ્રહે કરતાં એ વધારે ચમકદાર છે. ચંદ્રમાની જેમ એની કળાઓ છે. શુક્ર પછી પૃથ્વી આવે છે. બીજા ગ્રહો ઉપરથી જોવામાં આવે તે પૃથ્વી પણ ચમકતા ગેળા જ લાગે છે. તે સૂર્યની પરિક્રમા કરે છે અને ચંદ્રમાં તેની પરિક્રમા કરે છે. પૃથ્વી બુધ અને શુક્ર કરતાં મોટી છે. મંગળ પૃથ્વી કરતાં મોટી કક્ષામાં, પરિક્રમા કરે છે. તે પોતાના લાલ પ્રકાશના કારણે ઓળખાય છે. મંગળ ઉપર જીવ છે કે કેમ એ તો નક્કી થયું નથી; પણ ત્યાં વરસાદ પડે છે; બરફ શિયાળામાં જામે છે તે નક્કી થયું છેમંગળની પરિક્રમા કરનાર બે ગ્રહો છે. બૃહસ્પતિ બહારના ગ્રહમાં છે. તે સૂર્યની પરિક્રમા કરનાર પાંચમ ગ્રહ છે. એને વ્યાસ પૃથ્વી કરતાં ૧૧ ગણે વધારે છે. તેની પરિક્રમા કરનાર નવ ગ્રહ છે. તે અત્યંત ચમકાર પિડ રૂપે નજરે ચડે છે. શનિ બૃહસ્પતિ પછી આવે છે. તેની ચારે બાજુ ત્રણ ચપટી ગોળાકાર ચૂડીઓ છે. તેની પરિક્રમા કરનાર પણ નવ ગ્રહે છે. વરૂણની શોધ ૧૭૮૨ માં થઈ. સૂર્યની એક પરિક્રમા કરવામાં તેને ૮૪ વર્ષ લાગે છે. દુરબીનમાં તે એક લીલા રંગના બિંબ જે નજરે પડે છે. તેની પરિક્રમા કરનાર બે ઉપગ્રહ છે. - વરૂણ કેવળ દૂરબીનથી જ નજરે પડે છે, તેને રંગ લીલે છે. સૂર્યની પરિક્રમા કરવામાં તેને પણ ઘણે સમય ચાલ્યા જાય છે. સૌથી બહારને પ્રહ યમ (Plato ) છે. તે બહુ જ નાને છે પણ તેને સૂર્યની પરિક્રમા કરવામાં ૨૫૦ વર્ષ લાગે છે. તેની શોધ પણ ૨૫૦ વર્ષ થયાં થઈ છે. અંદર અને બહારના પ્રસ્તાની વચ્ચે અવાંતર નામના ઘણાં પિડે છે. સૌરમંડળના કેંદ્રમાં સૂર્ય છે. જા જા રહો અને ઉપગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પિોતપોતાની કક્ષામાં રહીને તેની પરિક્રમા કરે છે. દરેક ગ્રહ પિપિતાને સ્થાને રહે અને કક્ષા બહાર ન જાય તે વ્યવસ્થા સાચવનાર ગુરુત્વાકર્ષ ને સિદ્ધાંત છે. જેની આઈઝેક ન્યૂટને શોધ કરી અને તેને જ આઈન્સ્ટાઈન સાપેક્ષવાદ કહે છે. તારાઓ સૂર્ય કરતાં પણ અનેકગણું દૂર છે. તેમજ સૂર્ય કરતાં ઘણા બધા મોટા હોય છે. તે બહુ જ ગરમ હોય છે અને પિતાના પ્રકાશથી ચમકતા રહે છે. સૂર્યની જેમ તે પિતાની ધરી ઉપર નાચતા હેય છે. દરેક તારાની રોમેર પરિક્રમા કરનાર કાળા પિડે દેખાય છે. દરેક તારો પોતાના ગ્રહમંડળ સાથે એક જાતને સૂર્ય છે. આમ તે તારા અગણિત છે. પણ કેરી આંખે આકાશમાં જોઈએ તો ૩ હજાર તારા ગણી શકીએ છીએ. અગાઉ નવલાખ તારાની વાત આવતી હતી. દુરબીનથી જોતાં ૧૫ લાખ તારા ગણી શકાય છે. આમ તો તારા અગણિત છે. અત્યંત દુર હોવાથી તે મંદ પ્રકાશવાળા દેખાય છે. પુરાણ કથાઓમાં તો તારાપુંજ નામથી જુદી રીતે વર્ગીકરણ કરી દેવામાં આવ્યું છે. ઉદાહરણાર્થ સપ્તર્ષિ મંડળ, અલ્યા મંડળ તેમજ વ્યાધ મંડળ વગેરે જુદા જુદા તારાપુજે છે. જ્યારે મેઘલી રાત ન હોય અને ચંદ્રમા ન ઊગ્યા હોય ત્યારે આકાશમાં એક પ્રકારની લાંબી સફેદ સડક જેવું દેખાય છે એને આકાશગંગા કહેવામાં આવે છે. તે અગણિત તારામંડળોને સમૂહ છે. આકાશમાં દૂર દૂર સુધી પથરાયેલ, પૃથ્વીથી ૮,૫૦,૦૦૦ પ્રકાશ વર્ષ તપ્ત પદાર્થની મોટી મોટી રાશિઓ છે, જે દૂરબીનથી જેવાથી હલકા વાદળાં જેવી નજરે પડે છે. તેને નહારિકા કહેવામાં આવે છે. આખા આકાશમાં ૧૫૦૦૦ લાખ તારા છે અને દૂર દૂર સુધી પથરાયેલી નહારિકાઓમાં તે બીજા પણ ઘણું છે. ખરી રીતે તે સૂર્ય પણ એમાંનો એક તારા છે. સૂર્ય પૃથ્વી કરતાં ૩૩,૨૦,૦૦૦ ગણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ભારી છે તે આ આખું બ્રહ્માંડ કેટલું વિશાળ હશે તેનું અનુમાન કરવું કઠણ છે. જ્યોતિષના વિજ્ઞાનીઓ આજે મંગળ અને ચંદ્ર ઉપર જવાની તૈયારી કરે છે. જે દિવસે ત્યાંનું સ્થાન માનવને વસવાટ યોગ્ય થઈ જગે તે દિવસે વધુ જનસંખ્યા બોજા રૂપે નહીં થાય. પણ આ બધું માનવો વચ્ચે બંધુત્વ ભાવ હશે ત્યારે જ થઈ શકશે. (૬) વનસ્પતિ-વિજ્ઞાન ભારતના આર્યોએ પ્રાચીનકાળથી વનસ્પતિ વિજ્ઞાનની શોધ કરેલી. વનસ્પતિ-જગત અને ઔષધ–જગતની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. “ઔષધય: શાંતિ:” અને “વનસ્પત્યઃ શાંતિઃ” તેના પ્રમાણ રૂપે છે. વસ્પતિ જમતમાં ચેતના છે અને એની સાથે આત્મીયતા શી રીતે કરવી એ વસ્તુમાં આર્યો કરતાં જેને આગળ વધ્ય. જે કે મનુસ્મૃતિમાં કહ્યું છે : અન્તઃ પ્રણા મવચેતે સુ-વ-સમન્વિત शारीर जैः ‘कर्मदोषैर्यान्ति स्थावरतां नरः –આ વનસ્પતિ વગેરે અવેતન (સંત ચેતના )વાળી અને સુખદુઃખનું વેદન કરનારી છે. માનવ શરીરથી થતાં મંદેશોના કારણે આવી સ્થાવર નિ મેળવે છે. ” આવું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ભગવાન મહાવીર જેવા તીર્થ કરોએ પ્રત્યક્ષ વનસપતિ જગત સાથે આત્મીયતા અનુભવીને ચેતના સિદ્ધ કરી છે. એમાં પણ આત્મા છે, એ તેમણે ઉલ્લેખ કર્યો છે. જગદીશચંદ્ર બેગે તે વનસ્પતિઓ સુખદુઃખનાં સંવેદને ઝીલે છે તે સિદ્ધ કરી બતાવ્યું છે. તેમણે મુંબઈમાં એક પ્રદવન ગાળ્યું હતું. કાચના તખતાની પાછળ વનસ્પતિના છોડ માયા અને દર્શકોને ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કહ્યું કે જુઓ આ વનસ્પતિ ખીલેલી લાગે છે. હમણાં તેની નિંદા કરીશ તે તે કરમાઈ–અકળાઈ જશે. તેવું જ થયું. પછી તેમણે કહ્યું કે જુઓ, હવે હું એની પ્રશંસા કરું છું. તેવું કર્યું કે તે પાછી ખિલી ઊઠી, આમ થતું જોઈને દર્શક આશ્ચર્યમાં પડી ગયા. તે વખતે તેમણે સ્પર્શ વગેરેના પણ પ્રયોગ કરી બતાવ્યા હતા. એથી વૈજ્ઞાનિક જગત જે અગાઉ ગાયમાં આત્મા ન માનતું, તે હવે પશુ-પંખી, વનસ્પતિ અને પાણીમાં ચૈતન્ય માની રહ્યું છે. (હમણાં બે વૈજ્ઞાનિકોએ અમૂક ક્ષાર-કોમાં જીવાણુ છે એમ સાબિત કર્યું છે તેથી પૃથ્વી માટીની સજીવતા કે જીવાણુ ધારતા અંગે જૈન મંતવ્ય છે તે સાચું કરવાનો સંભવ છે.) વનસ્પતિ–વિજ્ઞાનીઓએ ચેતના માટે બે ત્રણ લક્ષણે નીચે પ્રમાણે નકકી ક્ય છે – (૭) પ્રજનન શક્તિ: છોડ જાતે પ્રજનન કરે એટલે કે બીજા છેડને પેદા કરે. વનસ્પતિમાં આ કાર્ય એક અંશે બીજ વડે થાય છે. તે ઉપરાંત આ વિધિઓથી પણ થાય છે –(૧) મુકુલન (Budding –વૃક્ષ કે છોડના વૃત્તના સુલલ ભાગ ઉપર T ને આકાર કાપીને કળીની છાલ અને વૃતને એક દોરાથી એકી સાથે બાંધી દેવાય છે એને મુકુલન કહેવાય છે. (૨) કલમ લગાડવી (cutting) –આમાં છોડની કલમ ટયુકડા, કાપીને તેને જમીનમાં રોપવામાં આવે છે. થોડા દિવસ પછી તેનાં મૂળ નીકળે છે. (૩) ક્ષમ જોડવી (Grafting)ઃ આને કલમ ચસ્યાં કરવું પણ કહેવાય છે. બે છેડની કલમ કાપી તેના તંતુને એ રીતે જોડવામાં આવે છે કે તે આગળ જતાં એક છોડ થઈ જાય તે આ વિધિ પ્રમાણે થાય છે. (૨) પિષણ શક્તિ : જે પોષણ લે છે તેમાં જીવન છે એમ માનવામાં આવે છે. ઝાડમાં પોષણ પામવાની અને વધવાની શકિત છે. છોડ માટે ભૂમિ ખાધ ભંડાર રૂપે છે. કારણ કે છોડ પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ઉપર જ ગે છે. તેમાંથી પણ મેળવે છે. જેથી તેનાં મૂળ, થડ, શાખા. પાંદડાં, ફૂલ, ફળ વગેરે બને છે. કાર્બનડાઈ એકસાઈડ દ્વારા પ્રાપ્ત કારબનથી છોડે માટે કાર્બોહાઇડ્રેટ બને છે. છોડે પ્રેટીન નામને પદાર્થ પણ બનાવે છે. છોડને પડતર જમીનમાં પિષણનાં તા વધારે મળે છે. કેટલાક છોડના રવાદાર મૂળ હોય છે. તે રોમ વડે પિષણ મેળવે છે. પૃથ્વીમાંથી તેઓ કેટલાક ખનિજ દ્રવ્ય, પ્રવાહી રસો વડે ખેંચે છે. ખાતર દ્વારા જમીન પિષણ દાયક બને છે અને છોડે વધે છે. તે પ્રકાશ વડે પણ પિષણ મેળવે છે. આમ ચેતનાનું બીજું લક્ષણ તેનામાં છે. (૩) ધાસોશ્વાસની શક્તિ : જે શ્વાસ લે છે અને કાઢે છે તેમાં જીવન છે. છોડે માટે શ્વાસ લેવા માટે હવા જરૂરી છે, છોડના જુદા જુદા અંગે હવે વડે હવામાંથી ઓકસીજન (પ્રાણવાયુ) ખેંચે છે અને હવામાં કાર્બનડાઈ એકસાઈડ આપીને શ્વાસ બહાર કાઢે છે. કેટલાક છેડો માટીમાંથી પણ ઓકસીજન મેળવે છે. આથી વનસ્પતિમાં જીવન છે–ચેતના છે તે સિદ્ધ થાય છે. વનસ્પતિ વિજ્ઞાનની શોધથી માનવજાતિને પોષણ અને આરોગ્ય બને મળ્યાં છે. આજે ભૂખ માટે અન્ન, શ્વાસ, વનસ્પતિ તથા દૂધ એ ચાર વસ્તુઓ વનસ્પતિમાંથી જ મળે છે. માંસ પણ પશુ વનસ્પતિ ખાય છે તેમાંથી પેદા થાય છે, કપાસ, કોલસે, તેલ, લાકડાં, જટ, વગેરે વનસ્પતિનાં અંગે છે જે માણસને મકાન કપડાં કે રહન સહનનાં સાધનો અને સગવડે માટે મળે છે. આજે ઘણી વનસ્પતિઓને ઉપયોગ થો નથી. જે સંપૂર્ણ ઉપયોગ થાય તે માનવ જાતિને અનની જે ખોટ પડે છે તેની પૂર્તિ આના વડે થઈ શકે છે, તેમજ માંસાહાર પણ ઓછો થઈ શકે છે. અનાજ નથી થતું ત્યાં લોકે દૂધ કે માંસ ઉપર નભે છે પણ જે ઘાસમાંથી શોધ વડે માનવને ઉપગી ખેરાક મેળવવામાં આવે કે એ મેદાનેને કૃત્રિમ રીતે વગાનિ સાધતે વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ફેરવી નાખવામાં આવે તે અન્ય શાકાહારી ખેરાક તેમજ અનાજ સુલભ થઈ શકે. બીજુ પ્રોટીન-સાકર-ચરબી વગેરે ચીજો વનસ્પતિઓ વડે મળે છે. લીલાં વૃક્ષે વિકસિત અવસ્થામાં હવામાંથી કાબેન ગ્રહણ કરે છે; જમીનમાંથી પાણી ચૂસે છે, વૃક્ષનાં પાંદડાં એક પ્રકારને લીલો પદાર્થ જેને “કલેરેફિલ” કહેવામાં આવે છે તેને સૂર્ય શક્તિને ગ્રહણ કરીને કાર્બનડ્રાઈ-ઓકસાઈડ તેમજ પાણીની મદદ વડે એક રાસાયણિક પદાર્થમાં પરિવર્તન કરે છે. આ રાસાયણિક પદાર્થ એટલે કાર્બોહાઈડ્રેટ એને સ્ટાર્ચ પણ કહી શકાય છે, આ ક્રિયામાંથી પ્રાણવાયુ પણ ઉદ્ભવે છે. આ દુનિયામાં આવી રીતે વનસ્પતિની રાસાયણિક પ્રક્રિયા ૪૦૦૦ કરોડ ટન પ્રાણવાયુ (ઓકસીજન) ઉત્પન્ન કરે છે જે માનવજીવનને ટવા માટે બહુ ઉપયોગી છે. ૧૮મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકો પ્રકાશ સમન્વય ક્રિયામાંથી. પ્રાણવાયુ પેદા કરતા હતા. કાર્બોહાઇડ્રેટને જાણતા ન હતાં હમણાં એક જર્મન વૈજ્ઞાનિક શોધ કરી છે તે પ્રમાણે જે પ્રકાશ સૂર્યમાંથી ધરતી ઉપર આવે છે તે એક પૂંછના રૂપમાં આવે છે. તેને પ્રકૃતિ વનસ્પતિ પોતાના એકમો વડે પોતાની અંદર સ્થાયી રૂપે જમા કરતી જાય છે. આ પદાર્થને સૂર્ય પ્રકાશ ધીમે કે ત્વરિત ગતિએ ગ્રહણ કરે છે. પછી આ ગ્રહણ કરેલી શક્તિને રાસાયણિક ક્રિયામાં જોડે છે. તેમાંથી કાર્બોહાઇડ્રેડ નીકળે છે. જે પ્રકાશના સમન્વયથી આ ક્રિયા વિરાટ પ્રમાણમાં થાય તો માનવ જાતિને ભૂખે નહીં રહેવું પડે. અનાજની અછત આવા વનસપતિના પદાર્થો પૂરા પાડશે. આની શોધ હજુ ચાલુ છે. એટલે વનસ્પતિના વિજ્ઞાની પણ જે સમગ્ર માનવજાતિના હિત માટે આને પ્રથમ કરે તે મોટે લાભ થવાને સંભવ છે. જીવ-વિજ્ઞાન જીવ-વિજ્ઞાન અંગે અગાઉ થોડુંક વિચારાયું છે. આજના વિજ્ઞાનીઓએ જે રીતે છવ-વિજ્ઞાનને વિચાર્યું છે તે કરતાં ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ જુદા જુદા ધર્મો બહુ ઊંડા ઊતર્યા છે. સવિશેષ જૈનધર્મે આ દિશામાં ખૂબ પ્રગતિ કરી છે. હિન્દુસ્તાનમાં કુતરા, ગાય, ભેંસ, ઘેડા, હાથી, પારેવા વગેરે પશુ-પક્ષીઓને ઉપયોગી અને સાથે વાત્સલ્ય દ્વારા આત્મીય બનાવવાના પ્રયત્નો થયા છે. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને ઉપયોગ વિશેષ શોધખોળ કરીને કરવા મળી રહ્યા છે. જે તેની સાથે આધ્યાત્મિક વિજ્ઞાન ભળે તો બને કામો એકી સાથે થાય. જેમ સમાજ-વિજ્ઞાનમાં ભારત આગળ છે અને તે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારે છે, તે જ રીતે વૈજ્ઞાનિક જીવોને વાત્સલ્યભાવે જુએ છે તે વિજ્ઞાન ખરી પ્રગતિ કરી શકે. જી પાસે ઉપયોગી કામ લેવામાં આવે, તેમને હુંફ સંરક્ષણ અને વહાલ આપવામાં આવે તે મોટું કામ થાય. મધમાખીઓને પાળવાને અને શેર (શહતૃત)ના કીડાઓને પણ પાળવાનો ધંધે અહિંસક રીતે વિકસે તે અહિંસક ઢબે ઘણી વસ્તુઓ મેળવી શકાય. ભારતે ગાયને માતા અને વૃષભને પિતા કહીને સામાજિક પ્રતિષ્ઠા આપી છે. જીવ વિજ્ઞાન પણ એ દિશામાં આગળ વધે એ ઈચ્છનીય છે. (૭) શરીર અને આરોગ્ય વિજ્ઞાન જીવવિજ્ઞાન સાથે જે સંબંધ છે તે દેહવિજ્ઞાન અને તેની સાથે જેને સંબંધ છે તે આરોગ્ય વિજ્ઞાન છે. આ બે વિજ્ઞાન પણ ભારતમાં ખૂબ જ ખીલ્યાં છે. એમાં શરીર, તેને પિષક સંસ્થાને, અવય, આમાશય, ફેફસાં, આંતરડા, પિત્તાશય, મૂત્રાશય, મળદાર, નાડી, વગેરેનાં જ્ઞાનને સમાવેશ થાય છે. તેનું જ્ઞાન હેય તે સ્વસ્થ રહીને માણસ આધ્યાત્મની સાધના કરી શકે છે. | મુખ, દાંત, જીભ, હાથ, કાન, નાક, પગ વગેરે ઇોિનાં કાર્યો કયાં કયાં છે? મસ્તિષનું શું ખાસ કામ છે? બાકીનાં અંતઃકરણ કયાં છે? આ બધું ભારતના આયુર્વેદ પ્રથે, એગદર્શન અને પ્રથે તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બીજા દર્શનેામાં આવે છે. ભારતીય ધર્મોએ તે “શરીરમાશં ખલુ ધર્મ સાધનમ ” કહીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. એમાં પાશ્ચાત્ય વિજ્ઞાનીઓએ એક વિશેષતા કરી છે તે છે સર્જા. તેઓ શરીરના દરેક અંગ પ્રત્યંગને ચીરીને પ્રત્યક્ષ જુએ છે. એની ક્રિયા-પ્રતિક્રિયાનો અભ્યાસ કરે છે. એટલે વાઢકાપ (સર્જરી)ને વિજ્ઞાનમાં આજના વિજ્ઞાનીઓએ સારી એવી પ્રગતિ કરી છે, ત્યાં સુધી કે તેઓ અવય, શિરાઓ તેમજ હૃદયને પણ અન્યના શરીરમાં બેસાડવાને સફળ પ્રયત્ન કરી રહ્યા છે. આરોગ્ય અને આહાર શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર-વિજ્ઞાનની વાતે, ચરક સુશ્રુત, ભાવપ્રકાશ, નિઘંટુ વગેરે અયુર્વેદ ગ્રંથોમાં આવે છે. આમાં પાશ્ચાત્યવિજ્ઞાનીઓએ વ્યવસ્થિતતા આવ્યું છે. તેમણે આહારમાં રહેતાં જુદાં પષક તર (વીટામીને) ની શોધ કરી છે. દરેક માણસના સંતુલન આહાર પ્રમાણે તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વસા, ખનીજ, લવણ, વીટામીન તેમજ પાણી લેવા જોઈએ. જુદી જુદી ઋતુઓ, વાતાવરણ, ભૌગોલિક સ્થિતિ, પ્રમાણે આહાર હોય છે અને શરીરને વિકાસ થાય છે. ગરમ દેશમાં રહેનાર માણસને ઠંડા દેશમાં રહેનાર કરતાં ઓછા ખોરાકની જરૂર પડે છે. ભારતની જળવાયુ પ્રમાણે હલકો અને સુકાય રાક હોવો જોઈએ. ગરિષ્ઠ ભેજન ગરમ પ્રદેશમાં મેડું પચે છે. ભજન મિશ્રિત હોવું જોઈએ. દરેક ખાદ્ય પદાર્થમાં બધાં જ તો હતાં નથી, તેથી અલગ અલગ શરીરને પિષતાં પદાર્થોનું જમણ હેય તે શરીર નિરોગી રહે છે. સ્વાદ માટે ગરિષ્ઠ, તળેલાં કે ચરબીયુક્ત પદાર્થો શરીરને નુકશાન કરે છે. એક પૂર્ણ વિકાસ પામેલા માણસ માટે ભોજનમાં આટલા પદાર્થો લેવાં જોઈ એ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સ કેલેરી પ્રોટીન વસા (ફેટ) ઔસ કાર્બોહાઈડ્રેટ ૧૪ ઔસ લવણ | ઔસ પાણી ૮૦ ઔસ ૨૫૦૦ થી ૩૫૦૦ સુધી આહાર વિજ્ઞાનની શોધ જે આધ્યાત્મિક દૃષ્ટિએ થાય તે માંસાહાર ધીમે ધીમે મૂકીને વનસ્પતિ અહાર તરફ વળાય અને તેમાં પણ વિકસિત વનસ્પતિ ફળો વડે વધારેમાં વધારે શક્તિવાળો આહાર સસ્તામાં સસ્તા ભાવે દરેકને મળે તે લક્ષ્ય રાખવું જોઈએ. આરોગ્ય-વિજ્ઞાનને વિકાસ ભારતમાં ભૂતકાળથી થતો આવ્યો છે. પણ આજે નવા નવા રોગ અને નવી નવી એલે પથિક દવાઓની શોધ ચાલુ છે. અગાઉના વૈદ્યોની દષ્ટિ એ હતી કે રોગ જ ન થાય, રોગીઓ ઓછા થાય એટલે તેમણે આહાર, મધ્ય અને ઋતુચર્યા ઉપર ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પણ, આજે ડેાકટર નવા નવા રોગો કહીને લોકોના શરીરને તેમની દવાઓની પ્રયોગશાળા બનાવે છે અને એમાત્ર આર્થિક લાભ જ તેઓ મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેઓ માનવજાતિનાં દર્દો દૂર કરવા માટે સેવાવૃત્તિ ધારણ કરે તે ઘણું રોગો પિતાની મેળે અટકી જાય અને સમાજ સ્વાથ્ય ઘણું સારું રહે. ભારતની વૈદકીય ચિકિત્સા તેમ જ પ્રાકૃતિક ચિકિત્સા પ્રણાલી સસ્તી, સારી તેમ જ વિલંબ થાય છતાં રોગને જડમૂળથી કાઢનારી છે. એલોપથિક દવા રોગને નિકાલ કરવા કરતાં તેનું ઉપશમન કરે છે. દાબે છે પણ તે ફરી ઉથલો મારી શકે છે કે નવા રોગને જન્મ આપી શકે છે. એટલે આવા ડોકટરોના ચક્કરોમાંથી છૂટાય તે વધારે સારું છે. અકસ્માત કે દુર્ઘટના વખતે ન છૂટકે વાઢકાપ (સર્જરી)ને આસરે લેવે પડે તે જદી વાત છે. એલોપથિકમાં કેટલીક દવા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સામિષ (માંસયુક્ત ઘણુંના કાળજાં, ચરબી, તેલ વગેરે ) હોય છે. ધર્મની દષ્ટિએ તેને અભયે જ ગણવી જોઈએ. આરોગ્ય સાથે આધ્યાત્મ તળે તો અહિંસા અને માનવહિતમાં ઘણું કામ થાય. ૧૨ ૫ : ઉપસંહાર : વિજ્ઞાન અને આધ્યાત્મ જ્ઞાનને મેળ થવું જોઈએ વિજ્ઞાન વિષય બહુ જ મટે છે. અને આજે વિજ્ઞાનની શાખાઓનો અભ્યાસ પણ વર્ષો માગી લે છે. ઉપર ટુંકમાં તેને ખ્યાલ માત્ર આવ્યો છે. આધુનિક વિજ્ઞાન સાથે આધ્યાત્મ વિજ્ઞાનનો 'મેળ થાય તે વિશ્વમાં સાચી સુખ શાંતિ ફેલાય. જે ભૌતિક વિજ્ઞાનને પાયે આધ્યાત્મિક વિજ્ઞાન હોય તે વિજ્ઞાન વડે સંહારના બદલે સર્જનનું અદ્દભૂત કાર્ય થઈ શકે. આ અગાઉ આપણે (શ્રી માટલિયાજીના પ્રવચનમાં) ભારતીય તત્ત્વજ્ઞાન સાથે આધુનિક પ્રાશ્ચાત્ય વિજ્ઞાનને સમન્વય છે. તેમાં શું ફરક છે? કઈ કડી તૂટે છે તે વસ્તુ સ્પષ્ટ કરી છે. એવું નથી કે વિજ્ઞાને માનવજગતને કંઈ પણ આપ્યું નથી. તેણે માનવજીવનના પિષણ, વિકાસ અને સંવર્ધન માટે ઘણું સામગ્રી આપી છે. પ્રારંભમાં જંગલમાં રહેતા, સંસ્કૃતિ વિહીન માણસે જ્યારે સર્વ પ્રથમ અન્ન-ઉત્પાદન વસ્ત્રનિર્માણ અને પાક-વિજ્ઞાનની શોધ કરી હશે અને તેને અનાજ, કપડાં તેમ જ રહેઠાણ અને સુખસગવડે થઈ હશે ત્યારે તે કેટલે આનંદી થયા હશે? તેણે રાજી થઈને અન્ન, પૃથ્વી અને અગ્નિને દેવ તરીકે પૂજવા શરૂ કર્યા એમ વેદો ઉપરથી જાણું શકાય છે. માણસ આમ વિજ્ઞાનના સહારે આગળ વધતો જ રહ્યો છે. આજે પાશ્ચાત્ય વિજ્ઞાનને જે વિકાસ થઈ રહ્યો છે તેની પાછળ ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પ્રકૃતિ, વિજ્ઞાનીઓ અને યાજ્ઞિકને પણ વર્ષો સુધી શોધખોળ કરી પદાર્થ મેળવવાને પુરૂષાર્થ કર્યાને મોટો ફાળો છે. આર્યો ભારતમાં આવ્યા તેમ દરોન, અરબસ્તાન, ગ્રીસ વગેરે દેશો તરફ પણ ફેલાયા. ત્યારે તેમની પાસે વિજ્ઞાન હતું જ. તેને વિકાસ અવરોધે છતાં તે કરતા જ ગયા છે. આજે તે વિજ્ઞાને પૃથ્વી પાણી, હવા, આકાશ અને તેજસ તવ ઉપર અને સાથે સાથે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઉપર સારી પેઠે કાબુ મેળવ્યો છે. જળ, સ્થળ અને આકાશમાં વિચરણ કરવા માટે ઝડપી વાહન બનાવ્યા છે. ટેલિફોન, ટેલિવીઝન, રેડિયો, રેકાર્ડ, લાઉડસ્પીકર વગેરે વડે શબ્દને ચમત્કાર કરી બતાવ્યું છે. ફોટો, છાપખાનાં, ટેલિવિંટર વગેરે દ્વારા રૂ૫( છબિ)ને ચમત્કાર કરી બતાવ્યા છે. જુદા જુદા યંત્ર વડે વિદ્યુત અને તેજની શક્તિને કાબુમાં કરી છે. વાયુયાન, રોકેટ અને અવકાશયાન વડે તેણે આકાશ અને વાયુનો ઉપયોગ કર્યો છે. આ બધા વૈજ્ઞાનિક શોધ-પરિશોધનો ઉદ્દેશ્ય માનવ સમાજની ભલાઈને હેય તો વિજ્ઞાન દ્વારા ઘણું મોટું કામ થઈ શકે એમ છે. ખરું જોતાં વિજ્ઞાનનો સદુપયોગ કે દુરૂપયોગ માનવજાત કે વૈજ્ઞાનિકો ઉપર નિર્ભર છે. વિજ્ઞાન કોઈનું ભલું કે બૂરૂ જાને કરતું નથી. એને ઉપયોગ કર્તામાં તેને વિવેક હેવા જોઈએ. ઘણા લોકો વિજ્ઞાન ઉપર એ દવા પણ કરે છે કે વિજ્ઞાને માણસને અધાર્મિક કે વિલાસી, સ્વછંદી. સવાર્થી બનાવ્યો છે તેમ જ ભારતીય સંસ્કૃતિનું ગોરવ નષ્ટ કર્યું છે. એ ઉપર ઊડે વિચાર કરીએ તો જણાશે કે તે ટું છે. આમ જોવા જઈએ ભારતમાં પણ સ્થાનિકો અને પ્રકૃતિ વિજ્ઞાનીઓ બન્નેએ પ્રયોગો કર્યા હતા. તેમણે રાસાયણિક વિજ્ઞાન સાથે દેવ-દેવીને ચમત્કાર જેણે અને દુરૂપયોગ કર્યો. પરિણામે અહીં વિજ્ઞાનને વિકાસ ત્યાં લગી પહોંચીને અટકી ગયો અને આંધળા વિશ્વાસે ચમકારો વધવા લાગ્યા. વિજ્ઞાનનું સાચું જ્ઞાન ધર્મના નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જે અંધ વિશ્વાસ, કુરૂઢિઓ, દંભ, ચમત્કાર, દેવ-દેવીના નામે પશુબલિ, વૃથા કલહે, અસ્પૃશ્યતા વગેરે જે દુષણો ચાલે છે તેને કાર્ય-કારણ ભાવ વડે ફગાવી દે છે, તે સત્ય પ્રગટ કરે છે અને ધર્મમાં સંશોધન કરવાનું કામ કરે છે. એટલું જ નહીં વિજ્ઞાને પાશ્ચાત્ય ધર્મ સંસ્થાની ખાસ કરીને અને સામાન્યતઃ બધી જ ધર્મ સંસ્થાની આંખો ઉઘાડી સાચા ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. ક્રિયાકાંડમાં ધર્મની ઇતિશ્રી માનનારા લોકોને તરવજ્ઞાન અને સદાચાર તરફ વાળવાની પરિસ્થિતિ વિજ્ઞાને ઊભી કરી છે. એ બન્નેને સુમેળ સધા જરૂરી છે. જ્યારથી ધર્મ અને વિજ્ઞાનને સંબંધ તૂટયો છે ત્યારથી બને ક્ષેત્રે જુદાં જુદાં થઈને નિરંકુશ થઈ ગયાં છે. તેથી માનવજાતિને ઘણું નુકશાન થયું છે. ધર્મ સંસ્થાનાં બે મુખ્ય કામ હોય છે – ( ૧ ) વિજ્ઞાનની સાથે તેને મેળ બેસાડે એટલે વિજ્ઞાન અને ધર્મ પરસ્પર પૂરક બનવા જોઈએ. વિજ્ઞાનનું કામ સાધન પેદા કરવાનું છે તે ધર્મનું કામ છે વ્યવસ્થા કરવાનું. પેદા ન થાય તે વ્યવસ્થા શી રીતે થાય ! એટલે વિજ્ઞાન તે કાર્ય કરતું રહેશે પણ ઉત્પાદનની વ્યવસ્થા હાલમાં રાજ્ય સંસ્થા દંડશક્તિ વડે કરે છે તેના બદલે ધર્મસંસ્થા પ્રેમશક્તિ વડે ધાર્મિક સમાજ મારફત કરાવે છે તે યુગાનુરૂપ જરૂરી કાર્ય થયું ગણાશે. આ માટે જે ધાર્મિક નીતિવાળો સમાજ બનાવે છે તે માટે રાજ્ય સરકાર કાયદા-કાનૂન કે દડશકિત વડે તેમને નમ્ર, શાંત, કતા, પરોપકારી અને દયાળ બનાવવા પ્રયત્ન કરે તે સફળ નહીં થાય પણ જે ધાર્મિક સંસ્થા સંસ્કાર સીંચનનું કાર્ય કરે તે તે તરત થઈ શકે છે. રખે, કોઈ એમ માને કે ધર્મસંસ્થાને પિતાના સંસ્કાર–પ્રયોગોમાં વિજ્ઞાનની જરૂર નહીં પડે. એક જગ્યાએ ધર્મ પ્રચાર કરાય તે વિજ્ઞાન, ત્યાં છાપખાના વડે છાપવામાં, વાહન વડે સંચાર કરવામાં, રેડિયો વડે પ્રચાર કરવામાં મદદ કરે છે. માંદા માણસોને રાહત આપવામાં, વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યવસાય વધારવામાં વૈજ્ઞાનિક સાધન બહુ જ ઉપયોગી છે. જે વિજ્ઞાન સાથે ધર્મને સંબંધ હશે તે માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ધર્મનું સ્વરૂપ સારી પેઠે સમજી વિવેકયુક્ત ધર્મશ્રદ્ધાથી સત્ય, અહિંસાથી ધર્મનું આચરણ કરવા પ્રેરાશે; ધર્મ, આત્મા વગેરે તને માનવા પ્રેરાશે. એટલે વિજ્ઞાન ને અધાત્રિક ઠરાવવું વ્યાજબી અને ઉપયુક્ત નથી. વિજ્ઞાન વડે માણસ વિલાસી બને છે તે કંઈક અંશે સાચું દીસે છે. પણ જે ધર્મને અંકુશ વિજ્ઞાન ઉપર આવશે તે વિલાસિતા ઘટી, સાચી રસિકતા પ્રગટ થશે. માણસ સર્વથા રસહીન બની જાય તે માનવતાને આનંદ ઊડી જાય. વિજ્ઞાનના કારણે આજે તો માણસ સ્વાર્થી બન્ય લાગતો નથી ઊલટું સહકારિતા વધી છે. તેથી યંત્ર વડનું શોષણ અટકયું છે. એટલે વિજ્ઞાન સાથે સહકારી ધમને યોગ હોય તો વિજ્ઞાન શકના બદલે પિષક બને છે. સંસ્કૃતિના તવોને જે વિજ્ઞાનની છાપ લાગેલી હોય તે તેનું ગૌરવ વધે છે. કારણ કે તે અંધવિશ્વાસ અને રૂઢિઓને ખુલ્લાં કરી સંસ્કૃતિના સડાને સાફ કરે છે. વિજ્ઞાનના કારણે આપણે પશ્ચિમના ગુલામ બન્યા છીએ એ પણ સત્ય નથી. સત્યનું ક્ષેત્ર વિશાળ છે, તે કેવળ ભારતમાં છે અને બીજે નથી, એવું નથી. વિજ્ઞાને જે અવનવાં સત્ય શોધ્યાં છે, તેને માન્ય કરવાથી કંઈ ગુલામ થવાતું નથી. જ્ઞાનને વિનિમય કરવો એ તે માનવજાતિ માટે ગૌરવરૂપ અને જ્ઞાનને વિસ્તૃત કરનારૂ સિદ્ધ થયું છે. આજે વિજ્ઞાન-વિનાશના સાધનોનું નિર્માણ કરી રહ્યું છે, પણ તેનું કારણ રાજ્ય સંસ્થા કે રાજનીતિ છે. જે તેને અનુબંધ ધર્મ સાથે થઈ જાય તે લોકસંગઠને કે લેકસેવક સંગઠન દ્વારા આવા સંહારક સાધના પ્રયોગ અને ઉપયોગને અટકાવી શકાય. વિજ્ઞાન માનવીય સ્વતંત્રતાને નાશ કરે છે એમાં પણ રાજ્ય સંસ્થાની સરમુખત્યારશાહીને હાથ રહેલો હોય છે. જે તેની સાથે લેકશાહીને યોગ હોય તે તેમ નહીં થાય. ભારતમાં અણુવિજ્ઞાનની શોધ થઈ છે પણ માનવશાંતિ માટે તેને ઉપયોગ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આમ તે ભૂતકાળમાં ભારતમાં સંહારક શસ્ત્રો હતાં, વૈજ્ઞાનિક સાધને હતાં. પણ ત્યારે ક્ષત્રિયો ઉપર બ્રાહ્મણને અંકુશ રહ્યો તે તેને સદુપયોગ થયો છે. રામે રાવણ તેમજ વાલીના ભાગરધાન અને સરમુખત્યારશાહી રાજ્યનો અંત કરવા શસ્ત્રો ચલાવ્યાં હતાં. હનુમાને જડીબુટ્ટી લાવવા તેમજ રામના દૂત બનીને જવા માટે વિજ્ઞાનને ઉપયોગ કર્યો હતો. ત્યારે રાવણે સીતા હરણ કરવામાં અને મેઘનાદે યુદ્ધ કરવામાં તેને ઉપયોગ કર્યો. આમ વિજ્ઞાન ધર્મના પાયા ઉપર રહે તે જોવાનું છે. જે રાજ્ય સત્તા કે સ્વાર્થ તેની સાથે રહે તે તે સર્જનના બદલે વિનાશનું કારણ બને છે. એક અણુબમ ફૂટયો-એણે દશ લાખની વસતિને ઉજજડ કરી નાખી. એના નિર્માણમાં પૃથ્વીની વસતિને રોજ બે ટંકનું જમણુ મળી શકે એટલો ખર્ચ થાય છે. પણ આજ લગી મળતા આંકડા પ્રમાણે અણુબમ ફૂટે તે દિવસથી સરેરાશ એક બેમ ફોડી શકાય તેટલા બમનું નિર્માણ થયું છે, તેથી માનવજાતિને વિકાસ અટકો છે એટલું જ નહીં, તે સતત ભય અને ત્રાસ નીચે જીવી રહી છે, તે ઉપરાંત પણ આજે એ પ્રશ્નવિરામ તો ઊભો છે કે એક મેગાટન બમ ફૂટે તે કદાચ રશિયાને (પંદર કરોડ માણસોને) નાશ થાય કે કદાચ અમેરિકાને નાશ થાય અને પછી પિતાને પણ નાશ થવાનું જ છે. પછી કઈ માનવજાતિ ઉપર સાચું રાજ્ય ચાલી શકશે કે વિચારોને પ્રભાવ લાદી શકાશે? એનો ઉત્તર ટુંકમાં એજ આપી શકાય કે માનવે પ્રયત્ન કરીને પણ ધર્મના પાયા ઉપર વિજ્ઞાનને આણવું પડશે તે જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ચર્ચા-વિચારણું શ્રી પૂંજાભાઈ: "ભૌતિક વિજ્ઞાનીઓએ જગતને અનેક સુખસગવડે આપીને જગત ઉપર એક અર્થમાં ઉપકાર કર્યો છે. સુખસગવડ વધતાં સંયમ ઘટયો છે તે પણ હકીકત છે. એ દૃષ્ટિએ ભારતના સમાજ વિજ્ઞાનીઓ તેમજ ઋષિ-મુનિઓ આપણું ધ્યાન વધુ ખેંચે છે. તેમણે યમ, નિયમ સંયમ વડે, તન, મન અને ચેતનને જે વ્યાયામ દેખાડ્યો છે તે શ્રેષ્ઠ છે. વિજ્ઞાનની ઘણી વાતો સ્વાભાવિક રીતે વિકસી છે. મુશ્કેલીને માર્ગ બન્યો અને વિકાસ થયે. ભેંસનું બચ્ચું મરી જાય તે બીજી રીતે દેવી. ગાય, ભેંસના બચ્ચાં એક બીજાને ધાવીને મેટાં થાય; આ બધું પણ એક પ્રકારનું વિજ્ઞાન છે. તેના વડે પશુઓને ઉપયોગી બનાવી શકાય છે. આસામલી ગામમાં ૪૦-૫૦ ભરવાડનાં નેસડાને એક ઝાપ. ખુલ્લા મેદાનમાં હજારેક ગાય-ભેસે; પણ જેનું નામ પડે તે જ ઊભ થાય-આમ પશુને કેળવી શકાય તે પણ વિજ્ઞાન છે-સહેજ આત્મીયતા દેખાડવી ત્યાં જરૂરી છે. લાકડું તર્યું એ ઉપરથી તરાપાં અને વહાણ પછી મોટા આજના જહાજોને વિકાસ થશે. ખેતીમાં ખાવાલાયક ધાન્યની ખેતી એ પણ ક્રમિક વિજ્ઞાનના ફળે થયું. એ જ રીતે લુહાર, સુથાર, દરજી, મેચી દરેકને ધંધે એક પ્રકારની વિજ્ઞાનની શોધના પ્રારંભમાંથી જ શરૂ થયું હતું. એટલે આજનું વિજ્ઞાન એ માણસજાતની એક સતત રહેલી વૃત્તિ કે સુખ-સગવડ વધારવી તેનું પરિણામ છે, રશિયા અને અમેરિકાએ તેમાં ફાળો આપે છે પણ તે વિજ્ઞાન તે આખા વિશ્વના માનવસમાજના વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે એમ માનવું રહ્યું.” પૂ. દંડી સ્વામી : “વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન ! બ્રાહ્મણના લક્ષણમાં પણ જ્ઞાન-વિજ્ઞાનને એથી સમાવેશ કરવામાં આવ્યો છે. જગતના બે તો લઇએ જડ અને ચેતન, પ્રતિ કે પુરૂષ! આત્માનું જ્ઞાન વિજ્ઞાન ના સાધને વગર પણ થઇ શકે છે જ્યારે જાના . ડીસાનને એથી તન, 'ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જ્ઞાન-વિજ્ઞાનમાં સાધનની જરૂર પડે છે. ઋષિ-મુનિઓએ ઘણું શોધ કરીને કહ્યું: “પિડે સે બ્રહ્માડે.” એમાંથી યોગ-વિજ્ઞાન ખેડાયું. ભારત દા. ત. “યૌવન” સાચવી રાખવાનું અને આયુષ્ય લંબાવવાનું જ્ઞાન પહેલાંથી હાંસિલ કર્યું હતું. શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય સોળસે વર્ષ જીવ્યાની વાત આવે છે. આજે પણ મંત્ર, જન્મ, યોગ અને ઔષધિ એ ચાર અવાંતર સિદ્ધિમાં ઔષધિની સિદ્ધિમાં ભારત આગળ દેખાય છે. આ તરફ તૈયામિક તેમજ વૈશેષિકોએ પ્રકૃતિ વિજ્ઞાનને વિષણુ પણ ઠીક ઠીક ચર્ચો તો છે જ; તેમ વેદાંત તેમજ સાંખ્ય અને ગા-દર્શને ચેતન-આત્માને વિષય ચર્ચા છે. ઔષધિ જ્ઞાનમાં પારાની અઢાર સરકારે ભસ્મ, ધાતુઓની ભસ્મ, તેમજ કાયા ક૫ના વૈજ્ઞાનિક સફળ પ્રયોગો થયા છે. પણ જડ વિજ્ઞાનની સિદ્ધિઓને દુરૂપયોગ થવા માંડે ત્યારે જૈન તત્વ જ્ઞાને “ભોમં આંતરિક્ષ વગેરે વિજ્ઞાન શીખવાની મનાઈ ફરમાવી છે. અગાઉ વિજ્ઞાન હતું. મહાભારતમાં વર્ણન આવે છે કે દિવ્યચક્ષુ વડે સંજય હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને “આંખે દેખા હાલ” જેવું વર્ણન કરે છે. રામાયણમાં રામ “વિમાનમાં અયોધ્યા પાછા ફરે છે. આ બધી બાબતે સિદ્ધ કરે છે કે અગાઉ વિજ્ઞાન હતું; પણ તે કાળે વિજ્ઞાનને પાયો આધ્યાત્મ ન બની શકે. દુરૂપયોગ થશે અને તેનો ધીમે ધીમે નાશ થયો. આજે ફરી એ સમય આવી ગયા છે કે આધ્યાત્મિકતાનું વાહન ભૌતિક વિજ્ઞાન બને તે ભૌતિક વિજ્ઞાન ઘાતકના બદલે સાધક બનશે એમાં શંકા નથી. ગાંધીજીએ અહિંસા વડે દેશમાં અને દુનિયામાં જે પ્રભાવ બતાવ્યો છે તે ભૂમિકા આ મહાન કાર્યમાં ઉપયોગી થઈ પડશે.” શ્રી બળવંતભાઈઃ “ભારતે કરેલી ભૂતકાળની ભૌતિક વિજ્ઞાનની સિદ્ધિઓને આવકારવી પડશે તેમ જ આધ્યાત્મના વ્યાપક તને લઇને આપણે ચાલવું પડશે. તેમ જ આધુનિક વિજ્ઞાનમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧લી ઉપયોગી છે ને તે લેવું જ પડશે. હમણાં વસૂકી ગયેલી ગાય ઉપર ઈજેકચન આપી, તેને દૂઝતી કરેલી એમ મેં સાંભળેલું. તે ગાય અડધો મણ જેટલું દૂધ આપતી થઈ ગઈ. એટલે મારું વિનમ્ર કહેવું છે કે જે વિજ્ઞાન માનવતાને અજવાળે તેવું કે તેને ઉપયોગ અગાઉ પણ થતો હતો અને આજે પણ ચાલુ રહે જોઈએ. ફેર એટલે છે કે તે પ્રયોગો વિશ્વને લક્ષમાં રાખીને થવા જોઈએ અને ધર્મ તથા આધ્યાત્મને દેખરે રાખીને કરવા જોઈએ.” શ્રી શ્રોફ ઃ “પશ્ચિમના વિજ્ઞાનીઓએ કાર્તિક સ્વામીની જેમ રોમેર પ્રદક્ષિણા કરવા માંડી છે. ત્યારે ભારતના પૂર્વીય વૈજ્ઞાનિકોએ ગણેશની જેમ પૃથ્વીની પ્રદક્ષિણાના બદલે મા-બાપની પ્રદક્ષિણાથી સંતોષ માન્ય છે પૃથ્વી ગોળ હેઈ આખરે તે એ સ્થાને જ આવવું પડશે તેમ ભારતના આધ્યાત્મજ્ઞાન તરફ વિજ્ઞાને અંતે તે આવવું જ પડશે. યુગને લાભ લઈ ભૌતિક વિજ્ઞાનનાં સાધનો સાથે આગળ વધવાનું છે પણ એમાં ધર્મ, માનવતા અને આધ્યાત્મનું લક્ષ ન ચૂકાય તેની કાળજી રાખવી પડશે. આપણે ત્યાં પણ અગાઉ વિજ્ઞાન ટેરઠેર પડયું હતું. આજે તેનું સંશોધન ન થાય તે તેમાંથી સાર નહીં મળે. ઘણીવાર અર્થના ભદલે અનર્થ પણ થવાનો સંભવ રહે છે. આજને યુગ યંત્ર-વિજ્ઞાનને છે. તેના ઉપર માનવતા અને આધ્યાત્મિકતાને અંકય રહે તો ઘણું સુંદર કાર્ય થાય. શ્રી ચંચળબહેન : “આપણે ત્યાં વિજ્ઞાન હતું એ ઘણી વાતો ઉપસ્થી સિદ્ધ થાય છે, દ્રોણાચાર્યો મંત્રથી કુવામાંથી દડે કાઢો, અને બાણ મારી બાણશયા ઉપર પડેલા ભીષ્મને પાણી પહેચાડયું હતું. ભૃગુસંહિતામાં છાલા બેતિષ અને લખેલું છે. સંદેશ પહોંચાડીને પાછાં વળતાં બાણની વાત “ચન્દ્રકાંત” નામની ચે પડીમાં વાંચી હતી. તેના અગાઉ લ શો હતાં અને એવાં પાછાં વળતાં બાણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ પાસે છે જે “બૂમરેંગ” નામે આજે જાણીતા છે. આખું “રોકેટ” શાસ્ત્ર તેના ઉપર મંડાયું છે. વિજ્ઞાનને અહિંસક અને માનવતાને પુટ આપી નવી રીતે ચમકાવવાનું છે. તે માટે જોઈએ તે બલિદાન પણ આપવાં જોઈએ !” શ્રી. સવિતાબહેન : “દિલ્હીમાં વિમાનના ઉદ્યનો અમે જોયાં. તેમાં તે ગલોટિયાં ખાય પછી પેશુટથી માણસો નીચે ઊતરે. આમાં એક જણની છત્રી ન ઉઘડી અને તે માર્યો ગયો. આમ હિંસાના પ્રયોગોમાં જે બલિદાન દેવાય છે તે અહિંસા માટે જરૂર પડે તેમાં શી નવાઈ છે ? પૂ. નેમિમુનિ : “આપણે ત્યાં જૈનાગમમાં જીવ વિજ્ઞાન અંગે ઘણું આપ્યું છે અને તે દિશામાં ભારત જેમ અન્ય પ્રદેશોમાં પ્રયોગ થઈ રહ્યા છે. આપણે ત્યાં ધર્મને પાયો હેઈને કબૂતર, કુતરા, ઘેડા પાસેથી જે કામ લેવાતું તેમાં અહિંસા અને વાત્સલ્ય રહેતાં. સેવકનું કાર્ય, વણઝુરાના કુતરાનું કામ કે કબૂતરો પાસે સંદેશા મોકલવાનું કામ એ રીતે હતું. ત્યારે આજે વિજ્ઞાન આ બધા છો ઉપર પ્રયોગો કરે છે ત્યારે અહિંસા વાત્સલ્ય ન રહેતાં કેવળ બૂઠી લાગણુ વડે તેમના ઉપર થતી અસરોની આંકણી કરાય છે. આ અંગે સર્વ પ્રથમ તે આપણે પિતાની આળસ ખંખેરવી પડશે બધા વિજ્ઞાનનો તાળો આધ્યાત્મ વિજ્ઞાન સાથે આખા વિશ્વમાં મેળવવો પડશે.” - પૂ. સંતબાલજી : “બાપુજીએ આધ્યાત્મિક વિજ્ઞાન નીચે ભૌતિક વિજ્ઞાનને લઈ જવાને ઉચ્ચ માર્ગ ઉઘાડે મળે છે તેને જે સાધુસાધ્વી શિબિર ભાલ નળ કાંઠા પ્રયોગના સંદર્ભમાં આગળ લંબાવે તે એક અદ્દભૂત કાર્ય થઈ જાય. આપ સૌ આ અંગે વિચાર કરજે. (૧–૧૦–૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩. વિશ્વ રાજનીતિનાં પાસાઓ – ૧ વિશ્વમાં રાજનીતિના પ્રવાહ ] [ મુનિશ્રી નેમિચંદ્રજી શ્રી દુલેરાય માટલિયા વિશ્વદર્શનની અંદર માનવ સમાજની વ્યવસ્થામાં ધર્મનું સ્થાન, તેમ જ ઈતિહાસ-ભૂગળ અને વિજ્ઞાનના પ્રભાવ અંગે વિચાર થઈ ગયા છે. તેવી જ રીતે રાજનીતિ અંગે પણ વિચારવું જરૂરી છે. જેના વગર દર્શન સંપૂર્ણ નહીં બને. યુગલિયા કાળમાં કદાચ રાજકારણને વિચાર ન કરવું પડે; પણ જ્યારથી સમાજ રચાય ત્યારથી એક યા બીજી રીતે રાજકારણ આવવાનું જ. એટલે રાજકારણથી છૂટા રહેવું એ એક કપડું સાહસ ગણાશે કારણકે તેમ કરવાથી રાજકારણ ચડી વાગશે. એનો અર્થ એ નથી કે રાજકારણમાં પદ કે સત્તા મેળવવી જોઈ એ. પદ કે સત્તા લીધા વગર રોજિંદાના પ્રજા જીવન સાથે સંકળાયેલા રાજકારણને વિચાર કરવો જ જોઈએ. આજે લેકશાહી પદ્ધતિ હેઈને, લેકઘડતર કરવા માટે લોકોને સાચી માહિતી આપવા માટે પ્રજા, પ્રજાસેવક તેમ જ પ્રજાપ્રેરક (સંત) માટે રાજનીતિનું જ્ઞાન બહુ જ જરૂરી છે. સાધુસાધ્વીઓ માટે પણ તે જરૂરી છે એ અને સારી પેઠે વિચાર થઈ ચૂક્યો છે. શરૂઆતમાં ભગવાન ભદેવે રાજ્ય સ્થાપ્યું અને તેઓ પાંચ કારણે સર રાજા બન્યા –(૧) દુષ્ટ-નિગ્રહ, (૨) શિષ્ટાનુગ્રહ, (૩) ધર્મપ્રવર્તન, (૪) સંગ્રહ (૫) સમાજવ્યવસ્થા. આ પાંચ કારથી રાજ્યની જરૂરત ઊભી થઈ. શરૂઆતમાં જે જે રાજાઓ થયા તેમણે પોતે કષ્ટ સહીને, ત્યાગ કરીને પ્રજાનું પાલન અને રક્ષણ કર્યું. પણ વયગાળામાં કેટલાક એવા રાજાઓ પણ આવ્યા જેઓ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અન્યાયી અને અત્યાચારી હતા. તેથી રાજ્ય સ્થાપનાની પાછળની જે કલ્પના હતી તે ચુંથાઈ ગઈ. રાજાઓમાં ધર્મ-ન્યાયના કર્તવ્ય પાલનને બદલે ભોગવિલાસ અને અન્યાયની પ્રવૃત્તિઓ વધવા લાગી. તેથી એવા રાજાઓને પદધૃત કરવાના દાખલાઓ પણ મળે છે. હિંદમાં પ્રારંભથી જ રાજ્યને સમાજનું એક અંગ માનવામાં આવ્યું છે. તેના ઉપર મહાજને (પ્રજા) અને બ્રાહ્મણોને અંકુશ રહ્યો છે. ઋષિમુનિવરો પણ રાજાને માર્ગદર્શન આપતા. રાજાઓને અન્યાય તરફ જતા સેવામાં જ્યારથી બ્રાહ્મણ અને ઋષિઓ ઉપેક્ષિત રહ્યા ત્યારથી ધર્મ ઉપર આક્રમણ શરૂ થયું; રાજયમાં પણ દૂષણે ત્યારથી પેઠાં. ઈંગ્લાંડની રાજશાહીમાં તે વચગાળામાં ધર્મગુરુઓ અને રાજાઓ બને મળી ગયા અને ધર્મગુરૂઓ પ્રેરકને બદલે અનિષ્ટ પિષક બની ગયા. એટલે ત્યાંના રાજાઓ લગભગ નિરંકુશ, અત્યાચારી અને પ્રાપીડક બનવા લાગ્યા. પરિણામે વચમાં મધ્યમ વર્ગીય અને વેપારી લકોએ તે સામંતશાહી પદ્ધતિને ઉથલાવી પાડી હતી; પણ તે છતાં યે નીચલા થરના લોકોને શેષાવું જ પડયું હતું. ફાંસની રાજ્યક્રાંતિ તેમ જ યુરોપમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિના કારણે નિમ્નવર્ગ જાગૃત થયો અને લોકશાહી શાસન શરૂ થયું. તેમાં પણ શ્રમજીવીઓનો જોઈ એ હિસ્સાને નથી. દુનિયાની વિધિસરતાની દષ્ટિએ તપાસતાં ભારતમાં લોકશાહી મોડી આવી છે એટલે તે ઉછરતી અવસ્થામાં છે. વિશ્વની રાજનીતિનાં પાસાંઓ ઉપરથી એ વિચારવાનું છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ શાસન પદ્ધતિ લેકશાહી છે તેને વિશ્વમાં કઈ રીતે ફેલાવી શકાય? લેકશાહીમાં મૂડીવાદી વર્ચસ્વ અગર તો મજૂરવાદી વર્ચસ્વ દૂર થઈને તે લકલક્ષી લેકશાહી કેમ થાય ? લોકોનું ધર્મલક્ષી ઘડતર શી રીતે થાય ?; જેથી લેકશાહીથાં લોકોને અવાજ મુખ્ય બને. જ્યાં જ્યાં સંસ્થાનવાદ છે કે સામ્રાજ્યવાદ છે ત્યાં લોકશાહી વ્યવસ્થા ઉભી કરવા માટે ભારતે શું કરવું જોઈએ ? આ બધા માટે રાજનીતિનું જ્ઞાન હોવું જરૂરી છે જેથી રાજનીતિના પ્રવાહે જાણીને તેને શુદ્ધ કરી વિકાસના પ્રયત્નો થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ રાજનીતિ પ્રારંભ અને વિકાસ [શ્રી દુલેરાય માટલિયા - પ્રવચન ] રાજનીતિ શાસ્ત્રમાં રાજ્ય સંબંધી વ્યાખ્યા કરવામાં આવી છે કે નિશ્ચિત પ્રદેશમાં રહેલી પ્રા નક્કી કરેલા નિયમ પ્રમાણે સત્તા દ્વારા પિતાનું તત્ર ચલાવે તે રાજ્ય છે. રાજ્યનાં આ પ્રમાણે ચાર અંગે બને છે: (૧) નિશ્ચિત પ્રદેશ (૨) તેમાં વસતી પ્રજા (૩) કાયદાકાનૂન (૪) કાયદાઓને પળાવનાર. જે પ્રદેશ જ નક્કી ન હોય તે રાજ્ય કયાંથી થાય ? એ જ રીતે વસતિ ન હોય કે કાયદાઓ ન હોય તે પણ રાજ્ય ન ચાલે. વસતિ માટે જે કાનને ઘડાય તેને પળાવનાર પણ કોઈને કોઈ હવે જોઈએ. જે વખતે માણસ અકર્મભૂમિકા (જગથિયા અવસ્થા)માં રહે હતો, જંગલમાં વસતો હતો તે તેને વ્યવસ્થાની કોઈ જરૂર ન હતી. તે વખતે કાયદા પણ ન હતા. તેથી કાયદા પળાવનારની પણ જરૂર ન હતી. સર્વ પ્રથમ કુટુંબ વ્યવસ્થા શરૂ થઈ મોટા કુટુંબનું કુળનું રાજ્ય ચાલતું. દરેક કુટુંબના નિયમો નક્કી કરાયા અને નિયમોને પળાવનાર કુળક નીમાયા. એ કુળકર કુળની વસતિ ઉપર નિયંત્રણ કરતા. એવા નવકુળદરોનો ઉલ્લેખ રેનસૂત્રોમાં મળે છે. વૈદિક ધર્મશાસ્ત્રમાં એને ત્રીય કે ગોત્રપતિ કહેવામાં આવતો હતો. પશ્ચિમમાં કુળને બદલે ટાળી અને એને નિયામક ટેળીનાયક સામન કહેવાતો. આ કુળકારોને ત્રણ નિયમનું પાલન ખાસ કરીને કરાવવું પડતું – (૧) હકાર, (૨) મકાર અને (૩) ધિક્કાર. હકાર એટલે કે આ કામ તું કરમાકાર એટલે આ કામ તું ન કર અને ધિકાર એટલે જે ઉલટું કરે તેને છૂટો કર ! ભગવાન ઋષભદેવના સમયમાં તેમને લાગ્યું કે જે માણસને છૂટો કરવામાં આવે છે, તે બીજી ટોળીમાં ભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જાય છે અને સુધરતો નથી એટલે તેમણે એક નવી વ્યવસ્થા ઊભી કરી. તેને દંડનીતિ કહેવામાં આવે છે. એ માટે રાજ્યના ચક્રો (ક્ષેત્રે) નક્કી કરવામાં આવ્યા. તેના ઉપર નિયમન કરનાર એક ચક્રવર્તી (રાજા) બનાવવામાં આવ્યો. તેમાં વસતી પ્રજા માટે નિયમો ઘડવામાં આવ્યા. શાસનની નીતિ નક્કી થાય તે પ્રમાણે ચક્રવર્તીને ચાલવું પડતું. સર્વ પ્રથમ અધ્યાનું ચક્ર ગોઠવાયું. નાભિરાજાની સાક્ષીએ ઋષભદેવ કુળકરના બદલે નવા ચક્રવર્તી રાજા બન્યા. તેમણે કળા, સમૃદ્ધિ, ખેતી, જીવનરક્ષા,. સલામતી વગેરેની જવાબદારી લીધી. અમારો રાજા એટલે જે નિયમે નક્કી થાય તે પળાવવાનું કામ કરે, અમારા જીવનની રક્ષા કરે, અમારી આજીવિકાના વિકાસનું કામ કરે ! તે પ્રમાણે ચક્રની પ્રજાએ રાજાની વ્યાખ્યા સ્વીકારી અને જૈન પરંપરામાં પહેલા રાજા ઋષભ કહેવાયા. વૈદિક પરંપરામાં એમ મનાય છે કે મનુમહારાજાએ સમાજના નિયમો ઘડ્યા; લોકોને સંભળાવ્યા. તેમણે યજ્ઞ કર્યો. આ અગાઉ લોકો છૂટાછવાયા ફરતા હતા. તેમને ચાર વર્ણની રીતે લેકોને સંગઠિત કર્યા. એમનાં કર્મો અને નિયમે ગોઠવ્યાં. આ પ્રમાણે પહેલા રાજા તરીકે ઈવાકુ વંશના રાજા મનુ થયા. મનુસ્મૃતિમાં લખ્યું છે તે પ્રમાણે નિયમે પળાવવા લાગ્યા. પશ્ચિમમાં કે પહેલો રાજા થયા. એને ઈતિહાસ મળતું નથી.. કોઈ વખતે ત્યાં પણ ટોળાંઓમાંથી સમાજ રચાયો હશે. તેમાં રાજા જેવી વ્યક્તિ નીમવામાં આવી હશે કે રાજા-પ્રજા વચ્ચે કરાર કર્યો થયો હશે તે કંઈ ઉપલબ્ધ નથી. જેમ પૌરાણિક લોકોએ પહેલા રાજાની કથા ઘડી કાઢી તેમ આ પશ્ચિમના લોકોએ પણ ગોઠવ્યું. પિતાને ઠીક પડે એ રીતે વર્તવા માટે રાજા નહેતે નિમાયો પણ કાનૂન પળાવવા અને પાળવા માટે રાજા હતા. તેમનાં ગ્રંથ પ્રમાણે રાજા કાનૂન ન પાળનારને દંડ આપતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આમ રાજનીતિને પ્રારંભ થયો. પણ રજા નબળો થાય કે નિરંકુશ થાય તે વસતિ પીડાય. તેવા રાજાને ખતમ કરવાનું નકકી થયું. વેણ રાજા અત્યાચારી અને નિર કુશ થઈ ગયો હતો એટલે તેને ખતમ કરીને તેના સ્થાને પયુને ગાદી ઉપર બેસાડ્યો. તે વખતના લોકો માનતા હતા કે અત્યાચારી રાજા હડકાયા કુતરાની જેમ છે. તેને મારી નાખવું જોઈએ, એમ નીતિકારોએ વર્ણવ્યું, પણ કેટલાક રાજાઓ બળવાના હતા. તેઓ અત્યાચારી થયા. તેમની સામે પ્રજા કંઈ પણ બોલી શકતી ન હતી. રાજા કહે તે ખરૂં અને પ્રજાને તે માનવું જ જોઈએ ( સર્વ દેવમહિસર એટલે કે રાજામાં સર્વેદેને સમૂહ છે એમ માનવાની) એવી પ્રથા પડી ગઈ. સિકંદર, સિહરાજ, અકબર વગેરે બાદશાહે સારા છતાં–તેમના ઉપર અંકુશ ન હોવાથી તે પિતાનું મન માન્ય કરતા હતા. એટલે રાજા ઉપર ચોકીદાર તો હોવો જ જોઈએ; એ વસ્તુની જરૂર પડી. એના માટે શું કરવું તેને વિચાર થયેઃ એક નવી વ્યવસ્થાને જન્મ થયો. રાજાની વંશપરંપરાગત ગાદી આપવાની પ્રથા તેડવામાં આવી તેમજ રાજાના ચેકીદારે રાજ્યનું સંચાલન કરે એ વાત આવી. આવા એકહથ્થુ સત્તાવાળા રાજાના રાજ્યને Despotic (ડિસ્પેટિક) રાજ્ય ગણવામાં આવ્યું. આ રાજા પયગંબર ગણાત, ભગવાનને પુત્ર ગણાતે, તે ઝડપથી નિર્ણય લેતો, કામ કરતા અને તેના ઉપર કોઈની સત્તા ન હતી. આજે પણ એવા Despotic રાજે છે. ઇજિટમાં કર્નલ નાસર પ્રધાન બન્યો એના ઉપર કોઈ નથી પક્ષને અધિકાર નથી કે તેને હટાવી શકે. શિયામાં મુશ્કેલ અને ચીનમાં માઓત્યે તુંગ પણ એજ કેટિના સરમુખત્યાર છે. જો કે પાર્ટી એમને દૂર જરૂર કરી શકે પણ પાર્ટી તેમ કરે; તેવી સ્થિતિઓ રહેવા દે નહીં. સાઉદી અરેબિયા જોર્ડન, ઈરાક, વિ. માં આપખુદ રાજત ત્ર સ્થપાયાં. આમાં ઘણા નામના રાજા પણ આપખુદ રાજાઓ થયા. ઈગ્લાંડના રાજાઓએ આફ્રિકાના ભૂભાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપર કબજો કર્યો. ત્યાં હજુ પણ કુળ-પદ્ધતિ ચાલુ હોઈને, જો કે એ રાજ્યને સ્વતંત્રતા આપવામાં આવી પણ, વિદેશીઓના ચડાવેથી લુમ્બા, બાલુબા વગેરે જાતિઓ (કુળો ) આપસમાં લડવા લાગી. આફ્રિકાના લોકોનું વલણ જાતિ-કુળથી આગળ વધ્યું નહીં. આફ્રિકામાં રાજયનીતિ કુટુંબ પદ્ધતિ સુધી રહી, ક્યાંક આપખુદ રાજાની સ્થિતિ સુધી તેઓ પહેચા. ઈગ્લાંડમાં આ આપખુદ રાજાઓની સ્થિતિમાંથી નીકળવા માટે એમ કરાવવામાં આવ્યું કે તેમના ઉપર અંકુશ હેવો જોઈએ. તેથી ત્યાં પ્રતિનિધિ-પ્રથા દાખલ થઈ. ધર્મગુરુઓ પણ જાગ્યા. તેથી શરૂઆતમાં ધર્મગુરુઓ અને તાલુકાદારો મળીને રાજ્યવહીવટ ચલાવતા. ઈગ્લાંડમાં લેકશાહી રાજા અને તાલુકદાર દ્વારા ચાલતી, ધર્મગુરુઓ વચમાં પ્રતિનિધિ રૂપે રહેતા. સામતે અને તેમના સંતાને-Lordsનું ત્યાં વર્ચસ્વ હતુ. ફાંસમાં તે તેથીયે બમણું વર્ચસ્વ ચાલતું હતું. ધર્મગુરુઓ ઠીક પડે તે રીતે મોજશેખમાં પડ્યા. તાલુકાદારે રૈયતને ત્રાસ આપવા લાગ્યા. રાજવંશ પણ વૈભવ-વિલાસમાં ગર્ભ રહેવા લાગ્યા. એ વ્યવસ્થાને સમ્રાટ શાહી ” (Monarchy) કહેવામાં આવે છે. ધીમે ધીમે આ વ્યવસ્થાએ પલટો ખાધે. કલીગાક વ્યવસ્થા ઊભી થઈ. આ બીજી શ્રેણિનો વિકાસ થયો. થોડાંક સ્થાપિત હિતવાળાનું વર્ચસ્વ સ્થપાયું. યંત્રોદ્યોગોને લીધે શ્રીમંતો વધ્યા; વેપારી વર્ગ પણ આગળ આવ્યા. એમને થયું કે અમને પણ રાજ્યમાં સ્થાન મળવું જોઈએ. જેથી અમને લાઇસેંસ, પરવાના અને અનુકૂળતાઓ મળે. પણ આની ચાવી ધર્મગુરુઓને હાથમાં હતી. એટલે તેઓ ધર્મગુરુઓને મળ્યા. ભેટો-નજરાણું આપ્યાં. તેમને મંજુરી મળી અને તેમણે અણુવિકસિત દેશોને તાબે કરી ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. અહીં વેપારીઓ પ્રમુખ હતા એટલે રાજ્ય ઉપર મોટાભાગે તેમને કજો રહ્યો. ત્યારબાદ નવી હિલચાલથી આમ જનતાનું પ્રતિનિધિવાળું રાજય બન્યું. પણ આમજનતા એટલે વેપારી લોકો જ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ આમાં નીચલા થરના લોકોને મત આપવાનો અધિકાર ન હતે. મત આપવાનો અધિકાર મધ્યવર્ગને હતું પણ તેમની પાસેથી શ્રીમંત લો કે મત ખરીદી લેતા. ગુલામો અને ખેડૂતોને તે મતાધિકાર હતો જ નહીં. તેથી લોકશાહી તે આવી પણ વર્ચસ્વ અમીર લેકોનું જ રહ્યું. એને Democracy-લે કતંત્ર નામ આપવામાં આવ્યું. તેની વ્યાખ્યા કરવામાં આવીઃ– “લ કોનું, લોકોના પ્રતિનિધિત્વ વાળું લે કહિત માટે ચાલતું રાજ્ય !” તે લેકશાહી રાજ્ય છે. આ નવી વ્યવસ્થાના કારણે જાગીરદારી જોને તે અંત થયો પણ પૈસાદારોની સત્તા આવી. તેમણે ધર્મગુરૂઓને સાધ્યા અને તેમના વડે ગરીબને એ રીતે સમજાવવામાં આવ્યું કે “તમારી પાસે ભગવાનની અવકૃપાથી પૈસા નથી ! પૈસાદાર તરફથી અપાતી પીડા એ ભગવાનને શ્રાપ છે. તેનું ફળ ભોગવવું રહ્યું. આ જન્મને ખેંચી કાઢ-પલેકમાં તમને ન્યાય મળશે !” આમ તે માટે તે અમૂક સમય માટે લેકશાહીને ખતમ કરવાનું સૂચન કર્યું. તે ઉપરાંત બા મંતને મત આપવો જ નહીં, મજૂરોને જ મત આપવો જેથી શ્રીમંતોની વગ તૂટે અને મજૂરે સત્તા ઉપર આવે તે માટે પ્રયને કર્યા. તેમાંથી સામ્યવાદી મજૂર સરમુખત્યાર શાહી જન્મી. એટલે રાજ્ય પદ્ધતિના આટલા ક્રમ થયા –(૧) રાજાશાહી, (૨) ભલોકશાહી (૩) લેકશાહી (વેપારીવર્ગની) (૪) લેકશાહી સમાજવાદ અને (૫) સામ્યવાદી મજૂરસરમુખત્યારશાહી. સામ્યવાદી મજુર સરમુખત્યાર શાહીને ઇતિહાસ તપાસી જઇએ. એનું આંદોલન કોણ કરે છે તે નક્કી થયું કે મજૂરે કરે! મજૂરોએ શું કરવાનું તે માટે ગરીબ-મજૂરોના મગજમાં ઠસાવવામાં આવ્યું કે “ધર્મ અને ધર્મગુરુઓની વાત બધી ગપ છે. દુઃખનું મૂળ શ્રીમાને છે. તેથી ગમેતેમ કરીને શ્રીમ તેને નાશ કરવો તેથી સુખ આવશે. આ માટે વર્ગ-વિગ્રહ કાયમી રહે તે જરૂરી હતું. તેથી મજુરોમાં અસંતોષ ફેલાવવામાં આવ્યું કે શ્રીમતે સાથે સતત લડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કરવાથી મજૂરોનું રાજ્ય આવશે.” એ લોકો મજૂર કાયમ લડયા કરે તે માટે અસંતોષ અને દ્વેષનાં દરેક કારણો અને પ્રસંગે, સામ્યવાદીઓ ગતતા ફરે છે. મજુરોને તેઓ કહે છે કે “એમાં કંઈ ખાવાનું નથી. આવતી કાલ આપણી છે. આવતી કાલે વિશ્વમાં કિસાન-મજૂર રાજ્ય સ્થપાઈ જશે. જેમ ધર્મ સત્તા, ધર્માનુયાયીઓએ ગુરુને સોંપી દીધી છે તેમ આ મજૂરોએ પણ પોતાની બધી સત્તા મજૂર નેતાઓને સેંપી છે કે તેઓ કરે એ ખરું; કારણકે તેઓજ અમારું આ જીવન સુખમય બને તે અંગે કાર્ય કરે છે. ધર્મગુરુઓએ જેમ પરલોકના સુખની કલ્પના આપી તેમ મજૂર-નેતાઓએ આ લેકના ભાવિન–વિશ્વ મજૂર-કિસાન-રાજ્યની કલ્પના તેમને આપી દીધી છે. તેમણે આ જન્મમાં જ શ્રીમતિના અત્યાચારની નરક-ઝખનાં ચિત્ર ઊભાં કર્યા છે અને વિશ્વરાજ્યના મનોરથપૂર્ણ સ્વર્ગને દેખાયું છે. એટલે સામ્યવાદમાંથી મજુર-સરમુખત્યાર શાહીને વિકાસ થયો. તેથી લેનિન, સ્ટાલિન કે મુવ કહે તે સાચું. તેમની હામાં હા અને નામાં ના તેમણે કહી. આ મજુર સરમુખત્યાર અંતે તે સરમુખત્યાર હતા. જે કોઈ ના પાડે તો શૂટ કરી નાખે. ૫૦૦ કે ૧૦૦૦ માણસોને એકી સાથે કતલ કરી નાખતાં વાર ન લાગે. આ ભયના કારણે લગભગ ચીન અને રશિયામાં ૯૮ ટકા સામ્યવાદી દળને અને હું ટકા માંડ બીજાને મત મળે. અને તેના ઉપર છાપ લાગે મત–સ્વાતંત્ર્યની ધર્મ કહે કે “બાઈબલ” સાચું તેમ આ લોકો કહે કે માકનું “કેપિટલ” એજ સાચું બને ઝનનું ઉપર ઊભાં છે અને તેમાંથી સામ્યવાદ આવ્યો. આ ઉપરાંત દુનિયામાં એક બીજી રાજ્યપદ્ધતિ ચાલી. તે છે Walfar state કલ્યાણરાજ કેટલાક લોકો જૂના વિચારના છે. તેઓ જરા જુદી રીતે વિચારે છે કે દેશમાં સંપત્તિ વધારવી હોય તો આટલા બધા પ્રતિબંધ શા માટે; માણસ ઉપર લગાડવા જોઈએ ? માણસ પાસે વ્યકિતગત મૂડી રહે તે વ્યક્તિને મારાપણું લાગે અને તે મુક્તપણે વેપાર કરી શકે; ખૂબ કમાવી શકે. રાષ્ટ્ર એના વેપાર ઉપર એટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ બધા કર નાખવા જોઈએ કે તેથી દેશમાં પૈસો વધશે અને તે ના નહી પાડી શકે. પછી એ પૈસાદાર માણસ પૈસાને ગમે તે રીતે વાપરે ! જુગાર રમે, દારૂ પીએ રંડીબાજી કરે ! અમારા રાષ્ટ્રનું શું નુકશાન છે? તે વધુ કમાઈને રાષ્ટ્રને જ આપે છે. આવી સ્વછંદ વાને કરનાર રાષ્ટ્રમાં અમેરિકા મોખરે છે. સ્વતંત્રતા આપે છે સ્વતંત્રતાની વાતો કરે છે અને બીજી બાજુ ભારે કરવેરા લઈ અવિકસિત રાષ્ટ્રોને નબળાં રાષ્ટ્રને મદદ આપે છે. પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાને મદ ત્યાં વધારે હોય છે. પણ આમાં ગરીબોને કંઈ કાંઈક સારૂં ખાવાનું મળે છે કંઈક સારૂ મળવાની આશા રહે છે અને તેમને આદર્શ વધુ પૈસા મેળવો, દારૂ પીવો, જુગાર રમ કે રંડીબાજી કરી મોજશોખ કરવો એ બને છે. એમાં સમાજ પરિવર્તન થતું નથી. આ મૂડીવાદી લેકશાહીને એક પ્રકાર છે. એ દળમાં અમેરિકા, બ્રિટન વગેરેને સમાવેશ થાય છે. બાઈબલના આધારે તે લોકે (શ્રમિક અને ગરીબોને સમજાવતા. ભારતમાં પણ આ વાત ધર્મગુરુઓ બીજી રીતે કહેતા હેય છે કે : “ પસાદાર, પુણ્યથી પૈસે કમાય છે, તે સુખી છે. તમારા (ગરીબોનાં) પુણષ નબળાં છે. તમે પણ આ જન્મમાં પુણ્ય કરે તે આવતે ભવે તમને પણ પુણ્યને પ્રતાપ દેખાશે !” આવી બધી રીતની સમજણમાં શ્રીમંત અને ધર્મગુરુઓની ગોઠવણ રહેતી અને શ્રમિકોને સંતોષ આપવામાં આવતું. પણ શ્રમિકોનાં દુઃખે અને પરેશાનીઓ દૂર ન થયાં. એટલે નવે વિચાર માણસના મસ્તકમાં આકાર લેવો શરૂ થશે. કાર્લ માકર્સને સર્વ પ્રથમ થયું કે “ધર્મગુરુઓ ભગવાનની અવકૃપાને ગરીબાઈનું કારણ ગણે છે તે બરાબર નથી. જે ભગવાનની અવકૃપા હોય તે વરસાદ કેમ વરસે ? કાલાં-કપાસ તેમ જ ધન-ધાન્ય વગેરે શા માટે થાય ? સંપત્તિ વધે છે, તે શા માટે વધે છે?” તેને વિચારોના અને લાગ્યું કે આમાં ભગવાનને દોષ નથી. બળવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ (બુદ્ધિથી જીવનારા) વર્ગને દેષ છે. આ મસ્ય–ન્યાય છે. મોટાં માછલાં નાનાંને ગળી જાય તેમ બુદ્ધિજીવી કે ધર્મઝનૂનજીવી લકે નાના ગણાતા શ્રમિક વર્ગને ભાગ ખાઈ જાય છે અને તેમના અન્યાયને ભગવાનની મહેર મારીને યોગ્ય ઠરાવે છે. તેણે એ પણ વિચાર્યું કે “આ વ્યવસ્થાને પણ દેષ છે. જે બિચારા મજૂરે સાધનોને પેદા કરે છે, તેઓ જ સાધન વગર ટળવળે છે! આને કહેવાય તે - લેકશાહી – છે પણ એમાં બધે ય બળવાન લકનું, શ્રીમંતોનું, ધર્મગુરુઓનું વર્ચસ્વ છે. પ્રતિનિધિ ૫ણ શ્રીમંત લોકો છે. છાપાં પણ શ્રીમતેના હાથમાં છે. મને પણ તેમના હાથમાં છે; ગરીબો અને શ્રમિકોને એમાં અવાજ નથી. તેથી આ નામની લોકશાહી છે; પણ ખરી લેકશાહી નથી; લોકશાહીને આભાસ છે. આ લોકશાહી સામતવાદી તંત્રના બદલે વેપારી વર્ગનું મૂડીવાદી તંત્ર છે. તેમણે ધર્મગુરુઓને ભેટ આપીને વશમાં કર્યા છે. ધર્મગુરુઓ આ પીડિત અને શેષિત પ્રજાને આંખે ઉધાં ચશ્મા પહેરાવે છે. આ જન્મમાં આટલા પૈસા ધર્મના નામે ખર્ચો, અમને આપો એટલે આવતા જન્મમાં સ્વર્ગ-સુખ બધું મળવાનું તેની હુંડી (કે ચિઠ્ઠી) અત્યારથી લખી આપીએ છીએ. આ જન્મનાં પાપ પૈસાથી ધોવાઈ જશે !” આપણે ત્યાં પણ ધર્મગુરુઓ પલકની વાતો કરે છે કે આ જન્મમાં આટલા ઉપવાસ, સામાયિક તપ વગેરે કરશે તે જમા થઈ જશે. તેનું ફળ આ જન્મમાં મળે તેની વાત નહીં કરવી, પણ પરલોકમાં એનું સારું ફળ મળશે, દેવ થશે, સ્વર્ગ મળશે અને દેવાંગના સાથે સુખ ભોગવશે.” એવી જ રીતે ત્યાંના ધર્મગુરુઓએ પણુ ગરીબોને કહ્યું કે “આ ભવમાં કંઈ માંગશો નહીં, આ જન્મની વાત ઉપર ધ્યાન આપશે નહી, કેાઇની દેલત અંગે તૃણું કરશે નહીં. આ જન્મમાં કોઈના તરફ જશે નહી. આવતા જન્મમાં તમને વધારે સારું ફળ મળશે અને તમે ચકરાવામાં ન પડતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ માકસને લાગ્યું કે “આ બધું તૂત ધર્મગુરુઓએ ઊભું કરેલું છે. ભૂખ્યા ગરીબને બીજે રવાડે ચડાવી દેવાની આ રમત છે. આ બધું દંભ છે અને ઘેલછા છે.” તેને ધર્મગુરુઓની આવી સ્વાથ ખોટી રમત ઉપર ચીડ ચડી. તેણે તેમને ઉઘાડા પાડવા શરૂ કર્યા અને ધર્મને પણ તેની સાથે સાંકળી લઈને કહ્યું : “ધર્મ પણ એક પ્રકારને નશો છે– Religion is an opium” “ધર્મ અફીણુ” છે. ધર્મગુરુઓ તે ધર્મના અફીણના કેફમાં લે કોને, સ્વર્ગ–સુખની બેટી કલ્પનાના તરંગમાં નચાવે છે. માકર્સે ધર્મગુરુઓ સાથે ધર્મને પણ માનવું-મનાવવું મૂકી દીધું. તેણે ધર્મનું આ એક જ પાસું જોયું. બધાં પાસાં ન જોયાં. એમાંથી કાર્લ માકર્સે નકકી કર્યું કે “આટલા બધા શ્રીમંતોને શ્રીમંત બનાવનાર તે શ્રમજીવીઓ જ છે. જે તેઓ ભેગા થઈને તેમના મજુર-પ્રતિનિધિને મત આપશે તો રાજ્યમાં તેમની બહુમતિ આવી શકશે. તેથી બીમ તેનું વર્ચસ્વ દર થશે. આને તેણે નામ આપ્યું લોકશાહી-સમાજવાદ.” તેણે બીજા પણ કેટલાક પ્રયને એ દિશામાં કર્યા. ગરીબ માણસે બુદ્ધિજીવીના ભાષણથી અંજાઈ ન જાય, પૈસાથી ન લલચાઈ જાય કે ભયથી પામર ન બની જાય. અને તેમની અસંગઠિત શક્તિને દુરૂપયોગ ન થાય તે માટે એ ગરીબોનાં સંગઠન રચીને શ્રીમંતની વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. તે ઉપરાંત કેટલાંક રાજે લશ્કરી સરમુખત્યારશાહીવાળાં છે. આમાં એક જૂથ તરીકે પાકિસ્તાનને ગણાવી શકાય. અમેરિકા અને મદદ આપીને કાબુમાં રાખે છે કે કદાચ ભવિષ્યમાં સામ્યવાદ સામે લડવું હોય તે તે સાથ આપે. આવું બીજું ગ્રુપ અરબસ્તાન, સુદાન, ઈરાક, ઈરાન વ. દેશનું છે. જે એક હિન્દુ સમ્રાટ શાહીવાળું છે. આ બધા દેશો અણુવિકસિત છે અને તે દેશની પ્રજા મોટા ભાગે મુસ્લિમ છે જેમાં સ્વાભાવિક રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધર્મ ઝનૂન હોય છે. તેમાં પણ મૌલવી લોકોને આ પશ્ચિમી રાષ્ટ્ર ધર્મઝનૂન પાઈને ઈસ્લામ રાજયને રવાડે ચડાવવાની કોશિશ કરતાં હેય છે જેથી સામ્યવાદ ત્યાં પગપેસાર ન કરી શકે; તેમજ તેઓ સામ્યવાદ સામેની આડી દિવાલ રૂપે કામ આપી શકે. એટલે જ તેઓ ઈસ્લામી–ભાઈજાનપણું (Muslim Brother hood) સ્થાપતિ કરવા માટે “પાન-ઈસ્લામ” નામની સંસ્થામાં જોડાયા છે; અને ઇસ્લામ ધર્મનું અલગ સજ્ય હોવું જોઈએ તેવી વાતો કરે છે. નાસર પણ પ્રગતિશીલ હોવા છતાં તેમાં જોડાવાની વાત કરે છે, સાઉદી અરેબિયા પણ મુસ્લિમ રાજ્યની વાત કરે છે અને પાકિસ્તાન પણ સાંપ્રદાયિક ઈસ્લામી રાજ્ય બનવાનું સ્વપ્ન સેવે છે. મૂળ તે પશ્ચિમી રાષ્ટ્રના એજ ટ તરીકે જ તેઓ કાર્ય કરે છે અને મૌલવીઓમાં ઝનૂન પ્રેરી સામ્યવાદની સામે દીવાલ રૂપે તેમને ખડા રાખવામાં આવ્યા છે. - ત્રીજું ગ્રુપ છે પિશ્ચમ જર્મની, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલ વગેરેનું આ બધાં સામ્રાજ્યવાદી રાજ્ય છે તેઓ પણ એંગ્લે–અમેરિકન જૂથમાં ભળ્યાં છે. સામ્રાજ્યવાદી પ્રજાને બેઠી કરવી હોય તો સંસ્થાનવાદનું ચોકઠું ગોઠવી રાખવું જોઈએ એવું પશ્ચિમી રાષ્ટ્રો માને છે. એટલે જ અમેરિકા અને બ્રિટને પર્ટુગલ સંબંધી સંસ્થાન વખતે પક્ષપાત કર્યો હતે. આમ સામ્રજ્યશાહી અને મૂડીવાદી એક નાવમાં બેસવાના કારણે વિશ્વને લેકમત ગુમાવતા જાય છે. શું પ્રપ છે રશિયા, હંગેરી, પૂર્વ જર્મની, ઝેકોસ્લોવેકિયા, ચીન વગેરે સામ્યવાદી પ્રભાવિત દેશનું જૂથે આમાં રશિયાને પ્રભાવ વધારે છે. તે કંઈ ન કરે પણ આ દેશોની પીઠ થાબડયા કરે અને તેની અંદર ભલે દેશના લેકીને ખતમ કરી નાખવામાં આવતા હોય તે ઘરની અંદરની વાત છે; કરીને ચૂપ રહે. પણ અમેરિકા જે કંઈ પણ કરે તે તરત તેનો વિરોધ કરે. જો કે આ દેશમાં હાલ ચીન અને રશિયા વચ્ચે સામ્યવાદી પ્રદેશો ઉપરના પ્રભુત્વ અંગે ઝઘડો મોટે પાયે -ચાલુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ આ પ્રકારે વિશ્વનાં પ્રમુખ રાષ્ટ્રોના ચાર જૂથ છે. ૫. જવાહરલાલજી આ બધાં રાષ્ટ્રકથાથી ભારતને તટસ્થ રાખવા માગે છે. તેવા પ્રયત્નો કરી રહ્યા છે. રશિયા કે અમેરિકાના જૂથ તરફ ભારત ન ખેંચાઈ જાય તે માટે મકકમ છે પણ આફ્રિકાના બીજા ઉગતા રાષ્ટ્રોને તેમજ મુસ્લિમ રાષ્ટ્રને જવાહરલાલજની તટસ્થ નીતિની વાત ગળે ઉતરવી હજી અધૂરી છે. આ સક્રિય તટસ્થ બળ ઊભું થતું બળ છે. ઘડાતુ બળ છે. કેટલું ઘડાશે એ સવાલ છે? આજે વિશ્વના રાજનીતિના પ્રવાહમાં (૧) કલ્યાણરાજવાળું મૂડીપ્રધાન લેકશાહી, (૨) સામ્યવાદી રાજ્ય, (૩) આપખુદી ઇસ્લામી રાજ, (૪) ભારતનું સક્રિય તટસ્થ બળ. એ આપણી સામે છે. આખા વિશ્વને તટસ્થ નીતિ તરફ વળાંક આપવો હોય તે શી રીતે આપ. એ વિષે આપણે ઊંડાણથી વિચારવું પડશે. ચર્ચા-વિચારણ શ્રી પુંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ભારતમાં જે રાજકીય પક્ષો અને પ્રવાહે છે તેમાં સ્વરાજ્ય પહેલાં અને બાદમાં કોંગ્રેસ જ સર્વોપરિ રહી છે. ૫. જવાહરની રાહબરી નીચે ભારતે અપનાવેલી તટસ્થ નીતિ એક સક્રિય બળ છે તેણે ન આદર્શ રજૂ કર્યો છે અને વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી પાછળ ધકેલ્યું છે. ત્યારે આપણા પાડોશી પાકિસ્તાનની લશ્કરી સરમુખત્યારશાહીને જોઈએ કે ત્યાં અમેરિકાની લશ્કરી અને યાંત્રિક સહાયતા મળવા છતાં ત્યાં લોક્શાહી આવી નથી. ભવિષે આવશે કે કેમ તે કોયડે છે. લેકશાહીની હિમાયત કરનાર ખાન અબ્દુલગફાર ખાનને જેલના સળિયા પાછળ યાતના સહેવી પડે છે. અયુબખાન પિતાની સત્તા, ટકાવવા માટે પ્રયત્ન કરે છે. આ બધું તો આપણું તટસ્થ બળ થાતું બળ છે. આપણે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ભલે લોકશાહી પદ્ધતિએ ચૂંટણીઓ થઈ છે તે છતાં લોકમત કેળવાય નથી અને ૮૦ ટકાથી વધારે લોકોને એ ખ્યાલ જ નથી કે તેમને શું કરવાનું છે? તેમણે કોંગ્રેસને શુદ્ધ અને પૂરક બળ બનાવી દુનિયાભરના રાજકારણને પવિત્ર કરવાનું છે તેમ થાય તો મહત્ત્વનું કાર્ય થયું ગણાશે. શ્રી દેવજીભાઈ : “શ્રી માટલિયાએ સવારે સામ્યવાદી સરમુખત્યારશાહી, લોકશાહીના આભાસવાળી અને ભારતીય લેકશાહી ઉપર વિસ્તૃત પ્રકાશ નાખ્યો છે. ભારતની આ દશા થવાનું કારણ પાયાની ખામી છે. પરદેશમાં ભય અને દંડથી પ્રજાને અંકુશમાં ખવાની વાત અગાઉથી હતી. આપણે ત્યાં અગાઉથી રાજનીતિ ઉપર નીતિમય અંકુશ રહેવું જોઈએએવું ઘડતર થયું છે. આજે કેવળ એટલું જ નહીં એના કરતાં કંઈક વિશેષ કરવાની જરૂર છે; કારણ કે દેશ અને દુનિયાનાં રાજ્યોએ રાજકારણ અર્થકારણ અને સમાજકારણ એમ બધાં અંગેનો જે ભીડે લીધે છે તે જોતાં માત્ર ડાં નૈતિક પરિબળોથી કામ નહીં ચાલે. તે માટે પ્રજાનું સંખ્યાબળ અને તે પણ ઘડતર પામેલું કામ લાગશે. આજે ગંદી મુત્સદ્દીગીરી ચાલે છે અને રાજકારણ કાવાદાવા વિના ચાલી શકે એ ગાંધીજીએ આચરેલી અને અચરાવેલી વાત વિસરાતી જાય છે. આ દિશામાં વ્યવસ્થિત કાર્ય કરવાની જરૂર છે. પિતાની જવાબદારી સમજી નિયમે જવાબદારી પૂર્વક પળાય તે જ સાચું રાજ્યતંત્ર છે. આપણે ત્યાં પરદેશી લોકશાહીના આભાસવાળી પદ્ધતિ નહીં ચાલે. કેટલાક તેને માને છે. પણ તે થોડાકને એશોઆરામ આપે છે, બાકી પછાતવર્ગ, સ્ત્રીવર્ગ કે ગામડાંને વર્ગ એ તરફ પૂરતું ધ્યાન આપતું નથી. એટલે તે જરૂરી નથી. સરમુખત્યારશાહી, સામ્યવાદી હોય કે લશ્કરી હોય તેમાં પ્રજાની સ્વતંત્રતા રહેતી નથી. તેથી આપણે દેશની લોકશાહી તરફ જગત મીટ માંડે, તે સ્વાભાવિક છે. પણ હજુ તેને ઘડાવાની જરૂર છે. જેમ ભદ્રલેકશાહીમાં લે કો લેટ ખરીદતા; તેમ અહીં પણ એવું જોવામાં આવે છે. તે કોને પિતાના અધિકારનો સ્વતંત્ર અને ખરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ઉપયોગ કરતાં આવડે એ જ ઉત્તમ છે. તે માટે ક્રાંતિ પ્રિય સાધુસાધ્વીઓએ આગળ આવવું જોઈએ અને ટુંકમાં પ્રજઘડતર, રાજ્યઘડતર, લોકસેવક ઘડતર, સ્ત્રી ઘડતર વગેરે કાર્યો અને પ્રેરણા તેમણે આપવી જોઈએ. શ્રી બળવંતભાઈ : “ભારતની રાજ્ય પદ્ધતિને વિચાર કરવાથી દુનિયાની રાજ્યપદ્ધતિનો ખ્યાલ આવી જશે. અહીં માનવસમાજનું વિજ્ઞાન એ રીતે ખેડાયું છે કે લોકજીવનમાં આધ્યાત્મને વણી લેવામાં આવ્યું છે. રામયુગ અને કૃષ્ણયુગમાં વનવાસીઓ ગામડાઓને સીધો પરિચય હતો. બુદ્ધ-મહાવીરના મધ્યકાળમાં અહીં ત્રણ પદ્ધતિ હતી. રાજય ઉપર સાધુ-બ્રાહ્મણનું નૈતિક નિયમન હતું. તે ઊઠી જતાં આજે લોકશાહી રાજ્ય હોવા છતાં ઋણ, થાપણ, અત્યાચાર, ગોલમાલ, ઝઘડા, બળાત્કાર, વ્યભિચાર, ચોરી, લૂંટ, ખૂન વગેરે અઢાર પ્રકારનાં દુષણો ફેલાયાં છે. નૈતિક અંકુશના અભાવે ભારતમાં સત્તાને મદ અને આપસની લડાઈઓના કારણે વિદેશીઓ ફાવી ગયા. તેમણે આપણને જે ગુલામ મનેત્તિ આપી તેમાંથી ગાંધીજીએ સત્યઅહિસાને રાજકીય ક્ષેત્રે પુટ આપી જે કાંતિ કરાવી તે અદ્ભુત હતી. ત્યારબાદ તેમના પ્રભાવમાં રહીને નેહરૂજીએ લોકશાહીના તટસ્થ બળને અનોખી ઢબે વિકાસ કર્યો. તે આજના વિશ્વ માટે આશાસ્થળ છે. એવી જ રીતે યુને અને યુનેસ્કો બન્ને સંસ્થાઓ પણ આ શાસ્થળ છે. તે સિવાય બાકીનું વિશ્વનું બીજું ચિત્ર નિરાશાસ્પદ છે. મેટાં રાષ્ટ્રો ભયંકર શસ્ત્રોનું નિર્માણ કરે છે. નાના રાષ્ટ્રો તેની આયાન કરીને કે લશ્કરી જુથમાં ભળીને પોતાને સુરક્ષિત સમજે છે. પરિણામ એ આવ્યું છે કે શસ્ત્રોવાળાં પણ બીએ છે અને શસ્ત્ર વગરના પણ કરે છે. તેની વચ્ચે તટસ્થ સક્રિય બળજ સુખની આશા જન્માવે છે. તેને નૈતિક રીતે લડવું પડશે અને તેમાં પ્રજાને પૂરેપૂરો સાથે મેળવો પડશે તે તે બળ જગતને સાચે માર્ગ ચીંધી કરો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી શ્રોફ:–રાયશાહી કે મૂડીવાદી તંત્ર અને વિશ્વ માટે ખતરારૂપ છે. તેની સામે સત્તા અને ધન બેયની તમાથી પર એવા સક્રિય તટસ્થ બળોની જરૂર છે. એ માટે અનુબંધ વિચારધારા પર્યાત માર્ગદર્શક શક્તિ ધરાવે છે. તે માટે પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમવાની તૈયારી સાથે આગળ વધવું જોઈએ.” પ્ર. નેમિમુનિ : “આજની દુનિયાની લોકશાહી છેટલી ઢબની તે નથી જ. તેમાં ધરમૂળથી સંશોધનને અવકાશ છે. તે કેટલે અંશે છે. તે વિચારવા માટે આપણે સર્વ પ્રથમ જગતની રાજ્યપદ્ધતિઓના પ્રકાર ટુંકમાં જોઈ જઈએ તે ઠીક થશે. જે આ પ્રમાણે છે – (૧) પ્રમુખ પદ્ધતિ : આમાં પ્રમુખ વિશાળ કારોબારી સત્તા ભોગવે છે. તે પિતાના મંત્રીઓ ચૂંટે છે. આ મંત્રીઓ ધારાસભાને જવાબદાર હોતા નથી. અમેરિકામાં પ્રમુખ પદ્ધતિ છે. આ પદ્ધતિને લીધે કટોકટીના સમયમાં ઝડપી નિર્ણય લેવાય છે અને મંત્રીઓ સ્થિર રહે છે. પણ ધારાસભા અને કારોબારી એકરૂપ ન હેવાના કારણે ખેંચતાણ થયા કરે છે. ભારતમાં પણ રાષ્ટ્રપ્રમુખ પદ છે અને તેમનું શાસન કટોકટીના સમયે જાહેર થાય છે પણ તેની સત્તા મર્યાદિત છે. (૨) સંસદીય લોકશાહી : આમાં ધારાસભાગૃહને બહુમતિ પક્ષ પ્રધાન મંડળ રચે છે. તે ધારાગૃહને જવાબદાર હોય છે. પ્રમુખને નામની સત્તા હોય છે. (૩) સમવાયીતંત્રઃ દેશનાં અનેક રાજ્યો ભેગાં મળીને રાજ્યતંત્ર ચલાવે અને બધાંની ભેગી સત્તાઓ બંધારણમાં નકકી થયેલી હોય છે. ભારતમાં સમવાયી તંત્ર છે અને સંસદીય લોકશાહીને સુમેળ હોઈને તેને સમવાયી સંસદીય લોકશાહી તંત્ર કહી શકાય. તેમાં કેટલીક કેન્દ્રની સતા પ્રાંતને સોંપવામાં આવી છે અને તેનું છેલ્લું લક્ષ્ય પંચાયત રાજ્યમાં રાજ્યસત્તાનું વિકેદ્રીયકરણ કરવાનું છે. તેથી અહીંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ લોકશાહીને અનોખી ગણવામાં આવે છે. સમવાય તંત્રમાં કેંદ્ર અને સત્તાની વહેંચણી થાય છે અને બંધારણના ઝઘડાઓને નિકાલ કરવા માટે વરિ અદાલત હોય છે. (૪) રાજાશાહી : કેટલાક દેશમાં રાજાનેજ શ્રેષ્ઠ માનીને શાસન ચલાવવાની પદ્ધતિ છે તે રાજાશાહી . એમાં ક્યાંક રાજાને પુષ્કળ સત્તા છે અને કયાંક મર્યાદિત છે. રાજાશાહી મોટે ભાગે વંશપરંપરાગત હેય છે. રાજાશાહીની અમર્યાદિત સત્તાને હવે લોપ થઈ રહ્યો છે અને જાગૃત પ્રજા આગળ ઘણી વાર રાજાને ભાગવું પડે છે એના ઘણા દાખલાઓ હમણાં જોવા મળે છે. મર્યાદિત રાજસત્તામાં બંધારણ અને કાયદા વડે રાજાની સત્તા નામની હોય છે અને બંધારણીય વડા જેવું તેનું સ્થાન રહે છે તે માટે શ હેય છે. ખરી સત્તા સંસદ કે ધારાસભા ભોગવતી હોય છે ઈગ્લાંડ, નેવે અને બેટજીયમમાં આ પદ્ધતિ હતી. ભારતમાં રાજાશાહી રહી નથી. અહીંના રાજાઓએ સ્વેચ્છાએ પોતાના રાજ્ય છોડી દીધાં હેબને રાજાશાહીને અહીં અંત આવ્યો છે. આ અગાઉ તેઓ અમર્યાદિત સત્તા ભોગવતા અને હજ પણ નેપાળ, ભૂતાન, ઈરાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં રાજાની અમર્યાદિત સત્તા ચાલુ છે. (૫) એકતંત્રી સરકાર : આખા દેશનું રાજ્યતંત્ર ચલાવનાર કેદ્રની એકહથ્થુ સરકારનું શાસન આમાં આવે છે. આમાં ઘણું નાનાં નાનાં દેશોને આફ્રિકા અને એશિયાવાળાને સમાવેશ થાય છે. તેમજ રશિયા ચીન વગેરે સામ્યવાદી દેશોને સમાવેશ પણ થાય છે. (૬) લકરી સરમુખત્યારશાહી : ધારાસભા કે રાજાને ઉથલાવી પાડી જ્યાં લશ્કર સત્તા હાથે કરે છે અને રાજ્ય ચલાવે છે તેને લશરી સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. એમાં લશકરનો વડો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રાષ્ટ્રોન વડે ગણાય છે. આવું શાસન પાકિસ્તાન, બર્મા વગેરે દેશોમાં જોવામાં આવે છે. સારામાં સારૂં તંત્ર આજના યુગ પ્રમાણે સંસદીય સમવાયી લોકશાહી તંત્ર છે. ભારતમાં તે તંત્ર છે પણ તે હજુ ઊગતું તંત્ર છે. લોકશાહી શબ્દ માટે અંગ્રેજી શબ્દ બે ગ્રીક શબ્દોને મળીને બન્યો છે. ડેમો = લોકો, અને ક્રેટિક = સત્તા = લોકોની સત્તા તે લેકશાહી છે. લોકશાહીની વ્યાખ્યા અબ્રાહ્મમલિકને સર્વ પ્રથમ આપી કે લોકોએ ચૂંટેલી, લોકોની બનેલી લોકો માટેની સરકાર તે લોકશાહી છે તે પદ્ધતિ આજે આદરપાત્ર બની છે. કારણ કે તેમાં સ્વતંત્રતા, સમાનતા વગેરે ઉચ્ચ ગુણે છે, પ્રજાના અવાજને માન આપવાનું છે. બળને ઓછામાં ઓછો ઉપયોગ અને સમજણને વધુમાં વધુ ઉપયોગ થવાનું શક્ય બને છે. પણ તેને ડર એ પણ છે કે સરકાર ઉડાઉ અને અસ્થિર પણ બને; મૂડીવાદ તેને ખરીદી પણ શકે તે માટે લોકશાહી માટે પ્રજાને કેળવવી જોઈએ અને સત્તાના બદલે ગુણ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. જ્યાં એમ થતું નથી ત્યાં પક્ષીય સરમુખત્યારશાહી આવે છે કે જૂથબાજીનું બળ વધે છે અને જ્યની સત્તા જાળવવા માટે અશુદ્ધ સાધનોને આધાર લેવાને કે વિશાળ સત્તાનો દુરૂપયોગ થવાનો ભય રહે છે. સરમુખત્યારશાહીમાં ગમે તેટલા ફાયદા ગણાવાય તેયે તે ઘણું પાત્ર છે કારણકે તેમાં પ્રજાનો અવાજ હેતું નથી. તેથી ઈટલીને ફેસિઝમ, જર્મનીનું નાઝિઝમ કે રશિયા તેમજ ચીનને જગતને અને તે દેશની પ્રજાને પણ કડવો અનુભવ છેજ. તેમાં છેલ્લે લશ્કરી સરમુખત્યારશાહી તે બંદુકની અણીએ જીવવા જેવું છે. તે જીવનને કંઈ અર્થ નથી. હવે લોકશાહીનાં દૂષણો કઈ રીતે દૂર થાય તે અંગે ભારતે વિચાર કરવાનો છે. ભારતની સક્રિય તટસ્થ નીતિ વિશ્વમાં વખણાઈ છે. વિરોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પક્ષે ભારતમાં નિષ્ફળ જવાના છે અને ગયા છે. સ્વતંત્ર ઉમેદવારે ભલે ગમે તેટલા પાણીવાળા હેય પણ લેકશાહીમાં તેમને સ્થાન નથી. તે પછી ભારતીય પરંપરા વગેરે જેઈ જેમ જગતના બંધારણમાંથી આપણે પ્રમુખ પદ્ધતિ, સંસદીય વિશેષતા અને સમવાયી તંત્રના સારાં અને આપણા બંધારણમાં લીધાં છે તેમ, પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ કહે છે, તેમ પ્રેરક-પૂરક બળને સ્વીકાર થ જોઈએ. અગાઉના એક પ્રવચનમાં (અનુબંધવિચારધારા) પૂ. મહારાજશ્રીએ કોંગ્રેસની પાર્લામેંટરી બોર્ડને હરાવ આવ્યો છે તે તથા ઈટુક અને કેગ્રેસ વચ્ચે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કરાર થયા છે તે જોતાં આ વસ્તુ આ દેશમાં સાવ વહેવાર અને અસરકારક છે. પૂરક તરીકે મુખ્ય રૂપે નૈતિક ગ્રામ સંગઠન અને પ્રેરક તરીકે પ્રાયોગિક સંઘે આવતાં કેમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સક્રિય અસરકારક તટસ્થ જાગૃત બળ બની રહેશે. જનસંગઠને અને પ્રાયે મિક સંધને યુનેસ્કો સાથે સીધો સંપર્ક થઈ ને સામુદાયિક અહિંસાના કાર્યક્રમો તથા રચનાત્મક કાર્યક્રમ દ્વારા આખી દુનિયાના સંગઠન એકરૂપ બનશે. પશ્ચિમની લેકશાહીઓ પણ સોધન માંગી રહી છે. કારણ કે ત્યાં રાજ્ય વડે જડ ક્રાંતિની વાત હોય છે. આપણે ત્યાં નથી. એટલે જ પશ્ચિમના લોકો ભારતીય લોકશાહી તરફ મીટ માંડે છે ત્યારે વિરોધ પક્ષ હેજ જોઈએ એવી રૂટિને આપણે શા માટે વળગીને રહેવું જોઈએ ? ભારતીય લોકશાહીમાં જેટલા પક્ષે કોંગ્રેસ વિરોધી થવાના, તેઓ સીધે કે આડકત સંબધ સામ્યવાદ, મૂડીવાદ, કોમવાદ અથવા રાજ્ય દ્વારા કાંતિ સાથે ધરાવશે. એટલે વિરોધમાં શકિન વેડફવા કરતાં પ્રશ્ક-એક બળથી શક્તિ ને શુક અને વૃદ્ધિગત કરવી છે ખરી? આપણે ત્યાં રાજાશાહી પણ રાજ્યાશ્રિત ન હતી. લે કા ધારિત હતી. એટલે જ રાજકારણમાં ગાંધીજીએ ધર્મનીતિ મેળવી હતી તેને જાળવીને કાળજીપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - વધારવી પડશે. નીતિના પાયા ઉપર સંગઠને સાચા ધર્મની દૃષ્ટિએ હશે તેજ આ કામ થશે. આવાં સંગઠનો પદમાં ન લલચાય કે વિરોધમાં હતાશ ન થઈ જાય તે જોવું રહ્યું. તે માટે પ્રેરણા ક્રાંતિપ્રિય સાધુઓ અને લોકસેવકેએ આપવી પડશે. તેમ થાય તો ભારત આફ્રિકા, આરબ કે એશિયાના ઉગતાં રાષ્ટ્રને સાચી ઠેરવણી રૂપ બનશે કારણ કે તેઓ ભારતથી પ્રભાવિત છે. તેથી ભારતની પંચશીલ અને સક્રિય તટસ્થ નીતિને વેગ મળશે. ભારતની પાછળ કેવળ પંડિતજીનું વ્યક્તિગત નહીં પણ સંસ્થાગત તેમજ સમગ્ર ભારતનું ઘડાયેલું પીઠબળ (ગ્રેસ) હશે તે વિશ્વશાંતિને અજબ ચમત્કાર થશે. (૨૬-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરાજનીતિનાં પાસાંઓ-૨ ભારતના રાજકીય પક્ષ ] [ મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વની રાજનીતિમાં ભારતે મુખ્ય ભાગ ભજવવાને છે. તે માટે સર્વપ્રથમ ભારતના રાજકીય પક્ષે ઉપર વિચાર કરવાનું છે. આપણે એ નિર્ણય કરવાને છે કે જે પક્ષ અનુબંધની દષ્ટિએ ધર્મમય સમાજની રચના માટે વધુ અનુકૂળ છે. ભારતના રાજકીય પક્ષમાં આપણે ત્રણ વસ્તુઓ ચકાસવાની છે –(૧) તેને પાયે શું છે? (૨) તેનું પ્રેરકબળ કયું છે? (૩) તેનો ઉછેર અને વિકાસ કેવા સંજોગોમાં થયો છે. આ દષ્ટિએ જુદા જુદા પક્ષેને તપાસીએ – સામ્યવાદ : સામ્યવાદને પાયો મજુર સત્તાવાદ છે, તેની સાથે કેટલાક બુદ્ધિજીવીઓ વડે સત્તા ભોગવવી એ છે. દુનિયાભરના મજુરા અને શ્રમજીવીઓની સત્તા થાય અને સત્તા વડે મજર સરકાર ઊભી કરવી કે મજુર સરમુખત્યારશાહી આણવી એ જ એને પામે છે. સામ્યવાદનું પ્રેરકબળ વર્ગ-વિગ્રહ છે. બે વર્ગો વચ્ચે વિગ્રહથી અસંતોષ ઊભો થાય છે. એટલે તેઓ શ્રમિકોમાં તીવ્ર અસંતોષ પેદા કરાવી પિતાને સ્વાર્થ સિદ્ધ કરે છે. એટલે તેઓ શુહ કે અશુદ્ધ સાધનથી વર્ગ સંઘર્ષ કરવે-કરાવવો એ તેમની નીતિ રહે છે. એને ઉછેર કે વિકાસ અહીં થયો નથી. વિદેશમાં થયો છે. ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ આ હિંસાવાદી કે તેફાની પક્ષ કઈ પણ રીતે એગ્ય જ નથી. કેદી ચાલી-ચલાવીને યુદ્ધ કરવું આપણી ભારતની સંસ્કૃતિના ખમીરમાં નથી. આક્રમણ તે નથી જ. કેવળ સ્વસંરક્ષણ માટે પ્રત્યાક્રમણને સહારો લેવો પડે છે. તે વાત જુદી છે. આ સામ્યવાદી પક્ષ લોકવાસન માટે ઉપયુક્ત નથી. કેમવાદી પક્ષે : કોમવાદી પક્ષમાં હિંદુ મહાસભા, મુસ્લિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ લીગ, અકાલીદળ, રામરાજય પરિષદ, જનસંઘ વગેરે મુખ્ય છે. આ કોમવાદી પક્ષનો પાયો પિતાની જ કોમનું રાજ્ય થવું જોઈએ એ હેય છે. દા. ત. હિંદુરાષ્ટ્ર, મુસ્લિમ વતન કે એવું કંઈક. આવા કોમવાદી પક્ષોનું પ્રેરક બળ મૂડીવાદ અને ધમધતા હોય છે. તે મુડીવાદને પંપાળે છે, ધર્મને નામે લોકોના ઝનુનને ઉત્તેજન આપે છે. ઉશ્કેરે છે અને ધર્મની સામે ધર્મને લડાવે છે. આને જન્મ અને ઉછેર હિંદમાં થયો છે પણ તે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી. અહીંના ધર્મોએ માનવ-એકતા સ્થાપી છે ત્યારે કોમવાદે ધર્મના નામે માનવ માનવ વચ્ચે લડાઈ શરુ કરાવી છે. અહીં તે મિત્રતાની દષ્ટિએ જોવાની બધાને વાત છે કે “મિત્રય ચક્ષુષ સર્વાણિ ભૂતાનિ પસ્યામહે !આવી ઉદાત્ત ભાવના રહેલી છે. વર્ણોની ઉત્પત્તિ ધંધાની દષ્ટિએ કે કર્મની દષ્ટિએ થઈ. તેમાંથી ઉચ્ચ-નીચની ભાવના થઈને સવર્ણ અને અસવર્ણને ઝઘડો ચાલ્યો. પણ તેમાં ધર્મના નામે જે ઝઘડાઓ આ કોમવાદી પક્ષો ઊભા કરે છે તે ભારત માટે તે કાળા લંક સમાન છે. એવા કેમવાદે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવાનું ખૂન કરાવ્યું છે. કોમવાદી પક્ષ ઘણે જ ઝનુની પક્ષ છે. ઈતિહાસના પાનાંઓનાં પાનાંઓ તેનાથી થયેલ ઝઘડાઓ કે હત્યાઓથી ભર્યા છે. ગયા વિશ્વયુદ્ધમાં એ જ કોમવાદના નામે લાખ યહુદીઓની કતલ કરવામાં આવી. આઝાદી પછી હિંદ-પાકિસ્તાનના ભાગલા થતાં કોમી રમખાણોથી મોટી જાનમાલની નુકશાની થઈ છે. કોમવાદને પાયો સ્થાપિત હિત છે. તેનું પ્રેરકબળ મૂડીવાદ અને ધર્માધતા છે. ભારતમાં ઉછેર થયો હોવા છતાં તે ભારતને અનુકુળ નથી. કારણ કે આમાં જેમના હાથમાં નેતૃત્વ રહે છે તેઓ કતિ જાગીરદારો, જમીનદારો મઠાધિપતિઓ કે શ્રીમતો હોય છે અથવા તેમને ટેકો આપનાર વગર હેય છે. જેમણે ધર્મ-કર્મના નામે ગરીબ અને દલિતોને ચૂસ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પદલિત રાખ્યા છે અને ઉપર આવવા દીધા નથી. એવાને પંપાળીને સત્તા મેળવવાનો પ્રયાસ થાય છે, એટલે તે ભારતની રાજનીતિથી વિરૂદ્ધ જ છે, સમાજવાદી પક્ષે : આમાં પ્રજા સમાજવાદી, સંયુક્ત સમાજવાદી, કિસાન સમાજવાદી વગેરે સમાજવાદના લેબલવાળાં પક્ષોને સમાવેશ થાય છે. આ બધા પક્ષોને પાયો સત્તા દ્વારા ક્રાંતિ કરવી એ છે. ભારતની કોઈ દિવસ એ નીતિ રહી નથી કે સત્તા વડે ક્રાંતિ થાય. અહીં રાજા-મહારાજા પણ પ્રજામાં ન્યાય નીતિનું પાલન કરાવવા માટે રાજા થતા, સત્તા કે ભોગવિલાસ ભોગવવા માટે થતા નહીં. વચમાં જે કે રાજાઓ પણ આપખુદ બન્યા અને આજે રાજાશાહી ઇચ્છનીય પણ નથી રહી. આ સમાજવાદી પક્ષેનું પ્રેરક બળ ચૂંટણી કરવી, સત્તાસીન પક્ષને વિરોધ કરે-વગેવવો વગેરે છે. પણ આ પક્ષના મૂળભૂત આદર્શોને ઉછેર વિદેશોમાં થયું છે. એટલે એ પક્ષે ભલે લોકશાહીમાં માનતા હોય પણ એમની નીતિ ભારતીય સમાજવાદને અનુકૂળ નથી. કારણ કે ભારતમાં હંમેશા રાજ્ય ઉપર પ્રજા અને પ્રજાસેવકને અંકુશ રહ્યો છે ત્યારે વિદેશી સમાજવાદમાં રાજ્ય તંત્રને મહત્વ આપવામાં આવે છે અને એકહથ્થુ સત્તાનાં પણ જોઈ શકાય છે. આ પક્ષો જે કે લોકશાહી અને સમાજમાં માનતા હેઇને જાતિવાદ કે કેમવાદમાં માનતા નથી પણ કેટલીક વખત સમાજવાદના ભ્રમમાં સામ્યવાદવાળી નીતિને અપનાવી હિંસા-ભાંગતોડને ઉત્તેજન આપે છે. દેશવ્યાપી કર્મચારી હડતાલ વખતે એ પક્ષેને હાથ હતે અને તેમણે તેડફોડમાં ભાગ લીધે હતે. એમની વચ્ચે કોઈ ચોકકસ નીતિ નથી. તેનું ઘડતર પણ થયેલું નથી. આમાંથી મોટો ભાગ આઝાદી પહેલાં કોંગ્રેસમાં હતું અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાથી અનુસરે છે. પણ સ્વતંત્રતા મળ્યા બાદ, અણુને ટાંકણે ન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ દેશમાં સંકટ છવાયેલું હતું ત્યારે એક થવાને બદલે તેઓ છુટા થયા. ગાંધીજીએ તેમને કહેલું: “ તમે અત્યારે છુટા થાવ છો તે બરાબર નથી. ભગવાન પણ તમને માફ નહીં કરે ?” આ ઉગારો વ્યથાના હતા એટલે તે વખતે સમાજવાદનું મૂળ રૂ૫ અને સત્તાકાંક્ષા નજર સમક્ષ આવ્યાં. સમાજવાદી પક્ષો રાષ્ટ્રીય કરણમાં માને છે જ્યારે કોંગ્રેસ બધી બાબતોમાં તેને માનતી નથી. કોંગ્રેસનું ધ્યેય વિકેંદ્રીકરણ છે, તે રાજસ્થાન, આંધ્ર બે પ્રાંતિમાં થયું છે. પણ જ્યાં ધર્મમય સમાજ રચનાને મૂળ પાયો ન હોય ત્યાં આ બધું રાજસત્તા પ્રાપ્ત કરવા માટેની પડાપડીનું મેદાન બની જાય છે. સ્વતંત્ર પક્ષ : આ પક્ષમાં મોટા ભાગે જૂના રાજા-મહારાજા, જાગીરદારે કે જુનાં સરકારી તંત્રનાં માણસો મોટાભાગે છે. તેમનું કોઈ નિશ્ચિત સંગઠન નથી તેમજ એ લોકોના છાશવારે બદલાતા તેમજ એક બીજાથી વિરૂદ્ધ પડતાં નિવેદન ઉપર મદાર બાંધીને આગળ ન વધી શકાય. પ્રાંતીય પક્ષો : કોમવાદી પક્ષ પ્રાંતીય પક્ષો પણ છે. ખાસ કરીને દક્ષિણમાં એવા બે પક્ષેનું જોર વધારે છે. જેમાં દ્રવિડ–ઝ ઘમ (સંધ) અથવા દ્રવિડ મુનેત્રા કઝગમ (અગ્રગામી સંધ) તથા સંયુક્ત મહારાષ્ટ્ર વગેરેને ગણાવી શકાય. આવા પક્ષો ભારતની એકતાના વિધાતક હેઈને તેમની પાસેથી ધર્મમય સમાજ રચનાની આશા રાખવી વધારે પડતી છે. તે ઉપરાંત પણ બિહાર, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં પણ પ્રાંતીય રાજનૈતિક પક્ષો છે. પણ તેમનું લક્ષ કેવળ પિતાના પ્રાંત પૂરતું હોઈને તે બળો કે પક્ષે ધર્મમય સમાજ રચના માટે ઉપયોગી નથી. કેંગ્રેસ-(રાષ્ટ્રીય મહાસભા) : હવે કોંગ્રેસને તપાસીએ અને ચકાસીએ. કોંગ્રેસનો પાયો છે સંસ્થાનવાદથી મુક્ત કું અને વિશ્વના બીજા દેશોને મુક્ત કરાવવા. એને પાયો ધર્મમય સમાજ રચના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭. ઘણે જ અનુકુળ છે. એનું પ્રેરક બળ હતું સેવા માટે સ્વરાજય મેળવવું અને સ્વરાજ્ય મળ્યા પછી લોકોને ઉનન કરવા. ઉપરાંત તે કશાહી દ્વારા અહિંસા-સત્યની દિશામાં શાંતિમય બંધારણીય રીતે લોકોને વિકાસ કર એ એનું સૂત્ર છે. એને ઉછેર ભારતમાં થયો છે તે ભારતીય સંસ્કૃતિના વહેણોના સિંચનથી સિંચાઈ છે અને તપ-ત્યાગ-બલિદાન વડે તેનું ઘડતર થયું છે. બાપૂએ ૧૮ રચનાત્મક કાર્યક્રમો આપીને તેને ઘડવા સાથે દેશનું પણ ઘડતર કર્યું હતું. સ્વરાજ્ય પહેલાંને એને ૬૨ વર્ષને ઈતિહાસ છે. ભારતના ઉચ્ચ કોટિના ત્યાગી બુદ્ધિશાળી અને સેવાભાવિ લોકોનું અને મુખ્યત્વે રાજનીતિમાં ધર્મત્વનો પ્રવેશ કરાવનાર ગાંધીજીનું અને નેતત્વ, સ્વરાજ્ય પહેલાં મળ્યું હતું અને સ્વરાજ્ય બાદ જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, જેવાનું એને નેતૃત્વ મળ્યું. આજે પણ તેમને વારસ મળેલ છે અને તેમાં ઘણાં રત્નો છે. આમ છતાં પણ એમાં સત્તા મળ્યા બાદ ઘણું અનિષ્ટોને પ્રવેશ થયો અને કેટલોક સડો વ્યાપ્ત બન્યા છે. તેનું કારણ એ છે કે કેવળ સત્તા માટે આ સંસ્થામાં પ્રવેશી જનારા તકવાદી લેકે ભળી ગયા. સત્તા મળ્યા પછીનાં દુષણનો થતો ફેલાવે, સત્તા માટે તેણે ધ્યેય વિરૂધ્ધ કોમવાદ અને પ્રાંતવાદ સાથે મેળવેલા હાથે છે, જેની ભૂલ કોંગ્રેસને પાછળથી સમજાઈ છે. છેલ્લે છેલ્લે કામરાજજના વડે કોંગ્રેસે પાછું પોતાનું એ ધ્યેય સ્વીકાર્યું છે તેનું મુખ્ય કામ સેવા છે, સત્તા નથી એટલે એમાં પેઠે સડે દુર કરી શકાય તેમ છે. તે માટે ગ્રામસંગઠને, લોકસેવક સંગઠને વડે તેની પાસેથી સામાજિક, આર્થિક ક્ષેત્રે દૂર કરવાથી તે ઘણું કામ કરી શકશે. કોંગ્રેસ માટે પ્રેરક અને પુરક બળો હોય તો તેની શુદ્ધિ અને પુષ્ટિ બને એકી સાથે થાય. આ વાત કેસના મોવડીઓ સ્વીકારે છે. બીજ પક્ષે કરતાં કોંગ્રેસ વધારે અણનમ રહી છે. ઘણીવાર સગવશાત અનિશ્ચિત બની જાય છે. તેને ગ્રામસંગઠને વડે મતદાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નિશ્ચિંતતા મળે તે સિદ્ધાંતથી હઠવાનો પ્રશ્ન ઉભો જ ન થાય. આવા સમયે પ્રબળ પ્રેરક બળોએ પણ તેને પ્રેરણા આપવી જોઈએ. જે આમ થાય તે તે દેશ અને વિશ્વ માટે ઘણું કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતીય તટસ્થ નીતિ અને સંસ્કૃતિને અનુકુળ અન્ય પક્ષો કામ કરી શકે એવા નથી. માત્ર ભારતીય રાષ્ટ્રીય મહાસભા જ (કેગ્રેસ) એમાં સફળ થઈ શકે છે અને થઈ છે. ૫. જવાહરલાલ નેહરૂની રાહબરી નીચે કોંગ્રેસ (રાષ્ટ્રીય મહાસભા) દ્વારા સર્વ પ્રથમ કોલંબમાં તટસ્થ રાષ્ટ્રની એક પરિષદ ભરાઈ હતી. તેને ઉદ્દેશ એ હતું કે આજે દુનિયાના રાષ્ટ્ર મોટે ભાગે બે મહાસત્તાના જુથમાં વહેંચાઈ ગઈ છે, એને લીધે અથડામણો, સંઘ અને આક્રમણ થાય છે, શાતિ રહેતી નથી. એટલે કમમાં કમ આફ્રિકાના નવોદિત સ્વતંત્ર રાષ્ટ્રો અને એશિયાનાં સ્વતંત્ર રાષ્ટ્રોએ મળીને “પંચશીલને સ્વીકાર કરવો જોઈએ, તે આ પ્રમાણે હતા :– (૧) સહઅસ્તિત્વ, (૨) સાર્વભૌમત્વ, (૩) અનાક્રમણ, (૪) અહસ્તક્ષેપ અને (૫) પરસ્પર સહયોગ. આનો વિશેષ ખુલાસે કરવાને અહીં પ્રસંગ નથી; પણ આનાથી એક ફાયદો એ થયો કે સંસ્થાનવાદી દેશે (દા. ત. અમેરિકા, બ્રિટન, ફોસ વ.) અને સામ્યવાદી દેશમાં સમતુલા આવી ગઈ. જો કે વચ્ચે-વચ્ચે કેટલાક અથડામણના પ્રસંગો બન્યા પણ મોટે ભાગે આનાથી મોટો લાભ થયો. ત્યાર પછી બીજી પરિષદ બેલગ્રેડમાં ભરાઈ, જેમાં આફ્રિકા-એશિયાનાં રાષ્ટ્રોએ આ પંચશીલના સિદ્ધાંત ઉપર મહોર છાપ મારી અને ૬ કે ૮ રાષ્ટ્રોએ સક્રિય તટસ્થતા (કોઇ પણ જુથમાં નહિ ભળવાની વાત) સ્વીકારી. ત્યાર પછી સંયોગો બદલાયા અને ચીને ભારત ઉપર આક્રમણ કર્યું, ભારતનો કેટલાક પ્રદેશ પચાવી પાડશે. એટલે ફરીથી તટસ્થ રાની એક પરિષદ કલબમાં ભરાઈ ગઈ; જેમાં ચીન-ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ઝાડાને આપસમાં નિકાલ થવાની તટસ્થ ભૂમિકા કલબ સત્તાએ પૂરી પાડી અને એના પ્રયત્નોથી એટલું થયું કે કેટલીક ચેકીઓ, જેના ઉપર ચીને કજો કરી લીધું હતું તે છોડી દીધી. હજુ કેટલીક બાકી છે. પણ પ્રયત્ન ચાલુ છે. ચીને કલંબે પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. ભારતે પંડિતજીની રાહબરી તળે અક્ષરશઃ સ્વીકારી જગતભરમાં પિતાની ઊંડી સક્રિય તટસ્થાની છાપ પાડી છે કે શાંતિથી પતાવટ કરવાની ભારતની નેમ છે.* અહિંસા, પ્રેમ, સહઅસ્તિત્વ શાંતિપૂર્ણ છતાં સક્રિય તટસ્થતા આ બધા આદર્શોને આજને વિશ્વ વ્યાપી પ્રચાર માટે ભાગે કોંગ્રેસને આભારી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અહિંસાના પ્રચાર માટે કોગ્રેસ જ માધ્યમ બની શકે છે. ગ્રામ સ્વરાજ્ય, શાંતિ સેના તેમજ શુદ્ધિ પ્રયોગોમાં કેગ્રેસ જ વધારે મદદરૂપ થઈ શકે. એટલે અનુબંધની દષ્ટિએ કોંગ્રેસ પક્ષજ સહુથી વધારે સમર્થ છે તે નિર્વિવાદ છે અને તેને પ્રેરક-પૂરક બળ વડે ટેકે આપી આદર્શ બનાવવી રહી. ૧૪ પક્ષ, સત્તા અને રાજકારણ શ્રી દુલેરાય માટલિયા • પક્ષ દ્વારા સત્તા વધારી, રાજકારણ ચાલવું જોઈએ એ યુરોપના રાજનીતિને મત છે. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં એક પક્ષને પછાડીને બીજો પક્ષ સત્તા ઉપર આવે એ પરંપરા જોવામાં આવતી નથી. અગાઉ રાજા હતા અને ગણતંત્ર આવ્યું ત્યારે નેતા ગણનાયક બને પણ આ બન્ને ઉપર પ્રજાનું નિયંત્રણ હતું. • કાહિરામાં તાજેતરમાં મળેલ વટસ્થ રાષ્ટ્રોની પરિષદે એ ઠરાવ પસાર કર્યો છે કે કોઈ પણ સીમા વિવાદ આક્રમણથી પતાવ નહિ, શાનિથી સમજતાથી અને મધ્યસ્થતાથી પતાવ. આક્રમણકારને મળેલો વાલ અણુ ધડાકા બંધ કરાવવા એવું એવું કહીને એ પુરવાર કર્યું કે ચીન-ભારત સીમાવિવાદને નિકાલમાં ભારતને આ તટસ્થ રાષ્ટ્રોને નૈતિક ટકે જ છે –સંપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ પક્ષેની હરિફાઈ ગ્રીસમાંથી આવી. ત્યાં એની શરૂઆત પણ થઈ ત્યાં બે પક્ષો હતા. (૧) જમીન ઉપર નભનારા જમીનદારો અને (૨) વેપારી. એટલે ગ્રીસનું રાજ્યતંત્ર ભદ્ર લોકોના હાથમાં હતું. એમાં કેટલાક વિચારક લોકો પાકવા. જેમણે રાજકારણની રીતે લોક ઘડતરમાં મોટો ફાળો આપ્યો. જમીનદારોની આપખુદી હતી. તેઓ લેકે ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરતા હતા. વેપારી અને કારીગર મળેલા હતા. તેમને પણ આ પ્રભુત્વ અકળાવતું હતું. પણ તેઓ બોલી શકતા ન હતા. આ પ્રભુત્વને દૂર કરવા માટે ગ્રીસમાં પક્ષ પદ્ધતિ ઊભી કરવામાં આવી, હવે પ્રશ્ન એ થયો કે ગ્રીસના રાજ્ય ઉપર પ્રભુત્વ કેવું રહે? એમાંથી પ્રતિનિધિ પ્રથા ચાલુ થઈ કે રાજ્ય પ્રજામાંથી ચુટેલા પ્રતિનિધિઓ ચલાવે. પણ જમીનદારોની આપખુદી દુર કરવી અને રાજ્ય પ્રતિનિધિઓને સોંપવું એ સરળ વાત ન હતી. પેટ્રન (મુરબ્બી) પેટ્રી એટ (દેશભકત) એ બન્નેને સાંકળીને રાજ્યના પ્રતિનિધિ તરીકે નીમવાને વિચાર થયે. ઉમરાવોની-જમીનદારોની રાજ્ય ઉપર જે પકડ હતી તેને તેઓ છોડવા માગતા ન હતા. એવામાં આમ જનતાએ હડતાલ પાડી. ઉમરાવોનું કામ આમ જનતા વગર ચાલી શકતું ન હતું એટલે તેમણે તાત્કાલિક તે નમતું જોખ્યું પણ પાછળથી લોકોના પ્રતિનિધિએમાંથી કેટલાકને ફાંસીએ ચડાવ્યા અને કેટલાકને ઝેર આપ્યું. એ જ અરસામાં રોમમાં પણ એ પ્રશ્ન ઊભું થયું કે નવી પરિસ્થિતિમાં જેમ ગ્રીસમાં રાજ્ય ઉપર આમજનતાનું પ્રતિનિધિત્વ રહે. કે જમીનદારોનું? તેમ રોમમાં રાજ્ય કેણ ચલાવે ધર્મગુરુ કે સમ્રાટ ધર્મગુરુ (પિપ)નું પ્રભુત્વ લોકો ઉપર ઘણું હતું પણ ધીમે ધીમે તેઓ રાજ્યાશ્રિત થતા જતા હતા; અને વિલાસ-આરામ પણ વધારે કરવા લાગ્યા હતા. તેથી તેમનું પ્રભુત્વ ઘટી ગયું અને તે વખતના સમ્રાટે કહ્યું : “ધર્મ કર્મ અને પરલોક સંબંધી તમારી સત્તા રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પણ રાજય ચલાવવામાં મારી સત્તા રહે તેમાંયે ગાદી ઉપર બેસવા માટે તમારી આજ્ઞા રહે !” પણુ, ધર્મગુરુઓ વધારે રાજ્યાશ્રિત બની ગયા અને વૈભવવિલાસમાં ડૂબવા લાગ્યા. ધર્મ યુદ્ધો (કુઝડ) થયાં. તે અરસામાં કેટલાક ખ્રિસ્તી સતિએ પાપલીલા ઉઘાડી પાડી, લેકોને જાગૃત કર્યા. અને લેકહા ધર્મ ગુરુઓ પ્રત્યેની ઓસરતી ગઈ. લોકોને નવી રાષ્ટ્રીયતાને ખ્યાલ આવ્યો. લોકોએ બળવો પોકાર્યો અને રોમનું રાજ્યતંત્ર બદલાયું. રાષ્ટ્રવાદી પ્રતિનિધિઓ રાજ્ય ચલાવવા માટે નીમવામાં આવ્યા. પછી પ્રશ્ન છે કે બધા અમીર-ઉમરાનું શું કરવું? ઈંગ્લાંડે તેને વચલા ભાગને તોડ કાર્યો કે ત્યાં બે લોકસભા રહે. લોર્ડ સભા અને પાર્લામેન્ટ (લેક સભા), જનસંસદ, ધારાસભા જે કંઈ કાયદા કાનૂન બનાવે તે બને સભાની સંમતિથી પાસ થાય. આમ ઈગ્લાંડમાં લોશાહી રમથી આવી, જેમાં પ્રતિનિધિ-શાસન ચલાવવામાં આવતું. પણ તેમાં ગરીબો કે અવિકસિત ઉપનિવેશના દેશોનું કાંઈ પણ સંભળાતું ન હતું. આ જે નવી લોક્શાહીને ઉદય થશે તેમાં બેત્રણ વિચાર ધારાના લે કો હતા :– (૧) કેટલા એમ માનતા હતા કે ભારત, આફ્રિકા તેમજ બીજા દેશો આપણું તાબામાં છે તે ત્યાં આપણી સત્તા ચાલુ રહેવી જોઈએ. આ લેકે સંસ્થાનવાદી કે સામ્રાજ્યવાદી હતા. (૨) કેટલાક એવા મતના હતા તે પ્રદેશોને સ્વતંત્ર કરી નાખવા જોઈએ જેથી તેઓ લેકશાહીની ઢબે રાજ્ય કરી શકે. (૫) કેટલાક એ મતના હતા કે જાકાત વધારવી જોઈએ અને તે દેશમાં આપણે માલ મોકો જોઈએ જેથી વિશ્વના બજારમાં આપણે વેપાર કરી શકીએ; આપણે દેશ સમૃદ્ધ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પણ તે દરમ્યાન આ બધા ગૂંચવાડા અને મતભેદના કારણે ઈંગ્લાંડના રાજકારણને કેવી રીતે ઘડવું એ વિચાર મહત્વનું બની ગયો. ડલ, ફેકસ વગેરે એ મતના હતા કે અમેરિકાને સ્વતંત્રતા આપી દેવી. ચાર્લ્સને કાઢવા માટે ઈગલાંડમાં પ્રજામત કેળવાતો હતો. પ્રજાના જુદા જુદા મત હતા. ત્યાં એક કરાર થયો કે પ્રજામત ઘડવા માટે પ્રજા પાસે જવું જોઈએ. જેની બહુમતિ થાય તેને મત આપવા. લડાઈ થાય તે મોટી જાનહાનિ અને માલહાનિ થાય એટલે રાજ્ય લડાઈથી નહીં; પણ મતથી ચાલવું જોઈએ. આ રાજય પદ્ધતિમાં ન વળાંક હતો. એનાથી એમ નક્કી થયું કે રાજ્ય ચલાવવા માટે જે હિંસા, અસત્ય કે આંતરવિગ્રહને આધાર લેવાતો તેના બદલે અહિંસા, સત્યની દિશામાં આંતરવિગ્રહથી દૂર રહીને લેકશાહી રીતે રાજય ચલાવવાની નવી પદ્ધતિ કાયમ થઈ જેને મત જોઈતા હોય તે લોકો પાસે પિતાના આદર્શો લઈને જાય, લોકોને પ્રજામત જાગૃત કરે અને લેકની બહુમતિ મેળવીને તે ચૂંટાઈ આવે અને રાજ્યનું કામ ચલાવી શકે. તેનું મંત્રીમંડળ હોય તે શાસન ચલાવવામાં સીધે ભાગ લે. જેને પોતાની વાત રાજ્ય વડે મંજૂર કરાવવી હોય તે પક્ષ પાંચ વર્ષના ગાળામાં લોકોને પિતાના વિચારે વડે ઘડે, બહુમતિ મેળવે અને રાજ્ય સત્તા દ્વારા સુધારા-વધારા કરે. પણ આ પાંચ વર્ષ દરમ્યાન જે સત્તા ઉપર રહેલો પક્ષ અન્યાય કે અનીતિ આદરે તે તેને અટકાવે કોણ? પિતાના ચુંટણીના જાહેરનામા પ્રમાણે તે ન વર્તે તે તેને રોકનાર કોણ? રાજ્યની નીતિ પ્રજાહિતની વિરૂદ્ધમાં હોય તે પ્રજાને જાગૃત કરે કોણ? તેને ઉકેલ વિરોધ-પક્ષ રચવામાં આવ્યો કે જેને સત્તાની વાતે અન્યાયી અને અનીતિપૂર્ણ લાગતી હોય તે સતાની ભૂલો બતાવે–સુધારે. આવો પક્ષ વિરોધ-પક્ષ કહેવાયો. બન્ને પક્ષોને સત્તા ઉપર રહેલ તેમજ વિરોધ પક્ષ ઈંગ્લાંડના રાજા પગાર આપે, આદરમાન આપે, બન્ને પક્ષને માન આપવાથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ રર૩ His Magesty's Party કહેવાથી ત્યાંને વિરોધપક્ષ નામનો કે ટીકા કરનારે વર્ગ ન રહ્યો પણ સક્રિય વિરોધ કરી, સત્તાને મદમાં ન છકાવી દેનાર અંકુશ જે સબળ પક્ષ બન્યો. ભારત અને લેકશાહી : આપણે ત્યાં યુરોપની લોકશાહી આવી. એટલે વિરોધ પક્ષ હેજ જોઈએ એવી વાત જે શેરથી ચાલવા લાગી. જે પક્ષ પાસે જે વાત [ સત્તા ઉપરના પક્ષથી અલગ ] હોય તેને અમલી બનાવવા માટે સત્તા મેળવવી જોઈએ. એમ ભારતના સમાજવાદી વિચારના લોકોના મનમાં થયું. એક વખતે કૃપલાનીજી અને લોહિયા જેવા નેતાઓ ગાંધીજી સાથે બેસીને વિચાર કરતા હતા. ત્યારે ગાંધીજીએ કદિ ભારતીય લોકશાહીમાં વિરોધી પક્ષની વાત નહોતી કરી. ગાંધીજી નહતા માનતા કે લેકશાહીમાં વિરોધ પક્ષ લેવો જ જોઈએ. તે તે એમજ કહેતા કે શાણું (ડાહ્યા) લોકોનું રાજ્ય હોવું જોઈએ. હિંદ-સ્વરાજ્યમાં તેમણે આ વસ્તુને ખુલાસો કર્યો છે. જે પરિસ્થિતિમાં સ્વરાજ્યનો વિકાસ થયો તે વખતે વિરોધ પક્ષ હવે જોઇએ, એવી માન્યતા કેટલાક રાજકીય લોકો ધરાવતા હતા. પણ આ પક્ષ યુરોપના રાજકારણ સુધી ઠીક હેઈ શકે પણ ભારતમાં આવા વિરોધપક્ષના બદલે શોધક પક્ષની જરૂર હતી અને છે. આજે કોંગ્રેસ સત્તા ઉપર રહેલ પક્ષ રૂપે છે. તે તપ, ત્યાગ અને બલિદાનથી ઘડાઈ છે. તેના ઘડતરને ભવ્ય ઈતિહાસ છે. તે છતાંયે સત્તા મેળવ્યા બાદ તે એ બમમાં છે કે રાજ્ય વડે જ ભારતનું ઘડતર થઈ શકશે. તેથી એ પક્ષ સેવા–ત્યાગના ભાવને ભૂલી જઈને રાજસત્તા ને કેમ ટકાવવી અને કેટલી બાંધ છોડ કરવી એમાં જ પોતાની વધારે પડતી શકિતને ખર્ચે છે. આથી લોકસેવાનું ધ્યેય એક બાજુએ રહી જાય છે. ગ્રેસનું સમર્થન આંખ મીંચીને કરવું જોઈએ એમ કહેવાનું નથી, પણ આજે ભારતમાં જે પક્ષે કાર્ય કરે છે તેમાંથી જે એકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પસંદગી કરવાની હોય તે કોંગ્રેસને જ પસંદ કરવી જોઈએ. આ અંગે જરા વિસ્તૃત ખુલાસો કરીએ. જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન હતું ત્યારે તેમણે બંગાળના બે ભાગ ર્યા (આગળ જતાં એ ભાગલામાં એક ભાગ સ્વરાજ્ય પછી પાકિસ્તાનને ગયો ત્યારે તેની વિરૂદ્ધ બંગાળીઓએ બંગભંગ આંદોલનના શરૂ કર્યું તે વખતે બંગાળમાં રાજા રામ મોહનરાયે સર્વપ્રથમ રવરાજાને નાદ કાઢયો. દાદાભાઈ નવરોજીએ એમાં સાદ પુરા. અંગ્રેજોએ કુટનીતિ વાપરી અને હિંદુ-મુસ્લીમ લીગની સ્થાપનાને ઉત્તેજન આપ્યું. એવી જ રીતે તેમણે હિંદુઓને પણ અલગ ચડાવ્યા. હિંદુમહાસભાની સ્થાપના થઈ હિંદુ-મુસ્લીમોએ એક બીજાને દ્વેષની નજરે જેવું શરૂ કર્યું અને તેમાંથી કોમી રમખાણો શરૂ થયા. આ તરફ જાગીરદારોને તેમની હકક સલામતી કાયમ કરી પ્રજાને કચડવા માટે ઉત્તેજન આપ્યું અને રાજાઓનું નરેંદ્ર મંડળ સ્થાપ્યું. પ્રજાના દમનને કાર્યક્રમ રચાયે. અંગ્રેજોની ફાટફૂટની (Devide & Rule) નીતિ કેટલી ઊંડી હતી તેને ખ્યાલ એનાથી આવશે કે તેમણે મેગલ, પેશવાઓ અને શીખોને કદિ મળવા ન દીધા. મુસલમાનમાં મેગલાઈ ગયાને રેષ હત; પેશવાઓમાં શિવાઈ લાવવાની ઝંખના હતી અને શીખ રાજા રણજીતસિંહે પંજાબની સરહદ કાશ્મીર સુધી વધારી લીધી હતી. આ ત્રણે ભેગા ન મળે તે રાષ્ટ્રીય બળ કાયમ ન થાય. અંગ્રેજોએ ત્રણેને અલગ રાખવાની ચાલ રચી તેને કોઈ ન સમજી શક્યું. તેણે મુસ્લિમોને પંજાબ, દિલ્હી, સિંધ, બંગાળ, યૂ.પી.માં ઊભા કર્યા. તેથી મૌલવીઓએ મુસ્લિમ-રાજ્યને નારો ગજવ્યો અને અલાહ–હે–અકબર કરીને તેમણે મુસ્લિમોને એ રાજ્ય હાથવેંતમાં છે તેમ દેખાડયું. આ મુસલમાનના વધતા જોશે પંજાબમાં શીખ હિંદુઓને ભડકાવ્યા અને મહારાષ્ટ્રમાં હિંદુઓ ને હિંદુ મહાસભામાંથી રાષ્ટ્રિય સ્વયંસેવક દળ ઊભું થયું. તેમણે હિંદુ રાજ્યને નાર ગૂંજવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ આર્ય સમાજ પણ તેમાં ભળ્યો; કેટલાક સાધુ લોકો પણ રામ રાજ્યના નામે ભેળા થઈને ચડયા અને તેમણે તે કોને ચડાવ્યા. હિંદમાં સ્વરાજ્ય અને એકતાના બદલે હિંદુ-મુસ્લિમ બે ભાગ પડી ગયા અને લોકોનાં તપત્યાગ અને બલિદાન પછી ભારતમાતાના બે ટુકડા થઈને ભારત-પાકિસ્તાન રૂપે ખંડિત સ્વરાજ્ય આપણે ત્યાં આવ્યું. આ ઝનુન કેટલું મોટું હોય છે. તેને ખ્યાલ તો ભાગલા પૂર્વ અને પછી થયેલા અનેક નિર્દોષ લોકોની હત્યાથી ભરેલા રમખાણે પરથી આવી શકે છે. તેની પરાકાષ્ટા રૂપે આપણું પૂજ્ય બાપુજી મહાત્મા ગાંધીનું રાષ્ટ્રીય સ્વયં સેવક દળના કહેવાતા નથુરામ ગોડસે જેવા માણસના હાથે ખુન થયું. R. S. S. (ટું નામ)નું બળ ત્યારબાદ ઠંડુ પડી ગયું. તે ટકી શકે તેમ ન હતું એટલે તે લેકેએ એ જનસઘ ઊભો કર્યો અથવા રામરાજ્ય પરિષદના નામે, ગાંધીજીની કલ્પનાના નામે ચરી ખાવાની તેમણે યુક્તિ કરી. આ જનસંધવાળાઓ કહે છે કે “ અમારો એક આદર્શ સમાજવાદ છે. તેની વર્ણવ્યવસ્થા જૂની છે. અમે ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ સૌને સમાન ગણીએ છીએ. મુસ્લિમો સાથે અમને દ્વેષ નથી; તેમ જ અમારે મન હરિજન અને વણિક બને સરખા છે. આજે સરકાર સમાનતાની વાતો તે કરે છે પણ આચરણ કરતી નથી. તે વણિક બ્રાહ્મણ વગેરેની ઉપેક્ષા કરી હરિજન. હે કે પછાત વર્ગને અને અમલમાનેને પક્ષપાત કરી તેમને વધારે સગવડ આપે છે, તે બરાબર નથી. આમાં સમાનતા ક્યાં રહી? આજે તો વણિકને ધંધો બરાબર ચાલતું નથી અને વાણિઓ ધંધે ન ચાલવાના કારણે પછાત છે. બ્રાહ્મણે તે વળી ભીખ માંગીને પેટ ભરતા હોય છે. તેથી તેમને વધારે સગવડ સરકારે કરી આપવી જોઈએ.” આમ જનસંધ ઉચ્ચ વર્ષમાં પાયાથી જ ગૌરવચયિને કાયમ રાખવાની વાત કરે છે. તેથી પછત વર્ગને આગળ આવવાની પ્રક્રિયા બંધ થતી જણાય છે. તેઓ અસંતુષ્ટ થઈને બીજા ધર્મ-કોમામાં જશે તેનો વિચાર કરતા નથી. નથી “ષ્ટિએ ને , બને સર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આ તરફ મુસ્લિમ અલગતાવાદના પ્રચારના કારણે ઘણા લોકો સંયુક્ત વિશાળ મુસ્લિમ રાષ્ટ્રની વાતો કરવા લાગ્યા છે. તેઓ મુસ્લિમ રાષ્ટ્રોને પ્રલોભન આપે છે કે દુનિયાભરના મુસિલમ રાષ્ટ્રો એક થાય તે એક બીજા મુસ્લિમ રાષ્ટ્રો એક બીજાને સવિશેષ મદદરૂપે થઈ શકે. પણ તેમની અંદરખાનેની નીતિ એટલે કે મૂડીવાદી જૂથ (બ્રિટીશ અને અમેરિકન )ની નીતિ એવી છે કે જે ધર્મના નામે આ રાષ્ટ્રો ઊભાં થાય તો તેમની શકિત ભલે આપસમાં લડવામાં ખર્ચાય અગર તે આંતરવિગ્રહમાં તેઓ કામ આવે. જે ધર્મના નામે રાજ્યની વાત આવશે તો ફરી ધર્મયુદ્ધો જાગશે. પશ્ચિમના રાષ્ટ્રો તે વખતે હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્રોને સામસામા ઊભાં કરશે. આવી નીતિ બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિતકર હોઈ શકે પણ હવે આ ધર્મયુદ્ધોમાં મુસ્લિમ-તુકે, મુસ્લિમ-યહદી કે ઈસાઈ–મુસ્મિમ અને ઈસાઈ-યહુદીનાં યુદ્ધો પણ ફાટી નીકળે તે ભય છે અને એનાથી પણ મોટે ભય એ છે કે ધર્મના નામે મરી ફીટતા દેશની શેષિત પ્રજામાં સામ્યવાદ ન પ્રસરી જાય. ચીન તે રીતે સામ્યવાદની છાવણીમાં ફેરવાઈ ગયું અને આફ્રિકાના કેટલાક દેશે તેમ જ સૂદૂર પૂર્વના એશિયાઈ ટાપુઓમાં પણ તેને સંચાર ચાલુ થયું છે. એટલે ધમના આંચલા નીચે ઊભા થયેલા કોમવાદી પક્ષને સમર્થન કેઈ પણ રીતે ન આપી શકાય. હવે સ્વતંત્ર પક્ષને લઈએ. એને રાજાજીએ ખે છે. તેઓ રાજનીતિના ચાણક્ય ગણાય છે અને ગાંધીમંડળના સૂર્ય ગણતા. પણ હવે તેમણે કોંગ્રેસની સામે પગલાં માંડયા છે. તેમનું કહેવું છે કે કેગ્રેિસ મધ્યમવર્ગ, જમીનદાર તેમજ નરેદ્રોના કાર્યમાં ડખલગીરી કરે છે અને તે વધી ગઈ છે. એટલે કોઈ સ્વતંત્ર સાહસ કરી શકતું નથી. રાજ્યની વધતી જતી ડખલગીરી અને આપખુદી સત્તાને રોકવી હોય તે નો સ્વતંત્ર પક્ષ ઊભો કરી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ નહીંતર ધીમે-ધીમે કોંગ્રેસ સામ્યવાદ તરફ ઘસડાઈ જશે અને દેશ સામ્યવાદ બની જશે. - હવે જે સ્વતંત્ર પક્ષ આવે તે શું થાય? તે જોઈએ. તેના કારણે માલિકી હકક વધે; સ્થાપતિ હિતો વધે અને પાછું પણ ચાલું થઈ જાય; નકારી પણ વધતી જાય. રહી સામ્યવાદને રોકવાની વાત. તેને તે શેલણથી પોષણ મળે છે. વિયેટનામમાં સ્વતંત્રતાની લડાઈ માટે અને સામ્યવાદને એકવા કેઈ સ્વતંત્ર પક્ષવાળો ન ગયો કે ન કોઈ કોરિયાની મદદે ગયું. ત્યાંના ૨૫ થી ૩૦ ટકા માણસે માર્યા ગયાં છતાં સામ્યવાદ ન અટકી શકે. ભારતમાં એક તરફ નફાખોરીને ઉત્તેજન આપી આંતર-વિગ્રહને વધારે છે. આ બન્નેને મેળ બેસન નથી. આ સ્વત ત્ર પક્ષને ટેકો આપી શકાય નહીં. હવે જે લેકશાહી છે. ત્યાં સમાજવાદને રાજ્યદરા આણી શકાય એવું પણ ઘણા માને છે. એમ થાય તે વ્યક્તિના ચૈતન્યને વિકાસ અટકી જાય અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય ન ખીલે. આમ તે કોંગ્રેસ પણ નાના નાના છટકા, પંચાયતો વડે સત્તાનું વિકેન્દ્રીકરણ ને લેકશાહી લાવવાને આધ્ર અને રાજસ્થાનમાં પ્રયોગ કર્યો છે, ગુજરાતમાં કરવા માગે છે પણ તેમાં જે કડી ખૂટે છે તે એક તે જનસંગઠન વડે થવું જોઈએ; નકે રાજય વડે. તે માટે મૂડીવાદ કે સ્થાપિત હિતવાદને પોતા સ્વતંત્ર પક્ષની જરૂર નથી પણ વિકન્દ્રિત લેકશાહી માટે નીતિ નિષ્ઠજન-સંગઠને અને ધર્મલક્ષી જનસેવક સંગઠનની વધારે જરૂર છે. હવે સમાજવાદને માનનારાં ત્રણ પક્ષે રહે છે -કોગ્રેસ, સમાજવાદી અને પ્રજા સમાજવાદી પક્ષ. આ ત્રણેય લોકશાહીને માને છે. ત્રણેની એકતા અને જરા વિગતવાર જોઈ એ. ડો. લોયા સમાજવાદી જૂથમાંથી હમણાં જ છૂટા પડયા. સમાજવાદના બીજા કર્ણોધાર આચાર્ય કૃપલાણી હા. જેઓ તેમાંથી છૂટા પડયા હતા અને તેમણે કૃષક સમાજવાદી પક્ષ રો હતે. આ કૃપાલાણીજી જ્યારે કોંગ્રેસના પ્રમુખ થયેલા ત્યારે તેમણે કહ્યું. “ ગ્રેસમાં બીજા વિચારની પાંખ ન હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કાંગ્રેસમાં, કોગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે બીજે પક્ષ નહોવો જોઈએ !” પણ અંતે મતભેદ થતાં તેમણે ન પક્ષ સ્થાપ્યો. સમાજવાદી પક્ષમાં મુખ્ય પ્રમુખ વ્યક્તિ તરીકે જયપ્રકાશ નારાયણ છે. તેઓ કદિક ભૂદાનમાં જઈને સેવાની વાત કરે છે તે કદિ પાછા સક્રિય રાજનીતિમાં ઝંપલાવે છે. જયપ્રકાશજી પહેલાં કોંગ્રેસમાં હતા. સ્વરાજ્ય મળ્યા બાદ તેમની સરદાર પટેલ સાથે વાત થઈ અને તેમનામાં પૂર્વગ્રહ બંધાયે કે પટેલ તો બિસ્માર્ક બનવા ઈચ્છે છે. તેવામાં રિયાસત-રજવાડાઓનું એકીકરણ થતાં તેમની શંકા વધારે દૃઢ થઈ. તે અરસામાં નોકરીયાત વર્ગના હિતોની રક્ષા જળવાઈ; તે માટે મીલમાલિક અને ઉદ્યોગપતિઓને સરદારે તેડાવ્યા. જયપ્રકાશજીએ ઊંધો અર્થ કાઢયો કે કેગ્રેસ મૂડીવાદી સંસ્થા બનવાની છે. તેમની આ અધીરાઇમાં તેમણે ઉતાવળે સમાજવાદી પક્ષ ઊભો કર્યો. પણ તેનું ઘડતર ન થયું. અરૂણા અસફઅલી ક્રાંતિકારી સમાજવાદી પક્ષ રચવા છૂટા પડયાં અને અંતે હમણું કોંગ્રેસમાં જોડાયા. લોહિયાને પણ અલગ પક્ષ હવે જોઈએ એમ લાગ્યું અને તેમણે ન પક્ષ ઊભો કર્યો પણ આમાંથી કોઈનું લોકશાહી ઢબે ઘડતર થવા પામ્યું નથી. એટલે તે લેકેમાં અસંતોષ ફેલાવવા સિવાય કંઈ કરી શકે એમ લાગતું નથી. એની વિરૂદ્ધમાં કોંગ્રેસમાં શું થયું? એ અગાઉનેકરી મેળવવાની સંસ્થા રૂપે ગણુઈ તો તેમાં ઘણા નેકરિયાત વર્ગના માણસો આવ્યા. પછી તેની પ્રતિષ્ઠા વધતાં-પ્રતિષ્ઠા માટે લોકો તેમાં દાખલ થયા. ધીમે ધીમે નેતાગીરી કે વર્ચસ્વ માટે વકીલે, ડોકટરો અને શિક્ષિત સમાજ એમાં દાખલ થયો. તેમાં એનીબેસ. હોમરૂલ વડે સ્વરાજ્ય અને સ્વદેશીની ચળવળ લાવ્યા. તિલક અને ગોખલેએ તેને સેવકોની સંસ્થા બનાવી; ગાંધીજીએ તેને દેશની સમૂળી ક્રાંતિનું વાહન બનાવ્યું જ કામરાજ યોજના આવ્યા પછી અને ભુવનેશ્વરમાં કોંગ્રેસ અધિવેશન થયા બાદ અશોક મહેતાને માનનારે સમાજવાદી વર્ગ કોંગ્રેસમાં ભળે છે તે શુભચિન્હ છે.–સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ અને લોકોને સંગઠિત ક્રાંતિ માટે તૈયાર કર્યા. તેમની પાસે જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ જેવા કાર્યકરો ઉપરાંત ઉચ્ચ કોટિની બલિદાનની ભાવનાવાળા લાકે આવ્યા. ૧૯૩૧ થી ૫. જવાહરલાલ ને, ગાંધીજી બાદ તરી આવવા લાગ્યા. લોકશાહી અને સમાજવાદને પાયો સ્વરાજ્ય પહેલાં ગાંધીજીએ અને સ્વરાજ્ય બાદ જવાહરલાલ નેહરુએ નાખીને કોંગ્રેસને તે રીતે ઘડી. તેઓ સમાજવાદમાં માનતા હતા. પણ ઉતાવળે પગલે કંઈ પણ કરવા માંગતા ન હતા. એટલે ઠેઠ ૧૯૫૩માં તેમણે સમાજવાદ લાવવા માટેને ઠરાવ આવડી અધિવેશનમાં મંજૂર કરાવ્યું. તેમણે ખંત અને ધીરજથી, વિચારોના મતભેદ હોવા છતાં, કોંગ્રેસમાં ટકીને અને કોંગ્રેસી મોવડી મંડળ પાસે એ ઠરાવ મંજૂર કરાવ્યું. તેમણે ધીમે-ધીમે એ પરિવર્તન આવ્યું અને તેની સાથે તેમણે તેની સાતત્ય રક્ષા પણ જાળવી. ત્યારે, સમાજવાદી પક્ષ નાના નાના પક્ષમાં વહેચાઈ ગયો. ત્યાં નેતા મળ્યા-પણ નીચેના લોકોને તેઓ ઘડી ન શક્યા; પરિણામે દરેક નેતાના વિચાર સ્વતંત્ર થઈને અથડાયા. હમણું હમણાં તો અશોક મહેતાને અનુસરનારે પક્ષ કોંગ્રેસમાં ભળી ગયા છે, અને જયપ્રકાશજીને હવે લાગે છે કે તેઓ કોંગ્રેસમાં રહીને સમાજવાદનું જેટલું કાર્ય કરી શકયા હેત, તેટલું અલગ રહીને કરી શક્યા નથી. –સંપાદક સત્તાના મહને દૂર કરી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકે છે. તેની આંતરરાષ્ટ્રિય નીતિમાં થોડે અંશે ક્ષતિ ભલે લાગે! છતાં તે સાચી અને સ્પષ્ટ છે અને તેને પ્રતિષ્ઠા મળેલી છે. એટલે કેમવાદ, મૂડીવાદ, સમાજવાદ વગેરે પક્ષે કરતાં તે વધારે ઘડાયેલો સબળ અને સંગઠિત પક્ષ છે. માત્ર એને પક્ષ-શુદ્ધિની જરૂર છે. તે ગાંધીએકમો (પૂરક પ્રેરક બળો) દ્વારા થવી જોઈએ; નહીંતર તે જાતે પણ જાગૃત થઈને આતનિરીક્ષણ વડે શુહ સંગઠિત બળરૂપે જોર આગળ વધશે. પણ તેથી અંદર અને બહાર દેશ અને દુનિયામાં કામ કરનારી પ્રભાવશાળી રાજયસંસ્થા બની નહીં શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચર્ચા – વિચારણું શ્રી પૂજાભાઈએ આની ચર્ચા-વિચારણા શરૂ કરતાં કહ્યું : “સ્વરાજ્ય પહેલાં બધા પક્ષે હોવા છતાં ભારતના લોકોના મનમાં કોંગ્રેસ અંગે જ માન હતું. સ્વરાજ્ય બાદ કોંગ્રેસમાંથી સમાજવાદી કેમ અલગ છૂટયા તે તે સવારે પ્રવચનમાં સ્પષ્ટ થઈ ગયું છે. કેટલાક પક્ષો તે ચૂંટણી પહેલાં દેખા દે છે અને ચૂંટણી જતાં નષ્ટ પામે છે. તેમાં જનસંઘ, રામરાજ્ય પરિષદ વગેરે પક્ષો તે સ્થાપિત હિતોને જ ઉત્તેજન આપે છે. હિન્દુ-મહાસભા મોટી મોટી વાત કરે છે પણ તેની નજર કહેવાતા હિન્દુઓ તરફ હોય છે અને ઊંડાણમાં મુસ્લિમોએ કરેલા ઝનૂની કુકૃત્યોને યાદ રાખે છે; તે બરાબર નથી. એ ખમય રેપ જેવો જોઈએ. બ્રિટિશ રાયે હિન્દુ-મુસ્લિમ એકતાને તોડી નાખી. પાકિસ્તાન થઈ ગયું છે. ત્યારે મુસ્લિમ-લીગવાદીઓએ ભારતનાં લાડકાં થઈને રહેવું જોઈએ. તેમણે પાકિસ્તાન તરફ માર્ગદર્શનની આશા ન રાખવી જોઈએ. સામ્યવાદનો જન્મ વિદેશને છે. સામ્યને અર્થ સમાનતા છે પણ તેમાં કુટુંબની એકતા જેવી સામ્યતા નથી. સાથે વાદ લાગી જતાં વિષમતા વધારે આવી ગઈ જણાય છે. એવી જ રીતે કેટલાક મિશનરીઓ સેવા કરે છે ત્યાં સુધી ઠીક છે પણ પછી તેઓ રાજનીતિનાં યાદ બને એ ઈચ્છનીય નથી. આર્યસમાજી પ્રથમ તે સામાજિક કાર્ય કરતા હતા, પણ એમના કેટલાંક કોંગ્રેસમાં ભળ્યા છે. બાકીના સીધા કે આડકતરા, કેગ્રેસવિરોધી અને સંકીર્ણ કોમવાદી પક્ષના ટેકામાં પડી ગયા છે. આપણુ દુર્ભાગ્યની વાત એ છે કે નાની નાની બાબતે અંગે પક્ષાપક્ષી ઊભી થાય છે અને તે પિતાને કંઈક ને કંઈક ચેપ મૂકતી જાય છે. દા. ત. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ તેમ જ મહાગુજરાતમાં જનતા પરિષદે નાના કિશોરે અને વિદ્યાથીઓ ઉપર ત્રાસ ગુજાર્યો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પાતાને તેમ જ ત્રાસ ગુ" Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ વળી તેમને આગળ કરીને હિંસા માટે ઉશ્કેર્યા. તેથી સરકારને ગોળીબાર કરવાની ફરજ પડી. પછી આદેલન કરનારના શબને મોટરોમાં કેરવી પ્રજાને ઉશ્કેરી. તેમ જ ખાંભી મૂકવાનું આંદોલન ચલાવ્યું. ટૂંકમાં તેઓ ભારતીય સંસ્કૃતિથી તદ્દન ઊંધું કરે છે. આમ જે લાભ લોકોને ખરેખર મળવો જોઈએ તે મળતો નથી. આમાં કોગ્રેસ સિવાયના પક્ષોનો પણ મોટા ભાગે વાંક છે; કોંગ્રેસીઓનો પણ છે ખરે! એટલું ખરું કે બીજા રાજકીય પક્ષના માણસે કરતાં કોંગ્રેસીઓ ભૂલ કરતાં પકડાય તે તેમને તેને પસ્તા વધારે થાય છે. એટલે ભારતના રાજકીય ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષને શુદ્ધિ અને પુષ્ટિ વડે વધારે મજબૂત કરવા માટે પ્રયાસ આવી રીતે થાય તે જગત ખરેખર કંઈક નવું બની જાય !” શ્રી દેવજીભાઈ “આજે ભારતમાં જે લેકશાહી આવી છે તેનું સ્થળ કલેવર બહારનું છે. અલબત્ત કોગ્રેસનું ઘડતર તપ, ત્યાગ અને બાપુની દેરવણથી થયું છે તેથી તેનામાં ચેતન બાકી છે, તે ભારતનું છે. એટલે પૂજ્ય મહારાજશ્રીની તેના ઉપરની જે આશા છે તે વધારે પડતી નથી. જો કે ભારતની પ્રજા તેની સંસ્કૃતિથી ઘડાયેલી છે પણ આજના બદલાતા જતા વિશ્વના વાતાવરણમાં કેટલાક ટોચના કાર્યકરો પણ એ ભ્રમણમાં પડયા છે કે સત્તા વડે આખા ભારતને ઉદ્ધાર થઈ જશે. જેમનામાં તપ-ત્યાગ વાળું નૈતિક આધ્યાત્મિક બળ છે તેવા લોકો આ ક્ષેત્ર તરફથી ઉદાસીન છે. તેથી પ્રજાઘડતરનું કામ થતું નથી. ચૂંટણી વખતે જરૂર લેકને પ્રચાર વડે ઘડવાનું થોડુંક કામ ચાલે છે પણ તેથી પ્રજા મૂળથી ખરેખર ઘડાતી નથી. એ માટે રાજ્ય ઉપર ખરેખર તે રચનાત્મક કાર્યકરો અને ધર્મ-સતને અંકુશ હે જોઈએ. આ નેતિક કાર્યકરોએ લોકોને ઘડવાનું કામ નૈતિક ફરજ સમજીને ઉપાડી લેવું જોઇએ. તેમનામાં તપ, ત્યાગ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વિશ્વના ૭ એ બ્રમણ ઉદ્ધાર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સેવા હોવા છતાં આજે ધન અને પ્રતિષ્ઠા તેમ જ સત્તાની લાલસા વધારે દેખાય છે તેની પછવાડે તેમની રાજકીય ક્ષેત્રે ઉદાસીનતા જ કારણરૂપ છે એમ માનવું રહ્યું. તે ખંખેરીને પ્રજા વડે શુદ્ધિ અને પુષ્ટિનો માર્ગ અપનાવવામાં આવે તે ભારતની પ્રજામાં ઊંડે ઊંડે જે ખમીર તત્વ પડ્યું છે તે ફરી પાછું નવ પલવિત થઈ જાય. આ વાત ઘરથી માંડીને ઠેઠ જગત લગી લઈ જવી પડશે. ભારત સામે જગત મીટ માંડીને બેઠું છે. એટલે તેણે કલ્યાણકારી સમાજવાદી લોકશાહી જેના પાયામાં ન્યાય–નીતિ તેમ જ સત્ય, અહિંસા હેય, તરફ આગેકદમ કરવાં પડશે. ગાંધીજીએ જગતને દક્ષિણ આફ્રિકામાંથી સત્ય-અહિસાનાં નવાં મૂલ્ય બતાવ્યાં હતાં. સ્વરાજ્ય આવ્યા બાદ તેમાં કમી આવી છે તે જે પ્રજા, પ્રજાસેવક અને સંતો મળીને કાર્ય કરે તે રાજકીય પક્ષોમાં તેમાંય ખાસ કરીને કોંગ્રેસમાં ધરમૂળથી સુધારો થઈ શકે તેમ છે. તે કરવાની આજના યુગ પહેલી જરૂર છે.” પૂ. દંડી સ્વામીઃ હવે તે અમારા કરપાત્રીજી જેવા સંન્યાસીને પણ રાજકારણની નદીને માપવાની ઈચ્છા થઈ છે. કેટલાક વર્ષથી એને તરવાને પ્રયત્ન કરે છે પણ તરવાને બદલે તે ડૂબતા વધારે નજરે ચડી રહ્યા છે. અત્યારના રાજકીય પક્ષમાં તો કેગ્રેસ જ પીઢ છે કારણકે તેણે અનેક તડકા-છાયાં જોઈ કાઢ્યા છે. બ્રિટીશરો સામે લડીને તેણે હિંમત કેળવી છે. તેને સ્વરાજ્ય પહેલાંને ૬૨ વર્ષને તપ-ત્યાગને ઈતિહાસ છે. સ્વરાજ્ય બાદ ભય અને પ્રલોભને વચ્ચે તે વિશ્વમાં સક્રિય તટસ્થતાની નીતિને ટકાવી શકી છે. ગોવા, કાશ્મીર અને ચીન એ ત્રણેયના આક્રમણના પ્રશ્નમાં પણ તેણે એ સિદ્ધાંત અંગે કેટલી બધી કાળજી રાખી છે? જો કે તેણે સત્તા આવતાં દરેક બાબતે રાજ્ય વડે થઈ શકે એમ રવીકારી ઘણું ક્ષેત્રમાં દખલગીરી શરૂ કરી છે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અગાઉ આપણે ચર્ચા ગયા છીએ તેમ તેની શુદ્ધિ અને પુષ્ટિને કાર્યક્રમ અપનાવતાં ધમમય સમાજરચના માટે જરૂર તે મેટું બળ બની શકે. તે સિવાય કોમવાદી પક્ષેને કોઈ પણ રીતે ઉત્તેજન ન મળવું જોઈએ નહીંતર તેનાં માઠાં પરિણામો ભોગવવા પડશે. કોમવાદને રાજ્ય નહીં દાબી શકે પણ લે કે, સેવકો અને તેનાં સંગઠને દાબી શકશે. પ્રાંતવાદ કે ક્ષેત્રવાદ સાથે હાથ મેળવવામાં કોંગ્રેસના કેટલાયે લેકેએ મહારાષ્ટ્ર, કેરલ વગેરેમાં ભૂલ કરી છે પણ કોગ્રેસને પાછળથી તે ભૂલ સમજાઈ છે અને તેને સમાજવાદ સિવાયનાં બળો કે પક્ષો સાથે હાથ ન મેળવવાને અંતિમ નિર્ણય આવકારદાયક છે. આજે તો મુનિ શ્રી સંતબાલજી કહે છે તેમ તેને પૂરક-પ્રેરક બળ આપીને સદ્ધર બનાવવી જરૂરી છે. જેથી તે દેશ અને વિશ્વમાં અને ખું કામ કરી શકે અને તેની સાથે અનુબંધ વિચારધારાનું અનુસંધાન થતાં તે દેશ અને દુનિયાને આશીર્વાદરૂપ નીવડશે.” શ્રી બળવંતભાઈ : “ સત્તા ઉપર આવ્યા બાદ કોંગ્રેસમાં કેટલીક નબળાઈએ આવી છે તેથી તેનો અસતેષ વળે છે તેમ માનવાને સબળ કારણે આ પ્રમાણે ગણાવી શકાય :-(૧) કોંગ્રેસ વાટ માટે નચિંત ન હેઈને તેને ઘણુ વાર ધ્યેય વિરૂદ્ધ પણ બાંધછોડ કરવી પડે છે. (૨) અમલદારો મૂળે જૂની સરકારના અને તંત્રમાં બધા પ્રકારના લોકે છે. તે કોગ્રેસને વફાદાર નથી એટલે તેઓ પિતાની તુમાખી ચલાવે છે; લાંચ લેવાનું વધ્યું છે. પરિણામે લેકશા ઘટી રહી છે. (૩) તેણે આર્થિક, સામાજિક, શૈક્ષણિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં માથું ન મારવું જોઈએ. પણ નૈતિક લોક ગઠને તેમ જ કસેવક સંગઠનેને તે સોંપવાં જોઈએ. તે પણ બધું જાતે કરવા જાય છે પરિણામે તેના માટે આ બધું કાર્ય અમર્યાદિત બની જાય છે અને શાસનમાં સડે, સ્વછંદતા તેમ જ તુમાખી વધારે પ્રવેશે છે. (૪) સનાનું વિકેંદ્રિકરણ કરી તેણે એ ક્ષેત્રે સત્તાથી દૂર રહેવા મછતા સેવાભાવી કાર્યકરોને સોંપવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આવું થાય તે ઘણું કામ થશે અને લોકોમાં શ્રદ્ધા વધશે.” શ્રી સુંદરલાલ: “ગ્રેસ એક તાકાતવંત સંસ્થા છે અને તે તપ-ત્યાગ વડે ઘડાયેલી છે. જ્યારે રાજાજી જેવાને સ્વતંત્ર પક્ષ ક્ષણિક વિરોધ કે આવેશના પરિણામની ઉપજ છે. કોંગ્રેસ પાસે પ્રતિકાર શક્તિ છે. અને તેને સંસ્થા તરીકે ઘણીવાર જૂના સાથીઓ સામે જ્યારે તેઓ સામા પક્ષે ઊભા રહે છે ત્યારે તે શકિત વાપરવી પડે છે, તે છતાં ઘણી બાબતમાં અને દેશહિતની દષ્ટિએ તેજ એક સુદઢ પક્ષ છે. ઘણું લકે તેની ખાટી નિંદા કરે છે પણ તેથી મેંગ્રેસની શક્તિ ઘટતી નથી. આજે તેમાં તકવાદીઓ પ્રવેશી ગયા છે પણ તે એકવાર શુદ્ધ થઈને આવશે જે પ્રજા, ત્રજાસેવકો અને સાથે મળીને કામ ઉપાડશે તે. એમાં શંકા નથી.”, શ્રી બળવંતભાઈ: “મને તે આ નામના રાજકીય વિરોધી પક્ષે એ ભારતની લોકશાહી માટે અનિષ્ટ જેવાં લાગે છે. કારણકે તેઓ કેવળ ઝેર-વેર વધારવા સિવાય કંઈ પણ કરતા નથી. પક્ષેની સત્તા માટેની અંદરોઅંદરની લડાઈ અને કરોડ રૂપિયાના ચૂંટણી ખર્ચાનું પાણી થાય તેના કરતાં પૂરક પ્રેરક બળને વિચાર થાય અને અંતે વિકેંદ્રિકરણ કોંગ્રેસનું લક્ષ રહે તે ઘણો ફાયદો થાય.” (૨-૧૧-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ જ ભગળ, નિજ સમાજરચના , કરણની આ ૧૫. વિશ્વદર્શન અને અર્થનીતિ અર્થનીતિના પ્રવાહો [શ્રી દુલેરાય માટલિયા વિશ્વદર્શનની ચર્ચા આપણે ધર્મમય સમાજરચના માટે કરીએ છીએ. તેમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણના ક્રમમાં અર્થકારણની આજે ચર્ચાવિચારણા કરવાની છે. ઘણાને એમ થશે કે ધમ સાથે અર્થકારણ કે રાજકારણને શું લાગેવળગે? આ પશ્ચિમમાંથી આવેલ વિચાર છે. પણ પૂર્વના વિચારકો એમ માને છે કે એ બને ક્ષેત્રમાં ધર્મ રહી શકે છે. અહીં આ બન્ને ક્ષેત્રમાં ધર્મને સંબંધ રહ્યો જ હતો અને રહેવું જોઈએ એમ વિચારકો માને છે. વચગાળામાં પશ્ચિમમાં જે રાજ્યક્રાંતિ, ધર્મકાંતિ તેમ જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહે જે વળાંક લીધે છે તેની વિશ્વ ઉપર મોટી અસર પડી છે. તે લોકો એમ માને છે કે સત્ય અને અહિંસાને ને ધર્મને રાજકારણ અને અર્થકારણ સાથે કઈ સંબંધ નથી, આની પાછળ તેમને કડવો અનુભવ છે અને ત્યાંની પરિસ્થિતિ પણ છે. જો કે અંતે તે તેને એક યા બીજી રીતે ધર્મ તરફ વળવું જ પડે છે. લાખે-કરોડોનાં વિદેશનાં શિક્ષણ દ્રસ્ટે તે અંગે સ્પષ્ટ સૂચન કરે છે. આજે અવિકસિત દેશને વિકાસ માટે સહાય કરવા આગળ આવવું, એ પણ ધર્મ-બુદ્ધિ વગર સંભવે નહી. જો કે એ લેક સીધી રીતે અનાત અને રાજનીતિ સાથે ધર્મને જેતા નથી પણ શબ્દ કરતાં ભાવ અને ક્રિયાનું મહત્વ વધારે છે. અને વિશ્વના સંદર્ભમાં ધડાતી સહાયતા યોજના, વિકાસ યોજના, જ્ઞાનવિજ્ઞાન પરિવધન જનાએ એક રીતે ઊંડે ઊંડે રહેલી ધાર્મિક વૃત્તિને જ આભારી છે. - પશ્ચિમની જેમ આપણે ત્યાં પણ ઘણા લોકો કહે છે કે ધર્મ ને રાજકારણ કે અર્થકારણ સાથે કોઈ સંબંધ નથી; તે છતાં ભારતમાં ધર્મ, જીવનમાં એ રીતે વણાઈ ગયો છે કે, સત્ય, અહિંસાના પ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ જનજીવનમાં ઘણું સ્થળે થતા જોવામાં આવે છે. આ પ્રકારોમાં પણ પ્રાંત અને પ્રદેશની પરિસ્થિતિની ભિન્નતાના કારણે અભિપ્રાયમાં અંતર પડે છે. તેથી ઘણાને એમ લાગે છે કે સત્ય અને અહિંસાના પ્રયોગો કરનારી સંસ્થાઓ એક થઈ જ ન શકે. તેથી રાજકીયક્ષેત્ર અને કલ્યાણ રાજની જેમ મીમાંસા કરાય છે તેમ જુદા જુદા પ્રગાની મીમાંસા થવી જોઈએ. આજે આ બધા પ્રયોગકારોને સાંકળવા જોઈએ. તે માટે અનુબંધ વિચારધારા એ સાંકળવાનું કામ સિદ્ધાંત અને નીતિની દૃષ્ટિએ કરે છે. એટલે જ્યાં મૂળ સિદ્ધાંતમાં બાધ ન આવતા હોય ત્યાં વિશ્વમાં ક્યાંયે પણ ઘેડે ફેરફાર જણાય તે બાંધછોડ કરવાની ઉદારતા રાખવી જોઈએ. સહુએ પોતાના પ્રયોગોની વિશેષતા છોડવાની નથી પણ દરેકે એકબીજા સાથે મળવું જોઈએ. અનુબંધ વિચાર ધારાનું મુખ્ય રહસ્ય આ જ છે. દરેક અહિંસક પ્રયોગકારોને પરસ્પર “આપલેની તક આપવી જોઈએ. સત્ય અને અહિંસાના પ્રયોગો રાજકીય તેમ જ આર્થિક ક્ષેત્રમાં સહુ ભેગા મળીને કરશે તે રાજકીય સંસ્થા ઉપર પ્રભાવ પાડી શકાશે, એમાં શંકા નથી. ભારતીય સંસ્કૃતિ અને અર્થનીતિ હવે આર્થિક ક્ષેત્રના પ્રવાહે વિષે વિચારીએ. આપણી સંસ્કૃતિને પાય શું છે. તે અંગે જણાવવામાં આવ્યું છે – तेन त्यक्तेन भुजीथा : –તું ત્યાગ કર અને ભોગવ. આપણે ત્યાં જીવનમાં અર્થ અંગે આ પ્રમાણે દષ્ટિ રહી છે કે – कुर्वन्नेवेह कर्माणि जीजी विषेच्छतं समा : -કર્મ કરતો કરત સે વર્ષ સુધી જીવવાની ઇચ્છા રાખે. વેદમાં પણ જો એ ધર્મદ્રઃ ચન્દ્ર” ધનની પાછળ ધર્મબુદ્ધિ રહે એવી મંગલકામના મહાભારતમાં કહી છે. “ધ વાન” એમ કહીને જીવનની પ્રવૃત્તિઓમાં પણ અર્થ કામની સાથે ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ભાવના રાખવાનું સૂચન કર્યું છે. આમાં અર્થનું પિતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. સંપત્તિ ઉત્પન્ન જ ન કરવી એવું ક્યાંયે બતાવવામાં આવ્યું નથી. સંપત્તિ કમાવી; ત્યાગવી અને ઉપભોગવી એ કેવી રીતે ? વસ્તુપાલ, તેજપાલે, વિમળશાહે, ભામાશાહે સંપત્તિ પેદા કરી પણ એમને યે બંગલે છે? તેઓ આજે હયાત નથી પણ વસ્તુપાલ હેત તે તેમને બંગલાને વિચાર મહત્ત્વને ન લાગ્યા હતા. તેમજ તે ધારત તે એ જમાનામાં પચાસેક બંગલા સરળતાએ બંધાવી શક્ત. પણ તેમણે પિતાના ધનનો ઉપયોગ સ્થાપત્યોમાં અને સંસ્કૃતિરક્ષક સ્થળોમાં કર્યો. સૌને માટે મંદિર અને કળાકારી ખુલ્લી મુકાઈ. પોતે ભોગવી શકે તેના બદલે સા ભોગવી શકે તેવી સ્થિતિ સર્જી સાથે સાથે મંદિર વગેમાં ઉપાસના કરી સૌ વીતરાગ સાથે તાદામ્ય સાધી શકે એવી જોગવાઈ ઊભી કરી. તે વખતના કેટલાક સંપત્તિમાની પાસે સંપત્તિ આવી ત્યારે થોડોક આરામ લીધે પણ સાથે તેમણે પિતાનાં માલ-મિલકત-મકાન સૌનાં સહિયારાં માન્યાં. તેમણે ધર્મશાળાઓ બંધાવી. કેટલાકને થયું કે હું ભોજનથી પ્તિ કરીશ પણ સાથે સાથે, બધાને એવા જ સ્વાદની તૃપ્તિ થાય અને વધારે પૈસા ખર્ચવા ન પડે અને તેઓ પણ પ્રસાદ પામે-આવી ભાવનાથી નાથદ્વારા, કાંકરોલી, જગન્નાથપુરી વગેરે ભગવન્મદિરોમાં પ્રસાદ મળવાની જોગવાઈ કરવામાં આવી. તે સાથે સહુ કઇ ભાગ લઈ શકે તેવી કળાઓને પણ તેમણે વિકાસ કર્યો. આજે તે જેની પાસે વધારે પૈસા હોય તે તાજમહેલ હટલમાં જઈને સ્વાદ માણી શકે. સિનેમા-નાટકધરોમાં પૈસા ખર્ચીને નૃત્ય-નાટક સંગીતને આનંદ માણી શકે; પણ તે કાળે એવી કળાઓની ગોઠવણી મંદિરની સાથે, ભજન, કીર્તન, નર્તન અને સંગીત વગેરે રૂપે કરવામાં આવી. આમાં પૈસાને પ્રશ્ન ન હતો પણ જેને રસ હોય તે જોઈ શકતું. આ સમારોહ પસા માટે થતા નહી. રામલીલા, કૃષ્ણલીલા વગેર ચકકસ આમ વગર દેખાડવામાં આવતી તેમાં અમીગરીબ આાવી શક્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - કોણ કેટલું આપશે, કેટલા પૈસા ભેગા થશે તે કોણ જાણતું ? તે છતાં એ લોકો પિતાની કળાને બધાને ખુલ્લા દિલથી બતાવવાની પિતાની ફરજ સમજતા. કેટલાક કળાકારે એવા થયા કે તેમણે સમાજ આજીવિકા આપે કે ન આપે તેની ચિંતા કરી નહીં અને પોતાની કળા સમાજને ચરણે ધરી. અજટા, ઈલેરા વ.ની ગુફાઓમાં જે કળાકારી છે તે કંઈ એક દિવસમાં નથી થઈ. તે કળાકારની પ્રબળ કળા-ભાવનાના કારણે હિદમાં ઠેરઠેર પથરાઈ ગઈ. આ બધાં મંદિરે એક દિવસમાં જાદુથી નથી બની ગયાં. જગન્નાથપુરી જેવાં મંદિરોમાં એકી સાથે ૫૦ હજારથી ૬૦ હજાર માણસ ભજન અને ભોજન કરી શકતાં. સંપત્તિને આ રીતે સાર્વજનિક ઉપયોગ થયો જેથી ગરીબમાં ગરીબ માણસને સ્વાદપ્તિ કરી શકે. થાળમાં ૧૦૦ વસ્તુઓ હોય-એટલી જ મળે અગર તે પૂરી ન મળે છતાં તેની વાનગી તો મળે જ! લાંબે ગાળે આ પદ્ધતિમાં દેષ પેઠે. ઇજારા પદ્ધતિ શરૂ થઈ. શેઠીયાએ જ ખરીદીને ખાઈ શકતા. આ દોષ પાયાને નથી એટલે સુધારી શકાય. સાર્વજનિક સંસ્થાઓ અને ધર્મ સંસ્થાઓ પૈકી દરેક ધર્મની સંસ્થાઓએ–વૈદિક, મુસ્લિમ, જૈન, બૌદ્ધ વગેરેની સંસ્થાઓએ ધર્મશાળા, ધર્મસ્થાપક, સમાજનાં મકાને; અનાથશાળાઓ, ગૌશાળાઓ, પરબ, અન્નક્ષેત્રે વગેરે સમય સમય પ્રમાણે ઊભાં કર્યા છે. એટલે અહીં અર્થ પુરૂષાર્થની ઉપર ધર્મને અંકુશ રહ્યો છે. યુરેપનું અર્થશાસ્ત્ર અને અર્થનીતિ ત્યારે યુરોપમાં અર્થવ્યવસ્થા જુદી રીતે વિકસી છે. ત્યાં Ecaoકે એટલે ઘર અને Nomic અટલે અર્થશાસ્ત્ર-ઘરનું અર્થશાસ્ત્ર તે અર્થશાસ્ત્ર ગણાયું. ત્યાં ઘરના–વ્યક્તિના અર્થશાસ્ત્રમાંથી અર્થનીતિ વિકસી છે. | સર્વપ્રથમ વ્યક્તિગત પાયા ઉપર અર્થશાસ્ત્ર રચાયું. પછી વ્યાપારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ અર્થશાસ્ત્ર વિકસ્યું. વ્યવસ્થા (Management) કેવી રીતે કરવી ? ગુમાસ્તા કે માણસા દેવાં રાખવાં ? ખં કરતાં આવક કેમ વધે? એ બાબતાને વિચાર કરવામાં આવ્યે. આવક વધતાં Moneyએટલે પૈસા પૈસાને વધારે છે એ મૂત્રના દૃષ્ટિ મુખ્ય હી; begets money આધારે માત્ર પૈસા વી રીતે કમાવે; એ જ નફાજ મુખ્ય લક્ષ્ય રહ્યું. આ વાત થોડા૪ સમય સુધી ચાલી પણ તેમાં હરીફાઈ જાગી. તેમાં જે ટકી શકે તે જીતે. તેના હાથમાં કારખાના વેપાર, સ્ટીમરા અને પ્રદેશેા રહે. આ હરીફાઇ વ્યક્તિથી શરૂ થઇ અને તેની વ્યાપકતા રાજ્ય સુધી ફેલાઈ. રાજ્યે એ પણ એ હરીફાઈ તને મેાટાં કારખાનાંએ ઊભાં કર્યાં આમાં જે થાકયાં–પાછાં પડયાં તેમને રોષ પ્રગટયા અને તેમણે લડાઇ કરી. જન્મની થાકયુ એટલે તેણે પહેલુ અને ખીજું વિશ્વયુદ્ધ કરાવ્યું. આમાં આ બાબતે સામે આવીઃ—(૧) હરીફાઈ, ( ૨ ) દરેક વસ્તુ ના માટે બનાવવી; વધારે નફાવાળી વસ્તુ બનાવવી પછી ભલે તે રાષ્ટ્રધાતક હોય. (૩) જેની પાસે સંપત્તિ હોય તેને પેતાની રીતે ઉપયાગ કરવાની છૂટ. તેને કાઈ શકે નહીં. (૪) સરખે સરખા હરીકાઈમાં ઊતરે તા બજાર તૂટે અને માલ સેાંધેા થાય; પણ તેમન થવા દેવુ એટલે કે મુક્ત-વેપારની હરિફાઈ ન ચાલવા દેવી. આ અનીતિનાં શું પરિણામે। આવ્યાં ? જેની પાસે સાધના ઢાંચાં હતાં, મૂડી ન હતી તે બધા તૂટી ગયા. ગામના લૂવાર પાસે, કે ભઠ્ઠીના કાલમા કરનાર પાસે આધુનિક સાધાનાં ન હોઈ ને તેના ઢારીમરા છૂટા થયા અને વર્કશોપમાં જોડાયા; અગર ગામ મૂઠ્ઠી ઢારખાનાવાળા શહેરમાં ગયા. તે રાજના ૪૦૫ રૂપિયાની રાજીમાં વેચાઈ ગયા. નાના વેપારી પાસે મૂડી ન હોઈ તે તેણે વેપાર છેડયા અને તે૨૦૦-૩૦૦ રૂા.ની માસિક દલાલી એજન્સી જેવું કામ કરવા લાગ્યા. પગે મશીન ચલાવનાર દરજી ન ટકી શકયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ તો તે વિજળીથી ચાલતાં રેડીમેડના કારખાનામાં ગોઠવાઈ ગયો. નાની જમીનવાળો મોટા પાસે રહ્યો. પરિણામે સાધન વગરનો માણસ સાધનવાળાને આર્થિક ગુલામ બન્યો. સાધનહીનેની શક્તિ ખૂટતાં જે નવી પ્રક્રિયા થઈ તે તેમનાં સંગઠનની સમોવડિયાના શ્રેષના કારણે અંદરોઅંદર લડાઈ વિગ્રહ શરૂ થયાં. અસંતોષ વધવા લાગ્યો અને સાધનહીને, સંપન્ન વ્યક્તિઓ સામે આંદોલન કરવા લાગ્યા. ગુમાસ્તા, મજૂરો અને શ્રમિકો સંગઠિત થઈને બળવો કરી પગારવધારાની માંગ કરવા લાગ્યા. એમાંથી કેટલાક સાધન સંપન્નેને સૂઝયું કે જે આ બધા માણસો ગરીબ થતાં જાય તે તેમની ખરીદ-શક્તિ તૂટી પડે તે પછી તેમને માલ કોણે લેશે ? માલ ન ખપે તો નફો કેમ થાય અને આ કારીગરો કામ કરી શકે ? જ્યારે તેમને પગાર ટ્રકો હોય અને ખરીદ શક્તિ ઘટી ગઈ હોય ! તેમને થયું કે આ રીતનું શોષણ થવું એ મોટી ભૂલ છે. જે શોષણ જ ચાલતું રહે અને ખરીદ શકિત તટતી જાય તે કાર્ય કઈ રીતે ચાલે ? એટલે પૈસા વગરનાને પૈસા વગેરેનાં સાધને આપવાં જોઈએ જેથી તે માલ ખરીદી શકે ! ઘણું સ્થળે તો વળતરના એક ભાગ રૂપે પોતાને માલ આપવાનું પણ તેમણે નકકી કર્યું સાધનહીનને જે વધારાને પૈસે મળે તેમાંથી સંઘરવાની વૃત્તિ પેદા થઈ. છેલ્લાં પચ્ચીસ વર્ષોમાં કરકસર અને સંગ્રહશક્તિ વધી છે. તેમ થાય તે પૈસો બંધાઈ જાય એટલે પૈસો કેમ વધારે વપરાય તે માટે અધતન સાધનો અને તેને વ્યાપક પ્રચાર એ યુરોપના અર્થશાસ્ત્રીએનું લક્ષ્ય બન્યું. પૈસા ખર્ચાય તે માલનું ઉત્પાદન વધે અને માલબનાવનારાઓને રોજી મળે. તે માટે તેમણે મોજશોખનાં સાધને બહાર પાડવાં શરૂ કર્યા. આજે લેકજીવનમાં ખાસ કરીને શહેરોનાં જીવનમાં મોજશોખને ઝડપી વધારો થયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ એ પ્રવાહ મુંબઈમાં પણ ચાલે છે. પૈસાને કેમ વેડફ એ વસ્તુ સવિશેષ પેદા થઈ છે. એક સેફાસેટ છે. તે જૂની ડિઝાઈનને છે. નવી ડિઝાઈન નીકળી તે તે ન ખરીદી લીધો. બે વરસમાં નવો રેડિયે ખરીદ્યો. આમ બદલાતી ડિઝાઇન અને મેડલો વચ્ચે આજનું જીવન વહી રહ્યું છે. અમેરિકા અને ઈગ્લાંડને એ વા ચાલે છે. ત્યાં એ સૂત્ર બની ગયું છે – “વસ્તુઓ વાપરે! વાપરશો એટલે નવું આવશે.... પૈસા ખર્ચ કરતાં શીખે નવો ઉસે આવશે. તેનાથી જીવનધોરણ ઊંચું થશે. વધુ ખર્ચ અને વધુ સાધનો વસાવવાથી જીવનધોરણ ઊંચું જશે !” આ ત્યાંના અર્થશાસ્ત્રીઓને અવાજ છે. પાયાની પહેલી બેલ : ખોટું જીવનધોરણ! આ આખી વસ્તુમાં પાયાની ભૂલ છે. પૈસે વાપરો પણ કયાં અને કેવી રીતે? તેને વિચાર કરવામાં આવતું નથી. જેથી વર્ગ દ્વેષ બંધ થાય અને શક્તિ વધે. એકવાર જે દેશોને પરાધીન રાખીને અમેરિકા અને બ્રિટને ચૂસવા માગતાં હતાં તે જ દેશોને ભારત વગેરેને કરોડ રૂપિયાની મદદ કરવા તેઓ શા માટે તૈયાર થયાં છે? તે એટલા માટે કે ભારત, પાકિસ્તાન અને આફ્રિકા જેવા અવિકસિત દેશોની ખરીદ ક્તિ ન તૂટી જાય. તે દેશે સદ્ધર હશે તો તેના બજારમાં માલ ખપી શકશે એવી તેમની દષ્ટિ છે. આપણે ત્યાં ૫. જવાહરલાલજી નેહરૂ જેવા રાજનેતા હેવા છતાં આ પાયાની ભૂલ થઈ રહી છે. તેઓ પણ માને છે કે એથી ભારતનું છવરણ ઊંચું આવ્યું છે આ જીવન ધોરણ કયા વર્ગનું વધ્યું છે? કયા વર્ષની આવા વધી છે? અમુક વર્ગની આવક વધી એટલે આખા રાષ્ટ્રનું જીવનધોરણ વધતું નથી. હાથવણાટ અને હાથની કારીગરીવાળાને માલ કેટલો ખરી આંકડાઓ ઉપરથી આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ - વધ્યાને આભાસ થાય છે. પણ સામાન્ય વર્ગને તે એ જ રીતે માંડ માંડ પૂરું થાય છે. યંત્રવાળાની આવક વધે છે પણ શ્રમિકોનું કઈ વિચારતું નથી. શહેરના ઉદ્યોગોનો વિકાસ થયો છે પણ પાંચ લાખ ગામડાનાં લેકોની આવક કેમ વધે એ તરફ કયાં જોવાય છે? સાચો પ્રગ: આમ જનતા ખડતલ અને બળવાન શરીરવાળી, સ્વાવલંબી હશે : તે જ જીવનધોરણ ઊંચું ગયું ગણાશે. ગાંધીજીના વિચારોથી ઉછરેલી સર્વોદય વિચારધારા અને અનુબંધ વિચારધારા આજે એવા જ પ્રયોગો કરી રહી છે. તે મન પ્રસન્ન રહેનાર સ્વાવલંબી, નિર્ભય અને પિતાના પગે ઊભે રહેનાર સમાજ રચવાને પ્રયોગ કરી રહી છે. વિલાસ કે સુંવાળા૫ણને આળ પંપાળી જીવનધોરણ વધારવા કરતાં સંયમ અને સાદાઈથી જીવીને જીવનધોરણ વધારવાની વાત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. ગાંધીજીએ આ ખોટા જીવનધોરણને પાયાથી બદલવા માટે કેટલાંક સૂચને કરેલાં. તેમનું પહેલું સૂચન એ હતું કે આખી અર્થનીતિ પાયાથી બદલવી જોઈએ. તેમણે કહ્યું કે “ગમે તે વરતુનું નફા માટે ઉત્પાદન કરવું” એ સૂત્ર બદલવું પડશે. ઉત્પાદન ઉપગ માટે હેય, નફા માટે ન હોય એ સૂત્ર લેવું જોઈએ. ગાંધીજીની એ વાત ભુલાઈ છે અને પાશ્ચાત્ય અર્થનીતિના પ્રવાહમાં ભારત પણ તણાઈ રહ્યું છે. જો કે એમાં પરિસ્થિતિને દોષ મુખ્યપણે છે. હમણું જ એક ભાઈ મળ્યા હતા. તે કહેતા હતા કે એક લાખનો મૂડી છે અને ૪ લાખ બીજા ભાઈ રોકશે. એમ ૫ લાખ ખચીને લિપસ્ટિક અને ટોયલેટનું કારખાનું ઊભું કરવું છે. એમાં નફે ખૂબ રહેશે! જરૂરી-બિનજરૂરી એ કાંઈ જેવું જ નહીં. માત્ર નફાની દષ્ટિએ કામ કરવાનું છે. તો નફા માટે માલ બનાવો, તેને પ્રચાર કરે અને ખોટ પ્રોપેગડા, ખોટાં સૂત્રે વડે કરે. “લિપસ્ટીક હોઠોના દરદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ મટાડે છે! સૌંદય વધારે છે વગેરે!” તેથી લેાકેાના મગજને ભમાવે. આ નીતિ સ્વીકારવાની પાછળ કાઈ સંયમ, સાદાઇ, ભ્રાતૃભાવની ભાવના નથી, માત્ર નાની દૃષ્ટિ છે. ખોટી જાહેરાતથી માલ ખૂબ ખપે છે એ થાટી આવડે તે ખસ છે. તે જાહેરાતે વૈજ્ઞાનિક (સાયન્ટિપીક) રીતેામાં ખપવી જેઈ એ. તાજ છાપ સિગરેટવાળા, સિગારેટ પાઈ તે મેટરો દ્વારા, રમતગમત દ્વારા જાહેરાત કરે, પાટિયાં લઈ ને કરે તે બધું સાયન્ટિફ્રીક હોવાના નમૂના છે. પણ જો ક્રાઇ ધમ, ભ્રાતૃભાવ કે વાત્સલ્ય વધારવાની વાત કરે તા તે અવૈજ્ઞાનિક છે—જમાનાથી પાછળ છે એમ કહેવાય છે. ગાંધીજીએ આ બાબતમાં કહ્યું હતું કે માનવમાત્રને હિતકારી વસ્તુના ઉપયેગ કરવા માટે, ઉપયાગ પૂરતાજ પ્રચાર કરેા, નફા મેળવવા માટે નહીં. ગાંધીજી ખાદી ગ્રામાઘોગાનું મહત્ત્વ બતાવતા, સંયમ, સાદાઈનાં નિયમા વ્રત લેવડાવતા, પ્રચાર કરતા. એમ લેાકમાનસને સારી વસ્તુના ઉપયાગ કરવા અને તે વસ્તુ તરફ સદ્ભાવ રહે તે માટે પ્રયાર કરવા જ જોઇએ, તેના માટે તેવાં સૂત્રા–મત્રે ખેલાવવાં નેઈ એ. પાયાની બીજી બલ : નફા માટે ભાર ! આના આ અર્થશાસ્ત્રને ખીને પાયે છે ના માટે બજાર શેાધેા. બજાર કેમ મળે ! છુટથી લેાડા વસ્તુને વાપરતા થાય ભલેને પછી તેને બગાડીને પણ વાપરે! સંદર્ભમાં ખાંડના કારખાનાં વાળાની વાત લઈ એ. તે બે આને રતલ ખાંડ કારખાનાવાળાને પૂરી પાડે છે. અહીં તે ખાંડથઆને રતલ લેાકેાને પેાષાતી નથી મેકિસકા વગેરેમાં પોષાય છે. કારણ કે તે લેાકેા કાચી ખાંડમાંથી દારૂ બનાવે છે. આપણે ત્યાં ગાંધીજીએ દારૂની મના કરી છે. એટલે દારૂ ન બનાવી શકાય. તેથી આપણા અર્થશાસ્ત્રીઓ એમ વિચારે છે ૐ ત્યાં મેકિસકામાં ખાંડ વગેરે મેકલે કારણે કે ત્યાં બજાર મળે છે; પછી એ લેાકા એવુ ગમે તે કરે એની સામે આપણુને શે। સબધ ? પશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આ ભ્રાંત દષ્ટિ છે. ગાંધીજીએ ઉત્પાદનની પાછળ એ દષ્ટિ આપી હતી કે ઉત્પાદન કરી પણ સ્વાવલંબન માટે દેશમાં વપરાય તેટલી જ ખાંડનું ઉત્પાદન કરે. હરીફાઈ કરવા કે મારકેટ મેળવવા માટે ખાંડનું , ઉત્પાદન ન કરે. તેની વિરૂદ્ધ આજ સાકર અને ખાંડના બજાર મેળવવા માટે જે કારખાનાં થયાં છે તેનો પ્રભાવ જતે દહાડે અનાજની ખેતી ઉપર પડ્યા વગર નહીં રહે. નાઈલોનમાં દશ આના વળતર છે. તે ત્રીશ આને વાર વેચાય છે. એટલે વેપારીઓ વિદેશી નાયલેન મંગાવે છે. તેનું કારણ એ છે કે તેમને લાયસન્સના કારણે નફો મળે છે. પરમીટ આવે ત્યાં બારોબાર વેચી નાખવામાં આવે છે. તેની વિરુદ્ધમાં કૃત્રિમ રેશમ કે સુતરાઉ વસ્ત્ર બનાવે તે વાપરનારને સોંવા મળ્યાને લાભ થાય; બનાવનારને રજી મળે અને નાના વેપારીઓને રાહત મળે. તેમાં આ દેશના કાંતનાર–વણનારને માંડ ત્રણ આના વળતર મળે છે તે પણ ઉદ્યોગપતિઓને આપવું પિલાતું નથી. જે વધારાની માંગણું થાય તે રાષ્ટ્રપિતાના સન્માનને નેવે મૂકીને એ લોકો કહેશે કે “લે, આ ગાંધીવાળા ફાટી નીકળ્યા છે.” પણ આ લોકો સ્વાર્થ વશ નાયલેન પાછળ દશ આના વળતર આપે છે. જ્યારે સાચા નાના વેપાર ઉપર કેનું ધ્યાન ચોંટતું નથી. જાપાન દેશ ઉદ્યોગધંધામાં બેઠો કેમ થ? ત્યાં ઘરે ઘરે નાનાં યંત્ર વડે ગૃહઉદ્યોગે ચાલે છે. સરકાર તે માલ ખરીદી લે છે. એટલે ત્યાં બજારની ચિંતા નથી. ત્યાં મજુરી સોંઘી છે, વસ્તુ સેવી છે, માલના ભાવ પણ નીચા છે. લોકોનું મધ્યમ જીવનનું ધોરણ છે. તે છતાં લોકો સુખી છે. ગરીબાઈનું ત્યાં દુઃખ નથી. જ્યારે ભારતમાં એ વિષમતા ઘણી વધારે છે. જર્મની પણ ઉદ્યોગ-ધંધા વડે બેઠું થયું. પણ અર્થનીતિ એવી હોવી જોઈએ કે જે દિવસે બજાર ન મળે તે દિવસે પણ દેશ પગ ઉપર ઊભેલો હોવો જોઈએ. બીજા દેશોના બજાર ઉપર ઊભા રહેવું તે હંમેશનું જોખમ છે. દા. ત. આપણુ દેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ કરતાં અમેરિકામાં તેલ સેવું છે. એટલે અહીનું તેલ ત્યાં મોકલવું પોષાતું નથી. માટે અર્થનીતિજ્ઞોએ એમ કહ્યું કે જેને તેલ મેકલવું હેય તે સાથે રૂ મેકલે, કે રૂ મોકલનાર તેલ મેકલે. પરિણામે નફોતોટો સરખો થશે. આના કારણે દેશમાં રૂ, તેલ બન્ને ઓછાં થવાં લાગ્યાં છે તે તરફ ભાગ્યે જ કોઈ ધ્યાન આપે છે. વનસ્પતિ તેલ નુકશાનકારક છે કે લાભકારક? તેને કશે જ વિચાર કર્યા વગર સરકાર એના કારખાનાવાળાઓને પ્રોત્સાહન આપે છે. આપણે ત્યાં અર્થનીતિમાં સ્વાવલંબનના પાયા ઉપર બજારભાવ ગોઠવવો જોઈએ. હરીફાઈ કે ખોટી વસ્તુ આપીને નહીં ! એની કાળજી રાખવી જોઈએ. પાયાની ત્રીજી ભૂલ : ગરજ પ્રમાણે ભાવ ! અર્થશાસ્ત્રને ત્રીજો મુદ્દો એ રજુ કરવામાં આવે છે કે માલનો ભાવ ગરજ પ્રમાણે નક્કી થવો જોઈએ. આ પણ પાયાની ભૂલ છે, આ વાત યુરોપના અર્થશાસ્ત્રીઓએ બતાવી છે. ગાંધીજીએ કહ્યું કે “ગરજ પ્રમાણે નહીં, પણ, રોટલા પ્રમાણે જેનાથી આજીવિકા બરાબર ચાલી શકે તે પ્રમાણે માલના ભાવ નકકી કરવા જોઈએ.” એક ખાદીને જ લે...! ત્યાં વણકર, કાંતનાર, ધનાર, રંગનાર, પીંજનાર વગેરે દરેકના રાટલા ચાલી શકે. તે પ્રમાણે ખાદીના ભાવ નકકી થવા જોઈએ. તેમાં જેમને સહયોગ હોય. જેમણે કામ કર્યું હોય તેમને આજીવિકા મળી રહે તે પ્રમાણે ભાવ નકકી થવા જોઈએ. થી પાયાની ભલ: વસ્તુની હરીફાઈ! અર્થશાસ્ત્રને ચોથો મુદ્દો એ છે કે દરેક વસ્તુને હરીફાઈના પાયા ઉપર મૂકી દેવી! તે પણ પાયાની ભૂલ છે. ક્યાં કઈ વસ્તુ જોઈએ, કેટલી જોઇએ તે જેવાતું નથી. ત્યારે સવાલ એ થાય છે ભાવ કોણ નકકી કરે? એના જવાબમાં જણાવાય છે કે હરીફાઈથી બજારમાં ભાવ જાતે નકકી થઈ જશે. બજાર નિર્ણય કરી દે. પણ, આ હરીફાઈમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ટકશે કોણ? જેની પાસે વધારે મૂડી છે, પ્રચારમાં વધારે સાધનો છે, તે જ વધારેમાં વધારે વેપાર ખેડી શકશે. તાજ છાપ સિગરેટ વાળા ગામડે ગામડે મોટર લઈને ફરે, લોકરંજન કરે, તેમજ “તાજ બેતાજ છે લિજજતદાર છે, સ્કૂર્તિદાયક છે!” એ રીતેની જાહેરાત કરંજન સાથે કરે છે તેથી તે ટકી શકે છે. એકવાર ચર્ચામાં મેં કહેલું કે આ વેલફેર (કલ્યાણરાજ ) સ્ટેટ ચાનો પ્રચાર કરવા માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. ભારે કરવેરા પ્રજા ઉપર નાંખીને તેની આવકથી ચાને પ્રચાર સરકાર કરે તે કેટલું બેહુદું લાગે છે? મહારાજશ્રી જેવા સંતે ચા, બીડી, સિગરેટ વગેરેની બાધા લેવડાવે તે લેનાર આજે જૂજ જ નીકળે! કારણ કે સરકાર પણ બેટી વસ્તુને સામેથી ટેકો આપે છે. એટલે ગાંધીજીએ કહ્યું કે “વસ્તુના ભાવ આયોજન ઉપર સહકારી ધોરણે નક્કી થવા જોઈએ. રાજ્યના ધરણે નહીં તેમજ હરીફાઈના પાયા ઉપર નહીં !” પાંચમી પાયાની ભૂલ : ઉદ્યોગની ખેતી માલિકી! અર્થશાસ્ત્રને પાંચમો મુદ્દો એ મનાય છે કે મોટા ઉદ્યોગો ઉપર રાજ્યની માલિકી અને નાના ઉદ્યોગ ઉપર ખાનગી માલિકી હોવી જોઈએ. ગાંધીજીએ તેને બદલે એમ કહ્યું કે “મોટા ઉદ્યોગે સાર્વજનિક માલિકીના હોવા જોઈએ અને નાના ઉદ્યોગ સહકારી પદ્ધતિથી ચાલવા જોઈએ. જેમાં માલ બનાવનારની ભાગીદારી હેવી જોઈએ.” આમ પાશ્ચાત્ય અર્થશાસ્ત્ર અને ભારતની સંસ્કૃતિની રીતે વિચારેલ ગાંધી અર્થનીતિમાં પાયાને ફેર છે. ગાંધીજીએ અર્થનીતિ ઉપર જે વિચારો દર્શાવ્યા હતા તે તેમણે ચરખાસંધ જેવા નાનકડા સંધ વડે પ્રયોગ કરીને બતાવ્યા હતા. ઉત્પાદન નફા માટે નહીં પણ ઉપયોગ માટે થવું જોઈએ. ભાવનિર્ણય હરીફાઈ ઉપરથી નહીં પણ આજીવિકા પ્રમાણે થવા જોઈએ. તેની સાથે તેમણે “જે કાંતે તે પહેરે અને જે પહેરે તે કાંતા” એ સત્ર બતાવ્યું હતું. ગાંધીજી કહેતા કે મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ અર્થનીતિ મેં ખાદીથી શરૂ કરી છે. ખાદી મારા અર્થશાસ્ત્રનું પ્રતીક છે. તે અહિંસાની શક્તિ છે. આ ખાદી સર્વોદય અથવા તો અનુબંધ વિચારધારાને પાયો છે. ગાંધી અર્થનીતિ-સાચી અર્થનીતિ : આજે મોટી મુશ્કેલી એ છે કે સ્વરાજ્ય આવ્યા બાદ રાજ્ય દયની ગાંધીજીની અર્થનીતિને સ્વીકાર કર્યો નથી. તેથી તે મુઝાય છે. તેણે પાશ્ચાત્ય અર્થનીતિને સ્વીકાર કર્યો છે અને તેથી ગૂંચમાંથી નીકળી શકે એમ દેખાતું નથી. રાજ્યના આયોજન સાથે ગ્રામોદ્યોગના કાર્યકર્તાઓ પણ ખેંચાઈ જાય છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. ખાદી એપેરિયમ સ્વાવલંબન અને બજાર વધારવા માટે ઊભું કરાયું છે પણ તેમાં સ્વાવલંબન સાથેની આજીવિકાનો પાયો કદાચ ભૂલી જવાય છે. પશ્ચિમના ચાલુ પ્રવાહને કારણે ખાદી કમીશન પિતાનું સર્વસ્વ તું જાય છે. તેથી અધતન અનુકૂળતાઓ અને પ્રવાહની સાથે સર્વોદય વિચાર કે અનુબંધ વિચારને નહીં ભૂલ જોઈએ. આ માટે પણ પૂ. મહારાજશ્રીની જનસંગઠને, જનસેવક સંગઠને અને સાધુ વર્ગનું માર્ગદર્શન બતાવે છે, તે અનિવાર્ય છે. સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક બળની ત્રિવેણી વિના અર્થશાસ્ત્ર સુધરશે નહીં. યંત્રવાદ સામે લાલબત્તી : - યંત્રના ઉપયોગ વિષે ભારતની સંસ્કૃતિની દષ્ટિએ વિચારતા લોકો શું કહે છે તે જોઇએ. ગાંધીજીએ યંત્રની મર્યાદા મૂકી છે. તેમણે સહકાર મંત્રને વિરોધ કર્યો છે; ગતિ ઉત્પાદક યંત્ર (વાહન વહેવાર)ને ઉપયાગ સ્વીકાર્યો છે અને સહાયકારી યંત્રની મર્યાદા બાંધી છે. આ મર્યાદા કઈ છે? આ મર્યાદાની સ્પષ્ટતા પૂ. મહારાજશ્રી સંતબાલજીએ ઘણાં વર્ષો પહેલાં કરી હતી. આવા યત્ર સહાયકારી ધોરણે વસાવવાં જોઈએ. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અંગે એક લેાકસંગઠન વાળુ મંડળ અને જે નફેા નકકી કરીને બધાને વહેંચે તેમજ નફાની વહેંચણી બધાને કરી આપે. ખાનગી માલિકીના યંત્રોમાં હરિફાઇમાં ઊતરવું પડે છે. તેથી તે આપણી અનીતિને અનુકૂળ નથી. સર્વાદયના કેટલાક મિત્રો સહકારી ધેારણે ચાલતા યંત્રાની મર્યાદામાં માનતા નથી. તેએ! રેંટિયાથી માંડીને અંબર સુધી પહેોંચી ગયા છે. પણ ત્યાંથી આગળ જવાના બદલે ત્યાંજ અટકી ગયા છે. હમણાં સર્વેયમાં એક સુધારક વર્ગ ઊભા થયા છે જેણે સ્વીકાર્યું છે કે કેાઈને એકાર ન રાખવા હોય તે। યંત્રાની સહકારી ધેારણે ગાઢવણુ થવી જરૂરી છે. આજથી દશ વર્ષોં ઉપર ધંધુકા સહકારી જીન વખતે પૂ. મહારાજશ્રીએ યત્રાની મર્યાદા બતાવી હતી. તે વખતે અમારા જેવાને થતું કે મહારાજશ્રી સમાજવાદીની જેમ કેમ વિચારે છે? યંત્ર તે હાવાંજ ન જોઈ એ પણ તે વખતના તેમના વિચાર આજે સ્વોકારાઈ ગયા છે. અણ્ણાસાહેબ, ઝવેરભાઇ, જયપ્રકાશજી જેવાએ આ વિચાર સ્વીકાર્યાં છે. ગાંધીવાદી લેાકેા પણ માનવા લાગ્યા છે કે યંત્રને ઉપયેગ સહકારી ધારણે કરવા પડશે. તાજ વિશ્વના યંત્રાઘેગવાદ સામે ટકી શકાશે. અમારે ત્યાં પણ અમે એક લેટ દળવાના યંત્રના સહિયાર પ્રયાગ કર્યાં છે. તેની માલિકી ગ્રામ સમિતિની છે. હાથે દળેલા લેટ ખાનાર માટે એએક ધર એવાં રાખ્યાં છે; જેમની પાસેથી દળાવીને દાઢા ભાવના પૈસા આપવા એમ નકકી કર્યુ છે. યંત્રમાં દળાય તેના દૃશ આની ભાવ રાખ્યા છે. એમાં ગાંધી અર્થનીતિ રાખવામાં આવી છે કે કાઈ બેકાર બને નહીં, હરીફાઈ ન કરે, પૂરતી આજીવિકા બધાને મળે. યંત્ર મર્યાદા અને યંત્ર વિવેક અગે ગાંધી ગ્રૂપ જાગૃત થતું જાય છે તે શુભ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આ રીતે વિશ્વમાં અર્થનીતિના પ્રવાહને ટુકું વિવેચન એનાં તો સાથે મેં કર્યું છે. તે ઉપરથી ધર્મમય અર્થનીતિ કેવી હોવી જોઈએ તેને આપ સહુને ખ્યાલ આવી શકશે. ચર્ચા-વિચારણું શ્રી પૂંજાભાઈએ ચર્ચાને આરંભ કરતાં કહ્યું. “મોટા ઉદ્યોગો થાય તે નાના ઉદ્યોગોને મરવાનું થાય. પણ આપણા વસવાયાં જનતાને નિત-નવીતતા જોઇએ તે પ્રમાણે થોડા ફેરફાર ન કરે તે પછી તેમને નારાજ થવાને. ભવ + વહી = જન્મની વહી ગયેલી વાતને કહેવાનું સાધન હતું. તેમાં સુધાર ન થાય તે ભવાઈ આવી ભવાઈમાં સુધારે ન થયે તે નાટક આવ્યાં. એટલે ભવાઈનું સ્થાન જવાનું જ. રેવે આવી તે પહેલાં સાંભળ્યું છે કે વણઝારાઓ પિઠ લઈને ફરતા અને મન માન્યું કરતા. રેલવે આવતાં પહેલાં ઈંગ્લાંડ તરફથી એક પ્રતિનિધિ આવ્યા અને તેમણે વણઝારાઓને સહકારી ધોરણે એ કામ ઉપાડી લેવાનું કહ્યું. પણ બધા આનાકાની કરીને ટળી ગયા. તેમણે એનો ધંધે છે. અને આજે સરકાર હસ્તક તે છે અને તે સારું એવું કમાઈને આપે છે !” શ્રી રવજીભાઈ: આજની અનીતિની દેટ ભારતીય સંસ્કૃતિની વિરૂહ છે. ગાંધીજીએ તે પારખી લીધેલું અને તેમણે આ ક્ષેત્રને પણ તેને પુટ આપ્યા હતા. પણ દુર્ભાગ્ય એ છે કે ગાંધી વિચારોને જેમને સીધે વારસો મળ્યો છે તે પરિબળો તેને સમજી શક્યા નથી; અને સમજ્યા છે તે કોંગ્રેસને સમજાવવામાં સફળ થયા નથી. હમણાં આર્થિક નીતિ રાયે પિતાના હાથમાં લીધી છે. તેમાં પ્રજાની સકિત મળવી જોઈએ. તે પણ પ્રજાની શકિત ઠેઠ નીચલા સ્તથી એટલે કે પછાત વર્ગ, ગામડાં, માતૃજાતિ વગેરેથી શરૂ થવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જોઈએ. આ અંગે ગાંધી-નીતિવાળાઓએ જે જાગૃતિ દાખવવી જોઈએ તે દાખવી નથી. રાજય આર્થિતંત્ર સંભાળીને બેઠું છે. પણ હવે તેનું આયોજન પ્રજાનાં નૈતિક બળાએ એક થઈને કરવાનું છે. તે માટે રાજ્ય સામે, રાજ્ય સંસ્થા સામે લડવું પડશે. અંદર અને બહાર બને મે રચે લડવું પડશે. સપ્ત સ્વાવલંબનને કાર્યક્રમ ભૂદાન સાથે પહેલેથી જ જોડી દેવાની જરૂર હતી; પણ તેમ ન થયું. દેશના પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ દાવો કરે છે. લોકસેવક કક્ષાએ ભૂદાન તે દાવો કરે છે. આ બન્નેએ ગ્રામ સ્વરાજ્યની અર્થનીતિ માટે લોકકક્ષાએ પ્રયાગકાર તરીકે મુનિશ્રી સંતબાલજીના ભાલ નળકાંઠાની પ્રયોગ-પ્રવૃત્તિઓ પાસે જવું જોઈએ. તેની પાછળ વીસેક વર્ષને જ્વલંત ઈતિહાસ પણ છે. તે આ ત્રણેય સંસ્થાઓનું સંયોજન થાય તો ઘણું જ સુંદર કામ થાય! આ અંગે એક વસ્તુનું સતત ધ્યાન રાખવું પડશે કે સંગઠનના નામે સ્થાપિત હિતો-દાંડ તો, કોમવાદી ત વગેરે અંદર ન આવી જાય. ઉત્સાહમાં ને ઉત્સાહમાં આમાંનું કંઈ પણ ભૂલવાનું નથી. નહીંતર ગયા જ સમજવાનું. તાજો દાખલો ભૂદાનને છે. અનુબંધ વિચારધારાએ તેને દિલથી અપનાવેલું અને પ્રાયોગિક સંઘે પોતાને કવોટા પૂરે કરાવી દીધેબમણે કરાવ્યો, પણ ભૂદાન કાર્યક્રમમાં ગ્રામ સંગઠન સાથે ન સંધાયો અને તે પ્રાયોગિક સંઘથી અતડું ચાલ્યું એમ લાગ્યું છે તે તેમ ન થવું જોઈએ. આજે ગાંધીજી નથી એટલે સર્વોદયી વિચારધારા–સર્વાગી બનાવવાને ઓછો સંભવ છે. એટલે જે જોડાણ થાય તે સ્વાભાવિક થવું જોઈએ. કૃત્રિમ નહીં; નહીંતર તેની વિપરીત અસર ગામડામાં થવાનો સંભવ છે.” પૂ. નેમિમુનિ : “ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંગઠને કર્યા સિવાય ગામડાની અર્થનીતિ કે સામાજિક નીતિની અસર દેશ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ જગત ઉપર લાવી શકાશે નહીં. એટલે મારા નમ્ર મતે તે એક બાજુ ગામડાંમાં નીતિના પાયા ઉપર સંગઠને કરી તેમને આર્થિક-સામાજિક નીતિમાં સ્વાવલંબી બનાવી તેમને વિશ્વ સાથે જોડવા પડશે. છાપામાં હમણા જ આવ્યું છે કે “યુને ”ની આર્થિક, સામાજીક, નીતિની સંસ્થા “ યૂનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ લેવાયા છે. જે મામસંગઠનની વ્યાપક અસર ઊભી થાય તો તેમાં ભારત વતી આવા નૈતિક ગ્રામસંગઠનના પ્રતિનિધિ શા માટે ન આવે? આજે તે રાજ્યને પ્રભાવ છે; તેથી ભારતના રાજ્ય પાસેથી–અત્યારે સત્તા ઉપર કોગ્રેસ હાઈ કેગ્રેસ પાસેથી–તેવો પ્રતિનિધિ મંગાય છે કે અનાયાસે તેને જવાની તક મળી છે. આપણે પણ અનુબંધ વિચારધારામાં રહેલી સર્વાગી વિચારણાને એટલી હદે સ્વતંત્ર અને મુક્તપણે પ્રયોગ કરીને જગત લગી વહેતી મૂકવી પડશે, નહીંતર કોંગ્રેસ અને સર્વોદય વિચાર સાથેના જોડાણના લેભમાં તણાતા આ વિચારધારાની મૌલિકતા ખેઈ બેસવાનો ભય ઊભું થઈ જશે. આપણે તે વિશ્વના અર્થપ્રવાહને પણ ગ્રામ તરફ વાળવાનો છે. ગામડાંને પણ વિધલક્ષી દૃષ્ટિ આપવાની છે. કયાં કોનું કેરીકરણ અને કયાં કોનું વિકેન્દ્રીકરણ કરવું? એને વિવેક સૌમાં જગાડવાને છે. શેષણના સંસ્કારોને લેક-જીવનમાંથી હાંકી કાઢી બીજ ખાતર ઘસાવામાં જ સ્નેહ સાંપડે છે, તેવી નવ-સંરકૃતિ ભરવાની છે. આ બધું કરવા માટે, માત્ર આર્થિક દષ્ટિએ જ વિચાર કરીએ તે યંત્રનું સહકારીકરણ પ્રામસંગનેના નૈતિક નેતૃત્વ નીચે કરવું પડશે. તે નેતૃત્વ ઉપર પણ વ્યાપક દષ્ટિવાળા સેવકનું આધ્યાત્મલક્ષી સંચાલન મકવું જોઈશે. આમ ત્રેવડી સાવધાની હશે તે જ આજની સહકારી પ્રવૃત્તિ ઉપર મૂડીવાદી કે સત્તાવાદીઓનું વર્ચસ્વ છે, ને દૂર થઈ શકશે. આથી જ બાલનળકાંઠાની સહકારી પ્રવૃત્તિમાં પ્રાયોગિક સંધના સંચાલન હેઠળ ચાલતાં નેતિક પ્રામસંગઠનેનું જે પ્રતિનિધિત્વ છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર સમયસરનું અને યોગ્ય દિશાનું છે. આખા દેશમાં આવું થાય તે, દેશભરમાં ન્યાય નીતિની વાતને સામાજિક પ્રતિષ્ઠા મળી જાય. દેશમાં વેર-વિખેર પડેલી સારી-સારી વ્યક્તિઓ સંકલિત થઈ જાય. આમ આખા અર્થપ્રવાહને બદલાવી શકાય. ઉપર જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય અનુસંધાન થતાંજ વિશ્વનું અર્થતંત્ર પલટાવાને પ્રારંભ થશે. આજે તે જીવનધોરણ ઉન્નત કરવાને આંક કેવળ ભૌતિક છે. એટલે નફાખેરી, સંધરે અને વિલાસ વગેરેના કારણે વિષમતાઓ અને અદેખાઈઓ જન્મે છે. અમેરિકાને લેકસમૂહ આર્થિક રીતે સુખી હોવા છતાં આ દષ્ટિએ જોઈએ તો ઘણો જ દુઃખી છે. ત્યાંના ધર્મગુરુઓ આજીવિકા શુદ્ધ કરવા માટે કંઈ પણ કહેતા નથી. ભારતમાં ધર્મ, ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓએ હંમેશા પ્રજા તેમજ રાજ્યને ન્યાયનીતિ અને પ્રામાણિકતાની કમાણીની તેમ જ આજીવિકા શુદ્ધિની વાત કરી છે. આથી ભારત જ દુનિયાના અર્થપ્રવાહને ધર્મ પુનિત બનાવવામાં અગ્રભાગ ભજવી શકશે એમ લાગે છે.” શ્રી પૂંજાભાઈઃ “વિશ્વના અર્થપ્રવાહને ધરમૂળથી પલટવાની વાત શરૂઆતમાં નવી લાગશે. તેથી માટે વિરોધ થવાનો સંભવ છે. પણ આ કામ ભાલ નળકાંઠામાં શરૂ થયું ત્યારે જે મુશીબત હતી, તે આજે નથી. હવે કાર્યકરો અને જનતા બન્નેની દષ્ટિ સાફ થઈ છે અને તેમને ધડ બેસી ગઈ છે. રાજકીય જૂથને વિરોધ મોટા ભાગે સ્થાપિત હિતે તરફથી છે, તે પણ સત્તા જનતાના હાથમાં જશે એ ભયના કારણે થાય છે. એટલે સેવા માટે જે કામ કરશે તેનું સ્થાન લેક-હૃદયમાં અચળ રહેશે. સત્તા માટે કે માન માટે જે સેવા કરશે તેનું સ્થાને નહીં રહે. આમાં ગભરાવવાનું કશું યે નથી. ધર્મજના ભાઈઓ ખંભાતના ટેકરાઓમાં ખેતી કરવા આવ્યા હતા ત્યારે ભરવાડોએ તેમનો સર્વ પ્રથમ વિરોધ કર્યો હતો. પણ આજે તેમની ખેતી સુધરી, જમીનના માલિક બન્યા તો ભરવાડો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પસ્તાય છે. અર્થતંત્રના પ્રવાહે યુગાનુરૂપ બદલે તે વખતે પ્રજાએ સમજીને માર્ગ કરી આપ જોઈએ; અને અર્થ પ્રવાહ માનવજાત ઉપર ચઢી ન બેસે, પણ તેને આધીન રહે તેવી સ્થિતિ સર્જવી જોઈએ. સહકારી ખેતી રાજ્ય સંચાલિત ન હોય પણ નૈતિક ગ્રામ સંગઠન સંચાલિત હોવી જોઈએ, તેમ જલદી થવું જોઈએ નહીંતર નાને ખેડુત નહીં ટકી શકે. બળદ, સાધન, ખાતર વગેરે મઝિયારાં હેય તે જ નાના ખેડુત ટકી શકશે. આ અંગે ધમને પુટ દરેક ક્ષેત્રે આપ જોઈશે. તેવી જ રીતે, નશે, વિલાસ કે ઝેરી પદાર્થોની ખેતીને બંધ કરી ધાન્યની ઉત્પત્તિ મુખ્યપણે થવી જોઈએ. જેમકે તમાકુ, ચા, કોફીનું વાવેતર કરી કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચ નાખવા અને ખેતીની ઉપજને ઘટાડવી એ બધું કંઈ સારું નથી. એટલે વિશ્વના અર્થ પ્રવાહમાં આટલી બધી ઝીણવટથી સમગ્ર રીતે વિચાર કરવો પડશે. અર્થનીતિમાં (૧) લોકોની ખરી જરૂરિયાત, (૨) નફાની નહીં પણ લોકોની જરૂરિયાત, (૩) સંધરો નહીં પણ સહકારી વહેચણી, (૪) તિક સંગઠને વડે ઉત્પાદન વિનિમય અને ઘરાકીનું જોડાણ આ બધાં તો ઉમેરવાં પડશે, જેથી આખાયે વિશ્વની પરિસ્થિતિ બદલાઈ જાય અને માનવજાત જ નહીં વિશ્વના પ્રાણી માત્ર પણ સુખી સુખી થઈ જાય.” શ્રી સુંદરલાલ : “ જેમ દારૂના પીઠાં કરનારને મેંઢ દૂધની વાત શોભે નહી તેમ જે શેષણ કરે છે તેમને મેટે ધર્મની વાત શોભશે નહી. એટલે જ કાંતિપ્રિય સાધુઓએ અર્થનીતિના પ્રવાહમાં બધા પાસાંને વિવો કરતું સીધું માર્ગદર્શન આપવું પડશે, આમ થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તો જ ગાંધીજી, જેમ મિલોની આસપાસ બેસીને પણ મજૂરોનું નૈતિક સંગઠન સાધી, મિલે સામે બાથ ભીડી શકયા તેમ શહેરેને ગ્રામ પૂરક બનાવવો પડશે. તો જ તે કાર્ય સરળ થશે, આજે સ્વરાજ્ય બાદ ગામડાંની દિશા અટકી ગઈ છે ત્યાં ખાસ સાગરમાં મીઠી વીરડીની માફક સંગઠને કરી વ્યવસ્થિત રીતે ભાલ નળકાંઠો પ્રમાણે જે કાર્ય આરંભળ્યું છે તેમ ધર્મને પુટ વિશ્વના અર્થપ્રવાહને આપવા માટે એ પ્રયોગને દેશ અને દુનિયાને મોટે ર મળવો જોઈશે.” (૧૬-૧૧-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ માનવી માનવ હદમાં ઉઠતી નવી આ બિલાપાએ. નવી આકાંક્ષાએ, નવા વિચારોને વાર્તા, પ્રસંગચિત્રા. નિબંધ, નાટકરૂપે રજૂ કરતું માસિક. વાલ ક લવાજમ : ૨ા. ૪–૦ * કાર્યાલય : mજાની વાડી, આવા -૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ alcPhllo kenara po Suતી છે નિય મતતા, વ્યવત aria - વીરતા, અગ) G) સરચાઈ. તે ada, અવસર cવાજ ચા. -બિંદાતિ વ્યવ c : % . ન્યાય છે. (વ્યસન વિણ, થતતા, ઉપયો (માલિકી હક 183k ' 8 : સર્વધર્મ ®yriMhbળી' ic 'ને 'હe 6 પ્રગ ' @ unde “ના, સફાઇ છે. અને રેંટિયો ) કિંમત : 250 મુદ્રક : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી જ્યારનાબહેન શુકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 4 www.umaragyanbhandar.com