________________
૧૨૦
પર વધારે છે. સંસ્કૃતિ સ્વાતમાં
તરનું બનેલું છે તેમાં પૃથ્વીનું તત્વ વધારે હોઈ તેની અસર માનવ જીવન ઉપર વધારે પડે છે. પૃથ્વી એક ગ્રહ છે. જેમ બીજા ગ્રહ છે. તેની અસર માનવજીવન ઉપર વધારે છે. કારણ કે તેના ઉપર માનવ જીવે છે; મરે છે. એ ઉપરથી માનવ માટે જે સંસ્કૃતિ સ્વાભાવિક રીતે ઘડાવી જોઈએ તે પરસ્પરના સહયોગની છે. જૈનોનાં તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે :
परस्परोपग्रहो जिवानाम् એટલે કે પરસ્પરને ઉપકાર કરે એ જીવનો સ્વભાવ છેતેથી માનવે ખાસ કરીને પૃથ્વી ઉપર વસતા સહુ પ્રાણ પ્રત્યે બંધુભાવઆત્મીયભાવ કેળવવાનો છે. તેને દરેક જીવને આત્મીય ભાવે જોવાને છે. તેની સ્વાભાવિક પ્રવૃત્તિ એ જ હેવી જોઈએ કે જેમ મને કે મારા સમાજને કે મારા રાષ્ટ્રને જરૂર પડે હું સહયોગ બીજાને લઉં, તેવી જ રીતે જ્યાં જ્યાં સંસ્કૃતિ, નીતિ કે ધર્મની દષ્ટિએ, સ્થૂળ વસ્તુની દષ્ટિએ મારા સહયોગની જરૂર હોય ત્યાં હું યથાશક્તિ આપુ ! એટલું જ નહીં, જરૂર પડે મારી પાસે જે સાધન છે, શકિત છે તેનો ઉપયોગ નિસ્વાર્થ બીજા માટે કરી શકું. એવી ઉદાત્ત ભાવના તેને કેળવવી જોઈએ. આ વિશ્વ વાત્સલ્ય ભાવ સંક્ષિપ્તમાં છે અને તે મુજબ જીવનનું ઘડતર એ સંસ્કૃતિ છે.
એટલે આવી વિવવાત્સલ્યની સાધના માટે માનવ ઐક્ય સાધવું સર્વપ્રથમ જરૂરી છે. તે માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. કારણ કે જુદા ક્ષેત્રના માણસે, તેમની રહેણુ-કરણી, ધંધે વગેરે જાણીએ નહીં તો ઘણીવાર અજ્ઞાનના કારણે તેમના પ્રતિ પ્રેમના બદલે ઘણુ પણ થઈ શકે. જેમકે ધ્રુવના પ્રદેશમાં રહેતા માણસો કેવળ માંસાહાર કરે છે કારણ કે ત્યાં વનસ્પતિ થતી જ નથી. એવી જ રીતે યુરોપના દરિયાકાંઠાના પ્રદેશે માછલીઓ પકડવાને બંધ કરે છે–તે છતાં પણ તેઓ પ્રેમાળ હોઈ શકે અને હિંદમાં ચુસ્ત શાકાહારી તેમની ખાનપાનની રીતોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com