________________
૪૩
બ૮ ની સાલમ સિવ આવી
સાહિત્યની મહાન નિધિ ગણાય છે. હર્ષ બૌદ્ધ હતે. એમ કહેવું વધારે થગ્ય થશે કે તે છેલ્લે બૌદ્ધ સમ્રાટ હતે. હર્ષના અમલ દરમ્યાન હિંદમાં હ્યુ-એન-ત્સાંગ નામને બીજો ચીની પ્રવાસી ભારતમાં આવ્યો. તેણે તેના કાળનું સુંદર પ્રવાસ-વર્ણન કર્યું છે. હર્ષ ૬૪૮ ની સાલમાં મરણ પામ્યો. હર્ષના સમયમાં જ મુસલમાનેઅરબ બલુચિસ્તાન થઈ સિંધ આવી પહોંચ્યા હતા અને તેને કબજે તેમણે મેળવ્યો હતે. દક્ષિણના રાજાઓ:
મુસલમાન રાજાઓના હુમલાઓ ઉપર આવીએ તે અગાઉ દક્ષિણ હિંદના રાજાઓ અંગે વિચાર કરી લઈએ. દક્ષિણના મધ્ય અને પશ્ચિમ ભાગમાં ચાલુક્ય રાજ્ય હતું. જેમાં આજના મરાઠાવાડાને સમાવેશ થઈ જતું. આ લેકો લડાયક જુસ્સાવાળા તેમ જ સ્વાભિમાની હતા. તેવી જ રીતે ઠેઠ દક્ષિણમાં પાંડય રાજાઓનો અમલ હતો. તેમના કાળમાં મદુરા સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. તામિલ ભાષાએ આ કાર-પ્રકાર ધારણ કર્યું અને સાહિત્યનું સર્જન થયું તેની ઉપરના ભાગમાં પલ્લનું રાજ હતું. તેમણે મલાયા, જાવા વગેરેમાં ઘણું માણસે મોકલ્યા હતા. તેમનું પાટનગર કાંજીવરમ (કાંચીપુરમ) હતું. ત્યારબાદ ત્યાં ચોલ રાજાઓનું પ્રભુત્વ વધ્યું. તેમની પાસે મેટું નૌકાસૈન્ય હતું. કાવેરી નદીના મુખ ઉપર આવેલું કાવેરી-પટ્ટનમ્ એમનું મુખ્ય બંદર હતું. વિજયાલય એ સામ્રાજ્યને પ્રથમ સમ્રાટ હતો. તે રાજ્ય ઉત્તર તરફ ફેલાયું હતું પણ રાષ્ટ્રોએ તેને ઓચિંતો પરાજય કર્યો. રાજકાજના અમલ દરમ્યાન એ સામ્રાજ્યને મહત્વ મળ્યું. દશમી સદીના પ્રારંભમાં ઉત્તર ભારતમાં જ્યારે મુસલમાનોના હુમલાઓ થતા હતા ત્યારે તેની કંઇ પણ અસર દક્ષિણ ઉપર નહેતી થઈ.
ચલ રાજાઓમાં રાજરાજ ચેક પોતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં જ રહ્યો. તેણે લંકા પણ જીતી લીધી હતી. તેને પુત્ર રાજેન્દ્ર પણ બાપના જેટલે સાહસિક હતો. તેણે દક્ષિણ બ્રહ્મદેશ જીતી લીધું હતુ. તે ઉત્તર હિંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com