SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ કામ કરવાનું છે. જગતની માનવજાતને એક કરવાને આજે સુંદર સમય પાકી ગયો છે, એ નિઃશંક છે.” પૂ. દંડી સ્વામી : “ભૂગોળ અને પુરાણથી કેટલીક વાતે ઉપરથી સાર કાઢીને ત્યાં તપ કે પુરૂષાર્થ વડે કાર્ય કરી માનવહિત માટે આગળ વધવાનું છે. પુરાણોમાં અગમ્ય ઋષિની વાત આવે છે કે તેઓ સાગરને પી ગયા એટલે કે તેમણે સાગરને પાર કર્યો. વિધ્યાચળ ઊભો હતે પણ અગમે તેને દંડવત કરવા પિતાની કાયા ઢાળી એટલે કે નમી નમીને ચાલીને પણ તેને પાર કર્યો અને પછી સાગર ખેડયું. તેવી જ રીતે વિદેશીઓમાં કોલંબસ, “વાડી ગામા” વગેરે પણ શોધકો થયા. ભૂગોળનું જ્ઞાન માનવને સમૃદ્ધ કરવામાં મદદ રૂપ થાય છે. જામનગરની ખાડીમાં કાળુ નામની માછલી સાચાં મોતી બનાવે છે. પશુપતિનાથનું મંદિર નેપાળમાં છે. તેને પતિ સોનાને છે. તે પ્રદેશમાં પારસમણિ છે અને બકરાને પગે લોઢું બાંધતા તે સોનું થઈ જાય છે, એમ કહેવાય છે. પશુપતિનાથની ઉત્તરે સો માઈલ દૂર ગંડકી નદીના પટમાં લગભગ પાંત્રીસેક માઈલનાં વિસ્તારમાં સેનું મળે છે. ક્યારેક નાળિયેર જેવા ગદ્દાઓ મળે છે. આ સેનાને ઉપયોગ માનવ દુઃખે દૂર કરવા માટે કરવામાં આવે તો ઘણું થાય. ત્યાં માખણિયો ૫હાડ છે. એટલે કે ચૂંબકને પહાડ છે. આમ વિશ્વ ભૂગોળમાં અનેક ખૂબીઓ પડેલી છે. તેને વિચાર પ્રાણીહિતમાં થવો જોઈએ તે તે સાપક થાય !” ૫નેમિમુનિ : અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા દેશે, તરૂણ છતાં બહુ ઝડપે આગળ વધ્યા છે અને અપાર આવા ત્યાં થાય છે. ત્યારે ભૂતકાળના સમૃદ્ધ પ્રદેશ ચીન અને ભારત ગરીબીમાં સપડાયાં છે. આજના જગતની વિષમતા દૂર કરવા માટે આ સમુહ દેશે, અસમૂહ રોને સામેથી વણમાગે મદદ અને સહયોગ આપે તેજ આગળ વધી શકાય. આ કાપ માનવ જમાને કરવાનું છે. ભૂળનાં દિન પછી જે માનવ એટલું કરી કે તો એક મહાન કાર્ય કર્યું કહેવાશે. (૫-૧૦-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy