SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરાન ઉપર ચડાઈ કરવા તૈયાર થયા. સર્વ પ્રથમ તે ગ્રીસ આવ્યો. તેના દબદબાથી ગ્રીક લોકો દબાઈ ગયા અને તેને પોતાને તેના પતિ બનાવ્યો. એનું બીજું કારણ એ હતું કે થેમ્સ નામનાં એક ગ્રીક રાજે વિરોધ કર્યો તેથી તેને સમૂળગો નાશ કરી દેવામાં આવ્યા, શહેરને નાશ કરવામાં આવ્યું, અનેક માણસને કતલ કરવામાં આવ્યા અને અનેકને ગુલામ કર્યા. ગ્રીવાસીઓ ઉપર તેની અજબ ભયની છાપ પડી અને તેઓ આ નવી ઉદય પામતી સતાને વશ થયા. સિકંદર સહુથી પહેલાં મિસરમાં ગયે. ત્યાં કોઈએ સામને ન કર્યો. તે જિતને તે ઈરાન ગયા. ત્યાંના સમ્રાટને તેણે હરાવ્યો. ત્યાંથી વિજ્યને ડંકો વગાડતો હેરત, કાબુલ, સમરકંદ થતો તે સિંધુ નદીના ઉત્તર તરફના પ્રદેશમાં પહોંચ્યો. જ્યાંને રાજા પર તેની સાથે ખૂબ બહાદૂરીથી લાગ્યો. તેની બહાદુરીની એટલી છાપ સિકંદર ઉપર પડી કે તેણે તેનું રાજય પાછું આપી દીધું. હવે સિકંદર તક્ષશિલાથી આગળ વધવા લાગ્યો અને તે ગંગા નદી તરફ આગળ વધવાનો વિચાર કરતો હતો પણ તેને એ નિર્ણય બદલ પડ્યો તેની પાછળ બે ત્રણ કારણો હતાં. (૧) એક તે એ કે સિકંદર ભારતના રાજાઓની બહાદૂરીથી પ્રભાવિત થયો હતે. (૨) ઘણાં વર્ષોની રખડપાટ અને લડાઈથી તેના સૈનિકો કંટાળ્યા હતા; તેઓ પાછા વળવા માગતા હતા. (૩) આગળ વધીને હાર ખાવાનું જોખમ તે વહેરવા માગતો નહતો. સિકંદર પાછો ફર્યો પણ તેની એ વળતી મુસાફરી ઘણી આફતવાળી નાળી. માર્ગમાં સૈન્યને ખાવા-પીવાના સાસાં પડ્યાં. થોડા વખત બાદ રસ્તામાં બેબિલેનિયા ખાને તેનું મરણ થયું – ત્યારે તેની ઉમ્મર કેવળ ૩૩ વરસની હતી. મૃત્યુ વખતે પિતાની વિજેતા બનવાની ધૂનમાં તેણે જે કંઈ કર્યું હતું તેનું તેને ઊંડું દુ:ખ હતું અને “સિકંદરને ખાલી હાથને જનાજે ” આજે પણ દાખલા તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy