SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ધીમે તેમને નજીવી સત્તાના થોડાક ટુકડા મળ્યા. રામના મર્યાદિત રાજ્યતંત્રને ઘણાં વર્ષો સુધીને ઈતિહાસ આ બન્ને વર્ગો વચ્ચેના સંઘર્ષને ઇતિહાસ છે. અહીં એક વરતુ જાણવા જેવી છે કે પ્લેલિયનેએ પિતાની આઝાદી મેળવવા માટે પહેલાં તો શસ્ત્રોને આધાર લીધે પણ અંતે તેમણે અસહકારને સફળતાથી ઉપયોગ કર્યો હતો. રેમમાંથી તેઓ એક સાથે ચાલી નીકળ્યા અને તેમણે પોતાનું નવું નગર વસાવ્યું તેથી પેટીશિયન ચેતી ગયા; કારણ કે તેમને પ્રેલિયને વગર ચાલે તેમ ન હતું. એટલે તેમણે એમની સાથે સમાધાન કર્યું. તેમને થોડાક હક્કો આપ્યા અને મોટા હોદ્દાઓ પણ મળ્યા. તેઓ સેનેટના રાજ્ય સભ્યો પણ થયા. આ ઉપરથી એક રાજ્ય સંસ્થા કરતાં લોકસંસ્થા કેટલી બળવાન છે એને ખ્યાલ આવ્યા વગર નહીં રહે; જે એની સાથે ધર્મસંસ્થા અને લેકસેવકસંસ્થાને અનુબંધ હેત તે રાજ્ય સ્થાને લેમ સ્થા અંકુશમાં રાખી શકત; પણ તેમ ન હતું. ઉપરાંત રોમન રાજયમાં એવી વસતિ વધારે હતી જેમને કોઈ પણ જાતને અધિકાર ન હતા. આમાં સ્ત્રીઓ, ગુલામ તેમજ રોમમાં બહારથી આવેલા માણસોને સમાવેશ થતો હતે. ગુલામોની સંખ્યા ઘણી મોટી હતી. પ્લેલિયન લોકોએ પિતાને અધિકાર મળ્યા બાદ પણ એમની (ગુલામોની) સાથે ગુલામો જેવો વહેવાર કર્યો. પરિણામે મૂડીવાદના કૃષ્ણ રૂપે ગુલામી પ્રથામાંથી પેટ્રીશિયન લોકોને જ વધારે લાભ થશે. તેઓ વધારે માતબર અને ધનવાન થતા ગયા. એ દરમ્યાન પ્રેલિયન લોકો તે ધર્મ-સંસ્થા કે સેવક–સંસ્થાની પ્રેરણા કે અનુબંધ વગરના હેઈને ગરીબ રહ્યા અને વધુ કમનશીબી એ હતી કે તેઓ પણ ગુલામનું દમન કરવા લાગ્યા હતા. પશ્ચિમની જુની દુનિયામાં ગુલામોની ભારે માંગ રહેતી હતી. આ માંગ પૂરી પાડવા માટે ગુલામોનાં મોટા મોટા બજારે ઊભા થયાં. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy