________________
૨૧૧
પક્ષે ભારતમાં નિષ્ફળ જવાના છે અને ગયા છે. સ્વતંત્ર ઉમેદવારે ભલે ગમે તેટલા પાણીવાળા હેય પણ લેકશાહીમાં તેમને સ્થાન નથી. તે પછી ભારતીય પરંપરા વગેરે જેઈ જેમ જગતના બંધારણમાંથી આપણે પ્રમુખ પદ્ધતિ, સંસદીય વિશેષતા અને સમવાયી તંત્રના સારાં અને આપણા બંધારણમાં લીધાં છે તેમ, પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ કહે છે, તેમ પ્રેરક-પૂરક બળને સ્વીકાર થ જોઈએ.
અગાઉના એક પ્રવચનમાં (અનુબંધવિચારધારા) પૂ. મહારાજશ્રીએ કોંગ્રેસની પાર્લામેંટરી બોર્ડને હરાવ આવ્યો છે તે તથા ઈટુક અને કેગ્રેસ વચ્ચે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કરાર થયા છે તે જોતાં આ વસ્તુ આ દેશમાં સાવ વહેવાર અને અસરકારક છે. પૂરક તરીકે મુખ્ય રૂપે નૈતિક ગ્રામ સંગઠન અને પ્રેરક તરીકે પ્રાયોગિક સંઘે આવતાં કેમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સક્રિય અસરકારક તટસ્થ જાગૃત બળ બની રહેશે. જનસંગઠને અને પ્રાયે મિક સંધને યુનેસ્કો સાથે સીધો સંપર્ક થઈ ને સામુદાયિક અહિંસાના કાર્યક્રમો તથા રચનાત્મક કાર્યક્રમ દ્વારા આખી દુનિયાના સંગઠન એકરૂપ બનશે.
પશ્ચિમની લેકશાહીઓ પણ સોધન માંગી રહી છે. કારણ કે ત્યાં રાજ્ય વડે જડ ક્રાંતિની વાત હોય છે. આપણે ત્યાં નથી. એટલે જ પશ્ચિમના લોકો ભારતીય લોકશાહી તરફ મીટ માંડે છે ત્યારે વિરોધ પક્ષ હેજ જોઈએ એવી રૂટિને આપણે શા માટે વળગીને રહેવું જોઈએ ? ભારતીય લોકશાહીમાં જેટલા પક્ષે કોંગ્રેસ વિરોધી થવાના, તેઓ સીધે કે આડકત સંબધ સામ્યવાદ, મૂડીવાદ, કોમવાદ અથવા રાજ્ય દ્વારા કાંતિ સાથે ધરાવશે. એટલે વિરોધમાં શકિન વેડફવા કરતાં પ્રશ્ક-એક બળથી શક્તિ ને શુક અને વૃદ્ધિગત કરવી છે ખરી? આપણે ત્યાં રાજાશાહી પણ રાજ્યાશ્રિત ન હતી. લે કા ધારિત હતી. એટલે જ રાજકારણમાં ગાંધીજીએ ધર્મનીતિ મેળવી હતી તેને જાળવીને કાળજીપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com