SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જાતિ અને ઉપજાતિઓ છે!” આમ પ્રજાનું વિભાજન થતાં થતાં દેશ નબળે થયો. જે આર્યોમાં કોઇને ગુલામ આયે ન થતે તે જ આર્યોને ફાટફૂટના કારણે ગુલામ થવું પડ્યું. આર્ય લોકોની નગરરચના પણ ભૂમિતિના આધારે થતી હતી એમ લાગે છે. આજે પણ પૂજાની વેદી બનાવતી વખતે ભૂમિતિની જુદી જુદી આકૃતિઓને ઉપયોગ કરવામાં આવે છે. તે વખતે આર્યો નગરને ફરતો રોમેર કોટ બનાવતા; કિલો બાંધતા તેમજ યોગ્ય સ્થાને નાના-મોટા દરવાજા રાખતા અને બહારના હુમલાના બચાવથી રક્ષણ થાય એ રીતે આયોજન કરતા. ગામની વચમાં ગામની પંચ – વાડી રહેતી જ્યાં બધા ભેગા થતા કે એટલો રહે જ્યાં મળતા. ઘણા વિદ્વાન, તત્વચિંતક કે એકાંત શાંત જીવન જીવનારા લોકો ગામ કે શહેરથી બહાર જંગલમાં જઇને વસતા. તેમની આસપાસ દૂર દૂરથી ભણવા માટે વિદ્યાર્થીઓ ભેગા થઈને મળતા. આમ ગુરુ-શિષ્ય મળીને એક વન–વસતિ જેવું કરતાં; તેને “ગુરુકુળ” કહેવામાં આવતું. ત્યાં નાનાં-નાનાં ઝૂંપડાઓ ઊભાં કરીને એક આશ્રમ જેવું ગોઠવી લેતા. ત્યાં શિખ્યા રહીને ભારતીય સંસ્કૃતિ, કળા અને વિદ્યા શીખતા. તેઓ બ્રહ્મચર્યાશ્રમ પસાર કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા. ત્યારે ખૂબજ તેજસ્વી કર્મઠ અને સંસ્કારી જીવન ગાળતા. સ્વાવલંબન તેમને શિક્ષણ કાળથી શીખવવામાં આવતું. એ પ્રાચીનકાળ હિંદના આર્યોને ઉન્નતિકાળ હતું. કમનશીબે આપણી પાસે તેમને સંવતવાર કમબહ ઇતિહાસ નથી; પણ જે અવશેષો મળે છે, તે જોવાથી અને જે પ્રથે મળે છે તે ઉપરથી તે વખતનાં નગર, રાજાઓ, શાસન વગેરેને ખ્યાલ આવે છે. તે વખતે મગધ, વિદેહ, વારાણસી, કાશલ, અયોધ્યા, પયાલ, કાન્યકુજ, મથુરા, પાટિલપુત્ર, ઉજૈની, વાલિ વગેરે નગરો, નગરીઓ તેમજ રાજ્યોને ઉલેખ મળે છે. ગણતંત્ર રાજ્ય પણ હતાં. જૈન સુમાં એવું વાંચવા મળે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy