________________
કુળપરંપરા ૧૭
વેલીને સૂબો કોઈ નુકસાન ન કરે એવી બાંહેધરી મહાજન દ્વારા સૂબા પાસેથી લીધી. સૂબાએ કહ્યું: “તેના પર મારો કબજો રહેશે, પણ તોડફોડ નહીં કરું.”
મહાજને તે માટે બે મહિનાની મહેતલ લીધી તે દરમ્યાન શેઠે હવેલી ખાલી કરીને આરબ સેનાની સાથે સેંકડો ગાડીઓમાં સામાન ભરીને અમદાવાદની બહાર પેથાપુર નજીક પડાવ નાખ્યો. બીજી બાજુ આખી પરિસ્થિતિ સમજાવતી અરજી સાથે ખુશાલચંદે કાસદને દિલ્હી મોકલ્યો. ફરૂખશાયર તો નામનો બાદશાહ હતો. સૈયદ ભાઈઓ જ કર્તાહર્તા હતા. તેમણે સૂબા અખત્યારખાંને દિલ્હી પાછો બોલાવી લીધો. અને નગરશેઠ ખુશાલચંદની સવારી વાજતેગાજતે અમદાવાદમાં પાછી આવી.
મુઘલ સલ્તનતના અસ્ત સમયે સૈયદ ભાઈઓએ લશ્કરી સહાયના બદલામાં મરાઠાઓને ગુજરાતની ચોથ ઉઘરાવવાનો હક આપ્યો હતો. એક તરફ મરાઠાઓની રંજાડ હતી અને બીજી તરફ સત્તા ટકાવી રાખવા મુઘલ સરદારો અમદાવાદ પર હુમલો કરતા હતા. પણ દરવાજો બંધ કરવાથી બહારનો હુમલો ખાળી શકાતો. સૂબા નિજામુલમુશ્કનો કાકો હમીદખાન મરાઠાઓને અમદાવાદ લૂંટવા લઈ આવ્યો હતો.
નગરશેઠ ખુશાલચંદને ખબર મળ્યા કે મરાઠાઓ અમદાવાદ લૂંટવા ચાહે છે. પોતાની પાસે સેના અને શસ્ત્ર હોવા છતાં ખુશાલચંદ શેઠે રાજનીતિથી કામ લેવાનું વધુ હિતકર ગયું. મરાઠા ફોજ અમદાવાદને ઘેરો ઘાલીને પડી હતી. સાહસ કરીને તે મરાઠાની છાવણીમાં પેઠા. હમીદખાનને મળ્યા. તેના ઉપર એમના ઘણા ઉપકાર હતા. તેને સમજાવ્યો કે, “લૂંટથી પ્રજા હેરાન થશે, તેના કરતાં જોઈએ તેટલું ધન લઈને તમે જાઓ.” છેવટે નગરશેઠે મરાઠાઓને એક લાખ રૂપિયા આપ્યા, એટલે તેઓ ઘેરો ઉઠાવીને ચાલ્યા ગયા.
નગરશેઠના આ હિંમતભર્યા પુરુષાર્થની અમદાવાદની હિંદુ-મુસલમાન પ્રજા પર ઊંડી અસર થઈ. બધાં મહાજનોએ એકત્ર થઈને ઠરાવ કર્યો કે નગરશેઠના શહેર પરના આ મહાન ઉપકારના બદલામાં શહેરના વેપાર પર અને ઉત્પન્ન થતી વસ્તુની કિંમત પર ૫ ટકાનો કર તેમને વંશપરંપરા આપવો. શેઠના કુટુંબને તે કર અંગ્રેજોના અમલ દરમ્યાન પણ મળતો હતો. પ્રિવી કાઉન્સિલના તા. ૩૧-૫-૧૮૬૧ના ઠરાવ અનુસાર દર વર્ષે તેમના વંશજોને રૂપિયા ૨૧૩૩ મળતા
' -
Scanned by CamScanner