________________
૧૮૯૬
પરંપરા અને પ્રગતિ
“હમણાં કોઈ ચિંતાનું કારણ દેખાતું નથી. તમારી તબિયત સારી છે ને ?”
મિત્રે કહ્યું.
“પ્રભુની કૃપા છે.” હાથ ઊંચો કરીને કસ્તૂરભાઈ બોલ્યા.૫
તાજેતરમાં ગુજરાત રાજ્ય સ્થાપિત ' ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ (જી.આઈ.આઈ.સી.)ના સહકારમાં લાલભાઈ ગ્રૂપે ગુજરાત ઍરોમેટિક્સ નામની કંપની ઊભી કરેલી. તેમાં લાલભાઈ ગ્રૂપના પ્રતિનિધિ તરીકે શ્રેણિકભાઈ હતા. એ કંપનીનો પ્લાન્ટ અંક્લેશ્વર નજીક નાખેલો છે. તે પ્લાન્ટ જોવાની કસ્તૂરભાઈની ઈચ્છા હતી. દરમ્યાન ભરૂચમાં જૂનું દેરાસર બદલીને નવું દેરાસર બાંધવાનું હતું તે અંગે સલાહ લેવા સારુ ત્યાંના જૈન મંડળે તેમને ભરૂચ આવવા વિનંતી કરી હતી. તેને ધ્યાનમાં રાખીને ભરૂચ-અંકલેશ્વર-અતુલ-મુંબઈનો પ્રવાસ ગોઠવ્યો.
તારીખ છઠ્ઠી જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ સવારે ગુજરાત એક્સપ્રેસમાં કસ્તૂરભાઈ અને શ્રેણિકભાઈ ભરૂચ જવા નીકળ્યા. દસ વાગ્યે ભરૂચ પહોંચ્યા. દેરાસર જોયું અને નવા દેરાસરનાં બાંધકામ તથા શિલ્પ વગેરે અંગે શ્રીસંઘને જરૂરી સૂચના આપી. ત્યાંથી સભાસ્થાને ગયા. ત્યાં સીડી ચડવાની હતી. શ્રામપૂર્વક ચડ્યા. ભાષણ કર્યું. ત્યાંથી નીકળ્યા ત્યારે થાકી ગયેલા લાગતા હતા. જમ્યા. પછી અંકલેશ્વરના અતિથિગૃહમાં આરામ કર્યો. કલાકેક નિદ્રા લીધા પછી તાજગી આવી.
ગુજરાત ઍરોમેટિક્સના આખા વિસ્તારમાં મોટરમાં ફર્યા. મોટરમાંથી ઊતરીને પ્લાન્ટ જોયો. તેમની આ મુલાકાતના સ્મરણમાં શ્રેણિકભાઈએ તેમને હસ્તે ઝાડના બે છોડ રોપાવ્યા.
“શ્રેણિક, ખૂબ જ સરસ પ્લાન્ટ છે. મને ગમ્યો.” નારિયેળનું પાણી પીતાં પીતાં કસ્તૂરભાઈએ કહ્યું.
“પપ્પા, તમને પ્લાન્ટ ગમ્યો તેથી મને ખૂબ આનંદ થયો.” પિતાની શાબાશીભરી શુભેચ્છાથી પુત્રને કેટલો પોરસ ચડતો હતો !
કસ્તૂરભાઈને લેવા માટે અતુલથી મોટર આવી હતી. તેમાં તે અતુલ ગયા ને શ્રેણિકભાઈ વળતી ટ્રેનમાં અમદાવાદ પાછા આવ્યા.
બીજે દિવસે બપોરની ટ્રેનમાં અતુલથી મુંબઈ પહોંચ્યા. મુંબઈનું મકાન
Scanned by CamScanner