Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 246
________________ પરિશિષ્ટ ૧ તા.૮ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ પ્રકાશિત કસ્તૂરભાઈના અંગ્રેજી જીવનચરિત્રના વિમોચનવિધિ પ્રસંગે પુસ્તકનું વિમોચન ર્યા પછી ગુજરાત રાજ્યના તે વખતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે કરેલું પ્રવચન, કસ્તૂરભાઈના વ્યક્તિત્વ ને પુરુષાર્થનું યથાર્થ મૂલ્યાંકન કરતું હોઈ, અહીં ઉધૂત કરેલું છે.]. બહુમુખી પ્રતિભા એ. ડી. શ્રોફ ટ્રસ્ટનું એક ધ્યેય નવી પેઢી સમક્ષ આધુનિક ભારતના અર્થતંત્રના ઘડવૈયાઓનાં પ્રેરક જીવનચરિત્રો રજૂ કરવાનું છે. યોગાનુયોગ સૌથી પહેલું જ જીવનચરિત્ર એક અનેકવિધ પ્રતિભા ધરાવતા ગુજરાતના શ્રેષ્ઠિવર્યનું રજૂ થાય છે. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એક સફળ વેપારી અને ઉદ્યોગપતિ છે. એટલા જ માટે એમનું જીવન નવી પેઢીને માટે પ્રેરક અને અનુકરણીય બને છે એમ નથી, પણ આ જીવન અનેક દિશાઓમાં સિદ્ધિઓથી ભર્યુંભર્યું છે તેથી અનેક રીતે પ્રેરક બન્યું છે. કાપડ-ઉદ્યોગમાં ભારતના માન્ચેસ્ટરનું બિરુદ અમદાવાદ પામ્યું છે. કસ્તૂરભાઈના ગ્રુપની મિલોનો એમાં નોંધપાત્ર ફાળો છે. એ ઉદ્યોગ વિકસાવવામાં અને એના આધુનિકરણમાં એમનો ફાળો છે. અમદાવાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન (અટીરા) ભારતભરમાં કાપડ-ઉદ્યોગ માટે અજોડ સંસ્થા છે. શેઠશ્રી કસ્તૂરભાઈ આ ઉદ્યોગને વિક્સાવીને અટકી ગયા નથી. દૂર દૂર વલસાડ પાસે અતુલનું રાસાયણિક રંગો વગેરેનું એક અદ્યતન નવા પ્રકારનું સંકુલ ઔદ્યોગિક રીતે અણવિકસિત એવા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એમણે વિકસાવ્યું છે. ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે ટ્રાન્સપોર્ટનું સ્ટેટ ટ્રાન્સપોર્ટની સ્થાપના પહેલાં ગુજરાત ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આયોજન, વહાણવટાનો વિકાસ, Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257