Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 233
________________ છેશું ન ૧૯૩ ચાર ભારતમાં વિરલ જ જોવા મળતા સદાચાર અને પ્રામાણિકતાના ગુણો સાથે ઉચ્ચ કોટિની કાર્યદક્ષતા ધરાવતા સજજન તરીકે તેમને માટે મને હમેશાં ઘણામાં ઘણી માનને પ્રશંસાનો ભાવ રહેલો છે. બેજ અઠવાડિયાં પહેલાં કુટુંબનિયોજન પ્રતિષ્ઠાનના અધ્યક્ષ તરીકે મેં કરેલી અપીલનો તેમણે ઘણી જ ઉદારતાથી જવાબ વાળેલો તેને માટે ઊંડી આભારની લાગણી થાય છે. ખરેખર તેઓ મહાન પુરુષ હતા. વેપાર ને ઉદ્યોગના અગ્રણી નેતા તરીકે તેમની ખોટ બહુ જ સાલશે.૧૪ મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શ્રી હસમુખભાઈ પારેખે કસ્તૂરભાઈને યુગપુરુષ તરીકે બિરદાવતાં લખ્યું કે: “શ્રી કસ્તૂરભાઈના નિધનથી આપણા નભમાંથી કોઈ તારો ખરી પડ્યો હોય એવું લાગે છે. એમનું ભવ્ય વ્યકિતત્વ, એમની અનેકસિદ્ધિઓ, એમની લાક્ષણિકતા, એમની અડગતા, એમની સરળતા અને બીજું કેટલુંયે આજે યાદ આવે છે. વીસમી સદીના વ્યાપારી જગતમાં આપણા દેશમાં એમનું સ્થાન અનોખું રહ્યું છે. સમાજમાં વેપારીઓનું સ્થાન જો કોઈએ શોભાવ્યું હોય, દીપાવ્યું હોય તો તે એમણે જ. વ્યાપારી અને માનવતા વચ્ચે ઐક્ય હોવું જરૂરી છે, એ ભારતની સૈકાઓની પ્રણાલિકાનું જો કોઈએ જતન કર્યું હોય તો તે શ્રી કસ્તૂરભાઈએ જ. તમારા કુટુંબમાં, અમદાવાદમાં, દેશમાં એમની ખોટ પુરાય એમ નથી. યુગપુરુષની જગા કોણ પૂરી શકે? પરંતુ આપણા બધાના દિલમાં એ એક દીવો પ્રગટાવી ગયા તેનું તેજ આપણને માર્ગ અને દિશા આપશે જ...૧૫ ધી ઇન્ડિયન કૉટન મિલ્સ ફેડરેશનના અધ્યક્ષ શ્રી જે. પી. ગોએન્કા કસ્તૂરભાઈએ છ દાયકા સુધી કાપડ-ઉદ્યોગના વિકાસ માટે આપેલ સહાય ને માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને ફેડરેશનના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે કરેલી સેવાઓને અંજલિ આપે છે.૧૬ કસ્તૂરભાઈનું અવસાન થયું તે અરસામાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાથી આવેલ ડૉ. કે. સોમર્સ તેમને અમદાવાદમાં મળેલા અને પાલિતાણા તથા રાણકપુરનાં તીર્થોની મુલાકાત માટે ડૉ. સોમર્સને કસ્તુરભાઈએ અનુકૂળતા કરી આપેલી એટલું જ નહીં, પણ તેમને તેઓ રાણકપુરમાં મળવાના હતા. તેમ બની શકયું Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257