________________
વડી ધારાસભામાં ૧૫
આ દેશ રક્ષણ આપી શકે છે એવું અભૂતપૂર્વ દૃષ્ટાંત દુનિયાને પૂરું પાડ્યું ડાગાશે. લોકમાન્ય ટિળક અને ગોપાળ કૃષ્ણ ગોખલેએ પણ પોતાની રીતે સ્વદેશી ઉદ્યોગને ઉત્તેજન આપવાની હિમાયત કરી હતી.
એ જ વર્ષમાં ઑર્ડ કર્ઝને બંગાળની પ્રજાની રાષ્ટ્રભક્તિને તોડવા માટે બંગભંગની યોજના જાહેર કરી. તેનાથી સ્વદેશીના આંદોલનને જબરો વેગ મળ્યો. તેના જ ભાગરૂપે વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ચાલ્યું. દેશની દોલત દેશમાં રહેવી જોઈએ એટલી સાદી વાત તો અભણ ગામડિયો પણ સમજતો હતો.
આ વાતાવરણ નવા ઉદ્યોગો સ્થાપવા અને જે હતા તેને દૃઢમૂલ કરવા માટે અનુકૂળ હતું. કાપડ ઉપરાંત કટલરી, હોઝિયરી, પેન્સિલ, દીવાસળી, કાચ વગેરે અનેક પ્રકારની ચીજવસ્તુ બનાવવાનાં કારખાનાં નખાયાં. લેંકેશાયરથી આવતા માલના જેવો માલ દેશમાં ઉત્પન્ન કરવા માટે ઉત્સાહ જામ્યો અને તે માટે જરૂરી યંત્રસામગ્રી મિલ સંચાલકોએ પરદેશથી મંગાવવાની વેતરણ પણ કરી.
પરંતુ આ ઉત્સાહ લાંબું ચાલે તેવા સંજોગો રહ્યા નહિ. સરકારની નીતિ અહીં ઉત્પન્ન થતા માલને કોઈ પ્રકારનું રક્ષણ આપવાની નહોતી. ઊલટું, પરદેશથી આવતા માલને અનુકૂળતા કરી આપવાની હતી. રેલવે નૂરના દરમાં એ ધોરણે ભેદભાવ રાખ્યો, જેથી દેશી ઉત્પાદકોને નુકસાન થાય. આને પરિણામે પરદેશથી આયાત થતો માલ અહીંનાં બજારોમાં છૂટથી વેચાતો અને તેની સ્પર્ધામાં દેશી માલ ઊભો રહી શકતો નહીં.
હિંદી સરકારે મિલોમાં ઉત્પન્ન થયેલ કાપડ ઉપર નાખેલી આબકારી જકાત અન્યાયકારી છે એમ બ્રિટિશ પાર્લમેન્ટના અમુક સભ્યો પણ માનતા હતા. પરંતુ લેંકેશાયરની વગને લીધે બોલતા નહોતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતે સરકારને કરેલી મદદની કદર ૧૯૧૭ના માર્ચની આમસભામાં અનેક સભ્યોએ કરી. યુદ્ધ પૂરું થયા પછી આ અળખામણી જકાત નાબૂદ કરવા માટે હિંદી વજીર સર ઑસ્ટિન ચેમ્બરલેન, લોર્ડ વીલીંગ્ટન વગેરેએ પાર્લામેન્ટમાં ભલામણ કરી હતી. વડા પ્રધાન લોઈડ જ્યોર્જે ત્યાં સુધી કહ્યું કે ભારતમાં આ બાબત લોકમત લેવામાં આવે તો આ જકાતને રદ કરવાના પક્ષમાં બહુ મોટો લોકસમુદાય મત આપેઆમ છતાં લેંકેશાયરની લોબી એટલી મજબૂત હતી કે એ વખતે
Scanned by CamScanner