________________
૧૫ર
પરંપરા અને પ્રગતિ
છેલ્લાં સો વર્ષની સંસ્કૃતિનો સાક્ષી હતો. શહેરમાં ચાલતી નાનીમોટી સાહિત્યને સંસ્કૃતિની પ્રવૃત્તિઓ તે હોલમાં જ થતી. કસ્તૂરભાઈની ક્લાદૃષ્ટિને તેની જૂની બાંધણી ખૂંચતી હતી. વળી બેઠકો અને સગવડો વધારવાની જરૂરિયાત પણ ઊભી થઈ હતી. એટલે તેમણે પ્રેમાભાઈ હોલનો કાયાકલ્પ કરાવવાની યોજના કરી, બાલકૃષ્ણ દોશીની રાહબરી નીચે સાત વર્ષ સુધી તેનું નવસંસ્કરણ ચાલ્યું. કુલ રૂપિયા ૫૫,૭૦,૦૦૦ના ખર્ચે ૯૭૫ બેઠકોવાળો નવો પ્રેમાભાઈ હોલ તૈયાર થયો છે. તેમાં કસ્તૂરભાઈ-પરિવાર અને લાલભાઈ ગ્રૂપનાં ઉદ્યોગગૃહોએ મળીને કુલ રૂ. ૩૨,૧૫,૦૦૦નું દાન આપેલ છે. ખરું જોતાં બાંધકામમાં એટલો લાંબો સમય લાગ્યો કે દાનની રકમનું વ્યાજ વૃદ્ધિ પામતાં તેમાં ખાસ્સી રકમ ઉમેરાઈ હતી. જેમ જનો પ્રેમાભાઈ હોલ પરંપરાપ્રિય અમદાવાદની સંસ્કૃતિનું પ્રતીક હતો તેમ તેનું નૂતન સ્વરૂપ આધુનિક અમદાવાદની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
તીર્થોનો જીર્ણોદ્ધાર અને આધુનિક યુગને અનુરૂપ સંસ્થાઓની સ્થાપના કરનાર કસ્તૂરભાઈ ભવિષ્યના ઇતિહાસકારને પરંપરા અને આધુનિકતાનો વિરલ સમન્વય સાધી બતાવનાર અમદાવાદની સંસ્કૃતિના સમર્થ પ્રતિનિધિરૂપ દેખાશે.
ટીપ
૧. કમુ. ૨. KD II, p. 2, શૈક્લા, પૃ. ૩૬. ૩. KD, p. 17. ૪. કોલા, પૃ. ૩૩; KD I, p. 5. કમુ. ૫. KD II, p. 2. ૬. KD II, pp. 5-6. ૭. KD II, p. 6. ૮. કોલા, પૃ. ૩૧. ૯. KD II, pp. 6-7. ૧૦. KD II, p. 7. ૧૧. શૈક્લા, પૃ. ૨૮. ૧૨. શ્રેલા, પૃ. ૨૮. ૧૩. KD II, p. 7. ૧૪. એકલા, પૃ. ૩૩. ૧૫. કોકલા, પૃ. ૨૯-૩૦. ૧૬. શુક્લા, પૃ. ૩૪-૩૫. ૧૭. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયામાં આ બનાવને વિશે લેખો લખીને તેનું તારતમ્ય પ્રજા સમક્ષ મૂકીને પ્રજાને તે આંદોલન ઉપાડી લેવા અનુરોધ કર્યો હતો. જુઓ તેમના નીચેના શબ્દો: “ગુજરાત કોલેજ અંગે હું નિષ્પક્ષપણે જે નિર્ણય પર આવી શક્યો છું તે જોતાં, હડતાળ માટે વિદ્યાર્થીઓ પાસે પૂરતું કારણ હતું એમ મારાથી કહ્યા વિના રહી શકાય તેમ નથી...જો વિદ્યાર્થીઓ મક્કમ રહે તો હડતાળનું
Scanned by CamScanner