________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૫૩
એક જ પરિણામ આવે અને તે એ કે અપમાનજનક નોટિસ પાછી ખેંચી લેવામાં આવે અને વિદ્યાર્થીઓને કાંઈ પણ શિક્ષા કરવામાં નહીં આવે એવું પાર્ક વચન આપવામાં આવે. ખરેખર તો કોલેજ માટે અન્ય પ્રિન્સિપાલ નીમવા એ સરકાર માટે સૌથી વધારે ઉચિત પગલું ગણાશે. સરકારી કોલેજોમાં જે વિદ્યાર્થીઓ અમુક ચોક્કસ વિચાર ધરાવતા હોય, ને સરકારને અણગમતાં રાજકીય સભા-સંમેલનોમાં ભાગ લેતા હોય તેમની ઉપર ખૂબ જાસૂસી રાખવામાં આવે છે અને તેમને સતાવવામાં આવે છે. આવી અયોગ્ય દખલગીરી બંધ કરી દેવાનો સમય પાકી ગયો છે. પરદેશી સત્તા નીચે કણસતા હિંદ જેવા દેશમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની મુક્તિ માટેની ચળવળમાં ભાગ લેતાં રોકી શકાય તેમ નથી...એટલે અમદાવાદના વિદ્યાર્થીઓની હડતાળથી ઊભો થયેલો પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે અને વિદ્યાર્થીઓ બીજી શૈક્ષણિક સંસ્થાઓની તેમ જ સામાન્ય પ્રજાની સહાનુભૂતિને અને ટેકાને પાત્ર છે.. મૂળ અંગ્રેજી: ‘યંગ ઇન્ડિયા', ૨૪-૧-૧૯૨૯) ગાંઅ, ૩૮, પૃ. ૩૭૧-૩૭૨). ૧૮. KD, p. 30. ૧૯. જમુ. ૨૦. કમુ. ૨૧. KL, pp. 59–60. ૨૨. KL, p. 61. ૨૩. KL, p. 65. ૨૪. KL, p. 66. ૨૫. KL, pp. 66–67. ૨૬.KL, p. 67. ૨૭. KL, p. 69. ૨૮. KL, pp. 69-70. ૨૯. KL, p. 72. ૩૦.KL, p. 73. ૩૧. KI, p. 74. ૩૨. KL, p. 74. ૩૩. KL, p. 75. ૩૪. KL, p. 76.
Scanned by CamScanner