________________
ઉત્તમના અભિવાણી ૧૬૩
પ્રમુખશ્રીમે રક્ષણ માટે સાથે પોલીસ રાખવાનું સૂચન ક્યું ત્યારે કસ્તૂરભાઈએલિઈને કહ્યું: “શી નાખી દીધાની વાત કરો છો? જો આપણે પોલીસના Dળ નીચે જઈને વેપારીઓને દુકાન ઉપાડવાની સલાહ આપીશું તો કોણ માનવાનું હતું? પોલીસને સાથે રાખીએ તો આપણો જવાનો હેતુ જ માર્યો જવાનો.”
છેવટે તોનગ્રસ્ત વિસ્તારમાં પોલીસને લીધા વિના તેઓ ર્યા. જોખમ તો હતું જ. છતાં નિર્ભીક થઈને ર્યા ને વેપારીઓને દુકાનો ઉઘાડી નાખવા સમજવી શક્યા. ૧૬
પરદેશી કંપનીઓ સાથે વેપારની વાટાઘાટ કરવામાં પણ તેમણે કદી નબળાઈ કે ઢીલાશ બતાવી નથી. ઈજિપ્તના રૂના સોદા અંગેની વાટાઘાટો તથા લેંકેશાયરના પ્રતિનિધિઓ સાથેની મંત્રણાઓના પ્રસંગો આપણે જોઈ ગયા છએ. વળી એ પણ જોયું કે બ્રિટનની આઈ.સી.આઈ. કંપનીની અતુલ સાથે સહયોગ કરવાની વિનંતીનો તેમણે અસ્વીકાર કરેલો; સાઈનેમાઈડ કંપનીની સંમતિ મળી તે પછી જ આઈ.સી.આઈ.ની ભાગીદારી માટે તેઓ તૈયાર થયેલા.
તે અંગે વાટાઘાટો કરવા માટે તેમને આઈ.સી.આઈ. કંપનીએ લંડન બોલાવેલા. કસ્તૂરભાઈ એક્વા ગયેલા. સાથે સેકેટરીને પણ લીધેલ નહીં. સામે પક્ષે આઈ.સી.આઈ.ના ચાર ડિરેક્ટરો બેઠેલા. સાથે સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર પણ ખરા. કસ્તૂરભાઈને ક્ષણભર તો લાગ્યું કે મારી સામે આ છ ‘બાઘડા' છે ને હું અહીં એક્લો!ક્યાંક ચૂક કરી બેસીશ તો મારું ધ્યાન દોરનાર અહીં કોઈ નથી! પણ એ વખતે જરાય હિંમત ગુમાવ્યા વગર મંત્રણા ચલાવવા તૈયાર થયા. હિંમત મર્દા તો મદદે ખુદ! તરત અમદાવાદી વણિકની ચતુરાઈ મદદે આવી. તેમણે મંત્રણાની પદ્ધતિ નક્કી કરતાં સામા પક્ષને સૂચવ્યું:
“આપણે મંત્રણાઓ દ્વારા જે નક્ત કરીએ તેની તમારા સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર નોંધ કરે તે નોંધ મને મોક્લતા જાઓ એટલે હું તે જોઈને જરૂર પડે ત્યાં સુધારતો જાઉં જેથી આપણા નિર્ણયોને આખરી ઓપ મળે.”
સામે પક્ષે તેનો સ્વીકાર કર્યો. દસ-બાર દિવસ મંત્રણાઓ ચાલી. અને આ પદ્ધતિ અપનાવવાથી તેમને આઈ.સી.આઈ. સાથેની મંત્રણાઓમાં ધારી સફળતા મળી. સ્વદેશ પાછા ફર્યા પછી અંબાલાલ સારાભાઈએ તેમને પૂછયું:
Scanned by CamScanner