________________
ઉત્તમના અભિલાથી ૧૬૭.
ત્રણ બાબતો: પહેલું તો એ કે તમે કોની સાથે સહકાર સાધવા માગો છો. એટલે કે તે કંપનીની સધ્ધરતા, પ્રતિષ્ઠા વગેરે કેવાં છે તે જોવું. બીજું, તેની પાછળ પ્રયોજન શું છે? તે કંપની પાસેથી નવા સાહસ માટે કહ્યું “નો હાઉ મળે છે તે. અને ત્રીજું, એ ‘નોટાઉને અમલમાં મૂકવા માટે શી વ્યવસ્થા થઈ શકે તેમ છે તેનો વિચાર કરવાનો. તમારા ટેકનિશિયનને તેને માટે છ-બાર મહિના તાલીમ માટે તેમની પાસે પરદેશ મોકલવાની જરૂર પડે અને તેમાં સફળતા ન મળે તો તેમના ટેકનિશિયનને અહીં બોલાવવો પડે અને તેની મદદથી મશીન ચલાવવાનું આપણો ટેકનિશિયન શીખે. તેમ છતાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો મશીનરીમાં જરૂરી ફેરફાર કરાવવો પડે. આમ વિદેશી કંપની સાથે કામ પાડવામાં બહુ તકેદારી રાખવી પડે છે.”૧૨
“એમાંથી છેવટનું પરિણામ તમારી નજર સામે શું હોય છે?
“ોષ્ઠ કોટિનું ઉત્પાદન. બધે જ ઉત્તમ—best ની પસંદગી એ જ મારું નિશાન રહેલું છે. પછી તે મારે માટે કપડું ખરીદતો હોઉં કે મિલને માટે મશીનરી; તીર્થના જીર્ણોદ્ધારનું કામ હોય કે સંસ્થાની સ્થાપનાનું. મારા સ્વભાવમાં જ “સેકન્ડ બેસ્ટ’ પસંદ કરવાનું વલણ નથી. કામ કરવામાં પણ ઉત્તમનો જ હું ચાહક રહ્યો છું. કોઈ કહે કે તમે ફર્સ્ટ ક્લાસ કામ કર્યું તો મને સંતોષ થાય. પણ “મધ્યમ કોટીનું, “ઠીકઠીક', “ચાલશે” એવા શબ્દો સાંભળીને મને નિરાશા આવે છે, ચીડ ચડે છે.૨૩
કસ્તૂરભાઈ હમેશાં ઉત્તમના અભિલાષી રહ્યા છે. જેમ સારી ગુણવત્તાવાળું કાપડ મધું હોય પણ સરવાળે લાંબું ચાલે તેથી સસ્તું પડે છે તેવું જ શક્તિશાળી માણસથી માંડીને જીવનના દરેક ક્ષેત્રમાં કરવાની આવતી પસંદગી પરત્વે તેમનું વલણ રહેલું છે. તેમની ઉદ્યોગપતિ તરીકેની સફળતાના મૂળમાં બૌદ્ધિક કુશળતા, ખંત, શ્રમ, નિષ્ઠા આદિ ગુણોની સાથે ઊંચું નિશાન અને તેને વળગી રહેવાની દૃઢતા પણ છે.
તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો, તેની સાથે શિલ્પસ્થાપત્યની કલામાં ઊંડી સૂઝ ધરાવો છો તેના મૂળમાં કયું પ્રેરક બળ છે એ કહી શકશો?” આ લખનારે એક વાર તેમને પૂછયું.
“જુઓ, તેમાં પણ ખંત અને નિષ્ઠાથી પ્રયત્ન કરવાની મારી ટેવ છે. નાનો
Scanned by CamScanner