________________
ઉત્તમના અભિવાળી ૧૧૫
ચડવો. એક અઠવાડિયું ઇન્જન લીધાં. તે પછી તાવ તો ઊતર્યો, પણ એક ઇજેશન પાકતાં બીજાં બે અઠવાડિયાં સુધી હેરાન થયા. યુરોપ ફરીને બ્રેિમ્બરમાં પાછાં પેરીસ આવ્યાં ત્યારે સમાચાર મળ્યા કે તેમનો અગિયાર માસનો ત્રીજો પત્ર હદયની બીમારીમાં મૃત્યુ પામ્યો હતો. મોહિનાબા પાસે તેને રાખ્યો હતો. શારદાબહેનની એ પહેલી યુરોપની મુસાફરી હતી, કસ્તૂરભાઈની બીજી. બંનેને માટે આ પ્રવાસ શોક અને ઉગ કરાવનાર નીવડ્યો.
૧૯૩૨ના આરંભમાં એક દિવસ નરોત્તમભાઈ કસ્તુરભાઈ પાસે આવ્યા અને બોલ્યા: “ભાઈ, આપણા ત્રણેનું કુટુંબ વિસ્તરતું જાય છે. હવે મઝિયારો વહેંચી લઈએ.”
કસ્તૂરભાઈ ચમક્યા. તેમણે કહ્યું: “નરુભાઈ, એની શી ઉતાવળ છે? વહેંચીશું એનો વખત આવશે ત્યારે”
“ના. હમણાં જ વહેંચી લઈએ.” “પણ બા હજુ માંદાં છે ને આપણે જુદા થઈએ એ સારું કહેવાય?”
“એમાં શું? દુનિયામાં એમ થતું આવ્યું છે. મિલકતની વહેંચણી કરી લઈએ.”
એ વાત ત્યાં અટકી. નટુભાઈ ગયા. પણ કસ્તૂરભાઈનું ચિત્ત ચકડોળે ચડ્યું. તેમની નજર સમક્ષ બે દાયકા પહેલાનો પ્રસંગ ખડો થયો. લાલભાઈ શેઠ પર આ જ રીતે તેમના ભાઈઓએ મઝિયારો વહેંચવાનું દબાણ કરેલું. તે વખતે તેમનાં મા પણ જીવતાં હતાં. ગંગામા અને ભાઈશં% સોલિસિટર મધ્યસ્થી હતાં. મિલકત વહેંચાઈ તેમાં રહેવાના મકાન બાબત પિતાનું દિલ દુખાયેલું. ગંગામાએ મણિભાઈ ને જગાભાઈને સમજાવવા પ્રયત્ન કરેલો; પણ બેમાંથી એકે માનેલા નહીં. કલેશ થયેલો. મા રડેલાં અને છેવટે કડવો ઘૂંટડો ગળે ઉતારતાં પિતા હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા હતા.
આ આખા બનાવના કસ્તૂરભાઈ સાક્ષી હતા. જુદા થવાના નટુભાઈના આગ્રહે કસ્તૂરભાઈને વિચાર કરતા કરી મૂક્યા. શું ફરી પાછો લેશકારક પ્રસંગ ઊભો થશે ને ઇતિહાસનું પુનરાવર્તન થશે?
સિંહ જેમ ચાળ પરનું હિમબિંદુ ખંખેરી નાખે તેમ કસ્તૂરભાઈએ આ નબળો વિચાર ખંખેરી નાખ્યો. નટુભાઈ લીધેલી રઢ છોડશે નહીં તેનો તેમને
Scanned by CamScanner