________________
વાટાઘાટ અને વિષ્ટિ
૮૧
આના જેવા પરદેશો સાથેની વાટાઘાટોના અન્ય પ્રસંગો પરથી સમજાય છે.
સ્વરાજ આવ્યા પછી પણ રૂની ખરીદી અંગે વાટાઘાટો કરવા માટે ભારત સરકારે તેમના નેતૃત્વ નીચે એક પ્રતિનિધિમંડળ ઇજિપ્ત મોકલ્યું હતું. ૧૯૪૮ના આરંભમાં આ પ્રતિનિધિમંડળ કેરી ગયું ત્યારે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ભારતમાં રૂની તંગી હતી. ઇજિપ્ત એવી શરત મૂકી કે રૂના બદલામાં ભારતે તેમને શસ્ત્રો આપવાં. ભારતને આ સ્વીકાર્ય નહોતું એટલે પ્રતિનિધિમંડળ પાછું આવ્યું. આ વખતે કેરોમાં ભારતના એલચી તરીકે સૈયદ હુસેન હતા. તે આખો દિવસ નશો કરીને પડ્યા રહેતા. પ્રથમ સેક્રેટરી હકસરે પ્રતિનિધિમંડળના માનમાં મિજબાની ગોઠવી ત્યારે દારૂના નશામાં ચકચૂર સ્થિતિમાં સૈયદ હુસેન આવેલા અને કસ્તૂરભાઈની સાથે પાર્ટીમાં જ ઝઘડી પડ્યા હતા.૧૪/
૧૯૪૮ની આખરમાં ભારતમાં રૂની તીવ્ર અછત ઊભી થઈ. સરકારે પૂર્વ આફ્રિકામાંથી રૂ ખરીદવા માટે કસ્તૂરભાઈના નેતૃત્વ નીચે બીજું પ્રતિનિધિમંડળ કંપાલા મોકલ્યું. ઊપડતાં પહેલાં સરકાર સાથે પ્રતિનિધિઓએ ભાવની મર્યાદા અંગે ચર્ચા કરી લીધી. કસ્તૂરભાઈએ પાઉન્ડના ત્રીસ પેન્સની મર્યાદા સૂચવી. પરંતુ સરકાર રૂની તંગીથી એવી વાજ આવી ગયેલી કે પાઉન્ડના તેત્રીસ પેન્સ સુધી મળે ત્યાં સુધી ખરીદી લેવાની સૂચના આપી. સર્વશ્રી બરાત, અરુણ રૉય અને ચાતુર સરકાર તરફથી સલાહકાર તરીકે તેમની સાથે ગયા હતા.
૨૧મી ડિસેમ્બરે કાફલો મુંબઈથી કંપાલા જવા ઊપડ્યો. એંજિનની યાંત્રિક ખામીને કારણે વિમાન બે ક્લાક મોડું ઊપડ્યું. કસ્તૂરભાઈ એર ઇન્ડિયા ઈન્ટરનેશનલના ડિરેકટર હતા એટલે વિમાનના પાયલૉટને ઓળખતા હતા. તેમણે કેરોથી આગળ જવા માટે તરત વિમાન પકડી શકાય તે માટે તેને સમયસર કરો પહોંચાડવા માટે વિનંતી કરી. વિમાનીએ કહ્યું: “પ્રયત્ન કરીશ.” પણ બીજે દિવસે સવારે ઊઠ્યા ત્યારે જોયું તો વિમાને ઝડપ વધારીને ગુમાવેલો સમય મેળવી લીધો હોય એમ લાગ્યું નહીં એટલે કેરોથી એલેક્ઝાંડ્રિયા જવા માટે વિમાન મળવાની શક્યતા ઓછી હતી. વિમાની દ્વારા કસ્તૂરભાઈએ ઍર ઇન્ડિયાના કેરી ખાતેના પ્રતિનિધિ નરીમાનને ઍલેકઝાંડ્રિયા જવા માટેનું વિમાન કેરી ખાતે રોકી રાખવા સંદેશો મોકલ્યો. સવારે સાડાદસ વાગ્યે કેરો પહોંચ્યા. કસ્ટમમાંથી
Scanned by CamScanner