________________
રાષ્ટ્રીય રંગપીઠ પર
ગાંધીજીએ સ્વદેશીની હિલચાલ શરૂ કરેલી તેના અંગરૂપે વિદેશી માલના બહિષ્કારનું આંદોલન પણ ચાલ્યું હતું. દેશમાં બ્રિટિશ કાપડ જેટલું હોય તેટલું કાં તો પરદેશ મોકલી દેવું અથવા તો બાળી દેવું એવો આદેશ તેમણે આપેલો. તેને પરિણામે દેશમાં ઠેરઠેર વિદેશી માલની હોળી થવા લાગી હતી.
આ રીતે પરદેશી કાપડનો નાશ થવાથી કાપડની ખેંચ ઊભી થાય તેનો લાભ મિલવાળા કાપડના ભાવ વધારીને ન ઉઠાવે તે જોવાનું હતું. આને માટે ચર્ચા કરવા સારુ ગાંધીજીએ કસ્તૂરભાઈને બોલાવ્યા. તેમણે કહ્યું:
વિદેશીનો બહિષ્કાર થાય તેને લીધે દેશી કાપડના ભાવ વધવા જોઈએ નહીં, પણ સ્થિર રહેવા જોઈએ.”
રૂ જો વાજબી ભાવે મળે અને તેના ભાવ સ્થિર રહે તો જ એ બની શકે. રૂના ભાવનો આધાર અમેરિકન રૂના ભાવ પર હોવાથી અહીંયાં દરરોજ રૂના . ભાવ બદલાતા રહે છે એટલે દેશી મિલના કાપડના ભાવ સ્થિર રાખવાનું મુશ્કેલ હોય છે.” કસ્તૂરભાઈએ સમજાવ્યું.
આ પ્રશ્ન અહીં જ અટક્યો. સદ્ભાગ્યે આ ગાળામાં મિલોના કાપડનો ભાવ ખાસ વધ્યો નહીં. એટલે દેશની મિલોના માલિકો પર તે અંગે અપવાદ આવતો અટક્યો.
અહીંથી વિદેશી કાપડને બીજા કોઈ દેશમાં નિકાસ કરી શકાય કે નહીં?”
Scanned by CamScanner