________________
સ્વરાજપ્રાપ્તિ પછી—
પીઢ ઉદ્યોગપતિ અને કુશળ વિષ્ટિકાર તરીકે સ્તૂરભાઈની ખ્યાતિ સ્વરાજ આવતાં પહેલાં દેશભરમાં ફેલાયેલી હતી. વાણિજ્ય અને ઉદ્યોગનાં ક્ષેત્રોની તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને વિદેશી હકૂમતે અનેક વખત અટપટા પ્રશ્નોના ઉકેલ માટે તેમની સેવાઓ માગી હતી તેમ, સ્વરાજ આવ્યા પછી પણ વિવિધ દેશો સાથેના આર્થિક ને ઔદ્યોગિક વ્યવહારોના સંદર્ભમાં અનેક પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ તેમને સોંપીને ભારત સરકારે તેમની શક્તિઓનો રાષ્ટ્રહિતાર્થે ઉપયોગ કર્યો હતો.
સ્વરાજપ્રાપ્તિ વખતે ભારતનું વિભાજન થવાને કારણે કરાંચી બંદર પાકિસ્તાનને ભાગે ગયું હતું. એટલે ઉત્તર ભારતને ઉપયોગી નીવડે એવું એક મોટું બંદર નક્કી કરવાની સ્વતંત્ર ભારતની સરકારને તાત્કાલિક જરૂર હતી. ડૉ. જહોન મથાઈ પરિવહન મંત્રી હતા. સરદાર વલ્લભભાઈ ગૃહમંત્રી હોવાથી આ વિષયમાં તેમની પણ સંમતિ જરૂરની હતી. ડો. મથાઈએ બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદ માટે નલિનીરંજન સરકાર, સર ચુનીલાલ મહેતા અને બીજા બે-ત્રણ અગ્રણીઓનાં નામ મૂક્યાં હતાં. સરદારે એ બધાં રદ કરીને કસ્તૂરભાઈ લાલભાઈનું નામ મૂક્યું. ડૉ. મથાઈ તેમને સારી પેઠે ઓળખતા હતા એટલે કસ્તૂરભાઈની નિયુક્તિ બંદર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે થઈ. આ સમિતિએ પૂરતી તપાસ ર્યા પછી ભારત સરકારને બે બંદરો–એક કચ્છ ને
Scanned by CamScanner