________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
૧૯
તેને માટે અમદાવાદની પ્રજાએ સારો ઉત્સાહ દર્શાવ્યો ને થોડા વખતમાં જ ૪૪,૬૮,૨૦૦ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું. અને તેમના વહીવટ નીચે ચાલતાં ઉદ્યોગગૃહો વધુ રકમનું દાન મળ્યું હતું.
તેમાં કસ્તુરભાઈ, તેમનું કુટુંબ તરફથી કુલ્લે રૂપિયા બાર લાખથી
૧૪૧
આચાર્ય આનંદશંકર ધ્રુવની રાહબરી નીચે ગુજરાત યુનિવર્સિટી મંડળે ગુજરાતની યુનિવર્સિટીની વિભાવના ઘડી કાઢી હતી. એલ. ડી. આર્ટ્સ કૉલેજને પહેલા દસકા દરમિયાન વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા મળતી નહોતી. આચાર્ય ધ્રુવનો આગ્રહ હતો કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં બને તેટલા વધુ વૈકલ્પિક વિષયો આપવા. આને લીધે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં પચીસેક વૈકલ્પિક વિષયો બી. એ. કક્ષાએ શીખવવામાં આવતા. તેને પરિણામે દર વર્ષે તે કૉલેજને આશરે ૪૦,૦૦૦ રૂપિયાની ખોટ પૂરવાની આવતી.૨૦ એક અધ્યાપક દીઠ ૮થી ૧૦ વિદ્યાર્થીનું પ્રમાણ બની ગયું, જે શૈક્ષણિક દૃષ્ટિએ આદર્શ પ્રમાણ ગણાવું જોઈએ. સાયન્સ અને કૉમર્સ કૉલેજને માટે એ વર્ષોમાં ખોટ પૂરવાનો પ્રશ્ન ઊભો થયો નહોતો. પાછળથી આર્ટ્સ કૉલેજની ખોટ ઓછી કરવા વિષયો ઓછા કરવાનું વલણ જાગ્યું હતું. પરંતુ યુનિવર્સિટીના કાયદા પ્રમાણે કોઈ અધ્યાપકને તે કારણે છૂટા કરી શકાય તેવી સ્થિતિ નહીં રહેવાથી એલ. ડી. આર્ટ્સ કૉલેજની વિષમ આર્થિક સ્થિતિ થોડેઘણે અંશે ચાલુ રહેલી છે. એજ્યુકેશન સોસાયટીએ તેના નિભાવમાં આવતી ખોટ પાછળ આજ સુધીમાં એકવીસ લાખ રૂપિયા અને એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની ખોટ પાછળ બાવન લાખ રૂપિયા ખર્ચ્યા છે. આટલી જંગી રકમની જોગવાઈ કરવામાં દેખીતી રીતે જ મુખ્ય પ્રયત્ન કસ્તૂરભાઈનો રહેલો છે.
પોતે સંચાલક-મંડળના પ્રમુખ હોવા છતાં કસ્તૂરભાઈએ અધ્યાપકો કે આચાર્યોની નિયુક્તિમાં પોતાની સત્તા કે વગનો ઉપયોગ કર્યો નથી. સોસાયટીએ નીમેલી પાંચ વ્યક્તિઓની વરણી સમિતિ દ્વારા તદ્દન નિષ્પક્ષ ધોરણે ઉચ્ચતમ લાયકાત ધરાવનાર વ્યક્તિઓને જ પસંદ કરવાનો આગ્રહ તેઓ રાખતા આવ્યા છે. આને પરિણામે પ્રિન્સિપાલ તરીકે ડૉ. વી. કે. આર. વી. રાવ, પ્રો. બી. આર. શિનોય, પ્રો. ગુરુમુખ નિહાલસિંગ, પ્રો. એસ. વી. દેસાઈ અને ડૉ. કે. જી. નાયક જેવી ને પ્રોફેસર તરીકે પ્રો. રામાનારાયણ વિ. પાઠક, પ્રો. એફ. સી. દાવર, પંડિત
Scanned by CamScanner