________________
સ્વરાજપ્રાપ્તિ પછી–
૧૨૩
કલમેન્ટ કોર્પોરેશન સરકારને ભોગે લાભ ખાટી જાય તે ઠીક નહીં. સમિતિના થીજ બધા સભ્યો કસ્તૂરભાઈના મંતવ્યથી વિરુદ્ધ હતા. એટલે કસ્તુરભાઈએ તાના મંતવ્યની અલગ નોંધ કરાવી. એક વર્ષ બાદ સમિતિના સર્વ સભ્યોને મજાયું કે કંડલા મુખ્ય બંદર તરીકે વિકસવાનું હશે તો તે સરકાર દ્વારા જ થશે. છેવટે સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને ભારત સરકારને આઠ હજાર એકર જમીન પાછી આપી.
બંદર બાંધવાનો કસ્તૂરભાઈને અનુભવ નહોતો. મિત્તરની સલાહથી બ્રિટિશ નૌકાદળના સલાહકાર તરીકે કામ કરતી બ્રિટિશ એન્જિનિયર પેઢીને એકામ સોંપવામાં આવ્યું. ત્યારબાદ મુંબઈ ખાતેના ડચ એલચી તરફથી કસ્તૂરભાઈ પર પત્ર આવ્યો. તેમાં તેમણે નવેસર બાંધેલું કર્કનું બંદર જોવા માટે નિમંત્રણ હતું. કસ્તૂરભાઈએ મિત્તરને તે જોવા જવા માટે કહ્યું. તે વખતે ગોપાલસ્વામી આયંગર પરિવહન મંત્રી હતા. તેમને તેમણે મિરને કંકર્કનું બંદર જોવા જવા દેવા માટે ભલામણ કરી. ગોપાલસ્વામીએ તેના ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવતાં કસ્તૂરભાઈએ લખ્યું કે “કરોડો રૂપિયાના ખર્ચે બંદર બાંધવાનું છે એટલે તેની ડિઝાઇન નક્કી કરવા માટે આટલું ખર્ચ થાય તે તદ્દન વાજબી ને જરૂરનું છે.” સરકારની મંજૂરી મળી એટલે મિત્તર બ્રિટન તેમ જ યુરોપના બીજા દેશોનાં બંદરો જોવા ગયા. તેમણે અનેક ઇજનેરી પેઢીઓનો સંપર્ક સાધ્યો. તે પરથી તેમને લાગ્યું કે બ્રિટિશ પેઢીની સલાહ પ્રમાણે ચાલવા કરતાં બંદરની ડિઝાઇન અંગે ટેન્ડર માગવામાં આવે તો વધુ લાભ થાય.
મિત્તરની સલાહ પ્રમાણે સમિતિએ બંદર બાંધવાના કામ માટે ટેન્ડર માગ્યાં. તેના જવાબમાં સાત ટેન્ડરો આવ્યાં, જેમાં ત્રણ કરોડ સાઠ લાખથી શરૂ કરીને સાત કરોડ પંદર લાખ સુધીનો ખર્ચ દર્શાવેલો હતો. ટેન્ડર પસંદ કરવા માટે સલાહકાર તરીકે જર્મન નૌકાદળના એક નિવૃત્ત સ્થપતિને વીસ હજાર રૂપિયાની ફીથી રોકવામાં આવેલો. પાંચ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાવાળું એક જર્મન પેઢીનું ટેન્ડર પસંદ કરવાની તેણે સલાહ આપી. ભારતીય ઇજનેરોની પણ એ જ સલાહ હતી. ભારત સરકારે ત્રણ ઇજનેરોની સમિતિ નીમી ને તેમનો અભિપ્રાય માગ્યો. તે સમિતિનો પણ જર્મન પેઢીની તરફેણમાં જ મત પડ્યો. છેવટે જર્મન પેઢીને ભારતીય પેઢીના સહયોગમાં કામ કરે તે શરતે બંદર બાંધવાનો
Scanned by CamScanner