________________
-
૧૨૨
પરંપરા અને પ્રગતિ
- -
-
- -
ઉઠાવતાં તેમને લૉન્ચમાંથી ઊતરી જવું પડયું.
બંદરની પસંદગી બાબત ચર્ચા કરવા સમિતિ મુંબઈમાં મળી. બધાં સ્થળોના ગુણદોષ તપાસ્યા પછી સર્વાનુમતે નક્કી થયું કે કંડલા બંદરને રાષ્ટ્રીય કક્ષાએ વિકસવા માટે ઘણી જ શક્યતા છે. પરંતુ કંડલા પાકિસ્તાનની નજીક હતું એટલે એ બાબત લશ્કરી સત્તાવાળાઓનો અભિપ્રાય મેળવવા કમાન્ડર શંક્રને વિનંતી કરવામાં આવી. કેટલાક દિવસ પછી સમિતિ ફરીથી મળી ત્યારે કમાન્ડર શંકરે નિવેદન કર્યું કે “લરની ત્રણે પાંખની કંડલા બંદરની પસંદગી બાબત સંપૂર્ણ સંમતિ છે. કેમ કે હાલના જમાનામાં આક્રમણ જ ઉત્તમ સંરક્ષણ મનાય છે. આ ઉપરથી સમિતિએ કંડલાને રાષ્ટ્રીય બંદર તરીકે વિકસાવવાની ભલામણ કરી.
કસ્તૂરભાઈએ સરદારને આ સ્થળની આસપાસની વીસ માઈલ જેટલી જમીનને આરક્ષિત જગા તરીકે જાહેર કરી દેવા વિનંતી કરી, જેથી તેના ઉપર સટ્ટો ખેલાય નહીં. સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને ૧૧,૦૦૦ એકર જમીન પ્રાપ્ત કરી લીધી હતી એની કસ્તૂરભાઈને એ વખતે ખબર નહોતી.
મુંબઈ અને કોચીનની વચ્ચે બીજા એક બંદરની પસંદગી કરવાની હતી. સમિતિએ તે માટે માલપી બંદર પસંદ કર્યું હતું.
સમિતિની ભલામણો મળ્યા પછી ભારત સરકારે લાગતાવળગતા પક્ષોની પરિષદ ન્યૂ દિલ્હી ખાતે બોલાવી અને તેમની સમક્ષ બંદર પસંદગી સમિતિને પોતે કરેલા નિર્ણયની યોગ્યતા સમજાવવાનું કહેવામાં આવ્યું. સમિતિએ તે પ્રમાણે કર્યું.
પછી કંડલા બંદરના વિકાસ માટે સમિતિ નીમવાનો પ્રશ્ન આવ્યો. સરદાર પટેલે તેના અધ્યક્ષ તરીકે પણ કસ્તૂરભાઈ જ કામ કરે એવો આગ્રહ રાખ્યો. બીજા સભ્યો તરીકે કુંવરજી ભાભા, ભવાનજી અરજણ ખીમજી, વેસ્ટર્ન રેલવેના પ્રતિનિધિ અને ભાઈ પ્રતાપ હતા. મિરર બંદરના વિકાસ કમિશનર તરીકે નીમાયા હતા.
થોડીક બેઠકો થઈ ગઈ તે પછી કસ્તુરભાઈએ સમિતિને કહયું કે સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને પ્રાપ્ત કરેલી જમીનમાંથી મોટો ભાગ તેમણે સરકારને પાછો સોંપી દેવો જોઈએ કેમ કે તેનું ખર્ચ ભારત સરકાર જ આપવાની હોવાથી સિંધુ
Scanned by CamScanner