________________
મજૂર અને માલિક
૧૦૭
તે પ્રસંગે બે શબ્દ જે હું બોલવા ઇચ્છું છું તેની કૉપી પ્રથમથી આપના તરફ મોકલીશ.
લિ. સેવક
કસ્તૂરભાઈના વંદેમાતરમ્ તેનો જવાબ ગાંધીજીએ તે જ દિવસે નીચે મુજબ આપ્યો હતો:
સત્યાગ્રહાશ્રમ
સાબરમતી
. ૨૬-૪-૨૮ ભાઈશ્રી કસ્તૂરભાઈ,
તમારો કાગળ મળ્યો છે. હું મંગળવારને દિવસે સવા છ વાગ્યે પહોંચવા હાજર થવા તૈયાર થઈ રહીશ. તમારા ભાષણની રાહ જોઈશ.
મોહનદાસના વુિં. મા. ઉદ્ઘાટનના આગલે દિવસે કસ્તૂરભાઈનું ભાષણ પોતે વાંચી ગયા છે અને તેમાં કંઈ સુધારો સૂચવવા જેવું લાગતું નથી એવી ચિઠ્ઠી ગાંધીજીએ તેમને મોક્લી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે કસ્તૂરભાઈએ મજૂરોના હિત માટે સગવડો આપવાનો ઉમળકો દર્શાવેલો ને લિવર બ્રધર્સે “પોર્ટ સનલાઈટની યોજના કરેલી તેવી યોજના ક્રવાનો મનસૂબો જાહેર કર્યો હતો. ગાંધીજીએ તે ઉગારો કસ્તૂરભાઈને અને અમદાવાદને શોભા આપે તેવા છે, એમ કહ્યું. વળી મુંબઈનો ‘ઉલ્કાપાત” અમદાવાદમાં નથી એમ કહીને કસ્તૂરભાઈએ તેનો યશ ગાંધીજીને આપેલો તે તેમણે શંકરલાલ અને અનસૂયાબહેનને આપ્યો ને અમદાવાદના માલિકોમાં ‘દયાભાવ છે એમ સ્વીકાર્યું. પણ, સાથે સાથે એવી ટકોર કરી કે “પોર્ટ સનલાઈટ’ આપણો આદર્શ નથી, ત્યાં પણ મજર અને માલિકના વિભાગો છે. આપણે તો એ ભેદ મિટાવીને મજૂર અને માલિક વચ્ચે પિતાપુત્ર જેવો સંબંધ સ્થાપવો છે અને છેવટે મજૂર મહાજનને કશું કરવાપણું રહે જ નહીં એવી આદર્શ સ્થિતિ લાવવાનો પ્રયત્ન મિલમાલિકોએ કરવાનો છે એમ કહ્યું?
આ પ્રસંગની કસ્તુરભાઈ ઉપર ઊંડી અસર થઈ. અલબત્ત, મજૂર અને માલિકના વિભાગ મિટાવે એવી ગાંધીજીની કલ્પનાથી વાસ્તવિક પરિસ્થિતિ
Scanned by CamScanner