________________
૧૦૮ પરંપરા અને પ્રગતિ
ઘણી દૂર રહેલી છે. છતાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે એટલા ખાતર જ મજૂરો પ્રત્યે કૂણું વલણ રાખવું એ પૂરતું નથી; પરંતુ મજૂરને મિલ પ્રત્યે મમત્વ જાગે એ માટે તેના હિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેને કાયમની આર્થિક નિશ્ચિતતા પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્નો કરવાની પ્રેરણા તેમને આ પ્રસંગથી મળી. ગાંધીજીનું સ્વપ્નું તો તેમની નિકટતાનો દાવો કરનાર ઘનશ્યામદાસ બિરલા, અંબાલાલ સારાભાઈ કે કસ્તૂરભાઈએ ત્રણ ઉદ્યોગપતિમાંથી એકે સિદ્ધ કરી શકયા નથી. પરંતુ અન્યની અપેક્ષાએ મજૂરો પ્રત્યે માનવતાભર્યો વ્યવહાર કરવાનું વલણ તેમનામાં જોવા મળે છે એને ગાંધીજીના સાન્નિધ્યની પરોક્ષ અસર ગણી શકાય.
જૂની પરંપરા મુજબ પોતાના માણસો પ્રત્યે કુટુંબભાવ રાખવાનું વલણ કસ્તૂરભાઈમાં પ્રથમથી છે. મિલમાં કામ કરતા તમામ કર્મચારીઓનાં સુખદુ:ખમાં ભાગ લેવો, સારેમાઠે પ્રસંગે તેમને પડખે ઊભા રહેવું, એક વાર નોકરીમાં રાખ્યા પછી સામાન્ય રીતે છૂટો નહીં કરવો અને નિવૃત્તિ બાદ તેને આજીવિકા પૂરતું રક્ષણ મળે તેવી જોગવાઈ કરવી એ તેમના વહીવટની વિશિષ્ટતા છે. આત્મીયતા દર્શાવતી તેમની આ નીતિને કારણે કસ્તૂરભાઈને ત્યાં બીજાને મુકાબલે ઓછો પગાર મળતો હોવા છતાં ઘણા માણસો ત્યાં નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. ટીપ
૧. અસાજી, પૃ. ૮૦.૨. ૭૫-૭૬. ૪. અસાજી, પૃ. ૭૮. ૭. અસાજી, પૃ. ૭૯-૮૦. ૧૧. ગાં, ૩૬, ૩૪૩,
૮.
અસાજી, પૃ. ૭૪-૭૬. ૫. KD, p.
9.
સાજી, ગુ. ૮૨.
૯.
૩. સાજી, મુ.
૬. KD, p. 14.
૧૦. કપ.
મમુ.
Scanned by CamScanner